અગાઉ એક બ્લોગમાં મારા એક ઓફિસના મિત્ર અને સહકર્મચારી અનિલ જવાહરાની અને તેમના મોજીલા-ગમતીલા સ્વભાવની વાત કરેલી.આજે આ બ્લોગમાં એવી એક મહિલા વિષે વાત કરવી છે જે બીજી અનેક સ્ત્રીઓને પ્રેરણા મળી શકે એવી રીતે જીવન જીવી રહી છે. નામ છે એનું ડિમ્પલ ઉપાધ્યાય. ડિમ્પલ એટલે મારી બહેન તેજલની સૌથી નિકટતમ સખી.હું તેને મારા બાળપણના સમયથી ઓળખું.હું મારા થી છ વર્ષ મોટી મારી બહેન તેજલ અને તેની જ સમવયસ્ક ડિમ્પલ સાથે જ મોટો થયો છું.ડિમ્પલ એટલે એક બિન્ધાસ્ત વ્યક્તિત્વ.તેને તેનાથી નાની બીજી ત્રણ બહેનો અને ચારે છોકરીઓ તેમના માતાપિતાને ખૂબ વહાલી.આજે ડિમ્પલ તેના પતિ અને તેમની બે જુવાન પુત્રીઓ સાથે સુખપૂર્વક જીવે છે.પણ હું તો ડિમ્પલને તે પોતે એક નાની બાળકી હતી ત્યારથી ઓળખું.
હવે મને જણાવવા દો કે આ ડિમ્પલ પર આખો એક બ્લોગ શા માટે? હું ડિમ્પલને માન આપું છું અને તેની પ્રશંસા કરું છું તેના અત્યુત્સાહી અને ધગશ તેમજ ઝિંદાદિલી ભર્યા સ્વભાવને લીધે.તે હંમેશા સ્ફૂર્તિ અને પોઝીટીવિટીથી છલકતી જોવા મળે.તે શાળાજીવન દરમ્યાન ભણવામાં એક સામાન્ય વિદ્યાર્થીની હતી અને તેણે કોમર્સમાં સ્નાતક સુધી અભ્યાસ કર્યો.તે મારી બહેનની શ્રેષ્ઠ મિત્ર હોવાથી તેણે મારી બહેનના કપરા કાળ વખતે હંમેશા તેને સાથ આપ્યો છે.તે આજે પણ સદાય મારી બહેનના પડખે ઉભી રહેવા તૈયાર અને તેણે દરેક યોગ્ય સમયે મારી બહેનને જરૂરી સાચી સલાહ આપી છે.આજે પણ તેઓ સાથે શોપિંગ કરવા કે ફરવા કે દૂરના કોઈ મંદિરે દર્શન કરવા ઘણી વાર જોડે જાય.
ડિમ્પલમાં બીજાયે ઘણાં શીખવા લાયક ગુણો ભર્યા છે.તે બોલ્ડ છે.તે એક આધુનિક નારી છે.તે ડ્રાઈવિંગ પણ કરી જાણે છે અને સ્વિમિંગ શિખવાનીયે ઇચ્છા ધરાવે છે.તે પોતાની સ્કૂટી પર દિકરીને ટ્યુશન મૂકવા પણ જાય અને ક્યારેક પિતાની કાર પણ ફેરવે.તે શેર ની લેવેચમાં પણ ખાસ્સો રસ ધરાવે અને એમાંથી સારુ એવું કમાઈ પણ લે છે.(મેં ક્યાંક વાંચેલુ કે ભલે ઓછી સ્ત્રીઓ શેરબજારમાં રસ લે છે પણ જેઓ રસ લે છે તે બધી પુરુષો કરતાં ઘણું સારુ કમાઈ જાણે છે!મારી એક ઓફિસની મિત્રની માતાએ પણ નિવૃત્ત થયા બાદ શેરોમાં સક્રિય રસ લેવા માંડ્યો અને ફક્ત સેસાગોઆ જેવી એક મજબૂત કંપનીના શેરમાં રોકાણ થકી કરેલી કમાણીમાંથી મારી મિત્રના લગ્ન અને તેના ભાઈની વિદેશમાં અભ્યાસની ફીનો ખર્ચ કાઢી લીધો!) ડિમ્પલ તેના પિતાને તેમના વ્યવસાયમાં પણ મદદ કરે અને ઘરનાં બધા કામોયે ઝપાટાબંધ, કુશળતા અને ખૂબી પૂર્વક નિભાવી જાણે.તે પોતાની નાની બહેનો માટે પણ પ્રેરણાનો સ્રોત બની રહી છે.એક સારી પુત્રી,સારી બહેન,સારી માતા,સારી પત્નિ અને સારી સખી એમ બધી ભુમિકાઓ ડિમ્પલ સુંદર રીતે જીવી જાણે છે.
હું જ્યારે ડિમ્પલને મળું ત્યારે તે કંઈક નવું શિખતી હોય!તે મને નિયમિત રીતે નવા માં નવા સોફ્ટ્વેર વિષે કે સારી સારી વેબસાઈટ વિષે અને ઇન્ટરનેટ વિષે પ્રશ્નો પૂછ્યા કરતી હોય છે.તે એક ઉત્સાહી વિદ્યાર્થીનીની જેમ મારી પાસે બેસી ઇન્ટરનેટ ના પાઠ તેના રોજબરોજના ઉપયોગ માટે તેમજ બિઝનેસ માટે શિખી હતી અને મારી સાથે બેસીને જ તેણે પોતાનું પહેલું ઇમેલ આઈડી પણ બનાવ્યુ હતું. તેણે અનેક નાનામોટા વ્યવસાય કર્યા છે.તેણે સૌંદર્ય પ્રસાધનોના માર્કેટીંગ થી માંડી બ્યુટી ટ્રીટમેંટ આપવાના અનુભવ પણ લીધા છે.તેણે પોતાના વ્યવસાયને લગતા અને બીજા પણ ઘણા રસપ્રદ વિષયો પર સેમિનાર અટેન્ડ કર્યા છે.તે ક્યારેક સાડીમાં પણ સજ્જ થયેલી જોવા મળે તો ક્યારેક કોર્પોરેટ વુમનના પ્રોફેશનલ લિબાસમાં પણ દેખાય!
છેલ્લે હું જ્યારે તેને મળ્યો ત્યારે તે અકાઉંટીંગના 'ટેલી' પેકેજ શિખવાના વર્ગમાં જોડાઈ હતી.મેં તેને પૂછ્યું હવે આ શા માટે? તો તેણે જવાબ આપ્યો:મેં 'ટેલી' વિષે ખૂબ સાંભળ્યુ હતુ અને મારે જાણવુ હતું કે એમાં એવું શું છે જેથી તે સારું એવું લોકપ્રિય છે.બી.કોમના દિવસોમાં હું અકાઉંટીંગ તો શીખી જ હતી તો મને થયું લાવ મારી કોમ્પ્યુટર કુશળતાનો પણ કંઈક સારો ઉપયોગ કરવા દે!
ડિમ્પલ હંમેશા કંઈક નવુ કરવાની કે શિખવાની વેતરણમાં જ હોય!તેને મેં ક્યારેય ઘરમાં નવરી બેઠેલી તો જોઈ જ નથી.તે માત્ર એક સામાન્ય ગૃહિણી ન બની રહેતાં સતત પોતાનું જ્ઞાન વધારતી રહે છે અને તેને ઉપયોગમાં પણ મૂકે છે.તે કસરત પણ કરે છે,યોગા પણ અને સ્વાદિષ્ટ રસોઈ પણ બનાવી જાણે છે.તેની દિકરીઓને ભણાવવાનો પણ ક્યારેક વારો આવે તો ડિમ્પલબેન એ માટે તૈયાર!તો ક્યારેક તેની દિકરીઓ માટે સ્કૂલનો કોઈક પ્રોજેક્ટ પણ તૈયાર કરવાનો હોય તો ડિમ્પલ ગૂગલ અને બીજા શક્ય એટલા પર્યાય વાપરી તે યોગ્ય સમયે તૈયાર કરી નાંખે.ડિમ્પલના પતિ જયવંત ઉપાધ્યાય પણ પોતાની પત્નિને ખૂબ ચાહે છે અને ડિમ્પલ જેવી પત્ની મેળવવા બદલ ગૌરવ અનુભવે છે.
શાબાશ ડિમ્પલ !હું ઇચ્છુ છું કે મારી પત્ની,માતા,બહેનો અને આ બ્લોગ વાંચનાર દરેક મહિલા તારી પાસેથી કંઈક શીખે અને સ્ત્રીત્વનો મહિમા વધારે...!
રવિવાર, 25 એપ્રિલ, 2010
સોમવાર, 19 એપ્રિલ, 2010
શતાબ્દીમાં યાત્રાનો એક યાદગાર અનુભવ
ગુણવત્તા ચીજવસ્તુઓને જુદા પાડે છે.સામાન્ય લાંબા અંતરની ટ્રેનમાં દ્વિતીય વર્ગની બેઠક શ્રેણીની ૨૦૦ રુપિયાથી ઓછી કિંમતની ટીકીટ લઈને તમે આઠ-નવ કલાકમાં અમદાવાદ પહોંચી શકો છો જ્યારે એ.સી. ચેરકાર શ્રેણીની શતાબ્દીની પોણા સાતસો રૂપિયાની ટીકીટ લઈને પણં તમે છ કલાકમાં અમદાવાદ પહોંચી શકો છો.પણ આ એક અનુભવલીધા બાદ તમે સમજી શકશો કે ગુણવત્તા ચીજવસ્તુઓને જુદા પાડે છે.(અને ખિસ્સાને પરવડે તો આ શતાબ્દીનો પ્રવાસ ચોક્કસ માણવા લાયક ખરો!)
થોડા દિવસો પહેલા મારે શતાબ્દીમાં અમદાવાદ જવાનું થયું અને બોરિવલીથી વહેલી સવારે ટ્રેન પકડી એ ક્ષણથી જ મેં આ મુસાફરી માણવાની શરૂઆત કરી દીધી.કદાચ આ ટ્રેનને તાજેતરમાં જ નવા ડબ્બા મળ્યા હતા.હું મારા જે ડબ્બામાં મારી સીટ બૂક કરેલી હતી તેમાં ચડ્યો અને મને એવી લાગણી થઈ જાણે હું વિમાનમાં પ્રવેશ કરી રહ્યો હોઉં.ડબ્બામાં એ.સી. ને કારણે ખુલ્લી બારી ન હતી અને બારીનો કાચ જાડો અને પારદર્શક હતો.પણ બારી ખાસ્સી પહોળી અને બીજી ગાડીઓની સામાન્ય હોય છે તેના કરતા અલગ પ્રકારની હતી.બારી ઉપર સામાન મૂકવા માટે પણ ખાસ પ્રકારના એક્રેલીકના જાડા પારદર્શક સ્ટેન્ડ હતા.બારી પરના ખેંચી શકાય તેવા પડદાંયે સામન્ય રીતે હોય છે તેવા પડદા કરતા અલગ!અંધારામાં વાંચી શકો એ માટે સીટ ઉપર ફક્ત તમારા પૂરતા જ જરૂરી પ્રકાશ ફેંકતી ખાસ લાઈટ્સ,ડબ્બામાંના ટોયલેટ્સ,દરવાજા,બે-બે અને ત્રણ-ત્રણ બેઠકની કતાર અને તેમની વચ્ચેના પેસેજ તેમજ તેના પર પાથરેલી જાજમ આ બધુ ખૂબ જાજરમાન અને ઉત્તમ ગુણવત્તા ધરાવતા હતા જે તમને એવો અનુભવ કરાવે જાણે તમે વિમાનમાં પ્રવાસ ખેડી રહ્યા હોવ.
વસઈ-નાયગાંવ નજીક ટ્રેન સહેજ ધીમી પડી અને બહાર વસઈની ખાડી પરથી પસાર થતી વેળા સુંદર સૂર્યોદયના દર્શન થયા.શતાબ્દીના એ.સી. કોચની જાડા કાચ ધરાવતી પહોળી મોટી બારીમાંથી આ મનોહર દ્રષ્ય ધરાઈને માણવાની ખૂબ મજા પડી.આ જ વખતે ચા પણ આપવામાં આવી એટલે મારા તો એક હાથમાં ચાનો કપ અને બીજા હાથમાં અખબાર.આ અનુભવ યાદગાર રહ્યો અને તેનો અનુભવ કરતા એવી પણ લાગણી થઈ રહી હતી જાણે હું વિદેશની ટ્રેનમાં બેસી પ્રવાસ કરી રહ્યો હોઉં!
હજી ચા પૂરી પણ નહોતી થઈ ત્યાં ઉપમા-નાળિયેરની ચટણી અને બ્રેડ-બટર-જામનો બ્રેકફાસ્ટ આવ્યો.
બાજુની બેઠક પર બેસેલ મારો સહપ્રવાસી મુંબઈનો જ એક યુવાન હતો જેની સાથે મેં પાકિસ્તાનથી લઈને રાજકારણ અને ફિલ્મોથી માંડીને શાળાજીવન જેવા અનેક વિવિધ વિષયો પર ચર્ચા કરવાની મજા માણી.તેણે તેના શળાજીવનની એક અતિ રસપ્રદ પ્રવ્રુત્તિની વાત શેર કરી.તે રાજસ્થાનની એક શાળામાં ભણ્યો હતો જ્યાં એવો નિયમ હતો કે રોજ એક વિદ્યાર્થીએ બીજા બધા વિદ્યાર્થીઓ સમક્ષ એક નાનકડી વાર્તા કહેવાની.આ દ્વારા વિદ્યાર્થીઓને રોજ એક નવી વાર્તા તો સાંભળવા મળતી જ હતી જેનાથી તેમનામાં સારા ગુણો અને સંસ્કારોનું સિંચન થતુ અને જે વિદ્યાર્થી વાર્તા કહે તેને સારા વક્તા બની પોતાનો આત્મવિશ્વાસ વધારવાનું એક ઉત્તમ પ્લેટ્ફોર્મ પણ મળી રહેતું.મને લાગે છે દરેક શાળાએ આ પ્રવ્રુત્તિ અપનાવવી જોઇએ.(કોઇ શાળાના શિક્ષક કે આચાર્ય જો આ બ્લોગ વાંચી રહ્યા હોવ તો આનો તાત્કાલિક અમલ કરવા વિનંતી!)
અમારા રસપ્રદ વાર્તાલાપ વખતે ટ્રેન દ્વારા સમયાંતરે અપાયેલા ચોકલેટ્સ, ફ્રુટજ્યુસના ટેટ્રા પેક વગેરે એ અમને તાજામાજા રાખ્યાં.થોડા સમય બાદ મારા સહપ્રવાસી મિત્રને ઉંઘ ચડી અને તે નિદ્રાધીન થયો.મેં સાથે આણેલું ટૂંકી વાર્તાઓનું પુસ્તક વાંચવુ શરૂ કર્યુ.ત્યાં અમારી પાછળની સીટ પર બેસેલા એક વ્રુદ્ધ સ્ત્રી-પુરુષના સંવાદ મારા કાને પડ્યા.સ્ત્રી ગુજરાતીઓની સ્વભાવગત લાક્ષણિકતાઓ ચર્ચી રહી હતી અને સાથે તેણે શુદ્ધ અંગ્રેજીમાં એમ પણ જણાવ્યું કે તે પોતે ગુજરાતી માધ્યમની શાળામાં ભણી હતી.મને એ સાંભળી નવાઈ લાગી.તેણે વયસ્ક પુરુષ મિત્રને એમ પણ જણાવ્યું કે તેના મુક્ત સમયમાં તેને ગુજરાતી સાહિત્ય વાંચવું ગમે છે.હું આ સન્નારીથી પ્રભાવિત થયો.મારા ઇન્ટરનેટ કોર્નર શ્રેણીના પુસ્તકોની નવી આવ્રુત્તિ બહાર પડવાની હતી અને મારે તેનું પ્રૂફ-રીડીંગ કરવાનું હોવાથી મારા પુસ્તકો પણ મેં સાથે રાખ્યા હતા.તેમાનું એક મેં તે સન્નારીને વાંચવા આપ્યુ અને તેમનો અભિપ્રાય અને કોઈ સુધારાવધારા જણાય તો તે સૂચવવા કહ્યું.તેણે થોડા પાના વાંચ્યા જે તેને ગમ્યા.પુસ્તકના લેખક તરીકે છાપેલા મારા પૂર્ણ નામમાં રહેલા મારા પિતાના નામ પરથી તેણે તેમને તરત ઓળખી કાઢ્યા અને તેણે બાજુમાં બેઠેલા વયસ્ક મહોદયને મારા પિતાની ઓળખ ખ્યાતનામ કલાકાર તરીકે આપી તેમની સાથે ગુજરાતની લોકનાટ્ય કળા ભવાઈ વિષે ગોઠડી માંડી.
