જગતમાં અપાર સુંદરતા છે. રંગીન પુષ્પો જુઓ કે પાંખો ફફડાવતા ચંચળ પતંગિયા, જંગલોની અને પાકથી લહેરાતા ખેતરોની લીલોતરી જુઓ કે અફાટ રણ કે ઉત્તુંગ શિખરો ધરાવતા કે હિમાચ્છાદિત પર્વતો,સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે આકાશમાં રચાતી રંગલીલા જુઓ કે ચોમાસામાં જોવા મળતું મેઘધનુષ,રંગબેરંગી નાના મોટા જીવજંતુઓ જુઓ કે કલશોર કરી ઉડાઉડ કરતાં નાના મોટા પંખીઓ,તહેવારો દરમ્યાન કરાતી રોશની,રંગોળી કે અવનવા ઝાકઝમાળ વસ્ત્રપરિધાન જુઓ કે કુદરતી નદી,ઝરણાં,સમુદ્રો,મહાસાગર કે માનવ સર્જિત સરોવર,તળાવ કે બાગબગીચાઓનું સૌંદર્ય જુઓ. વાંચતા પણ મન પ્રસન્ન થઈ ગયું ને? ભગવાનનો લાખ લાખ આભાર માનો કે આ બધું તમે જોઈ શકો છો, જોઈને માણી શકો છો. કારણ ભગવાને તમને બે મહામૂલ્ય રત્નો આપ્યા છે - નેત્રરત્નો...
હવે કલ્પના કરો કે તમારી આંખ સામે પાટા બાંધી દેવાયા છે,એવી સજ્જડ રીતે કે પ્રકાશનું નાનું સરખું એક કિરણ પણ તેમાં ન પ્રવેશી શકે.તમને શું દેખાશે?માત્ર એક જ રંગ - કાળો. અંધારપટનું સામ્રાજ્ય છવાઈ જશે તમારા નેત્રવિહિન જગતમાં. ઉપર જણાવેલી કે અન્ય કોઈ પણ સુંદર વસ્તુ તમે ક્યારેય જોઈ શકશો નહિં. જન્મથી અંધકારનો અભિશાપ લઈ જન્મનાર વ્યક્તિએ તો આ બધી સુંદર વસ્તુઓની માત્ર કલ્પના જ કરવી રહી અને એ કલ્પના પણ કેવી હશે તે આપણાં જેવા દ્રષ્ટી ધરાવતા મનુષ્ય માટે અકલ્પનીય છે.તો એવી વ્યક્તિ જેણે એક વાર આ બધું જોઈ લીધા બાદ કોઈ રોગ કે સંજોગવશ દ્રષ્ટી ગુમાવી દીધી હોય તેના માટે આ બધુ ફરી ન જોઈ શકવાની વેદના કેટલી દુષ્કર અને દુ:ખદાયી હશે તે સમજી શકાય એવી વાત છે.
પણ આપણે આ અંગે કંઈક કરી શકીએ તેમ છીએ. નેત્રદાન દ્વારા.
મ્રુત્યુ બાદ આંખો પણ પંચમહાભૂતમાં વિલીન થઈ જાય અને તેનો કોઈ ઉપયોગ ન થતા તે વેડફાઈ જાય છે. લાશ માટે આંખો કોઈ ઉપયોગની રહેતી નથી.આથી જો મૃત્યુ બાદ ચાર-પાંચ કલાકમાં આંખો નિષ્ણાત ડોક્ટર દ્વારા કાઢી લેવાય તો એક વ્યક્તિની બે આંખો દ્વારા છ દ્રષ્ટીવિહીન આંખો જોતી થઈ શકે. હા! છ દ્રષ્ટીવિહીન આંખો. અહિં છપવામાં કોઈ ભૂલ નથી થઈ. કઈ રીતે? આવો વૈજ્ઞાનિક ઢબે સમજીએ.
આપણી આંખોમાં કીકી ઉપર એક અતિ પાતળો પડદો હોય છે. જેને કોર્નિયા કહે છે. તે કાચ જેવો પારદર્શક હોય છે. તે ક્યારેક ધૂંધળો થઈ જાય તો વ્યક્તિને ધૂંધળું દેખાવા લાગે જેને આપણે મોતિયો આવ્યો એમ કહીએ છીએ. જ્યારે કોઈ કારણ સર આ કોર્નિયા અપારદર્શક બની જાય કે તેને નુકસાન પહોંચે ત્યારે વ્યક્તિ આંશિક કે સંપૂર્ણ રીતે જોવાની શક્તિ ગુમાવી બેસે છે, અંધ બની જાય છે. પણ જો નેત્રદાન દ્વારા મળેલી આંખના કોર્નિયાનો યોગ્ય ઉપયોગ થાય તો તબીબ બે આંખોના કોર્નિયા ત્રણ ભાગમાં કાપી અન્ય છ આંખોને જોતી કરી શકે છે. આમ જો સંપૂર્ણ અંધ એવી વ્યક્તિને એક આંખે જોતી કરવામાં આવે તો મૃત વ્યક્તિના બે નેત્રો દ્વારા કુલ છ અંધ વ્યક્તિ દ્રષ્ટી પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પામી શકે.
વિશ્વમાં લગભગ ચાર કરોડ દ્રષ્ટીવિહીન મનુષ્ય છે જેમાંથી એક કરોડ જેટલાં ભારતમાં છે.આમાંથી ૨૫ લાખ લોકો કોર્નિયાની પારદર્શકતા ગુમાવવાથી દ્રષ્ટી ખોઈ બેઠાં છે.એ લોકોની કોર્નિયા જો બીજી મૃત વ્યક્તિના સારા કોર્નિયાથી બદલી શકાય તો તેઓ ફરી દેખતા થઈ શકે. કૃત્રિમ કોર્નિયા હજી સુધી શોધી શકાયો નથી તેથી માનવ કોર્નિયાનો ઉપયોગ એકમાત્ર ઉપાય છે.કોર્નિયાનું આયુષ્ય ૧૫૦ વર્ષ હોવાથી રોપાયેલા કોર્નિયા ફરી ઉપયોગમાં લઈ શકાય છે. ભારતમાં દર વર્ષે બે કરોડ લોકો મૃત્યુ પામે છે પણ ફક્ત પાંચહજાર મૃતદેહોની આંખો જ દાનમાં મળે છે.બાકીની આંખો અગન કે દફન દ્વારા વેડફાઈ જાય છે. જો દરેક વ્યક્તિ પોતાના મૃત્યુ પૂર્વે પોતાના ચક્ષુ દાનમાં આપી દેવા માટે રજિસ્ટ્રેશન કરાવે તો માત્ર ૧૧ દિવસમાં ભારતના તમામ અંધજનોને દ્રષ્ટી મળી શકે.
આપણે જીવતેજીવ અન્ય કોઈ દાનપુણ્યનું કાર્ય કર્યું હોય કે ન કર્યું હોય પણ નેત્ર દાનનું મહાદાન મૃત્યુ બાદ ચોક્કસ કરીને અઢળક પુણ્ય કમાઈ શકીએ. આમાં કોઇ નુકસાન થતું નથી.
જીવતે જીવ આપણે નેત્રદાન માટે રજિસ્ટ્રેશન કરાવી શકીએ છીએ અથવા આપણી આવી ઇચ્છા આપણા પરિવારજનો તેમજ મિત્રો સમક્ષ વ્યક્ત કરી શકીએ છીએ.આપણા ફેમિલી ડોક્ટરને પણ આ અંગે જાણ કરી શકીએ છીએ. મૃત્યુ બાદ પરિવાર જનો નેત્રદાન સ્વીકરતી સંસ્થાનો સંપર્ક કરી પરવાનગી આપતા ફોર્મ પર સહી કરી આપે એટલે માત્ર પંદર મિનિટમાં શસ્ત્રક્રિયા દ્વારા ચક્ષુ મૃતકના દેહમાંથી કાઢી લેવાય છે. તેનાથી ચહેરો બિલકુલ વિકૃત થતો નથી.ચશ્મા કે મોતિયો ધરાવતી વ્યક્તિ પણ નેત્રદાન કરી શકે છે.મારા વ્રુદ્ધ ગામે રહેતા ફોઈ મુંબઈ આવેલા, તેમને નેત્રદાન વિશે વાત કરી તો કહે જો આંખો દાનમાં આપી દઈએ તો આવતા જન્મે અંધાપો આવે. તર્ક વિનાની આ દલીલ સાંભળી પહેલા તો હસવું આવ્યું. પછી મેં તેમને સમજાવ્યું કે તેઓ જે ભજન ગાતા "કાલ કોણે દીઠી છે..." તે ન્યાયે આવતી કાલે શું થવાનું છે તેની જો આપણને ખબર ન હોય તો આવતા ભવની અટકળો કરવાનો કોઈ અર્થ? નશ્વર દેહ સાથે બળી કે દટાઈને નષ્ટ થઈ જવા કરતા બે આંખો દ્વારા જો અન્ય છ નેત્રવિહીન વ્યક્તિઓ જોવાનું સુખ પામી શકવાની હોય તો એનાથી રૂડૂં બીજું કંઈ ન હોઈ શકે એમ હું આખરે તેમને મનાવી શક્યો! હવે તે નેત્રદાન કરે છે કે નહિં તે તો રામ જાણે પણ મેં અને મારા પિતાએ નિર્ધાર કર્યો છે કે અમે ચોક્કસ નેત્ર દાન કરવાના છીએ.
