Blog URL : http://govindmaru.wordpress.com/2010/05/07/d-panchal/
એક હબસી ટુરીસ્ટે ભારતનો પ્રવાસ કર્યા બાદ તેની ડાયરીમાં લખેલું, ‘ઈન્ડીયા ઈઝ અ ડર્ટી કન્ટ્રી.’ કોઈ હબસી ભારત વીશે આવું સર્ટીફીકેટ આપી જાય તે ભારતની ગંદકી પર આઈ.એસ.આઈ.ની મહોર લાગ્યા જેવી બાબત ગણાય. (સુરતમાં થોડા દીવસ ફર્યા પછી તે એવું લખવા પ્રેરાયો હશે એવી ધારણા હતી; પણ ડાકોર અને બેટ દ્વારકાની ગંદકી નીહાળ્યા પછી લાગ્યું કે ત્યાંથી જ તેને આવું લખવાની પ્રેરણા મળી હશે.) ડાકોર અને બેટ દ્વારકાની ગંદકી સગી બહેનો જેવી છે. ડાકોરના રસ્તા પર દીનદહાડે છોકરા ઝાડે બેસવાનું સ્વાતંત્ર્ય ભોગવે છે. ગોમતીઘાટનું એક દૃશ્ય સ્મૃતીમાંથી ખસતું નથી. થોડીક ટુરીસ્ટ સ્ત્રીઓ બાળકોએ બગાડેલાં કપડાં ધોઈ રહી હતી. એક ફરસાણની દુકાનનો નોકર તેલવાળા વાસણો પાણીમાં ઝબોળી રહ્યો હતો. બાજુમાં એક કુતરો કોહી ગયેલું નારીયેળ ખાઈ રહ્યો હતો. આ બધાંથી દુષીત થયેલું પાણી લીલું ઝેર જેવું જણાતું હતું. થોડે દુર શ્રદ્ધાળુઓ હથેળીમાં એ પાણી લઈ ચરણામૃતની જેમ પીતા હતા. પગ બોળો તો ગંદા થઈ જાય એવું પાણી લોકો શ્રદ્ધાને નામે પેટમાં પધરાવતા હતા. શ્રદ્ધા શ્રદ્ધાને સ્થાને ઠીક છે; પણ તેને માટે આરોગ્યશાસ્ત્રના નીયમોને નેવે મુકો તો પુણ્ય નહીં; હૉસ્પીટલ મળે. એ જમાનો વહી ગયો જ્યાં ભગવાન ભરોસે મીરાંબાઈ ઝેરનો કટોરો પી ગયેલાં. હવે ઝેરનાં સરનામાં બદલાયાં છે. ઝેર માત્ર ‘પૉઈઝન’ના લેબલવાળી શીશીમાં જ નથી હોતું; આઈસક્રીમ કે રસમલાઈમાં પણ હોય છે. અરે… ! ભગવાનના પ્રસાદમાં પણ છુપાયેલું હોય છે. એક મહીના પહેલાંના સત્યનારાયણના પ્રસાદ પર ફુગ આવી ગઈ હતી. તે ફેંકી દેવાને બદલે શ્રદ્ધાપુર્વક આરોગી જતી એક ડોસીને મેં નજરે જોયેલી. માની લઈએ કે પ્રસાદનો અનાદર ન કરાય; પણ ઝેરનોય ના કરીએ તો મોક્ષ નહીં ‘જશલોક’ મળે.
ધાર્મીક સ્થળોની આસપાસ આટલી ગંદકી કેમ હોતી હશે એ વાત મેં ઘણી વાર મંદીરના ફરસ પર બેસી વીચારી છે. એ બે વચ્ચે માણસ પુલ બને છે. માણસ ભગવાનનું ઘર સ્વચ્છ રાખવા મથે છે; પણ પોતાની અસ્વચ્છતા દરગુજર કરે છે. ભગવાનના થાળ માટે જેટલી કાળજી લે છે તેટલી પોતાના ભોજનથાળ માટે નથી લેતો. પ્રસાદમાં એકાદ જીવડું મરી ગયેલું જણાય તો બધો પ્રસાદ ફેંકી દેતો માણસ, દાળમાંથી નીકળેલા વાંદાને નજરઅંદાજ કરી દે છે. પીવાનું પાણી ચરણામૃત જેટલું ચોખ્ખું હોવું જોઈએ એવો તે આગ્રહ નથી રાખતો. પુજા કરતાં પહેલાં એ પ્રભુની મુર્તી ધુએ; પણ જમતાં પહેલાં હાથ ન ધુએ. પુજારી રોજ કૃષ્ણનું પીતાંબર બદલે; પણ પોતાનું ધોતીયું મેલુંદાટ હોય. રોજ એ દીવો કરે; પણ દાઢી ન કરે.
મંદીરો કે ધાર્મીક સ્થળોએ યોજાતા ‘મહાપ્રસાદ’માં થાળી–વાટકા ઠીક સાફ ન થયાં હોય તેવું વેઠી લેવું પડે છે. તે પર આગલા ભોજનના અવશેષો વળગેલા હોય તે જોઈએ ત્યારે પવીત્ર સ્થળને બદલે કોઈ ભંગાર લૉજમાં જમવા બેઠા હોય એવું લાગ્યા વીના ના રહે… ! આવા ઘણા વાંધાઓને કારણે મીત્રોએ મારા નામ પર ‘નાસ્તીક’ની મહોર મારી છે. પણ શ્રદ્ધાને નામે ફુગવાળો શીરો ખાઈ જવો એ શ્રદ્ધા નહીં; અબૌદ્ધીકતા ગણાય. ધાર્મીકતા અને ગંદકી વચ્ચેની આવી અશોભનીય જુગલબન્ધી સાચા આસ્તીકને કદી ન પરવડવી જોઈએ. ફક્ત બે મીનીટ નીચેના પ્રશ્નને ફાળવો. અસ્વચ્છતાથી કોને હાની પહોંચી શકે – જીવતાજાગતા માણસને કે ભગવાનની મુર્તીને ? મંદીરની આસપાસની ગંદકી ભક્તોની સ્વરચીત નીપજ હોય છે. મંદીરનાં સંડાસો, આપણને મળના ઢગલાથી ઉભરાતાં રેલવેનાં સંડાસોની યાદ અપાવે છે. બાથરુમમાં લીલ બાઝી હોય, અંદરથી પેશાબની તીવ્ર દુર્ગન્ધ આવતી હોય, મંદીરનાં પગથીયાં આગળ બગડેલાં નાળીયેરો ફેંક્યાં હોય, એ બધામાં ડાકોરના ઠાકોરનો કેટલો વાંક ? પવીત્રતા નાકથી સહન થાય એટલી જ ગંદી હોવી જોઈએ, એથી વધુ નહીં. મારું ચાલે તો દરેક મંદીરોની બહાર પાટીયાં મરાવી દઉં : ‘ઈશ્વર માત્ર મંદીરમાં જ નહીં; બહાર પણ વસે છે. એને શ્રીફળ કરતાં સ્વચ્છતા વધુ પસંદ છે. આરતીના ઘોંઘાટ કરતાં નીરવતા વધુ પસંદ છે. એથી શાંતી અને સ્વચ્છતાને જ ઉત્તમ પ્રભુભક્તી ગણવા ભક્તોને હાર્દીક અપીલ છે.’ સંતો અને ધર્મપંડીતો લોકોને ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવવા પરસેવો પાડી રહ્યા છે. ધાર્મીકતા તેમનું એક માત્ર લક્ષ્ય છે. ધાર્મીક કહેવડાવતો માણસ કેવી ખરાબ રીતે જીવે છે તે તરફ તેમનું ધ્યાન ભાગ્યે જ જાય છે. દરેકના હાથમાં માળા હોય તેવો આગ્રહ રાખતો ધર્મગુરુ, એ વાતને નજરઅંદાજ કરે છે કે ગલ્લા પર બેઠેલો માણસ દીવસમાં કેટલાં કાળાં કર્મો કરે છે. શ્રદ્ધા કે ભક્તી અમાનવતાના વરખમાં લપેટાયેલી હોય તે શા કામની ? મા દીકરાને ખુબ વહાલ કરે; પણ તેનું ગળતું નાક સાફ કરવાનું તેને ન શીખવે તેવો ઘાટ થાય છે. શ્રદ્ધાળુઓએ યાદ રાખવું પડશે. વાળી ઝુડીને સાફ કરેલા આંગણામાં જ રંગોળી શોભે. ગંદા આંગણામાં શોભતી નથી. જીવનની સ્લેટ સાફ કર્યા પછી જ તે પર ધર્મનો એકડો ચીતરી શકાય. આપણે એવા દીવસની પ્રતીક્ષા કરીએ, જેમાં મોરારીબાપુ તેમની કથામાં રામાયણ કે વેદ-ઉપનીષદ સમજાવવાની સાથોસાથ માણસની ગંદી કુટેવો માટેય બે શબ્દો કહે. માણસ નવ દીવસ સુધી કથા સાંભળે અને ઘરે જતી વેળા ચાલુ બસે બહાર એવી રીતે થુંકે છે કે ક્યાં તો એ રસ્તે ચાલતા રાહદારી પર પડે ક્યાં પાછલી સીટ પર બેઠેલા મુસાફરના મોઢા પર પડે. એ થોડાંક થુંકમાં આખું રામાયણ ધોવાઈ જાય છે. (મોરારીબાપુની કથા વખતે પાલાની મુતરડીઓની પુરી વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં; બહાર ગમે ત્યાં ઉભા રહી પેશાબ કરતા ભક્તોને નજરે જોયા છે.)
આપણા ધર્મપ્રેમીઓને ધર્મ પુર્વે સ્વચ્છતાની મહત્તા સમજાય તે જરુરી છે. મળસ્કે પાંચ વાગે ઉઠીને ગીતા વાંચતા માણસના ઘરમાં ઢગલેબંધ કચરો ખુણેખાંચરે પડ્યો હોય ત્યારે એ વાત સાચી લાગે છે. ગીતા હાથમાં લઈ મનનો કચરો સાફ કરતાં પહેલાં ઘરનો કચરો સાફ ન કરો તો કૃષ્ણ કેવી રીતે રાજી થાય ? ગંદા ઘરમાં ધર્મની રંગોળી શોભતી નથી. ભક્તોને પુજાપાઠ વડે ધાર્મીક સ્થળો ગંદાં કરવાનો અધીકાર ન હોવો જોઈએ. પવીત્રતા ગંદકીના વરખમાં લપેટાયેલી હોય એ સ્થીતી સામે પહેલો વાંધો આસ્તીકોને જ હોવો જોઈએ. આપણા દેવો નસીબદાર છે. માણસ દેવનું ઘર સાફસુથરું રાખે છે. પણ પોતાના ઘરની તો ગમે તેવી ગંદકીને એ ગાંઠતો નથી. (અહીં નરી આંખે દેખાતી ભૌતીક ગંદકીની જ વાત કરી છે… માણસના મનના ગોડાઉનની પાર વીનાની વૈચારીક ગંદકીનો એમાં સમાવેશ થતો નથી.) મધર ટેરેસાએ ખોટું નથી કહ્યું. ‘ઈશ્વર તમને ઘોંઘાટ અને અજંપામાં નહીં મળે. એ તો મૌનનો મીત્ર છે. આપણે એટલા માટે સ્વચ્છ અને પવીત્ર રહેવું જોઈએ કે ઈશ્વર આપણામાં રહી શકે… !’
-દીનેશ પાંચાલ (નવસારી)
રવિવાર, 23 મે, 2010
બુધવાર, 19 મે, 2010
મોટરમેનોની હડતાળને લીધે રઝળી પડ્યાનો અનુભવ
એ દિવસે સવારે જ મહેસાણાથી બોરિવલી રાણકપુર એકસ્પ્રેસ દ્વારા આવતી વેળાએ જબરદસ્ત કંટાળાનો અનુભવ થયો.વિરારથી બોરિવલી સુધી સામાન્ય રીતે ફાસ્ટ લોકલમાં અડધો કલાક લાગે તેની જગાએ રાણકપુર એકસ્પ્રેસે પૂરા કલાક કરતાં પણ વધુ સમય લીધો. મલાડ મારે ઘેર પહોંચી ફ્રેશ થઈ વાંદ્રામાં આવેલી મારી ઓફિસ પહોંચતા સુધીમાં સાડાબાર-એક જેવો સમય થઈ ગયો આથી સાંજે ઓફિસેથી મોડા જ નિકળવુ પડે એવી પરિસ્થિતી નિર્માણ થઈ.છતાં પોણા આઠ સુધી સમય કેમેય કરીને પસાર કર્યા બાદ ઓફિસની બસ દ્વારા વાંદ્રા પહોંચવાનું નક્કી કર્યુ.પણ હંમેશની જેમ એક-બે મિનિટ મોડા પડતા બસ ચૂકી જવાયું અને ત્યાં રસ્તા પર ચાલતી વખતે જ ઓફિસમાંથી એક મિત્રનો ફોન આવ્યો કે લોકલ ગાડીઓ મોટરમેનોની હડતાળને કારણે બંધ છે આથી મારે હાઈવે પરથી સીધી મલાડ જતી બસ પકડી લેવી.પણ મેં તેની વાત ગણકારી નહિં.
મને એમ કે સ્ટેશન પહોંચી એકાદ ટ્રેન તો મળી જ જશે.આમેય ગિર્દી ધરાવતી ટ્રેનમાં ચઢવા-ઉતરવા હું સારી રીતે ટેવાયેલો જ છું.પણ ટ્રેનો સાવ જ બંધ જ થઈ જશે એવી મેં કલ્પના કરેલી નહિં.સ્ટેશને પહોંચી બાંકડે બેસી અખબાર વાંચવું શરૂ કર્યું,ટ્રેનની રાહ જોતા જોતા. પણ આખું અખબાર વાંચી રહ્યા બાદ પણ ટ્રેન આવી નહિં.રેલ્વે અનાઉન્સમેન્ટ હવે મેં ગંભીરતાથી સાંભળવાની શરૂઆત કરી.રેલવેવાળા પ્રવાસીઓને વાંદ્રા સ્ટેશન બહાર ખાસ શરૂ કરાયેલી બેસ્ટની બસ સેવાનો લાભ લેવીનું કહી રહ્યા હતા.મને ખૂબ નવાઈ લાગી.લગભગ સવા આઠે વાંદ્રા બસ ડેપોથી મેં ખીચોખીચ ભરેલી બસ અંધેરી જવા માટે પકડી.જવું હતું તો મલાડ સુધી પણ વાંદ્રા ડેપોથી કોઈ બસ સીધી મલાડ સુધી નહતી અને સ્ટેશનથી ડેપો વચ્ચે નજીવુ અંતર હોવા છતા અહિં બસ સુધી પહોંચતા જ મને દસ મિનિટ જેવો સમય લાગ્યો.એક બાઈક વાળાએ તો તેના બાઈકનું પૈડુ મારા પગ પર ચડાવવામાં કંઈ બાકી જ રાખ્યુ નહોતુ, પણ મારા સદનસીબે મને જરાય ઇજા પહોંચી નહિં.આટલી ગિર્દીમાં હું એની સાથે જીભાજોડી પણ શું કરું.બસ વાંદ્રા ડેપોથી જ શરૂ થતી હોઈ મને ચડવા તો મળી ગયું પણ ખૂબ ભીડ અને ગરમીને કારણે અન્ય બધા પ્રવાસીઓની જેમ જ મારી પણ હાલત ખરાબ થઈ ગઈ.