બ્રેડસ્ટીક્સ અને બટર સાથે ટમેટાનું સૂપ આવ્યું અને ત્યારબાદ તરત સામાન્ય કહી શકાય એવું બપોરનું ભાણું આવ્યું જે મેં એટલું ધીમે ધીમે આરોગ્યું કે હું આઈસક્રીમ ચૂકી ગયો! સમગ્ર યાત્રા ખૂબ આરામદાયક અને માણવાલાયક રહી પણ ગાડી અમદાવાદ થોભી એ પહેલા મેં યાત્રા દરમ્યાન કરેલા બે નિરીક્ષણે મને થોડો ગંભીરતાપૂર્વક વિચાર કરતો કરી મૂક્યો.મને એ વિચાર અમલમાં મૂકી શકાય એ માટે કોઈ રેલવે સત્તાવાળાને મળવાનું પણ મન થયું પણ એ વિચારો આવ્યા બાદ મને ટ્રેનમાં કોઈ યોગ્ય સત્તાવાળી વ્યક્તિ મળી જ નહિં, એટલે હવે આ વિચારો હું આ બ્લોગ દ્વારા વ્યક્ત કરી રહ્યો છું.એક તો ટ્રેનમાં અપાતી મિનરલ વોટર એટલે કે પીવાના પાણીની પ્લાસ્ટીક બોટલ વિષે.આ બોટલ દરેક યાત્રીની સીટ પર પહેલેથી જ મૂકેલી હોય છે.લગભગ ૭૦ સીટ ધરાવતા એક ડબ્બા ગુણ્યા ૧૨ થી ૧૫ ડબ્બાના કુલ મળીને સાડા આઠસો થી હજારેક યાત્રીને પીવાના પાણીની સરેરાશ એક લેખે ગણીએ તો હજારેક બોટલો આપવામાં આવતી હોય છે.(અને આતો થઈ એક ગાડીની વાત. આવી તો કેટલીય ટ્રેનો રોજ અલગ અલગ માર્ગો પર દોડતી હશે જેમાં કુલ લાખો પ્રવાસીઓને પાણીની બોટલો આપવામાં આવતી હશે.) મેં અમદાવાદ ઉતરતી વખતે નોંધ્યુ કે મોટા ભાગના યાત્રીઓએ ઉતરતી વેળાએ ખાલી બેઠક પર અડધું જ પાણી પીધેલી એ બોટલો ત્યાં જ રહેવા દીધી હતી.હવે જો આ પાણીને બીજા વપરાશમાં ન લેવામાં આવતું હોય તો એ ઘણો મોટો વ્યય ગણાય.આજે આપણે સૌ પાણીની તીવ્ર તંગીનો અનુભવ કરી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં આપણે પાણીનો સભાનતા અને સાવચેતી પૂર્વક ઉપયોગ નહિં કરીએ તો એ દિવસો પણ દૂર નથી જ્યારે આપણે પાણી મેળવવા માટે પણ લાઈનો લગાદવી પડશે અને પાણી મેળવવા માટે પણ પૈસા ચૂકવવા પડશે. આથી જો કોઈ રેલવે સત્તાવાળા કે તેમની સાથે પરોક્ષ રીતે જોડાયેલ કોઈ વ્યક્તિ આ બ્લોગ વાંચી રહી હોય તો તેને હું વિનંતી કરું છું કે પાણી વેડફાય નહિં અને વધેલા પાણીનો બીજા યોગ્ય વપરાશના કાર્યો માટે ઉપયોગ થાય તેવું કરે એ સંદેશ યોગ્ય વ્યક્તિ કે પક્ષ સુધી પહોંચાડે.પાણીની મોટી બોટલ આપવાની જગાએ નાના કદની બોટલ આપવાનું પણ વિચારી શકાય.
બીજું નિરીક્ષણ હતું ભારે બિનજરૂરી વિજળીના વપરાશ સંદર્ભે.મારા ડબ્બામાં લગભગ ૩૦ જેટલી ટ્યુબલાઈટ્સ હતી.હવે તમે જાતે જ ૧૨ - ૧૫ ડબ્બામાં કુલ કેટલી ટ્યુબલાઈટ્સ હશે તે ગણી લો(અને આવી તો બીજી અનેક દિવસ દરમ્યાન દોડતી ટ્રેનોની ટ્યુબલાઈટ્સ પણ ગણતરીમાં લેજો!)હું વહેલી સવારે ટ્રેનમાં ચડ્યો ત્યારથી લઈને બપોરે એક વાગે અમદાવાદ ઉતર્યો ત્યાં સુધી છએક કલાકના ગાળામાં આ ટ્યુબલાઈટ્સ ચાલુ જ હતી.ગાડીમાં કોઈએ પડદો તો બંધ કર્યો જ નહોતો આથી સુર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં ડબ્બામાં પ્રવેશી તેને પ્રકાશિત કરી રહ્યો હતો અને એક પણ ટ્યુબલાઈટની ખરી રીતે તો જરૂર જ નહોતી ત્યારે આખી ગાડીમાંની બધી ટ્યુબલાઈટ્સ બળતી રાખવામાં કેટલી બિનજરૂરી વિજળીનો વ્યય થતો હતો!હવે જો આખા ડબ્બામાં સળંગ ૩૦ ટ્યુબલાઈટ્સની કતારની જગાએ બે ટ્યુબલાઈટ્સ વચ્ચે થોડું અંતર જાળવી કુલ ટ્યુબલાઈટ્સની સંખ્યા અડધી કરી નાંખવામાં આવે, સામાન્ય ટ્યુબલાઈટ્સની જગાએ ખાસ પ્રકારની ઓછી વિજળી વાપરતી ટ્યુબલાઈટ્સ વાપરવામાં આવે તેમજ દિવસ દરમ્યાન આ ટ્યુબલાઈટ્સ બંધ જ રાખવામાં આવે તો ઘણા મોટા પ્રમાણમાં વિજળી/ઉર્જાની બચત કરી શકાય.મારો આ સંદેશ પણ યોગ્ય વ્યક્તિ કે પક્ષ સુધી પહોંચશે તો આ બ્લોગ સાર્થક થશે. આપણે સૌએ હવે જવાબદાર નાગરિક બનવાની જરૂર છે અને મૂલ્યવાન એવા પાણી અને વિજળી જેવા ઉર્જાસ્રોતોનો વિચારપૂર્વક ઉપયોગ કરવાની શરૂઆત કરવાની જરૂર છે તો જ આપણે આપણા સૌની પ્રિય એવી પ્રુથ્વીમાતા પર આપણું જીવન લાંબા ગાળા સુધી ટકાવી શકીશું.
થોડા દિવસો પહેલા મારે શતાબ્દીમાં અમદાવાદ જવાનું થયું અને બોરિવલીથી વહેલી સવારે ટ્રેન પકડી એ ક્ષણથી જ મેં આ મુસાફરી માણવાની શરૂઆત કરી દીધી.કદાચ આ ટ્રેનને તાજેતરમાં જ નવા ડબ્બા મળ્યા હતા.હું મારા જે ડબ્બામાં મારી સીટ બૂક કરેલી હતી તેમાં ચડ્યો અને મને એવી લાગણી થઈ જાણે હું વિમાનમાં પ્રવેશ કરી રહ્યો હોઉં.ડબ્બામાં એ.સી. ને કારણે ખુલ્લી બારી ન હતી અને બારીનો કાચ જાડો અને પારદર્શક હતો.પણ બારી ખાસ્સી પહોળી અને બીજી ગાડીઓની સામાન્ય હોય છે તેના કરતા અલગ પ્રકારની હતી.બારી ઉપર સામાન મૂકવા માટે પણ ખાસ પ્રકારના એક્રેલીકના જાડા પારદર્શક સ્ટેન્ડ હતા.બારી પરના ખેંચી શકાય તેવા પડદાંયે સામન્ય રીતે હોય છે તેવા પડદા કરતા અલગ!અંધારામાં વાંચી શકો એ માટે સીટ ઉપર ફક્ત તમારા પૂરતા જ જરૂરી પ્રકાશ ફેંકતી ખાસ લાઈટ્સ,ડબ્બામાંના ટોયલેટ્સ,દરવાજા,બે-બે અને ત્રણ-ત્રણ બેઠકની કતાર અને તેમની વચ્ચેના પેસેજ તેમજ તેના પર પાથરેલી જાજમ આ બધુ ખૂબ જાજરમાન અને ઉત્તમ ગુણવત્તા ધરાવતા હતા જે તમને એવો અનુભવ કરાવે જાણે તમે વિમાનમાં પ્રવાસ ખેડી રહ્યા હોવ.
વસઈ-નાયગાંવ નજીક ટ્રેન સહેજ ધીમી પડી અને બહાર વસઈની ખાડી પરથી પસાર થતી વેળા સુંદર સૂર્યોદયના દર્શન થયા.શતાબ્દીના એ.સી. કોચની જાડા કાચ ધરાવતી પહોળી મોટી બારીમાંથી આ મનોહર દ્રષ્ય ધરાઈને માણવાની ખૂબ મજા પડી.આ જ વખતે ચા પણ આપવામાં આવી એટલે મારા તો એક હાથમાં ચાનો કપ અને બીજા હાથમાં અખબાર.આ અનુભવ યાદગાર રહ્યો અને તેનો અનુભવ કરતા એવી પણ લાગણી થઈ રહી હતી જાણે હું વિદેશની ટ્રેનમાં બેસી પ્રવાસ કરી રહ્યો હોઉં!
હજી ચા પૂરી પણ નહોતી થઈ ત્યાં ઉપમા-નાળિયેરની ચટણી અને બ્રેડ-બટર-જામનો બ્રેકફાસ્ટ આવ્યો.
બાજુની બેઠક પર બેસેલ મારો સહપ્રવાસી મુંબઈનો જ એક યુવાન હતો જેની સાથે મેં પાકિસ્તાનથી લઈને રાજકારણ અને ફિલ્મોથી માંડીને શાળાજીવન જેવા અનેક વિવિધ વિષયો પર ચર્ચા કરવાની મજા માણી.તેણે તેના શળાજીવનની એક અતિ રસપ્રદ પ્રવ્રુત્તિની વાત શેર કરી.તે રાજસ્થાનની એક શાળામાં ભણ્યો હતો જ્યાં એવો નિયમ હતો કે રોજ એક વિદ્યાર્થીએ બીજા બધા વિદ્યાર્થીઓ સમક્ષ એક નાનકડી વાર્તા કહેવાની.આ દ્વારા વિદ્યાર્થીઓને રોજ એક નવી વાર્તા તો સાંભળવા મળતી જ હતી જેનાથી તેમનામાં સારા ગુણો અને સંસ્કારોનું સિંચન થતુ અને જે વિદ્યાર્થી વાર્તા કહે તેને સારા વક્તા બની પોતાનો આત્મવિશ્વાસ વધારવાનું એક ઉત્તમ પ્લેટ્ફોર્મ પણ મળી રહેતું.મને લાગે છે દરેક શાળાએ આ પ્રવ્રુત્તિ અપનાવવી જોઇએ.(કોઇ શાળાના શિક્ષક કે આચાર્ય જો આ બ્લોગ વાંચી રહ્યા હોવ તો આનો તાત્કાલિક અમલ કરવા વિનંતી!)
અમારા રસપ્રદ વાર્તાલાપ વખતે ટ્રેન દ્વારા સમયાંતરે અપાયેલા ચોકલેટ્સ, ફ્રુટજ્યુસના ટેટ્રા પેક વગેરે એ અમને તાજામાજા રાખ્યાં.થોડા સમય બાદ મારા સહપ્રવાસી મિત્રને ઉંઘ ચડી અને તે નિદ્રાધીન થયો.મેં સાથે આણેલું ટૂંકી વાર્તાઓનું પુસ્તક વાંચવુ શરૂ કર્યુ.ત્યાં અમારી પાછળની સીટ પર બેસેલા એક વ્રુદ્ધ સ્ત્રી-પુરુષના સંવાદ મારા કાને પડ્યા.સ્ત્રી ગુજરાતીઓની સ્વભાવગત લાક્ષણિકતાઓ ચર્ચી રહી હતી અને સાથે તેણે શુદ્ધ અંગ્રેજીમાં એમ પણ જણાવ્યું કે તે પોતે ગુજરાતી માધ્યમની શાળામાં ભણી હતી.મને એ સાંભળી નવાઈ લાગી.તેણે વયસ્ક પુરુષ મિત્રને એમ પણ જણાવ્યું કે તેના મુક્ત સમયમાં તેને ગુજરાતી સાહિત્ય વાંચવું ગમે છે.હું આ સન્નારીથી પ્રભાવિત થયો.મારા ઇન્ટરનેટ કોર્નર શ્રેણીના પુસ્તકોની નવી આવ્રુત્તિ બહાર પડવાની હતી અને મારે તેનું પ્રૂફ-રીડીંગ કરવાનું હોવાથી મારા પુસ્તકો પણ મેં સાથે રાખ્યા હતા.તેમાનું એક મેં તે સન્નારીને વાંચવા આપ્યુ અને તેમનો અભિપ્રાય અને કોઈ સુધારાવધારા જણાય તો તે સૂચવવા કહ્યું.તેણે થોડા પાના વાંચ્યા જે તેને ગમ્યા.પુસ્તકના લેખક તરીકે છાપેલા મારા પૂર્ણ નામમાં રહેલા મારા પિતાના નામ પરથી તેણે તેમને તરત ઓળખી કાઢ્યા અને તેણે બાજુમાં બેઠેલા વયસ્ક મહોદયને મારા પિતાની ઓળખ ખ્યાતનામ કલાકાર તરીકે આપી તેમની સાથે ગુજરાતની લોકનાટ્ય કળા ભવાઈ વિષે ગોઠડી માંડી.
બ્રેડસ્ટીક્સ અને બટર સાથે ટમેટાનું સૂપ આવ્યું અને ત્યારબાદ તરત સામાન્ય કહી શકાય એવું બપોરનું ભાણું આવ્યું જે મેં એટલું ધીમે ધીમે આરોગ્યું કે હું આઈસક્રીમ ચૂકી ગયો! સમગ્ર યાત્રા ખૂબ આરામદાયક અને માણવાલાયક રહી પણ ગાડી અમદાવાદ થોભી એ પહેલા મેં યાત્રા દરમ્યાન કરેલા બે નિરીક્ષણે મને થોડો ગંભીરતાપૂર્વક વિચાર કરતો કરી મૂક્યો.મને એ વિચાર અમલમાં મૂકી શકાય એ માટે કોઈ રેલવે સત્તાવાળાને મળવાનું પણ મન થયું પણ એ વિચારો આવ્યા બાદ મને ટ્રેનમાં કોઈ યોગ્ય સત્તાવાળી વ્યક્તિ મળી જ નહિં, એટલે હવે આ વિચારો હું આ બ્લોગ દ્વારા વ્યક્ત કરી રહ્યો છું.એક તો ટ્રેનમાં અપાતી મિનરલ વોટર એટલે કે પીવાના પાણીની પ્લાસ્ટીક બોટલ વિષે.આ બોટલ દરેક યાત્રીની સીટ પર પહેલેથી જ મૂકેલી હોય છે.લગભગ ૭૦ સીટ ધરાવતા એક ડબ્બા ગુણ્યા ૧૨ થી ૧૫ ડબ્બાના કુલ મળીને સાડા આઠસો થી હજારેક યાત્રીને પીવાના પાણીની સરેરાશ એક લેખે ગણીએ તો હજારેક બોટલો આપવામાં આવતી હોય છે.(અને આતો થઈ એક ગાડીની વાત. આવી તો કેટલીય ટ્રેનો રોજ અલગ અલગ માર્ગો પર દોડતી હશે જેમાં કુલ લાખો પ્રવાસીઓને પાણીની બોટલો આપવામાં આવતી હશે.) મેં અમદાવાદ ઉતરતી વખતે નોંધ્યુ કે મોટા ભાગના યાત્રીઓએ ઉતરતી વેળાએ ખાલી બેઠક પર અડધું જ પાણી પીધેલી એ બોટલો ત્યાં જ રહેવા દીધી હતી.હવે જો આ પાણીને બીજા વપરાશમાં ન લેવામાં આવતું હોય તો એ ઘણો મોટો વ્યય ગણાય.આજે આપણે સૌ પાણીની તીવ્ર તંગીનો અનુભવ કરી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં આપણે પાણીનો સભાનતા અને સાવચેતી પૂર્વક ઉપયોગ નહિં કરીએ તો એ દિવસો પણ દૂર નથી જ્યારે આપણે પાણી મેળવવા માટે પણ લાઈનો લગાદવી પડશે અને પાણી મેળવવા માટે પણ પૈસા ચૂકવવા પડશે. આથી જો કોઈ રેલવે સત્તાવાળા કે તેમની સાથે પરોક્ષ રીતે જોડાયેલ કોઈ વ્યક્તિ આ બ્લોગ વાંચી રહી હોય તો તેને હું વિનંતી કરું છું કે પાણી વેડફાય નહિં અને વધેલા પાણીનો બીજા યોગ્ય વપરાશના કાર્યો માટે ઉપયોગ થાય તેવું કરે એ સંદેશ યોગ્ય વ્યક્તિ કે પક્ષ સુધી પહોંચાડે.પાણીની મોટી બોટલ આપવાની જગાએ નાના કદની બોટલ આપવાનું પણ વિચારી શકાય.
