૨૫મી જૂને મારી દિકરી નમ્યાનો બીજો જન્મદિવસ હતો. ગયા વર્ષે તેની પહેલી વર્ષગાંઠ ચાલીના બધા બાળકોને તેમજ મારા કેટલાક ઓફિસના મિત્રોને ઘેર આમંત્રી તેમની વચ્ચે નમ્યા દ્વારા ‘હમતુમ’ની બેબી વાળી મોટો એકડો ધરાવતી કેક કાપી હર્ષોલ્લાસપૂર્વક ઉજવેલી. ચાલીના બધા બાળકોને જ્ઞાનવર્ધક રમકડા-ગેમ્સ-પુસ્તકો વગેરેની ભેટ આપીને સંતોષની લાગણીનો અનુભવ કર્યો હતો.પણ આ વર્ષે મેં કંઈક નોખું કરવાનો વિચાર કર્યો.
વિચાર આવ્યો કે ચાલીના જે બાળકોને ભેટસોગાદો આપી એ બધાં તો, તેમના સામાન્ય થી સુખી સ્થિતીના ગણી શકાય એવા પરિવારો સાથે રહીને ઉછરી રહ્યાં છે પણ આ જગતમાં,આપણાં દેશમાં,આપણા શહેરમાં એવા કેટલાંયે બાળકો છે જેને માથે માબાપનું છત્ર નથી,જેમના કોઈ ભાઈ-બહેન કે પરિવાર નથી. આ વખતે આવા બાળકો સાથે ભેળવી,તેમની વચ્ચે નમ્યા દ્વારા કેક કપાવડાવી તેની બીજી વર્ષગાંઠ યાદગાર બનાવવાનો વિચાર આવ્યો અને તરત એ મેં અમલમાં મૂકવાનો નિર્ણય પણ કરી લીધો.સદનસીબે મારી પત્ની અને અન્ય પરિવારજનોએ પણ મારા આ વિચારને વધાવી લઈ મને એ દિશામાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યો.
સારું કાર્ય કરવા માત્ર એક વિચાર પૂરતો છે.તે માટેના અનેક રસ્તા આપોઆપ ખુલી રહે છે,સારા વિચારને અમલમાં મૂકવા માટેની અનેક દિશાઓ મળી રહે છે.એ માટેના સાધન-સામગ્રી-સ્રોતો આપોઆપ ઉભા થઈ જાય છે. જરૂર છે માત્ર એક સારા વિચારની અને તેને માટે પહેલ કરવાની.
આજનો યુગ માહિતીનો યુગ છે. તમારે જે વિશે માહિતી મેળવવી હોય તે હાથવગી હોય છે. ગૂગલ કે તેના જેવી બીજી અનેક વેબસાઈટ્સ તમને તમારી આસપાસના વિસ્તારોની સચોટ માહિતીનો ખડકલો તમારી સમક્ષ આશ્ચર્ય પમાડે એટલી હદે ક્ષણવારમા ઉભો કરી દે છે.મેં ઇન્ટરનેટ પર ક્યારેક ‘www.AskMe.com’ નામની વેબસાઈટ અને તેમની ટેલિફોન હેલ્પલાઈન વિષે વાંચ્યું હતું તેનો નંબર ડાયલ કરી, હું રહું છું તેવા મલાડની આસપાસના વિસ્તારમાં આવેલા અનાથ આશ્રમ અંગે માહિતી માગી અને તેમણે મને એસ.એમ.એસ દ્વારા મલાડના જ પાંચ-દસ અનાથાલયોની માહિતી, સંપર્ક વિગતો સહિત તરત જ મોકલી આપી. મેં દયાવિહાર નામના મલાડ પશ્ચિમમાં સ્થિત દયા વિહાર નામનાં એક ઓર્ફનેજનો નંબર જોડ્યો અને ત્યાંના સંચાલક શ્રીમાન જહોન ચાકો સાથે વાતચીત કરી.તેમણે મને તરત મારી દિકરીનો જન્મદિવસ તેમના ઘરમાં રહેતા વીસ બાળકો સાથે ઉજવવાની પરવાનગી આપી દીધી. મેં ત્યાંના બાળકોની ઉંમર,અભ્યાસ,જરૂરિયાત વગેરે જેવી પ્રાથમિક માહિતી મેળવી લીધી.બારેક બાળકો ચોથા-પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતાં હતાં.પાંચેક બાળકો પહેલા- બીજાધોરણમાં ભણતા કે તેથી પણ નાની વયના હતાં અને ત્રણ બાળકો જુનિયર કોલેજમાં અભ્યાસ કરનારાં હતાં.મેં ઉંમર મુજબ તેમના માટે શાળા-અભ્યાસમાં મદદ કરે એવી ‘કિટ’ ભેટ આપવા બનાવડાવી. સરસ મજાની કેક ઓનલાઈન ઓર્ડર કરી દીધી.સમોસા અને વેફરની વ્યવસ્થા મારી બહેનને સોંપી દીધી.
નમ્યાના જન્મદિવસે સાંજે ઓફિસથી જલ્દી ઘેર આવી ગયો. ગિફ્ટ્સના પેકેટ તૈયાર કરાવ્યા હતા તે ચકાસી લીધા અને મારા પરિવારના સભ્યો તથા અમારા એક પાડોશી દંપતિ - નમ્યાના ફેવરીટ સંતરુદાદા અને કિનુબા સહિત કુલ આઠ જણનો અમારો કાફલો ઉપડ્યો દયા વિહાર જવા,ગિફ્ટ્સ,કેક,નાસ્તો વગેરે બધું સાથે લઈને.
દયા વિહાર આશ્રમ મલાડની સામાન્ય ભીડભાડથી ખાસ્સો દૂર માર્વે-આક્સા તરફ જતા રસ્તા પર વચ્ચે આવેલો છે.ખૂબ શાંત અને લીલોતરીભરી જગાએ આવેલ આ આશ્રમ એટલે આમતો એક મોટું મકાન જ ગણીલો.અમે પહોંચ્યા કે તરત બે છોકરાઓ સસ્મિત અમારું સ્વાગત કરવા ગેટ પર દોડી આવ્યા.સલીમ અને ડેનિયલ.એક મુસ્લિમ અને બીજો ખ્રિસ્તી પણ અહિં જાણે જાતિવાદના ભેદભાવ જેવી કોઈ બાબતનું અસ્તિત્વ જ નહોતું.ચાકો પરિવારનું આ ઘર અઢારેક નિરાધાર બાળકોનું નિવાસ સ્થાન હતું જેમાં તેઓ પોતાના પંડના બે બાળકો સાથે જ વસવાટ કરી, બધાં બાળકોને પોતાના પેટ-જણ્યા બાળકોની જેમજ ઉછેરે છે.મને વિચાર આવ્યો આમને જીવતા જાગતા ભગવાન જ ગણી શકાય! આજે જમાનો એવો છે જ્યાં કેટલાક પરિવારોમાં સગા માબાપ કે અન્ય પરિવારજનો પણ કેટલાક લોકોને ભારરૂપ લાગતા હોય છે અને કેટલાયે યુવા દંપતિઓ DINK (ડબલ ઇન્કમ નો કીડ્સ) - અર્થાત પતિપત્ની બંને કમાતા હોય પણ તેમને સંતાનની પળોજણ ન ગમતી હોવાથી સંતાન પેદા થવા દેતા નથી,આવા યુગમાં પારકા અને જેમાંના કેટલાકનાં માબાપ કોણ છે,તે કઈ જાતિના છે એ વિષે કોઈ જ ખબર ન હોવા છતાં તેમને પોતાના સંતાનોની જેમજ પોતાના પેટ જણ્યા બે દિકરાઓ સાથે ઉછેરવા, એ માટે ભગવાન જેવડું જિગર જોઇએ.આ ખરેખર સામાન્ય માણસનું કામ નહિં.ચાકો પરિવાર ઇશ્વરીય કાર્ય જ કરી રહ્યાં છે.અમે એક જ વહાલસોયી નમ્યાના નખરાંથીજ ઘણી વાર તો એટલા કંટાળી જઈએ છીએ કે ન પૂછો વાત! જ્યારે અહિં તો એક ડઝન કરતાંયે વધુ દસથી નીચેની ઉંમરના અને બાકીના તેથી થોડી વધુ વયના એમ કુલ વીસેક બાળકોને એક છત નીચે ચાકો પરિવાર પ્રેમ અને હર્ષપૂર્વક ઉછેરે છે,તેમને ભણાવે ગણાવે છે.
અમે તેમના મુખ્ય ખંડમાં ગોઠવાયા એટલે તરત બધાં બાળકો આવીને અમારી સામે પલાંઠી વાળી કતાર બદ્ધ બેસી ગયાં. નમ્યા આટલા બધાં બાળકોને જોઈ ખુશ થઈ ગઈ.શ્રીમાન જહોન ચાકો તો કોઈક કામસર બહાર ગામ ગયા હતા પણ શ્રીમતી મારિયા ચાકોએ અમારું સુંદર સ્મિત સાથે સ્વાગત કર્યું અને બાળકોને પ્રાર્થના કરવા જણાવ્યું. અમને ગેટ પર લેવા આવેલ સલિમ ઉભો થઈ નમ્યાનું નામ બોલી અમારો આભાર માની પ્રાર્થના ગાવા લાગ્યો અને પછી તો બધાં બાળકો એમાં જોડાયાં.ઘડીક ઉભા થાય તો ઘડીક ફરી બેસી જાય.એક સાથે બધાં પોતપોતાનો ડાબો હાથ ઉંચો કરી ગાતા ગાતા ઉભા થાય, ફરી નીચે બેસી જાય.અભિનય સહિત આ રીતે પ્રાર્થના અને એક બે બીજા ગીતો તેમણે સાથે મળી અમારી સમક્ષ રજૂ કર્યા. આ પૂર્વ આયોજિત નહોતું. અમને સરસ સરપ્રાઈઝ મળી. નમ્યા પણ તાળીઓ પાડી બાળકોનું આ પરફોર્મન્સ માણી રહી.
ત્યાર બાદ અમે બધા બાળકો વચ્ચે, નમ્યા પાસે કેક કપાવડાવી. બધા બાળકોએ ધરાઈને કેક સાથે નાસ્તો ખાધો. નમ્યા અને બધાં બાળકો ખૂબ ખુશ જણાતાં હતાં.તે બાળકોના ચહેરા પર ખુશી જોઈ અમને સૌને પરમ સંતોષ અને કંઈક સારુ કર્યાની લાગણીનો અનુભવ થયો.
નાસ્તાનો કાર્યક્રમ પતી ગયા બાદ હું ધમાલ વાળા ગીતોની એક સી.ડી. લઈ ગયો હતો તે ત્યાં વગાડી અને પંદર વીસ મિનિટ અમે બધા સાથે મળી ખૂબ નાચ્યા! ઘડીક નમ્યાને તો ઘડીક બીજા કોઈ બાળકને તેડીને નાચવા છતાં મને થાક ન લાગ્યો!
ડાન્સનું સેશન પતી ગયા બાદ મેં બધા બાળકોને ગિફ્ટ પેકેટ્સ વહેંચી દીધા અને તેમને ખૂબ સારી રીતે ભણીગણી મોટા માણસ બનવા શુભેચ્છા પાઠવી.તેમણે ફરી એક પ્રાર્થના અને એક-બે ગીત આંગિક અભિનય સહિત એક સૂરમાં ,એક સાથે રજૂ કર્યા અને અમે ગળગળા થઈ ત્યાંથી વિદાય લીધી.
