Translate

મંગળવાર, 27 ડિસેમ્બર, 2016

વોટ્સએપ ગૃપ માટે નિયમો



          વોટ્સ એપ આજે આપણા જીવનના એક અનિવાર્ય અંગ સમાન બની ગયું છે. દર થોડી મિનિટે આપણને એમાં આવતા મેસેજીસ તપાસ્યા વગર ચાલતું નથી. કંઈ કેટલાયે વોટ્સ એપ ગૃપ્સના પણ આપણે મેમ્બર કે એડમિન હોઇએ છીએ અને અગણિત સંદેશાઓની આપલે દિવસરાત ચાલતી રહે છે. આમાં ઘણી વાર સંદેશાઓ મોકલવાનો  કોઇ ચાર્જ લાગતો હોવાને લીધે પ્રમાણ ભાન રહેતું નથી અને ઘણા ખોટા કે અર્થનો અનર્થ કરનારા સંદેશાઓ પણ આપણે ઘણી વાર જાણ્યે-અજાણ્યે મોકલતા હોઇએ છીએ.
વર્ષ ૨૦૧૬ના અંતિમ બ્લોગમાં આજે વોટ્સ એપ દ્વારા પ્રાપ્ત થયેલ એક મહત્વનો સંદેશવોટ્સએપ ગૃપ માટે નિયમો”  નો ભાવાનુવાદ  કરી  અહિ રજૂ કરું છું એવી આશા સાથે કે વા વર્ષમાં વે પછી આપણે અતિ અગત્યના સાધનનો વિચારપૂર્ણ અને અસરકારક ઉપયોગ કરતા ઇએ.
વોટ્સ એપ ગૃપનો મૂળ હેતુ અને બનાવવા પાછળ નું મૂળ કારણ કે ઉદ્દેશ્ય હંમેશા કોઈ પણ સંદેશ મોકલતા પહેલા યાદ કરી લો. જે સોસાયટીમાં તમે રહેતા હોવ તે વિશેની બાબતો ચર્ચવા માટે બનાવાયેલા ગૃપમાં કે તમારા સંતાનોની સ્કૂલના અન્ય વાલીઓ સાથે સ્કૂલ અંગેની બાબતો ચર્ચવા બનાવાયેલા ગૃપમાં તમે જોક્સ મોકલો કે પોતાના ધંધાના માર્કેટીંગ કરતા સંદેશ મોકલો તો યોગ્ય ગણાય.
તમે જો કોઈ સમાચાર મોકલતા હોવ તો તે સાચા છે કે નહિ તેની ચકાસણી અવશ્ય કરી લો.તમે સંદેશો ગૃપમાં મોકલો ત્યારે તે એકસાથે અનેક ને અને તે અનેક મારફતે આગળ સેંકડો અને હજારો લોકો સુધી પળવારમાં પહોંચી જાય છે. આથી અતિ અગત્યનો મુદ્દો જરૂર યાદ રાખો.
જો તમે મોકલેલા સમાચાર સાચા હશે તો ગૃપના દરેક સભ્ય તમને આદરથી જોશે અને તમારું ગૃપમાં માન વધશે અને લોકો તમને એક વાબદાર વ્યક્તિ તરીકે જોશે. પણ જો એકાદ સંદેશો પણ ખોટો મોકલ્યો તો તમે વિશ્વસનિયતા તો ગુમાવી બેસશો અને સાથે સાથે અફવા ફેલાવવાના ગુનામાં પણ ભાગીદાર બનશો.
કોઈ એક મેમ્બર સાથે મતભેદ થાય તો ગૃપમાં ચર્ચા કે ઝઘ​ડો ટાળો. તે વ્યક્તિ સાથે ખાનગી કે વ્યક્તિગત  ચર્ચા કરો.
માત્ર અને માત્ર ઉપયોગી વાત કે સમાચાર ફોર્વર્ડ કરો.આનાથી લોકો તમારી પ્રત્યે માન ભરી નજરે જોશે.
આપણે એક કરતા વધુ ગૃપના મેમ્બર હોઇએ છીએ એટલે મેસેજ રીપીટ તો વાના ! જો એકાદ સંદેશ કે પિક્ચર કે વિડીઓ ફરી આવે તો તેને તરત ડીલીટ કરી નાંખો.