બીજું નિરીક્ષણ હતું ભારે બિનજરૂરી વિજળીના વપરાશ સંદર્ભે.મારા ડબ્બામાં લગભગ ૩૦ જેટલી ટ્યુબલાઈટ્સ હતી.હવે તમે જાતે જ ૧૨ - ૧૫ ડબ્બામાં કુલ કેટલી ટ્યુબલાઈટ્સ હશે તે ગણી લો(અને આવી તો બીજી અનેક દિવસ દરમ્યાન દોડતી ટ્રેનોની ટ્યુબલાઈટ્સ પણ ગણતરીમાં લેજો!)હું વહેલી સવારે ટ્રેનમાં ચડ્યો ત્યારથી લઈને બપોરે એક વાગે અમદાવાદ ઉતર્યો ત્યાં સુધી છએક કલાકના ગાળામાં આ ટ્યુબલાઈટ્સ ચાલુ જ હતી.ગાડીમાં કોઈએ પડદો તો બંધ કર્યો જ નહોતો આથી સુર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં ડબ્બામાં પ્રવેશી તેને પ્રકાશિત કરી રહ્યો હતો અને એક પણ ટ્યુબલાઈટની ખરી રીતે તો જરૂર જ નહોતી ત્યારે આખી ગાડીમાંની બધી ટ્યુબલાઈટ્સ બળતી રાખવામાં કેટલી બિનજરૂરી વિજળીનો વ્યય થતો હતો!હવે જો આખા ડબ્બામાં સળંગ ૩૦ ટ્યુબલાઈટ્સની કતારની જગાએ બે ટ્યુબલાઈટ્સ વચ્ચે થોડું અંતર જાળવી કુલ ટ્યુબલાઈટ્સની સંખ્યા અડધી કરી નાંખવામાં આવે, સામાન્ય ટ્યુબલાઈટ્સની જગાએ ખાસ પ્રકારની ઓછી વિજળી વાપરતી ટ્યુબલાઈટ્સ વાપરવામાં આવે તેમજ દિવસ દરમ્યાન આ ટ્યુબલાઈટ્સ બંધ જ રાખવામાં આવે તો ઘણા મોટા પ્રમાણમાં વિજળી/ઉર્જાની બચત કરી શકાય.મારો આ સંદેશ પણ યોગ્ય વ્યક્તિ કે પક્ષ સુધી પહોંચશે તો આ બ્લોગ સાર્થક થશે. આપણે સૌએ હવે જવાબદાર નાગરિક બનવાની જરૂર છે અને મૂલ્યવાન એવા પાણી અને વિજળી જેવા ઉર્જાસ્રોતોનો વિચારપૂર્વક ઉપયોગ કરવાની શરૂઆત કરવાની જરૂર છે તો જ આપણે આપણા સૌની પ્રિય એવી પ્રુથ્વીમાતા પર આપણું જીવન લાંબા ગાળા સુધી ટકાવી શકીશું.
લેબલ્સ:
"save power",
"save water",
Shataabdee,
Shataabdi
ગુરુવાર, 15 એપ્રિલ, 2010
સંગીત
કોઈ મને પૂછે કે મને શેનો શેનો શોખ છે તો મારા જવાબમાં સંગીત અચૂક હોય! સંગીતનો શોખ કદાચ મને ગળથૂથીમાં મળ્યો છે એમ કહી શકાય.મારા વડદાદા,દાદા,પિતા અને કાકાઓ સૌ સંગીતના રસિયા જ નહિં પણ વ્યવસાયિક ધોરણે પણ સંગીતના ક્ષેત્ર સાથે સંકળાયેલા રહ્યા છે.હું ભલે હજી સુધી વ્યવસ્થિત તાલીમ લઈ સંગીત શીખી શક્યો નથી પણ એક દિવસ ચોક્કસ વ્યવસ્થિત તાલીમ લઈ ગાતા અને એકાદ વાજિંત્ર વગાડતા શિખવાની ઇચ્છા મારા મનમાં હજી સચવાઈને પડેલી છે ખરી!
સંગીતમાં ચોક્કસ એક જાદુ છે.તે મૂડ સુધારવાની તાકાત તો ધરાવે જ છે પણ એથીયે વિશેશ તમે જ્યારે દુખી હોવ અને એકાંત ઇચ્છતા હોવ ત્યારે પણ તે તમારો મિત્ર બનવાની ક્ષમતા ધરાવે છે અને તમને એ પરિસ્થિતીમાં ટકી રહેવાનું બળ પૂરુ પાડે છે. હું જ્યારે શાંતિથી મારું મનપસંદ એવું કોઇ ગીત કે સંગીત સાંભળું છું ત્યારે હું એક અજબની ધ્રુજારી, અજબના સ્પંદનો અનુભવું છું.એ ત્યારે મારા હ્રદયને ઝંકૃત કરી મૂકે છે, મારા મસ્તિષ્કના કોઈક એવા કોષોને સ્પર્શે છે જે મને સ્વર્ગીય સુખની અનૂભુતિ કરાવે છે.
એ. આર. રહેમાન મારા સૌથી પ્રિય સંગીતકાર છે. તેમના કેટલાક ગીતો સાંભળતી વખતે એટલા સમય માટે હું આ દુનિયાથી ક્યાંક દૂર ચાલ્યો જાઉં છું. રહેમાનના સંગીતમાં એવું કોઈક ઇશ્વરીય તત્વ છે જે સીધુ મારા (અને ગયા વર્ષે ઓસ્કાર જીત્યા બાદ તો વિશ્વભરના લાખો લોકોના) હ્રદયને સ્પર્શે છે.તેમનું 'રોજા','બોમ્બે', 'તાલ',’ ૧૯૪૭ અર્થ’, 'રંગીલા','સપને','દિલ સે' જેવી ભારતીય ફિલ્મનું સંગીત હોય કે 'બોમ્બે ડ્રીમ્સ' કે 'જય હો'જેવી આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે રચેલું સંગીત હોય, એ બીજા બધા સંગીતકારોના સંગીત કરતા જુદું જ તરી આવે છે જેમા રહેમાનની એક વિશેષ છાંટ સાંભળવા, અનુભવવા મળે છે.
કેટલાક ગીતો રાતે સાંભળવા ગમે એવા હોય છે તો કેટલાક વહેલી સવારે.મારા પપ્પાને પણ સંગીતનો જબરો શોખ છે.તે સવારે ઉઠી ભજનની કેસેટ કે રેડિયો ચાલુ કરી પાછા બેડ પર આડા પડી સંગીત માણે છે. આંખો બંધ હોય પણ તેમના એક પગ પર ચડાવેલ બીજા પગ નો અંગૂઠો, વાગતા ગીત સાથે તાલ મિલાવતો હલતો જોવો એ મારો નિત્યક્રમ છે! અમારા ઘરે આઠ થી દસ જૂદાજૂદા રેડિયા-ટેપ રેકોર્ડર-સીડી પ્લેયર હશે! દિવસના મોટા ભાગ દરમ્યાન મારા ઘરમાં સંગીત રણકતુ જ રહેતું હોય છે. મારી બહેનો અને પત્ની પણ સંગીતના ખૂબ શોખીન છે. મમ્મીને જ સંગીતમાં ખાસ રસ ન હોવાથી પપ્પા ક્યારેક તેને ઔરંગઝેબ કહી ને ચિડવે છે!
મારા ઘરે વાગતા પ્રભાતિયામાં મારુ સૌથી પ્રિય ગીત છે 'જળ કમળ છાંડી જા ને બાળા સ્વામી અમારો જાગશે...'. એ સાંભળતી વેળાએ હું મનમાં નૃત્ય અચૂક કરી લઉં છું! ઘણી વાર આ ગીત પર કૃષ્ણ બની નાગની ફેણ પર ચડી લાઈવ પરફોર્મ કરવાની એક અદમ્ય ઇચ્છા થઈ આવે છે! લતાબાઈના કંઠે ગવાયેલા ભજનો કે બીજા કેટલાક ગુજારાતી પ્રાર્થના કે ભક્તિગીત સાંભળી દિવસની શરૂઆત થાય એથી વધુ સારું બીજુ શું હોઈ શકે? રાતે મને જમ્યા પછી વોક લેતી વખતે ધીમુ કે શાંત પ્રકારનું સંગીત સાંભળવું ગમે છે.
'એ દિલે નાદાન...' કે 'ચુપકે સે લગ જા ગલે રાત કી ચાદર તલે...' જેવુ. ખાસ સ્થળોએ ખાસ પ્રકારનું સંગીત સાંભળવાની પણ મજા જ કંઈક જૂદી હોય.જેમકે પર્વતપરના કોઈક સ્થળે ૧૯૪૨ અ લવ સ્ટોરીનું 'ક્યુ નયે લગ રહે હૈ...' કે લકી અલીનું 'ગોરી તેરી આંખે કહે..' મને યાદ છે એન્જિનીયરીંગ ડીગ્રી વખતે વાંગણી ખાતે આકાશદર્શન માટે ફિલ્ડટ્રીપમાં ગયેલો ત્યારે આખી રાત અંધારામાં ખુલ્લા ખેતરમાં ઘાસ પર સૂતા સૂતા તારાઓ નિહાળતી વખતે માચીસ ફિલ્મના ગીતો અને બીજા મારા પ્રિય ગીતો સાંભળતી વખતની એ ક્ષણો આજે પણ યાદ આવે ત્યારે એ ક્ષણો એ અનુભવેલી અનેરી અવર્ણનીય સુખની અનુભૂતિ ફરી મુખ પર સ્મિત રેલાવી જાય છે. આવી તો બીજી પણ ઘણી યાદો છે - જેમકે લોહગઢની ઓવરનાઈટ ટ્રેકિંગ વખતે સાંભળેલા ગીતો અને પર્વતની ટોચે ગુફા બહાર વહેલી સવારે સુર્યોદય વેળાએ ભૈરવી ફિલ્મનું 'ૐ નમ: શિવાય..' ગીત કે હરિશ્ચંદ્રગઢની મુશ્કેલ ઓવરનાઈટ ટ્રેક વખતે રાત્રે ગાયેલા અને સાંભળેલા અને પાછા ફરતી વેળાએ માર્ગમાં વચ્ચે થોભી થોભીને સાંભળેલા ગીતોએ મનમાં જે સ્પંદનો અને લાગણીઓ ઉભા કરેલા તે પણ હું આજેય એવા જ અનુભવી શકુ છું. ક્યારેક ઘરે પણ એકલો મારી રૂમમાં કે ગેલેરીમાં ઉભાઉભા ‘તક્ષક’ કે ‘લેકિન’ કે ‘રુદાલી’ના ગીતો સાંભળવા ખૂબ ગમે તો ક્યારેક ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘દેવદાસ’, ‘સાવરિયા’,’ઝુબેદા’,‘મીનાક્ષી’ ના સુમધુર ગીતો તો વળી ક્યારેક ‘સરદારી બેગમ’ની ઠૂમરીઓ પણ સાંભળવા એટલા જ ગમે!
મને દક્ષિણ ભારતીય સંગીત કે કાર્ણાટિક સંગીત પ્રત્યે પણ અપ્રતિમ લગાવ છે. ‘મોર્નિંગ રાગા’ ફિલ્મની તરજો જ મારા હાલના મોબાઈલ રીંગ અને મેસેજ ટોન પર ગૂંજે છે. આ સંગીત પણ સીધુ મારા આત્મા સાથે જોડાય છે, મને અદભૂત માનસિક શાંતિ આપે છે, મને એક નવી જ દુનિયામાં લઈ જાય છે.આ પ્રદેશની સંસ્કૃતિ,રીતભાત,મંદિરો,પરંપરાઓ અને સંગીત બધા સાથે હું કોઈ અજબ પ્રકારની આત્મિયતા ધરાવું છું, જાણે કોઈક પૂર્વ ભવનું લેણું ન હોય એ બધા સાથે મારું એમ! દક્ષિણ ભારતમાં સંગીતનું એક અનેરું મહત્વ છે. ત્યાં કુટુંબોમાં બાળકોને નાનપણથી શાસ્ત્રીય સંગીતની તાલીમ અપાય છે અને તેઓ એક ચોક્કસ સ્તર સુધી નું સંગીત શીખીલે ત્યાર બાદ તેમનું પ્રથમ જાહેર પ્રદર્શન ત્યાંના એકાદ મંદિરમાં યોજાય છે. આવા એક-બે કાર્યક્રમ માણવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું છે અને એ દરેક વખતે એક અનેરા ભક્તિભાવમાં તરબોળ થઈ અનેરી ધન્યતા અનુભવી છે મેં. ત્યાંની સ્ત્રીઓ માટલાનો વાજિંત્ર તરીકે સુંદર પ્રયોગ કરી જાણે છે અને ત્યાંની સ્ત્રીઓ શરણાઈ,ઢોલક કે સિતાર,વાંસળી જેવા દરેક પ્રકારના વાદ્યો લયબદ્ધ રીતે વગાડી જાણે છે - તેમાં પારંગત હોય છે. આપણે ત્યાંની ફાલ્ગુની પાઠક નો ઝીણો અવાજ તો મને ગમે જ છે પણ તેની સાથે નવરાત્રિમાં રાસ-ગરબાની રમઝટ બોલાવનાર હેમાંગિની જેવો ભાતિગળ ઘેરો અવાજ મને વિશેષ પ્રિય છે અને એટલે જ કદાચ આવા સ્વરમાં ગવાયેલા હાલના 'ઇક તારા....' અને 'સસુરાલ ગેંદા ફૂલ...' જેવા ગીત પણ મને બેહદ પ્રિય છે.
સૂફી સંગીત, નાટ્ય સંગીત, શાસ્ત્રીય સંગીત વગેરે અનેક પ્રકારના સંગીતની વાત અને મીઠાશ જ નિરાળાં છે.
સંગીતનો મહિમા અને તે મને જે હદે પ્રિય છે તેનું વર્ણન કદાચ એક બ્લોગમાં કરવું અશક્ય છે.પણ જેની શરૂઆત થાય તેનો અંત પણ નિશ્ચિત જ હોય એ લેખે આ બ્લોગ સંગીત ને અંજલિ આપતા પૂર્ણ કરુ છું.
સંગીતમાં ચોક્કસ એક જાદુ છે.તે મૂડ સુધારવાની તાકાત તો ધરાવે જ છે પણ એથીયે વિશેશ તમે જ્યારે દુખી હોવ અને એકાંત ઇચ્છતા હોવ ત્યારે પણ તે તમારો મિત્ર બનવાની ક્ષમતા ધરાવે છે અને તમને એ પરિસ્થિતીમાં ટકી રહેવાનું બળ પૂરુ પાડે છે. હું જ્યારે શાંતિથી મારું મનપસંદ એવું કોઇ ગીત કે સંગીત સાંભળું છું ત્યારે હું એક અજબની ધ્રુજારી, અજબના સ્પંદનો અનુભવું છું.એ ત્યારે મારા હ્રદયને ઝંકૃત કરી મૂકે છે, મારા મસ્તિષ્કના કોઈક એવા કોષોને સ્પર્શે છે જે મને સ્વર્ગીય સુખની અનૂભુતિ કરાવે છે.
એ. આર. રહેમાન મારા સૌથી પ્રિય સંગીતકાર છે. તેમના કેટલાક ગીતો સાંભળતી વખતે એટલા સમય માટે હું આ દુનિયાથી ક્યાંક દૂર ચાલ્યો જાઉં છું. રહેમાનના સંગીતમાં એવું કોઈક ઇશ્વરીય તત્વ છે જે સીધુ મારા (અને ગયા વર્ષે ઓસ્કાર જીત્યા બાદ તો વિશ્વભરના લાખો લોકોના) હ્રદયને સ્પર્શે છે.તેમનું 'રોજા','બોમ્બે', 'તાલ',’ ૧૯૪૭ અર્થ’, 'રંગીલા','સપને','દિલ સે' જેવી ભારતીય ફિલ્મનું સંગીત હોય કે 'બોમ્બે ડ્રીમ્સ' કે 'જય હો'જેવી આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે રચેલું સંગીત હોય, એ બીજા બધા સંગીતકારોના સંગીત કરતા જુદું જ તરી આવે છે જેમા રહેમાનની એક વિશેષ છાંટ સાંભળવા, અનુભવવા મળે છે.
કેટલાક ગીતો રાતે સાંભળવા ગમે એવા હોય છે તો કેટલાક વહેલી સવારે.મારા પપ્પાને પણ સંગીતનો જબરો શોખ છે.તે સવારે ઉઠી ભજનની કેસેટ કે રેડિયો ચાલુ કરી પાછા બેડ પર આડા પડી સંગીત માણે છે. આંખો બંધ હોય પણ તેમના એક પગ પર ચડાવેલ બીજા પગ નો અંગૂઠો, વાગતા ગીત સાથે તાલ મિલાવતો હલતો જોવો એ મારો નિત્યક્રમ છે! અમારા ઘરે આઠ થી દસ જૂદાજૂદા રેડિયા-ટેપ રેકોર્ડર-સીડી પ્લેયર હશે! દિવસના મોટા ભાગ દરમ્યાન મારા ઘરમાં સંગીત રણકતુ જ રહેતું હોય છે. મારી બહેનો અને પત્ની પણ સંગીતના ખૂબ શોખીન છે. મમ્મીને જ સંગીતમાં ખાસ રસ ન હોવાથી પપ્પા ક્યારેક તેને ઔરંગઝેબ કહી ને ચિડવે છે!
મારા ઘરે વાગતા પ્રભાતિયામાં મારુ સૌથી પ્રિય ગીત છે 'જળ કમળ છાંડી જા ને બાળા સ્વામી અમારો જાગશે...'. એ સાંભળતી વેળાએ હું મનમાં નૃત્ય અચૂક કરી લઉં છું! ઘણી વાર આ ગીત પર કૃષ્ણ બની નાગની ફેણ પર ચડી લાઈવ પરફોર્મ કરવાની એક અદમ્ય ઇચ્છા થઈ આવે છે! લતાબાઈના કંઠે ગવાયેલા ભજનો કે બીજા કેટલાક ગુજારાતી પ્રાર્થના કે ભક્તિગીત સાંભળી દિવસની શરૂઆત થાય એથી વધુ સારું બીજુ શું હોઈ શકે? રાતે મને જમ્યા પછી વોક લેતી વખતે ધીમુ કે શાંત પ્રકારનું સંગીત સાંભળવું ગમે છે.