હવે થોડી ઉપયોગી માહિતી આપી દ ઉં.જો તમારે કોઈ સ્વજનનાં નેત્રોનું દાન કરવું હોય તો ટોલ ફ્રી નંબર ૧૯૧૯ ઉપર ફોન કરી મ્રુત્યુના ચાર કલાકની અંદર જાણ કરવી જેથી નિષ્ણાત ડોક્ટર તમારા ઘેર આવી વિનામૂલ્યે મ્રુતકની આંખો સંભાળીને લઈ જશે અને નજીકની ચક્ષુબેન્કમાં જમા કરી દેશે.ત્યાંથી એ આંખો સમયસર અને જરૂરિયાત મુજબ કેટલીક ચોક્કસ નિયત હોસ્પિટલમાં મોકલી આપવામાં આવશે જ્યાં જરૂરિયાતમંદની આંખોમાં ઓપરેશન દ્વારા કોર્નિયા વિનામૂલ્યે બેસાડવામાં આવશે અને આમ તે આંખો મ્રુત્યુ બાદ પણ આ જગતને જોતી રહેશે!
આંખને કાઢ્યા પછી તેની આંકણી કરવામાં આવે છે અને તેની પર અનેક પ્રક્રિયાઓ કરી તેની યોગ્યતા માપ્યા પછી જ તેને ડોક્ટરને પહોંચાડવામાં આવે છે.જે કોર્નિયા કોઈ કારણસર આરોપણ માટે વાપરી ન શકાય તેમ હોય તેને અમૂલ્ય અભ્યાસ અને શોધખોળ (રિસર્ચ) માટે ઉપયોગમાં લેવામાં આવે છે.આમ નેત્રદાન ક્યારેય એળે જતું નથી.
તમે જો કાંદિવલી કે તેની આસપાસ રહેતા હોવ તો ત્યાં સ્થિત નેત્રદાન જાગ્રુતિ કેન્દ્રમાં મૂળરાજભાઈ કાપડીઆને મળી શકો જેમણે પોતાનું જીવન નેત્રદાન પ્રવૃત્તિને સમર્પિત કરી દીધું છે. તેમનો ૯૩૨૨૨૩૭૩૨૩ નંબર પર સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકશો. અહિં નેત્રદાન માટે રજિસ્ટર કરવાનો એક ફાયદો એ પણ છે કે તેઓ તમને એક ‘Eye Donor’નું ટેટૂ શરીર પર વિનામૂલ્યે કરાવી આપવાની સવલત આપે છે. ટેટૂ હોય તો માણસ હોસ્પિટલમાં હોય તો ડોકટરની કે ઘેર હોય તો પરિવારજનોની નજરે ટેટૂ ચડે અને નેત્રદાન યાદ આવે. નેત્રદાનની પ્રવ્રુત્તિમાં મૂળરાજભાઈને કાંદિવલીના ડો. દિલીપ રાયચૂરા અને બિગ બોસ બ્યુટી પાર્લરના હરીશ ભાટીયા તેમજ અન્યોનો અમૂલ્ય સહકાર પણ મળ્યો છે જેના થઈ નેત્રદાનની પ્રવ્રુત્તિને સારો વેગ મળ્યો છે.
વર્ષ ૨૦૧૨ની વિદાય વેળાએ અથવા વર્ષ ૨૦૧૩ને વધાવતી વેળાએ નેત્રદાનનો સુસંકલ્પ કરવાનો અવસર ગુમાવવા જેવો નથી!
સોમવાર, 31 ડિસેમ્બર, 2012
શનિવાર, 22 ડિસેમ્બર, 2012
ગેસ્ટ બ્લોગ : કાગડો
- મૈત્રેયી મહેતા
કાગડા કાગડા કઢી પીવા આવ,
શેર કંકુ લેતો આવ.......
બહુ નાના હતા ત્યારે આવું કંઈ રમતા હતા, નહિ ? યાદ છે ? એ જ, એ જ કાગડા વિષે આજે વાત માંડવી છે. કાળો કાળો કાગડો , કા કા કા કા કરીને કર્કશતા માટે પ્રખ્યાત કાગડો. અને તેની સાથે જ કોયલ અને હંસ ,એ બન્ને ના વિરોધાત્મક પ્રતિક તરીકે જાણીતો કાગડો.. પણ બીજા કોઈ વિષે નહિ અને કાગડા વિષે જ કેમ એવો પ્રશ્ન સ્વાભાવિક છે .થયું એવું કે અમારા ઘરની આસપાસ ઘણાં ઘટાદાર વૃક્ષો છે, કબૂતરો ઓછા પણ કાગડા વધારે છે. અને અચાનક આજુબાજુ વસતા કાગડામાંથી એક કાગડાને બાલ્કનીમાં જતા દરેક સાથે શી ખબર શું વાંકું પડ્યું કે દરેકને ચાંચ મારે ! બહાર બાલ્કનીમાં ગયા નથી કે ચાંચ મારી નથી...! અને ક્યાંથી ઉડીને આવી જાય કે ખબર જ ના પડે, ચાંચ મારે એટલે માથામાંથી લોહી નીકળે.. એની ચાંચ કડક હોય... ! આ બધું બહુ ચાલ્યું... છેવટે બાલ્કની પર રાજ જમાવી બેઠા છે કાગડા ... બાલ્કનીમાં બહાર જવાતું નથી... પછી પાણી મુકવાનું શરુ કર્યું છે... જોકે ડર તો ચાલુ જ છે.
આમ કાગડાભાઈ વાતનો વિષય બની બેઠા. એક બાળ વાર્તા યાદ આવે છે. નાનકડો બચુડીયો
બાલ્કનીમાં બેઠો બેઠો પૂરી ખાતો હતો. કાગડાભાઇ આવીને પૂરી ઝૂંટવી ગયા.આમ તીવ્ર નજર રાખતા કાગડા ચતુર ગણાય છે. ચતુર કાગડાએ કંકર નાખી પાણી પીધું... એ વાત હવે સ્ટ્રો વડે પાણી પીતો કાગડો તરીકે જાણીતી છે.
મૂળ એશિયન એવા આ કાગડા હાઉસ ક્રો કે કોલંબો ક્રો તરીકે જાણીતો છે અને માનવ વસ્તીની આજુબાજુ બધે જોવા મળે છે. સામાન્ય રીતે ૪૦ સે.મી. લાંબો હોય છે. નેપાળ, બંગલા દેશ, પાકિસ્તાન, શ્રીલંકા, માલદીવ્સમાં અને લેકેદીવ ટાપુઓ પર પણ જોવા મળે છે. ગુગલ પરથી મળતી માહિતી મુજબ ૧૮૯૭ ની આસપાસ સુદાન, ઝાંઝીબારની આજુબાજુ પૂર્વ આફ્રિકામાં લઇ જવામાં આવ્યો. ઓસ્ટ્રેલીયામાં તો તે વહાણ દ્વારા પહોંચી ગયો. હવે તો કાગડાભાઇ યુરોપ પણ પહોંચી ગયા છે.
ફ્લોરીડાના સેન્ટ પીટર્સબર્ગની આજુબાજુ કાગડાએ વસવાનું શરુ કર્યું છે. આ કાગડા સર્વ ખાદ્ય પદાર્થ ખાય છે. જોકે સફાઈ કામગીરી સારી રીતે બજાવે છે. તે માનવ વસ્તીની આજુબાજુ વસે છે, અને માણસે ફેંકી દીધેલી બધી ખાદ્ય ચીજો આરોગી જાય છે. તે ઉપરાંત જીવ જંતુ, જીવડા,ઈંડા , અનાજ અને ફાળો પણ ખાય છે. અરે આકાશમાંથી ઉડતાં ઊડતાં ચીલ ઝડપથી નીચે આવીને નાનકડા ખિસકોલીના બચ્ચા કે ઉંદરને પણ ઉઠાવી જઈ શકે છે.
અમેરિકન કાગડા પ્રમાણમાં મોટા હોય છે. મેં જોયું કે જાપાનમાં પણ વિશેષ ધ્યાન ખેંચે તેવા મોટા મોટા કાગડા હોય છે. ખાસ કરીને ઉત્તર અમેરિકામાં મોટા કાગડા જોવા મળે છે. તે ૪૦ થી ૫૩ સે.મી. લાંબા હોય છે. તેની એક પાંખ ૨૭ થી ૩૪ સે.મી. લાંબી હોય છે.
કાગડા ખુબ ચતુર હોય છે ,તે માણસોના અને પંખીઓના અવાજ ને ઓળખે છે. સંશોધકોએ માણસો અને પક્ષીઓના અવાજને રેકોર્ડ કરીને કાગળના પ્રતિભાવો ચકાસ્યા છે. ડો. વોશરે BBC ને કહ્યું કે શહેરોમાં કાગડાઓ, જેક ડૉ, મેગી , સીગલ અને માણસો ની આસપાસ વસે છે. કાગડા અજાણ્યો અવાજ સાંભળતાં જ સાવધાન થઇ જાય છે. જાણીતા માણસો કે પક્ષીઓના અવાજને ઓળખે છે અને પ્રતિભાવ પણ આપે છે.
કાગડા બહુ જ ચતુર હોય છે , એ વાત આપણે સહુ જાણીએ છીએ.એક કાગડો, પશુ-પક્ષીઓ માટે મુકવામાં આવેલા પાણીના પત્રમાં મેગીના ટુકડા નાખી તેને થોડી વાર પલાળવા દે અને પછી તે પોચા થાય પછી તેની મઝા માણે છે, લો બોલો..! કાગડા બદામ પ્રકારની કડક ખાદ્ય ચીજોને વાહન વ્યવહાર વાળા ભરચક રસ્તા પર ફેંકે છે મોટર-ગાડીઓના પૈડાંદ્વારા તેને તોડીને પછી તે ખાય છે ? ખરેખર, સાચું નથી લાગતું ? ગુગલ પર તેનો વિડીયો જોઈ લો ! વાહ ખરેખર કાગડાભાઇ બહુ ચતુર તો છે જ, તેમાં ના નહીં જ !પણ કાગડા ચતુર છે તો કોયલ તેનાથી પણ ચતુર છે, તે પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકી દે છે ... અને કાગડો પોતાના ઈંડાની સાથે કોયલના ઈંડાને પણ સેવે છે અને બચ્ચાંને પોષે છે...