એક બાળક વિષે મારિયા મેડમે વાત કરી તે મારા મગજમાં સતત ઘૂમરાઈ રહી હતી. તે બાળક ત્રણેક વર્ષનું હતું અને બે દિવસ પહેલા જ તેની માતા તેને દયા વિહારના ગેટ પર મૂકી ગાયબ થઈ ગઈ હતી. એ બાળકના ચહેરા પર જે પારાવાર ઉદાસી અને નિરાશા હતાં તે અવર્ણનીય અને હ્રદયદ્રાવક હતાં. મને આશા છે કદાચ નમ્યાના જન્મદિવસની ઉજવણીએ તે બાળકના દુ:ખમાં આંશિક ઘટાડો કર્યો હોય અને તે થોડી ક્ષણો માટે પણ ખુશ થયું હોય તો મારો આ પ્રયાસ લેખે લાગે. ફરી એક વાર મધર મેરી ના સાક્ષાત અવતાર સમા મારિયા મેડમને ધન્યવાદ આપી, તેમને બિરદાવી અને સૌ બાળકોને વારંવાર આવજો કરી ફરી મળવાનો બોલ આપી અમે ત્યાંથી વિદાય લીધી.
નમ્યાનો બર્થ ડે આ અનોખી રીતે ઉજવી ખરેખર ખૂબ ખુશી થઈ અને મારી પત્ની તથા અન્ય સૌએ આજ રીતે ભવિષ્યમાં પણ નમ્યાના દરેક બર્થ ડે ઉજવવા વિનંતી કરી!
Photo album link for Namyaa's B'day pics at Daya Vihar : http://www.facebook.com/media/set/?set=a.3877998042879.153946.1666613300&type=1&l=10ea3a853d
Video link's for Namyaa's B'day pics at Daya Vihar : http://youtu.be/a5uJjd--Cwk
and
http://www.facebook.com/photo.php?fbid=390774514305622&set=a.367470689969338.76579.100001192302042&type=1#!/photo.php?v=3878158886900
રવિવાર, 8 જુલાઈ, 2012
અનોખી રીતે વર્ષગાંઠની ઉજવણી
લેબલ્સ:
'blog ne zarookhe thee',
'Daya Vihar Orphanage',
'janmabhoomi pravasi',
'Namyaa Nayak',
'orphanage in malad',
'vikas ghanshyam nayak',
'vikas nayak',
BirthDay,
janmabhoomi,
Malad,
orphanage
રવિવાર, 1 જુલાઈ, 2012
ગેસ્ટ બ્લોગ : પ્રત્યેક મહિલા માટે અનિવાર્ય -'સ્વરક્ષા'
- ઇલાક્ષી મર્ચન્ટ
કોઈ પણ ઉંમરની સ્ત્રીઓએ અનેકવાર અનેક રીતની અવહેલના સહન કરવી પડે છે. જેમાં જાતિય હુમલો મુખ્યત્વે હોય છે કોઈપણ ઉંમરની મહિલાને ખભેથી ધક્કો મારનાર મહાનુભાવો આમ કરવું એ એમનો જન્મસિધ્ધ અધિકાર છે એમ માને છે.
મહિલાઓ આવો ધક્કો સહન કર્યા પછી સિસકારો બોલાવે કે કંઈ બોલે તો પણ આવા લોકો ને કંઈ અસર થતી નથી. આતો એક નાનકડી વાત છે, પણ હમણાં બોરિવલી ના એક ગિર્દીભર્યા વિસ્તારમાં બપોરે ચાર વાગ્યા પછી ક્લાસમાં જતી એક ટિનએજર છોકરીની સામે લુંગી પહેરેલો દાઢીવાળો માણસ આવી ગયો. અચાનક એ છોકરી જોરજોરથી રડવા લાગી. એની પાછળ ચાલતી મહિલા એની પાસે દોડી આવી એટલે પેલો બુઢ્ઢો રફુચકકર થઈ ગયો. મહિલાએ છોકરીને પાણી પિવડાવીને શાંત પાડી અને શું થયુ તે પુછ્યુ. જે જવાબ મળ્યો એ ચોકાવનારો હતો.
એ બુઢ્ઢાએ છોકરીને એવો સવાલ કર્યો હતો કે "પ્યાર કરને કે કિતને પૈસે લેતી હૈ?"
જિદગીમા આવા શબ્દો ક્યારેય ન સાંભળ્યા હોય એવી ટીનેજર છોકરી આવે વખતે રડવા માંડે એ સ્વભાવિક છે.
પત્રકાર તરીકે મેં એક સ્થાનિક નેતાને આ વાત કરી તો એમણે બેદરકારીથી જવાબ આપ્યો "હમ ક્યા કર સકતે હૈ? સભી કે પીછે તો નહી ઘૂમ સકતે?"
આવા વખતે મહિલા ભલે કોઈ પણ ઉંમરની હોય, તેણે પોતાનો સ્વબચાવ કરવા માટે સજ્જ રહેવું જોઈએ. ભલે કરાટેના દાવપેચ ન આવડતા હોય, પણ હાથ-પગથી મારી શકાય , સેંડલ કાઢીને પણ સામનો કરી શકાય સાથે જો પાણી ભરેલી બોટલ હોય તો એ પણ કામ આવી જાય!
આવા વખતે રડવાથી મહિલા ગભરાઈ ગઈ છે એમ માનીને મવાલીમાં હિંમત વધી જશે અને એ પરેશાન કરશે.
આવા વખતે બુમાબુમ કરવાથી પણ મદદ મળી શકે છે. તમાશા ને તેડુ ન હોય એમ માનીને ભેગા થનાર લોકોનું ટોળુ જોઈને પણ મવાલી ગભરાઈને નાસી જશે.
માત્ર મહિલામાં હિંમતનો અભાવ ન હોવો જોઇએ. આવા વખતે એક - નેતાની ટિપ્પણી પણ સાંભળવા જેવી છે, જેમાં નેતાજીએ અભિમાનથી જાહેર કર્યુ કે,”શું કરે? આજની મહિલાઓના વસ્ત્રો જ એવા હોય છે કે પુરુષો ઉશ્કેરાઈ જાય...” એટલે કે હવે મહિલાઓ એ ક્યા વસ્ત્રો પહેરવા એ આ નેતાજી નક્કી કરશે.
આવા નેતાઓ જાણતા નહી હોય કે સાડી પહેરેલી અને બુરખા પહેરેલી મહીલાઓ ઉપર પણ જાતિય હુમલા થાય છે. બધીજ બાબતોમા મહિલાઓનો વાંક કાઢવાની જરૂર નથી.છતાં મહિલાઓ પણ સાવચેત રહે,એકલી ન નીકળે અને આવો કપરો સમય આવે તો હિંમતથી તેનો સામનો કરે.
- ઇલાક્ષી મર્ચન્ટ
રવિવાર, 24 જૂન, 2012
આજે પણ…
આમ તો હું બહુ કવિતાઓ નથી લખતો પણ મને સરળ અને સારા કાવ્યો વાંચવા ગમે છે. ક્યારેક કોઈક વિચાર કવિતા રૂપે લખી પણ નાંખુ છતાં કાવ્યની એક શિસ્ત,તેના પ્રાસ,તેની લઢણ,તેના છંદ વગેરે તેમજ તેના એક ચોક્કસ ચોકઠામાં લખવું મને અઘરૂં લાગતું હોવાથી મોટે ભાગે હું કાવ્યાત્મક વિચાર જ્યારે લખું ત્યારે અછાંદસ રૂપે જ લખતો હોઉં છું.
એક વાર મને ટ્રેનમાં ઓફિસ જતી વખતે વાંદ્રા પાસે, પુલ પરથી હાર્બર લાઈનની ટ્રેન પસાર થતી જોઈ કેટલાક વિચાર આવ્યા અને મેં એક કાવ્ય લખી નાંખ્યું અને થોડા સમય અગાઉ કાંદિવલી ખાતે પ્રગતિ મિત્ર મંડળ આયોજિત નવોદિત કવિઓ માટેની સ્પર્ધામાં આ કાવ્યને તૃતિય પારિતોષિક એનાયત થયું ત્યારે મને બેહદ ખુશીની લાગણી થઈ. આ કાવ્ય આજે 'બ્લોગને ઝરૂખેથી'માં રજૂ કરું છું.
આજે પણ…
તો શું થઈ ગયું હું બત્રીસ વર્ષનો થઈ ગયો?
આજે પણ મને બાળસહજ અચરજ સાથે પુલ પરથી પસાર થતી ગાડી જોઈ મલકવું ગમે છે...
અને ઉનાળાની બળબળતી બપોરે બંને હાથ તથા મોઢું બગાડીને પણ ફળોના રાજા ગણાતી કેરી ચૂસવી ગમે છે!
બસ કે ગાડીમાં પ્રવાસ કરતી વખતે બારીવાળી સીટ પર બેસી બહારના દ્રષ્યને જોવું ગમે છે...
આજે પણ રસ્તામાં મચ્છરોનો નાશ કરવા ધૂમાડાવાળો પાઈપ લઈને ધૂમાડો છાંટે એટલે તેમાં અદ્રષ્ય થઈ જવાનું મન થઈ જાય છે!
આજે પણ બાળક હતો ત્યારે જેમ શાળાએ જવાનો કંટાળો આવતો એમ ક્યારેક ઓફિસે જવાનો કંટાળો આવે છે!
આજે પણ વરસાદની મોસમમાં આકાશમાં સપ્તરંગી મેઘધનુષ જોઈને મન આનંદથી વિભોર થઈ જાય છે!
આજે પણ મને ટી.વી. પર કાર્ટૂન ફિલ્મો જોવી ગમે છે અને તેમાંયે ડોનાલ્ડ ડક અને ટોમ એન્ડ જેરી તો મારા મોસ્ટ ફેવરીટ કાર્ટૂન્સ છે!
આજે પણ મને અખબારોમાં આવતી બાળપૂર્તિઓ વાંચવી અને તેમાં આવતી રમતો માણવી ગમે છે!
આજે પણ મને બાળકો ગલીમાં પકડાપકડી,થપ્પો,સાંકળી,લંગડી કે ગોટી રમી રહ્યા હોય ત્યારે તેમની સાથે જોડાઈ જવાનું મન થાય છે!
આજે એક બાળકનો બાપ બની ચૂક્યો હોવા છતાં મનમાં ઊંડે ઊંડે એવી ઇચ્છા છે કે મારામાં રહેલું બાળક સદાય જીવંત રહે!
- વિકાસ ઘનશ્યામ નાયક
એક વાર મને ટ્રેનમાં ઓફિસ જતી વખતે વાંદ્રા પાસે, પુલ પરથી હાર્બર લાઈનની ટ્રેન પસાર થતી જોઈ કેટલાક વિચાર આવ્યા અને મેં એક કાવ્ય લખી નાંખ્યું અને થોડા સમય અગાઉ કાંદિવલી ખાતે પ્રગતિ મિત્ર મંડળ આયોજિત નવોદિત કવિઓ માટેની સ્પર્ધામાં આ કાવ્યને તૃતિય પારિતોષિક એનાયત થયું ત્યારે મને બેહદ ખુશીની લાગણી થઈ. આ કાવ્ય આજે 'બ્લોગને ઝરૂખેથી'માં રજૂ કરું છું.
આજે પણ…
તો શું થઈ ગયું હું બત્રીસ વર્ષનો થઈ ગયો?
આજે પણ મને બાળસહજ અચરજ સાથે પુલ પરથી પસાર થતી ગાડી જોઈ મલકવું ગમે છે...
અને ઉનાળાની બળબળતી બપોરે બંને હાથ તથા મોઢું બગાડીને પણ ફળોના રાજા ગણાતી કેરી ચૂસવી ગમે છે!
બસ કે ગાડીમાં પ્રવાસ કરતી વખતે બારીવાળી સીટ પર બેસી બહારના દ્રષ્યને જોવું ગમે છે...
આજે પણ રસ્તામાં મચ્છરોનો નાશ કરવા ધૂમાડાવાળો પાઈપ લઈને ધૂમાડો છાંટે એટલે તેમાં અદ્રષ્ય થઈ જવાનું મન થઈ જાય છે!
આજે પણ બાળક હતો ત્યારે જેમ શાળાએ જવાનો કંટાળો આવતો એમ ક્યારેક ઓફિસે જવાનો કંટાળો આવે છે!
આજે પણ વરસાદની મોસમમાં આકાશમાં સપ્તરંગી મેઘધનુષ જોઈને મન આનંદથી વિભોર થઈ જાય છે!