'એ દિલે નાદાન...' કે 'ચુપકે સે લગ જા ગલે રાત કી ચાદર તલે...' જેવુ. ખાસ સ્થળોએ ખાસ પ્રકારનું સંગીત સાંભળવાની પણ મજા જ કંઈક જૂદી હોય.જેમકે પર્વતપરના કોઈક સ્થળે ૧૯૪૨ અ લવ સ્ટોરીનું 'ક્યુ નયે લગ રહે હૈ...' કે લકી અલીનું 'ગોરી તેરી આંખે કહે..' મને યાદ છે એન્જિનીયરીંગ ડીગ્રી વખતે વાંગણી ખાતે આકાશદર્શન માટે ફિલ્ડટ્રીપમાં ગયેલો ત્યારે આખી રાત અંધારામાં ખુલ્લા ખેતરમાં ઘાસ પર સૂતા સૂતા તારાઓ નિહાળતી વખતે માચીસ ફિલ્મના ગીતો અને બીજા મારા પ્રિય ગીતો સાંભળતી વખતની એ ક્ષણો આજે પણ યાદ આવે ત્યારે એ ક્ષણો એ અનુભવેલી અનેરી અવર્ણનીય સુખની અનુભૂતિ ફરી મુખ પર સ્મિત રેલાવી જાય છે. આવી તો બીજી પણ ઘણી યાદો છે - જેમકે લોહગઢની ઓવરનાઈટ ટ્રેકિંગ વખતે સાંભળેલા ગીતો અને પર્વતની ટોચે ગુફા બહાર વહેલી સવારે સુર્યોદય વેળાએ ભૈરવી ફિલ્મનું 'ૐ નમ: શિવાય..' ગીત કે હરિશ્ચંદ્રગઢની મુશ્કેલ ઓવરનાઈટ ટ્રેક વખતે રાત્રે ગાયેલા અને સાંભળેલા અને પાછા ફરતી વેળાએ માર્ગમાં વચ્ચે થોભી થોભીને સાંભળેલા ગીતોએ મનમાં જે સ્પંદનો અને લાગણીઓ ઉભા કરેલા તે પણ હું આજેય એવા જ અનુભવી શકુ છું. ક્યારેક ઘરે પણ એકલો મારી રૂમમાં કે ગેલેરીમાં ઉભાઉભા ‘તક્ષક’ કે ‘લેકિન’ કે ‘રુદાલી’ના ગીતો સાંભળવા ખૂબ ગમે તો ક્યારેક ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘દેવદાસ’, ‘સાવરિયા’,’ઝુબેદા’,‘મીનાક્ષી’ ના સુમધુર ગીતો તો વળી ક્યારેક ‘સરદારી બેગમ’ની ઠૂમરીઓ પણ સાંભળવા એટલા જ ગમે!
મને દક્ષિણ ભારતીય સંગીત કે કાર્ણાટિક સંગીત પ્રત્યે પણ અપ્રતિમ લગાવ છે. ‘મોર્નિંગ રાગા’ ફિલ્મની તરજો જ મારા હાલના મોબાઈલ રીંગ અને મેસેજ ટોન પર ગૂંજે છે. આ સંગીત પણ સીધુ મારા આત્મા સાથે જોડાય છે, મને અદભૂત માનસિક શાંતિ આપે છે, મને એક નવી જ દુનિયામાં લઈ જાય છે.આ પ્રદેશની સંસ્કૃતિ,રીતભાત,મંદિરો,પરંપરાઓ અને સંગીત બધા સાથે હું કોઈ અજબ પ્રકારની આત્મિયતા ધરાવું છું, જાણે કોઈક પૂર્વ ભવનું લેણું ન હોય એ બધા સાથે મારું એમ! દક્ષિણ ભારતમાં સંગીતનું એક અનેરું મહત્વ છે. ત્યાં કુટુંબોમાં બાળકોને નાનપણથી શાસ્ત્રીય સંગીતની તાલીમ અપાય છે અને તેઓ એક ચોક્કસ સ્તર સુધી નું સંગીત શીખીલે ત્યાર બાદ તેમનું પ્રથમ જાહેર પ્રદર્શન ત્યાંના એકાદ મંદિરમાં યોજાય છે. આવા એક-બે કાર્યક્રમ માણવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું છે અને એ દરેક વખતે એક અનેરા ભક્તિભાવમાં તરબોળ થઈ અનેરી ધન્યતા અનુભવી છે મેં. ત્યાંની સ્ત્રીઓ માટલાનો વાજિંત્ર તરીકે સુંદર પ્રયોગ કરી જાણે છે અને ત્યાંની સ્ત્રીઓ શરણાઈ,ઢોલક કે સિતાર,વાંસળી જેવા દરેક પ્રકારના વાદ્યો લયબદ્ધ રીતે વગાડી જાણે છે - તેમાં પારંગત હોય છે. આપણે ત્યાંની ફાલ્ગુની પાઠક નો ઝીણો અવાજ તો મને ગમે જ છે પણ તેની સાથે નવરાત્રિમાં રાસ-ગરબાની રમઝટ બોલાવનાર હેમાંગિની જેવો ભાતિગળ ઘેરો અવાજ મને વિશેષ પ્રિય છે અને એટલે જ કદાચ આવા સ્વરમાં ગવાયેલા હાલના 'ઇક તારા....' અને 'સસુરાલ ગેંદા ફૂલ...' જેવા ગીત પણ મને બેહદ પ્રિય છે.
સૂફી સંગીત, નાટ્ય સંગીત, શાસ્ત્રીય સંગીત વગેરે અનેક પ્રકારના સંગીતની વાત અને મીઠાશ જ નિરાળાં છે.
સંગીતનો મહિમા અને તે મને જે હદે પ્રિય છે તેનું વર્ણન કદાચ એક બ્લોગમાં કરવું અશક્ય છે.પણ જેની શરૂઆત થાય તેનો અંત પણ નિશ્ચિત જ હોય એ લેખે આ બ્લોગ સંગીત ને અંજલિ આપતા પૂર્ણ કરુ છું.
શનિવાર, 3 એપ્રિલ, 2010
ગેસ્ટ બ્લોગ : હાચિકો
[ગેસ્ટ પરિચય: મૈત્રેયી મહેતા ઓલ ઇન્ડિયા રેડિયોના ગુજરાતી સમાચાર વિભાગમાં કાર્યરત છે સાથે તેઓ સારા લેખિકા, ગીતકાર અને અભિનેત્રી પણ છે.તેમનો બ્લોગ તમે http://mainakimehta.blogspot.com આ વેબએડ્રેસ પર વાંચી શકો છો.. તમે એમને mainakimehta@yahoo.co.in આ ઇમેલ એડ્રેસ પર ઇમેલ કરી શકો છો. ]
જાપાનના તોક્યો શહેરના પરા : શિબૂયા સ્ટેશનથી બહાર જવાના એક રસ્તાનું નામ છે હાચિકોએક્ઝિટ. આ એક્ઝિટનું નામ હાચિકો કેમ પડ્યુંતેની ખૂબ દિલસ્પર્શ અને રસપ્રદ દાસ્તાનછે. એક જણે એક કૂતરો પળ્યો. નામ પાડ્યું હાચિકો..હાચિકો અને તેના માલિક વચ્ચે ખૂબદોસ્તી.બન્ને એક્બીજા સથે ખૂબ હળીમળી ગયા. આ હાચિકો ખૂબ એક્ટિવ. તેના માલિકે તેનેબહુ સરસ તાલિમ આપી. હાચિકો છાપુ લઈ આવે,પોતાના માલિકના
નાનામોટા ઘણાં કામ કરે. મેરીહેડ એ લિટલ લેમ્બ ની જેમ હાચિકો માલિકની પાછળ પાછળ ફર્યા કરે.માલિક દરરોજ શિબૂયાસ્ટેશન પરથી નોકરી કરવા ટ્રેનમાં જાય. હાચિકોભાઈ માલિકને મૂકવાસ્ટેશન જાય અને સાંજપડે નિશ્ચિત ટાઈમે પાછા સ્ટેશન પર હાજર થઈજાય..
હાચિકો પોતાના માલિકના ઘણા બધા કામ કરે.મેરી હેડ એ લિટલ લેમ્બની જેમ માલિકની પાછળપાછળ ફર્યા કરે.માલિક દર રોજ શિબુયા સ્ટેશન પરથી નોકરી કરવા ટ્રેનમાં બેસીને જાય.હાચિકોભાઈ દરરોજ માલિકને મૂકવા સ્ટેશન સુધી જાય, ટાટા-બાય બાય કરે અને પાછો ઘરેજાય. સાંજે માલિકના પાછા આવવાના ટાઈમે હાચિકો સ્ટેશન પર હાજર થઈ જાય.માલિકનીઆતુરતાપૂર્વક રાહ જુએ.અને જેવા તેના માલિકને જુએ કે બસ પુછો નહી વાત!
બંન્ને જણાએક્બીજાને ખૂબ વ્હાલ કરે અને પછી સાથે ઘરે જાય.દરરોજનો આ ક્રમ! શિબુયા સ્ટેશન પરસહુ આ વાતથી ટેવાઈ ગયા.હાચિકો અને તેના માલિકના આ નિત્યક્રમથી સહુ પરિચિત થઈ ગયા.આમ ઘણો વખત ચાલ્યું.પણ.... કદાચ બંન્નેના પ્રેમને કોઈની નજર લાગી ગઈ.... એક વારમાલિકનું નોકરીના સ્થળે જ અચાનક મ્રુત્યુ થઈ ગયું.અને તે કદી પાછા ફર્યા જ નહી!!હાચિકોભાઈ માલિકની રાહ જોતા જોતા ત્યાં જ બેસી રહ્યા !!
ના ખાધું,નાપીધું....હાચિકોની આતુર આંખો પોતાના માલિકની એક ઝલક જોવા શિબૂયા સ્ટેશનની એ જએક્ઝીટ પર મંડાઈ રહી !! પણ માલિક પાછા આવે શી રીતે?? તે તો ચાલી નીકળ્યા હતા અગમનીયાત્રાએ !! ! !શિબુયા સ્ટેશન પર પણ સહુ આ હ્રદયદ્રાવક દ્રશ્ય જોઈને ગળગળા થઈગયા…
તે દિવસ પછી હાચિકો ખૂબ ઉદાસ રહેવા લાગ્યો.. જાણે પરાણે ના જીવતો હોય,તેમ મૂઢ થઈ ગયો..દરરોજ સાંજે હાચિકો પોતાના મ્રુત માલિકના ઓફિસેથી પાછા આવવાનાટાઈમે શિબુયા સ્ટેશન પર હાજર થઈ જાય, અને માલિકને ના જોતાં નિરાશ થઈને પાછો ચાલ્યોજાય! !આવતાં-જતાં સહુ તેને કંઈ ખવડાવવાની કોશીષ કરે પણ વ્યર્થ !અને એમ ને એમ એકદિવસ હાચિકોએ પોતાના માલિકની યાદમાં ઝુરી ઝુરીને શિબુયા સ્ટેશનની બહાર જ
પ્રાણત્યાગી દીધા !
પોતાના માલિકની યાદમાં પ્રાણ ત્યજી દેનારા આ વફાદર કુતરાનીયાદમાં તોક્યો શહેરના શિબૂયા સ્ટેશનની તે એક્ઝીટનું નામ હાચિકો એક્ઝીટ પડી ગયું.આજે પણ તે એક્ઝીટની બહાર હાચિકો કુતરાનું સ્ટેચ્યુ છે !અને તોક્યો શહેરની મુલાકાતેજનારા પ્રવાસીઓ હાચિકોના સ્ટેચ્યુ સાથે ફોટો જરૂર પડાવે છે !!
- મૈત્રેયી મહેતા, બોરિવલી, મુંબઈ
જાપાનના તોક્યો શહેરના પરા : શિબૂયા સ્ટેશનથી બહાર જવાના એક રસ્તાનું નામ છે હાચિકોએક્ઝિટ. આ એક્ઝિટનું નામ હાચિકો કેમ પડ્યુંતેની ખૂબ દિલસ્પર્શ અને રસપ્રદ દાસ્તાનછે. એક જણે એક કૂતરો પળ્યો. નામ પાડ્યું હાચિકો..હાચિકો અને તેના માલિક વચ્ચે ખૂબદોસ્તી.બન્ને એક્બીજા સથે ખૂબ હળીમળી ગયા. આ હાચિકો ખૂબ એક્ટિવ. તેના માલિકે તેનેબહુ સરસ તાલિમ આપી. હાચિકો છાપુ લઈ આવે,પોતાના માલિકના
નાનામોટા ઘણાં કામ કરે. મેરીહેડ એ લિટલ લેમ્બ ની જેમ હાચિકો માલિકની પાછળ પાછળ ફર્યા કરે.માલિક દરરોજ શિબૂયાસ્ટેશન પરથી નોકરી કરવા ટ્રેનમાં જાય. હાચિકોભાઈ માલિકને મૂકવાસ્ટેશન જાય અને સાંજપડે નિશ્ચિત ટાઈમે પાછા સ્ટેશન પર હાજર થઈજાય..
હાચિકો પોતાના માલિકના ઘણા બધા કામ કરે.મેરી હેડ એ લિટલ લેમ્બની જેમ માલિકની પાછળપાછળ ફર્યા કરે.માલિક દર રોજ શિબુયા સ્ટેશન પરથી નોકરી કરવા ટ્રેનમાં બેસીને જાય.હાચિકોભાઈ દરરોજ માલિકને મૂકવા સ્ટેશન સુધી જાય, ટાટા-બાય બાય કરે અને પાછો ઘરેજાય. સાંજે માલિકના પાછા આવવાના ટાઈમે હાચિકો સ્ટેશન પર હાજર થઈ જાય.માલિકનીઆતુરતાપૂર્વક રાહ જુએ.અને જેવા તેના માલિકને જુએ કે બસ પુછો નહી વાત!

બંન્ને જણાએક્બીજાને ખૂબ વ્હાલ કરે અને પછી સાથે ઘરે જાય.દરરોજનો આ ક્રમ! શિબુયા સ્ટેશન પરસહુ આ વાતથી ટેવાઈ ગયા.હાચિકો અને તેના માલિકના આ નિત્યક્રમથી સહુ પરિચિત થઈ ગયા.આમ ઘણો વખત ચાલ્યું.પણ.... કદાચ બંન્નેના પ્રેમને કોઈની નજર લાગી ગઈ.... એક વારમાલિકનું નોકરીના સ્થળે જ અચાનક મ્રુત્યુ થઈ ગયું.અને તે કદી પાછા ફર્યા જ નહી!!હાચિકોભાઈ માલિકની રાહ જોતા જોતા ત્યાં જ બેસી રહ્યા !!
ના ખાધું,નાપીધું....હાચિકોની આતુર આંખો પોતાના માલિકની એક ઝલક જોવા શિબૂયા સ્ટેશનની એ જએક્ઝીટ પર મંડાઈ રહી !! પણ માલિક પાછા આવે શી રીતે?? તે તો ચાલી નીકળ્યા હતા અગમનીયાત્રાએ !! ! !શિબુયા સ્ટેશન પર પણ સહુ આ હ્રદયદ્રાવક દ્રશ્ય જોઈને ગળગળા થઈગયા…
તે દિવસ પછી હાચિકો ખૂબ ઉદાસ રહેવા લાગ્યો.. જાણે પરાણે ના જીવતો હોય,તેમ મૂઢ થઈ ગયો..દરરોજ સાંજે હાચિકો પોતાના મ્રુત માલિકના ઓફિસેથી પાછા આવવાનાટાઈમે શિબુયા સ્ટેશન પર હાજર થઈ જાય, અને માલિકને ના જોતાં નિરાશ થઈને પાછો ચાલ્યોજાય! !આવતાં-જતાં સહુ તેને કંઈ ખવડાવવાની કોશીષ કરે પણ વ્યર્થ !અને એમ ને એમ એકદિવસ હાચિકોએ પોતાના માલિકની યાદમાં ઝુરી ઝુરીને શિબુયા સ્ટેશનની બહાર જ
પ્રાણત્યાગી દીધા !
પોતાના માલિકની યાદમાં પ્રાણ ત્યજી દેનારા આ વફાદર કુતરાનીયાદમાં તોક્યો શહેરના શિબૂયા સ્ટેશનની તે એક્ઝીટનું નામ હાચિકો એક્ઝીટ પડી ગયું.આજે પણ તે એક્ઝીટની બહાર હાચિકો કુતરાનું સ્ટેચ્યુ છે !અને તોક્યો શહેરની મુલાકાતેજનારા પ્રવાસીઓ હાચિકોના સ્ટેચ્યુ સાથે ફોટો જરૂર પડાવે છે !!
- મૈત્રેયી મહેતા, બોરિવલી, મુંબઈ
મંગળવાર, 23 માર્ચ, 2010
આજકાલના નેતાઓ Vs મહાત્મા ગાંધીજી
માયાવતીનું લાખો રૂપિયાની નોટોનો હાર પહેરી અભિવાદન ઝીલતી તસવીર છાપામાં નજરે પડી.આગળ વાંચ્યું ગયા અઠવાડિયે આ જ માયાવતીને કરોડ રૂપિયા જેટલી કિંમતની ચલણી નોટોનો હાર પહેરાવવામાં આવ્યો હયો અને તેમની પાર્ટીના એક નેતાએ તો જાહેરાત પણ કરી દીધી કે હવે પછીના દરેક જાહેર સમારંભમાં માયાવતીદીદીને આ જ રીતે ચલણી નોટોના હારથી સત્કારવામાં આવશે. આ એ જ માયાવતી છે જે થોડા સમય અગાઉ તેમના રાજ્ય ઉત્તરપ્રદેશમાં કરોડો રૂપિયાના પૂતળા ઉભા કરવા બદલ સમાચારોમાં ચમક્યા હતાં.(ક્યારે આપણાં આજકાલનાં નેતાઓ સાચા અને યોગ્ય કારણસર સમાચારોમાં આવતા થશે?)