એક સાથે અનેક સંદેશા કે પિક્ચર્સ  કે વિડીઓ મોકલવાનું ટાળો. તમારા રીતે મોકલેલા સંદેશાઓ બીજાઓ માટે ઘણી વાર ભાર સમાન કે નકામા કચરા જેવા બની રહેતા હોય છે. જે ક્યારેક સામાના ફોનની મર્યાદીત મેમરી ભરી નાખતા હોય છે.
કોઈ પણ પિક્ચર કે વિડીઓ શેર કરતા પહેલા ચકાસી લો કે મોકલવા લાયક છે કે નહિ.જો તે પહેલા ગૃપ પર અન્ય કોઇ  મેમ્બરે શેર કર્યો હોય તો પણ તે ફરી મોકલવાનું ટાળવું જોઇએ.
ખોટી માહિતી, વા ને લગતી વિગત કે ઉપચાર વિશેની માહિતી ક્યારેય મોકલશો નહિ કે તેનો કોઈ ડોક્ટર સાથે ચકાસ્યા સિવાય પ્રસાર કરશો નહિ. અફવાઓ ફેલાવશો નહિ.
૧૦ હિંસાત્મક કે વિકૃત પિક્ચર્સ કે વિડીઓઝ આગળ પ્રસરાવશો નહિ. કદાચ સારી ભાવનાથી મોકલાવવામાં આવ્યા હોય તો પણ તેને આગળ મોકલાવી તેનો વધુ ફેલાવો કરશો નહિ.
૧૧ ગૃપમાં ગુડ મોર્નિંગ, ગુડ નાઈટ કે શુભ બપોર જેવા સંદેશ મોકલાવશો નહિ.
૧૨ ગૃપમાં તમારો સંદેશ વ્યવહાર એવો રાખજો કે જેથી ગૃપ એડમિન ને તેની અસર થાય કે અથવા તમે કોઈની નફરતનો ભોગ બનવા પામો.
૧૩ જ્યારે ગૃપને ઉપયોગી એવો કોઇ સંદેશ મોકલતા હોવ ત્યારે તમારું નામ અને તારીખ પણ અચૂક સાથે લખી મોકલો જેથી ગૃપના અન્ય સભ્યોને વિશે માહિતી મળે.ક્યારેક કોઈ વૈદકીય કે અભ્યાસને લગતી કે કોઈ પણ ઉપયોગી માહિતી માટે તમારો ફરી સંપર્ક કરવાનું એનાથી આસાન બની રહેશે.
૧૪ હંમેશા ગૃપમાં મૂક પ્રેક્ષક બની રહેશો નહિ.
૧૫ ક્યારેય ક્યારેય ક્યારેય એવો કોઈ પણ સંદેશ પોતે મોકલશો નહિ કે ફોર્વર્ડ કરશો નહિ જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ વ્યક્તિ , જાતિ, ગૃપ, ધર્મ કે વંશ વગેરે વિરૂદ્ધ માં કે તેમને હાનિ પહોંચાડનારો હોય.
૧૬  મહેરબાની કરીને પ્રકારના સંદેશાઓ ક્યારેય ફોરવર્ડ કરશો:
- પોસ્ટ આગળ મોકલશો તો ફલાણી કંપની કે વોટ્સ એપ કોઈ વ્યક્તિના લાભાર્થે અમુક રૂપિયા કે પૈસા જમા કરશે કે દાનમાં આપશે.
- મેસેજ દસ જણને કે સો લોકોને મોકલશો તો સાઇ બાબા કે ગણપતિ બાપ્પા કે કોઈ અન્ય ભગવાન તમારૂ ભલુ કરશે.
- ફલાણી વ્યક્તિ ખોવાઈ છે કે ઢીકણી વ્યક્તિ ને લોહીની કે અન્ય મદદની જરૂર છે. (સિવાય કે તમે સંદેશમાં જે તે વ્યક્તિ નો ફોન આપ્યો હોય તેની સાથે પોતે વાત કરી જે તે બાબતની સત્યતાની ચકાસણી કરી હોય)
- સંદેશ પાંચ ગૃપ માં મોકલો અને જાદુ જુઓ.
