Translate

રવિવાર, 9 એપ્રિલ, 2017

પાષાણી પથરીની પારાવાર પીડા (ભાગ - ૧)

૭મી એપ્રિલ 'વર્લ્ડ હેલ્થ ડે' તરીકે ઉજવાય છે.આ દિવસે આપણે આપણી તંદુરસ્તી અને આરોગ્ય વિષે સભાન પણે વિચારવું જોઇએ.આમ તો આપણે આખું વર્ષ આપણી તબિયત પ્રત્યે આંખ આડા કાન કરતા હોઇએ છીએ કે તેની કાળજી કરતા હોતા નથી. પણ આજના સમયમાં જ્યારે ઋતુઓ વધુ ને વધુ વિષમ થતી ચાલી છે, જ્યારે આપણે ભેળસેળ વાળું ખાવા પામતા હોઇએ છીએ અને પ્રદૂષણ યુક્ત હવા શ્વાસમાં લઈ રોજ ભાગમભાગ કરી તાણયુક્ત જીવન જીવતા હોઇએ છીએ ત્યારે મારે એક વાર યાદ અપાવવું છે કે વચ્ચે વચ્ચે થોભો. તમારી તબિયતનું ધ્યાન રાખો.વર્ષમાં ઓછામાં ઓછી એક વાર આખા શરીરનું ચેક અપ કરાવી લો અને શરીર તથા તબિયતનું ખુબ સારી રીતે ધ્યાન રાખો. તાજેતરમાં જ થયેલ એક પીડાદાયી અનુભવમાંથી પસાર થવાને કારણે આજે હું આ વિચારો શેર કરી રહ્યો છું. મેં જે ભૂલ કરી હતે તે તમારામાંથી કોઈ આજની આ પોસ્ટ વાંચ્યા પછી ન કરે તો મારી આ મહેનત લેખે લાગશે.
            નોકરી શરૂ કર્યાને પંદરેક વર્ષ થઈ ગયા અને મારે એ.સી. ઓફિસમાં બેસીને જ કામ કરવાનું હોવાથી આમ તો હું તંદુરસ્ત રહેવા માટે નિયમિત યોગ કરું છું, ચાલવાની કસરત નિયમિત કરું છું, વર્ષમાં એકાદ-બે મેરેથોનમાં દસ-વીસ કિલોમીટર દોડવાનું રાખું છું.  પણ એ.સી.માં બેસવાને લીધે તરસ ઓછી લાગે એટલે નિયમિત પૂરતી માત્રામાં પાણી પીવાનું હું ચૂકી જતો. સવારે ઉઠતા વેત બે-ત્રણ ગ્લાસ પાણી એક સાથે પી જવાની આદત ખરી પણ આખા દિવસ દરમ્યાન શરીરને નિયમિત રીતે થોડે થોડે સમયને અંતરે પાણી મળતું રહેવું જોઇએ એ ખ્યાલ હું ન રાખી શક્યો અને મને જાણ ન થાય એમ શરીરમાં પાછલા બે-એક વર્ષમાં બંધાઈ ગઈ પાષાણી પથરી!
            બે વર્ષ પહેલા ફુલ-બોડી ચેક અપ કરાવ્યું ત્યારે અલ્ટ્રા-સોનોગ્રાફીનો રીપોર્ટ નોર્મલ આવ્યો હતો, પથરીનું નામોનિશાન નહોતું.પણ માત્ર છેલ્લા એકાદ-બે વર્ષમાં મારી કિડનીમાં નવ મિલિમીટર કદની પથરીએ આકાર લીધો અને તેનો નાશ અને નિકાલ કરતી વેળા પૂરો એક મહિનો જે હેરાનગતિ ભોગવી તે અનુભવ આજની આ પોસ્ટ થકી તમારા સૌ સાથે શેર કરું છું જેથી તમે એમાંથી કંઈક શિખી શકો અને તમારે  આવા યાતનામય અનુભવમાંથી પસાર થવાનો વારો ન આવે.
મહાશિવરાત્રિની શુક્રવારની રાતે પોણા બારે અચાનક પેટમાં ડાબી બાજુએ દુખાવો ઉપડયો. દુખાવો પણ કેવો? કદાચ પહેલી વાર આટલો અસહ્ય દુખાવો હું અનુભવી રહ્યો હતો. મારાથી બેસી શકાતુ નહોતું અને સૂઈ જવાની કોશિષ કરી એનાથી પણ રાહત અનુભવાઈ. જાજરૂ જઈ આવ્યો પણ કંઈ રાહત નહિ, ઉલટી થઈ અને બધું ખાધેલું નિકળી ગયું અને આશા બંધાણી કે હવે કદાચ સારું થઈ જશે પણ આ ઉલટી કેટલીક વાર મને થતી હોય છે તેવી પિત્તની ઉલટી નહોતી અને તેથી મને ઉલટી કર્યા બાદ પણ રાહત ન થઈ. પીડા તો મારો કેડો નહોતી મૂકતી. દુખાવો ડાબી બાજુએ હોવાથી હાર્ટ એટેક તો નહિ હોય એવો છૂપો ભય પણ ઓલરેડી ધ્રુજી રહેલા શરીરમાં ભયની માત્રામાં વધારો કરી ગયો.આટલી મોડી રાતે ફેમિલી ડોક્ટર પણ ચાલ્યા ગયા હોય તો ક્યાં જવું? હજી વિચાર લાંબો ચાલે પહેલા તો દુખાવો પરાકાષ્ઠાએ પહોંચ્યો અને હવે પસીનો પણ વળવા માંડ્યો. હું સીધો બહેનને સાથે લઈ ઘર  નજીક આવેલી હોસ્પિટલ જઈ પહોંચ્યો. ત્યાં ડોક્ટરે પ્રાથમિક તપાસ કરી અને લક્ષણો પરથી એવું તારણ કાઢ્યું કે અસહ્ય પીડાનું મૂળ કારણ હતી પાષાણી પથરી!
રાતે તો ડોક્ટરે પેઇન કિલર ઇન્જેકશન અને દવાની ટિકડી આપી કહી દીધું કે હવે સવાર સુધી તો પરેશાની નહિ થાય અને બીજે દિવસે વિગતવાર રીપોર્ટ કઢાવી પછી આગળની પ્રોસેસ નક્કી કરીશું.પણ ઘેર આવ્યા બાદ બે-એક કલાક બાદ ફરી પીડાએ મને પરેશાન કરી મૂક્યો. ત્રણ-ચાર વાર જાજરૂમાં જઈ આવ્યા બાદ પણ ચેન પડ્યું. જેમતેમ કરી સવાર પાડી!
સવારે પેટની સોનોગ્રાફી કરાવી.પહેલા તો સોનોગ્રાફી કરનાર ડોક્ટર બહેન કહે પેટ ભરપૂર પાણી ભરેલું હોવું જોઇએ જેથી બ્લેડર ફુલ હોય અને રીપોર્ટ બરાબર આવે પણ મને ઉલટી - ઉબકા આવી રહ્યા હતા એની એમને ક્યાંથી ખબર? જેટલું પીવાય એટલું પાણી પીધા બાદ સોનોગ્રાફી કરાવી અને તેમાં સ્પષ્ટ દેખાયું કે મિલિમીટરની  પથરી મૂત્રાશયની નળીના પ્રવેશદ્વારની આસપાસ ક્યાંક બેઠેલી હતી! યુરોલોજીસ્ટ ડોક્ટરે કહ્યું સોનોગ્રાફીને આધારે ઓપરેશનનો નિર્ણય લેવાય કારણ ઓછા કદની પથરી હોય તો દવા વાટે પણ તેનો નિકાલ થઈ શકે અને સોનોગ્રાફી ચોકસાઈ પૂર્વક કદનું નિદાન કરવા માટે પૂરતી નથી. આથી ગયો એમ.આર.આઈ. કરાવવા. ત્યાં લાંબી લાઈન. પ્રોસેસ પણ પાછી લાંબી એટલે એક દર્દી રીપોર્ટ માટે જાય અડધા-પોણા કલાકે બહાર આવે. એમ.આર.આઈનું યંત્ર પણ કેવું ડરામણું! ઓછા માં પૂરતી ત્યાં હિમાલય પર પડતી હોય એવી ઠંડી. મારે પેટનો સ્કેન રીપોર્ટ કઢાવવાનો હતો એટલે અહિ પણ બ્લેડર ફુલ કરવા ભરપૂર પાણી પીવા સૂચન થયું. પાણી તો ત્રણચાર ગ્લાસ પી લીધું પણ હજી બે-ચાર દર્દી પછી મારો નંબર આવવાનો હતો એટલે મારી સ્થિતી જોવા જેવી હતી! એક સારી બાબત હતી કે હવે પથરીનો દુખાવો નહોતો થઈ રહ્યો. ક્રિયેટીન ઓછું હોવાથી અન્ય ખાસ પ્રકારની દવા ઇન્જેકશન દ્વારા આપ્યા બાદ એમ.આર.આઈ સ્કેન થયો. હું તો રીતસર ધ્રૂજી રહ્યો હતો એટલી ઠંડી હતી.એમાં મશીનનું ભૂંગળુ ઘડીક આગળ લઈ જાય તો ઘડીક પાછળ, ક્યારેક મને ઉંધા સૂવાનું કહે તો ક્યારેક ચત્તા, એમાંયે ઘડી ઘડી શ્વાસ રોકવાનો. જોરદાર બાથરૂમ જવાનું પ્રેશર આવ્યું હોય અને એમાં આવી બધી કવાયત. મારી બહેન સતત મારી સાથે હતી. જો કોઈ દર્દી એકલું હોય તો એને માટે તો બધી માથાકૂટ ભારે પડે. ખેર આટલી મથામણ પછી યે હજી ડોક્ટરને સંતોષ થયો એટલે એક પેરામીટર ફરી તપાસવા રાતે આઠ વાગે બોલાવ્યો. બપોરના સાડા ત્રણ-ચાર થયા હોવા છતા હજી સુધી મેં સવારે ચાનાસ્તામાં બે ભાખરી સિવાય કંઈજ ખાધું નહોતું.ખેર ઘેર જઈ થોડું જમ્યા બાદ જેમતેમ સમય પસાર કર્યો અને આઠ વાગે ફરી રીપોર્ટ કઢાવવા આવ્યો.પૂરો રીપોર્ટ લઈ યુરોલોજીસ્ટ ડોક્ટરને બતાવવા ગયો અને ત્યાં નિદાન થયું કે ડાબી કિડનીમાં બે-ત્રણ નાની મોટી પથરીઓ ચોંટીને તેમણે બનાવેલું મોટું નડતર  ડાબી બાજુની મૂત્રવાહિની પાસે ઉભું હતું. જમણી બાજુએ પણ નાની ત્રણેક મિલિમીટરની એક પથરી હતી. ડોક્ટરે ખુબ સરસ રીતે સમજાવ્યું કે પુરતું પાણી પીવાને કારણે અમુક ચોક્કસ પ્રકારનો (જેમ કે બી વાળા શાક) ખોરાક ખાવામાં સતત આવતો હોય તો સમસ્યા થઈ શકે. મારે તો હેરીડિટરી પણ સમસ્યા આવી હોઈ શકવાની સંભાવના હતી. પણ હવે તેનું કદ એટલું મોટું હતું કે ઓપરેશન દ્વારા તેને દૂર કરવી એવું સૂચન ડોક્ટરે કર્યું. સદનસીબે આટલી મોટી પથરી હોવા છતાં તેણે મારી કિડનીને નુકસાન પહોંચાડ્યું નહોતું.જો ઓપરેશન કરીએ અને દવા દ્વારા તેને બહાર લાવવાનો પ્રયત્ન પણ કરીએ તો મોટા કદ અને તેના કાંટાળા આવરણ વાળા શરીરને લીધી કિડની તથા સાવ પાતળી મૂત્રવાહિનીની દિવાલોને ચિરતી, તેમને નુકસાન પહોંચાડતી નીચે બહાર આવે એવી શક્યતા હતી આથી મેં બીજે દિવસે રવિવારે સવારે ઓપરેશન કરાવી નાંખવાનું મુનાસીબ માન્યું અને શનિવારની બીજી રાત પણ જેમતેમ પીડા સાથે વિતાવી.