મને વિચાર આવ્યો કે ક્યાં આજકાલના નેતાઓ અને ક્યાં આપણાં મહાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી?સમાચારમાં ટાંક્યા મુજબ જ 'દલિત કી બેટી' હવે 'દૌલત કી બેટી' બની ગઈ છે! અને ગાંધીબાપુએ રાષ્ટ્રના ગરીબ લોકો માટે થઈને સામાન્ય વસ્ત્રો પણ ત્યજી દઈ ટૂંકી પોતડી અને ખાદીનું ઉપરણું પહેરવાનું શરૂ કર્યું હતું.માયાવતી એટલે વૈભવસંપત્તિ અને ભપકાનું છડેચોક બેહૂદૂ પ્રદર્શન અને ગાંધીબાપુ એટલે સદાચારની જીવતીજાગતી મૂર્તિ - ખરા અર્થમાં નેતા.બંનેની સરખામણી જ શી રીતે થઈ શકે?
એક બાબત છે કે માયાવતી આ બધું ખુલ્લમખુલ્લા જાહેરમાં કરે છે.(અહિં હું કોઈ પણ રીતે માયાવતીનો પક્ષ નથી લઈ રહ્યો કે તેમણે જે કર્યું તેની તરફદારી પણ નથી કરી રહ્યો.)પણ એવા તો કંઈ કેટલાય રાજકારણીઓનો (તેમના માટે 'નેતા' શબ્દ વાપરવો ઉચિત નહિં ગણાય) જોટો નથી જે લાંચરૂશ્વત લેવાનું કાળું કામ અન્ડર ધ ટેબલ એટલે કે ચોરીછૂપીથી કરતાં હોય છે અને સંપૂર્ણ રીતે ભ્રષ્ટ હોય છે.
આપણે ત્યાં રાજકારણીઓની બીજી પણ એક જમાત છે જેમને હંમેશા સમાચારોમાં ચમકતા રહેવું ગમે છે,ક્ષુલ્લક કે ખોટી બાબતોને લઈને.થોડા દિવસ પહેલા છાપાઓમાં વાંચ્યુ કે મુંબઈની B.N.H.S.(Bombay Nature History Society - પર્યાવરણ અને પશુપંખીઓ સાથે સંકળાયેલી એક ઘણી જૂની સંસ્થા )ના હેડ ક્વાર્ટર ઓફિસમાં તોડફોડ કરી રાત્રે કોઈનું ધ્યાન ન પડે એમ કેટલાક શિવ સૈનિકોએ (આ લોકો પોતાની જાતને સૈનિક કઈ રીતે ઓળખાવે છે એ સમજાતુ નથી.સૈનિક એટલે જે લોકોની રક્ષા કરે જ્યારે આ લોકો તો પોતાના હિતોની જ રક્ષા કરે છે.લોકોની સુરક્ષાનું તેમણે કોઈ કાર્ય કર્યાનું મને તો યાદ નથી આવતું) સંસ્થાના નામ જડેલા અક્ષરોમાંથી 'બોમ્બે' શબ્દ ઉડાડી દઈ તેની જગાએ 'મુંબઈ' શબ્દ મરાઠી ભાષામાં લખેલું પાટિયુ ચોડી દીધું.હવે આનાથી જનતાને શો લાભ થવાનો છે?પણ બસ તેમને આવા છમકલાઓમાં રચ્યાપચ્યા રહી તેમની કહેવાતી મરાઠીલક્ષી ઝૂંબેશની જ્યોત બળતી રાખીને અખબારોનાં પાને ચમક્તા રહેવું છે.વોટ્બેંક પોલિટિક્સ.પણ શું જનતા હવે આવા ગતકડાઓ ન સમજી શકે એટલી નાદાન રહી છે?છેલ્લી ચૂંટણીઓમાં શિવ સેનાને મળેલી મોટી હાર એ બાબતનો સ્પષ્ટ નિર્દેશ કરે છે કે મુંબઈના મરાઠીઓને પણ હવે આવી ક્ષુલ્લક બાબતોમાં રસ નથી.
ઘણાં સમય પહેલા પ્રખ્યાત વિક્ટોરિયા ટર્મિનસ એટલે કે વી.ટી. સ્ટેશનનું નામ મરાઠીપણાની ઝૂંબેશને પગલે જ બદલીને છત્રપતિ શિવાજી ટર્મિનસ (સી.એસ.ટી.) કરી નંખાયુ હતું. આમ છતાં મરાઠી ભાષાના પ્રખર હિમાયતી અને પ્રચારક રાજ ઠાકરે એ તાજેતરમાં ત્યાં એક જાહેર વક્તવ્યમાં એક વાર નહિં પણ વારંવાર સી.એસ.ટી. ને તેના આ નવા મરાઠી નામને બદલે વી.ટી. કહીને જ સંબોધ્યું હતું.આનાથી મોટું બેવડા ધોરણોનું ઉદાહરણ હોઈ શકે બીજું?
રાજની સેના કે શિવ સેનામાંથી કોઈનો ઉદ્દેશ મરાઠીને સાચા અર્થમાં ઉપર લાવવાનો કે જાળવવાનો નથી પણ તેઓ નર્યું વોટબેન્કનું રાજકારણ જ ચલાવી રહ્યાં છે. નહિતર શા માટે રાજનાં પોતાના કે આ સેનાઓના મોટા ભાગના કાર્યકરોનાં સંતાનો મરાઠી માધ્યમને બદલે અંગ્રેજી માધ્યમની શાળામાં ભણે છે? અથવા શા માટે બહારનાં રાજ્યોના લોકોનો વિરોધ કરતા અને સંસ્થાઓ તેમજ સરકાર સમક્ષ સ્થાનિક લોકો માટે નોકરીમાં ૮૦% જેટલા અનામતની માંગણી કરતા આ નેતાઓએ,તાજેતરમાં છપામાં આવેલા એક અહેવાલ મુજબ, પોતાના અંગત કાર્યો માટે પોતાના ઘરોમાં અને ઓફિસોમાં બિન-મરાઠી લોકોને નોકરી પર રાખ્યાં છે?
મહાત્મા ગાંધી જે કહેતા તે પોતે પહેલા આચરણમાં મૂકી બતાવતા.પણ હું શા માટે આજના તદ્દન સામાન્ય અને ભ્રષ્ટ એવા જાડી ચામડીનાં આ રાજકારણીઓની વાત કરતી વેળાએ ગાંધીજી જેવી મહાન પ્રતિભાનો ઉલ્લેખ પણ કરું છું?તેમની વચ્ચે સરખામણી કરવી બિલ્કુલ અયોગ્ય છે.
હું આશા રાખું છું કે આજના રાજકારણમાં કાર્યશીલ યુવા નેતાઓ જેવા કે રાહુલ ગાંધી,સચિન પાયલોટ,મિલિન્દ દેઓરા,અગાથા સંગમા વગેરે આગળ આવે અને સારા કાર્યો થકી આપણાં ભારતને પ્રગતિ અને સફળતાના માર્ગે ખૂબ આગળ અને આગળ લઈ જાય.
મને વિચાર આવ્યો કે ક્યાં આજકાલના નેતાઓ અને ક્યાં આપણાં મહાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી?સમાચારમાં ટાંક્યા મુજબ જ 'દલિત કી બેટી' હવે 'દૌલત કી બેટી' બની ગઈ છે! અને ગાંધીબાપુએ રાષ્ટ્રના ગરીબ લોકો માટે થઈને સામાન્ય વસ્ત્રો પણ ત્યજી દઈ ટૂંકી પોતડી અને ખાદીનું ઉપરણું પહેરવાનું શરૂ કર્યું હતું.માયાવતી એટલે વૈભવસંપત્તિ અને ભપકાનું છડેચોક બેહૂદૂ પ્રદર્શન અને ગાંધીબાપુ એટલે સદાચારની જીવતીજાગતી મૂર્તિ - ખરા અર્થમાં નેતા.બંનેની સરખામણી જ શી રીતે થઈ શકે?
એક બાબત છે કે માયાવતી આ બધું ખુલ્લમખુલ્લા જાહેરમાં કરે છે.(અહિં હું કોઈ પણ રીતે માયાવતીનો પક્ષ નથી લઈ રહ્યો કે તેમણે જે કર્યું તેની તરફદારી પણ નથી કરી રહ્યો.)પણ એવા તો કંઈ કેટલાય રાજકારણીઓનો (તેમના માટે 'નેતા' શબ્દ વાપરવો ઉચિત નહિં ગણાય) જોટો નથી જે લાંચરૂશ્વત લેવાનું કાળું કામ અન્ડર ધ ટેબલ એટલે કે ચોરીછૂપીથી કરતાં હોય છે અને સંપૂર્ણ રીતે ભ્રષ્ટ હોય છે.
આપણે ત્યાં રાજકારણીઓની બીજી પણ એક જમાત છે જેમને હંમેશા સમાચારોમાં ચમકતા રહેવું ગમે છે,ક્ષુલ્લક કે ખોટી બાબતોને લઈને.થોડા દિવસ પહેલા છાપાઓમાં વાંચ્યુ કે મુંબઈની B.N.H.S.(Bombay Nature History Society - પર્યાવરણ અને પશુપંખીઓ સાથે સંકળાયેલી એક ઘણી જૂની સંસ્થા )ના હેડ ક્વાર્ટર ઓફિસમાં તોડફોડ કરી રાત્રે કોઈનું ધ્યાન ન પડે એમ કેટલાક શિવ સૈનિકોએ (આ લોકો પોતાની જાતને સૈનિક કઈ રીતે ઓળખાવે છે એ સમજાતુ નથી.સૈનિક એટલે જે લોકોની રક્ષા કરે જ્યારે આ લોકો તો પોતાના હિતોની જ રક્ષા કરે છે.લોકોની સુરક્ષાનું તેમણે કોઈ કાર્ય કર્યાનું મને તો યાદ નથી આવતું) સંસ્થાના નામ જડેલા અક્ષરોમાંથી 'બોમ્બે' શબ્દ ઉડાડી દઈ તેની જગાએ 'મુંબઈ' શબ્દ મરાઠી ભાષામાં લખેલું પાટિયુ ચોડી દીધું.હવે આનાથી જનતાને શો લાભ થવાનો છે?પણ બસ તેમને આવા છમકલાઓમાં રચ્યાપચ્યા રહી તેમની કહેવાતી મરાઠીલક્ષી ઝૂંબેશની જ્યોત બળતી રાખીને અખબારોનાં પાને ચમક્તા રહેવું છે.વોટ્બેંક પોલિટિક્સ.પણ શું જનતા હવે આવા ગતકડાઓ ન સમજી શકે એટલી નાદાન રહી છે?છેલ્લી ચૂંટણીઓમાં શિવ સેનાને મળેલી મોટી હાર એ બાબતનો સ્પષ્ટ નિર્દેશ કરે છે કે મુંબઈના મરાઠીઓને પણ હવે આવી ક્ષુલ્લક બાબતોમાં રસ નથી.
ઘણાં સમય પહેલા પ્રખ્યાત વિક્ટોરિયા ટર્મિનસ એટલે કે વી.ટી. સ્ટેશનનું નામ મરાઠીપણાની ઝૂંબેશને પગલે જ બદલીને છત્રપતિ શિવાજી ટર્મિનસ (સી.એસ.ટી.) કરી નંખાયુ હતું. આમ છતાં મરાઠી ભાષાના પ્રખર હિમાયતી અને પ્રચારક રાજ ઠાકરે એ તાજેતરમાં ત્યાં એક જાહેર વક્તવ્યમાં એક વાર નહિં પણ વારંવાર સી.એસ.ટી. ને તેના આ નવા મરાઠી નામને બદલે વી.ટી. કહીને જ સંબોધ્યું હતું.આનાથી મોટું બેવડા ધોરણોનું ઉદાહરણ હોઈ શકે બીજું?
રાજની સેના કે શિવ સેનામાંથી કોઈનો ઉદ્દેશ મરાઠીને સાચા અર્થમાં ઉપર લાવવાનો કે જાળવવાનો નથી પણ તેઓ નર્યું વોટબેન્કનું રાજકારણ જ ચલાવી રહ્યાં છે. નહિતર શા માટે રાજનાં પોતાના કે આ સેનાઓના મોટા ભાગના કાર્યકરોનાં સંતાનો મરાઠી માધ્યમને બદલે અંગ્રેજી માધ્યમની શાળામાં ભણે છે? અથવા શા માટે બહારનાં રાજ્યોના લોકોનો વિરોધ કરતા અને સંસ્થાઓ તેમજ સરકાર સમક્ષ સ્થાનિક લોકો માટે નોકરીમાં ૮૦% જેટલા અનામતની માંગણી કરતા આ નેતાઓએ,તાજેતરમાં છપામાં આવેલા એક અહેવાલ મુજબ, પોતાના અંગત કાર્યો માટે પોતાના ઘરોમાં અને ઓફિસોમાં બિન-મરાઠી લોકોને નોકરી પર રાખ્યાં છે?
મહાત્મા ગાંધી જે કહેતા તે પોતે પહેલા આચરણમાં મૂકી બતાવતા.પણ હું શા માટે આજના તદ્દન સામાન્ય અને ભ્રષ્ટ એવા જાડી ચામડીનાં આ રાજકારણીઓની વાત કરતી વેળાએ ગાંધીજી જેવી મહાન પ્રતિભાનો ઉલ્લેખ પણ કરું છું?તેમની વચ્ચે સરખામણી કરવી બિલ્કુલ અયોગ્ય છે.
હું આશા રાખું છું કે આજના રાજકારણમાં કાર્યશીલ યુવા નેતાઓ જેવા કે રાહુલ ગાંધી,સચિન પાયલોટ,મિલિન્દ દેઓરા,અગાથા સંગમા વગેરે આગળ આવે અને સારા કાર્યો થકી આપણાં ભારતને પ્રગતિ અને સફળતાના માર્ગે ખૂબ આગળ અને આગળ લઈ જાય.
લેબલ્સ:
"Mahatma Gandhi",
Gaandhijee,
leaders,
politicians,
politics
રવિવાર, 21 માર્ચ, 2010
મારું માછલીઘર (ભાગ - ૨)
બીજા દિવસે બે મૌલી માછલીઓ મરી ગઈ.મને લાચારી અને ઘોર નિરાશા તથા વેદનાનો અનુભવ થયો.ફરી તેમના શરીર મારા ઘરના છાપરે ફેંકવાની એ દુ:ખદ પ્રક્રિયા મેં અનુસરી.હવે મારા માછલીઘરમાં ફક્ત બે ટેન્જેરીન માછલીઓ રહી હતી.માછલીઘર મને ખાલી ખાલી લાગ્યું.મેં નવી બે હોકી માછલીઓ ખરીદી જે સુંદર અને ઝેબ્રા માછલીઓ જેવી જ ચપળ અને અસ્થિર હતી.ફરી માછલીઘર જીવંત અને ધબક્તુ લાગવા માંડ્યું.હોકી માછલીઓની ખાસિયત એ હતી કે તેમના શરીર પારદર્શક રાખોડી રંગના હતા અને શરીરના મધ્ય ભાગમાં કાળી માથા થી પૂંછડી સુધી લાંબી પટ્ટી તેમના શરીર પર હતી જેનો આકાર હોકી રમવાની લાકડી જેવો હતો તેથી જ કદાચ તેમનું નામ હોકી માછલી પડ્યું હશે. અને આ માછલીઓની બીજી વિશેષતા એ હતી કે તેમના શરીર પરના કાળા પટ્ટાનો રંગ બદલાતો હતો!ક્યારેક કાળો ચટ્ટક તો ક્યારેક ઝાંખો રાખોડી જેવો!
મારી ચારે માછલીઓ સુખેથી રહેવા લાગી. આ એકાદ મહિના સુધી ચાલ્યું.પછી એક દિવસ એક ગજબની રહ્સ્યમય ઘટના બની.ઓફિસેથી પાછા ફર્યા બાદ નિત્યક્રમ મુજબ હું માછલીઘર પાસે જઈ પહોંચ્યો અને મેં નોંધ્યું કે એમાં ફક્ત ત્રણ માછલીઓ હતી.બે હોકી અને એક ટેન્જેરીન.એક ટેન્જેરીન ગાયબ હતી.હવે એ ગાયબ થઈ ગયેલી ટેન્જેરીન કદમાં કંઈ એટલી પણ નાની નહોતી જેથી જો એ કદાચ ઉછળીને માછલીઘરની ટાંકીમાંથી બહાર પડી ગઈ હોય તો મારી નજરે ન ચડે.મેં માછલીઘરની આજુબાજુ,ઉપર-નીચે બધે ધ્યાનથી ચકાસી જોયું.પણ એ મારી નજરે ન પડી.મને એક વિચાર આવ્યો.બાજુની ભીંત પરથી કદાચ ગરોળી આવી અને મારી પ્રિય ટેન્જેરીનને ગળી ગઈ હોય-ખાઈ ગઈ હોય એમ બની શકે?આ મુશ્કેલ લાગતું હતું પણ અશક્ય તો નહોતું જ.