- મેસેજ મોકલશો તો વોટ્સએપ નું બટન લીલુ જશે કે પ્રધાનમંત્રી તમને સો રૂપિયા મફત આપશે કે તમારા અકાઉન્ટમાં બસો રૂપિયાનો ટોક ટાઈમ જમા જશે કે ફલાણી કંપની તમને મફતમાં બૂટ કે કપડા કે અન્ય કોઈ ભેટ આપશે.

શનિવાર, 17 ડિસેમ્બર, 2016

ફિલ્મોની વાત અને ડિઅર ઝિંદગી ફિલ્મની શીખ

ફિલ્મો ક્યારેક મનોરંજક હોય છે તો ક્યારેક મનોમંથન કરવા પ્રેરે એવી. કેટલીક ફિલ્મો મગજ બાજુએ મૂકી જોવા જેવી હોય છે તો કેટલીક દિલ દઈને જોવા જેવી. બહુ ઓછી ફિલ્મો એવી હોય છે જે મને ન ગમે. કદાચ એની પાછળ એક કારણ હોઈ શકે. પ્રખ્યાત ગુજરાતી લેખિકા અને વક્તા કાજલ ઓઝા વૈદ્યે તાજેતરમાં એક કાર્યક્રમમાં એક સુંદર વાત કહી. તેમણે કહ્યું એ પ્રમાણે એક ફિલ્મ બનતા મહિનાઓ કે ક્યારેક વર્ષો નિકળી જાય છે. ત્રણસો-ચારસો જણ અથાક મહેનત કરી અઢી-ત્રણ કલાકની એક ફિલ્મ બનાવે અને એને જોઈ આપણે સહજતાથી ઝાઝો વિચાર કર્યા વગર કહી નાંખીએ "સાવ બકવાસ હતી!"
કોઈ પણ બાબતમાં હકારાત્મક પાસુ શોધવાની આદતને લીધે કદાચ મને મોટા ભાગની ફિલ્મો નાપસંદ પડતી હોતી નથી. દરેક ફિલ્મમાં તેની પાછળ સંકળાયેલા સેંકડો લોકોની મહેનતને કારણે કોઈક અંશ તો ગમવા લાયક હોય જ છે. કેટલીક ફિલ્મો ગંભીર હોય છે, એ દ્વારા સર્જકને પોતાની કોઈક વાત સહ્રદયીઓ સાથે વહેંચવી હોય છે. આવી ગંભીરવિષય વસ્તુ ધરાવતી ફિલ્મો સામાન્ય પ્રેક્ષકો તેમની સાથે કનેક્ટ ન થઈ શકવાને કારણે માણી અને વખાણી શકતા નથી. પણ મને આવી ફિલ્મો પણ ગમે છે. હમણાં આવી ત્રણ-ચાર ફિલ્મો જોવામાં આવી જે મને ગમી. થોડા સમય અગાઉ જોયેલી તમાશા, કપૂર એન્ડ સન્સ પણ મને ગમેલી તો તાજેતરમાં જોયેલી પાર્ચ્ડ, એ દિલ હૈ મુશ્કિલ, ડીઅર ઝિંદગી વગેરે પણ મેં બહુ એન્જોય કરી. આ દરેક ફિલ્મમાં સર્જકે પોતાને સ્પર્શતા કોઈક મુદ્દાની વાત જુદી જુદી રીતે કહેવા પ્રયાસ કર્યો છે અને કદાચ બોક્સઓફિસ પર તેઓ સારો વકરો કરી શકી હોય કે ન હોય પણ મને એ સ્પર્શી છે.
પાર્ચ્ડમાં ત્રણ ગામડામાં વસતી સ્ત્રીઓની વાત છે. કઈ રીતે તેઓ પુરુષપ્રધાન સમાજમાં તેમની જુદી જુદી સમસ્યાઓનો સામનો પોતાની રીતે અને ક્યાંક એકમેકનો માનસિક સહારો મેળવી કરે છે તેની વાત છે. એ દિલ હૈ મુશ્કિલમાં પ્રેમ, દોસ્તી અને સંબંધોના અટપટા પાસાઓ સર્જકે પોતાની રીતે પેશ કર્યા છે તો ડીઅર ઝિંદગીમાં બાળપણથી એકલી પડી ગયેલી સુંદર, મહત્વકાંક્ષી અને ઝિંદગી વિષે મૂંઝવણ અનુભવતી યુવતિ અને તેને એક મનોચિકિત્સક કઈ રીતે તેની આ સમસ્યામાંથી મુક્તિ અપાવે છે તેની રસપ્રદ ગૂંથણી ગોવાની સુંદર પૃષ્ઠભૂમિ પર જોવા મળે છે.