નર કાગડો ૫ વર્ષ અને માદા કાગડો ૩ વર્ષ જીવે છે. કેટલાક કાગડા ૨૦ વર્ષ પણ જીવે છે. અમેરિકાનો એક કાગડો ૩૦ વર્ષ સુધી જીવ્યાના પણ દાખલા છે.
* આઈરીશ માયથોલોજીમાં, કાગડો યુદ્ધ અને મૃત્યુની દેવી , મોરીગન સાથે સંકળાયેલો છે.
*નોર્સ માયથોલોજીમાં કાગડાનું જોડું - Huginn અને Munnin , વિશ્વ પર ઉડે છે, અને ભગવાન Odin ને પૃથ્વી પરની માહિતી આપે છે.
* હિંદુ માન્યતા મુજબ કાગડો કાગભુશંડીનું પ્રતિક છે. મૃત્યુ પછી જીવને કાગડા મારફતે પીંડ ખવડાવવામાં આવે છે. અને શ્રાદ્ધ પક્ષમાં કાગ વાસ નાખવામાં આવે છે , જે દ્વારા નવો જનમ ના લેનાર પિતૃ, કાગડા દ્વારા ખીર ખાઈને તૃપ્ત થઇ કુટુંબીજનોને આશિષ આપી પોતાની ગતિ પામે છે, એમ મનાય છે.
હિંદુ શાસ્ત્રો અને દર્શનોમાં કાગડા અને હંસ દ્વારા ઇષ્ટ અને અનિષ્ટ ની સરખામણીનું વર્ણન કરાયું છે.
જાપાનના પુરાણોમાં ત્રણ પગ ધરાવતા કાગડા "યાતાગારાસુ " નું વર્ણન આવે છે.
કાગડો કદી યે એકલો ખાતો નથી, વહેંચીને ખાવાનો સદગુણ તે ધરાવે છે, ચતુર પણ છે પણ અભીષ્ટ પણ આરોગે છે તેથી નિમ્ન કક્ષામાં તેની ગણતરી થાય છે.
આમ તો આપણે કહીએ છીએ કે કાગડા તો બધે પણ કાળા , પણ અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાં સાવ સફેદ કાગડો મેં જોયો છે.
કાગડો દહીંથરું લઇ ગયો, કૌઆ ચલા હંસ કી ચાલ, જૂઠ બોલે કૌઆ કાટે , કાગારોળ મચાવી, કાગ ડોળે રાહ જોવી વગેરે વગેરે કહેવતો આપણે જાણીએ છીએ .
* માઈ રી માઈ મુંડેર પે તેરે બોલ રહા રે કાગા...
* કાગા ચૂન ચૂન ખાઈઓ...
* ઉડ જા રે કાગા ....
* અરે હા, દોસ્તો, કાગવાણી ની વાત કરવાની તો રહી જ ગઈ.... ગુજરાતી લોક સાહિત્યના સરતાજ સમા દુલાભાયા કાગના કવન... "કાગવાણીની" વાત ના કરીએ તો કેમ ચાલે ? દુલા ભાયા કાગનું સાહિત્ય એ તો ગુજરાતી લોકસાહિત્યનું અમૂલ્ય નજરાણું છે. સચોટ અને કડવું સત્ય કાગવાણીને નામે સરળતાથી વર્ણવ્યું છે એમણે....
કાગડા વિષે નવું કંઈ જાણવા મળે તો દોસ્તો જરૂર જણાવજો...
અને હા, કાગડા કાગડા કાઢી પીવા આવ પછી શું આવે છે તે હું ભૂલી ગઈ છું... તમને યાદ છે ? તો જરૂર જણાવજો, મારી email id છે : mainakimehta@ yahoo .co .in
કા.... કા.... ના.... ના .... કુહુ...કુહૂઉ ....કુહૂઉ ....
બરાબર ને ?
- મૈત્રેયી મહેતા
શનિવાર, 15 ડિસેમ્બર, 2012
ભાગો ભાગો પુલીસ આઈ…
ગયા અઠવાડિયે રોજની જેમજ સવારે હું ઓફિસ જતી વખતે વાંદ્રા સ્ટેશનના પુલ પર ચાલી રહ્યો હતો ત્યાં અચાનક ગજબની હલચલ મચી ગઈ. આ પુલ પર પણ મુંબઈના ઘણાં બધાં સ્ટેશનો પરના પુલ પર હોય છે તેમ બંને બાજુએ ફેરિયાઓ જાતજાતનો માલસામાન સસ્તા ભાવે વેચવા મિની-બજાર ભરી બેઠાં હતાં. આ બધુ અનધિક્રુત હોવા છતાં તેઓ રોજ આ રીતે સવારથી સાંજ સુધી અહિં માલસામાન વેચી પેટિયુ રળતા હોય છે. તે સવારે બન્યું એવું કે પોલીસ અધિકારીઓ સ્ટેશન પર આવી ચડ્યા હશે એટલે ફેરિયાઓના ખબરીએ દૂર થી જ તેમને ચેતવી દીધા અને થોડી જ ક્ષણોમાં આ ફેરિયાઓ પોતપોતાના હંગામી સ્ટોલ્સ તથા ફેલાવીને ગોઠવેલા માલસામાનને જેમતેમ પોટલામાં બાંધી પુલ પરથી રફૂ ચક્કર થઈ ગયાં. જો કે થોડા દિવસો પછી (કે પછી કોને ખબર થોડા કલાકોમાં જ ) ફરી તેઓ આ જગાએ પોતાનો હક(!) જમાવી હંગામી સ્ટોલ્સ ઉભા કરી દેશે અને તેમનો ધંધો ફરી શરૂ!
મને વિચાર આવ્યો કે શું સરકાર આ લોકો માટે કંઈ ન કરી શકે? તેમને કમાવું છે પેટિયુ રળવા. પણ ધંધો કરવા પુલ તો યોગ્ય જગા નથી ને? સરકાર તેમને એવા ખાસ બજારો પૂર ન પાડી શકે, જ્યાં તેઓ પોતાનો આ માલસામાન વેચી શકે? સ્ટેશન પરથી પસાર થતાં હજારો ગ્રાહકો કદાચ એ ખાસ બજારોમાં જાય તેની એમણે રાહ જોવી પડે (કદાચ એટલે જ તેમણે આ જગા અને સમય પસંદ કર્યા હોય ધંધો કરવા એવું બની શકે!) પણ તેઓ આમ પુલ પર જગા રોકી લઈ અસુવિધા કે ભય-જોખમ ઉભા કરે એ તો યોગ્ય ન જ ગણાય ને?
બીજો પણ આવો જ અનુભવ મને એક વાર હું રહું છું ત્યાં નજીકના વિસ્તારમાં થયેલો જ્યારે હું ત્યાં નાસ્તો કરવા ગયો હતો. અહિં એસ.વી.રોડ પર એક બાજુએ કેટલાક ફેરિયાઓ લાઈનમાં ઉભા રહે અને કોલેજિયનોથી માંડી પરિવારો અને સામાન્ય આર્થિક સ્થિતીના લોકોથી માંડી ગાડી વાળાઓ નાસ્તો કરવા,રાતનું ડીનર કરવા તેમની પાસે રીતસરની લાઈન લગાડે! વર્ષોથી આ જગા આ રીતના બુફે જેવા ઉભા રહીને ખાઈ શકાય તેવા ઓપન, ઇન્ફોર્મલ રેસ્ટોરન્ટ તરીકે પ્રખ્યાત છે. મેં પણ તે દિવસે અહિં આવી સેન્ડવીચનો ઓર્ડર આપ્યોપણ ત્યાંતો અચાનક ભાગાભાગી મચી ગઈ! મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડી આવી હશે તેની દૂરથી જ ખબર પડી જતા બધા રેકડી વાળાઓ ખાવા પધારેલા કે ખાઈ રહેલા ગ્રાહકોની પરવા કર્યા વગર જીવ બચાવવા નાસતા હોય તેમ ત્યાંથી પોતપોતાની રેકડીઓ સહિત ભગવા લાગ્યા! નજીકની એક ગલીમાં કેટલાક રેકડીઓ વાળા પોતાની લારીઓ લઈ ઘૂસી ગયા.હું સેન્ડવીચ વાળા સાથે શું બન્યું તેની વાતો કરતો કરતો આ ગલીમાં આવ્યો અને પછી મારી સેન્ડવીચ તેણે બનાવી ત્યારથી માંડીને, મેં તે પૂરી કરી ત્યાં સુધી મેં એ સેન્ડવિચ વાળા સાથે ગપ્પાગોષ્ટિ કર્યા અને આ ઘટના વિશે માહિતી મેળવી. દર પંદર દિવસે કે મહિને આ રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડી આવતી અને ખાવાની લારીઓ વાળાઓએ આરીતે ભાગવું પડતું થોડા કલાક કે દિવસ તેઓ ત્યાં પાછા ન દેખાય પણ ત્યાર બાદ ફરી તેઓ આ જગાએ જ અનેકોના પેટની ભૂખ મટાડવા - જીભને ચટાકો ચડાવવા હાજર થઈ જતાં આ ઘટના ક્રમ વર્ષોથી આમ જ ચાલ્યો આવે છે.
એક રીતે જોઇએ તો આ ફેરિયાઓને કારણે એસ.વી. રોડનો અડધો ભાગ રોકાઈ જાય છે અને ટ્રાફીક પણ સારો એવો જામ થઈ જાય છે પણ ત્યાં ગાડીઓ લઈને આવનારાઓ પણ વર્ષોથી ત્યાં નિયમિત ખાવા આવે જ છે! આ ફેરિયાઓ માટે પણ સરકાર કોઈ ખુલ્લા મેદાન જેવી કે બીજી કોઈ જગા પૂરી ન પાડી શકે જ્યાં રેકડીઓ લગાડી આ ફેરિયાઓ આજીવિકા રળી શકે?