આજે પણ મને ટી.વી. પર કાર્ટૂન ફિલ્મો જોવી ગમે છે અને તેમાંયે ડોનાલ્ડ ડક અને ટોમ એન્ડ જેરી તો મારા મોસ્ટ ફેવરીટ કાર્ટૂન્સ છે!
આજે પણ મને અખબારોમાં આવતી બાળપૂર્તિઓ વાંચવી અને તેમાં આવતી રમતો માણવી ગમે છે!
આજે પણ મને બાળકો ગલીમાં પકડાપકડી,થપ્પો,સાંકળી,લંગડી કે ગોટી રમી રહ્યા હોય ત્યારે તેમની સાથે જોડાઈ જવાનું મન થાય છે!
આજે એક બાળકનો બાપ બની ચૂક્યો હોવા છતાં મનમાં ઊંડે ઊંડે એવી ઇચ્છા છે કે મારામાં રહેલું બાળક સદાય જીવંત રહે!
- વિકાસ ઘનશ્યામ નાયક
રવિવાર, 17 જૂન, 2012
હેપ્પી ફાધર્સ ડે...!
પિતા અને પુત્રનો સંબંધ અનોખો હોય છે.તેઓ એકબીજાને પ્રેમ કરતા હોય છે, એકબીજાને મનથી માન પણ આપતા હોય છે પણ છતાં તેમના સંબંધમાં એક તણાવ જોવા મળતો હોય છે. કદાચ આ મારો અંગત અભિપ્રાય હોઈ શકે છે પણ મારા પોતાના દાખલા સહિત મેં બીજા એવાં ઘણાં નજીકના ઉદાહરણ જોયાં છે જ્યાં બાપ-બેટા વચ્ચેના સંબંધો દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના અનુપમ ખેર - શાહરૂખ વચ્ચે દર્શાવાયા હતાં એટલાં સરળ, સુંવાળા અને શત પ્રતિશત મતભેદ વગરના નથી હોતાં.
કેટફીશ નામની માછલીની જાતિના પિતા સજીવોમાં સર્વશ્રેષ્ઠ પિતાનું બિરૂદ પામેલ છે કારણ તે છ મહિના કરતાં પણ વધુ સમય સુધી પોતાના મોઢામાં માદાએ મૂકેલા ઇંડા સાચવી રાખે છે જ્યાં સુધી તેમાંથી બચ્ચા બહાર ન આવી જાય અને તેઓ તરતા શીખી બહારના વિશ્વનો સામનો કરવા જેટલા પુખ્ત ન થઈ જાય. તે કંઈ પણ ખાધાપીધા સિવાય આ અવસ્થા દરમ્યાન સમુદ્રને તળિયે પડી રહે છે. ખરું જોતા, માનવ જાતમાં પણ પિતા, કદાચ કેટ ફિશ જેટલો વધુ પડતો ત્યાગી-વૈરાગી બનીને નહિં પણ પોતાના સંતાનોનું પ્રેમપૂર્વક, જતનપૂર્વક ભરણપોષણ તો કરે જ છે. તે પોતાના મોજશોખનો ઘણી વાર ત્યાગ કરી દે છે જેથી તેના સંતાનની કોઈ ઇચ્છા અધૂરી ન રહી જાય કે પોતાના સંતાનને સારામાં સારી સુખસુવિધા કે ઉચ્ચ કોટિના શિક્ષણ મળી રહે. ભાગ્યે જ કોઈ પિતા એવો હશે જે પોતાના સંતાનને પ્રેમ ન કરતો હોય કે તેની નાની મોટી દરેક અભિલાષા પૂર્ણ કરવાનો પ્રયાસ ન કરતો હોય. હા,કદાચ મા જેટલા ઋજુ સ્વભાવનો ન હોવાને કારણે, ગુસ્સા કે ઉગ્ર સ્વભાવને લીધે તે ભલે ક્યારેક આકરો ભાસે, પણ દરેક પિતા પોતાના સંતાનને શ્રેષ્ઠ બાળપણ પૂરું પાડી તે ઉત્તમ કોટિના માનવી બને એવા પ્રયત્ન હ્રદયથી કરતો જ હોય છે. કયો પિતા બાળકને પોતાને ખભે બેસાડી ઘૂમ્યો નહિં હોય કે કયો પિતા બાળકને પીઠ પર બેસાડી તેના માટે ઘોડો નહિં બન્યો હોય?! પુત્ર હોય કે પુત્રી,પિતાને મન તે કાળજાના કટકા સમાન જ હોય છે (હા, કદાચ પુત્ર-પુત્રી બંને હોય તો તેને પુત્રી વિશેષ વ્હાલી લાગતી હોઈ શકે!) ક્યારેક પિતા ગુસ્સામાં હાથ ઉગામી બેસે કે આકરા એવા બેચાર શબ્દો દ્વારા સંતાનનું દિલ દુભવી શકે પણ બેશક એ સંતાનના ભલા માટે જ. દિલથી તો તે પોતાના સંતાનનું ભલુ જ ઇચ્છતો હોય છે. સંતાનનો સારામાં સારો ઉછેર કરી શકે એ માટે પિતા રાતદિવસ તનતોડ મહેનત કરી સારું કમાવા પ્રયત્ન કરે છે અને ભલે માને ત્યાગની મૂર્તિ ગણવામાં આવતી હોય છતાં બાપ પણ અનેક ગમતી ચીજ વસ્તુઓ કે શોખ-આદતોનો ત્યાગ કરી તેની ગણતરીઓ માંડતો નથી.
ક્યાંક ખૂબ સરસ વાત વાંચેલી કે પિતા માટે સૌથી ધન્ય ક્ષણ કઈ હોય છે?જ્યારે તેનું નાનકડું વહાલસોયું સંતાન તેની નાનકડી આંગળીઓ વડે તેનો હાથ પકડી તેની છાતી પર નિરાંતે સૂઈ ગયું હોય! બાપ જ આંગળી પકડી બાળકને પ્રથમ વાર બહારના જગતમાં પગરણ મંડાવે છે, પહેલી વાર બેન્કમાં લઈ જાય છે, વ્યવહારુ જ્ઞાન આપે છે, દુનિયામાં સમસ્યાઓ સામે લડતા, પ્રતિકૂળ સંજોગો સામે ઝઝૂમતા શિખવે છે.
સંતાન નાનું હોય ત્યાં સુધી પિતા જ તેના સુપરહીરો હોય છે!મમ્મી જે જિદ પૂરી ન કરે તે જિદ પપ્પા પાસે પૂરી કરાવતાં સંતાનને વાર લાગતી નથી.તો પછી જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ પિતા પુત્રના સંબંધોનું સ્વરૂપ શા માટે બદલાતું જતું હશે? અને કદાચ પિતા પુત્રી વચ્ચેના સંબંધમાં એટલું અંતર નથી વધી જતું જેટલું પિતા પુત્ર વચ્ચેના સંબંધમાં જોવા મળે છે.શું આ પાછળ પુરુષપ્રધાન સમાજને કારણે પુરુષમાં વિકસીત થતો પુરુષ-સહજ અહમ (મેલ-ઇગો) જવાબદાર હશે? જુવાન પુત્રને તેના પિતા સાથે દિલ ખોલીને વાત કરી શક્તો નથી.તેને ક્યારેક પિતા જૂનવાણી લાગે છે તો ક્યારેક વધુ પડતા મરજાદી કે કડક.જનરેશન ગેપ કદાચ પોતાનું કામ કરતો હશે આ પાછળ?સૌમ્ય જોશીના નાટક વેલકમ જિંદગીમાં પિતા-પુત્રના આવા સંબંધોની વાત ખૂબ સુંદર રીતે રજૂ થયેલી.આ નાટક મને ખાસ્સુ સ્પર્શી ગયેલું.
જુવાન દિકરાએ સમજવું જોઇએ કે બાપ ભલે આકરો હોય તોયે મનથી તો તેના સંતાનને ચાહતો જ હોય છે.એ ભલે ને ગમે તેટલો મોટો બની જાય કે વધુ કમાવા માંડે તો પણ તેણે એ ભૂલવું ન જોઇએ કે તેનું અસ્તિત્વ માત્ર તેના પિતાને જ આભારી છે.તે લાખ કોશિશ કરીને પણ એ હકીકતથી વેગળો નહિં થઈ શકે કે તે પિતાના ડી.એન.એ નો જ અંશ છે! તો બીજે પક્ષે બાપે પણ ક્યારેક પોતાના અહમથી વેગળા થઈ દિકરાના વિશ્વને,દિકરાની લાગણીઓને સમજવા જોઇએ.તેની સાથે સખત મિજાજના વડીલ બની નહિં પણ એક દોસ્ત બની વર્તવું જોઇએ. બાપ બેટા વચ્ચે મતભેદ થાય એ ચાલે પણ મનભેદ થવો જોઇએ નહિં.કદાચ બાપ ગુસ્સામાં બે શબ્દો બોલી દે તો દિકરાએ તે મન પર લેવુ જોઇએ નહિં અને કદાચ દિકરો ગમે તેમ બોલી નાંખે તો બાપે મોટા મને તેને ન સાંભળ્યું કરી નાંખવું જોઇએ પણ તકરાર તેમની વચ્ચેના અંતરને એટલા દૂર ન કરી નાંખવી જોઇએ કે તેઓ એક છત નીચે ન રહી શકે.
ઘરડા બાપને દિકરાની જરૂર વયસ્ક વયે જ સૌથી વધુ પડતી હોય છે અને ત્યારે જ દિકરાને પણ ઋણ ચૂકવવાનો મોકો મળતો હોય છે જે તેણે બિલકુલ જતો કરવો જોઇએ નહિં. જુવાન દિકરાના સંતાનનું સંતાન એટલે કે મુદ્દલ પરનું વ્યાજ તો પિતાને મન પોતાના સગા દિકરાથીયે વિશેષ વહાલું હોય છે.સામે પક્ષે પૌત્ર કે પૌત્રીના સ્વસ્થ અને યોગ્ય ઉછેર માટે તેને દાદા-દાદીનો પ્રેમ મળવો અનિવાર્ય છે.દાદા-દાદીને આ સૌભાગ્યથી વંચિત રાખનાર કપૂત દિકરાને તો એ પાપની સજા મળ્યા વગર રહેતી જ નથી.
છેલ્લે મારા મનની એક વાત આજે આ બ્લોગ થકી મારા પપ્પાને તેમજ મારા જેવા કેટલાયે જુવાન પુત્રોના પિતાઓને પહોંચાડવા ઇચ્છુ છું.ક્યારેક તમને તમારા જુવાન પુત્રના વાણી કે વર્તન દ્વારા આઘાત લાગે તો એટલું યાદ રાખજો કે તે મનથી તો તમને ચાહે જ છે,તમને ખૂબ માન આપે જ છે.તેને તમારું નાનકડું વહાલસોયું બાળક ગણી માફ કરી દેશો જેની આંગળી પકડી એક દિવસ તમે જ તેને આ જગતમાં ડગ માંડતા શિખવાડેલું!
મારા પપ્પાને અને જગતનાં દરેક પિતાઓને આજના આ બ્લોગ થકી 'હેપ્પી ફાધર્સ ડે...!'