ફિલ્મોની આ એક લાક્ષણિકતા છે. તેઓ ક્યારેક કોઈ ગંભીર વાતને હળવી શૈલીમાં તો ક્યારેક તમને મનોમંથન કરવા પ્રેરે એ રીતે રજૂ કરતી હોય છે. ફિલ્મમાં રજૂ થયેલ કોઈક વાત કે પ્રસંગ તમારા જીવનમાં પણ બન્યો હોય કે તમારી વિચારધારા એ ફિલ્મના વિષયવસ્તુ સાથે મેળ ખાતી હોય ત્યારે એ ફિલ્મ સાથે તમે તાદાત્મ્ય અનુભવો છો અને તેને હ્રદયથી માણો છો. ફિલ્મ સાથે તમે હસો છો અને ફિલ્મના પાત્રો સાથે તમે રડો પણ છો.
ક્યારેક કોઈક ફિલ્મ તમને જીવન સાચી અને સારી રીતે જીવવાનો સંદેશ પણ આપી જતી હોય છે. ડિઅર ઝિંદગી ફિલ્મમાં મનોચિકિત્સક બનતા શાહરુખ ખાનનું પાત્ર આલિઆ ભટ્ટના પાત્રને બે-ચાર સાવ સરળ પણ વિચારપ્રેરક અને જીવનમાં ઉતારવા લાયક વાતો કહે છે જે મને ખુબ ગમી અને એ હું તમારા સૌ સાથે શેર કરવા ઇચ્છુ છું.
એક વાત જીવનમાં આપણે જે માર્ગ અપનાવતા હોઈએ છીએ કે વિકલ્પો હોય ત્યારે જે વિકલ્પની પસંદગી કરતા હોઇએ છીએ તે અંગે ની છે. મોટે ભાગે આપણે માનતા હોઇએ છીએ કે મુશ્કેલ માર્ગ અપનાવવો જોઇએ તો જ આપણને સુખ અને સફળતા પ્રાપ્ત થશે. પણ ઘણી વાર જીવનમાં સરળ માર્ગ કે વિકલ્પ પસંદ કરવાની જરૂર હોય છે જેથી આપણે સફળ અને સુખી થઈ શકીએ. ખાસ કરીને અતિ મહત્વકાંક્ષી વ્યક્તિ માટે આ વાત વધુ લાગુ પડતી હોય છે. સીધીસાદી વાતને આપણે અઘરી બનાવી દેતા હોઇએ છીએ.
આલિઆનું પાત્ર મહત્વકાંક્ષી દર્શાવાયું છે. તેને સ્વતંત્ર સિનેમેટોગ્રાફર બની પોતાની સંપૂર્ણ ફિચર-ફિલ્મ બનાવવાની ખેવના છે.ગોવામાં માતા-પિતા મોટા બંગલામાં રહેતા હોવા છતાં,પોતાની મહત્વકાંક્ષા સિદ્ધ કરવા તે એકલી મુંબઈ જેવા મહાનગરમાં રહી સંઘર્ષ કરે છે. નિર્માતા બોયફ્રેન્ડ તેને વિદેશમાં એક સ્વતંત્ર ફિલ્મ બનાવવાની ઓફર આપે છે, પણ તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ પણ તેમની સાથે કામ કરશે એવી શરતે. આ મુદ્દાને લઈને આલિયા ઘણી વ્યથિત રહે છે અને તેની રાતોની ઉંઘ હરામ થઈ જાય છે. મુંબઈ જેવા અદ્યતન શહેરમાં પણ એકલી કુંવારી યુવતિ ભાડાના ઘરમાંથી જાકારો પામી છેવટે ગોવા પોતાના માબાપ પાસે કમને પાછી ફરે છે અને અહિ તેનો ભેટો અનાયાસે અલગારી મનોચિકિત્સક એવા શાહરુખ ખાનના પાત્ર સાથે થાય છે. મનોચિકિત્સક શાહરૂખ તેની આ સમસ્યા સાંભળ્યા - સમજ્યા બાદ તેને એક નાનકડી બોધકથા સંભળાવી જણાવે છે કે સરળ વિકલ્પ જીવનમાં પસંદ કરવો ઘણી વાર શ્રેષ્ઠ સાબિત થતું હોય છે.તે આલિઆને વિદેશ વાળો પ્રોજેક્ટ છોડી હળવા થઈ જવાનો શ્રેષ્ઠ અને સરળ ઉકેલ-ઉપાય સૂચવે છે.