વાંચવાનો ભારે શોખ એટલે જન્મભૂમિની રવિપૂર્તિ મધૂવન કાઢી આટલી ગરમી અને ગિર્દીમાં પણ ઉભા ઉભા વાંચવાનું શરૂ કરી દીધુ.ખભે લટકાવેલી બેગ સાથે અગવડતા પડી રહી હતી.સાથે જ બેગ પર આટલી ભીડમાં કોઈ ચીરો મારી પાકીટ ચોરી લેશે એવો ભય પણ સતત લાગ્યા કર્યો. આમ છતા પાસેની સીટ પર બેસેલા મારા જેવા જ યુવાન સહપ્રવાસીની મારી બેગ તેના ખોળામાં રાખવાની દરખાસ્ત મેં ખબર નહિં શા માટે નકારી કાઢી!'મારી બારીએથી','કોફી હાઉસ' અને 'આસવ' વાંચી કાઢ્યા ત્યાં કંડક્ટર મહોદય આવી પહોંચ્યા અને મેં જેમ તેમ કરી બેગમાંથી પૈસા કાઢી ટિકિટ કઢાવી.બસની બારીમાંથી બહાર નજર નાંખતા બસ-સ્ટોપ પર, બીજી બસોમાં લોકોના ટોળેટોળા નજરે પડ્યા.મોટરમેનોની હડતાળની સજા મુંબઈગરાઓ ભોગવી રહ્યા હતા.વેસ્ટર્નથી સેન્ટ્રલ કે વેસ્ટર્નમાં જ ચર્ચગેટથી બોરિવલી કે વિરાર સુધી જવા ઇચ્છતા હજારો,સોરી, લાખો લોકો અટવાઈ ગયા હતા.
ખૂબ ગરમી લાગી રહી હોવાથી પરસેવો ખૂબ થતો હતો પણ એના ટીપાં પાસે જ નીચે બેઠેલા સહપ્રવાસી પર પડે એ પહેલા મેં રૂમાલથી મોં લૂછી કાઢ્યું.મહા મુસીબતે અંધેરી આવ્યું અને હું બસમાંથી માંડ માંડ ઉતરી શક્યો. વિચાર આવ્યો સ્ટેશન નજીક જ છે તો લાવ જોવાદે કદાચ ટ્રેન શરૂ થઈ ગઈ હોય અથવા ખાસ અંધેરીથી શરૂ થવાની હોય ને મને બેસીને (!) ઘેર જવા મળે.પણ મારી આ આશા ઠગારી નિવડી.અંધેરી પર વિરાર જવા માટેની લોકલ લાગેલી તો હતી પણ ખીચોખીચ ભરેલી અને તે આગળ વધવાનું નામ નહોતી લઈ રહી.ફરી પાછો હું રસ્તા પર આવી ચાલવા લાગ્યો.
મલાડ જતી એક-બે બસ દેખાઈ પણ એમાં ગિર્દી જોઈ મેં નક્કી જ કરી લીધું કે હવે તો રિક્ષા જ પકડી લેવી.પણ ખાલી રીક્ષાયે મળવી તો જોઇએને?ખેર મેં આગળ ચાલવા માંડ્યુ. મારી સાથે બીજા ઘણા લોકો ચાલી ને આગળ જઈ રહ્યા હતા. કેટલાક મારી જેમ રીક્ષા પણ શોધી રહ્યા હતા.ચાલતા ચાલતા મને વિચાર આવ્યો શું હડતાલ એક જ રસ્તો છે મોટરમેનો પાસે પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવાનો?તેમની હડતાળને લીધે આમ લાખો લોકો રસ્તા પર રઝળી જાય એ યોગ્ય કહેવાય?સરકાર પાસે આનો કોઈ વિકલ્પ હોવો જોઇએ. અને આ હડતાળ પણ સાવ અણધારી અને ઓચિંતી તો નહોતી જ મોટરમેનો એ અગાઉ તેની જાહેરાત કરી હતી તો પછી સરકારે કેમ આગોતરા પગલા ન લીધા?દોઢ-બે દિવસ પછી આપેલી કાનૂની ધારા લગાડવાની ચિમકી આટલા સમય બાદ કેમ અપાઈ?કેટલાય મોટોરમેનો ને ઉપવાસ પર ઉતરી હોસ્પિટલ ભેગા ય થવું પડ્યુ.પગાર વધારો બધાને જોઇએ છે પણ ક્યારેય કોઈ ગંભીરતાથી નિષ્ઠાપૂર્વક કામ કરવાનું વિચારે છે ખરા?બીજી બાજુ સરકારે પણ કર્મચારીઓની હાલત વિષે વિચારવું જોઇએ.એક અખબારમાં વાંચ્યા મુજબ મોટરમેનો પાસે ઓવરટાઈમ કરાવી ૧૪-૧૫ કલાક સુધી કામ ખેંચવામાં આવે છે જે અમાનુષી છે.વધારાના મોટરમેનોને શા માટે ભરતી કરવામાં આવતા નથી?સાથે જ સરકારે પ્રોએક્ટીવ બનવાની પણ જરૂર છે.આગોતરી જાણ કર્યા બાદ મોટરમેનો હડતાલ પર ઉતરે અને લગભગ બે દિવસ બાદ,લાખો પ્રવાસીઓ હાલાકી ભોગવી લે છે ત્યાર બાદ,કેટલાય પ્રવસીઓને ઘણા બધા રૂપિયાનું નુક્સાન થઈ ગયા બાદ સરકારને SEMA ધારા લાગુ પાડવાનું સુઝે છે,આ ચિમકી જો પહેલા જ આપી દેવાઈ હોત તો હડતાલની નોબત જ ન આવત.
ખેર આ બધા વિચારો કરતા કરતા,થાકેલો અને પરસેવે રેબઝેબ હું અંધેરી થી પગપાળા મલાડ તરફ જઈ રહ્યો હતો,એ આશા સાથે કે મને રિક્ષા મળી જાય.મારી નજર કોઈક પરિચિત નો ચહેરો પણ શોધી રહી હતી વાહનચાલકોની ભીડમાં.રખે ને કોઈ ઓળખીતુ મળી જાય તો મને લિફ્ટ મળી જાય.પણ મારા નસીબમાં એ રાતે ચાલવાનું લખ્યું હશે!એકાદ કિલોમીટરનું અંતર ચાલતા ચાલતા કપાઈ ગયું.રસ્તામાં અનેક લોકોને મેં ફોર-વ્હીલર કારમાં કે પછી સ્કૂટર,બાઈક્સ પર એકલા આગળ વધતા જોયા.તેઓ રસ્તા પર બાજુમાં ચાલી રહેલા મારા જેવા લોકોની દયનીય સ્થિતી જોઈ રહ્યા હતા પણ કોઈ કોઈને મદદ કે લિફ્ટ ઓફર કરી રહ્યું નહોતું.શું એમાના કોઈએ કાર-પુલિંગ શબ્દ નહિ સાંભળ્યો હોય?કેટલાય એકલા રિક્ષામાં બેસી જઈ રહેલા પ્રવાસીઓને તો મેં ટ્રાફિકમાં તેમની રિક્ષા અટકતા પૂછ્યું પણ ખરું કે તેઓ મલાડ તરફ જઈ રહ્યા છે? પણ કોઈએ હા ના પાડી.છેવટે જોગેશ્વરી પાસે એક રિક્ષા ખાલી થતી જોઈ જે બે કારખાનામાં કામ કરતા બે માણસોએ પકડી લીધી હતી.પણ મેં તેમને વિનંતી કરી કે મને પણ તેમની સાથે બેસવા દે.તેઓ મલાડ જ જઈ રહ્યા હતા અને રિક્ષા વાળો પણ ભલો માણસ હતો જે પરિસ્થિતી નો લાભ લઈ વધુ પૈસા પડાવી લેવાની વ્રુતી ધરાવતો ન હતો અને તે મીટરથી મલાડ આવવા તૈયાર થઈ ગયો.
વાતો વાતોમાં ખબર પડી કે તેઓ બંને કિંગસર્કલ પાસે ક્યાંક કામ કરતા હતા પણ અટવાઈ જતા મલાડ તેમના કોઈ સગાવહાલાને ત્યાં રોકાઈ જવા જઈ રહ્યા હતા.તેમાનાં એકનો આખો પરિવાર પણ ક્યાંક ફસાઈ ગયો હતો અને તે સતત તેમની સાથે મોબાઈલ પર વાત કરી સંપર્કમાં રહેતો હતો.આવા તો કંઈ કેટલાય લોકો-વ્રુદ્ધો-અપંગો-બાળકો-પરિવારો એ રાતે અટવાઈ ગયા હશે. આખરે મલાડ આવ્યું પેલા બે જણને સ્ટેશન પાસે ઉતરવું હતું આથી તેઓ ઉતરી જાય ત્યાર બાદ હું રીક્ષા વધુ આગળ લઈ જઈશ એમ મેં નક્કી કર્યું પણ સ્ટેશનથી થોડે દૂર રીક્ષા બગડી અને અમારે ત્રણે જણે ત્યાં જ ઉતરી જવું પડ્યુ.(આભાર ભગવાનનો કે રીક્ષા અધવચ્ચે ન બગડતા મલાડ નજીક જ બગડી!)મેં રીક્ષાવાળાને પાંચ રૂપિયા વધુ આપી પેલા બીજા બે જણનો આભાર માન્યો અને ચાલવા માંડ્યુ મારા ઘર તરફ. આ અનુભવ ક્યારેય નહિં ભૂલાય!
મને એમ કે સ્ટેશન પહોંચી એકાદ ટ્રેન તો મળી જ જશે.આમેય ગિર્દી ધરાવતી ટ્રેનમાં ચઢવા-ઉતરવા હું સારી રીતે ટેવાયેલો જ છું.પણ ટ્રેનો સાવ જ બંધ જ થઈ જશે એવી મેં કલ્પના કરેલી નહિં.સ્ટેશને પહોંચી બાંકડે બેસી અખબાર વાંચવું શરૂ કર્યું,ટ્રેનની રાહ જોતા જોતા. પણ આખું અખબાર વાંચી રહ્યા બાદ પણ ટ્રેન આવી નહિં.રેલ્વે અનાઉન્સમેન્ટ હવે મેં ગંભીરતાથી સાંભળવાની શરૂઆત કરી.રેલવેવાળા પ્રવાસીઓને વાંદ્રા સ્ટેશન બહાર ખાસ શરૂ કરાયેલી બેસ્ટની બસ સેવાનો લાભ લેવીનું કહી રહ્યા હતા.મને ખૂબ નવાઈ લાગી.લગભગ સવા આઠે વાંદ્રા બસ ડેપોથી મેં ખીચોખીચ ભરેલી બસ અંધેરી જવા માટે પકડી.જવું હતું તો મલાડ સુધી પણ વાંદ્રા ડેપોથી કોઈ બસ સીધી મલાડ સુધી નહતી અને સ્ટેશનથી ડેપો વચ્ચે નજીવુ અંતર હોવા છતા અહિં બસ સુધી પહોંચતા જ મને દસ મિનિટ જેવો સમય લાગ્યો.એક બાઈક વાળાએ તો તેના બાઈકનું પૈડુ મારા પગ પર ચડાવવામાં કંઈ બાકી જ રાખ્યુ નહોતુ, પણ મારા સદનસીબે મને જરાય ઇજા પહોંચી નહિં.આટલી ગિર્દીમાં હું એની સાથે જીભાજોડી પણ શું કરું.બસ વાંદ્રા ડેપોથી જ શરૂ થતી હોઈ મને ચડવા તો મળી ગયું પણ ખૂબ ભીડ અને ગરમીને કારણે અન્ય બધા પ્રવાસીઓની જેમ જ મારી પણ હાલત ખરાબ થઈ ગઈ.
વાંચવાનો ભારે શોખ એટલે જન્મભૂમિની રવિપૂર્તિ મધૂવન કાઢી આટલી ગરમી અને ગિર્દીમાં પણ ઉભા ઉભા વાંચવાનું શરૂ કરી દીધુ.ખભે લટકાવેલી બેગ સાથે અગવડતા પડી રહી હતી.સાથે જ બેગ પર આટલી ભીડમાં કોઈ ચીરો મારી પાકીટ ચોરી લેશે એવો ભય પણ સતત લાગ્યા કર્યો. આમ છતા પાસેની સીટ પર બેસેલા મારા જેવા જ યુવાન સહપ્રવાસીની મારી બેગ તેના ખોળામાં રાખવાની દરખાસ્ત મેં ખબર નહિં શા માટે નકારી કાઢી!'મારી બારીએથી','કોફી હાઉસ' અને 'આસવ' વાંચી કાઢ્યા ત્યાં કંડક્ટર મહોદય આવી પહોંચ્યા અને મેં જેમ તેમ કરી બેગમાંથી પૈસા કાઢી ટિકિટ કઢાવી.બસની બારીમાંથી બહાર નજર નાંખતા બસ-સ્ટોપ પર, બીજી બસોમાં લોકોના ટોળેટોળા નજરે પડ્યા.મોટરમેનોની હડતાળની સજા મુંબઈગરાઓ ભોગવી રહ્યા હતા.વેસ્ટર્નથી સેન્ટ્રલ કે વેસ્ટર્નમાં જ ચર્ચગેટથી બોરિવલી કે વિરાર સુધી જવા ઇચ્છતા હજારો,સોરી, લાખો લોકો અટવાઈ ગયા હતા.
ખૂબ ગરમી લાગી રહી હોવાથી પરસેવો ખૂબ થતો હતો પણ એના ટીપાં પાસે જ નીચે બેઠેલા સહપ્રવાસી પર પડે એ પહેલા મેં રૂમાલથી મોં લૂછી કાઢ્યું.મહા મુસીબતે અંધેરી આવ્યું અને હું બસમાંથી માંડ માંડ ઉતરી શક્યો. વિચાર આવ્યો સ્ટેશન નજીક જ છે તો લાવ જોવાદે કદાચ ટ્રેન શરૂ થઈ ગઈ હોય અથવા ખાસ અંધેરીથી શરૂ થવાની હોય ને મને બેસીને (!) ઘેર જવા મળે.પણ મારી આ આશા ઠગારી નિવડી.અંધેરી પર વિરાર જવા માટેની લોકલ લાગેલી તો હતી પણ ખીચોખીચ ભરેલી અને તે આગળ વધવાનું નામ નહોતી લઈ રહી.ફરી પાછો હું રસ્તા પર આવી ચાલવા લાગ્યો.
મલાડ જતી એક-બે બસ દેખાઈ પણ એમાં ગિર્દી જોઈ મેં નક્કી જ કરી લીધું કે હવે તો રિક્ષા જ પકડી લેવી.પણ ખાલી રીક્ષાયે મળવી તો જોઇએને?ખેર મેં આગળ ચાલવા માંડ્યુ. મારી સાથે બીજા ઘણા લોકો ચાલી ને આગળ જઈ રહ્યા હતા. કેટલાક મારી જેમ રીક્ષા પણ શોધી રહ્યા હતા.ચાલતા ચાલતા મને વિચાર આવ્યો શું હડતાલ એક જ રસ્તો છે મોટરમેનો પાસે પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવાનો?તેમની હડતાળને લીધે આમ લાખો લોકો રસ્તા પર રઝળી જાય એ યોગ્ય કહેવાય?સરકાર પાસે આનો કોઈ વિકલ્પ હોવો જોઇએ. અને આ હડતાળ પણ સાવ અણધારી અને ઓચિંતી તો નહોતી જ મોટરમેનો એ અગાઉ તેની જાહેરાત કરી હતી તો પછી સરકારે કેમ આગોતરા પગલા ન લીધા?દોઢ-બે દિવસ પછી આપેલી કાનૂની ધારા લગાડવાની ચિમકી આટલા સમય બાદ કેમ અપાઈ?કેટલાય મોટોરમેનો ને ઉપવાસ પર ઉતરી હોસ્પિટલ ભેગા ય થવું પડ્યુ.પગાર વધારો બધાને જોઇએ છે પણ ક્યારેય કોઈ ગંભીરતાથી નિષ્ઠાપૂર્વક કામ કરવાનું વિચારે છે ખરા?બીજી બાજુ સરકારે પણ કર્મચારીઓની હાલત વિષે વિચારવું જોઇએ.એક અખબારમાં વાંચ્યા મુજબ મોટરમેનો પાસે ઓવરટાઈમ કરાવી ૧૪-૧૫ કલાક સુધી કામ ખેંચવામાં આવે છે જે અમાનુષી છે.વધારાના મોટરમેનોને શા માટે ભરતી કરવામાં આવતા નથી?સાથે જ સરકારે પ્રોએક્ટીવ બનવાની પણ જરૂર છે.આગોતરી જાણ કર્યા બાદ મોટરમેનો હડતાલ પર ઉતરે અને લગભગ બે દિવસ બાદ,લાખો પ્રવાસીઓ હાલાકી ભોગવી લે છે ત્યાર બાદ,કેટલાય પ્રવસીઓને ઘણા બધા રૂપિયાનું નુક્સાન થઈ ગયા બાદ સરકારને SEMA ધારા લાગુ પાડવાનું સુઝે છે,આ ચિમકી જો પહેલા જ આપી દેવાઈ હોત તો હડતાલની નોબત જ ન આવત.
ખેર આ બધા વિચારો કરતા કરતા,થાકેલો અને પરસેવે રેબઝેબ હું અંધેરી થી પગપાળા મલાડ તરફ જઈ રહ્યો હતો,એ આશા સાથે કે મને રિક્ષા મળી જાય.મારી નજર કોઈક પરિચિત નો ચહેરો પણ શોધી રહી હતી વાહનચાલકોની ભીડમાં.રખે ને કોઈ ઓળખીતુ મળી જાય તો મને લિફ્ટ મળી જાય.પણ મારા નસીબમાં એ રાતે ચાલવાનું લખ્યું હશે!એકાદ કિલોમીટરનું અંતર ચાલતા ચાલતા કપાઈ ગયું.રસ્તામાં અનેક લોકોને મેં ફોર-વ્હીલર કારમાં કે પછી સ્કૂટર,બાઈક્સ પર એકલા આગળ વધતા જોયા.તેઓ રસ્તા પર બાજુમાં ચાલી રહેલા મારા જેવા લોકોની દયનીય સ્થિતી જોઈ રહ્યા હતા પણ કોઈ કોઈને મદદ કે લિફ્ટ ઓફર કરી રહ્યું નહોતું.શું એમાના કોઈએ કાર-પુલિંગ શબ્દ નહિ સાંભળ્યો હોય?કેટલાય એકલા રિક્ષામાં બેસી જઈ રહેલા પ્રવાસીઓને તો મેં ટ્રાફિકમાં તેમની રિક્ષા અટકતા પૂછ્યું પણ ખરું કે તેઓ મલાડ તરફ જઈ રહ્યા છે? પણ કોઈએ હા ના પાડી.છેવટે જોગેશ્વરી પાસે એક રિક્ષા ખાલી થતી જોઈ જે બે કારખાનામાં કામ કરતા બે માણસોએ પકડી લીધી હતી.પણ મેં તેમને વિનંતી કરી કે મને પણ તેમની સાથે બેસવા દે.તેઓ મલાડ જ જઈ રહ્યા હતા અને રિક્ષા વાળો પણ ભલો માણસ હતો જે પરિસ્થિતી નો લાભ લઈ વધુ પૈસા પડાવી લેવાની વ્રુતી ધરાવતો ન હતો અને તે મીટરથી મલાડ આવવા તૈયાર થઈ ગયો.
વાતો વાતોમાં ખબર પડી કે તેઓ બંને કિંગસર્કલ પાસે ક્યાંક કામ કરતા હતા પણ અટવાઈ જતા મલાડ તેમના કોઈ સગાવહાલાને ત્યાં રોકાઈ જવા જઈ રહ્યા હતા.તેમાનાં એકનો આખો પરિવાર પણ ક્યાંક ફસાઈ ગયો હતો અને તે સતત તેમની સાથે મોબાઈલ પર વાત કરી સંપર્કમાં રહેતો હતો.આવા તો કંઈ કેટલાય લોકો-વ્રુદ્ધો-અપંગો-બાળકો-પરિવારો એ રાતે અટવાઈ ગયા હશે. આખરે મલાડ આવ્યું પેલા બે જણને સ્ટેશન પાસે ઉતરવું હતું આથી તેઓ ઉતરી જાય ત્યાર બાદ હું રીક્ષા વધુ આગળ લઈ જઈશ એમ મેં નક્કી કર્યું પણ સ્ટેશનથી થોડે દૂર રીક્ષા બગડી અને અમારે ત્રણે જણે ત્યાં જ ઉતરી જવું પડ્યુ.(આભાર ભગવાનનો કે રીક્ષા અધવચ્ચે ન બગડતા મલાડ નજીક જ બગડી!)મેં રીક્ષાવાળાને પાંચ રૂપિયા વધુ આપી પેલા બીજા બે જણનો આભાર માન્યો અને ચાલવા માંડ્યુ મારા ઘર તરફ. આ અનુભવ ક્યારેય નહિં ભૂલાય!
લેબલ્સ:
"motormen strike",
strike
રવિવાર, 25 એપ્રિલ, 2010
નારીત્વનો મહિમા વધારતી એક સન્નારી...
અગાઉ એક બ્લોગમાં મારા એક ઓફિસના મિત્ર અને સહકર્મચારી અનિલ જવાહરાની અને તેમના મોજીલા-ગમતીલા સ્વભાવની વાત કરેલી.આજે આ બ્લોગમાં એવી એક મહિલા વિષે વાત કરવી છે જે બીજી અનેક સ્ત્રીઓને પ્રેરણા મળી શકે એવી રીતે જીવન જીવી રહી છે. નામ છે એનું ડિમ્પલ ઉપાધ્યાય. ડિમ્પલ એટલે મારી બહેન તેજલની સૌથી નિકટતમ સખી.હું તેને મારા બાળપણના સમયથી ઓળખું.હું મારા થી છ વર્ષ મોટી મારી બહેન તેજલ અને તેની જ સમવયસ્ક ડિમ્પલ સાથે જ મોટો થયો છું.ડિમ્પલ એટલે એક બિન્ધાસ્ત વ્યક્તિત્વ.તેને તેનાથી નાની બીજી ત્રણ બહેનો અને ચારે છોકરીઓ તેમના માતાપિતાને ખૂબ વહાલી.આજે ડિમ્પલ તેના પતિ અને તેમની બે જુવાન પુત્રીઓ સાથે સુખપૂર્વક જીવે છે.પણ હું તો ડિમ્પલને તે પોતે એક નાની બાળકી હતી ત્યારથી ઓળખું.
હવે મને જણાવવા દો કે આ ડિમ્પલ પર આખો એક બ્લોગ શા માટે? હું ડિમ્પલને માન આપું છું અને તેની પ્રશંસા કરું છું તેના અત્યુત્સાહી અને ધગશ તેમજ ઝિંદાદિલી ભર્યા સ્વભાવને લીધે.તે હંમેશા સ્ફૂર્તિ અને પોઝીટીવિટીથી છલકતી જોવા મળે.તે શાળાજીવન દરમ્યાન ભણવામાં એક સામાન્ય વિદ્યાર્થીની હતી અને તેણે કોમર્સમાં સ્નાતક સુધી અભ્યાસ કર્યો.તે મારી બહેનની શ્રેષ્ઠ મિત્ર હોવાથી તેણે મારી બહેનના કપરા કાળ વખતે હંમેશા તેને સાથ આપ્યો છે.તે આજે પણ સદાય મારી બહેનના પડખે ઉભી રહેવા તૈયાર અને તેણે દરેક યોગ્ય સમયે મારી બહેનને જરૂરી સાચી સલાહ આપી છે.આજે પણ તેઓ સાથે શોપિંગ કરવા કે ફરવા કે દૂરના કોઈ મંદિરે દર્શન કરવા ઘણી વાર જોડે જાય.
ડિમ્પલમાં બીજાયે ઘણાં શીખવા લાયક ગુણો ભર્યા છે.તે બોલ્ડ છે.તે એક આધુનિક નારી છે.તે ડ્રાઈવિંગ પણ કરી જાણે છે અને સ્વિમિંગ શિખવાનીયે ઇચ્છા ધરાવે છે.તે પોતાની સ્કૂટી પર દિકરીને ટ્યુશન મૂકવા પણ જાય અને ક્યારેક પિતાની કાર પણ ફેરવે.તે શેર ની લેવેચમાં પણ ખાસ્સો રસ ધરાવે અને એમાંથી સારુ એવું કમાઈ પણ લે છે.(મેં ક્યાંક વાંચેલુ કે ભલે ઓછી સ્ત્રીઓ શેરબજારમાં રસ લે છે પણ જેઓ રસ લે છે તે બધી પુરુષો કરતાં ઘણું સારુ કમાઈ જાણે છે!મારી એક ઓફિસની મિત્રની માતાએ પણ નિવૃત્ત થયા બાદ શેરોમાં સક્રિય રસ લેવા માંડ્યો અને ફક્ત સેસાગોઆ જેવી એક મજબૂત કંપનીના શેરમાં રોકાણ થકી કરેલી કમાણીમાંથી મારી મિત્રના લગ્ન અને તેના ભાઈની વિદેશમાં અભ્યાસની ફીનો ખર્ચ કાઢી લીધો!) ડિમ્પલ તેના પિતાને તેમના વ્યવસાયમાં પણ મદદ કરે અને ઘરનાં બધા કામોયે ઝપાટાબંધ, કુશળતા અને ખૂબી પૂર્વક નિભાવી જાણે.તે પોતાની નાની બહેનો માટે પણ પ્રેરણાનો સ્રોત બની રહી છે.એક સારી પુત્રી,સારી બહેન,સારી માતા,સારી પત્નિ અને સારી સખી એમ બધી ભુમિકાઓ ડિમ્પલ સુંદર રીતે જીવી જાણે છે.
હું જ્યારે ડિમ્પલને મળું ત્યારે તે કંઈક નવું શિખતી હોય!તે મને નિયમિત રીતે નવા માં નવા સોફ્ટ્વેર વિષે કે સારી સારી વેબસાઈટ વિષે અને ઇન્ટરનેટ વિષે પ્રશ્નો પૂછ્યા કરતી હોય છે.તે એક ઉત્સાહી વિદ્યાર્થીનીની જેમ મારી પાસે બેસી ઇન્ટરનેટ ના પાઠ તેના રોજબરોજના ઉપયોગ માટે તેમજ બિઝનેસ માટે શિખી હતી અને મારી સાથે બેસીને જ તેણે પોતાનું પહેલું ઇમેલ આઈડી પણ બનાવ્યુ હતું. તેણે અનેક નાનામોટા વ્યવસાય કર્યા છે.તેણે સૌંદર્ય પ્રસાધનોના માર્કેટીંગ થી માંડી બ્યુટી ટ્રીટમેંટ આપવાના અનુભવ પણ લીધા છે.તેણે પોતાના વ્યવસાયને લગતા અને બીજા પણ ઘણા રસપ્રદ વિષયો પર સેમિનાર અટેન્ડ કર્યા છે.તે ક્યારેક સાડીમાં પણ સજ્જ થયેલી જોવા મળે તો ક્યારેક કોર્પોરેટ વુમનના પ્રોફેશનલ લિબાસમાં પણ દેખાય!
છેલ્લે હું જ્યારે તેને મળ્યો ત્યારે તે અકાઉંટીંગના 'ટેલી' પેકેજ શિખવાના વર્ગમાં જોડાઈ હતી.મેં તેને પૂછ્યું હવે આ શા માટે? તો તેણે જવાબ આપ્યો:મેં 'ટેલી' વિષે ખૂબ સાંભળ્યુ હતુ અને મારે જાણવુ હતું કે એમાં એવું શું છે જેથી તે સારું એવું લોકપ્રિય છે.બી.કોમના દિવસોમાં હું અકાઉંટીંગ તો શીખી જ હતી તો મને થયું લાવ મારી કોમ્પ્યુટર કુશળતાનો પણ કંઈક સારો ઉપયોગ કરવા દે!
ડિમ્પલ હંમેશા કંઈક નવુ કરવાની કે શિખવાની વેતરણમાં જ હોય!તેને મેં ક્યારેય ઘરમાં નવરી બેઠેલી તો જોઈ જ નથી.તે માત્ર એક સામાન્ય ગૃહિણી ન બની રહેતાં સતત પોતાનું જ્ઞાન વધારતી રહે છે અને તેને ઉપયોગમાં પણ મૂકે છે.તે કસરત પણ કરે છે,યોગા પણ અને સ્વાદિષ્ટ રસોઈ પણ બનાવી જાણે છે.તેની દિકરીઓને ભણાવવાનો પણ ક્યારેક વારો આવે તો ડિમ્પલબેન એ માટે તૈયાર!તો ક્યારેક તેની દિકરીઓ માટે સ્કૂલનો કોઈક પ્રોજેક્ટ પણ તૈયાર કરવાનો હોય તો ડિમ્પલ ગૂગલ અને બીજા શક્ય એટલા પર્યાય વાપરી તે યોગ્ય સમયે તૈયાર કરી નાંખે.ડિમ્પલના પતિ જયવંત ઉપાધ્યાય પણ પોતાની પત્નિને ખૂબ ચાહે છે અને ડિમ્પલ જેવી પત્ની મેળવવા બદલ ગૌરવ અનુભવે છે.
શાબાશ ડિમ્પલ !હું ઇચ્છુ છું કે મારી પત્ની,માતા,બહેનો અને આ બ્લોગ વાંચનાર દરેક મહિલા તારી પાસેથી કંઈક શીખે અને સ્ત્રીત્વનો મહિમા વધારે...!
હવે મને જણાવવા દો કે આ ડિમ્પલ પર આખો એક બ્લોગ શા માટે? હું ડિમ્પલને માન આપું છું અને તેની પ્રશંસા કરું છું તેના અત્યુત્સાહી અને ધગશ તેમજ ઝિંદાદિલી ભર્યા સ્વભાવને લીધે.તે હંમેશા સ્ફૂર્તિ અને પોઝીટીવિટીથી છલકતી જોવા મળે.તે શાળાજીવન દરમ્યાન ભણવામાં એક સામાન્ય વિદ્યાર્થીની હતી અને તેણે કોમર્સમાં સ્નાતક સુધી અભ્યાસ કર્યો.તે મારી બહેનની શ્રેષ્ઠ મિત્ર હોવાથી તેણે મારી બહેનના કપરા કાળ વખતે હંમેશા તેને સાથ આપ્યો છે.તે આજે પણ સદાય મારી બહેનના પડખે ઉભી રહેવા તૈયાર અને તેણે દરેક યોગ્ય સમયે મારી બહેનને જરૂરી સાચી સલાહ આપી છે.આજે પણ તેઓ સાથે શોપિંગ કરવા કે ફરવા કે દૂરના કોઈ મંદિરે દર્શન કરવા ઘણી વાર જોડે જાય.
ડિમ્પલમાં બીજાયે ઘણાં શીખવા લાયક ગુણો ભર્યા છે.તે બોલ્ડ છે.તે એક આધુનિક નારી છે.તે ડ્રાઈવિંગ પણ કરી જાણે છે અને સ્વિમિંગ શિખવાનીયે ઇચ્છા ધરાવે છે.તે પોતાની સ્કૂટી પર દિકરીને ટ્યુશન મૂકવા પણ જાય અને ક્યારેક પિતાની કાર પણ ફેરવે.તે શેર ની લેવેચમાં પણ ખાસ્સો રસ ધરાવે અને એમાંથી સારુ એવું કમાઈ પણ લે છે.(મેં ક્યાંક વાંચેલુ કે ભલે ઓછી સ્ત્રીઓ શેરબજારમાં રસ લે છે પણ જેઓ રસ લે છે તે બધી પુરુષો કરતાં ઘણું સારુ કમાઈ જાણે છે!મારી એક ઓફિસની મિત્રની માતાએ પણ નિવૃત્ત થયા બાદ શેરોમાં સક્રિય રસ લેવા માંડ્યો અને ફક્ત સેસાગોઆ જેવી એક મજબૂત કંપનીના શેરમાં રોકાણ થકી કરેલી કમાણીમાંથી મારી મિત્રના લગ્ન અને તેના ભાઈની વિદેશમાં અભ્યાસની ફીનો ખર્ચ કાઢી લીધો!) ડિમ્પલ તેના પિતાને તેમના વ્યવસાયમાં પણ મદદ કરે અને ઘરનાં બધા કામોયે ઝપાટાબંધ, કુશળતા અને ખૂબી પૂર્વક નિભાવી જાણે.તે પોતાની નાની બહેનો માટે પણ પ્રેરણાનો સ્રોત બની રહી છે.એક સારી પુત્રી,સારી બહેન,સારી માતા,સારી પત્નિ અને સારી સખી એમ બધી ભુમિકાઓ ડિમ્પલ સુંદર રીતે જીવી જાણે છે.
હું જ્યારે ડિમ્પલને મળું ત્યારે તે કંઈક નવું શિખતી હોય!તે મને નિયમિત રીતે નવા માં નવા સોફ્ટ્વેર વિષે કે સારી સારી વેબસાઈટ વિષે અને ઇન્ટરનેટ વિષે પ્રશ્નો પૂછ્યા કરતી હોય છે.તે એક ઉત્સાહી વિદ્યાર્થીનીની જેમ મારી પાસે બેસી ઇન્ટરનેટ ના પાઠ તેના રોજબરોજના ઉપયોગ માટે તેમજ બિઝનેસ માટે શિખી હતી અને મારી સાથે બેસીને જ તેણે પોતાનું પહેલું ઇમેલ આઈડી પણ બનાવ્યુ હતું. તેણે અનેક નાનામોટા વ્યવસાય કર્યા છે.તેણે સૌંદર્ય પ્રસાધનોના માર્કેટીંગ થી માંડી બ્યુટી ટ્રીટમેંટ આપવાના અનુભવ પણ લીધા છે.તેણે પોતાના વ્યવસાયને લગતા અને બીજા પણ ઘણા રસપ્રદ વિષયો પર સેમિનાર અટેન્ડ કર્યા છે.તે ક્યારેક સાડીમાં પણ સજ્જ થયેલી જોવા મળે તો ક્યારેક કોર્પોરેટ વુમનના પ્રોફેશનલ લિબાસમાં પણ દેખાય!
છેલ્લે હું જ્યારે તેને મળ્યો ત્યારે તે અકાઉંટીંગના 'ટેલી' પેકેજ શિખવાના વર્ગમાં જોડાઈ હતી.મેં તેને પૂછ્યું હવે આ શા માટે? તો તેણે જવાબ આપ્યો:મેં 'ટેલી' વિષે ખૂબ સાંભળ્યુ હતુ અને મારે જાણવુ હતું કે એમાં એવું શું છે જેથી તે સારું એવું લોકપ્રિય છે.બી.કોમના દિવસોમાં હું અકાઉંટીંગ તો શીખી જ હતી તો મને થયું લાવ મારી કોમ્પ્યુટર કુશળતાનો પણ કંઈક સારો ઉપયોગ કરવા દે!
ડિમ્પલ હંમેશા કંઈક નવુ કરવાની કે શિખવાની વેતરણમાં જ હોય!તેને મેં ક્યારેય ઘરમાં નવરી બેઠેલી તો જોઈ જ નથી.તે માત્ર એક સામાન્ય ગૃહિણી ન બની રહેતાં સતત પોતાનું જ્ઞાન વધારતી રહે છે અને તેને ઉપયોગમાં પણ મૂકે છે.તે કસરત પણ કરે છે,યોગા પણ અને સ્વાદિષ્ટ રસોઈ પણ બનાવી જાણે છે.તેની દિકરીઓને ભણાવવાનો પણ ક્યારેક વારો આવે તો ડિમ્પલબેન એ માટે તૈયાર!તો ક્યારેક તેની દિકરીઓ માટે સ્કૂલનો કોઈક પ્રોજેક્ટ પણ તૈયાર કરવાનો હોય તો ડિમ્પલ ગૂગલ અને બીજા શક્ય એટલા પર્યાય વાપરી તે યોગ્ય સમયે તૈયાર કરી નાંખે.ડિમ્પલના પતિ જયવંત ઉપાધ્યાય પણ પોતાની પત્નિને ખૂબ ચાહે છે અને ડિમ્પલ જેવી પત્ની મેળવવા બદલ ગૌરવ અનુભવે છે.
શાબાશ ડિમ્પલ !હું ઇચ્છુ છું કે મારી પત્ની,માતા,બહેનો અને આ બ્લોગ વાંચનાર દરેક મહિલા તારી પાસેથી કંઈક શીખે અને સ્ત્રીત્વનો મહિમા વધારે...!
લેબલ્સ:
"woman of substance",
naaree,
stree
સોમવાર, 19 એપ્રિલ, 2010
શતાબ્દીમાં યાત્રાનો એક યાદગાર અનુભવ
ગુણવત્તા ચીજવસ્તુઓને જુદા પાડે છે.સામાન્ય લાંબા અંતરની ટ્રેનમાં દ્વિતીય વર્ગની બેઠક શ્રેણીની ૨૦૦ રુપિયાથી ઓછી કિંમતની ટીકીટ લઈને તમે આઠ-નવ કલાકમાં અમદાવાદ પહોંચી શકો છો જ્યારે એ.સી. ચેરકાર શ્રેણીની શતાબ્દીની પોણા સાતસો રૂપિયાની ટીકીટ લઈને પણં તમે છ કલાકમાં અમદાવાદ પહોંચી શકો છો.પણ આ એક અનુભવલીધા બાદ તમે સમજી શકશો કે ગુણવત્તા ચીજવસ્તુઓને જુદા પાડે છે.(અને ખિસ્સાને પરવડે તો આ શતાબ્દીનો પ્રવાસ ચોક્કસ માણવા લાયક ખરો!)
થોડા દિવસો પહેલા મારે શતાબ્દીમાં અમદાવાદ જવાનું થયું અને બોરિવલીથી વહેલી સવારે ટ્રેન પકડી એ ક્ષણથી જ મેં આ મુસાફરી માણવાની શરૂઆત કરી દીધી.કદાચ આ ટ્રેનને તાજેતરમાં જ નવા ડબ્બા મળ્યા હતા.હું મારા જે ડબ્બામાં મારી સીટ બૂક કરેલી હતી તેમાં ચડ્યો અને મને એવી લાગણી થઈ જાણે હું વિમાનમાં પ્રવેશ કરી રહ્યો હોઉં.ડબ્બામાં એ.સી. ને કારણે ખુલ્લી બારી ન હતી અને બારીનો કાચ જાડો અને પારદર્શક હતો.પણ બારી ખાસ્સી પહોળી અને બીજી ગાડીઓની સામાન્ય હોય છે તેના કરતા અલગ પ્રકારની હતી.બારી ઉપર સામાન મૂકવા માટે પણ ખાસ પ્રકારના એક્રેલીકના જાડા પારદર્શક સ્ટેન્ડ હતા.બારી પરના ખેંચી શકાય તેવા પડદાંયે સામન્ય રીતે હોય છે તેવા પડદા કરતા અલગ!અંધારામાં વાંચી શકો એ માટે સીટ ઉપર ફક્ત તમારા પૂરતા જ જરૂરી પ્રકાશ ફેંકતી ખાસ લાઈટ્સ,ડબ્બામાંના ટોયલેટ્સ,દરવાજા,બે-બે અને ત્રણ-ત્રણ બેઠકની કતાર અને તેમની વચ્ચેના પેસેજ તેમજ તેના પર પાથરેલી જાજમ આ બધુ ખૂબ જાજરમાન અને ઉત્તમ ગુણવત્તા ધરાવતા હતા જે તમને એવો અનુભવ કરાવે જાણે તમે વિમાનમાં પ્રવાસ ખેડી રહ્યા હોવ.
વસઈ-નાયગાંવ નજીક ટ્રેન સહેજ ધીમી પડી અને બહાર વસઈની ખાડી પરથી પસાર થતી વેળા સુંદર સૂર્યોદયના દર્શન થયા.શતાબ્દીના એ.સી. કોચની જાડા કાચ ધરાવતી પહોળી મોટી બારીમાંથી આ મનોહર દ્રષ્ય ધરાઈને માણવાની ખૂબ મજા પડી.આ જ વખતે ચા પણ આપવામાં આવી એટલે મારા તો એક હાથમાં ચાનો કપ અને બીજા હાથમાં અખબાર.આ અનુભવ યાદગાર રહ્યો અને તેનો અનુભવ કરતા એવી પણ લાગણી થઈ રહી હતી જાણે હું વિદેશની ટ્રેનમાં બેસી પ્રવાસ કરી રહ્યો હોઉં!
હજી ચા પૂરી પણ નહોતી થઈ ત્યાં ઉપમા-નાળિયેરની ચટણી અને બ્રેડ-બટર-જામનો બ્રેકફાસ્ટ આવ્યો.
બાજુની બેઠક પર બેસેલ મારો સહપ્રવાસી મુંબઈનો જ એક યુવાન હતો જેની સાથે મેં પાકિસ્તાનથી લઈને રાજકારણ અને ફિલ્મોથી માંડીને શાળાજીવન જેવા અનેક વિવિધ વિષયો પર ચર્ચા કરવાની મજા માણી.તેણે તેના શળાજીવનની એક અતિ રસપ્રદ પ્રવ્રુત્તિની વાત શેર કરી.તે રાજસ્થાનની એક શાળામાં ભણ્યો હતો જ્યાં એવો નિયમ હતો કે રોજ એક વિદ્યાર્થીએ બીજા બધા વિદ્યાર્થીઓ સમક્ષ એક નાનકડી વાર્તા કહેવાની.આ દ્વારા વિદ્યાર્થીઓને રોજ એક નવી વાર્તા તો સાંભળવા મળતી જ હતી જેનાથી તેમનામાં સારા ગુણો અને સંસ્કારોનું સિંચન થતુ અને જે વિદ્યાર્થી વાર્તા કહે તેને સારા વક્તા બની પોતાનો આત્મવિશ્વાસ વધારવાનું એક ઉત્તમ પ્લેટ્ફોર્મ પણ મળી રહેતું.મને લાગે છે દરેક શાળાએ આ પ્રવ્રુત્તિ અપનાવવી જોઇએ.(કોઇ શાળાના શિક્ષક કે આચાર્ય જો આ બ્લોગ વાંચી રહ્યા હોવ તો આનો તાત્કાલિક અમલ કરવા વિનંતી!)
અમારા રસપ્રદ વાર્તાલાપ વખતે ટ્રેન દ્વારા સમયાંતરે અપાયેલા ચોકલેટ્સ, ફ્રુટજ્યુસના ટેટ્રા પેક વગેરે એ અમને તાજામાજા રાખ્યાં.થોડા સમય બાદ મારા સહપ્રવાસી મિત્રને ઉંઘ ચડી અને તે નિદ્રાધીન થયો.મેં સાથે આણેલું ટૂંકી વાર્તાઓનું પુસ્તક વાંચવુ શરૂ કર્યુ.ત્યાં અમારી પાછળની સીટ પર બેસેલા એક વ્રુદ્ધ સ્ત્રી-પુરુષના સંવાદ મારા કાને પડ્યા.સ્ત્રી ગુજરાતીઓની સ્વભાવગત લાક્ષણિકતાઓ ચર્ચી રહી હતી અને સાથે તેણે શુદ્ધ અંગ્રેજીમાં એમ પણ જણાવ્યું કે તે પોતે ગુજરાતી માધ્યમની શાળામાં ભણી હતી.મને એ સાંભળી નવાઈ લાગી.તેણે વયસ્ક પુરુષ મિત્રને એમ પણ જણાવ્યું કે તેના મુક્ત સમયમાં તેને ગુજરાતી સાહિત્ય વાંચવું ગમે છે.હું આ સન્નારીથી પ્રભાવિત થયો.મારા ઇન્ટરનેટ કોર્નર શ્રેણીના પુસ્તકોની નવી આવ્રુત્તિ બહાર પડવાની હતી અને મારે તેનું પ્રૂફ-રીડીંગ કરવાનું હોવાથી મારા પુસ્તકો પણ મેં સાથે રાખ્યા હતા.તેમાનું એક મેં તે સન્નારીને વાંચવા આપ્યુ અને તેમનો અભિપ્રાય અને કોઈ સુધારાવધારા જણાય તો તે સૂચવવા કહ્યું.તેણે થોડા પાના વાંચ્યા જે તેને ગમ્યા.પુસ્તકના લેખક તરીકે છાપેલા મારા પૂર્ણ નામમાં રહેલા મારા પિતાના નામ પરથી તેણે તેમને તરત ઓળખી કાઢ્યા અને તેણે બાજુમાં બેઠેલા વયસ્ક મહોદયને મારા પિતાની ઓળખ ખ્યાતનામ કલાકાર તરીકે આપી તેમની સાથે ગુજરાતની લોકનાટ્ય કળા ભવાઈ વિષે ગોઠડી માંડી.
બ્રેડસ્ટીક્સ અને બટર સાથે ટમેટાનું સૂપ આવ્યું અને ત્યારબાદ તરત સામાન્ય કહી શકાય એવું બપોરનું ભાણું આવ્યું જે મેં એટલું ધીમે ધીમે આરોગ્યું કે હું આઈસક્રીમ ચૂકી ગયો! સમગ્ર યાત્રા ખૂબ આરામદાયક અને માણવાલાયક રહી પણ ગાડી અમદાવાદ થોભી એ પહેલા મેં યાત્રા દરમ્યાન કરેલા બે નિરીક્ષણે મને થોડો ગંભીરતાપૂર્વક વિચાર કરતો કરી મૂક્યો.મને એ વિચાર અમલમાં મૂકી શકાય એ માટે કોઈ રેલવે સત્તાવાળાને મળવાનું પણ મન થયું પણ એ વિચારો આવ્યા બાદ મને ટ્રેનમાં કોઈ યોગ્ય સત્તાવાળી વ્યક્તિ મળી જ નહિં, એટલે હવે આ વિચારો હું આ બ્લોગ દ્વારા વ્યક્ત કરી રહ્યો છું.એક તો ટ્રેનમાં અપાતી મિનરલ વોટર એટલે કે પીવાના પાણીની પ્લાસ્ટીક બોટલ વિષે.આ બોટલ દરેક યાત્રીની સીટ પર પહેલેથી જ મૂકેલી હોય છે.લગભગ ૭૦ સીટ ધરાવતા એક ડબ્બા ગુણ્યા ૧૨ થી ૧૫ ડબ્બાના કુલ મળીને સાડા આઠસો થી હજારેક યાત્રીને પીવાના પાણીની સરેરાશ એક લેખે ગણીએ તો હજારેક બોટલો આપવામાં આવતી હોય છે.(અને આતો થઈ એક ગાડીની વાત. આવી તો કેટલીય ટ્રેનો રોજ અલગ અલગ માર્ગો પર દોડતી હશે જેમાં કુલ લાખો પ્રવાસીઓને પાણીની બોટલો આપવામાં આવતી હશે.) મેં અમદાવાદ ઉતરતી વખતે નોંધ્યુ કે મોટા ભાગના યાત્રીઓએ ઉતરતી વેળાએ ખાલી બેઠક પર અડધું જ પાણી પીધેલી એ બોટલો ત્યાં જ રહેવા દીધી હતી.હવે જો આ પાણીને બીજા વપરાશમાં ન લેવામાં આવતું હોય તો એ ઘણો મોટો વ્યય ગણાય.આજે આપણે સૌ પાણીની તીવ્ર તંગીનો અનુભવ કરી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં આપણે પાણીનો સભાનતા અને સાવચેતી પૂર્વક ઉપયોગ નહિં કરીએ તો એ દિવસો પણ દૂર નથી જ્યારે આપણે પાણી મેળવવા માટે પણ લાઈનો લગાદવી પડશે અને પાણી મેળવવા માટે પણ પૈસા ચૂકવવા પડશે. આથી જો કોઈ રેલવે સત્તાવાળા કે તેમની સાથે પરોક્ષ રીતે જોડાયેલ કોઈ વ્યક્તિ આ બ્લોગ વાંચી રહી હોય તો તેને હું વિનંતી કરું છું કે પાણી વેડફાય નહિં અને વધેલા પાણીનો બીજા યોગ્ય વપરાશના કાર્યો માટે ઉપયોગ થાય તેવું કરે એ સંદેશ યોગ્ય વ્યક્તિ કે પક્ષ સુધી પહોંચાડે.પાણીની મોટી બોટલ આપવાની જગાએ નાના કદની બોટલ આપવાનું પણ વિચારી શકાય.
બીજું નિરીક્ષણ હતું ભારે બિનજરૂરી વિજળીના વપરાશ સંદર્ભે.મારા ડબ્બામાં લગભગ ૩૦ જેટલી ટ્યુબલાઈટ્સ હતી.હવે તમે જાતે જ ૧૨ - ૧૫ ડબ્બામાં કુલ કેટલી ટ્યુબલાઈટ્સ હશે તે ગણી લો(અને આવી તો બીજી અનેક દિવસ દરમ્યાન દોડતી ટ્રેનોની ટ્યુબલાઈટ્સ પણ ગણતરીમાં લેજો!)હું વહેલી સવારે ટ્રેનમાં ચડ્યો ત્યારથી લઈને બપોરે એક વાગે અમદાવાદ ઉતર્યો ત્યાં સુધી છએક કલાકના ગાળામાં આ ટ્યુબલાઈટ્સ ચાલુ જ હતી.ગાડીમાં કોઈએ પડદો તો બંધ કર્યો જ નહોતો આથી સુર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં ડબ્બામાં પ્રવેશી તેને પ્રકાશિત કરી રહ્યો હતો અને એક પણ ટ્યુબલાઈટની ખરી રીતે તો જરૂર જ નહોતી ત્યારે આખી ગાડીમાંની બધી ટ્યુબલાઈટ્સ બળતી રાખવામાં કેટલી બિનજરૂરી વિજળીનો વ્યય થતો હતો!હવે જો આખા ડબ્બામાં સળંગ ૩૦ ટ્યુબલાઈટ્સની કતારની જગાએ બે ટ્યુબલાઈટ્સ વચ્ચે થોડું અંતર જાળવી કુલ ટ્યુબલાઈટ્સની સંખ્યા અડધી કરી નાંખવામાં આવે, સામાન્ય ટ્યુબલાઈટ્સની જગાએ ખાસ પ્રકારની ઓછી વિજળી વાપરતી ટ્યુબલાઈટ્સ વાપરવામાં આવે તેમજ દિવસ દરમ્યાન આ ટ્યુબલાઈટ્સ બંધ જ રાખવામાં આવે તો ઘણા મોટા પ્રમાણમાં વિજળી/ઉર્જાની બચત કરી શકાય.મારો આ સંદેશ પણ યોગ્ય વ્યક્તિ કે પક્ષ સુધી પહોંચશે તો આ બ્લોગ સાર્થક થશે. આપણે સૌએ હવે જવાબદાર નાગરિક બનવાની જરૂર છે અને મૂલ્યવાન એવા પાણી અને વિજળી જેવા ઉર્જાસ્રોતોનો વિચારપૂર્વક ઉપયોગ કરવાની શરૂઆત કરવાની જરૂર છે તો જ આપણે આપણા સૌની પ્રિય એવી પ્રુથ્વીમાતા પર આપણું જીવન લાંબા ગાળા સુધી ટકાવી શકીશું.
થોડા દિવસો પહેલા મારે શતાબ્દીમાં અમદાવાદ જવાનું થયું અને બોરિવલીથી વહેલી સવારે ટ્રેન પકડી એ ક્ષણથી જ મેં આ મુસાફરી માણવાની શરૂઆત કરી દીધી.કદાચ આ ટ્રેનને તાજેતરમાં જ નવા ડબ્બા મળ્યા હતા.હું મારા જે ડબ્બામાં મારી સીટ બૂક કરેલી હતી તેમાં ચડ્યો અને મને એવી લાગણી થઈ જાણે હું વિમાનમાં પ્રવેશ કરી રહ્યો હોઉં.ડબ્બામાં એ.સી. ને કારણે ખુલ્લી બારી ન હતી અને બારીનો કાચ જાડો અને પારદર્શક હતો.પણ બારી ખાસ્સી પહોળી અને બીજી ગાડીઓની સામાન્ય હોય છે તેના કરતા અલગ પ્રકારની હતી.બારી ઉપર સામાન મૂકવા માટે પણ ખાસ પ્રકારના એક્રેલીકના જાડા પારદર્શક સ્ટેન્ડ હતા.બારી પરના ખેંચી શકાય તેવા પડદાંયે સામન્ય રીતે હોય છે તેવા પડદા કરતા અલગ!અંધારામાં વાંચી શકો એ માટે સીટ ઉપર ફક્ત તમારા પૂરતા જ જરૂરી પ્રકાશ ફેંકતી ખાસ લાઈટ્સ,ડબ્બામાંના ટોયલેટ્સ,દરવાજા,બે-બે અને ત્રણ-ત્રણ બેઠકની કતાર અને તેમની વચ્ચેના પેસેજ તેમજ તેના પર પાથરેલી જાજમ આ બધુ ખૂબ જાજરમાન અને ઉત્તમ ગુણવત્તા ધરાવતા હતા જે તમને એવો અનુભવ કરાવે જાણે તમે વિમાનમાં પ્રવાસ ખેડી રહ્યા હોવ.
વસઈ-નાયગાંવ નજીક ટ્રેન સહેજ ધીમી પડી અને બહાર વસઈની ખાડી પરથી પસાર થતી વેળા સુંદર સૂર્યોદયના દર્શન થયા.શતાબ્દીના એ.સી. કોચની જાડા કાચ ધરાવતી પહોળી મોટી બારીમાંથી આ મનોહર દ્રષ્ય ધરાઈને માણવાની ખૂબ મજા પડી.આ જ વખતે ચા પણ આપવામાં આવી એટલે મારા તો એક હાથમાં ચાનો કપ અને બીજા હાથમાં અખબાર.આ અનુભવ યાદગાર રહ્યો અને તેનો અનુભવ કરતા એવી પણ લાગણી થઈ રહી હતી જાણે હું વિદેશની ટ્રેનમાં બેસી પ્રવાસ કરી રહ્યો હોઉં!
હજી ચા પૂરી પણ નહોતી થઈ ત્યાં ઉપમા-નાળિયેરની ચટણી અને બ્રેડ-બટર-જામનો બ્રેકફાસ્ટ આવ્યો.
બાજુની બેઠક પર બેસેલ મારો સહપ્રવાસી મુંબઈનો જ એક યુવાન હતો જેની સાથે મેં પાકિસ્તાનથી લઈને રાજકારણ અને ફિલ્મોથી માંડીને શાળાજીવન જેવા અનેક વિવિધ વિષયો પર ચર્ચા કરવાની મજા માણી.તેણે તેના શળાજીવનની એક અતિ રસપ્રદ પ્રવ્રુત્તિની વાત શેર કરી.તે રાજસ્થાનની એક શાળામાં ભણ્યો હતો જ્યાં એવો નિયમ હતો કે રોજ એક વિદ્યાર્થીએ બીજા બધા વિદ્યાર્થીઓ સમક્ષ એક નાનકડી વાર્તા કહેવાની.આ દ્વારા વિદ્યાર્થીઓને રોજ એક નવી વાર્તા તો સાંભળવા મળતી જ હતી જેનાથી તેમનામાં સારા ગુણો અને સંસ્કારોનું સિંચન થતુ અને જે વિદ્યાર્થી વાર્તા કહે તેને સારા વક્તા બની પોતાનો આત્મવિશ્વાસ વધારવાનું એક ઉત્તમ પ્લેટ્ફોર્મ પણ મળી રહેતું.મને લાગે છે દરેક શાળાએ આ પ્રવ્રુત્તિ અપનાવવી જોઇએ.(કોઇ શાળાના શિક્ષક કે આચાર્ય જો આ બ્લોગ વાંચી રહ્યા હોવ તો આનો તાત્કાલિક અમલ કરવા વિનંતી!)
અમારા રસપ્રદ વાર્તાલાપ વખતે ટ્રેન દ્વારા સમયાંતરે અપાયેલા ચોકલેટ્સ, ફ્રુટજ્યુસના ટેટ્રા પેક વગેરે એ અમને તાજામાજા રાખ્યાં.થોડા સમય બાદ મારા સહપ્રવાસી મિત્રને ઉંઘ ચડી અને તે નિદ્રાધીન થયો.મેં સાથે આણેલું ટૂંકી વાર્તાઓનું પુસ્તક વાંચવુ શરૂ કર્યુ.ત્યાં અમારી પાછળની સીટ પર બેસેલા એક વ્રુદ્ધ સ્ત્રી-પુરુષના સંવાદ મારા કાને પડ્યા.સ્ત્રી ગુજરાતીઓની સ્વભાવગત લાક્ષણિકતાઓ ચર્ચી રહી હતી અને સાથે તેણે શુદ્ધ અંગ્રેજીમાં એમ પણ જણાવ્યું કે તે પોતે ગુજરાતી માધ્યમની શાળામાં ભણી હતી.મને એ સાંભળી નવાઈ લાગી.તેણે વયસ્ક પુરુષ મિત્રને એમ પણ જણાવ્યું કે તેના મુક્ત સમયમાં તેને ગુજરાતી સાહિત્ય વાંચવું ગમે છે.હું આ સન્નારીથી પ્રભાવિત થયો.મારા ઇન્ટરનેટ કોર્નર શ્રેણીના પુસ્તકોની નવી આવ્રુત્તિ બહાર પડવાની હતી અને મારે તેનું પ્રૂફ-રીડીંગ કરવાનું હોવાથી મારા પુસ્તકો પણ મેં સાથે રાખ્યા હતા.તેમાનું એક મેં તે સન્નારીને વાંચવા આપ્યુ અને તેમનો અભિપ્રાય અને કોઈ સુધારાવધારા જણાય તો તે સૂચવવા કહ્યું.તેણે થોડા પાના વાંચ્યા જે તેને ગમ્યા.પુસ્તકના લેખક તરીકે છાપેલા મારા પૂર્ણ નામમાં રહેલા મારા પિતાના નામ પરથી તેણે તેમને તરત ઓળખી કાઢ્યા અને તેણે બાજુમાં બેઠેલા વયસ્ક મહોદયને મારા પિતાની ઓળખ ખ્યાતનામ કલાકાર તરીકે આપી તેમની સાથે ગુજરાતની લોકનાટ્ય કળા ભવાઈ વિષે ગોઠડી માંડી.
બ્રેડસ્ટીક્સ અને બટર સાથે ટમેટાનું સૂપ આવ્યું અને ત્યારબાદ તરત સામાન્ય કહી શકાય એવું બપોરનું ભાણું આવ્યું જે મેં એટલું ધીમે ધીમે આરોગ્યું કે હું આઈસક્રીમ ચૂકી ગયો! સમગ્ર યાત્રા ખૂબ આરામદાયક અને માણવાલાયક રહી પણ ગાડી અમદાવાદ થોભી એ પહેલા મેં યાત્રા દરમ્યાન કરેલા બે નિરીક્ષણે મને થોડો ગંભીરતાપૂર્વક વિચાર કરતો કરી મૂક્યો.મને એ વિચાર અમલમાં મૂકી શકાય એ માટે કોઈ રેલવે સત્તાવાળાને મળવાનું પણ મન થયું પણ એ વિચારો આવ્યા બાદ મને ટ્રેનમાં કોઈ યોગ્ય સત્તાવાળી વ્યક્તિ મળી જ નહિં, એટલે હવે આ વિચારો હું આ બ્લોગ દ્વારા વ્યક્ત કરી રહ્યો છું.એક તો ટ્રેનમાં અપાતી મિનરલ વોટર એટલે કે પીવાના પાણીની પ્લાસ્ટીક બોટલ વિષે.આ બોટલ દરેક યાત્રીની સીટ પર પહેલેથી જ મૂકેલી હોય છે.લગભગ ૭૦ સીટ ધરાવતા એક ડબ્બા ગુણ્યા ૧૨ થી ૧૫ ડબ્બાના કુલ મળીને સાડા આઠસો થી હજારેક યાત્રીને પીવાના પાણીની સરેરાશ એક લેખે ગણીએ તો હજારેક બોટલો આપવામાં આવતી હોય છે.(અને આતો થઈ એક ગાડીની વાત. આવી તો કેટલીય ટ્રેનો રોજ અલગ અલગ માર્ગો પર દોડતી હશે જેમાં કુલ લાખો પ્રવાસીઓને પાણીની બોટલો આપવામાં આવતી હશે.) મેં અમદાવાદ ઉતરતી વખતે નોંધ્યુ કે મોટા ભાગના યાત્રીઓએ ઉતરતી વેળાએ ખાલી બેઠક પર અડધું જ પાણી પીધેલી એ બોટલો ત્યાં જ રહેવા દીધી હતી.હવે જો આ પાણીને બીજા વપરાશમાં ન લેવામાં આવતું હોય તો એ ઘણો મોટો વ્યય ગણાય.આજે આપણે સૌ પાણીની તીવ્ર તંગીનો અનુભવ કરી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં આપણે પાણીનો સભાનતા અને સાવચેતી પૂર્વક ઉપયોગ નહિં કરીએ તો એ દિવસો પણ દૂર નથી જ્યારે આપણે પાણી મેળવવા માટે પણ લાઈનો લગાદવી પડશે અને પાણી મેળવવા માટે પણ પૈસા ચૂકવવા પડશે. આથી જો કોઈ રેલવે સત્તાવાળા કે તેમની સાથે પરોક્ષ રીતે જોડાયેલ કોઈ વ્યક્તિ આ બ્લોગ વાંચી રહી હોય તો તેને હું વિનંતી કરું છું કે પાણી વેડફાય નહિં અને વધેલા પાણીનો બીજા યોગ્ય વપરાશના કાર્યો માટે ઉપયોગ થાય તેવું કરે એ સંદેશ યોગ્ય વ્યક્તિ કે પક્ષ સુધી પહોંચાડે.પાણીની મોટી બોટલ આપવાની જગાએ નાના કદની બોટલ આપવાનું પણ વિચારી શકાય.
બીજું નિરીક્ષણ હતું ભારે બિનજરૂરી વિજળીના વપરાશ સંદર્ભે.મારા ડબ્બામાં લગભગ ૩૦ જેટલી ટ્યુબલાઈટ્સ હતી.હવે તમે જાતે જ ૧૨ - ૧૫ ડબ્બામાં કુલ કેટલી ટ્યુબલાઈટ્સ હશે તે ગણી લો(અને આવી તો બીજી અનેક દિવસ દરમ્યાન દોડતી ટ્રેનોની ટ્યુબલાઈટ્સ પણ ગણતરીમાં લેજો!)હું વહેલી સવારે ટ્રેનમાં ચડ્યો ત્યારથી લઈને બપોરે એક વાગે અમદાવાદ ઉતર્યો ત્યાં સુધી છએક કલાકના ગાળામાં આ ટ્યુબલાઈટ્સ ચાલુ જ હતી.ગાડીમાં કોઈએ પડદો તો બંધ કર્યો જ નહોતો આથી સુર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં ડબ્બામાં પ્રવેશી તેને પ્રકાશિત કરી રહ્યો હતો અને એક પણ ટ્યુબલાઈટની ખરી રીતે તો જરૂર જ નહોતી ત્યારે આખી ગાડીમાંની બધી ટ્યુબલાઈટ્સ બળતી રાખવામાં કેટલી બિનજરૂરી વિજળીનો વ્યય થતો હતો!હવે જો આખા ડબ્બામાં સળંગ ૩૦ ટ્યુબલાઈટ્સની કતારની જગાએ બે ટ્યુબલાઈટ્સ વચ્ચે થોડું અંતર જાળવી કુલ ટ્યુબલાઈટ્સની સંખ્યા અડધી કરી નાંખવામાં આવે, સામાન્ય ટ્યુબલાઈટ્સની જગાએ ખાસ પ્રકારની ઓછી વિજળી વાપરતી ટ્યુબલાઈટ્સ વાપરવામાં આવે તેમજ દિવસ દરમ્યાન આ ટ્યુબલાઈટ્સ બંધ જ રાખવામાં આવે તો ઘણા મોટા પ્રમાણમાં વિજળી/ઉર્જાની બચત કરી શકાય.મારો આ સંદેશ પણ યોગ્ય વ્યક્તિ કે પક્ષ સુધી પહોંચશે તો આ બ્લોગ સાર્થક થશે. આપણે સૌએ હવે જવાબદાર નાગરિક બનવાની જરૂર છે અને મૂલ્યવાન એવા પાણી અને વિજળી જેવા ઉર્જાસ્રોતોનો વિચારપૂર્વક ઉપયોગ કરવાની શરૂઆત કરવાની જરૂર છે તો જ આપણે આપણા સૌની પ્રિય એવી પ્રુથ્વીમાતા પર આપણું જીવન લાંબા ગાળા સુધી ટકાવી શકીશું.
લેબલ્સ:
"save power",
"save water",
Shataabdee,
Shataabdi
ગુરુવાર, 15 એપ્રિલ, 2010
સંગીત
કોઈ મને પૂછે કે મને શેનો શેનો શોખ છે તો મારા જવાબમાં સંગીત અચૂક હોય! સંગીતનો શોખ કદાચ મને ગળથૂથીમાં મળ્યો છે એમ કહી શકાય.મારા વડદાદા,દાદા,પિતા અને કાકાઓ સૌ સંગીતના રસિયા જ નહિં પણ વ્યવસાયિક ધોરણે પણ સંગીતના ક્ષેત્ર સાથે સંકળાયેલા રહ્યા છે.હું ભલે હજી સુધી વ્યવસ્થિત તાલીમ લઈ સંગીત શીખી શક્યો નથી પણ એક દિવસ ચોક્કસ વ્યવસ્થિત તાલીમ લઈ ગાતા અને એકાદ વાજિંત્ર વગાડતા શિખવાની ઇચ્છા મારા મનમાં હજી સચવાઈને પડેલી છે ખરી!
સંગીતમાં ચોક્કસ એક જાદુ છે.તે મૂડ સુધારવાની તાકાત તો ધરાવે જ છે પણ એથીયે વિશેશ તમે જ્યારે દુખી હોવ અને એકાંત ઇચ્છતા હોવ ત્યારે પણ તે તમારો મિત્ર બનવાની ક્ષમતા ધરાવે છે અને તમને એ પરિસ્થિતીમાં ટકી રહેવાનું બળ પૂરુ પાડે છે. હું જ્યારે શાંતિથી મારું મનપસંદ એવું કોઇ ગીત કે સંગીત સાંભળું છું ત્યારે હું એક અજબની ધ્રુજારી, અજબના સ્પંદનો અનુભવું છું.એ ત્યારે મારા હ્રદયને ઝંકૃત કરી મૂકે છે, મારા મસ્તિષ્કના કોઈક એવા કોષોને સ્પર્શે છે જે મને સ્વર્ગીય સુખની અનૂભુતિ કરાવે છે.
એ. આર. રહેમાન મારા સૌથી પ્રિય સંગીતકાર છે. તેમના કેટલાક ગીતો સાંભળતી વખતે એટલા સમય માટે હું આ દુનિયાથી ક્યાંક દૂર ચાલ્યો જાઉં છું. રહેમાનના સંગીતમાં એવું કોઈક ઇશ્વરીય તત્વ છે જે સીધુ મારા (અને ગયા વર્ષે ઓસ્કાર જીત્યા બાદ તો વિશ્વભરના લાખો લોકોના) હ્રદયને સ્પર્શે છે.તેમનું 'રોજા','બોમ્બે', 'તાલ',’ ૧૯૪૭ અર્થ’, 'રંગીલા','સપને','દિલ સે' જેવી ભારતીય ફિલ્મનું સંગીત હોય કે 'બોમ્બે ડ્રીમ્સ' કે 'જય હો'જેવી આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે રચેલું સંગીત હોય, એ બીજા બધા સંગીતકારોના સંગીત કરતા જુદું જ તરી આવે છે જેમા રહેમાનની એક વિશેષ છાંટ સાંભળવા, અનુભવવા મળે છે.
કેટલાક ગીતો રાતે સાંભળવા ગમે એવા હોય છે તો કેટલાક વહેલી સવારે.મારા પપ્પાને પણ સંગીતનો જબરો શોખ છે.તે સવારે ઉઠી ભજનની કેસેટ કે રેડિયો ચાલુ કરી પાછા બેડ પર આડા પડી સંગીત માણે છે. આંખો બંધ હોય પણ તેમના એક પગ પર ચડાવેલ બીજા પગ નો અંગૂઠો, વાગતા ગીત સાથે તાલ મિલાવતો હલતો જોવો એ મારો નિત્યક્રમ છે! અમારા ઘરે આઠ થી દસ જૂદાજૂદા રેડિયા-ટેપ રેકોર્ડર-સીડી પ્લેયર હશે! દિવસના મોટા ભાગ દરમ્યાન મારા ઘરમાં સંગીત રણકતુ જ રહેતું હોય છે. મારી બહેનો અને પત્ની પણ સંગીતના ખૂબ શોખીન છે. મમ્મીને જ સંગીતમાં ખાસ રસ ન હોવાથી પપ્પા ક્યારેક તેને ઔરંગઝેબ કહી ને ચિડવે છે!
મારા ઘરે વાગતા પ્રભાતિયામાં મારુ સૌથી પ્રિય ગીત છે 'જળ કમળ છાંડી જા ને બાળા સ્વામી અમારો જાગશે...'. એ સાંભળતી વેળાએ હું મનમાં નૃત્ય અચૂક કરી લઉં છું! ઘણી વાર આ ગીત પર કૃષ્ણ બની નાગની ફેણ પર ચડી લાઈવ પરફોર્મ કરવાની એક અદમ્ય ઇચ્છા થઈ આવે છે! લતાબાઈના કંઠે ગવાયેલા ભજનો કે બીજા કેટલાક ગુજારાતી પ્રાર્થના કે ભક્તિગીત સાંભળી દિવસની શરૂઆત થાય એથી વધુ સારું બીજુ શું હોઈ શકે? રાતે મને જમ્યા પછી વોક લેતી વખતે ધીમુ કે શાંત પ્રકારનું સંગીત સાંભળવું ગમે છે.
'એ દિલે નાદાન...' કે 'ચુપકે સે લગ જા ગલે રાત કી ચાદર તલે...' જેવુ. ખાસ સ્થળોએ ખાસ પ્રકારનું સંગીત સાંભળવાની પણ મજા જ કંઈક જૂદી હોય.જેમકે પર્વતપરના કોઈક સ્થળે ૧૯૪૨ અ લવ સ્ટોરીનું 'ક્યુ નયે લગ રહે હૈ...' કે લકી અલીનું 'ગોરી તેરી આંખે કહે..' મને યાદ છે એન્જિનીયરીંગ ડીગ્રી વખતે વાંગણી ખાતે આકાશદર્શન માટે ફિલ્ડટ્રીપમાં ગયેલો ત્યારે આખી રાત અંધારામાં ખુલ્લા ખેતરમાં ઘાસ પર સૂતા સૂતા તારાઓ નિહાળતી વખતે માચીસ ફિલ્મના ગીતો અને બીજા મારા પ્રિય ગીતો સાંભળતી વખતની એ ક્ષણો આજે પણ યાદ આવે ત્યારે એ ક્ષણો એ અનુભવેલી અનેરી અવર્ણનીય સુખની અનુભૂતિ ફરી મુખ પર સ્મિત રેલાવી જાય છે. આવી તો બીજી પણ ઘણી યાદો છે - જેમકે લોહગઢની ઓવરનાઈટ ટ્રેકિંગ વખતે સાંભળેલા ગીતો અને પર્વતની ટોચે ગુફા બહાર વહેલી સવારે સુર્યોદય વેળાએ ભૈરવી ફિલ્મનું 'ૐ નમ: શિવાય..' ગીત કે હરિશ્ચંદ્રગઢની મુશ્કેલ ઓવરનાઈટ ટ્રેક વખતે રાત્રે ગાયેલા અને સાંભળેલા અને પાછા ફરતી વેળાએ માર્ગમાં વચ્ચે થોભી થોભીને સાંભળેલા ગીતોએ મનમાં જે સ્પંદનો અને લાગણીઓ ઉભા કરેલા તે પણ હું આજેય એવા જ અનુભવી શકુ છું. ક્યારેક ઘરે પણ એકલો મારી રૂમમાં કે ગેલેરીમાં ઉભાઉભા ‘તક્ષક’ કે ‘લેકિન’ કે ‘રુદાલી’ના ગીતો સાંભળવા ખૂબ ગમે તો ક્યારેક ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘દેવદાસ’, ‘સાવરિયા’,’ઝુબેદા’,‘મીનાક્ષી’ ના સુમધુર ગીતો તો વળી ક્યારેક ‘સરદારી બેગમ’ની ઠૂમરીઓ પણ સાંભળવા એટલા જ ગમે!
મને દક્ષિણ ભારતીય સંગીત કે કાર્ણાટિક સંગીત પ્રત્યે પણ અપ્રતિમ લગાવ છે. ‘મોર્નિંગ રાગા’ ફિલ્મની તરજો જ મારા હાલના મોબાઈલ રીંગ અને મેસેજ ટોન પર ગૂંજે છે. આ સંગીત પણ સીધુ મારા આત્મા સાથે જોડાય છે, મને અદભૂત માનસિક શાંતિ આપે છે, મને એક નવી જ દુનિયામાં લઈ જાય છે.આ પ્રદેશની સંસ્કૃતિ,રીતભાત,મંદિરો,પરંપરાઓ અને સંગીત બધા સાથે હું કોઈ અજબ પ્રકારની આત્મિયતા ધરાવું છું, જાણે કોઈક પૂર્વ ભવનું લેણું ન હોય એ બધા સાથે મારું એમ! દક્ષિણ ભારતમાં સંગીતનું એક અનેરું મહત્વ છે. ત્યાં કુટુંબોમાં બાળકોને નાનપણથી શાસ્ત્રીય સંગીતની તાલીમ અપાય છે અને તેઓ એક ચોક્કસ સ્તર સુધી નું સંગીત શીખીલે ત્યાર બાદ તેમનું પ્રથમ જાહેર પ્રદર્શન ત્યાંના એકાદ મંદિરમાં યોજાય છે. આવા એક-બે કાર્યક્રમ માણવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું છે અને એ દરેક વખતે એક અનેરા ભક્તિભાવમાં તરબોળ થઈ અનેરી ધન્યતા અનુભવી છે મેં. ત્યાંની સ્ત્રીઓ માટલાનો વાજિંત્ર તરીકે સુંદર પ્રયોગ કરી જાણે છે અને ત્યાંની સ્ત્રીઓ શરણાઈ,ઢોલક કે સિતાર,વાંસળી જેવા દરેક પ્રકારના વાદ્યો લયબદ્ધ રીતે વગાડી જાણે છે - તેમાં પારંગત હોય છે. આપણે ત્યાંની ફાલ્ગુની પાઠક નો ઝીણો અવાજ તો મને ગમે જ છે પણ તેની સાથે નવરાત્રિમાં રાસ-ગરબાની રમઝટ બોલાવનાર હેમાંગિની જેવો ભાતિગળ ઘેરો અવાજ મને વિશેષ પ્રિય છે અને એટલે જ કદાચ આવા સ્વરમાં ગવાયેલા હાલના 'ઇક તારા....' અને 'સસુરાલ ગેંદા ફૂલ...' જેવા ગીત પણ મને બેહદ પ્રિય છે.
સૂફી સંગીત, નાટ્ય સંગીત, શાસ્ત્રીય સંગીત વગેરે અનેક પ્રકારના સંગીતની વાત અને મીઠાશ જ નિરાળાં છે.
સંગીતનો મહિમા અને તે મને જે હદે પ્રિય છે તેનું વર્ણન કદાચ એક બ્લોગમાં કરવું અશક્ય છે.પણ જેની શરૂઆત થાય તેનો અંત પણ નિશ્ચિત જ હોય એ લેખે આ બ્લોગ સંગીત ને અંજલિ આપતા પૂર્ણ કરુ છું.
સંગીતમાં ચોક્કસ એક જાદુ છે.તે મૂડ સુધારવાની તાકાત તો ધરાવે જ છે પણ એથીયે વિશેશ તમે જ્યારે દુખી હોવ અને એકાંત ઇચ્છતા હોવ ત્યારે પણ તે તમારો મિત્ર બનવાની ક્ષમતા ધરાવે છે અને તમને એ પરિસ્થિતીમાં ટકી રહેવાનું બળ પૂરુ પાડે છે. હું જ્યારે શાંતિથી મારું મનપસંદ એવું કોઇ ગીત કે સંગીત સાંભળું છું ત્યારે હું એક અજબની ધ્રુજારી, અજબના સ્પંદનો અનુભવું છું.એ ત્યારે મારા હ્રદયને ઝંકૃત કરી મૂકે છે, મારા મસ્તિષ્કના કોઈક એવા કોષોને સ્પર્શે છે જે મને સ્વર્ગીય સુખની અનૂભુતિ કરાવે છે.
એ. આર. રહેમાન મારા સૌથી પ્રિય સંગીતકાર છે. તેમના કેટલાક ગીતો સાંભળતી વખતે એટલા સમય માટે હું આ દુનિયાથી ક્યાંક દૂર ચાલ્યો જાઉં છું. રહેમાનના સંગીતમાં એવું કોઈક ઇશ્વરીય તત્વ છે જે સીધુ મારા (અને ગયા વર્ષે ઓસ્કાર જીત્યા બાદ તો વિશ્વભરના લાખો લોકોના) હ્રદયને સ્પર્શે છે.તેમનું 'રોજા','બોમ્બે', 'તાલ',’ ૧૯૪૭ અર્થ’, 'રંગીલા','સપને','દિલ સે' જેવી ભારતીય ફિલ્મનું સંગીત હોય કે 'બોમ્બે ડ્રીમ્સ' કે 'જય હો'જેવી આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે રચેલું સંગીત હોય, એ બીજા બધા સંગીતકારોના સંગીત કરતા જુદું જ તરી આવે છે જેમા રહેમાનની એક વિશેષ છાંટ સાંભળવા, અનુભવવા મળે છે.
કેટલાક ગીતો રાતે સાંભળવા ગમે એવા હોય છે તો કેટલાક વહેલી સવારે.મારા પપ્પાને પણ સંગીતનો જબરો શોખ છે.તે સવારે ઉઠી ભજનની કેસેટ કે રેડિયો ચાલુ કરી પાછા બેડ પર આડા પડી સંગીત માણે છે. આંખો બંધ હોય પણ તેમના એક પગ પર ચડાવેલ બીજા પગ નો અંગૂઠો, વાગતા ગીત સાથે તાલ મિલાવતો હલતો જોવો એ મારો નિત્યક્રમ છે! અમારા ઘરે આઠ થી દસ જૂદાજૂદા રેડિયા-ટેપ રેકોર્ડર-સીડી પ્લેયર હશે! દિવસના મોટા ભાગ દરમ્યાન મારા ઘરમાં સંગીત રણકતુ જ રહેતું હોય છે. મારી બહેનો અને પત્ની પણ સંગીતના ખૂબ શોખીન છે. મમ્મીને જ સંગીતમાં ખાસ રસ ન હોવાથી પપ્પા ક્યારેક તેને ઔરંગઝેબ કહી ને ચિડવે છે!
મારા ઘરે વાગતા પ્રભાતિયામાં મારુ સૌથી પ્રિય ગીત છે 'જળ કમળ છાંડી જા ને બાળા સ્વામી અમારો જાગશે...'. એ સાંભળતી વેળાએ હું મનમાં નૃત્ય અચૂક કરી લઉં છું! ઘણી વાર આ ગીત પર કૃષ્ણ બની નાગની ફેણ પર ચડી લાઈવ પરફોર્મ કરવાની એક અદમ્ય ઇચ્છા થઈ આવે છે! લતાબાઈના કંઠે ગવાયેલા ભજનો કે બીજા કેટલાક ગુજારાતી પ્રાર્થના કે ભક્તિગીત સાંભળી દિવસની શરૂઆત થાય એથી વધુ સારું બીજુ શું હોઈ શકે? રાતે મને જમ્યા પછી વોક લેતી વખતે ધીમુ કે શાંત પ્રકારનું સંગીત સાંભળવું ગમે છે.
'એ દિલે નાદાન...' કે 'ચુપકે સે લગ જા ગલે રાત કી ચાદર તલે...' જેવુ. ખાસ સ્થળોએ ખાસ પ્રકારનું સંગીત સાંભળવાની પણ મજા જ કંઈક જૂદી હોય.જેમકે પર્વતપરના કોઈક સ્થળે ૧૯૪૨ અ લવ સ્ટોરીનું 'ક્યુ નયે લગ રહે હૈ...' કે લકી અલીનું 'ગોરી તેરી આંખે કહે..' મને યાદ છે એન્જિનીયરીંગ ડીગ્રી વખતે વાંગણી ખાતે આકાશદર્શન માટે ફિલ્ડટ્રીપમાં ગયેલો ત્યારે આખી રાત અંધારામાં ખુલ્લા ખેતરમાં ઘાસ પર સૂતા સૂતા તારાઓ નિહાળતી વખતે માચીસ ફિલ્મના ગીતો અને બીજા મારા પ્રિય ગીતો સાંભળતી વખતની એ ક્ષણો આજે પણ યાદ આવે ત્યારે એ ક્ષણો એ અનુભવેલી અનેરી અવર્ણનીય સુખની અનુભૂતિ ફરી મુખ પર સ્મિત રેલાવી જાય છે. આવી તો બીજી પણ ઘણી યાદો છે - જેમકે લોહગઢની ઓવરનાઈટ ટ્રેકિંગ વખતે સાંભળેલા ગીતો અને પર્વતની ટોચે ગુફા બહાર વહેલી સવારે સુર્યોદય વેળાએ ભૈરવી ફિલ્મનું 'ૐ નમ: શિવાય..' ગીત કે હરિશ્ચંદ્રગઢની મુશ્કેલ ઓવરનાઈટ ટ્રેક વખતે રાત્રે ગાયેલા અને સાંભળેલા અને પાછા ફરતી વેળાએ માર્ગમાં વચ્ચે થોભી થોભીને સાંભળેલા ગીતોએ મનમાં જે સ્પંદનો અને લાગણીઓ ઉભા કરેલા તે પણ હું આજેય એવા જ અનુભવી શકુ છું. ક્યારેક ઘરે પણ એકલો મારી રૂમમાં કે ગેલેરીમાં ઉભાઉભા ‘તક્ષક’ કે ‘લેકિન’ કે ‘રુદાલી’ના ગીતો સાંભળવા ખૂબ ગમે તો ક્યારેક ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘દેવદાસ’, ‘સાવરિયા’,’ઝુબેદા’,‘મીનાક્ષી’ ના સુમધુર ગીતો તો વળી ક્યારેક ‘સરદારી બેગમ’ની ઠૂમરીઓ પણ સાંભળવા એટલા જ ગમે!
મને દક્ષિણ ભારતીય સંગીત કે કાર્ણાટિક સંગીત પ્રત્યે પણ અપ્રતિમ લગાવ છે. ‘મોર્નિંગ રાગા’ ફિલ્મની તરજો જ મારા હાલના મોબાઈલ રીંગ અને મેસેજ ટોન પર ગૂંજે છે. આ સંગીત પણ સીધુ મારા આત્મા સાથે જોડાય છે, મને અદભૂત માનસિક શાંતિ આપે છે, મને એક નવી જ દુનિયામાં લઈ જાય છે.આ પ્રદેશની સંસ્કૃતિ,રીતભાત,મંદિરો,પરંપરાઓ અને સંગીત બધા સાથે હું કોઈ અજબ પ્રકારની આત્મિયતા ધરાવું છું, જાણે કોઈક પૂર્વ ભવનું લેણું ન હોય એ બધા સાથે મારું એમ! દક્ષિણ ભારતમાં સંગીતનું એક અનેરું મહત્વ છે. ત્યાં કુટુંબોમાં બાળકોને નાનપણથી શાસ્ત્રીય સંગીતની તાલીમ અપાય છે અને તેઓ એક ચોક્કસ સ્તર સુધી નું સંગીત શીખીલે ત્યાર બાદ તેમનું પ્રથમ જાહેર પ્રદર્શન ત્યાંના એકાદ મંદિરમાં યોજાય છે. આવા એક-બે કાર્યક્રમ માણવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું છે અને એ દરેક વખતે એક અનેરા ભક્તિભાવમાં તરબોળ થઈ અનેરી ધન્યતા અનુભવી છે મેં. ત્યાંની સ્ત્રીઓ માટલાનો વાજિંત્ર તરીકે સુંદર પ્રયોગ કરી જાણે છે અને ત્યાંની સ્ત્રીઓ શરણાઈ,ઢોલક કે સિતાર,વાંસળી જેવા દરેક પ્રકારના વાદ્યો લયબદ્ધ રીતે વગાડી જાણે છે - તેમાં પારંગત હોય છે. આપણે ત્યાંની ફાલ્ગુની પાઠક નો ઝીણો અવાજ તો મને ગમે જ છે પણ તેની સાથે નવરાત્રિમાં રાસ-ગરબાની રમઝટ બોલાવનાર હેમાંગિની જેવો ભાતિગળ ઘેરો અવાજ મને વિશેષ પ્રિય છે અને એટલે જ કદાચ આવા સ્વરમાં ગવાયેલા હાલના 'ઇક તારા....' અને 'સસુરાલ ગેંદા ફૂલ...' જેવા ગીત પણ મને બેહદ પ્રિય છે.
સૂફી સંગીત, નાટ્ય સંગીત, શાસ્ત્રીય સંગીત વગેરે અનેક પ્રકારના સંગીતની વાત અને મીઠાશ જ નિરાળાં છે.
સંગીતનો મહિમા અને તે મને જે હદે પ્રિય છે તેનું વર્ણન કદાચ એક બ્લોગમાં કરવું અશક્ય છે.પણ જેની શરૂઆત થાય તેનો અંત પણ નિશ્ચિત જ હોય એ લેખે આ બ્લોગ સંગીત ને અંજલિ આપતા પૂર્ણ કરુ છું.
શનિવાર, 3 એપ્રિલ, 2010
ગેસ્ટ બ્લોગ : હાચિકો
[ગેસ્ટ પરિચય: મૈત્રેયી મહેતા ઓલ ઇન્ડિયા રેડિયોના ગુજરાતી સમાચાર વિભાગમાં કાર્યરત છે સાથે તેઓ સારા લેખિકા, ગીતકાર અને અભિનેત્રી પણ છે.તેમનો બ્લોગ તમે http://mainakimehta.blogspot.com આ વેબએડ્રેસ પર વાંચી શકો છો.. તમે એમને mainakimehta@yahoo.co.in આ ઇમેલ એડ્રેસ પર ઇમેલ કરી શકો છો. ]
જાપાનના તોક્યો શહેરના પરા : શિબૂયા સ્ટેશનથી બહાર જવાના એક રસ્તાનું નામ છે હાચિકોએક્ઝિટ. આ એક્ઝિટનું નામ હાચિકો કેમ પડ્યુંતેની ખૂબ દિલસ્પર્શ અને રસપ્રદ દાસ્તાનછે. એક જણે એક કૂતરો પળ્યો. નામ પાડ્યું હાચિકો..હાચિકો અને તેના માલિક વચ્ચે ખૂબદોસ્તી.બન્ને એક્બીજા સથે ખૂબ હળીમળી ગયા. આ હાચિકો ખૂબ એક્ટિવ. તેના માલિકે તેનેબહુ સરસ તાલિમ આપી. હાચિકો છાપુ લઈ આવે,પોતાના માલિકના
નાનામોટા ઘણાં કામ કરે. મેરીહેડ એ લિટલ લેમ્બ ની જેમ હાચિકો માલિકની પાછળ પાછળ ફર્યા કરે.માલિક દરરોજ શિબૂયાસ્ટેશન પરથી નોકરી કરવા ટ્રેનમાં જાય. હાચિકોભાઈ માલિકને મૂકવાસ્ટેશન જાય અને સાંજપડે નિશ્ચિત ટાઈમે પાછા સ્ટેશન પર હાજર થઈજાય..
હાચિકો પોતાના માલિકના ઘણા બધા કામ કરે.મેરી હેડ એ લિટલ લેમ્બની જેમ માલિકની પાછળપાછળ ફર્યા કરે.માલિક દર રોજ શિબુયા સ્ટેશન પરથી નોકરી કરવા ટ્રેનમાં બેસીને જાય.હાચિકોભાઈ દરરોજ માલિકને મૂકવા સ્ટેશન સુધી જાય, ટાટા-બાય બાય કરે અને પાછો ઘરેજાય. સાંજે માલિકના પાછા આવવાના ટાઈમે હાચિકો સ્ટેશન પર હાજર થઈ જાય.માલિકનીઆતુરતાપૂર્વક રાહ જુએ.અને જેવા તેના માલિકને જુએ કે બસ પુછો નહી વાત!
બંન્ને જણાએક્બીજાને ખૂબ વ્હાલ કરે અને પછી સાથે ઘરે જાય.દરરોજનો આ ક્રમ! શિબુયા સ્ટેશન પરસહુ આ વાતથી ટેવાઈ ગયા.હાચિકો અને તેના માલિકના આ નિત્યક્રમથી સહુ પરિચિત થઈ ગયા.આમ ઘણો વખત ચાલ્યું.પણ.... કદાચ બંન્નેના પ્રેમને કોઈની નજર લાગી ગઈ.... એક વારમાલિકનું નોકરીના સ્થળે જ અચાનક મ્રુત્યુ થઈ ગયું.અને તે કદી પાછા ફર્યા જ નહી!!હાચિકોભાઈ માલિકની રાહ જોતા જોતા ત્યાં જ બેસી રહ્યા !!
ના ખાધું,નાપીધું....હાચિકોની આતુર આંખો પોતાના માલિકની એક ઝલક જોવા શિબૂયા સ્ટેશનની એ જએક્ઝીટ પર મંડાઈ રહી !! પણ માલિક પાછા આવે શી રીતે?? તે તો ચાલી નીકળ્યા હતા અગમનીયાત્રાએ !! ! !શિબુયા સ્ટેશન પર પણ સહુ આ હ્રદયદ્રાવક દ્રશ્ય જોઈને ગળગળા થઈગયા…
તે દિવસ પછી હાચિકો ખૂબ ઉદાસ રહેવા લાગ્યો.. જાણે પરાણે ના જીવતો હોય,તેમ મૂઢ થઈ ગયો..દરરોજ સાંજે હાચિકો પોતાના મ્રુત માલિકના ઓફિસેથી પાછા આવવાનાટાઈમે શિબુયા સ્ટેશન પર હાજર થઈ જાય, અને માલિકને ના જોતાં નિરાશ થઈને પાછો ચાલ્યોજાય! !આવતાં-જતાં સહુ તેને કંઈ ખવડાવવાની કોશીષ કરે પણ વ્યર્થ !અને એમ ને એમ એકદિવસ હાચિકોએ પોતાના માલિકની યાદમાં ઝુરી ઝુરીને શિબુયા સ્ટેશનની બહાર જ
પ્રાણત્યાગી દીધા !
પોતાના માલિકની યાદમાં પ્રાણ ત્યજી દેનારા આ વફાદર કુતરાનીયાદમાં તોક્યો શહેરના શિબૂયા સ્ટેશનની તે એક્ઝીટનું નામ હાચિકો એક્ઝીટ પડી ગયું.આજે પણ તે એક્ઝીટની બહાર હાચિકો કુતરાનું સ્ટેચ્યુ છે !અને તોક્યો શહેરની મુલાકાતેજનારા પ્રવાસીઓ હાચિકોના સ્ટેચ્યુ સાથે ફોટો જરૂર પડાવે છે !!
- મૈત્રેયી મહેતા, બોરિવલી, મુંબઈ
જાપાનના તોક્યો શહેરના પરા : શિબૂયા સ્ટેશનથી બહાર જવાના એક રસ્તાનું નામ છે હાચિકોએક્ઝિટ. આ એક્ઝિટનું નામ હાચિકો કેમ પડ્યુંતેની ખૂબ દિલસ્પર્શ અને રસપ્રદ દાસ્તાનછે. એક જણે એક કૂતરો પળ્યો. નામ પાડ્યું હાચિકો..હાચિકો અને તેના માલિક વચ્ચે ખૂબદોસ્તી.બન્ને એક્બીજા સથે ખૂબ હળીમળી ગયા. આ હાચિકો ખૂબ એક્ટિવ. તેના માલિકે તેનેબહુ સરસ તાલિમ આપી. હાચિકો છાપુ લઈ આવે,પોતાના માલિકના
નાનામોટા ઘણાં કામ કરે. મેરીહેડ એ લિટલ લેમ્બ ની જેમ હાચિકો માલિકની પાછળ પાછળ ફર્યા કરે.માલિક દરરોજ શિબૂયાસ્ટેશન પરથી નોકરી કરવા ટ્રેનમાં જાય. હાચિકોભાઈ માલિકને મૂકવાસ્ટેશન જાય અને સાંજપડે નિશ્ચિત ટાઈમે પાછા સ્ટેશન પર હાજર થઈજાય..
હાચિકો પોતાના માલિકના ઘણા બધા કામ કરે.મેરી હેડ એ લિટલ લેમ્બની જેમ માલિકની પાછળપાછળ ફર્યા કરે.માલિક દર રોજ શિબુયા સ્ટેશન પરથી નોકરી કરવા ટ્રેનમાં બેસીને જાય.હાચિકોભાઈ દરરોજ માલિકને મૂકવા સ્ટેશન સુધી જાય, ટાટા-બાય બાય કરે અને પાછો ઘરેજાય. સાંજે માલિકના પાછા આવવાના ટાઈમે હાચિકો સ્ટેશન પર હાજર થઈ જાય.માલિકનીઆતુરતાપૂર્વક રાહ જુએ.અને જેવા તેના માલિકને જુએ કે બસ પુછો નહી વાત!

બંન્ને જણાએક્બીજાને ખૂબ વ્હાલ કરે અને પછી સાથે ઘરે જાય.દરરોજનો આ ક્રમ! શિબુયા સ્ટેશન પરસહુ આ વાતથી ટેવાઈ ગયા.હાચિકો અને તેના માલિકના આ નિત્યક્રમથી સહુ પરિચિત થઈ ગયા.આમ ઘણો વખત ચાલ્યું.પણ.... કદાચ બંન્નેના પ્રેમને કોઈની નજર લાગી ગઈ.... એક વારમાલિકનું નોકરીના સ્થળે જ અચાનક મ્રુત્યુ થઈ ગયું.અને તે કદી પાછા ફર્યા જ નહી!!હાચિકોભાઈ માલિકની રાહ જોતા જોતા ત્યાં જ બેસી રહ્યા !!
ના ખાધું,નાપીધું....હાચિકોની આતુર આંખો પોતાના માલિકની એક ઝલક જોવા શિબૂયા સ્ટેશનની એ જએક્ઝીટ પર મંડાઈ રહી !! પણ માલિક પાછા આવે શી રીતે?? તે તો ચાલી નીકળ્યા હતા અગમનીયાત્રાએ !! ! !શિબુયા સ્ટેશન પર પણ સહુ આ હ્રદયદ્રાવક દ્રશ્ય જોઈને ગળગળા થઈગયા…
તે દિવસ પછી હાચિકો ખૂબ ઉદાસ રહેવા લાગ્યો.. જાણે પરાણે ના જીવતો હોય,તેમ મૂઢ થઈ ગયો..દરરોજ સાંજે હાચિકો પોતાના મ્રુત માલિકના ઓફિસેથી પાછા આવવાનાટાઈમે શિબુયા સ્ટેશન પર હાજર થઈ જાય, અને માલિકને ના જોતાં નિરાશ થઈને પાછો ચાલ્યોજાય! !આવતાં-જતાં સહુ તેને કંઈ ખવડાવવાની કોશીષ કરે પણ વ્યર્થ !અને એમ ને એમ એકદિવસ હાચિકોએ પોતાના માલિકની યાદમાં ઝુરી ઝુરીને શિબુયા સ્ટેશનની બહાર જ
પ્રાણત્યાગી દીધા !
પોતાના માલિકની યાદમાં પ્રાણ ત્યજી દેનારા આ વફાદર કુતરાનીયાદમાં તોક્યો શહેરના શિબૂયા સ્ટેશનની તે એક્ઝીટનું નામ હાચિકો એક્ઝીટ પડી ગયું.આજે પણ તે એક્ઝીટની બહાર હાચિકો કુતરાનું સ્ટેચ્યુ છે !અને તોક્યો શહેરની મુલાકાતેજનારા પ્રવાસીઓ હાચિકોના સ્ટેચ્યુ સાથે ફોટો જરૂર પડાવે છે !!
- મૈત્રેયી મહેતા, બોરિવલી, મુંબઈ
મંગળવાર, 23 માર્ચ, 2010
આજકાલના નેતાઓ Vs મહાત્મા ગાંધીજી
માયાવતીનું લાખો રૂપિયાની નોટોનો હાર પહેરી અભિવાદન ઝીલતી તસવીર છાપામાં નજરે પડી.આગળ વાંચ્યું ગયા અઠવાડિયે આ જ માયાવતીને કરોડ રૂપિયા જેટલી કિંમતની ચલણી નોટોનો હાર પહેરાવવામાં આવ્યો હયો અને તેમની પાર્ટીના એક નેતાએ તો જાહેરાત પણ કરી દીધી કે હવે પછીના દરેક જાહેર સમારંભમાં માયાવતીદીદીને આ જ રીતે ચલણી નોટોના હારથી સત્કારવામાં આવશે. આ એ જ માયાવતી છે જે થોડા સમય અગાઉ તેમના રાજ્ય ઉત્તરપ્રદેશમાં કરોડો રૂપિયાના પૂતળા ઉભા કરવા બદલ સમાચારોમાં ચમક્યા હતાં.(ક્યારે આપણાં આજકાલનાં નેતાઓ સાચા અને યોગ્ય કારણસર સમાચારોમાં આવતા થશે?)
મને વિચાર આવ્યો કે ક્યાં આજકાલના નેતાઓ અને ક્યાં આપણાં મહાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી?સમાચારમાં ટાંક્યા મુજબ જ 'દલિત કી બેટી' હવે 'દૌલત કી બેટી' બની ગઈ છે! અને ગાંધીબાપુએ રાષ્ટ્રના ગરીબ લોકો માટે થઈને સામાન્ય વસ્ત્રો પણ ત્યજી દઈ ટૂંકી પોતડી અને ખાદીનું ઉપરણું પહેરવાનું શરૂ કર્યું હતું.માયાવતી એટલે વૈભવસંપત્તિ અને ભપકાનું છડેચોક બેહૂદૂ પ્રદર્શન અને ગાંધીબાપુ એટલે સદાચારની જીવતીજાગતી મૂર્તિ - ખરા અર્થમાં નેતા.બંનેની સરખામણી જ શી રીતે થઈ શકે?
એક બાબત છે કે માયાવતી આ બધું ખુલ્લમખુલ્લા જાહેરમાં કરે છે.(અહિં હું કોઈ પણ રીતે માયાવતીનો પક્ષ નથી લઈ રહ્યો કે તેમણે જે કર્યું તેની તરફદારી પણ નથી કરી રહ્યો.)પણ એવા તો કંઈ કેટલાય રાજકારણીઓનો (તેમના માટે 'નેતા' શબ્દ વાપરવો ઉચિત નહિં ગણાય) જોટો નથી જે લાંચરૂશ્વત લેવાનું કાળું કામ અન્ડર ધ ટેબલ એટલે કે ચોરીછૂપીથી કરતાં હોય છે અને સંપૂર્ણ રીતે ભ્રષ્ટ હોય છે.
આપણે ત્યાં રાજકારણીઓની બીજી પણ એક જમાત છે જેમને હંમેશા સમાચારોમાં ચમકતા રહેવું ગમે છે,ક્ષુલ્લક કે ખોટી બાબતોને લઈને.થોડા દિવસ પહેલા છાપાઓમાં વાંચ્યુ કે મુંબઈની B.N.H.S.(Bombay Nature History Society - પર્યાવરણ અને પશુપંખીઓ સાથે સંકળાયેલી એક ઘણી જૂની સંસ્થા )ના હેડ ક્વાર્ટર ઓફિસમાં તોડફોડ કરી રાત્રે કોઈનું ધ્યાન ન પડે એમ કેટલાક શિવ સૈનિકોએ (આ લોકો પોતાની જાતને સૈનિક કઈ રીતે ઓળખાવે છે એ સમજાતુ નથી.સૈનિક એટલે જે લોકોની રક્ષા કરે જ્યારે આ લોકો તો પોતાના હિતોની જ રક્ષા કરે છે.લોકોની સુરક્ષાનું તેમણે કોઈ કાર્ય કર્યાનું મને તો યાદ નથી આવતું) સંસ્થાના નામ જડેલા અક્ષરોમાંથી 'બોમ્બે' શબ્દ ઉડાડી દઈ તેની જગાએ 'મુંબઈ' શબ્દ મરાઠી ભાષામાં લખેલું પાટિયુ ચોડી દીધું.હવે આનાથી જનતાને શો લાભ થવાનો છે?પણ બસ તેમને આવા છમકલાઓમાં રચ્યાપચ્યા રહી તેમની કહેવાતી મરાઠીલક્ષી ઝૂંબેશની જ્યોત બળતી રાખીને અખબારોનાં પાને ચમક્તા રહેવું છે.વોટ્બેંક પોલિટિક્સ.પણ શું જનતા હવે આવા ગતકડાઓ ન સમજી શકે એટલી નાદાન રહી છે?છેલ્લી ચૂંટણીઓમાં શિવ સેનાને મળેલી મોટી હાર એ બાબતનો સ્પષ્ટ નિર્દેશ કરે છે કે મુંબઈના મરાઠીઓને પણ હવે આવી ક્ષુલ્લક બાબતોમાં રસ નથી.
ઘણાં સમય પહેલા પ્રખ્યાત વિક્ટોરિયા ટર્મિનસ એટલે કે વી.ટી. સ્ટેશનનું નામ મરાઠીપણાની ઝૂંબેશને પગલે જ બદલીને છત્રપતિ શિવાજી ટર્મિનસ (સી.એસ.ટી.) કરી નંખાયુ હતું. આમ છતાં મરાઠી ભાષાના પ્રખર હિમાયતી અને પ્રચારક રાજ ઠાકરે એ તાજેતરમાં ત્યાં એક જાહેર વક્તવ્યમાં એક વાર નહિં પણ વારંવાર સી.એસ.ટી. ને તેના આ નવા મરાઠી નામને બદલે વી.ટી. કહીને જ સંબોધ્યું હતું.આનાથી મોટું બેવડા ધોરણોનું ઉદાહરણ હોઈ શકે બીજું?
રાજની સેના કે શિવ સેનામાંથી કોઈનો ઉદ્દેશ મરાઠીને સાચા અર્થમાં ઉપર લાવવાનો કે જાળવવાનો નથી પણ તેઓ નર્યું વોટબેન્કનું રાજકારણ જ ચલાવી રહ્યાં છે. નહિતર શા માટે રાજનાં પોતાના કે આ સેનાઓના મોટા ભાગના કાર્યકરોનાં સંતાનો મરાઠી માધ્યમને બદલે અંગ્રેજી માધ્યમની શાળામાં ભણે છે? અથવા શા માટે બહારનાં રાજ્યોના લોકોનો વિરોધ કરતા અને સંસ્થાઓ તેમજ સરકાર સમક્ષ સ્થાનિક લોકો માટે નોકરીમાં ૮૦% જેટલા અનામતની માંગણી કરતા આ નેતાઓએ,તાજેતરમાં છપામાં આવેલા એક અહેવાલ મુજબ, પોતાના અંગત કાર્યો માટે પોતાના ઘરોમાં અને ઓફિસોમાં બિન-મરાઠી લોકોને નોકરી પર રાખ્યાં છે?
મહાત્મા ગાંધી જે કહેતા તે પોતે પહેલા આચરણમાં મૂકી બતાવતા.પણ હું શા માટે આજના તદ્દન સામાન્ય અને ભ્રષ્ટ એવા જાડી ચામડીનાં આ રાજકારણીઓની વાત કરતી વેળાએ ગાંધીજી જેવી મહાન પ્રતિભાનો ઉલ્લેખ પણ કરું છું?તેમની વચ્ચે સરખામણી કરવી બિલ્કુલ અયોગ્ય છે.
હું આશા રાખું છું કે આજના રાજકારણમાં કાર્યશીલ યુવા નેતાઓ જેવા કે રાહુલ ગાંધી,સચિન પાયલોટ,મિલિન્દ દેઓરા,અગાથા સંગમા વગેરે આગળ આવે અને સારા કાર્યો થકી આપણાં ભારતને પ્રગતિ અને સફળતાના માર્ગે ખૂબ આગળ અને આગળ લઈ જાય.
મને વિચાર આવ્યો કે ક્યાં આજકાલના નેતાઓ અને ક્યાં આપણાં મહાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી?સમાચારમાં ટાંક્યા મુજબ જ 'દલિત કી બેટી' હવે 'દૌલત કી બેટી' બની ગઈ છે! અને ગાંધીબાપુએ રાષ્ટ્રના ગરીબ લોકો માટે થઈને સામાન્ય વસ્ત્રો પણ ત્યજી દઈ ટૂંકી પોતડી અને ખાદીનું ઉપરણું પહેરવાનું શરૂ કર્યું હતું.માયાવતી એટલે વૈભવસંપત્તિ અને ભપકાનું છડેચોક બેહૂદૂ પ્રદર્શન અને ગાંધીબાપુ એટલે સદાચારની જીવતીજાગતી મૂર્તિ - ખરા અર્થમાં નેતા.બંનેની સરખામણી જ શી રીતે થઈ શકે?
એક બાબત છે કે માયાવતી આ બધું ખુલ્લમખુલ્લા જાહેરમાં કરે છે.(અહિં હું કોઈ પણ રીતે માયાવતીનો પક્ષ નથી લઈ રહ્યો કે તેમણે જે કર્યું તેની તરફદારી પણ નથી કરી રહ્યો.)પણ એવા તો કંઈ કેટલાય રાજકારણીઓનો (તેમના માટે 'નેતા' શબ્દ વાપરવો ઉચિત નહિં ગણાય) જોટો નથી જે લાંચરૂશ્વત લેવાનું કાળું કામ અન્ડર ધ ટેબલ એટલે કે ચોરીછૂપીથી કરતાં હોય છે અને સંપૂર્ણ રીતે ભ્રષ્ટ હોય છે.
આપણે ત્યાં રાજકારણીઓની બીજી પણ એક જમાત છે જેમને હંમેશા સમાચારોમાં ચમકતા રહેવું ગમે છે,ક્ષુલ્લક કે ખોટી બાબતોને લઈને.થોડા દિવસ પહેલા છાપાઓમાં વાંચ્યુ કે મુંબઈની B.N.H.S.(Bombay Nature History Society - પર્યાવરણ અને પશુપંખીઓ સાથે સંકળાયેલી એક ઘણી જૂની સંસ્થા )ના હેડ ક્વાર્ટર ઓફિસમાં તોડફોડ કરી રાત્રે કોઈનું ધ્યાન ન પડે એમ કેટલાક શિવ સૈનિકોએ (આ લોકો પોતાની જાતને સૈનિક કઈ રીતે ઓળખાવે છે એ સમજાતુ નથી.સૈનિક એટલે જે લોકોની રક્ષા કરે જ્યારે આ લોકો તો પોતાના હિતોની જ રક્ષા કરે છે.લોકોની સુરક્ષાનું તેમણે કોઈ કાર્ય કર્યાનું મને તો યાદ નથી આવતું) સંસ્થાના નામ જડેલા અક્ષરોમાંથી 'બોમ્બે' શબ્દ ઉડાડી દઈ તેની જગાએ 'મુંબઈ' શબ્દ મરાઠી ભાષામાં લખેલું પાટિયુ ચોડી દીધું.હવે આનાથી જનતાને શો લાભ થવાનો છે?પણ બસ તેમને આવા છમકલાઓમાં રચ્યાપચ્યા રહી તેમની કહેવાતી મરાઠીલક્ષી ઝૂંબેશની જ્યોત બળતી રાખીને અખબારોનાં પાને ચમક્તા રહેવું છે.વોટ્બેંક પોલિટિક્સ.પણ શું જનતા હવે આવા ગતકડાઓ ન સમજી શકે એટલી નાદાન રહી છે?છેલ્લી ચૂંટણીઓમાં શિવ સેનાને મળેલી મોટી હાર એ બાબતનો સ્પષ્ટ નિર્દેશ કરે છે કે મુંબઈના મરાઠીઓને પણ હવે આવી ક્ષુલ્લક બાબતોમાં રસ નથી.
ઘણાં સમય પહેલા પ્રખ્યાત વિક્ટોરિયા ટર્મિનસ એટલે કે વી.ટી. સ્ટેશનનું નામ મરાઠીપણાની ઝૂંબેશને પગલે જ બદલીને છત્રપતિ શિવાજી ટર્મિનસ (સી.એસ.ટી.) કરી નંખાયુ હતું. આમ છતાં મરાઠી ભાષાના પ્રખર હિમાયતી અને પ્રચારક રાજ ઠાકરે એ તાજેતરમાં ત્યાં એક જાહેર વક્તવ્યમાં એક વાર નહિં પણ વારંવાર સી.એસ.ટી. ને તેના આ નવા મરાઠી નામને બદલે વી.ટી. કહીને જ સંબોધ્યું હતું.આનાથી મોટું બેવડા ધોરણોનું ઉદાહરણ હોઈ શકે બીજું?
રાજની સેના કે શિવ સેનામાંથી કોઈનો ઉદ્દેશ મરાઠીને સાચા અર્થમાં ઉપર લાવવાનો કે જાળવવાનો નથી પણ તેઓ નર્યું વોટબેન્કનું રાજકારણ જ ચલાવી રહ્યાં છે. નહિતર શા માટે રાજનાં પોતાના કે આ સેનાઓના મોટા ભાગના કાર્યકરોનાં સંતાનો મરાઠી માધ્યમને બદલે અંગ્રેજી માધ્યમની શાળામાં ભણે છે? અથવા શા માટે બહારનાં રાજ્યોના લોકોનો વિરોધ કરતા અને સંસ્થાઓ તેમજ સરકાર સમક્ષ સ્થાનિક લોકો માટે નોકરીમાં ૮૦% જેટલા અનામતની માંગણી કરતા આ નેતાઓએ,તાજેતરમાં છપામાં આવેલા એક અહેવાલ મુજબ, પોતાના અંગત કાર્યો માટે પોતાના ઘરોમાં અને ઓફિસોમાં બિન-મરાઠી લોકોને નોકરી પર રાખ્યાં છે?
મહાત્મા ગાંધી જે કહેતા તે પોતે પહેલા આચરણમાં મૂકી બતાવતા.પણ હું શા માટે આજના તદ્દન સામાન્ય અને ભ્રષ્ટ એવા જાડી ચામડીનાં આ રાજકારણીઓની વાત કરતી વેળાએ ગાંધીજી જેવી મહાન પ્રતિભાનો ઉલ્લેખ પણ કરું છું?તેમની વચ્ચે સરખામણી કરવી બિલ્કુલ અયોગ્ય છે.
હું આશા રાખું છું કે આજના રાજકારણમાં કાર્યશીલ યુવા નેતાઓ જેવા કે રાહુલ ગાંધી,સચિન પાયલોટ,મિલિન્દ દેઓરા,અગાથા સંગમા વગેરે આગળ આવે અને સારા કાર્યો થકી આપણાં ભારતને પ્રગતિ અને સફળતાના માર્ગે ખૂબ આગળ અને આગળ લઈ જાય.
લેબલ્સ:
"Mahatma Gandhi",
Gaandhijee,
leaders,
politicians,
politics
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)