મેં મારી પત્ની,મમ્મી અને બહેનોને ખોવાઈ ગયેલી ટેન્જેરીન વિષે પ્રુચ્છા કરી પણ તેમને આ વિષે કંઈ ખબર ન હતી.મેં ફરી એક વાર આખા માછલીઘરને અતિ ધ્યાનથી ચકાસી લીધું.શંખ ધ્યાનથી જોઈ લીધાં.એક શંખ એવો હતો જે મોટો પણ ખુલ્લો હતો અને તેમાં મારી માછલીઓને આરામ કરતા મેં ઘણી વાર જોયેલી,પણ તેમાં માછલી ભરાઈ જાય એ શક્ય જ નહોતું.બીજાં કેટલાક શંખોનું શરીર લાંબુ હતું પણ મોઢું અતિશય નાનુ એટલે તેમાં થઈને ટેન્જેરીન જેટલી મોટી માછલી અંદર જતી રહે અને ફસાઈ જાય એ પણ અતિ મુશ્કેલ જણાતું હતું.મેં આ બધા શંખ હાથમાં લઈ હલાવી જોયા જેથી માછલી તેમાં કદાચ ગઈ પણ હોય તો બહાર આવી જાય.હવે આ એક રહસ્યમય ઘટના બની ગઈ કે મારી ટેન્જેરીન માછલી ગઈ ક્યાં?
બીજા ચાર-પાંચ દિવસ પસાર થઈ ગયાં.મેં મારી ગાયબ થઈ ગયેલી માછલીની વાત બધાં મિત્રો-સહકર્મચારીઓને કરી અને દરેક જણ આ વાત સાંભળી આશ્ચર્ય પામ્યા પણ કોઈ મને કહી શક્યું નહિં કે મારી પ્યારી ટેન્જેરીન ક્યાં જતી રહી હોઈ શકે.
છેવટે એ દિવસ આવ્યો જ્યારે મેં માછલીઘરનું પાણી મારા નિયમ મુજબ બદલવાનું નક્કી કર્યું. આ વખતે મારી પત્ની પણ મને આ કામમાં મદદ કરી રહી હતી.માછલીઘરમાંથી મારી ત્રણ માછલીઓને બહાર કાઢતા પહેલાં મેં શંખો બહાર કાઢવાની શરૂઆત કરી.દરેક શંખ બહાર કાઢતા પહેલા મેં તેમને જોરથી માછલીઘરના પાણીમાં જ હલાવ્યા અને બહાર કાઢી બાજુ પર મુકવાની શરૂઆત કરી.મને પોતાને પણ ખબર નથી મેં આ પ્રમાણે શા માટે કર્યું.ત્રણેક શંખ આ રીતે હલાવી બહાર કાઢ્યા બાદ એક લાંબો અણિયાળા મોઢાવાળો શંખ મારા હાથમાં આવ્યો અને જેવો મેં તેને પાણીમાં હલાવવાની શરૂઆત કરી કે તરત તેમાંથી કોઈક કેસરી રંગના તીવ્ર દુર્ગંધ ધરાવતા પદાર્થના ફોદા બહાર નીકળયા.આ હતા મારી ગાયબ થઈ ગયેલી ટેન્જેરીન માછલીના અવશેષો.મને હજી નથી સમજાતું કે એટલા નાના શંખના મોઢામાંથી તે કાણા કરતા ખાસ્સા મોટા કદની મારી પ્રિય ટેન્જેરીન એ શંખમાં પ્રવેશી શી રીતે?(અને શા માટે?)તેના શરીરનાં હવે તો નક્કર ઘન સ્વરૂપમાં પણ ન રહેલા એ અવશેષો જોઈ મને એક કમકમાટી ભરી લાગણી થઈ આવી. આ દ્ર્શ્ય જોઈને મારી પત્નીની તબિયત પણ ખરાબ થઈ ગઈ અને તેને આખો દિવસ ઉલટી થઈ અને તેનું માથું ભારે થઈ ગયું.હું બે-એક દિવસ સુધી ખૂબ ઉદાસ અને દુખી રહ્યો.
એ અરૂચિકર દ્રશ્ય હજી મારા મનમાં ક્યારેક ઘૂમરાય છે.પેલા દિવસે જ્યારે ટેન્જેરીન માછલી ગાયબ થયાની પ્રથમ વાર જાણ થઈ ત્યારે પણ મેં બધા શંખ જોરથી હલાવ્યા હતાં.તેમાં આ શંખ જેમાં મારી ટેન્જેરીન કેદ થઈ ગઈ હતી એ પણ મારા દ્વારા આ જ રીતે હલાવાયો હતો.પણ અફસોસ ત્યારે કદાચ જીવિત અવસ્થામાં એ માછલી પણ અંદર હલી હશે પણ તે બહાર આવી શકી નહિ.હું એની તે શંખમાં હાજરી કળી શક્યો નહિં અને તેને બચાવી શક્યો નહિ.
ત્રીજો પાઠ જે મેં શીખ્યો : એવું કંઈ પણ માછલીઘરમાં ના રાખશો જેને નાના કાણા જેવું પણ કોઈક મુખ હોય જેમાં કદાચ તમારી માછલી ઘૂસી જઈ શકે પણ તેમાંથી પાછી બહાર ન આવી શકે.મેં મારી પ્રિય એવી એક માછલી આવી સામાન્ય લાગતી ભૂલને કારણે ગુમાવી.મને ક્યારેય જરા સરખો પણ ખ્યાલ ન આવ્યો કે માછલી આટલા નાના કાણાંમાં થઈ શંખની અંદર ઘૂસી જશે.
( ગયા સપ્તાહે જે વાચક મિત્રો આ બ્લોગનો પ્રથમ ભાગ વાંચી શક્યા નથી તેમના માટે મે શીખેલા બે પાઠ આ મુજબ છે:
પહેલો પાઠ : ક્યારેય માછલીઘરમાં અણીદાર કે કાંટાજેવી ધારદાર વસ્તુ શોભા વધારવા કે બીજા કોઇ પણ કારણ સર ન મૂકવી. એ તમારી માછલીના મોતનું કારણ બની શકે છે.
બીજો પાઠ : ક્યારેય તમારી માછલીઓને થોડી વાર માટે પણ નળના તાજા પાણીમાં રાખવી નહિં.આવું પાણી ક્લોરિનેટેડ હોવાથી માછલીઓની શ્વસન ક્રિયા માટે યોગ્ય રહેતું નથી.પાણી બદલતા પહેલા એક બાલદી પાણી અલગ રાખી તેમાના બધા ક્લોરિન તત્વનો નાશ થવા દેવો જોઇએ અને એક દિવસ સુધી ખુલ્લુ રાખેલુ એ વાસી પાણી જ માછલીઘરમાં નાંખવુ જોઇએ.ડિ-ક્લોરિનેટર પ્રવાહી અને એન્ટી-ફન્ગલ પ્રવાહીના પાંચ-છ ટીપાં માછલીઘરમાં નવું પાણી ભરતા પહેલા તેમાં ભેળવી દેવા જોઇએ જેથી માછલીઓ સારી રીતે શ્વાસ લઈ શકે અને તેમના શરીર પર ફૂગ ન લાગે કે તેમને કોઈ રોગ ન થઈ જાય.)
આ ઘટના પછી પણ મેં બે એક માછલી ગુમાવી અને તે તો કોઈ ચોક્કસ કારણસર પણ મ્રુત્યુ નહોતી પામી. હવે તો હું મારી માછલીઓની વિશેષ કાળજી પણ રાખું છું.છતાં એ વાત નક્કી કે આ શોખ દેખાય કે લાગે એટલો સરળ તો નથી જ. બીજી પણ એક માન્યતા એવી છે કે માછલીઘર પણ એક કેદ જ ગણાય. ચાર દિવાલોની વચ્ચે તમે તમારા શોખ માટે કેટલીક નિર્દોષ માછલીઓને ગોંધી રાખો એ બરાબર નથી. પણ આ મત સાથે હું સહમત નથી.એમ તો મચ્છીમારીના વ્યવસાય પર નભતા હજારો માછીમારો માછલી મારીને જ પોતાનું પેટ ભરે છે ને?અને કેટલાંયે માંસાહારી લોકો મજાથી માછલીઓ પેટમાં પણ પધરાવે છે.તો માછલીઘર જેવું કંઈક ઘરમાં રાખી તેમાં થોડી ઘણી માછલીઓને પ્રેમ અને જતનપૂર્વક ઉછેરવી મારા હિસાબે અયોગ્ય નથી જ.
પણ એક વાત ચોક્કસ કે આ શોખ અઘરો અને તમારો સારો એવો સમય અને ધ્યાન માગી લે તેવો છે.આથી જો એ કેળવવાની ઇચ્છા થાય તો તેને પૂર્ણ ન્યાય આપવાની તૈયારી હોવી જોઇએ.અને કોઇ પણ શોખને અમલમાં મૂકતા પહેલા તેને લગતો સંપૂર્ણ અભ્યાસ કરી લેવો જરૂરી છે નહિતર જાણ્યે-અજાણ્યે તમે મારા દ્વારા થયેલી ભૂલની જેમ અજાણ્યા મૂંગા જીવને અન્યાય કરી બેસશો. અત્યારે મારા માછલીઘરમાં પાંચ સુંદર માછલીઓ છે અને હું આશા રાખું છું કે હું તેમને અકાળે ન ગુમાવી બેસું.
(સંપૂર્ણ)
મારી ચારે માછલીઓ સુખેથી રહેવા લાગી. આ એકાદ મહિના સુધી ચાલ્યું.પછી એક દિવસ એક ગજબની રહ્સ્યમય ઘટના બની.ઓફિસેથી પાછા ફર્યા બાદ નિત્યક્રમ મુજબ હું માછલીઘર પાસે જઈ પહોંચ્યો અને મેં નોંધ્યું કે એમાં ફક્ત ત્રણ માછલીઓ હતી.બે હોકી અને એક ટેન્જેરીન.એક ટેન્જેરીન ગાયબ હતી.હવે એ ગાયબ થઈ ગયેલી ટેન્જેરીન કદમાં કંઈ એટલી પણ નાની નહોતી જેથી જો એ કદાચ ઉછળીને માછલીઘરની ટાંકીમાંથી બહાર પડી ગઈ હોય તો મારી નજરે ન ચડે.મેં માછલીઘરની આજુબાજુ,ઉપર-નીચે બધે ધ્યાનથી ચકાસી જોયું.પણ એ મારી નજરે ન પડી.મને એક વિચાર આવ્યો.બાજુની ભીંત પરથી કદાચ ગરોળી આવી અને મારી પ્રિય ટેન્જેરીનને ગળી ગઈ હોય-ખાઈ ગઈ હોય એમ બની શકે?આ મુશ્કેલ લાગતું હતું પણ અશક્ય તો નહોતું જ.
મેં મારી પત્ની,મમ્મી અને બહેનોને ખોવાઈ ગયેલી ટેન્જેરીન વિષે પ્રુચ્છા કરી પણ તેમને આ વિષે કંઈ ખબર ન હતી.મેં ફરી એક વાર આખા માછલીઘરને અતિ ધ્યાનથી ચકાસી લીધું.શંખ ધ્યાનથી જોઈ લીધાં.એક શંખ એવો હતો જે મોટો પણ ખુલ્લો હતો અને તેમાં મારી માછલીઓને આરામ કરતા મેં ઘણી વાર જોયેલી,પણ તેમાં માછલી ભરાઈ જાય એ શક્ય જ નહોતું.બીજાં કેટલાક શંખોનું શરીર લાંબુ હતું પણ મોઢું અતિશય નાનુ એટલે તેમાં થઈને ટેન્જેરીન જેટલી મોટી માછલી અંદર જતી રહે અને ફસાઈ જાય એ પણ અતિ મુશ્કેલ જણાતું હતું.મેં આ બધા શંખ હાથમાં લઈ હલાવી જોયા જેથી માછલી તેમાં કદાચ ગઈ પણ હોય તો બહાર આવી જાય.હવે આ એક રહસ્યમય ઘટના બની ગઈ કે મારી ટેન્જેરીન માછલી ગઈ ક્યાં?
બીજા ચાર-પાંચ દિવસ પસાર થઈ ગયાં.મેં મારી ગાયબ થઈ ગયેલી માછલીની વાત બધાં મિત્રો-સહકર્મચારીઓને કરી અને દરેક જણ આ વાત સાંભળી આશ્ચર્ય પામ્યા પણ કોઈ મને કહી શક્યું નહિં કે મારી પ્યારી ટેન્જેરીન ક્યાં જતી રહી હોઈ શકે.
છેવટે એ દિવસ આવ્યો જ્યારે મેં માછલીઘરનું પાણી મારા નિયમ મુજબ બદલવાનું નક્કી કર્યું. આ વખતે મારી પત્ની પણ મને આ કામમાં મદદ કરી રહી હતી.માછલીઘરમાંથી મારી ત્રણ માછલીઓને બહાર કાઢતા પહેલાં મેં શંખો બહાર કાઢવાની શરૂઆત કરી.દરેક શંખ બહાર કાઢતા પહેલા મેં તેમને જોરથી માછલીઘરના પાણીમાં જ હલાવ્યા અને બહાર કાઢી બાજુ પર મુકવાની શરૂઆત કરી.મને પોતાને પણ ખબર નથી મેં આ પ્રમાણે શા માટે કર્યું.ત્રણેક શંખ આ રીતે હલાવી બહાર કાઢ્યા બાદ એક લાંબો અણિયાળા મોઢાવાળો શંખ મારા હાથમાં આવ્યો અને જેવો મેં તેને પાણીમાં હલાવવાની શરૂઆત કરી કે તરત તેમાંથી કોઈક કેસરી રંગના તીવ્ર દુર્ગંધ ધરાવતા પદાર્થના ફોદા બહાર નીકળયા.આ હતા મારી ગાયબ થઈ ગયેલી ટેન્જેરીન માછલીના અવશેષો.મને હજી નથી સમજાતું કે એટલા નાના શંખના મોઢામાંથી તે કાણા કરતા ખાસ્સા મોટા કદની મારી પ્રિય ટેન્જેરીન એ શંખમાં પ્રવેશી શી રીતે?(અને શા માટે?)તેના શરીરનાં હવે તો નક્કર ઘન સ્વરૂપમાં પણ ન રહેલા એ અવશેષો જોઈ મને એક કમકમાટી ભરી લાગણી થઈ આવી. આ દ્ર્શ્ય જોઈને મારી પત્નીની તબિયત પણ ખરાબ થઈ ગઈ અને તેને આખો દિવસ ઉલટી થઈ અને તેનું માથું ભારે થઈ ગયું.હું બે-એક દિવસ સુધી ખૂબ ઉદાસ અને દુખી રહ્યો.
એ અરૂચિકર દ્રશ્ય હજી મારા મનમાં ક્યારેક ઘૂમરાય છે.પેલા દિવસે જ્યારે ટેન્જેરીન માછલી ગાયબ થયાની પ્રથમ વાર જાણ થઈ ત્યારે પણ મેં બધા શંખ જોરથી હલાવ્યા હતાં.તેમાં આ શંખ જેમાં મારી ટેન્જેરીન કેદ થઈ ગઈ હતી એ પણ મારા દ્વારા આ જ રીતે હલાવાયો હતો.પણ અફસોસ ત્યારે કદાચ જીવિત અવસ્થામાં એ માછલી પણ અંદર હલી હશે પણ તે બહાર આવી શકી નહિ.હું એની તે શંખમાં હાજરી કળી શક્યો નહિં અને તેને બચાવી શક્યો નહિ.
ત્રીજો પાઠ જે મેં શીખ્યો : એવું કંઈ પણ માછલીઘરમાં ના રાખશો જેને નાના કાણા જેવું પણ કોઈક મુખ હોય જેમાં કદાચ તમારી માછલી ઘૂસી જઈ શકે પણ તેમાંથી પાછી બહાર ન આવી શકે.મેં મારી પ્રિય એવી એક માછલી આવી સામાન્ય લાગતી ભૂલને કારણે ગુમાવી.મને ક્યારેય જરા સરખો પણ ખ્યાલ ન આવ્યો કે માછલી આટલા નાના કાણાંમાં થઈ શંખની અંદર ઘૂસી જશે.
( ગયા સપ્તાહે જે વાચક મિત્રો આ બ્લોગનો પ્રથમ ભાગ વાંચી શક્યા નથી તેમના માટે મે શીખેલા બે પાઠ આ મુજબ છે:
પહેલો પાઠ : ક્યારેય માછલીઘરમાં અણીદાર કે કાંટાજેવી ધારદાર વસ્તુ શોભા વધારવા કે બીજા કોઇ પણ કારણ સર ન મૂકવી. એ તમારી માછલીના મોતનું કારણ બની શકે છે.
બીજો પાઠ : ક્યારેય તમારી માછલીઓને થોડી વાર માટે પણ નળના તાજા પાણીમાં રાખવી નહિં.આવું પાણી ક્લોરિનેટેડ હોવાથી માછલીઓની શ્વસન ક્રિયા માટે યોગ્ય રહેતું નથી.પાણી બદલતા પહેલા એક બાલદી પાણી અલગ રાખી તેમાના બધા ક્લોરિન તત્વનો નાશ થવા દેવો જોઇએ અને એક દિવસ સુધી ખુલ્લુ રાખેલુ એ વાસી પાણી જ માછલીઘરમાં નાંખવુ જોઇએ.ડિ-ક્લોરિનેટર પ્રવાહી અને એન્ટી-ફન્ગલ પ્રવાહીના પાંચ-છ ટીપાં માછલીઘરમાં નવું પાણી ભરતા પહેલા તેમાં ભેળવી દેવા જોઇએ જેથી માછલીઓ સારી રીતે શ્વાસ લઈ શકે અને તેમના શરીર પર ફૂગ ન લાગે કે તેમને કોઈ રોગ ન થઈ જાય.)