આલિઆનું અંગત જીવન પણ અસ્થિર છે, ત્રણ બોયફ્રેન્ડ સાથે તેના સંબંધ નિષ્ફળ રહ્યાં છે અને એ બાબતને લઈ તે પોતાને દોષિત માની મનોમન મૂંઝાતી રહે છે-દુખી થતી રહે છે ત્યારે શાહરૂખ તેને એક અતિ સરળ અને સચોટ ઉદાહરણ આપે છે. આપણે બજારમાં ખુરશી ખરીદવા જઈએ ત્યારે પહેલી જ ખુરશી ખરીદી લેતા નથી, પણ ત્રણ-ચાર કે ક્યારેક વધુ વિકલ્પો જોઇએ છીએ,ખુરશી પર બેસી તેને વાપરી પણ જોઇએ છીએ કે તે આરામદાયી છે કે નહિ તો પછી જીવનસાથી જેની સાથે આખું આયખું પસાર કરવાનું છે તેની પસંદગી કરતી વેળાએ ઉતાવળ કે એકાદ-બે સાથીની હંગામી સંબંધ દ્વારા ચકાસણી કરવા બદલ પસ્તાવાની લાગણી શા માટે?
ત્રીજો એક મુદ્દો જીવનસાથી પ્રત્યેની વધુ પડતી અપેક્ષા રાખવા અંગેનો ચર્ચાય છે આલિયા અને શાહરુખ વચ્ચે. આપણે જીવનસાથી બધી જ ભુમિકાઓ એકલે હાથે ભજવે એવી અપેક્ષાઓના ભાર હેઠળ આપણા સંબંધના કુમળા છોડને કચડી નાંખીએ છીએ. ઘણી વાર આપણાં અને આપણાં સાથીના શોખ કે અમુક બાબતો પ્રત્યેના દ્રષ્ટીકોણ ભિન્ન હોઈ શકે છે. આપણે ક્રિકેટ પસંદ કરતા હોઇએ તો સામેનું પાત્ર ક્રિકેટ પસંદ ન કરતું હોય છતાં તે આપણી સાથે બેસી મેચ એન્જોય કરે એવી અપેક્ષા રાખવી વધુ પડતી છે. આવે વખતે આપણે આપણા એવા મિત્ર સાથે ક્રિકેટ એન્જોય કરવી જોઇએ જે પોતે પણ ક્રિકેટ એન્જોય કરતો હોય.એ સમયે જીવનસાથી પોતાનો કોઈક શોખ પૂરો કરે એમાં કંઈ ખોટું નથી.એકબીજાને થોડી સ્પેસ આપવી - એનાથી સંબંધ વધુ ગાઢ અને સારો બને છે. કામ કે વ્યવસાયના મિત્ર,સામાન્ય શોખ ધરાવતા મિત્ર,ચોક્કસ દુખ કે ખામી જેની સાથે શેર કરી શકાય એવા મિત્ર આ બધી ભુમિકાઓ જીવનસાથી જ નિભાવે એ જરૂરી નથી અને આ દરેક અલગ અલગ બાબત માટે આપણાં જુદા જુદા મિત્રો હોય એ અજુગતુ ન ગણાવું જોઇએ.