મને વિચાર આવ્યો કે શું સરકાર આ લોકો માટે કંઈ ન કરી શકે? તેમને કમાવું છે પેટિયુ રળવા. પણ ધંધો કરવા પુલ તો યોગ્ય જગા નથી ને? સરકાર તેમને એવા ખાસ બજારો પૂર ન પાડી શકે, જ્યાં તેઓ પોતાનો આ માલસામાન વેચી શકે? સ્ટેશન પરથી પસાર થતાં હજારો ગ્રાહકો કદાચ એ ખાસ બજારોમાં જાય તેની એમણે રાહ જોવી પડે (કદાચ એટલે જ તેમણે આ જગા અને સમય પસંદ કર્યા હોય ધંધો કરવા એવું બની શકે!) પણ તેઓ આમ પુલ પર જગા રોકી લઈ અસુવિધા કે ભય-જોખમ ઉભા કરે એ તો યોગ્ય ન જ ગણાય ને?
બીજો પણ આવો જ અનુભવ મને એક વાર હું રહું છું ત્યાં નજીકના વિસ્તારમાં થયેલો જ્યારે હું ત્યાં નાસ્તો કરવા ગયો હતો. અહિં એસ.વી.રોડ પર એક બાજુએ કેટલાક ફેરિયાઓ લાઈનમાં ઉભા રહે અને કોલેજિયનોથી માંડી પરિવારો અને સામાન્ય આર્થિક સ્થિતીના લોકોથી માંડી ગાડી વાળાઓ નાસ્તો કરવા,રાતનું ડીનર કરવા તેમની પાસે રીતસરની લાઈન લગાડે! વર્ષોથી આ જગા આ રીતના બુફે જેવા ઉભા રહીને ખાઈ શકાય તેવા ઓપન, ઇન્ફોર્મલ રેસ્ટોરન્ટ તરીકે પ્રખ્યાત છે. મેં પણ તે દિવસે અહિં આવી સેન્ડવીચનો ઓર્ડર આપ્યોપણ ત્યાંતો અચાનક ભાગાભાગી મચી ગઈ! મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડી આવી હશે તેની દૂરથી જ ખબર પડી જતા બધા રેકડી વાળાઓ ખાવા પધારેલા કે ખાઈ રહેલા ગ્રાહકોની પરવા કર્યા વગર જીવ બચાવવા નાસતા હોય તેમ ત્યાંથી પોતપોતાની રેકડીઓ સહિત ભગવા લાગ્યા! નજીકની એક ગલીમાં કેટલાક રેકડીઓ વાળા પોતાની લારીઓ લઈ ઘૂસી ગયા.હું સેન્ડવીચ વાળા સાથે શું બન્યું તેની વાતો કરતો કરતો આ ગલીમાં આવ્યો અને પછી મારી સેન્ડવીચ તેણે બનાવી ત્યારથી માંડીને, મેં તે પૂરી કરી ત્યાં સુધી મેં એ સેન્ડવિચ વાળા સાથે ગપ્પાગોષ્ટિ કર્યા અને આ ઘટના વિશે માહિતી મેળવી. દર પંદર દિવસે કે મહિને આ રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડી આવતી અને ખાવાની લારીઓ વાળાઓએ આરીતે ભાગવું પડતું થોડા કલાક કે દિવસ તેઓ ત્યાં પાછા ન દેખાય પણ ત્યાર બાદ ફરી તેઓ આ જગાએ જ અનેકોના પેટની ભૂખ મટાડવા - જીભને ચટાકો ચડાવવા હાજર થઈ જતાં આ ઘટના ક્રમ વર્ષોથી આમ જ ચાલ્યો આવે છે.
એક રીતે જોઇએ તો આ ફેરિયાઓને કારણે એસ.વી. રોડનો અડધો ભાગ રોકાઈ જાય છે અને ટ્રાફીક પણ સારો એવો જામ થઈ જાય છે પણ ત્યાં ગાડીઓ લઈને આવનારાઓ પણ વર્ષોથી ત્યાં નિયમિત ખાવા આવે જ છે! આ ફેરિયાઓ માટે પણ સરકાર કોઈ ખુલ્લા મેદાન જેવી કે બીજી કોઈ જગા પૂરી ન પાડી શકે જ્યાં રેકડીઓ લગાડી આ ફેરિયાઓ આજીવિકા રળી શકે?
રવિવાર, 2 ડિસેમ્બર, 2012
ગેસ્ટ બ્લોગ : રાષ્ટ્રીય પીણું ‘ચા’
- સ્મિતા જાની
ચા નો ઇતિહાસ રોમાંચક છે. ચાની શોધ ચીનમાં થઈ છે. ઇ.સ. પૂર્વે. ૨૭૩૭ માં ચીનના સમ્રાટ ‘સુમારસ શેનતુંગ’ એક ઝાડની નીચે બેસીને પાણી ગરમ કરી રહ્યા હતા, ત્યારે અનાયાસ એક વનસ્પતિના પાન એમાં પડી ગયા. તે એક જંગલી ચા વૃક્ષનું પત્તુ હતુ. થોડીવાર પછી તેમાંથી મીઠી સુંગધ આવવા લાગી. સમ્રાટે આ પીણું પીધું અને તેણે સ્ફૂર્તિ અને તાજગી અનુભવી. ત્યારબાદ આ પાંદડાને ઉકાળીને પીવાની શરૂઆત થઈ, તે આપણી ચા. ભારતીય પ્રજાનું સૌથી માનીતું ગરમ પીણું "ચાય" ના હૂલામણા નામે પણ ઓળખાય છે.
જનસંખ્યાની દ્રષ્ટીએ કોફી કરતાં ચા પીનારાઓની સંખ્યા વધુ હશે તેથી ભારત સરકારે ચાને રાષ્ટીય પીણું જાહેર કરવાનો નિણ્રય લીધો છે. ઇ.સ. પૂર્વે.ત્રીજી સદીમં ચા "તુ" અથવા "ટુ" તરીકે ઓળખાતી હતી. ઇ.સ. ૨૦૬ થી ૨૨૦ ના વર્ષમાં હેન સામ્રાજ્ય દરમ્યાન તેનુ નામાંકરણ કરી "ટુ" ને બદલે "ચા" કહેવાનું શરૂ થયું.
ચા આપણી સંસ્કૃતિમાં વણાઈ ગયેલું એક પીણું છે અને તે બધાને પરવડી શકે તેમ પણ છે. મહેમાનોની આગતા સ્વાગતા તેનાથી કરાય છે. તાજગી બક્ષતી ચા સ્વાસ્થ્યપ્રદ, સ્ફૂર્તીદાયક છે અને અમુક અંશે ઔષધીય ગુણ પણ ધરાવે છે.
આજે વિશ્વમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન કરતા દેશોમાં ભારત મોખરે છે. બીજા નંબરે ચીન છે. ‘કમેલીયા સાયનેન્સિસ’ કુળની વનસ્પતિ ‘ચા’ ના બંધારણમાં એન્ટિ ઓક્સિડન્ટ તત્વો સમાયેલાં છે જે હ્રદયરોગ અને કેન્સર અટકાવવામાં મદદરૂપ બને છે તેમજ ચરબી અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
જાપાનમાં ચા પીવાનો આરંભ ઇ.સ. ૮૦૦ ની સાલમાં થયો અને ચીન અને જાપાન બંને દેશોમાં તે રાષ્ટ્રીય પીણું બની ગયું. ચીન અને જાપાન માં લોકપ્રિયતાના શિખરે પહોચ્યાં પછી ઇ.સ ૧૫૬૦માં ચાએ યુરોપખંડમાં પ્રવેશ કર્યો. આમ ચા પોર્ટુગલ, ફ્રાંસ, હોલેન્ડ આને બાલ્ટીક દેશોમાં પીવાવા લાગી. ૧૮મી સદીમાં ચા ઈંગ્લેન્ડમાં રાષ્ટ્રીય પીણા તરીકે માન્યતા પામી તો શેતાનની સોબત કરાવે એવા ઉકાળા તરીકે ચા નો વિરોધ પણ થયો હતો. વળી બ્રિટનના વડાપ્રધાન ગ્લેડસ્ટન ચાના મોટા બંધાણી હતા. તેઓ રાત્રે સુતી વખતે ચા ભરેલું થર્મોસ પોતાની પાસે રાખતા હતા.
પશ્ચિમી દેશોમાં ‘પોટ ટી’ પીવાની પ્રથા પ્રચલિત છે. અસલ તિબેટ ના લોકો રોજના ૩૦થી ૭૫ કપ ચા ગટગટાવી જતા હતાં. તો આજે પણ ચાના શોખીન ચોવીસ કલાકમાં ગમે ત્યારે ચા પી શકે છે.
અત્યારે લગભગ ત્રણ હજાર જાતની ચા બજારમાં ઉપલબ્ધ છે છતાં આ તમામ જાત મુખ્ય છ જાતમાંથી જ તૈયાર કરવામાં આવે છે. ચા ની મુખ્ય છ જાતમાં સફેદ , લીલી, સુંગધી, કોમ્પ્રેસ્ડ કરેલી, કાળી અને ચીની જાતની ઓલોંગનો સમાવેશ થાય છે. ચા ના પાંદડા ચૂંટી લીધા પછી તેના પર વિવિધ પ્રક્રિયા કરવામાં આવે છે જેના કારણે તે અલગ અલગ જાતની બને છે.
વિશ્વમાં દરેક સ્થળે ચા બનાવવાની પધ્ધતિ જુદી જુદી છે. તિબેટમાં ચા પીરસવાને પવિત્ર માનવામાં આવે છે. જાપાનમાં "ચા નો થું" એટલે ગરમ પાણીની ચા એવો તહેવાર ઉજવાય છે.