આ ઘટના પછી પણ મેં બે એક માછલી ગુમાવી અને તે તો કોઈ ચોક્કસ કારણસર પણ મ્રુત્યુ નહોતી પામી. હવે તો હું મારી માછલીઓની વિશેષ કાળજી પણ રાખું છું.છતાં એ વાત નક્કી કે આ શોખ દેખાય કે લાગે એટલો સરળ તો નથી જ. બીજી પણ એક માન્યતા એવી છે કે માછલીઘર પણ એક કેદ જ ગણાય. ચાર દિવાલોની વચ્ચે તમે તમારા શોખ માટે કેટલીક નિર્દોષ માછલીઓને ગોંધી રાખો એ બરાબર નથી. પણ આ મત સાથે હું સહમત નથી.એમ તો મચ્છીમારીના વ્યવસાય પર નભતા હજારો માછીમારો માછલી મારીને જ પોતાનું પેટ ભરે છે ને?અને કેટલાંયે માંસાહારી લોકો મજાથી માછલીઓ પેટમાં પણ પધરાવે છે.તો માછલીઘર જેવું કંઈક ઘરમાં રાખી તેમાં થોડી ઘણી માછલીઓને પ્રેમ અને જતનપૂર્વક ઉછેરવી મારા હિસાબે અયોગ્ય નથી જ.
પણ એક વાત ચોક્કસ કે આ શોખ અઘરો અને તમારો સારો એવો સમય અને ધ્યાન માગી લે તેવો છે.આથી જો એ કેળવવાની ઇચ્છા થાય તો તેને પૂર્ણ ન્યાય આપવાની તૈયારી હોવી જોઇએ.અને કોઇ પણ શોખને અમલમાં મૂકતા પહેલા તેને લગતો સંપૂર્ણ અભ્યાસ કરી લેવો જરૂરી છે નહિતર જાણ્યે-અજાણ્યે તમે મારા દ્વારા થયેલી ભૂલની જેમ અજાણ્યા મૂંગા જીવને અન્યાય કરી બેસશો. અત્યારે મારા માછલીઘરમાં પાંચ સુંદર માછલીઓ છે અને હું આશા રાખું છું કે હું તેમને અકાળે ન ગુમાવી બેસું.
(સંપૂર્ણ)
રવિવાર, 14 માર્ચ, 2010
સિલ્વર જ્યુબિલી સ્પેશિયલ : મારું માછલીઘર (ભાગ - ૧)
વ્હાલા વાચકમિત્રો,
આજે 'બ્લોગ ને ઝરૂખેથી...' આ કટાર સિલ્વર જ્યુબિલી ઉજવી રહી છે! એટલે કે આજે આ કટારમાં આપ ૨૫ મો બ્લોગ-લેખ વાંચી રહ્યાં છો. મને ખુશી છે કે તમે આ કટાર પસંદ કરો છો. મારા માટે એથી વધુ ખુશીની વાત શું હોઈ શકે કે મારા બ્લોગ્સથી પ્રેરાઈ અમિતા અને ભૈરવી જેવા વાચકમિત્રોએ પોતાના નવા બ્લોગ્સ બનાવ્યા છે. તમે નિયમિત રીતે મને ફીડબેક પણ આપતા રહો છો અને ગેસ્ટ બ્લોગમાટે લેખ મોકલતા રહો છો એથી મારા ઉત્સાહમાં અનેક ગણો વધારો થાય છે. બસ આમ જ આ કટાર વાંચતા રહેશો-વંચાવતા રહેશો અને તમાર પ્રતિભાવો-લેખો વગેરે મને vikas.nayak@gmail.com આ ઇમેલ આઈડી પર અથવા જન્મભૂમિના સરનામે પોસ્ટથી મોકલતા રહેશો.
થેન્કસ અ લોટ!
-વિકાસ ઘનશ્યામ નાયક
-------------------------------------------------------------------------------------
હું એક પ્રકૃતિપ્રેમી છું. મને પશુ-પક્ષી,ફૂલ-છોડ,જીવજંતુ વગેરે અતિ પ્રિય છે અને નાનપણથી જ મને મારા ઘરમાં મારું પોતાનું એક નાનકડું માછલીઘર હોય એવી પ્રબળ ઇચ્છા હતી.ઘણાં વર્ષો બાદ, થોડાં સમય પહેલા મારી આ ઇચ્છા પૂર્ણ થઈ. હવે હું મારા ઘરમાં એક નાનકડું માછલીઘર ધરાવું છું જેમાં નાની નાની રંગબેરંગી છએક માછ્લીઓ વસે છે.
ખરું જોતા માછલીઓની સંખ્યા ઘણી વધુ હોવી જોઇતી હતી પણ આ બ્લોગ દ્વારા મારે તમારી સાથે, મેં કરેલી થોડી ભૂલોના કારણે મારી પ્રિય એવી પાંચ-છ માછલીઓ ગુમાવ્યાનું દુ:ખ વહેંચવું છે.સાથે જ તમારી સાથે કેટલાક અનુભવ-પાઠ પણ વહેંચવા છે જેથી તમારામાંના કોઈને પણ માછલીઘર બનાવવાની ઇચ્છા થાય તો તમે મારી ભૂલો નું પુનરાવર્તન કરી કેટલીક નિર્દોષ માછલીઓના મ્રુત્યુનું કારણ ન બનો.
પ્રકૃતિપ્રેમી હોવાને લીધે મને શંખ-છીપલાં-પીંછા વગેરે સંગ્રહ કરવાનો પણ શોખ.કાચની પારદર્શક ચાર દિવાલ ધરાવતા મારા નાનકડા માછલીઘરમાં મેં પાણી ભર્યા બાદ વર્ષો સુધી સંઘરેલા શંખ અને છીપ બિછાવ્યા.હવા માટેનો નાનો પંપ ફીટ કર્યો અને બે-ત્રણ દિવસ બાદ મેં એમાં ચાર નાનકડી સુંદર માછલીઓ તરતી મૂકી.મારી પ્રથમ પ્રિય પેટ એવી એ માછલીઓ તેમના એ નવા ઘરમાં પ્રવેશતા જ ત્વરા અને ચંચળતાથી આમતેમ ઘૂમવા માંડી.
એક લાલાશ પડતા કેસરી રંગની અને સોય જેવો નાનકડો પૂંછ્ડીનો હિસ્સો બહાર ધરાવતી ટેન્જેરિન જાતિની જોડ અને બીજી રાખોડી રંગની નાનું પાતળું એવું શરીર ધરાવતી ઝેબ્રા જાતિની જોડ એમ કુલ ચાર માછલીઓ મારા ઘરનો-મારા માછલીઘરનો હિસ્સો બની ગઈ! વર્ષોની મારી પોતીકુ માછલીઘર ધરાવવાની ઇચ્છ પૂરી થતા મને અપાર સંતોષની લાગણીનો અનુભવ થયો.તેમના માટે ખાસ પ્રકારનો ખોરાક નાનીનાની ગોળીઓ સ્વરૂપે ખરીદ્યો હતો તે મેં માછલીઘરમાં ઉપરથી ભભરાવ્યો ત્યારે જે ઝડપ અને ઉત્સાહથી તેમણે એ ખાવા માટે દોડાદોડ કરી મૂકી એ જોવું એક લહાવો બની રહ્યું!
મેં ક્યાંક એવું વાંચેલું કે જો તમે રોજ થોડો સમય માછલીઘરમાંની માછલીઓને નિહાળવામાં પસાર કરો તો તમારું બ્લડપ્રેશર કાબૂમાં રહે છે. મને વિચાર આવ્યો ઉંચું બ્લડપ્રેશર ધરાવતી મારી મમ્મીને હું રોજ થોડી વાર મારી માછલીઓ સામે બેસી તેમને જોયા કરવાની સલાહ આપીશ.
લાલ રંગી ટેન્જેરિન સ્વભાવે શાંત આથી ધીમેધીમે ગતિ કરતી અને ઝેબ્રા કરતા કદમાં થોડી મોટી હતી.સોય જેવી પૂંછડી જેની થોડી વધુ લાંબી તે માદા અને કદમાં થોડી માદા કરતા નાની તે નર એવું મને દુકાનદારે કહેલું.ઝેબ્રા કદમાં સાવ પાતળી અને થોડી લાંબી.તે એટલી બધી ચપળ અને ઉતાવળી કે એક મિનિટ શાંતિથી જંપે નહિં, સતત આમતેમ આમતેમ ઘૂમ્યા જ કરે!મને વિચાર આવતો આ માછલીઓને થાક નહિં લાગતો હોય?ઉંઘ નહિં આવતી હોય?તરસ કોને કહેવાય એનો જરા સરખો પણ ખ્યાલ હશે?
માછલીઓ લાવ્યા બાદ બીજા દિવસે સવારે ઉઠતાવેત સૌથી પહેલું કામ મેં મારા માછલીઘર પાસે જઈ મારી પ્રિય માછલીઓને નિહાળવાનું કર્યું પણ મારા દુ:ખનો પાર ન રહ્યો જ્યારે મેં એક ઝેબ્રા માછલીના નિશ્ચેષ્ટ શરીરને પાણીની સપાટી પર ઉંધુ તરતા જોયું.જ્યારે માછલી બિલકુલ હલનચલન કર્યા વગર ઉંધી તરતી હોય ત્યારે તે મૃત્યુ પામી હોય છે.મેં એ ઝેબ્રા માછલીના નાનકડા લીસ્સા મૃત શરીરને પાણી બહાર કાઢી મારી હથેળીમાં મૂક્યું અને તેનું નિરીક્ષણ કર્યું.તેના પેટ પાસે મને એક ચીરો દેખાયો અને તરત મને સમજાઈ ગયું કે શોભા વધારવા માટે મૂકેલ એક શંખ પર ઘણા બધાં કાંટા ઉપસેલા હતા.અતિ ચંચળ એવી મારી એ ઝેબ્રા માછલીનું શરીર આમતેમ આમતેમ ઘૂમતી વેળાએ ચોક્કસ એ શંખનાં કાંટા સાથે ઘસાયું હશે અને મારી પ્રિય એવી એ નાનકડી માછલી જીવ ગુમાવી બેઠી, મારી બીજી એક પ્રિય નિર્જીવ વસ્તુના કારણે. આ જ્ઞાન મોડુ લાધવા બદલ મને પારાવાર પસ્તાવો થયો.
આ મારો પહેલો પાઠ હતો : ક્યારેય માછલીઘરમાં અણીદાર કે કાંટાજેવી ધારદાર વસ્તુ શોભા વધારવા કે બીજા કોઇ પણ કારણ સર ન મૂકવી. એ તમારી માછલીના મોતનું કારણ બની શકે છે.
મેં એ કાંટાળો શંખ તરત માછલીઘરમાંથી બહાર કાઢી નાંખ્યો.મારી મ્રુત ઝેબ્રા માછલીનું શરીર મેં ઘરના છાપરા પર નાંખી દીધુ જેથી તે કોઇક પક્ષીનો ખોરાક બની શકે અને મ્રુત્યુ બાદ પણ તેનું શરીર કોઈક જીવને કામ લાગે. ટેન્જેરીનની જોડી તો સાબૂત હતી પણ એકલી પડી ગયેલી મારી ઝેબ્રા માછલીને જોઈ મને ખૂબ દુ:ખ થતું.
થોડા દિવસો બાદ હું કેસરી રંગની કાળા ટપકાં ધરાવતી મૌલી માછલીઓની એક જોડ લઈ આવ્યો.કાળી પૂંછડી અને નાનકડી કાયા ધરાવતી આ માછલી પણ અતિ નાજુક અને સુંદર હતી.મારી આ પાંચ માછલીઓ સંપથી તેમના નાનકડા ઘરમાં રહેવા લાગી હતી. મને લાંબા સમય સુધી તેમને જોતા બેસી રહેવાનું વ્યસન થઈ પડ્યું.
દસેક દિવસ બાદ મને માછલીઘરનું પાણી બદલવાની ફરજ પડી કારણ પાણી થોડુ ગંદુ અને ધૂંધળું થઈ ગયું હતું.પાણી બદલવાની આ ક્રિયા દર પંદર દિવસે-મહિને કરવી પડતી હોય છે.મેં આ ક્રિયા કરતા પહેલા કોઈ અનુભવી મિત્રની સલાહ લીધી નહિં એ મારી બીજી મોટી ભૂલ.મેં ચાલુ નળમાંથી સ્વચ્છ પાણી બાલદીમાં ભર્યુ અને માછલીઓને ધ્યાનથી હાથમાં પકડવાની જાળી વડે માછલીઘરમાંથી બહાર કાઢી બાલદીમાં મૂકી.પાંચે માછલીઓ થોડી ગભરાઈ ગયેલી જણાઈ અને રઘવાટમાં બાલદીનાં થોડાઘણાં પાણીમાં આમતેમ આમતેમ ઘૂમવા લાગી.મને ક્યાં ખબર હતી કે વીસેક મિનિટ બાદ હું તેઓમાંની ફક્ત ચારને જીવિત જોવા પામીશ?મેં માછલીઘરની કાચની ટાંકી ચીવટપૂર્વક ધોઈને સ્વચ્છ બનાવી દીધી.માછલીઘરમાં ગોઠવેલા શંખ-છીપ-પથરા વગેરે પણ સ્વચ્છ પાણીથી ધોઈ, ફરી માછલીઘરમાં નળનું તાજુ ચોખ્ખુ પાણી ભરી તેમાં ગોઠવી દીધાં.અને જેવુ મેં માછલીઓ મૂકેલી એ બાલદીમાં જોયું તો મારી બીજી ઝેબ્રા માછલી લાશ થઈ ઉંધી તરી રહી હતી.મેં આશ્ચર્યમિશ્રીત શોકની લાગણી અનુભવી.આ વખતે તો બાલદીમાં કાંટાળા શંખ કે બીજી કોઈ ધારદાર વસ્તુ પણ નહોતી.તો પછી ઝેબ્રા માછલી મને છોડી શા માટે દૂર ચાલી ગઈ?મને એ ખબર નહોતી કે માછલીના જીવનપર્યાયસમું પાણી મારી બીજી માછલીના મૃત્યુનું કારણ બન્યું હતું.
મેં બીજી ઝેબ્રા માછલીનું નાજુક મૃત શરીર પણ પહેલી ઝેબ્રાની જેમ મારા ઘરના છાપરા પર નાંખી દીધુ જેથી એ એકાદ ભૂખ્યા પક્ષીના પેટમાં જાય.મને હજી સુધી મારી પ્રિય એવી બીજી માછલીના મોતનું કારણ સમજાયું નહોતું.મેં મારું સમગ્ર ધ્યાન બીજી ચાર માછલીઓ પર કેન્દ્રિત કર્યું જેમને મેં માછલીઘરમાં મૂકી દીધી હતી.મેં નોંધ્યું કે આ ચાર માછલીઓ પણ પહેલા જેવી સ્ફૂર્તિલી અને ચપળ જણાતી નહોતી.તેઓ ધીમી અને સૂસ્ત બની ગઈ હતી. તેમના ખાસ ખોરાકના દાણા પણ તેમની અશક્તિમાં કોઈ ફેરફાર લાવી શક્યા નહિં.પહેલા તો કેવી તેઓ આ દાણા માછલીઘરની ટાંકીમાં પડતા જ તે ખાવા દોડાદોડ કરી મુકતી અને આજે? એક ટેન્જેરીન પણ પોતાના શરીર પર નો કાબૂ જાણે ગૂમાવવા લાગી અને તેનું શરીર ઉંધુ થઈ જવા લાગ્યું.તે બરાબર તરી શકતી નહોતી પણ છતા તે જીવતી હતી એ ચોક્કસ.હું બેચેન બની ગયો.મારે એને કોઈ પણ ભોગે મરવા દેવી નહોતી.મેં વિચાર કર્યો શું કરું?ત્યાં યાદ આવ્યું કે નજીકના જ એક પાડોશી વર્ષો પહેલા મોટી પાણીની ટેંકમાં માછલીઓ રાખતા.હું નાનો હતો ત્યારે તેમના ઘરે જઈ ઘણી વાર સુધી નાનીમોટી રંગબેરંગી માછલીઓ રસપૂર્વક જોયા કરતો.તરત હું તેમના ઘેર દોડ્યો.તેમણે સલાહ આપી અને મેં બીજો એક પાઠ શીખ્યો : ક્યારેય તમારી માછલીઓને થોડી વાર માટે પણ નળના તાજા પાણીમાં રાખવી નહિં.આવું પાણી ક્લોરિનેટેડ હોવાથી માછલીઓની શ્વસન ક્રિયા માટે યોગ્ય રહેતું નથી.