કેટફીશ નામની માછલીની જાતિના પિતા સજીવોમાં સર્વશ્રેષ્ઠ પિતાનું બિરૂદ પામેલ છે કારણ તે છ મહિના કરતાં પણ વધુ સમય સુધી પોતાના મોઢામાં માદાએ મૂકેલા ઇંડા સાચવી રાખે છે જ્યાં સુધી તેમાંથી બચ્ચા બહાર ન આવી જાય અને તેઓ તરતા શીખી બહારના વિશ્વનો સામનો કરવા જેટલા પુખ્ત ન થઈ જાય. તે કંઈ પણ ખાધાપીધા સિવાય આ અવસ્થા દરમ્યાન સમુદ્રને તળિયે પડી રહે છે. ખરું જોતા, માનવ જાતમાં પણ પિતા, કદાચ કેટ ફિશ જેટલો વધુ પડતો ત્યાગી-વૈરાગી બનીને નહિં પણ પોતાના સંતાનોનું પ્રેમપૂર્વક, જતનપૂર્વક ભરણપોષણ તો કરે જ છે. તે પોતાના મોજશોખનો ઘણી વાર ત્યાગ કરી દે છે જેથી તેના સંતાનની કોઈ ઇચ્છા અધૂરી ન રહી જાય કે પોતાના સંતાનને સારામાં સારી સુખસુવિધા કે ઉચ્ચ કોટિના શિક્ષણ મળી રહે. ભાગ્યે જ કોઈ પિતા એવો હશે જે પોતાના સંતાનને પ્રેમ ન કરતો હોય કે તેની નાની મોટી દરેક અભિલાષા પૂર્ણ કરવાનો પ્રયાસ ન કરતો હોય. હા,કદાચ મા જેટલા ઋજુ સ્વભાવનો ન હોવાને કારણે, ગુસ્સા કે ઉગ્ર સ્વભાવને લીધે તે ભલે ક્યારેક આકરો ભાસે, પણ દરેક પિતા પોતાના સંતાનને શ્રેષ્ઠ બાળપણ પૂરું પાડી તે ઉત્તમ કોટિના માનવી બને એવા પ્રયત્ન હ્રદયથી કરતો જ હોય છે. કયો પિતા બાળકને પોતાને ખભે બેસાડી ઘૂમ્યો નહિં હોય કે કયો પિતા બાળકને પીઠ પર બેસાડી તેના માટે ઘોડો નહિં બન્યો હોય?! પુત્ર હોય કે પુત્રી,પિતાને મન તે કાળજાના કટકા સમાન જ હોય છે (હા, કદાચ પુત્ર-પુત્રી બંને હોય તો તેને પુત્રી વિશેષ વ્હાલી લાગતી હોઈ શકે!) ક્યારેક પિતા ગુસ્સામાં હાથ ઉગામી બેસે કે આકરા એવા બેચાર શબ્દો દ્વારા સંતાનનું દિલ દુભવી શકે પણ બેશક એ સંતાનના ભલા માટે જ. દિલથી તો તે પોતાના સંતાનનું ભલુ જ ઇચ્છતો હોય છે. સંતાનનો સારામાં સારો ઉછેર કરી શકે એ માટે પિતા રાતદિવસ તનતોડ મહેનત કરી સારું કમાવા પ્રયત્ન કરે છે અને ભલે માને ત્યાગની મૂર્તિ ગણવામાં આવતી હોય છતાં બાપ પણ અનેક ગમતી ચીજ વસ્તુઓ કે શોખ-આદતોનો ત્યાગ કરી તેની ગણતરીઓ માંડતો નથી.
ક્યાંક ખૂબ સરસ વાત વાંચેલી કે પિતા માટે સૌથી ધન્ય ક્ષણ કઈ હોય છે?જ્યારે તેનું નાનકડું વહાલસોયું સંતાન તેની નાનકડી આંગળીઓ વડે તેનો હાથ પકડી તેની છાતી પર નિરાંતે સૂઈ ગયું હોય! બાપ જ આંગળી પકડી બાળકને પ્રથમ વાર બહારના જગતમાં પગરણ મંડાવે છે, પહેલી વાર બેન્કમાં લઈ જાય છે, વ્યવહારુ જ્ઞાન આપે છે, દુનિયામાં સમસ્યાઓ સામે લડતા, પ્રતિકૂળ સંજોગો સામે ઝઝૂમતા શિખવે છે.
સંતાન નાનું હોય ત્યાં સુધી પિતા જ તેના સુપરહીરો હોય છે!મમ્મી જે જિદ પૂરી ન કરે તે જિદ પપ્પા પાસે પૂરી કરાવતાં સંતાનને વાર લાગતી નથી.તો પછી જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ પિતા પુત્રના સંબંધોનું સ્વરૂપ શા માટે બદલાતું જતું હશે? અને કદાચ પિતા પુત્રી વચ્ચેના સંબંધમાં એટલું અંતર નથી વધી જતું જેટલું પિતા પુત્ર વચ્ચેના સંબંધમાં જોવા મળે છે.શું આ પાછળ પુરુષપ્રધાન સમાજને કારણે પુરુષમાં વિકસીત થતો પુરુષ-સહજ અહમ (મેલ-ઇગો) જવાબદાર હશે? જુવાન પુત્રને તેના પિતા સાથે દિલ ખોલીને વાત કરી શક્તો નથી.તેને ક્યારેક પિતા જૂનવાણી લાગે છે તો ક્યારેક વધુ પડતા મરજાદી કે કડક.જનરેશન ગેપ કદાચ પોતાનું કામ કરતો હશે આ પાછળ?સૌમ્ય જોશીના નાટક વેલકમ જિંદગીમાં પિતા-પુત્રના આવા સંબંધોની વાત ખૂબ સુંદર રીતે રજૂ થયેલી.આ નાટક મને ખાસ્સુ સ્પર્શી ગયેલું.
જુવાન દિકરાએ સમજવું જોઇએ કે બાપ ભલે આકરો હોય તોયે મનથી તો તેના સંતાનને ચાહતો જ હોય છે.એ ભલે ને ગમે તેટલો મોટો બની જાય કે વધુ કમાવા માંડે તો પણ તેણે એ ભૂલવું ન જોઇએ કે તેનું અસ્તિત્વ માત્ર તેના પિતાને જ આભારી છે.તે લાખ કોશિશ કરીને પણ એ હકીકતથી વેગળો નહિં થઈ શકે કે તે પિતાના ડી.એન.એ નો જ અંશ છે! તો બીજે પક્ષે બાપે પણ ક્યારેક પોતાના અહમથી વેગળા થઈ દિકરાના વિશ્વને,દિકરાની લાગણીઓને સમજવા જોઇએ.તેની સાથે સખત મિજાજના વડીલ બની નહિં પણ એક દોસ્ત બની વર્તવું જોઇએ. બાપ બેટા વચ્ચે મતભેદ થાય એ ચાલે પણ મનભેદ થવો જોઇએ નહિં.કદાચ બાપ ગુસ્સામાં બે શબ્દો બોલી દે તો દિકરાએ તે મન પર લેવુ જોઇએ નહિં અને કદાચ દિકરો ગમે તેમ બોલી નાંખે તો બાપે મોટા મને તેને ન સાંભળ્યું કરી નાંખવું જોઇએ પણ તકરાર તેમની વચ્ચેના અંતરને એટલા દૂર ન કરી નાંખવી જોઇએ કે તેઓ એક છત નીચે ન રહી શકે.
ઘરડા બાપને દિકરાની જરૂર વયસ્ક વયે જ સૌથી વધુ પડતી હોય છે અને ત્યારે જ દિકરાને પણ ઋણ ચૂકવવાનો મોકો મળતો હોય છે જે તેણે બિલકુલ જતો કરવો જોઇએ નહિં. જુવાન દિકરાના સંતાનનું સંતાન એટલે કે મુદ્દલ પરનું વ્યાજ તો પિતાને મન પોતાના સગા દિકરાથીયે વિશેષ વહાલું હોય છે.સામે પક્ષે પૌત્ર કે પૌત્રીના સ્વસ્થ અને યોગ્ય ઉછેર માટે તેને દાદા-દાદીનો પ્રેમ મળવો અનિવાર્ય છે.દાદા-દાદીને આ સૌભાગ્યથી વંચિત રાખનાર કપૂત દિકરાને તો એ પાપની સજા મળ્યા વગર રહેતી જ નથી.
છેલ્લે મારા મનની એક વાત આજે આ બ્લોગ થકી મારા પપ્પાને તેમજ મારા જેવા કેટલાયે જુવાન પુત્રોના પિતાઓને પહોંચાડવા ઇચ્છુ છું.ક્યારેક તમને તમારા જુવાન પુત્રના વાણી કે વર્તન દ્વારા આઘાત લાગે તો એટલું યાદ રાખજો કે તે મનથી તો તમને ચાહે જ છે,તમને ખૂબ માન આપે જ છે.તેને તમારું નાનકડું વહાલસોયું બાળક ગણી માફ કરી દેશો જેની આંગળી પકડી એક દિવસ તમે જ તેને આ જગતમાં ડગ માંડતા શિખવાડેલું!
મારા પપ્પાને અને જગતનાં દરેક પિતાઓને આજના આ બ્લોગ થકી 'હેપ્પી ફાધર્સ ડે...!'
રવિવાર, 10 જૂન, 2012
ગેસ્ટ બ્લોગ : “દુનિયા અમારી”
- નીતિન. વિ. મહેતા.
કવિ શ્રી ભાનુપ્રસાદ પંડ્યાના કાવ્યની એક પંક્તિ છે:
” દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ કલરવની દુનિયા અમારી,
વાટે રખડ્યાની મોજ છીનવી લીધી ને તોય પગરવની દુનિયા અમારી”
આ પંક્તિઓમાં શારીરિક રીતે અક્ષમ લોકોનો ઉદગાર છે, ઉણપ છે છતાં જીવન જીવવાની ખુમારી છે કલરવની કે પગરવની દુનિયા અમારી કહેનાર પ્રજ્ઞાચક્ષુ કે શારીરિક વિકલાંગ વ્યક્તિ પોતાના અસ્તિત્વ ને પ્રસ્થાપિત કરવાના મનોરથ સેવે છે. સામાન્ય માનવીઓથી ભલે અલગ તો ય સમાજનુ અવિભાજ્ય અંગ છે. એક સરખા સામાજીક દરજ્જાના તેઓ પણ હકદાર છે.
આ લખનાર ગેસ્ટ બ્લોગરે 1984માં ઓસ્ટ્રેલિયા ખાતે ભરાયેલ એક આંતરરાષ્ટ્રિય પરષિદમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં એક પેપર રજુ કર્યું હતું તેનો વિષય હતો વિકલાંગોનું પુનર્વસન (રીહેબિલિટેશન) આ પુનર્વસન વિના અપંગોનો વિકાસ અશક્ય છે. એ પેપરનો સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છે:
પુનર્વસનનના ત્રણ પ્રકાર છે 1) શાર્રીરિક પુનર્વસન, 2) આર્થિક પુનર્વસન અને 3) સામાજીક પુનર્વસન.
શારીરિક પુનર્વસન એ પાયાની જરૂરિયત છે આજે નાના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવે છે આ અભિયાન અત્યંત આવકાર્ય છે. સારા સમાચાર એ છે કે 2014ની સાલ સુધીમાં ભારત પોલિયો મુક્ત થઈ જશે જેઓ પોલિયોના રોગનો ભોગ બન્યા છે અથવા આકસ્મિક રીતે અપંગ બની ગયા છે તેમને સારવાર અને તેમના પરિવારજનો ને યોગ્ય સહાય મળી રહે તે જરૂરી છે વળી આધુનિક વિજ્ઞાને જે કંઈ શોધ કરી છે તે વિકલાંગો માટે બહુ આશીર્વાદ બની રહી છે. કૃત્રિમ અંગ ઉપાંગો દ્વારા પણ વ્યક્તિ તેમના રોજીંદા કાર્યો સહજ રીતે કરે , જરૂર છે માત્ર તેમનામાં રહેલી લઘુતાગ્રંથીને દૂર કરી પ્રોત્સાહિત કરવાની.અપંગ બાળકને પણ સામાન્ય બાળક્ની જેમ યોગ્ય શિક્ષણ મળી રહે એ જોવાની જવાબદારી માતાપિતાની છે . બીજું આર્થિક પુનર્વસન એટલે આર્થિક રીતે પગભર થવું સરકારી કે બીન સરકારી સંસ્થાઓમાં આજે બે થી ત્રણ ટકા જેટ્લી નોકરીની જગ્યા અનામત રાખવામાં આવે છે તેમાં ય, જો વિકલાંગ વ્યક્તિ વધુ ભણેલી હોય તો તેને પણ સામાન્ય માનવીઓની જેમ પ્રોમોશનનો અધિકાર હોવો ઘટે. આવા અપંગ લોકો પણ પોતાને અને પરિવારજનોને મદદ રૂપ થઈ સ્વાવલંબી બની શકે છે
ત્રીજું અને અતિ મહત્વનું છે સામાજીક પુનર્વસન સમાજે અપંગત્વને કારણે તેમની ઉપેક્ષા કરવાને બદલે તેમની પાસેથી પણ અપેક્ષા રાખવી જોઈએ જેથી કરીને પોતાની ખોડને લીધે કોઈ પણ જવાબદારીઓમાંથી તેઓ છટકી ન શકે વિકલાંગોએ પણ પોતાની ક્ષમતા મુજબ યતકિંચીત ફાળો આપવો જોઈએ માત્ર બધા જ લાભોને લઈ બેસી રહેવાને બદલે નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરી સમાજમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરવું આવશ્યક છે.