છેલ્લે એક અતિ ગંભીર અને સંવેદનશીલ મુદ્દો દર્શાવાયો છે.પોતાની અંગત કારકિર્દી બનાવવા આલિયાના માતા-પિતા નાનપણમાં તેને નાના-નાની પાસે મૂકી પોતે વિદેશ જતા રહે છે અને છ-સાત વર્ષની કુમળી વયે આલિયા તેની માતાની પોતાને સાથે ન લઈ જવાની મજબૂરી અને વ્યવહારીક મુશ્કેલી વિશેનો નાના સાથેનો સંવાદ સાંભળી જતાં સાવ એકલી પડી ગયાનો અનુભવ કરે છે અને આ એકલતા-હતાશાનું પલિત તે સમજણી યુવતિ થાય ત્યાં સુધી તેનો પીછો કરે છે. આ કારણે તે માતાપિતાને સમજણી થયા પછી પણ માફ કરી શકતી નથી અને તેમને પ્રેમ કરી શકતી નથી. શાહરુખ ફરી એક વાર તેને માતાપિતાને મનથી માફ કરી દઈ બોજમુક્ત થઈ જવાની અસરકારક સલાહ આપે છે. ભારતીય સંસ્કૃતિમાં ક્ષમાને જ વીરોનું આભૂષણ નથી ગણાવાયું? માફી આપીને આપણે સામા પાત્રનું જ ભલું નથી કરતા પણ પોતાના પર પણ એક ખુબ મોટો ઉપકાર કરીએ છીએ, ભારમુક્ત થઈ જઈએ છીએ, જીવન સુખપૂર્વક જીવી શકીએ છીએ.

આ બધી સુંદર શીખ ડીઅર ઝિંદગી નામની ફિલ્મ ભારેખમ થયા વગર સહજતાથી આપી જાય છે માટે જ મને આ ફિલ્મ ખુબ ગમી. સાથે જ દરેક પાત્રના સુંદર અભિનય અને પાત્રાલેખન, સુંદર ઘરો, વસ્ત્રો, સંગીત, ડાયલોગ્સ વગેરે માટે થઈને પણ આ ફિલ્મ જોશો તો તમે પણ એને ચોક્કસ એન્જોય કરી શકશો.

શનિવાર, 10 ડિસેમ્બર, 2016

મોબાઈલ વોલેટની દુનિયામાં ડોકિયું

૮મી નવેમ્બર ૨૦૧૬ના દિવસે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાળા નાણાંના દૂષણને નાથવા ૫૦૦-૧૦૦૦ની નોટબંધીના શસ્ત્રનો ઉપયોગ કરવાનું ઐતિહાસિક પગલું લીધું અને વિશ્વભરમાં તેની ચર્ચા થઈ. પ્રજાને થોડી હેરાનગતિ થઈ પણ વડાપ્રધાનનો કોઈ અંગત સ્વાર્થ આમાં ન હોઈ દેશનું ભલું કરવાની તેમની દાનત પારખી રાજકારણ ખેલતા વિરોધ પક્ષો સિવાય કોઈએ આ પગલાનો વિરોધ ન કર્યો અને દેશના સૈનિકો જેમ ખડેપગે સરહદ  પર  દેશની સેવા કરવા દિવસ-રાત જોયા વગર ઉભા ઉભા તકલીફ સહન  કરે છે એમ દેશના કરોડો નાગરિકોએ પણ નોટબંધીના આ યજ્ઞમાં યથાશક્તિ ફાળો એ.ટી.એમ. અને બેન્કોની લાંબી લાંબી કતારોમાં ફરીયાદ કર્યા વગર ઉભા રહી આપ્યો. કેટલાક લોકો જ્યારે હજી સુધી આ નિર્ણય સાચો હતો-ખોટો હતો તેની ચર્ચા કરવામાં વ્યસ્ત છે ત્યારે એક હકીકત છે કે હવે આ નિર્ણય મને-કમને સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. સરકારે કાળા નાણાંને ડામવા અન્ય એક મોટું અભિયાન આદર્યું છે કેશ-લેસ જવા હાકલ કરીને. લોકો નકદમાં નાણાં વ્યવહારો જ ઓછા કરી નાંખે તો કાળા નાણાંનો વ્યાપ અને પ્રસાર પણ આપોઆપ ઓછો થઈ જાય.
 સરકારે કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવા ઘણાં ઉત્તેજનો જાહેર કર્યાં છે અને ઓનલાઈન ટ્રાન્સેકશન્સ કરવા  માટેનું એક અતિ ઉપયોગી અને હાલ ખાસ્સી ચર્ચામાં છે એવું સાધન છે મોબાઈલ વોલેટ જેના વિશે આ કટારમાં જ ૧૩મી માર્ચ ૨૦૧૬ના રવિવારે 'મોબાઈલ વોલેટની દુનિયામાં ડોકિયું' શિર્ષક સાથે એક બ્લોગ લખ્યો હતો અને વાચકો સાથે આ અતિ ઉપયોગી અને સરળ  સાધન કઈ રીતે વાપરી શકાય અને તેના ફાયદા શા છે તેની માહિતી શેર કરી હતી. અત્યારે આ માહિતી ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે એ હેતુથી આ બ્લોગ-લેખ આજે ફરી પ્રસ્તુત કર્યો છે.