પાણી બદલતા પહેલા એક બાલદી પાણી અલગ રાખી તેમાના બધા ક્લોરિન તત્વનો નાશ થવા દેવો જોઇએ અને એક દિવસ સુધી ખુલ્લુ રાખેલુ એ વાસી પાણી જ માછલીઘરમાં નાંખવુ જોઇએ.માછલીઓને પણ થોડા સમય માટે માછલીઘરમાંથી બહાર અલગ પાત્ર કે બાલદીમાં આવા વાસી પાણીમાં જ મૂકવી જોઇએ.આવા વાસી પાણીમાં ક્લોરિનનો નાશ થવા સાથે પૂરતો ઓક્સિજન પણ ભળી ચૂક્યો હોય છે.મારા પાડોશીએ મને બે ઉપયોગી વસ્તુ ખરીદવાની પણ સલાહ આપી. એક ડિ-ક્લોરિનેટર પ્રવાહી અને બીજું એન્ટી-ફન્ગલ પ્રવાહી. આ બે લિક્વીડના પાંચ-છ ટીપાં માછલીઘરમાં નવું પાણી ભરતા પહેલા તેમાં ભેળવી દેવા જોઇએ જેથી માછલીઓ સારી રીતે શ્વાસ લઈ શકે અને તેમના શરીર પર ફૂગ ન લાગે કે તેમને કોઈ રોગ ન થઈ જાય . તેમણે મને આ પ્રવાહી થોડા પ્રમાણમાં કામચલાઉ ધોરણે આપ્યા અને મે તેમના થોડા થોડા ટીપાં માછલીઘરના પાણીમાં ભેળવી દીધાં. એનાથી જાણે માછલીઓની અવસ્થામાં થોડો સુધારો જણાયો. પણ હજી તેઓ પહેલા જેવી એકદમ સ્વસ્થ તો નહોતી જ થઈ.
(ક્રમશ:)
આજે 'બ્લોગ ને ઝરૂખેથી...' આ કટાર સિલ્વર જ્યુબિલી ઉજવી રહી છે! એટલે કે આજે આ કટારમાં આપ ૨૫ મો બ્લોગ-લેખ વાંચી રહ્યાં છો. મને ખુશી છે કે તમે આ કટાર પસંદ કરો છો. મારા માટે એથી વધુ ખુશીની વાત શું હોઈ શકે કે મારા બ્લોગ્સથી પ્રેરાઈ અમિતા અને ભૈરવી જેવા વાચકમિત્રોએ પોતાના નવા બ્લોગ્સ બનાવ્યા છે. તમે નિયમિત રીતે મને ફીડબેક પણ આપતા રહો છો અને ગેસ્ટ બ્લોગમાટે લેખ મોકલતા રહો છો એથી મારા ઉત્સાહમાં અનેક ગણો વધારો થાય છે. બસ આમ જ આ કટાર વાંચતા રહેશો-વંચાવતા રહેશો અને તમાર પ્રતિભાવો-લેખો વગેરે મને vikas.nayak@gmail.com આ ઇમેલ આઈડી પર અથવા જન્મભૂમિના સરનામે પોસ્ટથી મોકલતા રહેશો.
થેન્કસ અ લોટ!
-વિકાસ ઘનશ્યામ નાયક
-------------------------------------------------------------------------------------
હું એક પ્રકૃતિપ્રેમી છું. મને પશુ-પક્ષી,ફૂલ-છોડ,જીવજંતુ વગેરે અતિ પ્રિય છે અને નાનપણથી જ મને મારા ઘરમાં મારું પોતાનું એક નાનકડું માછલીઘર હોય એવી પ્રબળ ઇચ્છા હતી.ઘણાં વર્ષો બાદ, થોડાં સમય પહેલા મારી આ ઇચ્છા પૂર્ણ થઈ. હવે હું મારા ઘરમાં એક નાનકડું માછલીઘર ધરાવું છું જેમાં નાની નાની રંગબેરંગી છએક માછ્લીઓ વસે છે.
ખરું જોતા માછલીઓની સંખ્યા ઘણી વધુ હોવી જોઇતી હતી પણ આ બ્લોગ દ્વારા મારે તમારી સાથે, મેં કરેલી થોડી ભૂલોના કારણે મારી પ્રિય એવી પાંચ-છ માછલીઓ ગુમાવ્યાનું દુ:ખ વહેંચવું છે.સાથે જ તમારી સાથે કેટલાક અનુભવ-પાઠ પણ વહેંચવા છે જેથી તમારામાંના કોઈને પણ માછલીઘર બનાવવાની ઇચ્છા થાય તો તમે મારી ભૂલો નું પુનરાવર્તન કરી કેટલીક નિર્દોષ માછલીઓના મ્રુત્યુનું કારણ ન બનો.
પ્રકૃતિપ્રેમી હોવાને લીધે મને શંખ-છીપલાં-પીંછા વગેરે સંગ્રહ કરવાનો પણ શોખ.કાચની પારદર્શક ચાર દિવાલ ધરાવતા મારા નાનકડા માછલીઘરમાં મેં પાણી ભર્યા બાદ વર્ષો સુધી સંઘરેલા શંખ અને છીપ બિછાવ્યા.હવા માટેનો નાનો પંપ ફીટ કર્યો અને બે-ત્રણ દિવસ બાદ મેં એમાં ચાર નાનકડી સુંદર માછલીઓ તરતી મૂકી.મારી પ્રથમ પ્રિય પેટ એવી એ માછલીઓ તેમના એ નવા ઘરમાં પ્રવેશતા જ ત્વરા અને ચંચળતાથી આમતેમ ઘૂમવા માંડી.
એક લાલાશ પડતા કેસરી રંગની અને સોય જેવો નાનકડો પૂંછ્ડીનો હિસ્સો બહાર ધરાવતી ટેન્જેરિન જાતિની જોડ અને બીજી રાખોડી રંગની નાનું પાતળું એવું શરીર ધરાવતી ઝેબ્રા જાતિની જોડ એમ કુલ ચાર માછલીઓ મારા ઘરનો-મારા માછલીઘરનો હિસ્સો બની ગઈ! વર્ષોની મારી પોતીકુ માછલીઘર ધરાવવાની ઇચ્છ પૂરી થતા મને અપાર સંતોષની લાગણીનો અનુભવ થયો.તેમના માટે ખાસ પ્રકારનો ખોરાક નાનીનાની ગોળીઓ સ્વરૂપે ખરીદ્યો હતો તે મેં માછલીઘરમાં ઉપરથી ભભરાવ્યો ત્યારે જે ઝડપ અને ઉત્સાહથી તેમણે એ ખાવા માટે દોડાદોડ કરી મૂકી એ જોવું એક લહાવો બની રહ્યું!
મેં ક્યાંક એવું વાંચેલું કે જો તમે રોજ થોડો સમય માછલીઘરમાંની માછલીઓને નિહાળવામાં પસાર કરો તો તમારું બ્લડપ્રેશર કાબૂમાં રહે છે. મને વિચાર આવ્યો ઉંચું બ્લડપ્રેશર ધરાવતી મારી મમ્મીને હું રોજ થોડી વાર મારી માછલીઓ સામે બેસી તેમને જોયા કરવાની સલાહ આપીશ.
લાલ રંગી ટેન્જેરિન સ્વભાવે શાંત આથી ધીમેધીમે ગતિ કરતી અને ઝેબ્રા કરતા કદમાં થોડી મોટી હતી.સોય જેવી પૂંછડી જેની થોડી વધુ લાંબી તે માદા અને કદમાં થોડી માદા કરતા નાની તે નર એવું મને દુકાનદારે કહેલું.ઝેબ્રા કદમાં સાવ પાતળી અને થોડી લાંબી.તે એટલી બધી ચપળ અને ઉતાવળી કે એક મિનિટ શાંતિથી જંપે નહિં, સતત આમતેમ આમતેમ ઘૂમ્યા જ કરે!મને વિચાર આવતો આ માછલીઓને થાક નહિં લાગતો હોય?ઉંઘ નહિં આવતી હોય?તરસ કોને કહેવાય એનો જરા સરખો પણ ખ્યાલ હશે?
માછલીઓ લાવ્યા બાદ બીજા દિવસે સવારે ઉઠતાવેત સૌથી પહેલું કામ મેં મારા માછલીઘર પાસે જઈ મારી પ્રિય માછલીઓને નિહાળવાનું કર્યું પણ મારા દુ:ખનો પાર ન રહ્યો જ્યારે મેં એક ઝેબ્રા માછલીના નિશ્ચેષ્ટ શરીરને પાણીની સપાટી પર ઉંધુ તરતા જોયું.જ્યારે માછલી બિલકુલ હલનચલન કર્યા વગર ઉંધી તરતી હોય ત્યારે તે મૃત્યુ પામી હોય છે.મેં એ ઝેબ્રા માછલીના નાનકડા લીસ્સા મૃત શરીરને પાણી બહાર કાઢી મારી હથેળીમાં મૂક્યું અને તેનું નિરીક્ષણ કર્યું.તેના પેટ પાસે મને એક ચીરો દેખાયો અને તરત મને સમજાઈ ગયું કે શોભા વધારવા માટે મૂકેલ એક શંખ પર ઘણા બધાં કાંટા ઉપસેલા હતા.અતિ ચંચળ એવી મારી એ ઝેબ્રા માછલીનું શરીર આમતેમ આમતેમ ઘૂમતી વેળાએ ચોક્કસ એ શંખનાં કાંટા સાથે ઘસાયું હશે અને મારી પ્રિય એવી એ નાનકડી માછલી જીવ ગુમાવી બેઠી, મારી બીજી એક પ્રિય નિર્જીવ વસ્તુના કારણે. આ જ્ઞાન મોડુ લાધવા બદલ મને પારાવાર પસ્તાવો થયો.
આ મારો પહેલો પાઠ હતો : ક્યારેય માછલીઘરમાં અણીદાર કે કાંટાજેવી ધારદાર વસ્તુ શોભા વધારવા કે બીજા કોઇ પણ કારણ સર ન મૂકવી. એ તમારી માછલીના મોતનું કારણ બની શકે છે.
મેં એ કાંટાળો શંખ તરત માછલીઘરમાંથી બહાર કાઢી નાંખ્યો.મારી મ્રુત ઝેબ્રા માછલીનું શરીર મેં ઘરના છાપરા પર નાંખી દીધુ જેથી તે કોઇક પક્ષીનો ખોરાક બની શકે અને મ્રુત્યુ બાદ પણ તેનું શરીર કોઈક જીવને કામ લાગે. ટેન્જેરીનની જોડી તો સાબૂત હતી પણ એકલી પડી ગયેલી મારી ઝેબ્રા માછલીને જોઈ મને ખૂબ દુ:ખ થતું.
થોડા દિવસો બાદ હું કેસરી રંગની કાળા ટપકાં ધરાવતી મૌલી માછલીઓની એક જોડ લઈ આવ્યો.કાળી પૂંછડી અને નાનકડી કાયા ધરાવતી આ માછલી પણ અતિ નાજુક અને સુંદર હતી.મારી આ પાંચ માછલીઓ સંપથી તેમના નાનકડા ઘરમાં રહેવા લાગી હતી. મને લાંબા સમય સુધી તેમને જોતા બેસી રહેવાનું વ્યસન થઈ પડ્યું.
દસેક દિવસ બાદ મને માછલીઘરનું પાણી બદલવાની ફરજ પડી કારણ પાણી થોડુ ગંદુ અને ધૂંધળું થઈ ગયું હતું.પાણી બદલવાની આ ક્રિયા દર પંદર દિવસે-મહિને કરવી પડતી હોય છે.મેં આ ક્રિયા કરતા પહેલા કોઈ અનુભવી મિત્રની સલાહ લીધી નહિં એ મારી બીજી મોટી ભૂલ.મેં ચાલુ નળમાંથી સ્વચ્છ પાણી બાલદીમાં ભર્યુ અને માછલીઓને ધ્યાનથી હાથમાં પકડવાની જાળી વડે માછલીઘરમાંથી બહાર કાઢી બાલદીમાં મૂકી.પાંચે માછલીઓ થોડી ગભરાઈ ગયેલી જણાઈ અને રઘવાટમાં બાલદીનાં થોડાઘણાં પાણીમાં આમતેમ આમતેમ ઘૂમવા લાગી.મને ક્યાં ખબર હતી કે વીસેક મિનિટ બાદ હું તેઓમાંની ફક્ત ચારને જીવિત જોવા પામીશ?મેં માછલીઘરની કાચની ટાંકી ચીવટપૂર્વક ધોઈને સ્વચ્છ બનાવી દીધી.માછલીઘરમાં ગોઠવેલા શંખ-છીપ-પથરા વગેરે પણ સ્વચ્છ પાણીથી ધોઈ, ફરી માછલીઘરમાં નળનું તાજુ ચોખ્ખુ પાણી ભરી તેમાં ગોઠવી દીધાં.અને જેવુ મેં માછલીઓ મૂકેલી એ બાલદીમાં જોયું તો મારી બીજી ઝેબ્રા માછલી લાશ થઈ ઉંધી તરી રહી હતી.મેં આશ્ચર્યમિશ્રીત શોકની લાગણી અનુભવી.આ વખતે તો બાલદીમાં કાંટાળા શંખ કે બીજી કોઈ ધારદાર વસ્તુ પણ નહોતી.તો પછી ઝેબ્રા માછલી મને છોડી શા માટે દૂર ચાલી ગઈ?મને એ ખબર નહોતી કે માછલીના જીવનપર્યાયસમું પાણી મારી બીજી માછલીના મૃત્યુનું કારણ બન્યું હતું.
મેં બીજી ઝેબ્રા માછલીનું નાજુક મૃત શરીર પણ પહેલી ઝેબ્રાની જેમ મારા ઘરના છાપરા પર નાંખી દીધુ જેથી એ એકાદ ભૂખ્યા પક્ષીના પેટમાં જાય.મને હજી સુધી મારી પ્રિય એવી બીજી માછલીના મોતનું કારણ સમજાયું નહોતું.મેં મારું સમગ્ર ધ્યાન બીજી ચાર માછલીઓ પર કેન્દ્રિત કર્યું જેમને મેં માછલીઘરમાં મૂકી દીધી હતી.મેં નોંધ્યું કે આ ચાર માછલીઓ પણ પહેલા જેવી સ્ફૂર્તિલી અને ચપળ જણાતી નહોતી.તેઓ ધીમી અને સૂસ્ત બની ગઈ હતી. તેમના ખાસ ખોરાકના દાણા પણ તેમની અશક્તિમાં કોઈ ફેરફાર લાવી શક્યા નહિં.પહેલા તો કેવી તેઓ આ દાણા માછલીઘરની ટાંકીમાં પડતા જ તે ખાવા દોડાદોડ કરી મુકતી અને આજે? એક ટેન્જેરીન પણ પોતાના શરીર પર નો કાબૂ જાણે ગૂમાવવા લાગી અને તેનું શરીર ઉંધુ થઈ જવા લાગ્યું.તે બરાબર તરી શકતી નહોતી પણ છતા તે જીવતી હતી એ ચોક્કસ.હું બેચેન બની ગયો.મારે એને કોઈ પણ ભોગે મરવા દેવી નહોતી.મેં વિચાર કર્યો શું કરું?ત્યાં યાદ આવ્યું કે નજીકના જ એક પાડોશી વર્ષો પહેલા મોટી પાણીની ટેંકમાં માછલીઓ રાખતા.હું નાનો હતો ત્યારે તેમના ઘરે જઈ ઘણી વાર સુધી નાનીમોટી રંગબેરંગી માછલીઓ રસપૂર્વક જોયા કરતો.તરત હું તેમના ઘેર દોડ્યો.તેમણે સલાહ આપી અને મેં બીજો એક પાઠ શીખ્યો : ક્યારેય તમારી માછલીઓને થોડી વાર માટે પણ નળના તાજા પાણીમાં રાખવી નહિં.આવું પાણી ક્લોરિનેટેડ હોવાથી માછલીઓની શ્વસન ક્રિયા માટે યોગ્ય રહેતું નથી.
પાણી બદલતા પહેલા એક બાલદી પાણી અલગ રાખી તેમાના બધા ક્લોરિન તત્વનો નાશ થવા દેવો જોઇએ અને એક દિવસ સુધી ખુલ્લુ રાખેલુ એ વાસી પાણી જ માછલીઘરમાં નાંખવુ જોઇએ.માછલીઓને પણ થોડા સમય માટે માછલીઘરમાંથી બહાર અલગ પાત્ર કે બાલદીમાં આવા વાસી પાણીમાં જ મૂકવી જોઇએ.આવા વાસી પાણીમાં ક્લોરિનનો નાશ થવા સાથે પૂરતો ઓક્સિજન પણ ભળી ચૂક્યો હોય છે.મારા પાડોશીએ મને બે ઉપયોગી વસ્તુ ખરીદવાની પણ સલાહ આપી. એક ડિ-ક્લોરિનેટર પ્રવાહી અને બીજું એન્ટી-ફન્ગલ પ્રવાહી. આ બે લિક્વીડના પાંચ-છ ટીપાં માછલીઘરમાં નવું પાણી ભરતા પહેલા તેમાં ભેળવી દેવા જોઇએ જેથી માછલીઓ સારી રીતે શ્વાસ લઈ શકે અને તેમના શરીર પર ફૂગ ન લાગે કે તેમને કોઈ રોગ ન થઈ જાય . તેમણે મને આ પ્રવાહી થોડા પ્રમાણમાં કામચલાઉ ધોરણે આપ્યા અને મે તેમના થોડા થોડા ટીપાં માછલીઘરના પાણીમાં ભેળવી દીધાં. એનાથી જાણે માછલીઓની અવસ્થામાં થોડો સુધારો જણાયો. પણ હજી તેઓ પહેલા જેવી એકદમ સ્વસ્થ તો નહોતી જ થઈ.
(ક્રમશ:)
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)


