વાંચન એક ખૂબ સારો શોખ છે અને તે મનને તંદુરસ્ત રહેવા જરૂરી ખોરાક પૂરો પાડે છે એ કદાચ આપણે સૌ જાણીએ જ છીએ પણ તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં વાંચેલ રિસર્ચ વિષે વાંચી હું અચંબિત થઈ ગયો અને આજના આ વિષય પર બ્લોગલેખ લખવા પ્રેરાયો.
આ રિસર્ચ મુજબ મોટેથી વાંચવામાં ચિકિત્સાત્મક જાદુઈ શક્તિ રહેલી છે અને એનાથી માત્ર ભૂલકાઓને નહીં પણ મોટાઓને પણ મગજની તંદુરસ્તી વધવી અને એકલતા દૂર થવી જેવા લાભો મળે છે. તેનાથી આયુષ્યની દોરી લંબાતી હોવાનું પણ સિદ્ધ થયું છે. બસ આ માટે જરૂર છે સારા પુસ્તક કે વિષયની, સારા અવાજની અને થોડા સમયની. મેગન કોક્સ ગુર્ડોન નામની લેખિકાએ પોતાના પુસ્તક The enchanted hour : The miraculous power of reading aloud માં આ અને મોટે થી વાંચવાના બીજા અનેક ફાયદા જણાવ્યા છે.
ટેક્નોલોજી અને મોબાઇલ, ટીવી જેવા ઉપકરણો એક જ ઓરડામાં પાસે પાસે બેઠેલી વ્યક્તિઓ વચ્ચે એક અદ્રશ્ય અંતર ઉભું કરે છે પણ પુસ્તક કે સારી વાર્તા કે લેખ બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે એક અદ્રશ્ય સેતુ રચે છે જે તેમની વચ્ચે સંબંધ સુધારવામાં મદદ કરે છે, તેમની વચ્ચે નિકટતા વધારે છે. વૈજ્ઞાનિક સંશોધન મુજબ જ્યારે એક વ્યક્તિ મોટેથી વાંચે અને બીજી સાંભળે ત્યારે તેમના મગજ વચ્ચે એક સરખી પ્રવૃત્તિમાં રત થવાને કારણે સુસંવાદીતા સધાય છે અને ખાસ પ્રકારના ન્યૂરો કેમિકલ્સ પેદા થાય છે. ન્યૂરો કપલીંગ નામે ઓળખાતી આ પ્રક્રિયાના અનેક શારીરિક અને માનસિક ફાયદા છે. એકલતા અને ઉચાટ જેવી ઉપાધિઓથી ત્રસ્ત લોકો માટે આ એક અતિ આવકારદાયક સુસમાચાર છે. લંડનમાં કરવામાં આવેલ એક સર્વેક્ષણમાં એમ સિદ્ધ થયું છે કે વયસ્કોનાં એક જૂથે એક સાપ્તાહિક સામૂહિક વાંચન પ્રવૃત્તિ શરૂ કર્યા બાદ તે જૂથનાં સભ્યોની એકાગ્રતામાં સુધારો થયો હતો, તેઓ ઓછા આક્રમક અને વધુ મિલનસાર બન્યાં હતાં.
ભાષા અને સ્નાયુ બંને વપરાયા વગર પડ્યા રહે તો શિથિલ થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ અન્યો સાથે મોટેથી વાંચવાની આદત કેળવે તો સૌના મગજ વધુ સતેજ બને છે. જ્યાં વૃદ્ધોની સંખ્યા વધુ છે એવા જાપાનમાં સંશોધકોએ એવું સંશોધન કરી રહ્યા છે કે કઈ રીતે મોટે થી કરવામાં આવતું દૈનિક વાંચન, વય સાથે અને વણવપરાશથી બુઠ્ઠી થતી જતી બુદ્ધિની કલ્પના શક્તિ અને સ્મરણ શક્તિ સુધરી શકે.
તો આ લેખ વાંચી તમને પણ મોટેથી વાંચવાની ઇચ્છા થઈ આવી હોય તો અત્યાર થી જ શરૂઆત કરી દો! એના માટે શુભ મુહૂર્ત જોવાની જરૂર નથી! તમે કેટલું સારી રીતે વાંચો છો એવી ચિંતામાં પડ્યા વગર કે શું અને કેટલું વાંચવું એનું લાંબુલચક મનોમંથન કર્યા વગર તમને અને તમે જેને ચાહતા હોવ તેમને જે કંઈ સરખું પસંદ હોય એ સાથે બેસી મોટેથી વાંચવા માંડો! મોટેથી વાંચવાની કોઈ સાચી રીત નથી, તમે જે રીત અનુસરો કે અપનાવો એ જ રીત સાચી!