(ક્રમશ:)

મંગળવાર, 4 એપ્રિલ, 2017

ગેસ્ટ બ્લોગ : વિદેશી અને દેશી બેન્કનો પ્રતિભાવ

                                                - મીના જોશી

    ‘પદ અને સત્તાનો દુરુપયોગબ્લોગ લેખ ખુબ ગમ્યો. તમે દેશના મોટાભાગના લોકોની મનોસ્થિતિ ને વાચા આપી છે. તમારી પોઝિટિવ વાતો શેર કરવાની વાત સારી છે પરંતુ દેશના એક જાગૃત નાગરિક તરીકે આવી ઘૃણાસ્પદ ઘટનાનો વિરોધ કરવો રહ્યો.આપણે જેમને સાંસદ તરીકે ચૂંટીને લોકસભામાં મોકલીએ છીએ, એમની બેશરમ હરકતનો નિષેધ કરવો જોઈએ.આવી વર્તણુક પછી પણ મીડિયા સમક્ષ લાજવાને બદલે જાણે કોઈ મોટું પરાક્રમ કર્યું હોઈ એમ ગાજવું બિલકુલ આવકાર્ય નથી. એમના મતવિસ્તારના લોકોએ પોતાની પસંદગી માટે પ્રશ્ચાતાપ કરવો જોઈએ.

       પખવાડિયા પહેલાનો યુદ્ધ અને શાંતિ પરનો લેખ પણ બહુ ગમ્યો.હું જે કહેવા માંગુ છું તેમાં કોઈ પણ દેશના લોકોનો વખાણ કરવાનો અથવા વખોડવાનો ઈરાદો નથી. મારુ માનવું છે કે સારા ખરાબ લોકો બધે છે એમાં પ્રમાણ ઓછું વધતું હોઈ શકે. પાકિસ્તાનમાં પણ શાંતિપૂર્ણ સહઅસ્તિત્વમાં માનનારા લોકો પણ હશે .ત્યાં કટ્ટરવાદી અને ધર્માન્ધ લોકોની સાથે ઉદાર મતવાદી લોકો પણ હશે. તેમનું પ્રમાણ ઓછું વધતું હોઈ શકે.

       જાન્યુઆરીમાં અમે દુબઇ, શારજાહ અને અબુધાબીની ફેમિલી ટૂર પર ગયા હતા. હોટેલના સ્ટાફમાં મોટાભાગના પાકિસ્તાની હતા. એમનો અમારી સાથેનો વ્યવહાર ઘણો સૌજન્યશીલ અને સહકારપૂર્ણ રહ્યો.ક્યાંય પણ એમના વર્તનમાં જરાપણ અમે ભારતીય હોવાથી પરાયાપણું કે કડવાશ નહોતી. ત્યાં ડેઝર્ટ સફારીમાં પણ ઇન્ડિયન છીએ એમ જાણ્યા પછી બ્લૉચિસ્તાનના અને પાકિસ્તાન મૂળના લોકોનો વ્યવહાર પોતીકો હતો. કદાચ ધંધાકીય સંબંધ ધારી લઈએ તો પણ એક અનુભવ હું શેર કરીશ. અમે ટૂરના છેલ્લા  દિવસે મલ્ટી કરંસી   ફોરેક્સ કાર્ડથી હબીબ બેંકના  (જે એક પાકિસ્તાની બેંક છે) .ટી.એમ.નો ત્યાં ૨૦૦૦ દેહરામ ઉપાડવા માટે ઉપયોગ કર્યો. બદનસીબે વખતે તકનીકી કારણોથી દેહરામ મશીનની બહારના આવ્યા. પછી અમે બેલેન્સ માટે ફરી ચેક કર્યું તો ખબર પડી કે ૨૦૦૦ દેહરામ (જે લગભગ ભારતીય રૂપિયા ૩૭૦૦૦ જેટલા થાય) ડેબિટ થયા છે. અમારું શોપિંગ એના પર આધારિત હતું. અમે ત્યાં અંદર બેન્કની શાખામાં અધિકારીનો સંપર્ક કરી જાણ કરી. ત્યાં સેક્યુરીટી સ્ટાફથી મેનેજર  સુધી બધાનો વ્યવહાર ઘણો સહકારપૂર્ણ રહ્યો. અમે ખુબ   ટેન્શન માં હતા.અમે બનતી મદદ કરવા વિનંતી કરી. શાખાનો સમય ત્યાંના બપોરે બે વાગ્યા સુધીનો હોવાથી અમને ચાર વાગે આવવાનું કહ્યું. જયારે અમે ચાર વાગે ગયા તો  જોયું બે અધિકારી એટીમ મશીન બંધ કરીને બેલેન્સ ચેક કરી રહ્યા હતા, જેમાંથી એક નેપાળી અધિકારી પણ હતા. તેમણે અમને જણાવ્યું કે એમની પાસે કેશ ટ્રાન્સેક્શન હિસાબે ૨૦૦૦ દેહરામ વધુ છે.એમના કોમ્પ્યુટર થી અમને ડિસ્પ્યૂટ ફોર્મ ભરવા કહ્યું. અમે અહીં ભારત પાછા આવ્યા પછી પણ ટેલિફોન અને ઇમેઇલ દ્વારા તેમણે મને હંમેશા તુરંત અને સંતોષકારક જવાબ આપ્યા.જયારે અહીંની કાર્ડ ઇસ્સુઇંગ બેંક - એક્સિસ બેંક નો પ્રતિભાવ ખુબ અસંતોષજનક રહ્યો. દરેક વખતે અલગ અને ઉડાઉ  જવાબ મળ્યો.પછીથી એક્સિસ બેંકના  નોડલ ઓફિસર ફોન પર જવાબ આપવાનું ટાળતા રહ્યા.અમને ત્રણ દિવસ થી લઇ ૧૨૦ દિવસનો સમય લાગશે એમ કહેવામાં આવ્યું (દરેક વખતે અલગ). ૨૨ ફેબ્રુઆરી ના રોજ અમને હબીબ બેંકે ઇમેઇલ દ્વારા જણાવ્યું કે એમની તરફથી ચાર્જબેક રિક્વેસ્ટનું સેટલમેન્ટ થઇ ગયું હોવાથી રિવર્સલ (દેહરામ જમા માટે) એક્સિસ બેંક નો સંપર્ક કરવો (જેમાં એક થી વધારે અધિકારીને ટેગ કર્યા હતા). આજ વાત ફોન પર પણ કન્ફર્મ કરી. ૧૬ માર્ચ સુધી એક્સિસ બેંકના જવાબદાર અધિકારી દ્વારા ઇમેઇલ થી જવાબ મળ્યો કે ત્યાં સુધી એમને ક્રેડિટ મળી નથી અને પણ લખ્યું કે રિવર્સલનો અર્થ નથી કે ફોરેન બેન્કે રકમ પાછી આપી છે. ૨૯ જાન્યુઆરી ના ડેબિટ થયેલા ૨૦૦૦ દેહરામ ૧૮ માર્ચ ના રોજ ક્રેડિટ થયા. જયારે દેહરામ નો ભાવ પણ, પ્રતિ દેહરામ એક રૂપિયો ઓછો થયો છે. ખાતાકીય કાર્યવાહી લાંબી અને જટિલ હોઈ શકે પરંતુ જેના પૈસા અટવાયા હોય એમને સહાનભૂતિપૂર્વક અને જવાબદારીથી પ્રતિભાવ આપવો જોઈએ. ફરીથી પુનરાવર્તન કરું છું કે અંગત અનુભવ હોઈ શકે. કોઈને પણ સારા  કે ખરાબ ચીતરવાનો ઈરાદો નથી.
                                                             
                                                          - મીના જોશી