આજનો યુગ ટેક્નોલોજી નો યુગ છે. ડેસ્ક્ટોપ પછી લેપટોપ્સ આવ્યા અને લેપટોપ્સ બાદ ટેબ્સ. ટેબ્સ અને મોબાઈલનું અત્યારે વર્ચસ્વ છે. મોબાઈલ પણ સ્માર્ટ બન્યા છે અને સ્માર્ટ મોબાઈલ માં અનેક વિધ એપ્સ ડાઉનલોડ થયા કરે છે. હવે મોટા ભાગના ઇન્ટરનેટ યુઝર્સ આર્થિક ,બેન્કીંગ કે વ્યવસાયિક વ્યવહારો મોબાઈલ પર કરે છે. ઘણું સગવડ ભર્યું પણ છે.તમે હાલતા ચાલતા કે પ્રવાસ કરતા ટ્રાન્ઝેકશન કરી શકો છો.હવે નાણાકિય વ્યવહારો માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે.એમાંની એક સુવિધા એટલે મોબાઈલ વોલેટ.
મોબાઈલ વોલેટ એટલે એક એવું વર્ચ્યુઅલ પાકીટ જેમાં તમે તમારા અન્ય ક્રેડીટ કાર્ડ્સ, ડેબીટ કાર્ડ્સ વગેરે ની માહિતી એક જગાએ સંગ્રહી રાખી શકો અને જરૂર પડ્યે તેમાંના એક વિકલ્પનો તમારી પસંદગી પ્રમાણે ઉપયોગ કરી શકો. લાંબા લાંબા ક્રેડીટ કે ડેબિટ કાર્ડ નંબર  યાદ રાખવાની, દરેક ટ્રાન્ઝેકશન વેળાએ ટાઈપ કરવાની માથાકૂટ નહિ અને ઉપરાંત મોબાઈલ વોલેટ સુવિધાના અન્ય લાભો તો ખરા જ.દાખલા તરીકે તમારી પાસે પાંચ જુદા જુદા ક્રેડીટ કાર્ડ હોય અને બે ડેબીટ કાર્ડ ,તો સાતે કાર્ડ્સની માહિતી એક વાર મોબાઈલ વોલેટમાં નાખી દો એટલે પછી કોઈ પણ ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરતી વેળાએ તમારે સાત માંથી એક પસંદગી કરી ટ્રાન્ઝેકશન પૂરું કરવાનો એક વિકલ્પ જેમાં તમારી માત્ર જે તે કાર્ડનો સી.વી.વી. નંબર ટાઈપ કરવાનો રહેશે.અથવા સાત કાર્ડ માંથી એક દ્વારા તમારા વોલેટમાં તમે રોકડા પણ ઉમેરી ને રાખી શકો. તો તમારે સી.વી.વી. નંબર ટાઈપ કરવાની પણ જરૂર નહિ પડે અને કોઈક કોઈક મોબાઈલ વોલેટ તો તમને રોકડા રાખવા બદલ કેશબેક રૂપે સારી એવી રકમ મફતમાં તમારા વોલેટમાં તેમના તરફ થી ભેટ રૂપે ઉમેરી આપે! નફામાં! જેમકે મોબિક્વીક મોબાઈલ વોલેટ દ્વારા ઘણી વાર એવી ઓફર કરાય છે કે જો તમે તમારા વોલેટમાં એક હજાર રૂપિયા રોકડા ઉમેરી રાખશો તો તેઓ પચાસ કે સો રૂપિયા વધુ પોતાના તરફ થી ઉમેરશે અને તમને એક હજાર પચાસ કે અગિયારસો રૂપિયાનું બેલેન્સ વાપરવા મળશે! મોબિક્વીક વાળા જો તમે ક્રેડીટ કાર્ડ વગેરે નો ઉપયોગ કરતા હોવ તો તમારા ઘરેથી રોકડા રૂપિયા લઈ જવાની સુવિધા પણ આપે છે.