કેટલાક વિદ્યાર્થીઓને મોટેથી વાંચવાની ટેવ હોય છે, એ રીતે વાંચે તો જ તેમને વાંચેલું યાદ રહે એવી તેમની માન્યતા હોય છે. એ હકીકત હોય કે ન હોય પણ આવા વિદ્યાર્થીઓ જો સમાન રીતે અભ્યાસ કરવા ટેવાયેલા અન્ય વિધાર્થીઓ સાથે ભેગા મળી અભ્યાસ કરે તો આ રીત તેમને માટે ચોક્કસ ફાયદાકારક સાબિત થાય. એક જણ મોટેથી વાંચે અને અન્યો સાંભળે અને વારાફરતી બધાં થોડું થોડું વાંચી સાથે અન્ય સંલગ્ન માહિતીની આપલે દ્વારા અભ્યાસ વધુ રોચક અને રસપ્રદ બનાવી શકે!
હું રવિવારના છાપામાં આવતી વાર્તા અથવા અન્ય માહિતીસભર કે રસપ્રદ લેખ મોટેથી વાંચું અને મારી પત્ની અને ક્યારેક દીકરી પણ એ સાંભળે. પત્નીને આમ તો વાંચવાનો ખાસ શોખ નહીં, પણ રવિવારે સાપ્તાહિક ધારાવાહિક નવલકથા કે અન્ય વાર્તા લેખ વાંચું તો એ ક્યારેક પોતાનું અન્ય કામ આટોપતા પણ ધ્યાનથી સાંભળે તો ક્યારેક મારી નિકટ બેસી મને જોતા જોતા એ વાર્તા કે લેખનો આસ્વાદ માણે. ક્યારેક વાર્તા હ્રદયસ્પર્શી હોય તો વાંચતા વાંચતા મારો કંઠ રૂંધાઈ જાય અને અમે સાથે એ વાર્તાની સંવેદના માણીએ. મોટે ભાગે રવિવારની અમારી સવાર ચા-નાસ્તા અને મોટેથી વાંચનના આ સત્ર સાથેની આરામમય હોય. જન્મભૂમિની મધુવન પૂર્તિની આસવ કે ગોરસકથાઓ આ માટેની અમારી મનપસંદ કટાર અને મધુવનની ધારાવાહિક નવલકથા કે નવલિકા પણ અમે આ રીતે મોટેથી વાંચન કરી સાથે માણીએ. હું વાંચતો હોઉં ત્યારે વચ્ચે વચ્ચે ક્યારેક મારા પોતાના શબ્દો ઉમેરી પત્નીને ચીડવવાની તક પણ હું ઝડપી લઉં! અને અમે સાથે થોડું હસી પણ લઈએ! આઠ વર્ષીય દિકરીને પણ ક્યારેક આ વાંચન સત્ર માં સામેલ કરવાનો આશય તેને બને એટલા વધુ ગુજરાતી શબ્દો, કહેવતો કે રૂઢિપ્રયોગોથી માહિતગાર કરાવવાનો. ગોરસકથાઓ કે આસવ માં છપાતી વાર્તાઓ વાંચી તેનામાં સારા સંસ્કારનું સિંચન થાય અને તે માણસાઈના પાઠ શીખે એ ફાયદામાં.
લેબલ reading સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ reading સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
ગુરુવાર, 28 માર્ચ, 2019
શનિવાર, 27 નવેમ્બર, 2010
વાંચન : એક ઉમદા અને ઉત્તમ શોખ
થોડા સમય અગાઉ મધૂવન પૂર્તિની અપૂર્વભાઈ લિખિત આંખમાં પીળુ કટારમાં વાંચે ગુજરાત શીર્ષક હેઠળ સરસ લેખ વાંચ્યો અને વાંચનને આટલી હદે પ્રોત્સાહન આપતા મોદી સાહેબ પ્રત્યે વધુ એક વાર માન ઉપજ્યું.
મને કોઈ મારા શોખ વિષે પૂછે તો પ્રથમ નામ 'વાંચન' નું આપું.હું દ્યઢપણે માનું છું કે સારું વાંચન તમારા વ્યક્તિત્વ પર ખૂબ ઉંડી અને સારી અસર કરે છે.
જ્યારે આપણે ફિકશન એટલે કે કલ્પિત નવલકથા કે નવલિકા,ટૂંકી વાર્તા વાંચીએ ત્યારે આપણે એક જુદાં જ વિશ્વમાં પહોંચી જતા હોઈએ છીએ - કલ્પનાજગતમાં. વાંચન તમને જકડી લઈ શકવાની જાદૂઈ તાકાત ધરાવે છે.વાંચન તમને ખુશીના સર્વોચ્ચ શિખરે લઈ જવાથી માંડી દુ:ખની ઉંડી ગર્તામાં લઈ જવાનો અહેસાસ કરાવી શકે છે.તમે નવલકથા વાંચો ત્યારે તેના પાત્રો સાથે હસો છો અને તેમના રડવા સાથે આંસુ પણ વહાવો છો.તમે જાણે એ નવલકથા કે કલ્પનાજગતનાં જ એક પાત્ર બની જાઓ છો.ઘણી વાર વાંચતી વખતે મારા રૂંવાડા ઉભા થઈ જતા મેં અનુભવ્યા છે.કોઈક સારી વાર્તા કે વાત વાંચીએ એટલે ત્યારે જ એ આપણાં કોઈ સંવેદનશીલ સહ્રદયી મિત્ર કે સગાને પણ વંચાવવાની અદમ્ય ઇચ્છા આપણને થઈ આવે છે ખરૂં ને?તમે જેટલો સમય વાંચનના કલ્પના જગતમાં વિહરતા હોવ એટલી ક્ષણો પૂરતા તમે તમારા સઘળાં ટેન્શન-ચિંતાઓથી મુક્ત થઈ જાઓ છો. કેટલીક વાર તો સમયનું ભાન પણ ભૂલી બેસો છો. રસપ્રદ નવલકથાનાં પાનાં એક પછી એક વંચાતા જ જાય અને આવી રીતે એકી બેઠકે નવલકથા વાંચી જનારા કેટલાંક મિત્રોને પણ હું ઓળખું છું.તમે ઘણી વાર વાંચનના બંધાણી થઈ જાઓ છો.
નોન-ફિકશન એટલે કે વાસ્તવિક કે વિચારાત્મક, સ્વમદદ કે વ્યક્તિત્વ વિકાસ માટેનું વાંચન પણ તમારા સંપૂર્ણ જીવનને બદલી દઈ શકે છે.આવું વાંચન તમારા ચરિત્ર અને વ્યક્તિત્વનું ઘડતર કરી શકે છે.આવા વાંચનથી તમારો જીવન જીવવાનો દ્રષ્ટીકોણ - અભિગમ હકારાત્મક થઈ જાય છે,તમે આશાવાદી બની જાઓ છો. સારા પુસ્તકો તમારા સૌથી શ્રેષ્ઠ મિત્રો છે અને તે તમને કઈ રીતે સુખી અને સફળ થવું તે શીખવી શકે છે.મારા કોલેજ કાળ દરમ્યાન મેં વાંચેલા આવા ઘણાં પ્રેરણાત્મક પુસ્તકોની અસર મેં પ્રત્યક્ષ અનુભવી છે.આવાં પુસ્તકો રોગીઓને પણ માનસિક રોગમાંથી મુક્તિ અપાવી શકે છે અને તેના સતત વાંચનથી તમે વ્યક્તિગત લક્ષ્યાંકો બનાવી તેનેસફળતાપૂર્વક પાર પાડતા શીખો છો. સારૂં વાંચન તમને દુનિયા સામે કઈ રીતે ઝઝૂમવું અને આવનારી વિકટ પરિસ્થિતીનો કઈ રીતે સામનો કરવો,પ્રતિકૂળ સંજોગોમાં કઈ રીતે ટકી રહેવું એ શીખવે છે.સારા વાંચનથી તમારો દ્રષ્ટિકોણ બહોળો થાય છે.