ચા વિવિધ પ્રકારની કિંમતની હોય છે. તે રૂ. ૭૦થી લઇને રૂ. ૬૦૦૦ કીલોના ભાવની પણ હોય છે. અને સોનેરી પત્રીની ચા તો રૂ. ૧૮૦૦૦ થી રૂ. ૨૦૦૦૦ની કીલોના ભાવે પણ વેચાય છે. ચાના બગીચાઓમાં આધુનિક પધ્ધતિ દ્વારા ગુણવત્તાવાળી ચાનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂરત છે.
ચા માં કોઇ પોષક તત્વ નથી. ચા ના પ્રશંસકો કહે છે કે ચા શરીરના દરેક અવયવોમાં લોહી પહોંચાડે છે. મૂત્ર સાફ લાવે છે, જેથી કીડનીનો ચેપ થતો અટકે છે. ચામાં રહેલ ટેનિન થી પાચનશક્તિ નબળી પડે છે. કડક ચા માં ટેનિન વધારે હોવાથી તે એસીડીટી કારક પણ છે.
ઇ.સ. ૧૮૩૪ માં લોર્ડ વિલિયમ બેન્ટિકના પ્રયત્નથી ચાનું પ્રથમ વાવેતર આસામમાં થયું. ત્યાર પછી દક્ષિણ ભારતમાં ચાની ખેતીની શરૂઆત થઈ. એક સમય એવો હતો કે કંપનીઓ ચાના પ્રચાર માટે ભારતીયોને એક કપ ચા મફતમાં આપતી હતી. તે વખતે ચાને બનાવવા માટે ક્લાસ પણ લેવાતાં હતાં. આમ દુનિયાની લોકપ્રિય ચા નો પ્રચાર અને પ્રસાર થયો.
- સ્મિતા જાની
રવિવાર, 25 નવેમ્બર, 2012
આંધળુકીયું
કોઈ પણ બાબતને સારી કે ખરાબ ગણવી તે મોટે ભાગે સંજોગો પર આધાર રાખતું હોય છે. ગર્ભપાત એક એવી ક્રિયા છે જે પ્રથમ દ્રષ્ટીએ ખરાબ જ લાગે પણ જ્યારે ગર્ભવતી સ્ત્રીના પેટમાં ગર્ભના કુપોષણ કે પછી અન્ય કોઈ કારણસર ઉભી થયેલ સંકુલ પરિસ્થિતિને લીધે ગર્ભવતી સ્ત્રીનો જીવ જોખમમાં આવી જાય ત્યારે ગર્ભપાત જરૂરી જ નહિ અનિવાર્ય બની રહે છે. સ્ત્રીનો જીવ બચાવવો વધુ જરૂરી બની જાય છે.તે જીવિત રહેશે તો ફરી ગર્ભ ધારણ કરી જ શકશે. પણ આપણે ઘણી વાર આપણી જ સુવિધા કે સગવડ કે અનુશાસન માટે બનાવેલા નિયમોને લઈને એટલા જડ બની જઈએ છીએ કે સારાનરસાનું ભાન ગુમાવી બેસીએ છીએ અને સાચાખોટા વિષે વધુ ચિંતન કર્યા વગર અન્યાયી,અયોગ્ય અને ખોટો નિર્ણય લઈ બેસીએ છીએ. આયર્લેન્ડમાં તાજેતરમાં બનેલ સવિતા નામની એક યુવાન સ્ત્રી દંતચિકિત્સકના મોતની દુર્ઘટના બદલ આવું અવિચારી રૂઢીચૂસ્ત જડ વલણ જ જવાબદાર બની રહ્યું. તેને સત્તર અઠવાડિયા એટલે કે ચારેક મહિનાનો ગર્ભ હતો જે પૂર્ણપણે વિકસિત પણ ન હોવા છતાં ત્યાંના ડોક્ટર્સને તેના હ્રદયના ધબકારા સંભળાયા જ્યારે ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં તડપી રહેલી સવિતાની અસહ્ય વેદના તેમને ગણકારવા લાયક ન લાગી, તેનો જીવ બચાવવા અનિવાર્ય એવો ગર્ભપાત ખ્રિસ્તી ધર્મ પ્રમાણે પાપ ગણાતો હોવાને લીધે તેમને બિલકુલ જરૂરી ન લાગ્યો અને તેમણે એ અર્ધવિકસિત શિશુને બચાવવા જતાં જાણી જોઈને સવિતાની હત્યા કરી નાંખી. હા, આ હત્યા જ હતી. શિશુતો આમ પણ સવિતાના મૃત્યુ ને લીધે બચી ન જ શક્યું.
આ દુર્ઘટના આપણી માનવજાતની એક વરવી નબળાઈ છતી કરે છે.
આપણે કેટકેટલીયે રૂઢીઓને, પરંપરાઓને બસ અનુસર્યે રાખીએ છીએ. પ્રશ્ન પૂછ્યા વગર, એમ કરવા પાછળ કોઈ જાતનો તર્ક છે કે નહિ એ સમજ્યા વગર. ગાડરિયા પ્રવાહની જેમ. એક બહુ ઉચિત ગુજરાતી શબ્દ છે આ પ્રકારના વર્તન માટે: આંધળુકીયું.
બીજા બે ઉદાહરણ જોઇએ આ બાબતના.
બ્રાહમણ પુરૂષો જનોઈ પહેરે છે.લગભગ બધા જનોઈધારી બ્રાહ્મણો લઘુશંકા કે ગુરુશંકાએ (નહિ સમજાયું? એક નંબર કે બે નંબર!) જતી વેળાએ જનોઈ જમણા કાનની બૂટ પર ચડાવી દે છે.કોઈ એની પાછળનું કારણ નથી જાણતું. ભલભલા પંડિતોને પણ આમ કરવા પાછળનું સાચુ કારણ ખબર નથી.મેં ખૂબ રીસર્ચ કરી ત્યાર બાદ મને આ પાછળનું સાચુ તાર્કિક કારણ જાણવા મળ્યું. જૂના જમાનામાં બ્રાહ્મણો ખુલ્લામાં ગુરૂ શંકાએ જતાં. નીચે બેસવાનું હોય અને જનોઈનો દોરો લાંબો હોય.આથી તે માટીમાં રગદોળાઈ ગંદો ન થાય એ હેતુથી બ્રાહમણો તેને જમણા કાને લપેટી લેતા જેથી પવિત્ર જનોઈ મેલી ન થાય. હવે શહેરોમાં તો ઘેર ઘેર જાજરૂ આવી ગયા છે ત્યારે જનોઈને કાને ભરાવવાની કોઈ જરૂર મને જણાતી નથી. પણ ખરૂં કારણ જાણ્યા વગર આજે પણ લોકો આ પ્રથા અનૂસર્યે રાખે છે.
બીજી આવી એક પ્રણાલી છે સ્મશાનમાં ગયા બાદ મૃતદેહ બાળી આવ્યા પછી ઘણાં લોકો માને છે કે નાસ્તો કરવો જરૂરી છે. એ સિવાય પાછા ઘરે ન જવાય. કારણ? મોટા ભાગના ને ખબર નથી. લોજીક : ગામડાઓમાં ઘણી વાર સ્મશાન ખૂબ દૂર હોય અને ડાઘૂઓ પણ ચાલીને મડદાને ખભે ઉપાડી એટલે લાંબે ગયા હોય, ઘણાં લાંબા સમય સુધી કંઈ ખાધુ ન હોય આથી લાશ બાળ્યા બાદ, ફરી પાછા પોતાને ગામ ખાસ્સે દૂર ચાલીને જવાનું હોય આથી અશક્તિ ન આવી જાય અને શરીરમાં ખોરાક રૂપી ઇંધણ મળી રહે એ હેતુ થી લોકો નાસ્તો કરી લેતા અને પછી પોતાના ગામ તરફ પ્રયાણ કરતાં.હવે શહેરમાં સ્મશાન નજીક હોય ત્યારે વળી નાસ્તો કરી પાછા ઘેર આવવાની શી જરૂર? પણ આંધળૂકિયું!
ક્યારે આપણે જડ માનસિકતા ન અપનાવી જીવનમાં થોડા ફ્લેક્સીબલ બનવાનો પ્રયાસ કરીશું ? ગમે તે રીતરસમ અનુસરતા પહેલા તેની પાછળનું સાચું કારણ ચોક્કસ જાણી લઈએ તો કેટલું સારૂં! .
આ દુર્ઘટના આપણી માનવજાતની એક વરવી નબળાઈ છતી કરે છે.
આપણે કેટકેટલીયે રૂઢીઓને, પરંપરાઓને બસ અનુસર્યે રાખીએ છીએ. પ્રશ્ન પૂછ્યા વગર, એમ કરવા પાછળ કોઈ જાતનો તર્ક છે કે નહિ એ સમજ્યા વગર. ગાડરિયા પ્રવાહની જેમ. એક બહુ ઉચિત ગુજરાતી શબ્દ છે આ પ્રકારના વર્તન માટે: આંધળુકીયું.
બીજા બે ઉદાહરણ જોઇએ આ બાબતના.
બ્રાહમણ પુરૂષો જનોઈ પહેરે છે.લગભગ બધા જનોઈધારી બ્રાહ્મણો લઘુશંકા કે ગુરુશંકાએ (નહિ સમજાયું? એક નંબર કે બે નંબર!) જતી વેળાએ જનોઈ જમણા કાનની બૂટ પર ચડાવી દે છે.કોઈ એની પાછળનું કારણ નથી જાણતું. ભલભલા પંડિતોને પણ આમ કરવા પાછળનું સાચુ કારણ ખબર નથી.મેં ખૂબ રીસર્ચ કરી ત્યાર બાદ મને આ પાછળનું સાચુ તાર્કિક કારણ જાણવા મળ્યું. જૂના જમાનામાં બ્રાહ્મણો ખુલ્લામાં ગુરૂ શંકાએ જતાં. નીચે બેસવાનું હોય અને જનોઈનો દોરો લાંબો હોય.આથી તે માટીમાં રગદોળાઈ ગંદો ન થાય એ હેતુથી બ્રાહમણો તેને જમણા કાને લપેટી લેતા જેથી પવિત્ર જનોઈ મેલી ન થાય. હવે શહેરોમાં તો ઘેર ઘેર જાજરૂ આવી ગયા છે ત્યારે જનોઈને કાને ભરાવવાની કોઈ જરૂર મને જણાતી નથી. પણ ખરૂં કારણ જાણ્યા વગર આજે પણ લોકો આ પ્રથા અનૂસર્યે રાખે છે.
બીજી આવી એક પ્રણાલી છે સ્મશાનમાં ગયા બાદ મૃતદેહ બાળી આવ્યા પછી ઘણાં લોકો માને છે કે નાસ્તો કરવો જરૂરી છે. એ સિવાય પાછા ઘરે ન જવાય. કારણ? મોટા ભાગના ને ખબર નથી. લોજીક : ગામડાઓમાં ઘણી વાર સ્મશાન ખૂબ દૂર હોય અને ડાઘૂઓ પણ ચાલીને મડદાને ખભે ઉપાડી એટલે લાંબે ગયા હોય, ઘણાં લાંબા સમય સુધી કંઈ ખાધુ ન હોય આથી લાશ બાળ્યા બાદ, ફરી પાછા પોતાને ગામ ખાસ્સે દૂર ચાલીને જવાનું હોય આથી અશક્તિ ન આવી જાય અને શરીરમાં ખોરાક રૂપી ઇંધણ મળી રહે એ હેતુ થી લોકો નાસ્તો કરી લેતા અને પછી પોતાના ગામ તરફ પ્રયાણ કરતાં.હવે શહેરમાં સ્મશાન નજીક હોય ત્યારે વળી નાસ્તો કરી પાછા ઘેર આવવાની શી જરૂર? પણ આંધળૂકિયું!
ક્યારે આપણે જડ માનસિકતા ન અપનાવી જીવનમાં થોડા ફ્લેક્સીબલ બનવાનો પ્રયાસ કરીશું ? ગમે તે રીતરસમ અનુસરતા પહેલા તેની પાછળનું સાચું કારણ ચોક્કસ જાણી લઈએ તો કેટલું સારૂં! .
રવિવાર, 18 નવેમ્બર, 2012
સ્પીડ ડેટીંગ
આજનો જમાનો ઝડપનો છે. મુંબઈ જેવા મહાનગરમાં લોકોને બધું ઇન્સ્ટન્ટ જોઇએ છે. ફાસ્ટ ફૂડ,ફાસ્ટ ટ્રેન્સ,ફાસ્ટ ફોરવર્ડના યુગ પહેલા કોઇએ કલ્પના પણ કરી હશે કે એક સમય એવો પણ આવશે જ્યારે લોકોને આખી જિંદગી જેની સાથે પસાર કરવાની છે એ સાથીની પસંદગી માટે પણ 'ફાસ્ટ' એવું એક ઓપ્શન હશે જેમાં માત્ર ગણતરીની ક્ષણો માટે સામી વ્યક્તિ સાથે વાર્તાલાપ કર્યા બાદ 'હા' કે 'ના' નો નિર્ણય કદાચ તમને તમારો જીવનસાથી મેળવી આપવા જવાબદાર બનશે! કન્ફ્યુઝ્ડ? હું વાત કરી રહ્યો છું ‘સ્પીડ ડેટીંગ’ની! આજના બ્લોગમાં ઝડપથી(!) 'સ્પીડ ડેટીંગ'ની ચર્ચા કરી તમને આ નવા કન્સેપ્ટથી માહિતગાર કરાવવા છે!
સ્પીડ ડેટીંગમાં આયોજકો ઇચ્છુક યુવક-યુવતિઓના પ્રોફાઈલ્સ એકઠાં કરે,તેની વ્યવસ્થિત ચકાસણી કરે,યુવક-યુવતિઓનું બેકગ્રાઉન્ડ ચેક કરે અને ત્યારબાદ તેમને સ્પીડડેટીંગમાં ભાગ લેવાની પરવાનગી આપે.આ અતિ જરૂરી પગલું છે. કારણ યુવક-યુવતિ સમયના અભાવને લીધે સામેવાળાના બેકગ્રાઉન્ડ ચેક કરવાની પળોજણમાં ન પડવું પડે એટલે જ તો સ્પીડડેટીંગમાં ભાગ લેતા હોય છે! એટલે આવા કાર્યક્રમમાં આયોજક એજન્સીની વિશ્વસનિયતા અને તેણે કરેલી દરેક યુવક યુવતિના બેકગ્રાઉન્ડની ચકાસણી અતિ અગત્યના અને જરૂરી બની રહે છે.
હવે સ્પીડડેટીંગની રસપ્રદ પધ્ધતિ જોઇએ! જૂના જમાનામાં સ્વયંવર યોજાતા તેને મળતી આવે છે સ્પીડડેટીંગની રીતરસમ.એક માત્ર ફેર એટલો કે તેમાં એક જ વર કે વધૂ સામે અનેક પાત્રો જોતાં અને તેમાંથી એકને પસંદ કરતાં. સ્પીડડેટીંગમાં બધાં જ ભાગ લેનાર યુવક-યુવતિઓ સામે વાળા દરેક યુવક-યુવતિને થોડી જ ક્ષણો માટે મળે છે,તેની સાથે પાંચ-છ કે વધુમાં વધુ દસ મિનિટ વાર્તાલાપ કરે છે અને પછી નેક્સ્ટ ઉમેદવાર ઇચ્છુક યુવક-કે-યુવતિ તરફ આગળ વધે છે!
રાસ વાળા બ્લોગમાં જેમ બે સમકેન્દ્રિય વર્તુળોની વાત કરી હતી ને એવું જ કંઈક!બહાર તરફ ગોઠવેલી ખુરશી પર ધારોકે યુવતિઓ બેસે તો તેની સામે અંદર વર્તુળાકારે ગોઠવેલી ખુરશીમાં યુવાનો!તેઓ એકબીજાને ઓળખતા ન હોય!તેમને એકબીજાના નામ સુદ્ધા ખબર ન હોય.ખાલી તેમને રોલનંબર્સ આપવામાં આવ્યા હોય અને સાથે રફપેડ જેમાં તે સામે વાળી વ્યક્તિમાં કંઈ સારૂં લાગે તેની અને તે વ્યક્તિના નંબરની નોંધ રાખી શકે.ઘંટડી વાગે અને સ્પીડડેટીંગની શરૂઆત થાય!સામસામે બેઠેલા યુવક-યુવતિ નિયત સમય જેટલી ક્ષણોમાં સામે વાળી વ્યક્તિ સાથે વાતચીત કરી તેની સાથે પોતાની કમ્પેટેબિલિટી ચકાસે અને ગમે તો તેના નંબર અને સારી જણાતી બાબતોની નોંધ ટપકાવી લે.પછી ફરી ઘંટડી વાગે અને કોઈ પણ એક વર્તુળ (બહાર બેઠીલી યુવતિઓ કે અંદર બેઠેલા યુવાનો) આગળ વધે!ફરી નિયત સમય માટે યુગલ એકમેક સાથે પસંદગી-નાપસંદગી,કુટુંબ,વ્યવસાય કે શોખ અંગે સંક્ષિપ્ત ચર્ચા કરે અને ગમે તો નોંધ ટપકાવે અને ફરી ઘંટડી વાગે!આખું સત્ર ત્યારે પૂરૂં થાય જ્યારે દરેક યુવક-યુવતિ આ રીતે સામા બધાં જ પાત્રોને મળી લે.સત્રને અંતે દરેક યુવક યુવતિને થોડો સમય આપવામાં આવે જ્યારે તે સમીક્ષા-રીવીઝન કરી લે પોતાની નોંધનું.અને પછી જે યુવક-યુવતિઓએ ગમતાં નંબર નોંધ્યા હોય તેમને એ સામા યુવક-યુવતિઓના નામ અને ફોન તેમજ ઇમેલ જેવી અન્ય સંપર્ક માહિતી આયોજકો પૂરી પાડે!પછી તે યુવક યુવતિ પોતપોતાની રીતે બહાર મળી શકે! ડેટ પર જઈ શકે!અને યુગ્ય લાગે તો એ સામી વ્યક્તિ સાથે ઘરસંસાર પણ માંડી શકે!શરત એટલી જ કે સ્પીડડેટીંગ દરમ્યાન બંને પાત્રોએ એકમેકમાં રસ દાખવ્યો હોવો જોઇએ!જો કોઈ યુવકે દસ ગમતી યુવતિઓના નંબર નોંધ્યા હોય પણ તેનામાં એક પણ યુવતિએ રસ ન દાખવ્યો હોય તો તેને કોઈની સંપર્ક માહિતી મળે નહિ!જો કોઈ પ્રભાવશાળી યુવક કે યુવતિએ ઘણાં સામા પાત્રોમાં રસ દાખવ્યો હોય અને સામેથી તેનામાં પણ રસ દાખવવામાં આવ્યો હોય તો તે બધાં પાત્રોની માહિતી તેને મળે અને એ બધાં સામા પાત્રોને પણ એ પ્રભાવશાળી યુવક કે યુવતિની માહિતી આપવામાં આવે.
આપણે ત્યાં યોજાતા પરંપરાગત જ્ઞાતિ લગ્ન-મેળાવડાઓમાં કે મેરેજ્બ્યુરોઝ દ્વારા પણ આ સ્પીડડેટીંગનો પ્રયોગ અજમાવવામાં આવે તો તે રસપ્રદ બની રહે!
સ્પીડ ડેટીંગમાં આયોજકો ઇચ્છુક યુવક-યુવતિઓના પ્રોફાઈલ્સ એકઠાં કરે,તેની વ્યવસ્થિત ચકાસણી કરે,યુવક-યુવતિઓનું બેકગ્રાઉન્ડ ચેક કરે અને ત્યારબાદ તેમને સ્પીડડેટીંગમાં ભાગ લેવાની પરવાનગી આપે.આ અતિ જરૂરી પગલું છે. કારણ યુવક-યુવતિ સમયના અભાવને લીધે સામેવાળાના બેકગ્રાઉન્ડ ચેક કરવાની પળોજણમાં ન પડવું પડે એટલે જ તો સ્પીડડેટીંગમાં ભાગ લેતા હોય છે! એટલે આવા કાર્યક્રમમાં આયોજક એજન્સીની વિશ્વસનિયતા અને તેણે કરેલી દરેક યુવક યુવતિના બેકગ્રાઉન્ડની ચકાસણી અતિ અગત્યના અને જરૂરી બની રહે છે.
હવે સ્પીડડેટીંગની રસપ્રદ પધ્ધતિ જોઇએ! જૂના જમાનામાં સ્વયંવર યોજાતા તેને મળતી આવે છે સ્પીડડેટીંગની રીતરસમ.એક માત્ર ફેર એટલો કે તેમાં એક જ વર કે વધૂ સામે અનેક પાત્રો જોતાં અને તેમાંથી એકને પસંદ કરતાં. સ્પીડડેટીંગમાં બધાં જ ભાગ લેનાર યુવક-યુવતિઓ સામે વાળા દરેક યુવક-યુવતિને થોડી જ ક્ષણો માટે મળે છે,તેની સાથે પાંચ-છ કે વધુમાં વધુ દસ મિનિટ વાર્તાલાપ કરે છે અને પછી નેક્સ્ટ ઉમેદવાર ઇચ્છુક યુવક-કે-યુવતિ તરફ આગળ વધે છે!
રાસ વાળા બ્લોગમાં જેમ બે સમકેન્દ્રિય વર્તુળોની વાત કરી હતી ને એવું જ કંઈક!બહાર તરફ ગોઠવેલી ખુરશી પર ધારોકે યુવતિઓ બેસે તો તેની સામે અંદર વર્તુળાકારે ગોઠવેલી ખુરશીમાં યુવાનો!તેઓ એકબીજાને ઓળખતા ન હોય!તેમને એકબીજાના નામ સુદ્ધા ખબર ન હોય.ખાલી તેમને રોલનંબર્સ આપવામાં આવ્યા હોય અને સાથે રફપેડ જેમાં તે સામે વાળી વ્યક્તિમાં કંઈ સારૂં લાગે તેની અને તે વ્યક્તિના નંબરની નોંધ રાખી શકે.ઘંટડી વાગે અને સ્પીડડેટીંગની શરૂઆત થાય!સામસામે બેઠેલા યુવક-યુવતિ નિયત સમય જેટલી ક્ષણોમાં સામે વાળી વ્યક્તિ સાથે વાતચીત કરી તેની સાથે પોતાની કમ્પેટેબિલિટી ચકાસે અને ગમે તો તેના નંબર અને સારી જણાતી બાબતોની નોંધ ટપકાવી લે.પછી ફરી ઘંટડી વાગે અને કોઈ પણ એક વર્તુળ (બહાર બેઠીલી યુવતિઓ કે અંદર બેઠેલા યુવાનો) આગળ વધે!ફરી નિયત સમય માટે યુગલ એકમેક સાથે પસંદગી-નાપસંદગી,કુટુંબ,વ્યવસાય કે શોખ અંગે સંક્ષિપ્ત ચર્ચા કરે અને ગમે તો નોંધ ટપકાવે અને ફરી ઘંટડી વાગે!આખું સત્ર ત્યારે પૂરૂં થાય જ્યારે દરેક યુવક-યુવતિ આ રીતે સામા બધાં જ પાત્રોને મળી લે.સત્રને અંતે દરેક યુવક યુવતિને થોડો સમય આપવામાં આવે જ્યારે તે સમીક્ષા-રીવીઝન કરી લે પોતાની નોંધનું.અને પછી જે યુવક-યુવતિઓએ ગમતાં નંબર નોંધ્યા હોય તેમને એ સામા યુવક-યુવતિઓના નામ અને ફોન તેમજ ઇમેલ જેવી અન્ય સંપર્ક માહિતી આયોજકો પૂરી પાડે!પછી તે યુવક યુવતિ પોતપોતાની રીતે બહાર મળી શકે! ડેટ પર જઈ શકે!અને યુગ્ય લાગે તો એ સામી વ્યક્તિ સાથે ઘરસંસાર પણ માંડી શકે!શરત એટલી જ કે સ્પીડડેટીંગ દરમ્યાન બંને પાત્રોએ એકમેકમાં રસ દાખવ્યો હોવો જોઇએ!જો કોઈ યુવકે દસ ગમતી યુવતિઓના નંબર નોંધ્યા હોય પણ તેનામાં એક પણ યુવતિએ રસ ન દાખવ્યો હોય તો તેને કોઈની સંપર્ક માહિતી મળે નહિ!જો કોઈ પ્રભાવશાળી યુવક કે યુવતિએ ઘણાં સામા પાત્રોમાં રસ દાખવ્યો હોય અને સામેથી તેનામાં પણ રસ દાખવવામાં આવ્યો હોય તો તે બધાં પાત્રોની માહિતી તેને મળે અને એ બધાં સામા પાત્રોને પણ એ પ્રભાવશાળી યુવક કે યુવતિની માહિતી આપવામાં આવે.
આપણે ત્યાં યોજાતા પરંપરાગત જ્ઞાતિ લગ્ન-મેળાવડાઓમાં કે મેરેજ્બ્યુરોઝ દ્વારા પણ આ સ્પીડડેટીંગનો પ્રયોગ અજમાવવામાં આવે તો તે રસપ્રદ બની રહે!
મંગળવાર, 13 નવેમ્બર, 2012
અજબ ગજબ રીક્ષા!
ગયા અઠવાડિયે ખાર રોડથી ગોરેગામ રિક્ષામાં આવવાનું થયું.જે રીક્ષા મળી તેમાં બેસતા જ હું આભો બની ગયો!શું રિક્ષા હતી એ!અત્યાર સુધી હું જેટલી પણ રીક્ષાઓમાં બેઠો હોઈશ તેમાંની શ્રેષ્ઠ રીક્ષા હશે એ!તમને પ્રશ્ન થતો હશે કે આ રીક્ષામાં એવું તે શું હતું કે હું તેના આટલા વખાણ કરું છું.તો વાંચો એ વસ્તુઓની કે લાક્ષણિકતાઓની યાદી જે આ રીક્ષામાં હતી :
- નાનકડું ટી.વી. અને સાથે એ જ સ્ક્રીન પર રસ્તા પર પાછળ આવી રહેલા વાહનો જોઈ શકાય તેવો કેમેરો.
- સમય જોવા માટે નાનકડી ઘડિયાળ
- તારીખ,તિથી કે વાર જોવા નાનકડું કેલેન્ડર
- સફેદ નાનું પાટિયું જેના પર માર્કર પેનથી આજની તારીખ અને વાર લખ્યા હોય (મેં કન્ફર્મ પણ કર્યું કે હું જે તારીખ અને વારે રીક્ષામાં બેઠેલો તે બરાબર લખેલા હતાં!)
- ૨ નાનકડાં વિજળીથી ચાલતા પંખા
- નાની સરસ ટ્યુબલાઈટ
- સ્પીકર્સ
- દવા / પેઇન કિલ્લર્સ ની નાનકડી ડબ્બી
- કિલોમીટર અને તે મુજબનું ભાડુ બતાવતું અદ્યતન મીટર
- હાલના રીક્ષાના ભાડા દર્શાવતું કાર્ડ
- ત્રણ રૂપિયામાં હાલના રીક્ષા-ટેક્સીના ભાડા દરશાવતા કાર્ડની ફોટોકોપીસ(વાહ ડ્રાઈવરની ધંધાદારી સૂઝ!)
- નાનકડું અગ્નિશામક યંત્ર
- એક અંગ્રેજી અને એક મરાઠી છાપું
- બેઠક સામે વંચાય તેમ લગાડેલી તાત્કાલિક ટેલિફોન નંબર્સની યાદી
- ડ્રાઈવરની સંપર્ક માહિતી ધરાવતા કાર્ડ્સ
(તેના કાર્ડ પરની વિગત જુઓ!
COOL RICKSHAW IN BANDRA
EMAIL : deepakshewale10@gmail.com
Khar - Danda (MH02VA3984)
Mob : 9768617980
You can read about me on Google Search
Deepak Shewale Rickshaw)
- ડ્રાઈવર ઓળખ ક્રમાંક, લાયસન્સ, બેચ ક્રમાંકની વિગત
- તેની રીક્ષાનો સમય (બપોરે એક થી ચાર ડ્રાઈવરનો આરામનો સમય!)
- નાની ફૂલદાની
- રીક્ષામાં પગ રહે ત્યાં સરસ મજાના સ્વચ્છ ફ્લોરમેટ (આગળ અને પાછળ)
- રીક્ષાની અંદર તરફ બેઠકની આજુબાજુની દિવાલ પર પોચી સરસ મજાની ગાદી
- બેઠકની આજુબાજુ અને માથા પર કવર પર લગાડેલી તારક મહેતાના જેઠાલાલ,દયાભાભી અને અન્ય કલાકારો સાથે આ રીક્ષાના ડ્રાઈવરે પડાવેલી તસવીરો
- ભારતનો નાનકડો રાષ્ટ્રીય ધ્વજ
- હાથ વડે પકડી શકાય તેવા પ્લાસ્ટીક હેન્ડલ્સ
- રીક્ષામાં જ્યાં ખાલી જગા બચી હશે ત્યાં અને જ્યાં તમારી નજર પહોંચી શકે એ દરેક શક્ય જગાએ કેટલાક રમૂજી તો કેટલાક સમજવા લાયક સૂત્રો પેઈન્ટ કરાવેલા વાંચવા મળશે.:
* સર્વ ધર્મ સંદેશ : "અપને ધર્મ પે ચલો સબ સે પ્રેમ કરો"
* Respect is commanded, not demanded
* Dont put your Beautiful Legs up! Visit again
* think good do good.
* બાત કરને સે બાત બનતી હૈ...
* સીધી બાત નો બકવાસ
* કફન મે જેબ નહિ હોતી
* મૌત રિશ્વત નહિ લેતી
* First impression is last impression
* પ્યોર ઈટ ..કોઇ શક?
(આ સૂત્રો પરથી અને બીજી કેટલીક ઉપયોગી માહિતી વાંચ્યા બાદ ખ્યાલ આવે કે દીપક માત્ર રીક્ષા ચલાવવાનું જ કામ નથી કરતો પણ સાથે સાથે વિશ્વની ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ ચર્ચવા સાથે સાથે કઈ રીતે ઈકો ફ્રેન્ડલી બની શકાય તેની ટીપ્સ લખી સમાજ અને દેશ સેવાનું ભગીરથ કાર્ય પણ કરે છે!)
હવે આટલી લાંબીલચક યાદી જોયા બાદ તમને લાગે છે મારે કંઈ વધારે લખવાની જરૂર છે?પૂરા ચાર પૈડા પણ ન ધરાવતી ટચૂકડી રીક્ષામાં પણ (રીક્ષાને ત્રણ જ પૈડાં હોય છે ને?!) આ નોખા રીક્ષા ડ્રાઈવરે કેકેટલી સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે! જે માત્ર કાબેલેતારીફ, 'હટ કે' જ નહિ પણ આપણને ઘણું શિખવી પણ જાય છે! દીપક શેવાલે રીક્ષાને માત્ર કમાવાના સાધન તરીકે જ નથી નિહાળતો. તે નાનામાં નાની જગાનો પણ પૂરેપૂરો ઉપયોગ કરી કસ્ટમર સેટીસ્ફેકશન જ નહિ, માનવ સેવાનું પણ અનુપમ અને બેજોડ ઉદાહરણ પૂરું પાડે છે. ઘણી વાર જીવનમાં કોઈ નવી શરૂઆત કરીએ ત્યારે અત્યુત્સાહ જોવા મળે જે સમય સાથે ઓસરી જતો જોવા મળે પણ સસ્મિત ચહેરો અને એકવડો બાંધો ધરાવતો દીપક ૧૨ વર્ષથી આ રીક્ષા ચલાવતો હોવા છતાં, તેના કાર્ય અભિગમમાં લેશમાત્ર કંટાળો કે નિરુત્સાહ જોવા મળતા નથી. સલામ દીપક શેવાલેને અને તેની રિક્ષાને! દીપકની આ રીક્ષા જોવા ગૂગલ પર સર્ચ કરી અથવા પ્રત્યક્ષ આ રેઅક્ષા મહારાણીમાં બેસવાનો લહાવો લેવા તમે દીપકને તેના ૯૭૬૮૬૧૭૯૮૦ આ મોબાઈલ નંબર પર સંપર્ક કરી જો જો!
- નાનકડું ટી.વી. અને સાથે એ જ સ્ક્રીન પર રસ્તા પર પાછળ આવી રહેલા વાહનો જોઈ શકાય તેવો કેમેરો.
- સમય જોવા માટે નાનકડી ઘડિયાળ
- તારીખ,તિથી કે વાર જોવા નાનકડું કેલેન્ડર
- સફેદ નાનું પાટિયું જેના પર માર્કર પેનથી આજની તારીખ અને વાર લખ્યા હોય (મેં કન્ફર્મ પણ કર્યું કે હું જે તારીખ અને વારે રીક્ષામાં બેઠેલો તે બરાબર લખેલા હતાં!)
- ૨ નાનકડાં વિજળીથી ચાલતા પંખા
- નાની સરસ ટ્યુબલાઈટ
- સ્પીકર્સ
- દવા / પેઇન કિલ્લર્સ ની નાનકડી ડબ્બી
- કિલોમીટર અને તે મુજબનું ભાડુ બતાવતું અદ્યતન મીટર
- હાલના રીક્ષાના ભાડા દર્શાવતું કાર્ડ
- ત્રણ રૂપિયામાં હાલના રીક્ષા-ટેક્સીના ભાડા દરશાવતા કાર્ડની ફોટોકોપીસ(વાહ ડ્રાઈવરની ધંધાદારી સૂઝ!)
- નાનકડું અગ્નિશામક યંત્ર
- એક અંગ્રેજી અને એક મરાઠી છાપું
- બેઠક સામે વંચાય તેમ લગાડેલી તાત્કાલિક ટેલિફોન નંબર્સની યાદી
- ડ્રાઈવરની સંપર્ક માહિતી ધરાવતા કાર્ડ્સ
(તેના કાર્ડ પરની વિગત જુઓ!
COOL RICKSHAW IN BANDRA
EMAIL : deepakshewale10@gmail.com
Khar - Danda (MH02VA3984)
Mob : 9768617980
You can read about me on Google Search
Deepak Shewale Rickshaw)
- ડ્રાઈવર ઓળખ ક્રમાંક, લાયસન્સ, બેચ ક્રમાંકની વિગત
- તેની રીક્ષાનો સમય (બપોરે એક થી ચાર ડ્રાઈવરનો આરામનો સમય!)
- નાની ફૂલદાની
- રીક્ષામાં પગ રહે ત્યાં સરસ મજાના સ્વચ્છ ફ્લોરમેટ (આગળ અને પાછળ)
- રીક્ષાની અંદર તરફ બેઠકની આજુબાજુની દિવાલ પર પોચી સરસ મજાની ગાદી
- બેઠકની આજુબાજુ અને માથા પર કવર પર લગાડેલી તારક મહેતાના જેઠાલાલ,દયાભાભી અને અન્ય કલાકારો સાથે આ રીક્ષાના ડ્રાઈવરે પડાવેલી તસવીરો
- ભારતનો નાનકડો રાષ્ટ્રીય ધ્વજ
- હાથ વડે પકડી શકાય તેવા પ્લાસ્ટીક હેન્ડલ્સ
- રીક્ષામાં જ્યાં ખાલી જગા બચી હશે ત્યાં અને જ્યાં તમારી નજર પહોંચી શકે એ દરેક શક્ય જગાએ કેટલાક રમૂજી તો કેટલાક સમજવા લાયક સૂત્રો પેઈન્ટ કરાવેલા વાંચવા મળશે.:
* સર્વ ધર્મ સંદેશ : "અપને ધર્મ પે ચલો સબ સે પ્રેમ કરો"
* Respect is commanded, not demanded
* Dont put your Beautiful Legs up! Visit again
* think good do good.
* બાત કરને સે બાત બનતી હૈ...
* સીધી બાત નો બકવાસ
* કફન મે જેબ નહિ હોતી
* મૌત રિશ્વત નહિ લેતી
* First impression is last impression
* પ્યોર ઈટ ..કોઇ શક?
(આ સૂત્રો પરથી અને બીજી કેટલીક ઉપયોગી માહિતી વાંચ્યા બાદ ખ્યાલ આવે કે દીપક માત્ર રીક્ષા ચલાવવાનું જ કામ નથી કરતો પણ સાથે સાથે વિશ્વની ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ ચર્ચવા સાથે સાથે કઈ રીતે ઈકો ફ્રેન્ડલી બની શકાય તેની ટીપ્સ લખી સમાજ અને દેશ સેવાનું ભગીરથ કાર્ય પણ કરે છે!)
હવે આટલી લાંબીલચક યાદી જોયા બાદ તમને લાગે છે મારે કંઈ વધારે લખવાની જરૂર છે?પૂરા ચાર પૈડા પણ ન ધરાવતી ટચૂકડી રીક્ષામાં પણ (રીક્ષાને ત્રણ જ પૈડાં હોય છે ને?!) આ નોખા રીક્ષા ડ્રાઈવરે કેકેટલી સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે! જે માત્ર કાબેલેતારીફ, 'હટ કે' જ નહિ પણ આપણને ઘણું શિખવી પણ જાય છે! દીપક શેવાલે રીક્ષાને માત્ર કમાવાના સાધન તરીકે જ નથી નિહાળતો. તે નાનામાં નાની જગાનો પણ પૂરેપૂરો ઉપયોગ કરી કસ્ટમર સેટીસ્ફેકશન જ નહિ, માનવ સેવાનું પણ અનુપમ અને બેજોડ ઉદાહરણ પૂરું પાડે છે. ઘણી વાર જીવનમાં કોઈ નવી શરૂઆત કરીએ ત્યારે અત્યુત્સાહ જોવા મળે જે સમય સાથે ઓસરી જતો જોવા મળે પણ સસ્મિત ચહેરો અને એકવડો બાંધો ધરાવતો દીપક ૧૨ વર્ષથી આ રીક્ષા ચલાવતો હોવા છતાં, તેના કાર્ય અભિગમમાં લેશમાત્ર કંટાળો કે નિરુત્સાહ જોવા મળતા નથી. સલામ દીપક શેવાલેને અને તેની રિક્ષાને! દીપકની આ રીક્ષા જોવા ગૂગલ પર સર્ચ કરી અથવા પ્રત્યક્ષ આ રેઅક્ષા મહારાણીમાં બેસવાનો લહાવો લેવા તમે દીપકને તેના ૯૭૬૮૬૧૭૯૮૦ આ મોબાઈલ નંબર પર સંપર્ક કરી જો જો!
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)