જે લાભની વાત ઉપર કરી તો નફામાં ખરા  . જેમકે ફલાણી સાઈટ પર ખરીદી કરી કોઈ ચોક્કસ મોબાઈલ વોલેટથી ઓનલાઈન પેમેન્ટ કરશો તો પાંચ કે દસ કે વીસ ટકા ની છૂટ અથવા એટલા રૂપિયાની રકમ તમારા મોબાઈલ વોલેટમાં કેશબેક રૂપે અમુક કલાકો બાદ જમા થઈ જાય જેનો તમે ભવિષ્યમાં ઉપયોગ કરી શકો. ઓનલાઈન ખરીદી વિમાન કે ટ્રેનની ટિકીટ પણ હોઈ શકે કે હોટલમાં ઓનલાઈન ઓર્ડરનું પેમેન્ટ પણ હોઈ શકે કે જીમ ની મેમ્બરશીપ ફી પણ હોઈ શકે કે તમારૂં વિજળી કે ટેલિફોનનું બિલ પણ કે પછી ફિલ્મની ટિકીટ ની ખરીદી પણ હોઈ શકે કે કરીયાણા કે ઘર માટે સુશોભન કે ફર્નિચરની કોઈ વસ્તુ પણ હોઈ શકે.
ખિસ્સામાં રોકડા રાખીને ફરવાની જગાએ તેના જોખમો ટાળવા મોબાઈલ વોલેટનો ઉપયોગ અસરકારક રીતે થઈ શકે. જાણે તમારૂં પાકીટ તમારા મોબાઈલમાં હોય અને પાછા વાપરવાના અન્ય ઉપર જણાવેલા લાભો નફામાં!
PayTM , ItsCash , MobiKwik , PayUMoney, FreeCharge  વગેરે જેવા અનેક મોબાઈલ વોલેટ વચ્ચે આજે જાણે સ્પર્ધા જામી છે વધુ ગ્રાહકો અંકે કરી બિઝનેસ કરવાની જેમાં તેઓ એકમેક થી ચડિયાતી ઓફરો આપે છે અને સરવાળે લાભ તો ગ્રાહકોને થાય છે.
ટેક્નોલોજી થી ગભરાઈ ગયા વગર તેને શિખી લઈ તેનો ઉપયોગ કરશો તો ઘણાં લાભ માં રહેશો.આજે મોબાઈલ ફોનના જમાનામાં જો તમારી પાસે એકાદ મોબાઈલ વોલેટ અકાઉન્ટ નહિ હોય તો તમે ઘણું બધું ગુમાવી રહ્યા છો એમ સમજજો. અંગે વધુ જાણકારી મેળવી હાથવગા સાધનનો ઉપયોગ કરશો તો આર્થિક લાભ સાથે માનસિક સંતોષ પણ પ્રાપ્ત થશે કંઈક નવું શિખ્યાનો , કંઈક નવું કર્યાનો એની ગેરન્ટી!

ટેક્નોલોજી સતત ઇવોલ્વ થતી રહે છે અને બ્લોગ માર્ચમાં લખાયો પછી તો મોબાઈલ વોલેટ ચલાવતી કંપનીઓએ હાલના સમયમાં ઉપયોગી એવા અનેક નવા ફીચર્સ પણ દાખલ કર્યા છે.જેમકે તમે તમારા મોબાઈલ વોલેટમાંથી સામે વાળા વ્યક્તિના મોબાઈલની એજ મોબાઈલ વોલેટ એપ્લિકેશન દ્વારા રોકડા રૂપિયાની આપલે વગર નાણાં ટ્રાન્સફર કરી શકો છો.દાખલા તરીકે પાણીપુરી ખાધી કે શાકભાજી ખરીદ્યા કે કોઈ દુકાનમાં જઈ વસ્તુ ખરીદી તો તેની કિંમત જેટલા રૂપિયા ભૈયાજી કે દુકાનદારના મોબાઈલ નંબર દ્વારા તમારા મોબાઈલ વડે એક ક્લીક કરી ચૂકવી શકો છો.તમારા કોઈ મિત્ર કે પરીવારજનને પૈસાની જરૂર પડી અને તે તમારાથી દૂર હોય તો ફીચર દ્વારા તેના વોલેટમાં તમે રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો.