Translate

રવિવાર, 30 ઑગસ્ટ, 2015

ગેસ્ટ બ્લોગ : અનન્ય પ્રેમની બે વાતો

‘આનંદ’ પિક્ચર ના પેલા ડાયલોગના અંશો યાદ છે ને “”बाबूमोसाई! ज़िंदगी और मौत ऊपर वाले के हाथ है” અને “हम सब तो रंगमंच की कठपुतलियाँ है” આમ તો જીવન ની રંગભૂમિ પર રોજ આપણે નિતનવા નાટકો ભજવતા હોઈએ છીએ.

પણ એક વર્ષ પહેલા (તા. 15-સપ્ટેમ્બર-2014ના રોજ) વડોદરાના ગાંધીનગર ગૃહ રંગમંચ ખાતે એક સુંદર નાટક જોવાનો લહાવો મળ્યો.નાટક નું નામ ‘થોડું લોજીક,થોડું મેજિક’. (સ્નેહા(બેન) દેસાઈની કલમે લખાયેલ વધુ એક માણવાલાયક નાટક). આ નાટકની ટિકિટ બેક સ્ટેજ પર થી એક અંગત પાસેથી કલેક્ટ કરવાની હતી એટલે સમય કરતા સહેજ વહેલા પહોચી ગયા.લગભગ અડધા કલાક સુધી સ્ટેજ સેટીંગની ઝીણવટભરી કામગીરી જોવાનો મોકો પણ મળ્યો.

નાટક કલાકારો મેકઅપ અને અન્ય તૈયારીઓને અંતિમ ઓપ આપી રહ્યા હતા.ત્યા જ નાટક ના મુખ્ય કલાકાર શ્રી ટીકૂ ભાઈ તલસાણીયા પસાર થયા અને તેમણે ખૂબ જ ટૂંકુ છતાં ખૂબ જ સહજતાથી અમારા પાંચ જણનું અભિવાદન કર્યું. 200 થી પણ વધૂ ફિલ્મો અને સીરીયલો માં કામ કરી ચૂકેલા ટીકૂ ભાઈ એ પરિચય ના મોહતાજ નથી જ અને રંગભૂમિ ક્ષેત્રે જેને નિર્વિવાદ અગ્રીમ હરોળ માં સ્થાન આપી શકાય એવા ગૌરવવંતા ગુજરાતી છે.

રાષ્ટ્રગાન પૂરું થયું અને નાટકની શરૂઆત થઇ.આખેઆખું નાટક એટલે ગઈકાલની અને આજની generation વચ્ચે ચાલતા સંવાદો નું ભાવવાહી નિરૂપણ.બધા જ કલાકારો ની ઉતમ અદાકારી નજરે ચઢતી હતી.આખાય નાટકમાં ટીકૂ ભાઈ એ હાસ્ય,વ્યંગ,વ્યથા,આક્રોશ,અનુકંપા,પ્રેમ ને ખૂબ જ સહજતા થી વ્યક્ત કર્યા.

આ નાટક પૂર્ણ થયા પછી ઉદ્ઘોષક એક વાત કરે છે – “ટીકૂ ભાઈ ના બહેનનું આજે દુખદ અવસાન થયું છે – આ છતાં તેઓ શ્રી મુબઈ થી આપણી વચ્ચે આવ્યા છે એ બદલ આભાર”

નાટક પૂર્ણ થયા બાદ હું મારી જાત ને રોકી ન શક્યો અને ટીકૂ ભાઈ ને મળવા દોડી ગયો. સાહેબ ! ખૂબ જ સહજતાથી આખેઆખું નાટક ભજવી ગયેલો માણસ બંધ ઓરડામાં ડૂસકા ભરતો હતો !

” જગત ના માનવીની એ જ સિદ્ધિ દાદ માંગે છે,
ભીતરમાં વેદનાઓ હોય ચેહરે સ્વસ્થતા લાગે છે…”

ટીકૂભાઈ,
મને ‘આભાર’ શબ્દ ઘણો વામણો લાગે છે. આપની કર્તવ્યનિષ્ઠાને શત શત સલામ. જ્યાં સુધી મારી ગુજરાતી રંગભૂમિ પાસે આપના જેવા કર્તવ્યપરાયણ કલાકારો છે ત્યાં સુધી હું માનું છું કે ગુજરાતી ભાષા ને અને તેની અભિવ્યક્તિને કોઈ જ ખતરો નથી.
પરમતત્વને પ્રાર્થના સહ…

-     જગત નિરુપમ

******************************

શ્રાવણ માસ નો પહેલો દિવસ હતો. વહેલી સવારે ફેસબુક પર મારા ભત્રીજા ના રૂમનો ફોટો અપલોડ કર્યો જેને મેં અને તેણે મળીને સજાવ્યો હતો. કારણ શ્રાવણ માસ પવિત્ર ગણાય છે અને મારા માટે મારા અને ૩ વર્ષ ના મારા ભત્રીજા વચ્ચે નો સ્નેહ એટલો જ પવિત્ર છે જેટલો યશોદા અને કાનુડા વચ્ચે નો પ્રેમ હતો!

અમારી વચ્ચે લાગણીનો એવો તીવ્ર સેતુ બંધાઈ ગયો હતો કે જ્યારે મારા ભાઇનું પ્રમોશન થયું અને એ, મારા ભાભી તથા મારા ભત્રીજા સાથે બીજા શહેર માં રહેવા ગયા ત્યારે બધાને એમ પ્રશ્ન થયો કે અમે બંને કઈ રીતે અલગ અલગ રહીશું પણ અમે બંને ટેલીપથી થી જાણે જોડાઈ ગયા.અમે સપના અને વિચારોમાં મળી લેતા.

અમે જૈન છીએ અને આજે શ્રાવણ માસના પહેલા દિવસે અમે પંચતિથી કરવા ગયા. પપ્પા થાકી ગયા એટલે ચાર દેરાસર-મંદિર જ જઈ શક્યા. પણ ઘરે આવી ત્યારે થયું  મારા તો પાંચ મંદિરની યાત્રા પુરી થઇ ગઇ કારણકે મારા ભત્રીજાના રૂમ ને મંદિર અને એને મેં કાનુડો માન્યો અને સવાર ની પહેલી પ્રાર્થના રોજ ત્યાં થી જ કરું છું તો એ જગા મંદિર થી ઓછી ન જ ગણાય ને?

-     જીયા શાહ

મંગળવાર, 25 ઑગસ્ટ, 2015

દહેજ માગતા પણ નહિ અને આપતા પણ નહિ


·         પિયરથી ૩ લાખ રૂપિયા નહિ લાવે તો હું દુબઈથી નહિ આવું એમ કહી પોતાના નવજાત પુત્રને જોવા પણ નવસારીનો એક યુવાન ગુજરાતમાં સાસરીયા સાથે રહેતી અને સતત દહેજ માટે સાસુ-સસરાના મહેણાટોણા સહેતી પૂજા નામની પોતાની યુવાન પત્ની પાસે ન આવ્યો.

·         પુણેમાં રહેતી એક ડોક્ટર યુવતિએ પોતાના યુવાન બેકાર ડોક્ટર પતિ તરફથી સતત થતી દહેજની માગણીથી ત્રાસી જઈ આત્મહત્યા કરી.

·         વિરારમાં સાસુ અને દિયરે મળીને એમ.બી.એ. થયેલી યુવતિને દહેજ માટે થઈને સળગાવી દીધી.

ઉપરોક્ત ખબરો તાજેતરમાં અખબારોમાં વાંચેલી સત્યઘટનાઓ છે. અઠવાડિયામાં એકાદ ખબર તો આવી વાંચવા મળતી હોય છે. મહિલા ગામડા કે પછાત વિસ્તાર કે બેકગ્રાઉન્ડ ધરાવતી હોય એવું પણ નથી. મહિલા ડોક્ટર કે એમ.બી.. ભણેલી યુવતિ પણ હોય છે અને મુંબઈ કે પુણે જેવા શહેરી વિસ્તારમાં રહેતી પણ હોય છે.આજના એકવીસમી સદીના કહેવાતા અર્વાચીન યુગમાં પણ આવા કિસ્સા આપણાં સમાજમાં બનતા રહે છે ચોંકાવનારી અને શરમજનક, દુ:ખદ બાબત છે. ભણેલા યુવાનો પણ દહેજમાં માનવા અને તે માંગવા જેવી પછાત માનસિકતા ધરાવતા હોય આંચકાજનક બાબત છે.

આવા યુવાનો જે પોતાનામાં પોતાના પગે ઉભા રહી પોતાનું અને પરીવારનું પાલનપોષણ કરવા જેટલું કમાવાની ક્ષમતા ધરાવતા હોય તો તેમને પરણવાનો કોઈ હક નથી.આવા પાણી વગરના યુવાનને (એને તો યુવાન પણ કઈ રીતે કહી શકાય) યુવતિએ પસંદ કરવો જોઇએ.

જો વર પક્ષ તરફથી જરા જેટલા પણ પૈસા કે દહેજની માંગણી લગ્ન પહેલા કે લગ્ન વખતે થાય તો એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર સંબંધ તોડી નાંખવો જોઇએ.આજે જમાનો ખૂબ આગળ વધી ગયો છે.તમારી દિકરીને યોગ્ય મૂરતિયો આજે નહિ તો કલે મળી જશે.પણ જો જરા જેટલી પણ દહેજની માગણી પૂરી કરવાની કે દબાવાની ભૂલ કરી તો તમે જાણી જોઇને તમારી દિકરીને કૂવામાં ધક્કો માર્યા જેવી ભૂલ કરી ગણાશે. જો કદાચ ભૂલથી સાસરા પક્ષ વાળાની બદદાનતની મોડેથી ખબર પડે તો પણ જાગ્યા ત્યારથી સવાર ગણી તમારી દિકરીને એક ટકો પણ સહન કરવાની સલાહ આપ્યા વગર તેને પડખે ઉભા રહેજો,પહેલેથી તેનો એટલો વિશ્વાસ સંપાદન કરજો કે કમનસીબે આવી કોઈ પરિસ્થિતી ઉભી થાય તો તે તમારા સંપૂર્ણ આધારની અપેક્ષા સાથે પાછી તેના સ્વગ્રુહે - પિયર આવી શકે,સંતાન થયા હોય તો તેમની સાથે.
જો તમે સમાજમાં આબરૂ જવાની કે પછી આવી કોઈ પણ બીજી બિનજરૂરી બીકને લીધે દિકરીને સહકાર આપ્યો તો તેની પાસે આત્મહત્યા જેવો વિકલ્પ સામે આવી ઉભો રહેશે અને તેને ભરખી જશે.એનું માનવહત્યા જેટલું મોટું પાપ પણ તમને લાગશે.

યુવતિઓને પણ એટલું કહેવાનું કે જો કદાચ લગ્ન બાદ તમારી સામે સાસરીયાઓનું અસલ સ્વરૂપ પ્રગટ થાય તો ભૂલેચૂકે પણ તેમની એક પણ માગણીનો સ્વીકાર કરશો નહિ.એમ માની લેશો કે એક વાર તેમને ધન-પૈસો આપી ચૂપ કરી દઈશ- બીજી વાર નહિ માગે તો તમે ભૂલ કરી નહિ ગણાય બલકે તમારા પોતાના પગ પર કુહાડો માર્યો ગણાશે. કદાચ તમને ડર હોય કે પિયરીયા મને પાછી ઘેર નહિ આવવા દે તો પણ તમારી સામે આજે અનેક વિકલ્પો ખુલ્લા છે.તમારામાં કૌશલ્ય અને આત્મવિશ્વાસ હશે તો ચોક્કસ તમે કોઈના પર પણ આધાર રાખ્યા વિના પોતે પોતાના પગ પર ઉભા રહી પોતાનું અને સંતાન હશે તો તેમનું ભરણપોષણ કરી શકશો.
દહેજ વિરુદ્ધનો તો કાયદો પણ ઘણો કડક છે અને ચોક્કસ તમે જુલ્મી સાસરીયાને જેલના સળીયા પાછળ ધકેલી શકવામાં સફળ થશો.પણ તમારો પોતાનો આત્મવિશ્વાસ પહાડ જેવો સખત હોવો જોઇએ.ગાંધીજીના કહ્યા મુજબ અન્યાય સહન કરવો પણ મોટો અપરાધ છે.
આત્મહત્યા તો કાયરતાની નિશાની છે અને અહિથી છૂટીને તમે ક્યાં જવાના એની શી ખાતરી?એટલે વગર તમારા કોઈ ગુને પોતાની જાતને સજા આપવાની કે આત્મહત્યા કરવાની ભૂલનો તો વિચાર પણ કરતા નહિ.
માતાપિતાઓને એક સલાહ કે તમારી દિકરીને ભણાવો-ગણાવો.ખુબ સારૂં , શક્ય એટલું ઉચ્ચ શિક્ષણ આપો જેથી ગમે તેવી પરિસ્થિતીમાં પણ તે પોતાના પગે ઉભા રહેવા જેટલી કાબેલ બની શકે.આજનો જમાનો તો સમાનતાનો છે.કેટલી સ્તેરેઓ આજે અનેકાનેક ક્ષેત્રોમાં ટોચ પર છે.જમાના સાથે આગળ વધજો.

રવિવાર, 16 ઑગસ્ટ, 2015

લોકોનું ટોળું


તાજેતરમાં ઘટેલી ત્રણ ઘટનાઓમાં લોકોનાં ભેગા થયેલાં ટોળાં વિશે વાંચી માણસોની આમ ટોળામાં ભેગા થવાની વૃત્તિ વિશે એક નકારાત્મક લાગણી અનુભવી જે આજે બ્લોગ થકી શેર કરવી છે.

પહેલી ઘટના એટલે યાકુબ મેમણને ફાંસીએ લટકાવાયો ત્યાર બાદ તેની અંતિમ યાત્રા, જેમાં દસેક હજાર માનવોની મેદની જમા થઈ. યાકુબ મેમણનાં અંગત સગાઓ સિવાય અનેક મુસ્લીમ યુવાનો પણ અંતિમ યાત્રામાં સામેલ હતાં જે આશ્ચર્ય સાથે દુ: અને ચિંતાની બાબત છે. યાકુબ મેમણ એક આતંકવાદી હતો. આતંકવાદીઓને તેમના આતંકી કૃત્યમાં પોતાની સાનભાન અને વિવેકબુદ્ધિ સાથે સહાય કરનાર પણ આતંકવાદી ગણાય. અઢીસોથી વધુ નિર્દોષ લોકોના જાન લેનાર મુંબઈ બોમ્બ-બ્લાસ્ટની આતંકી ઘટનામાં સંડોવણી હોવાનું સ્પષ્ટ થયા બાદ તેને ફાંસીએ લટકાવવામાં આટલો વિલંબ કેમ થયો બાબતની ચર્ચા થવી જોઇએ તેની જગાએ યાકુબના અંતિમ દિવસોમાં મિડીઆએ તેને વગર કારણની અયોગ્ય પબ્લિસીટી આપી હીરો બનાવી દીધો અને તેના પ્રત્યે સહાનુભૂતિનું મોજું પેદા કર્યું. શું વર્ષો વિતી જતા તેનો ગુનો ઓછો થઈ ગયો? ફાંસીની સજા તેને જાહેર થઈ હતી તો એને અમલમાં મૂકતા પહેલા આટલો હોબાળો મચાવવાની જરૂર નહોતી. ફાંસી આપી દીધા બાદ જાહેર કરાવું જોઈતું હતું કે તેની ફાંસીની સજાનો અમલ થઈ ચૂક્યો છે. નીચલી કોર્ટમાંથી અરજી ઉપલી કોર્ટમાં જાય,રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી થાય બધી બાબતો જાહેર કરવાની શી જરૂર? કદાચ યાકુબે સામેથી પ્રત્યાર્પણ પણ કર્યું હોય તો તેનો ગુનો ઓછો થઈ જતો નથી.કોઈ એક ખૂન કરીને પોલીસ સામે હાજર થઈ જાય તો પણ તેનો ગુનો મટી જતો નથી અને તેને સજા થવી જોઇએ તો અહિ તો આતંકવાદ અને તેને સાથ આપવાની વાત હતી. પહેલું ચાલીસ માણસોનું ટોળું જેણે આતંકવાદી માટે દયાની અપીલ કરી એક મોટી ભૂલ કરી હતું  કેટલાક અગ્રણી નેતાઓ, અભિનેતાઓ, ઉદ્યોગપતિઓ, સમાજસેવકો વગેરેનું  ટોળું જેણે રાષ્ટ્રપતિને યાકુબની ફાંસીની સજા રદ કરવા પત્ર લખ્યો હતો. આતંકવાદ માટેની સજા ફાંસી કે કદાચ એટલી સખત હોવી જોઇએ જેથી લોકોમાં દાખલો અને ફડક બેસે. સજા ત્વરીત અને જાહેરમાં અપાવી જોઇએ જેથી આવું જધન્ય કૃત્ય કરતાં કોઈ પણ ડરે. જ્યારે આપણે ત્યાં બે બે દાયકા બાદ એક આતંકવાદીને ફાંસીની સજા માટે તો ઉહાપોહ મચી ગયો અને ત્યારબાદ તેના જનાજામાં પણ તે શહીદ કે હીરો હોય તેમ દસ-દસ હજારની મેદની જમા થઈ. આખો કિસ્સો મિડીયાએ પણ રીતે ચિતર્યો કે આમાં સરકાર વિલન જેવી સાબિત થઈ અને તેણે જાણે ફાંસીની સજાનો અમલ કરી કોઈ ભૂલ કરી હોય એવી લાગણી ઉભી થઈ. દસેક હજારમાં મોટા ભાગનાં લોકો તો યાકુબને ઓળખતા પણ નહોતાં પણ કુતૂહલ પૂર્વક કોઈ અસામાન્ય ઘટનાને જોવા ટોળામાં ભેગા થવું માણસનો જાણે સ્વભાવ છે.
રસ્તા પર કે પાટા પર કોઈનો અકસ્માત થયો હોય અને કોઈ લોહી નિગળતી હાલતમાં દયાની ભીખ માગતું તડપતું પડ્યું હોય ત્યારે ટોળું જમા નથી થતું વ્યક્તિને મદદ કરવા - તેનો જીવ બચાવવા.પણ જો કોઈ ઝગડો થઈ રહ્યો હોય કે કોઈ અસામાન્ય ઘટના ઘટી રહી હોય તો થવા માંડો ભેગા અને બનાવો બિન જરૂરી ટોળું.
        બીજી ઘટના હતી બૈદ્યનાથમંદિરમાં મચેલી નાસભાગ અને તેમાં દસેક કરતાં વધુ ભક્તજનોનાં મૃત્યુ.માણસ શા માટે શોર્ટકટ રસ્તા વધુ અપનાવતો હશે? શનિવારે હનુમાનના મંદીરે તેલ ચડાવવાની લાંબી કતાર, સોમવારે મહાદેવના મંદિરમાં શિવલિંગ પર દૂધ ચડાવવા ભક્તજનોની ભીડ વગેરે આના ઉદાહરણો છે. દિવસોએ જે-તે ભગવાનની ભક્તિ કરી તો વધુ પુણ્ય મળે એવી લાલસા એક પ્રકારનો શોર્ટકટ છે. અને પછી જ્યારે કોઈક દુર્ઘટના બનવા પામે તો લોકો ગાંડાની જેમ પોતાનો જીવ બચાવવા નાસભાગ મચાવી મૂકે છે. ત્યારે ટોળું ભગવાનમાં શ્રદ્ધા રાખી એ સમજવાનો પ્રયત્ન નથી કરતું કે મોત લખ્યું હશે તો કોઈ તેમને કાળના સંકજામાંથી છોડાવી શકવાનું નથી.

દર વર્ષે મંદીરોમાં, મેળાઓમાં કે જાહેર જગાએ આવી સ્ટેમ્પીડની અને તેના કારણે ચગદાઈને અમુક લોકો મરણ પામ્યાની ત્રણ-ચાર દુર્ઘટનાઓ ઘટવા પામે છે. આવે વખતે ધીરજ અને સંયમ જેવા ગુણો અને શિસ્ત ટોળું દાખવે તો ઘણાં કમનસીબ મૃત્યુ ટાળી શકાય.

ત્રીજી ટોળાની ઘટના વિશે અખબારમાં વાંચી આશ્ચર્ય તો થયું સાથે ગુસ્સો પણ આવ્યો. મિનિસ્કર્ટ્સ પહેરી ભક્તો એવું ઇચ્છે છે એટલે પોતે એમ કર્યું એવો ખુલાસો આપનાર, વિમાનમાં ત્રિશૂળ લઈ મુસાફરી કરનાર આજકાલ ભારે ચર્ચાસ્પદ બનેલ ગોડવુમન રાધેમા પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા થનારી ઉલટતપાસ અને સવાલજવાબ માટે હાજર થયા ત્યારે હજારો લોકોની ભીડ રાધેમાને જોવા માટે ભેગી થઈ ગઈ!  અહિ 'રાધેમા ના દર્શન માટે' એવો શબ્દ પ્રયોજ્યો નથી કારણ ભગવાનની દયાથી ટોળામાં તેમનાં સમર્થકોતો ગણ્યાં-ગાંઠ્યા હતાં! એટલા સમર્થકોની આંખમાં આંખ મિલાવવાની પણ તાકાત કદાચ રાધેમા માં નહિ હોય એટલે ગોગલ્સ પહેરીને આવ્યા હતા! મારી તાજેતરની વિમાન મુસાફરી દરમ્યાન બેગમાં તળીયે મૂકેલી નાનકડી કાતર પણ સુરક્ષા-સ્ટાફે કચરા ટોપલીમાં ફેંકાવડાવી દીધી તો મને નવાઈ લાગે છે રાધેમાને હાથમાં ત્રિશૂળ લઈ વિમાનમાં મુસાફરી કરવાની પરવાનગી કઈ રીતે મળતી હશે? આસારામ બાપુ આટલા વખતથી જેલમાં હોવા છતાં,તેમના નાલાયક હવસખોર છોકરાને પણ ભાગતો પકડી પોલીસે જેલમાં મોકલ્યો હોવા છતાં, કેસનાં ત્રણ સાક્ષીઓનાં શંકાસ્પદ ખૂન થયાં હોવા છતાં જો આસારામ બાપુ કદાચ કોઈ મેદાનમાં ભાષણ આપવા આવે તો મને કોઈ શંકા નથી, વિશ્વાસ છે  કે હજારો (કે પછી લાખો?)નું ટોળું ચોક્કસ જમા થઈ જાય!
લોકોને શા માટે ટોળામાં ભેગા થવું આટલું ગમતું હશે?