આ બ્લોગ દ્વારા હું લોકોને એ જણાવવામાંગું છું કે વિકલાંગોને દયા ભાવનાની નહીં, પણ પ્રેમ, સહાનુભુતિ તથા હુંફની જરૂર છે તેમની સાથે સામાન્ય લોકો જેવો જ વ્યવહાર કરવાની વિનંતિ છે. સાથે વિકલાંગોને પણ આગ્રહભરી વિનંતિ છે કે તેમણે અન્યો ઉપર આધાર રાખવાને બદલે સ્વાવલંબી અને આત્મનિર્ભર થવું. ક્યારેય દયાની યાચના ન કરવી. મનોબળને દ્ર્ઢ કરી “સ્વ”માં આત્મવિશ્વાસનો સંચાર કરવો અને સદાય “આઈ કેન એન્ડ આઈ વિલ” નો જ અભિગમ રાખવો.
- નીતિન. વિ. મહેતા. , અંધેરી
કવિ શ્રી ભાનુપ્રસાદ પંડ્યાના કાવ્યની એક પંક્તિ છે:
” દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ કલરવની દુનિયા અમારી,
વાટે રખડ્યાની મોજ છીનવી લીધી ને તોય પગરવની દુનિયા અમારી”
આ પંક્તિઓમાં શારીરિક રીતે અક્ષમ લોકોનો ઉદગાર છે, ઉણપ છે છતાં જીવન જીવવાની ખુમારી છે કલરવની કે પગરવની દુનિયા અમારી કહેનાર પ્રજ્ઞાચક્ષુ કે શારીરિક વિકલાંગ વ્યક્તિ પોતાના અસ્તિત્વ ને પ્રસ્થાપિત કરવાના મનોરથ સેવે છે. સામાન્ય માનવીઓથી ભલે અલગ તો ય સમાજનુ અવિભાજ્ય અંગ છે. એક સરખા સામાજીક દરજ્જાના તેઓ પણ હકદાર છે.
આ લખનાર ગેસ્ટ બ્લોગરે 1984માં ઓસ્ટ્રેલિયા ખાતે ભરાયેલ એક આંતરરાષ્ટ્રિય પરષિદમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં એક પેપર રજુ કર્યું હતું તેનો વિષય હતો વિકલાંગોનું પુનર્વસન (રીહેબિલિટેશન) આ પુનર્વસન વિના અપંગોનો વિકાસ અશક્ય છે. એ પેપરનો સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છે:
પુનર્વસનનના ત્રણ પ્રકાર છે 1) શાર્રીરિક પુનર્વસન, 2) આર્થિક પુનર્વસન અને 3) સામાજીક પુનર્વસન.
શારીરિક પુનર્વસન એ પાયાની જરૂરિયત છે આજે નાના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવે છે આ અભિયાન અત્યંત આવકાર્ય છે. સારા સમાચાર એ છે કે 2014ની સાલ સુધીમાં ભારત પોલિયો મુક્ત થઈ જશે જેઓ પોલિયોના રોગનો ભોગ બન્યા છે અથવા આકસ્મિક રીતે અપંગ બની ગયા છે તેમને સારવાર અને તેમના પરિવારજનો ને યોગ્ય સહાય મળી રહે તે જરૂરી છે વળી આધુનિક વિજ્ઞાને જે કંઈ શોધ કરી છે તે વિકલાંગો માટે બહુ આશીર્વાદ બની રહી છે. કૃત્રિમ અંગ ઉપાંગો દ્વારા પણ વ્યક્તિ તેમના રોજીંદા કાર્યો સહજ રીતે કરે , જરૂર છે માત્ર તેમનામાં રહેલી લઘુતાગ્રંથીને દૂર કરી પ્રોત્સાહિત કરવાની.અપંગ બાળકને પણ સામાન્ય બાળક્ની જેમ યોગ્ય શિક્ષણ મળી રહે એ જોવાની જવાબદારી માતાપિતાની છે . બીજું આર્થિક પુનર્વસન એટલે આર્થિક રીતે પગભર થવું સરકારી કે બીન સરકારી સંસ્થાઓમાં આજે બે થી ત્રણ ટકા જેટ્લી નોકરીની જગ્યા અનામત રાખવામાં આવે છે તેમાં ય, જો વિકલાંગ વ્યક્તિ વધુ ભણેલી હોય તો તેને પણ સામાન્ય માનવીઓની જેમ પ્રોમોશનનો અધિકાર હોવો ઘટે. આવા અપંગ લોકો પણ પોતાને અને પરિવારજનોને મદદ રૂપ થઈ સ્વાવલંબી બની શકે છે
ત્રીજું અને અતિ મહત્વનું છે સામાજીક પુનર્વસન સમાજે અપંગત્વને કારણે તેમની ઉપેક્ષા કરવાને બદલે તેમની પાસેથી પણ અપેક્ષા રાખવી જોઈએ જેથી કરીને પોતાની ખોડને લીધે કોઈ પણ જવાબદારીઓમાંથી તેઓ છટકી ન શકે વિકલાંગોએ પણ પોતાની ક્ષમતા મુજબ યતકિંચીત ફાળો આપવો જોઈએ માત્ર બધા જ લાભોને લઈ બેસી રહેવાને બદલે નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરી સમાજમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરવું આવશ્યક છે.
આ બ્લોગ દ્વારા હું લોકોને એ જણાવવામાંગું છું કે વિકલાંગોને દયા ભાવનાની નહીં, પણ પ્રેમ, સહાનુભુતિ તથા હુંફની જરૂર છે તેમની સાથે સામાન્ય લોકો જેવો જ વ્યવહાર કરવાની વિનંતિ છે. સાથે વિકલાંગોને પણ આગ્રહભરી વિનંતિ છે કે તેમણે અન્યો ઉપર આધાર રાખવાને બદલે સ્વાવલંબી અને આત્મનિર્ભર થવું. ક્યારેય દયાની યાચના ન કરવી. મનોબળને દ્ર્ઢ કરી “સ્વ”માં આત્મવિશ્વાસનો સંચાર કરવો અને સદાય “આઈ કેન એન્ડ આઈ વિલ” નો જ અભિગમ રાખવો.
- નીતિન. વિ. મહેતા. , અંધેરી
સોમવાર, 4 જૂન, 2012
ધર્મ
[શ્રી ખડાયતા વિશ્વ સખીમિલન સંસ્થા દ્વારા થોડા સમય અગાઉ એક નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં વિષય હતો - 'ધર્મ'. આ સ્પર્ધામાં મારો નિબંધ પુરસ્કૃત થયો હતો , જે આજના બ્લોગ તરીકે આજે 'બ્લોગને ઝરૂખેથી...'માં રજૂ કર્યો છે.]
કોઈ મને પૂછે કે તમારો ધર્મ કયો કે ભારતનો સાચો ધર્મ કયો ? ત્યારે મને જવાબ આપવાનું મન થાય છે -"માનવ ધર્મ". પણ હું એ જવાબ આપતો નથી. કારણ કદાચ જો એવો જવાબ આપું તો સામે વાળી વ્યક્તિને એ ગળે નહી ઉતરે . આપણે મોટાભાગનાં લોકો પારંપારિક કે બીબાઢાળ રીતે જ જોવા, વિચારવા, વર્તવા ટેવાયેલા છીએ. મોટા ભાગનું જીવન આપણા સમાજે બનાવેલા માળખાં મુજબ જીવી કાઢીએ છીએ.
ધર્મના આપણે ચોસલાં બનાવી કાઢ્યાં છે , વર્ગીકરણ કરી નાંખ્યું છે - હિન્દુ, મુસ્લીમ, શીખ, ઇસાઈ, પારસી, બૌદ્ધ વગેરે. આટલું ઓછું હોય એમ હિન્દુ ધર્મમાં પણ આપણે પેટા ધર્મો બનાવ્યાં છે જેવા કે જૈન, વૈષ્ણવ, શૈવ, બ્રાહ્મણ વગેરે. મુસ્લિમોમાં પણ શિયા અને સુન્ની કે દાઉદી વ્હોરા. ખ્રિસ્તીઓમાં પણ કેથોલિક અને પ્રોટેસ્ટંટ. પેટા ધર્મોમાં પણ ભાગલાં. જેમ કે જૈનોમાં સ્થાનકવાસી અને દહેરાવાસી કે શ્વેતાંબર અને દિગંબર. આ બધાં ધર્મના વાડા બનાવવામાં અને તેને ચુસ્તપણે (!) અનુસરવામાં આપણે ધર્મનો સાચો અર્થ ભૂલી ગયાં છીએ.આ બધાં તો ઇશ્વર તરફ, પરમાત્મા તરફ દોરી જતી રાહ નાં માત્ર શિર્ષક છે, મથાળાં છે. ખરો ધર્મ તો એક જ છે - 'માનવ ધર્મ'.
દરેક ધર્મમાં પ્રતીકો છે જેના સહારે એક પરમ તત્વને પામી શકાય છે અને એ યાદ રાખવું ઘટે કે પ્રતીક એ માત્ર એક માર્ગ છે પરમ તત્વ સુધી પહોંચવાનો. એ પરમ તત્વ કોઈ પણ ધર્મનું હોય પણ ઇશ્વર એક જ છે.પછી ભલે હિન્દુ ધર્મ એને તેત્રીસ કરોડ દેવીદેવતાઓનાં નામ આપે કે મુસ્લિમ ધર્મ એને અલ્લાહ તરીકે ઓળખે કે પછી ખ્રિસ્તી ધર્મમાં એનાં ઇશુ અને મધર મેરી જેવા સ્વરૂપો હોય. પણ આજે મોટાં ભાગનાં મનુષ્યો એ પરમ તત્વને પામવાનાં માર્ગમાં જ અટવાઈ ગયાં છે,ભૂલા પડી ગયાં છે,ગુમરાહ થઈ ગયાં છે અને તેમણે ધર્મનું સ્વરૂપ વિકૃત કરી નાખ્યું છે. તેઓ પોતપોતાનાં ધર્મને જ શ્રેષ્ઠ ગણાવવાની જાણે હરિફાઈમાં ઉતરી પડ્યાં છે અને આ ઝનૂન તેમનાં માથે એટલી હદે, ગાંડપણની જેમ સવાર થઈ ચૂક્યું છે કે એક ધર્મનાં લોકો બીજા ધર્મનાં લોકોને પોતાના શત્રુ માની તેમની હત્યા સુદ્ધાં કરી નાખતાં અચકાતાં નથી. હિન્દુ-મુસ્લિમ રમખાણો કે હિન્દુ-ખ્રિસ્તીઓ વચ્ચે બનેલાં હિંસાના બનાવો આનાં વરવા ઉદાહરણ છે.
જરૂર છે સાચી દ્રષ્ટી કેળવવાની.ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે.અહિં કદાચ વિશ્વના સૌથી વધુ સંપ્રદાયો કે ધર્મો સહ-અસ્તિત્વ ધરાવે છે.આ સંસ્ક્રુતિનું આપણે ભારતના સાચા અને જવાબદાર નાગરિક બની સંવર્ધન અને જતન કરવાનું છે. ગાંધીજીએ કહ્યું હતું કે એક આંખના બદલામાં આંખ તો સમગ્ર જગતને અંધ બનાવી દેશે. આપણે એકબીજાનાં ધર્મને માન આપવાનું છે.આજે ટેક્નોલોજી અને સાધન-સામગ્રી-સુવિધાઓના વ્યાપને લીધે આખુંયે વિશ્વ એક એકમ સમાન બની ગયું છે. આવે સમયે જરૂર છે વૈશ્વીકરણને અપનાવી ,'વસુધૈવ કુટુંબકમ'ની ભાવના અપનાવવાની, દરેક ધર્મ પાળતાં મનુષ્યને પોતાનાં ભાઈભાંડુ સમજવાની,અન્યની રીતરસમોને માન આપવાની,તેની અદબ જાળવવાની.જો આ કરીશું તો જ આપણે આવનારી નવી પેઢીઓ માટે એક સારા રાષ્ટ્રનું,સારા વિશ્વનું નિર્માણ કરી તેમને સુખશાંતિભર્યું જીવન પ્રદાન કરી શકીશું.
દરેક ધર્મનાં પાયામાં એક જ સંદેશ રહેલો છે - માનવતાનો. સાચા અર્થમાં માનવ બનવાનો.મન,બુદ્ધિની અજોડ ઇશ્વરીય ભેટ માણસને મળી છે જેના દ્વારા તે અન્ય મનુષ્યોથી જુદો પડે છે.મન,બુદ્ધિના સદુપયોગથી જ આજે મનુષ્યે આટલી પ્રગતિ સાધી છે અને તે બ્રહ્માંડના અન્ય ગ્રહો સુધી પહોંચી ગયો છે. પણ આ હરણફાળ ભરવામાં તે એટલું લાંબુ અંતર કાપતાં કાપતાં ,પોતાના જ અન્ય જાતિભાઈ,બીજા મનુષ્યના અંતરથી જોજનો દૂર ચાલ્યો ગયો છે અને યાંત્રિકતા તેના જીવનમાં એટલી હદે પ્રવેશી ગઈ છે કે તે પોતે પણ એક રોબોટ જેવો બની ગયો છે. લાગણી કે સંવેદનવિહીન યંત્ર જેવો. આવા સમયે જરૂર છે થોડાં થોભી જવાની.,આત્મસંશોધન કરવાની.અન્ય મનુષ્યના હ્રદય સુધી પહોંચવા સેતુ બનાવવાની.એ કરીશું તો જ આપણે સાચો ધર્મ જીવ્યો ગણાશે.
સાચો ધર્મ છે માનવતાનો. 'જનસેવા એ જ પ્રભુસેવા' એમ અમસ્તુ જ નથી કહેવાયું. જો આપણે દુ:ખી, જરૂરિયાતમંદ મનુષ્યને તન મન ધન જે પણ આપણાંથી શક્ય હોય એ રીતે મદદ કરીશું , તો એ ઇશ્વર માટે કંઈક કર્યા સમાન લેખાશે. બાકી પથ્થરો પૂજીને કંઈ ઇશ્વર પામી શકાતા નથી.મંદિરની બહાર ભૂખે ટળવળતાં ભિખારી તરફ નજર પણ ન નાંખતા, ઇશ્વરની મૂર્તિને મંદિરમાં મહામોંઘો પ્રસાદ કે છપ્પન ભોગ ધરીએ એ તદ્દન વ્યર્થ છે. માનવતાનો ધર્મ સેવા બજાવીને પાળી શકાય છે પછી એ સેવા ભલે ગમે તે સ્વરૂપની હોય અને ભલે એ જરૂરિયાતમંદ વ્યક્તિ કોઈ પણ જાતિની હોય, કોઈ પણ કહેવાતા ધર્મની હોય.
એક હિન્દુ બાળક કોઈ મુસ્લિમ, ખ્રિસ્તી કે પછી અન્ય કોઈ પણ કહેવાતા ધર્મના બાળક સાથે રમી રહ્યું હોય ત્યારે એ કેવા શુદ્ધ,પવિત્ર મન સાથે, કોઈ પણ જાતના પૂર્વગ્રહ કે દ્વેષભાવ વગર, નિખાલસતાથી, નિર્દોષતાપૂર્વક નિકટતા કેળવી રમતું હોય છે! પણ મોટું થયા બાદ જ તેના વિચારો ભેદભાવનાં રંગોથી રંગાય છે, મલિન થાય છે. કમી ચોક્કસ આપણી પરવરિશમાં છે, સમાજમાં છે. એ દૂર થઈ શકશે? ક્યારે બે પુખ્ત વ્યક્તિઓ જુદાં જુદાં કહેવાતાં ધર્મનાં બે બાળકો જેટલી જ સરળતા-સહજતાથી એકમેક સાથે હળીમળીને રહેશે? જ્યારે સમગ્ર માનવસમાજ,સમગ્ર ભારત દેશ અને સમગ્ર વિશ્વ માનવતાનાં ધર્મનો જ સાચા ધર્મ તરીકે સ્વીકાર કરશે. એ દિવસે ચોક્કસ સુખનો-શાંતિનો સુવર્ણ સૂરજ ઉદય પામશે,ઝળહળશે એ નક્કી!
....અને એ દિવસ જલ્દી જ આવે એવી હ્રદયપૂર્વક અભ્યર્થના...
કોઈ મને પૂછે કે તમારો ધર્મ કયો કે ભારતનો સાચો ધર્મ કયો ? ત્યારે મને જવાબ આપવાનું મન થાય છે -"માનવ ધર્મ". પણ હું એ જવાબ આપતો નથી. કારણ કદાચ જો એવો જવાબ આપું તો સામે વાળી વ્યક્તિને એ ગળે નહી ઉતરે . આપણે મોટાભાગનાં લોકો પારંપારિક કે બીબાઢાળ રીતે જ જોવા, વિચારવા, વર્તવા ટેવાયેલા છીએ. મોટા ભાગનું જીવન આપણા સમાજે બનાવેલા માળખાં મુજબ જીવી કાઢીએ છીએ.
ધર્મના આપણે ચોસલાં બનાવી કાઢ્યાં છે , વર્ગીકરણ કરી નાંખ્યું છે - હિન્દુ, મુસ્લીમ, શીખ, ઇસાઈ, પારસી, બૌદ્ધ વગેરે. આટલું ઓછું હોય એમ હિન્દુ ધર્મમાં પણ આપણે પેટા ધર્મો બનાવ્યાં છે જેવા કે જૈન, વૈષ્ણવ, શૈવ, બ્રાહ્મણ વગેરે. મુસ્લિમોમાં પણ શિયા અને સુન્ની કે દાઉદી વ્હોરા. ખ્રિસ્તીઓમાં પણ કેથોલિક અને પ્રોટેસ્ટંટ. પેટા ધર્મોમાં પણ ભાગલાં. જેમ કે જૈનોમાં સ્થાનકવાસી અને દહેરાવાસી કે શ્વેતાંબર અને દિગંબર. આ બધાં ધર્મના વાડા બનાવવામાં અને તેને ચુસ્તપણે (!) અનુસરવામાં આપણે ધર્મનો સાચો અર્થ ભૂલી ગયાં છીએ.આ બધાં તો ઇશ્વર તરફ, પરમાત્મા તરફ દોરી જતી રાહ નાં માત્ર શિર્ષક છે, મથાળાં છે. ખરો ધર્મ તો એક જ છે - 'માનવ ધર્મ'.
દરેક ધર્મમાં પ્રતીકો છે જેના સહારે એક પરમ તત્વને પામી શકાય છે અને એ યાદ રાખવું ઘટે કે પ્રતીક એ માત્ર એક માર્ગ છે પરમ તત્વ સુધી પહોંચવાનો. એ પરમ તત્વ કોઈ પણ ધર્મનું હોય પણ ઇશ્વર એક જ છે.પછી ભલે હિન્દુ ધર્મ એને તેત્રીસ કરોડ દેવીદેવતાઓનાં નામ આપે કે મુસ્લિમ ધર્મ એને અલ્લાહ તરીકે ઓળખે કે પછી ખ્રિસ્તી ધર્મમાં એનાં ઇશુ અને મધર મેરી જેવા સ્વરૂપો હોય. પણ આજે મોટાં ભાગનાં મનુષ્યો એ પરમ તત્વને પામવાનાં માર્ગમાં જ અટવાઈ ગયાં છે,ભૂલા પડી ગયાં છે,ગુમરાહ થઈ ગયાં છે અને તેમણે ધર્મનું સ્વરૂપ વિકૃત કરી નાખ્યું છે. તેઓ પોતપોતાનાં ધર્મને જ શ્રેષ્ઠ ગણાવવાની જાણે હરિફાઈમાં ઉતરી પડ્યાં છે અને આ ઝનૂન તેમનાં માથે એટલી હદે, ગાંડપણની જેમ સવાર થઈ ચૂક્યું છે કે એક ધર્મનાં લોકો બીજા ધર્મનાં લોકોને પોતાના શત્રુ માની તેમની હત્યા સુદ્ધાં કરી નાખતાં અચકાતાં નથી. હિન્દુ-મુસ્લિમ રમખાણો કે હિન્દુ-ખ્રિસ્તીઓ વચ્ચે બનેલાં હિંસાના બનાવો આનાં વરવા ઉદાહરણ છે.
જરૂર છે સાચી દ્રષ્ટી કેળવવાની.ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે.અહિં કદાચ વિશ્વના સૌથી વધુ સંપ્રદાયો કે ધર્મો સહ-અસ્તિત્વ ધરાવે છે.આ સંસ્ક્રુતિનું આપણે ભારતના સાચા અને જવાબદાર નાગરિક બની સંવર્ધન અને જતન કરવાનું છે. ગાંધીજીએ કહ્યું હતું કે એક આંખના બદલામાં આંખ તો સમગ્ર જગતને અંધ બનાવી દેશે. આપણે એકબીજાનાં ધર્મને માન આપવાનું છે.આજે ટેક્નોલોજી અને સાધન-સામગ્રી-સુવિધાઓના વ્યાપને લીધે આખુંયે વિશ્વ એક એકમ સમાન બની ગયું છે. આવે સમયે જરૂર છે વૈશ્વીકરણને અપનાવી ,'વસુધૈવ કુટુંબકમ'ની ભાવના અપનાવવાની, દરેક ધર્મ પાળતાં મનુષ્યને પોતાનાં ભાઈભાંડુ સમજવાની,અન્યની રીતરસમોને માન આપવાની,તેની અદબ જાળવવાની.જો આ કરીશું તો જ આપણે આવનારી નવી પેઢીઓ માટે એક સારા રાષ્ટ્રનું,સારા વિશ્વનું નિર્માણ કરી તેમને સુખશાંતિભર્યું જીવન પ્રદાન કરી શકીશું.
દરેક ધર્મનાં પાયામાં એક જ સંદેશ રહેલો છે - માનવતાનો. સાચા અર્થમાં માનવ બનવાનો.મન,બુદ્ધિની અજોડ ઇશ્વરીય ભેટ માણસને મળી છે જેના દ્વારા તે અન્ય મનુષ્યોથી જુદો પડે છે.મન,બુદ્ધિના સદુપયોગથી જ આજે મનુષ્યે આટલી પ્રગતિ સાધી છે અને તે બ્રહ્માંડના અન્ય ગ્રહો સુધી પહોંચી ગયો છે. પણ આ હરણફાળ ભરવામાં તે એટલું લાંબુ અંતર કાપતાં કાપતાં ,પોતાના જ અન્ય જાતિભાઈ,બીજા મનુષ્યના અંતરથી જોજનો દૂર ચાલ્યો ગયો છે અને યાંત્રિકતા તેના જીવનમાં એટલી હદે પ્રવેશી ગઈ છે કે તે પોતે પણ એક રોબોટ જેવો બની ગયો છે. લાગણી કે સંવેદનવિહીન યંત્ર જેવો. આવા સમયે જરૂર છે થોડાં થોભી જવાની.,આત્મસંશોધન કરવાની.અન્ય મનુષ્યના હ્રદય સુધી પહોંચવા સેતુ બનાવવાની.એ કરીશું તો જ આપણે સાચો ધર્મ જીવ્યો ગણાશે.
સાચો ધર્મ છે માનવતાનો. 'જનસેવા એ જ પ્રભુસેવા' એમ અમસ્તુ જ નથી કહેવાયું. જો આપણે દુ:ખી, જરૂરિયાતમંદ મનુષ્યને તન મન ધન જે પણ આપણાંથી શક્ય હોય એ રીતે મદદ કરીશું , તો એ ઇશ્વર માટે કંઈક કર્યા સમાન લેખાશે. બાકી પથ્થરો પૂજીને કંઈ ઇશ્વર પામી શકાતા નથી.મંદિરની બહાર ભૂખે ટળવળતાં ભિખારી તરફ નજર પણ ન નાંખતા, ઇશ્વરની મૂર્તિને મંદિરમાં મહામોંઘો પ્રસાદ કે છપ્પન ભોગ ધરીએ એ તદ્દન વ્યર્થ છે. માનવતાનો ધર્મ સેવા બજાવીને પાળી શકાય છે પછી એ સેવા ભલે ગમે તે સ્વરૂપની હોય અને ભલે એ જરૂરિયાતમંદ વ્યક્તિ કોઈ પણ જાતિની હોય, કોઈ પણ કહેવાતા ધર્મની હોય.
એક હિન્દુ બાળક કોઈ મુસ્લિમ, ખ્રિસ્તી કે પછી અન્ય કોઈ પણ કહેવાતા ધર્મના બાળક સાથે રમી રહ્યું હોય ત્યારે એ કેવા શુદ્ધ,પવિત્ર મન સાથે, કોઈ પણ જાતના પૂર્વગ્રહ કે દ્વેષભાવ વગર, નિખાલસતાથી, નિર્દોષતાપૂર્વક નિકટતા કેળવી રમતું હોય છે! પણ મોટું થયા બાદ જ તેના વિચારો ભેદભાવનાં રંગોથી રંગાય છે, મલિન થાય છે. કમી ચોક્કસ આપણી પરવરિશમાં છે, સમાજમાં છે. એ દૂર થઈ શકશે? ક્યારે બે પુખ્ત વ્યક્તિઓ જુદાં જુદાં કહેવાતાં ધર્મનાં બે બાળકો જેટલી જ સરળતા-સહજતાથી એકમેક સાથે હળીમળીને રહેશે? જ્યારે સમગ્ર માનવસમાજ,સમગ્ર ભારત દેશ અને સમગ્ર વિશ્વ માનવતાનાં ધર્મનો જ સાચા ધર્મ તરીકે સ્વીકાર કરશે. એ દિવસે ચોક્કસ સુખનો-શાંતિનો સુવર્ણ સૂરજ ઉદય પામશે,ઝળહળશે એ નક્કી!
....અને એ દિવસ જલ્દી જ આવે એવી હ્રદયપૂર્વક અભ્યર્થના...
રવિવાર, 27 મે, 2012
'આશા' અમર રહો !
ઘણી વાર આપણે કોઈક વ્યક્તિને મળીએ ત્યારે આપણી અને તેમની 'વેવલેન્થ' એટલી મળતી હોય કે આપણને તેમની સાથે વાતચીત કરવી, તેમની સાથે સમય પસાર કરવો ખૂબ ગમે. આવી વ્યક્તિને મળીએ અને તેમની સાથે વિચારોનું આદાનપ્રદાન કરીએ ત્યાર બાદ મન એક અજબ પ્રકારની હળવાશ અનુભવે. આવી વ્યક્તિ કોઈ એકલદોકલ સ્ત્રી કે પુરુષ હોઈ શકે કે કોઈ પતિ-પત્નીની બેલડી પણ હોઈ શકે કે પછી કોઈ આખો પરિવાર પણ હોઈ શકે. તેમની મુલાકાત લેવાનું આપણને વારંવાર મન થાય.
આવી બે-ચાર વ્યક્તિઓને હું પાછલા થોડા સમય દરમ્યાન મળ્યો અને તેમાનાં એક એટલે ૯૬ વર્ષના એક માજી - આશાબેન મહેતા જેમની મેં તાજેતરમાં મુલાકાત લીધી. ખરું જોતા તો તેમને માટે યુવતિ શબ્દનો ઉપયોગ પણ યથાર્થ ગણાય કારણ આ વિદૂષી વયોવૃદ્ધ મહિલાનો આટલી ઉંમરે ઉત્સાહ અને સ્ફૂર્તિ એક યુવતિને પણ શરમાવે એવા છે. આ માજીએ આ ઉંમરે એક પુસ્તક લખ્યું છે જેમાં તુલસી વિશેની ક્યારેય ન વાંચેલી માહિતીનો સંગ્રહ છે. તેમની મુલાકાત જન્મભૂમિમાં અને દરેક અગ્રણી ગુજરાતી અખબારમાં છપાઈ ચૂકી છે. ઇન ફેક્ટ આ મુલાકાત વાંચીને જ મેં તેમને મળવાની અને તેમના પ્રેરણાત્મક વ્યક્તિત્વને જાણવાની ઇચ્છા વ્યક્ત કરી અને તેમણે એ માટે સંમતિ દર્શાવતા હું પહોંચી ગયો તેમના ઘેર તેમની રૂબરૂ મુલાકાત લેવા! એ મુલાકાત વિશે અને તેમના વ્યક્તિત્વના હકારાત્મક પાસાઓ વિશે ચર્ચા કરવી છે આજના બ્લોગમાં.
આશા બેનને થોડા સમય અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ત્યારે ઓપરેશન વેળાએ આશાબેન નહિં, પરંતુ ડોક્ટર ગંભીર થઈ ગયેલા.તેમણે વાતાવરણ હળવું કરવા અને આશા બેનનો ડર(જે ખરી રીતે હતો જ નહિં!) ઓછો કરવા કહ્યું "માજી હજી ચાર વર્ષ ખેંચી કાઢી સેન્ચૂરી તો પૂરી કરશો ને?" આશા બેન કહે "ના..." બધા ગંભીર થઈ ગયાં ત્યાં ટહૂકો કરતા આશા બેન બોલ્યા "ભગવાનની માળામાં કેટલા મણકા હોય? (પૂરા ૧૦૮!) એટલા તો પૂરા કરવા જ પડે ને?!!" યે હુઈ ના બાત! ઓપરેશન જેવા ગંભીર સમયે પણ આશા બેનની આવી બુદ્ધિશાળી રમૂજ સાંભળી સૌ કોઈ મન મૂકીને હસી પડ્યા! આને કહેવાય એટીટ્યૂડ!
તેમના જમાનામાં ઇન્ટર જેટલું ભણેલા વયોવૃદ્ધ આશાબેન આજે પણ સ્પષ્ટ બોલે તેમાં અનેક અંગ્રેજી શબ્દો સાંભળવા મળે! તેમને સાંભળવા મને બહુ મીઠ્ઠુ લાગ્યું! મારી પત્ની પણ તેમની અતિ મોડર્ન વિચારસરણી ધરાવતી વાતો સાંભળી દંગ રહી ગઈ.
આશા બેન ભાવનગરની શાળામાં શિક્ષિકા અને ત્યારબાદ આચાર્યા તરીકે ફરજ તો બજાવી જ ચૂક્યા છે પણ રસપ્રદ વાત એ છે કે તેઓ ત્રણ વર્ષ માટે ધ્રાંગધ્રા રાજ્યની રાજકુંવરીને તેના રાજમહેલમાં જઈ ભણાવવા પ્રશિક્ષિકાની ભૂમિકા પણ ભજવી ચૂક્યા છે.
તેમનું પેન્શન શરૂ થયું ત્યારનો એક મજેદાર કિસ્સો તેમના પુત્રે કહી સંભળાવ્યો. પેન્શન શરૂ કરતાં પહેલાં વેરિફીકેશન માટે નિયમ મુજબ એક મહારાષ્ટ્રીયન બેન્ક ઓફિસર તેમના ઘેર આવ્યો અને તેમને મળ્યા બાદ તેણે આશાબેનને ફોર્મ પર અંગૂઠાની છાપ મારવા કહ્યું. તેણે ધારેલું આશા બેન નિરક્ષર મોટી ઉંમરના અશક્ત માંદા ડોશી હશે! આશાબેને તો તેની પાસે પેન માગી! તેને નવાઈ લાગી. આશાબેને અંગ્રેજીમાં પોતાની સહી કરી. જ્યારે એ જોયું ત્યારે તો પેલા ઓફિસરના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેણે પૂછ્યું :’માજી આપ અંગ્રેજી લિખ સક્તે હો?’ આશાબેને અંગ્રેજીમાં જ જવાબ આપ્યો 'આઈ કેન નોટ ઓન્લી રાઈટ ઈંગ્લીશ બટ અલ્સો ટોક ઇન ઈંગ્લીશ!' પેલાની તો બોલતી જ બંધ થઈ ગઈ! અને આ ત્રણ ઝટકા ઓછા હોય એમ જ્યારે તે ઓફિસરે જોયું કે આશા બેન સ્વસ્થતા પૂર્વક ચાલી-ફરી શકતા હતા ત્યારે તેણે પૂછ્યું : ‘ઓલ્ડ લેડી, યુ કેન વોક? આશા બેને માસ્ટરસ્ટ્રોક સમો જવાબ આપ્યો :’આઈ કેન વોક, આઈ કેન રન, આઈ કેન જમ્પ એન્ડ આઈ કેન ક્લાઈમ્બ અલ્સો!’ (હું ચાલી જ નહિં, દોડી પણ શકું છું, કૂદી પણ શકું છું અને ચઢી પણ શકું છું!) આમ હાજરજવાબીપણું અને રમૂજ વૃત્તિ તેમનામાં ઠાંસી ઠાંસીને ભરેલા છે!
મેં તેમને પૂછ્યું આજે મનુષ્યની સરેરાશ જીવવાની વય કેમ ઘટી ગઈ છે? તેમણે તરત જવાબ આપ્યો આજે માનવી જીવે છે જ ક્યાં? સતત ભાગતો રહે છે! અનેક ટેન્શનો માથે લઈને. તેણે પોતાની તણાવયુક્ત જીવનશૈલી અતિ બનાવી મૂકી છે. સ્વસ્થ ખાઈ પીને જીવનમાં શિસ્ત અને ચોક્કસ નિયમોનું પાલન કરીએ તો સાત્વિક અને લાંબુ જીવન જીવી શકાય.
બીજી એક ખૂબ સુંદર વાત આશાબેને કરી કે જીવન સાચા અર્થમાં જીવી જાણવું જોઇએ ફક્ત વર્ષો સાથે વય પસાર કરવાને બદલે.અને એમ કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે નાની નાની વાતોમાં આનંદ શોધવાનો.તેઓ બાળક સાથે બાળક જેવા થઈ જાય!એટલે જ તેમના પૌત્રપૌત્રીઓને તેમની સાથે ખૂબ જ ગોઠે!જીવનમાં નાની નાની વસ્તુઓને માણનાર કદી દુ:ખી થતો નથી.આજનો માનવી ભયંકર ટેન્શનમાં જીવે છે.
આશાબેન સવારે છ વાગે અચૂક ઉઠી જાય. ખાવા પીવાનું ચોક્કસ સમયે. શક્ય એટલું પોતાનું કામ આ ઉંમરે પણ પોતે જ કરવાનો તેઓ આગ્રહ રાખે છે. ચોકસાઈ,વ્યવસ્થા,સુઘડતા અને સ્વચ્છતાના ચુસ્ત હિમાયતી એવા તેઓ આજના યુવાનોને એક અનુકરણીય ઉદાહરણ પૂરું પાડે છે. તેમને વાંચનનો, કળા તથા ક્રાફ્ટ,સંગીત અને રસોઈનો ખૂબ શોખ.
૮૫ વર્ષની વયે, તુલસી પ્રત્યે ખૂબ લગાવ હોવાથી અને જિજ્ઞાસા ભર્યા સ્વભાવને લઈને તેમણે વિષ્ણુ વલ્લભા અર્થાત તુલસી પર અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને આ વિષેની સામાન્ય માણસ ન જાણતો હોય એવી માહિતી એકઠી કરી. ૯૫મા વર્ષે તેમણે તુલસી પર પુસ્તિકા લખી. આ તેમના દ્રઢ મનોબળ,ગ્ન્યાનપિપાસા , કાર્યરતતા અને રચનાત્મકતાની પ્રતિતી કરાવે છે. તેમના પુત્રો પણ તેમના જેટલા જ ઉત્સાહી. તેમણે તુલસીની ક્યારેય ન જોઈ હોય એવી દુર્લભ તસવીરો (જેમાં તુલસી, દેવી તરીકે પોપટના વાહન સહિત આપણને આશિર્વાદ આપતા, સ્ત્રી જેવા દેહધારી રૂપે દ્રષ્યમાન થાય છે) શોધી કાઢી અને આશાબહેને ભેગી કરેલી તુલસી વિષેની અમૂલ્ય માહિતી સુંદર સચિત્ર પુસ્તિકા રૂપે પ્રકાશિત કરી જેની બે આવૃત્તિ બહાર પડી ચૂકી છે.
આશાબેન નો ઉત્સાહ, તેમની વાત કરવાની છટા, તેમના પોઝિટીવીટી અને ઓવર ઓલ વ્યક્તિત્વથી હું પ્રભાવિત થઈ ગયો અને મેં મનોમન પ્રાર્થના કરી કે ઇશ્વર ખરેખર તેમને માળાના ૧૦૮ મણકા જેટલી સંખ્યા કરતાંયે વધુ વયનું દીર્ઘાયુષી સ્વસ્થ જીવન બક્ષે અને તેઓ સદાયે પોતાના શોખ અને મનપસંદ કાર્યોમાં આનંદપૂર્વક વ્યસ્ત રહી બીજા અનેક લોકો માટે પ્રેરણાની મૂર્તિ સમાન બની રહે!
આવી બે-ચાર વ્યક્તિઓને હું પાછલા થોડા સમય દરમ્યાન મળ્યો અને તેમાનાં એક એટલે ૯૬ વર્ષના એક માજી - આશાબેન મહેતા જેમની મેં તાજેતરમાં મુલાકાત લીધી. ખરું જોતા તો તેમને માટે યુવતિ શબ્દનો ઉપયોગ પણ યથાર્થ ગણાય કારણ આ વિદૂષી વયોવૃદ્ધ મહિલાનો આટલી ઉંમરે ઉત્સાહ અને સ્ફૂર્તિ એક યુવતિને પણ શરમાવે એવા છે. આ માજીએ આ ઉંમરે એક પુસ્તક લખ્યું છે જેમાં તુલસી વિશેની ક્યારેય ન વાંચેલી માહિતીનો સંગ્રહ છે. તેમની મુલાકાત જન્મભૂમિમાં અને દરેક અગ્રણી ગુજરાતી અખબારમાં છપાઈ ચૂકી છે. ઇન ફેક્ટ આ મુલાકાત વાંચીને જ મેં તેમને મળવાની અને તેમના પ્રેરણાત્મક વ્યક્તિત્વને જાણવાની ઇચ્છા વ્યક્ત કરી અને તેમણે એ માટે સંમતિ દર્શાવતા હું પહોંચી ગયો તેમના ઘેર તેમની રૂબરૂ મુલાકાત લેવા! એ મુલાકાત વિશે અને તેમના વ્યક્તિત્વના હકારાત્મક પાસાઓ વિશે ચર્ચા કરવી છે આજના બ્લોગમાં.
આશા બેનને થોડા સમય અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ત્યારે ઓપરેશન વેળાએ આશાબેન નહિં, પરંતુ ડોક્ટર ગંભીર થઈ ગયેલા.તેમણે વાતાવરણ હળવું કરવા અને આશા બેનનો ડર(જે ખરી રીતે હતો જ નહિં!) ઓછો કરવા કહ્યું "માજી હજી ચાર વર્ષ ખેંચી કાઢી સેન્ચૂરી તો પૂરી કરશો ને?" આશા બેન કહે "ના..." બધા ગંભીર થઈ ગયાં ત્યાં ટહૂકો કરતા આશા બેન બોલ્યા "ભગવાનની માળામાં કેટલા મણકા હોય? (પૂરા ૧૦૮!) એટલા તો પૂરા કરવા જ પડે ને?!!" યે હુઈ ના બાત! ઓપરેશન જેવા ગંભીર સમયે પણ આશા બેનની આવી બુદ્ધિશાળી રમૂજ સાંભળી સૌ કોઈ મન મૂકીને હસી પડ્યા! આને કહેવાય એટીટ્યૂડ!
તેમના જમાનામાં ઇન્ટર જેટલું ભણેલા વયોવૃદ્ધ આશાબેન આજે પણ સ્પષ્ટ બોલે તેમાં અનેક અંગ્રેજી શબ્દો સાંભળવા મળે! તેમને સાંભળવા મને બહુ મીઠ્ઠુ લાગ્યું! મારી પત્ની પણ તેમની અતિ મોડર્ન વિચારસરણી ધરાવતી વાતો સાંભળી દંગ રહી ગઈ.
આશા બેન ભાવનગરની શાળામાં શિક્ષિકા અને ત્યારબાદ આચાર્યા તરીકે ફરજ તો બજાવી જ ચૂક્યા છે પણ રસપ્રદ વાત એ છે કે તેઓ ત્રણ વર્ષ માટે ધ્રાંગધ્રા રાજ્યની રાજકુંવરીને તેના રાજમહેલમાં જઈ ભણાવવા પ્રશિક્ષિકાની ભૂમિકા પણ ભજવી ચૂક્યા છે.
તેમનું પેન્શન શરૂ થયું ત્યારનો એક મજેદાર કિસ્સો તેમના પુત્રે કહી સંભળાવ્યો. પેન્શન શરૂ કરતાં પહેલાં વેરિફીકેશન માટે નિયમ મુજબ એક મહારાષ્ટ્રીયન બેન્ક ઓફિસર તેમના ઘેર આવ્યો અને તેમને મળ્યા બાદ તેણે આશાબેનને ફોર્મ પર અંગૂઠાની છાપ મારવા કહ્યું. તેણે ધારેલું આશા બેન નિરક્ષર મોટી ઉંમરના અશક્ત માંદા ડોશી હશે! આશાબેને તો તેની પાસે પેન માગી! તેને નવાઈ લાગી. આશાબેને અંગ્રેજીમાં પોતાની સહી કરી. જ્યારે એ જોયું ત્યારે તો પેલા ઓફિસરના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેણે પૂછ્યું :’માજી આપ અંગ્રેજી લિખ સક્તે હો?’ આશાબેને અંગ્રેજીમાં જ જવાબ આપ્યો 'આઈ કેન નોટ ઓન્લી રાઈટ ઈંગ્લીશ બટ અલ્સો ટોક ઇન ઈંગ્લીશ!' પેલાની તો બોલતી જ બંધ થઈ ગઈ! અને આ ત્રણ ઝટકા ઓછા હોય એમ જ્યારે તે ઓફિસરે જોયું કે આશા બેન સ્વસ્થતા પૂર્વક ચાલી-ફરી શકતા હતા ત્યારે તેણે પૂછ્યું : ‘ઓલ્ડ લેડી, યુ કેન વોક? આશા બેને માસ્ટરસ્ટ્રોક સમો જવાબ આપ્યો :’આઈ કેન વોક, આઈ કેન રન, આઈ કેન જમ્પ એન્ડ આઈ કેન ક્લાઈમ્બ અલ્સો!’ (હું ચાલી જ નહિં, દોડી પણ શકું છું, કૂદી પણ શકું છું અને ચઢી પણ શકું છું!) આમ હાજરજવાબીપણું અને રમૂજ વૃત્તિ તેમનામાં ઠાંસી ઠાંસીને ભરેલા છે!
મેં તેમને પૂછ્યું આજે મનુષ્યની સરેરાશ જીવવાની વય કેમ ઘટી ગઈ છે? તેમણે તરત જવાબ આપ્યો આજે માનવી જીવે છે જ ક્યાં? સતત ભાગતો રહે છે! અનેક ટેન્શનો માથે લઈને. તેણે પોતાની તણાવયુક્ત જીવનશૈલી અતિ બનાવી મૂકી છે. સ્વસ્થ ખાઈ પીને જીવનમાં શિસ્ત અને ચોક્કસ નિયમોનું પાલન કરીએ તો સાત્વિક અને લાંબુ જીવન જીવી શકાય.
બીજી એક ખૂબ સુંદર વાત આશાબેને કરી કે જીવન સાચા અર્થમાં જીવી જાણવું જોઇએ ફક્ત વર્ષો સાથે વય પસાર કરવાને બદલે.અને એમ કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે નાની નાની વાતોમાં આનંદ શોધવાનો.તેઓ બાળક સાથે બાળક જેવા થઈ જાય!એટલે જ તેમના પૌત્રપૌત્રીઓને તેમની સાથે ખૂબ જ ગોઠે!જીવનમાં નાની નાની વસ્તુઓને માણનાર કદી દુ:ખી થતો નથી.આજનો માનવી ભયંકર ટેન્શનમાં જીવે છે.
આશાબેન સવારે છ વાગે અચૂક ઉઠી જાય. ખાવા પીવાનું ચોક્કસ સમયે. શક્ય એટલું પોતાનું કામ આ ઉંમરે પણ પોતે જ કરવાનો તેઓ આગ્રહ રાખે છે. ચોકસાઈ,વ્યવસ્થા,સુઘડતા અને સ્વચ્છતાના ચુસ્ત હિમાયતી એવા તેઓ આજના યુવાનોને એક અનુકરણીય ઉદાહરણ પૂરું પાડે છે. તેમને વાંચનનો, કળા તથા ક્રાફ્ટ,સંગીત અને રસોઈનો ખૂબ શોખ.
૮૫ વર્ષની વયે, તુલસી પ્રત્યે ખૂબ લગાવ હોવાથી અને જિજ્ઞાસા ભર્યા સ્વભાવને લઈને તેમણે વિષ્ણુ વલ્લભા અર્થાત તુલસી પર અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને આ વિષેની સામાન્ય માણસ ન જાણતો હોય એવી માહિતી એકઠી કરી. ૯૫મા વર્ષે તેમણે તુલસી પર પુસ્તિકા લખી. આ તેમના દ્રઢ મનોબળ,ગ્ન્યાનપિપાસા , કાર્યરતતા અને રચનાત્મકતાની પ્રતિતી કરાવે છે. તેમના પુત્રો પણ તેમના જેટલા જ ઉત્સાહી. તેમણે તુલસીની ક્યારેય ન જોઈ હોય એવી દુર્લભ તસવીરો (જેમાં તુલસી, દેવી તરીકે પોપટના વાહન સહિત આપણને આશિર્વાદ આપતા, સ્ત્રી જેવા દેહધારી રૂપે દ્રષ્યમાન થાય છે) શોધી કાઢી અને આશાબહેને ભેગી કરેલી તુલસી વિષેની અમૂલ્ય માહિતી સુંદર સચિત્ર પુસ્તિકા રૂપે પ્રકાશિત કરી જેની બે આવૃત્તિ બહાર પડી ચૂકી છે.
આશાબેન નો ઉત્સાહ, તેમની વાત કરવાની છટા, તેમના પોઝિટીવીટી અને ઓવર ઓલ વ્યક્તિત્વથી હું પ્રભાવિત થઈ ગયો અને મેં મનોમન પ્રાર્થના કરી કે ઇશ્વર ખરેખર તેમને માળાના ૧૦૮ મણકા જેટલી સંખ્યા કરતાંયે વધુ વયનું દીર્ઘાયુષી સ્વસ્થ જીવન બક્ષે અને તેઓ સદાયે પોતાના શોખ અને મનપસંદ કાર્યોમાં આનંદપૂર્વક વ્યસ્ત રહી બીજા અનેક લોકો માટે પ્રેરણાની મૂર્તિ સમાન બની રહે!
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)