વાંચનની શરૂઆત બાળપણથી થવી જોઈએ.તો એ આગળ જતા ટેવ કે શોખ બની શકે.જો બાળક સારી વાર્તાઓ વાંચશે તો તેને સારા સંસ્કાર મળશે અને તે મોટો થઈ એક સારો મનુષ્ય બની શકશે.તે સર્જનાત્મક,વિચારશીલ અને સાચો નિર્ણયકર્તા બની શકશે.ઈસપની બાળવાર્તાઓ,જાતકકથાઓ કે પંચતંત્રની પ્રાણી કથાઓ બાળક માટે રસપ્રદ તો બની જ રહે છે તદુપરાંત તેમને જીવન સાચી અને સારી રીતે જીવવાના બોધપાઠ પણ નાની વયથી જ શીખવે છે.સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ગર્ભવતી સ્ત્રી ગર્ભાવસ્થા દરમ્યાન સારા પુસ્તકો વાંચે તો તેની સારી અસર આવનારા સંતાન પર પડે છે અને તે હોંશિયાર અને સારા ગુણો ધરાવનારું બને છે. માતાપિતાઓ તમારા બાળકોને ખૂબ વંચાવો.તેમને એકાદ નવી વિડીઓગેમ કે રમકડાને બદલે સારા પુસ્તકોની ભેટ આપો.આપણે સૌ જાણીએ છીએ કે બાળકોને વાર્તાઓ સાંભળવી કેટલી ગમતી હોય છે તો પછી આ વાર્તાઓ લખતાવાંચતા શીખ્યા બાદ તેઓ પોતે વાંચે એવું ન કરી શઈએ?
વ્રુદ્ધજનોને પણ વાંચન ગમે છે.ક્યારેક તેઓ સમય પસાર કરવા ખાતર વાંચતા હોય છે. તમારા દાદાદાદી કે ઘરડા સગાને તમે ભાગવત ગીતા કે બીજા કોઈક ધાર્મિક પુસ્તકો વાંચતા જોયા હશે.જ્યારે તેમના સંતાનો તેમને જાકારો આપે ત્યારે પુસ્તકો જ વયોવ્રુદ્ધ વ્યક્તિઓનો સહારો,તેમના મિત્રો બની રહેતા હોય છે.
સારુ વાંચન તમારા આત્મવિષ્વાસને દ્રઢ બનાવે છે.એ તમને બહારની દુનિયામાં કઈ રીતે વર્તવું,કઈ રીતે ઇન્ટરવ્યૂઝમાં તમારી જાતને રજૂ કરવી,ગ્રુપ ડીસ્કશન્સ કે ડીબેટ્સમાં કઈ રીતે સહભાગી થવું એ બધું પણ શીખવે છે.વધુ વાંચીને તમે ફક્ત તમારો શબ્દભંડોળ જ નથી વધારતા પણ એ દ્વારા તમને વાતચીતના વધુ વિષયો મળે છે,તમે બીજાઓ સાથે ચર્ચાવિચારણા કરી શકો છો.અખબારનું નિયમિત વાંચન પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.એનાથી તમે વર્તમાનના વ્હેણ સાથે તાલ મિલાવી શકો છો.તમે સમાચાર વાંચી સજાગ રહેતા અને બીજાએ કરેલી ભૂલોમાંથી પાઠ શીખી શકો છો.આજકાલ વર્તમાનપત્રોમાં ફક્ત સમાચાર જ નહિં પણ મહાન વ્યક્તિઓના ઇન્ટરવ્યૂઝ,આધ્યાત્મિક કે પ્રેરણાત્મક લેખો,સ્પર્ધાઓ અને અનેક રસથી ભરપૂર કટારો છપાય છે.મને રોજ એક ગુજરાતી અને એક અંગ્રેજી છાપું વાંચવા જોઈએ જ છે! છાપા સાથે આવતી પૂર્તિઓ આખું અઠવાડિયું મને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે સરસ કંપની આપે છે! ટ્રેનમાં સરખા ઉભા રહેવાની પણ જગા ન હોય તેવી સ્થિતીમાં પણ ગડી વાળેલું અખબાર તો હાથ ઉપર-નીચે-ડાબે-જમણે જ્યાં જગા મળે ત્યાં પકડી કે ફેરવી વાંચીજ શકાય! વાંચનનો આવો ગાંડો શોખ કેળવો તો પણ એમાં ખોટું નથી જ..!
મને કોઈ મારા શોખ વિષે પૂછે તો પ્રથમ નામ 'વાંચન' નું આપું.હું દ્યઢપણે માનું છું કે સારું વાંચન તમારા વ્યક્તિત્વ પર ખૂબ ઉંડી અને સારી અસર કરે છે.
જ્યારે આપણે ફિકશન એટલે કે કલ્પિત નવલકથા કે નવલિકા,ટૂંકી વાર્તા વાંચીએ ત્યારે આપણે એક જુદાં જ વિશ્વમાં પહોંચી જતા હોઈએ છીએ - કલ્પનાજગતમાં. વાંચન તમને જકડી લઈ શકવાની જાદૂઈ તાકાત ધરાવે છે.વાંચન તમને ખુશીના સર્વોચ્ચ શિખરે લઈ જવાથી માંડી દુ:ખની ઉંડી ગર્તામાં લઈ જવાનો અહેસાસ કરાવી શકે છે.તમે નવલકથા વાંચો ત્યારે તેના પાત્રો સાથે હસો છો અને તેમના રડવા સાથે આંસુ પણ વહાવો છો.તમે જાણે એ નવલકથા કે કલ્પનાજગતનાં જ એક પાત્ર બની જાઓ છો.ઘણી વાર વાંચતી વખતે મારા રૂંવાડા ઉભા થઈ જતા મેં અનુભવ્યા છે.કોઈક સારી વાર્તા કે વાત વાંચીએ એટલે ત્યારે જ એ આપણાં કોઈ સંવેદનશીલ સહ્રદયી મિત્ર કે સગાને પણ વંચાવવાની અદમ્ય ઇચ્છા આપણને થઈ આવે છે ખરૂં ને?તમે જેટલો સમય વાંચનના કલ્પના જગતમાં વિહરતા હોવ એટલી ક્ષણો પૂરતા તમે તમારા સઘળાં ટેન્શન-ચિંતાઓથી મુક્ત થઈ જાઓ છો. કેટલીક વાર તો સમયનું ભાન પણ ભૂલી બેસો છો. રસપ્રદ નવલકથાનાં પાનાં એક પછી એક વંચાતા જ જાય અને આવી રીતે એકી બેઠકે નવલકથા વાંચી જનારા કેટલાંક મિત્રોને પણ હું ઓળખું છું.તમે ઘણી વાર વાંચનના બંધાણી થઈ જાઓ છો.
નોન-ફિકશન એટલે કે વાસ્તવિક કે વિચારાત્મક, સ્વમદદ કે વ્યક્તિત્વ વિકાસ માટેનું વાંચન પણ તમારા સંપૂર્ણ જીવનને બદલી દઈ શકે છે.આવું વાંચન તમારા ચરિત્ર અને વ્યક્તિત્વનું ઘડતર કરી શકે છે.આવા વાંચનથી તમારો જીવન જીવવાનો દ્રષ્ટીકોણ - અભિગમ હકારાત્મક થઈ જાય છે,તમે આશાવાદી બની જાઓ છો. સારા પુસ્તકો તમારા સૌથી શ્રેષ્ઠ મિત્રો છે અને તે તમને કઈ રીતે સુખી અને સફળ થવું તે શીખવી શકે છે.મારા કોલેજ કાળ દરમ્યાન મેં વાંચેલા આવા ઘણાં પ્રેરણાત્મક પુસ્તકોની અસર મેં પ્રત્યક્ષ અનુભવી છે.આવાં પુસ્તકો રોગીઓને પણ માનસિક રોગમાંથી મુક્તિ અપાવી શકે છે અને તેના સતત વાંચનથી તમે વ્યક્તિગત લક્ષ્યાંકો બનાવી તેનેસફળતાપૂર્વક પાર પાડતા શીખો છો. સારૂં વાંચન તમને દુનિયા સામે કઈ રીતે ઝઝૂમવું અને આવનારી વિકટ પરિસ્થિતીનો કઈ રીતે સામનો કરવો,પ્રતિકૂળ સંજોગોમાં કઈ રીતે ટકી રહેવું એ શીખવે છે.સારા વાંચનથી તમારો દ્રષ્ટિકોણ બહોળો થાય છે.
વાંચનની શરૂઆત બાળપણથી થવી જોઈએ.તો એ આગળ જતા ટેવ કે શોખ બની શકે.જો બાળક સારી વાર્તાઓ વાંચશે તો તેને સારા સંસ્કાર મળશે અને તે મોટો થઈ એક સારો મનુષ્ય બની શકશે.તે સર્જનાત્મક,વિચારશીલ અને સાચો નિર્ણયકર્તા બની શકશે.ઈસપની બાળવાર્તાઓ,જાતકકથાઓ કે પંચતંત્રની પ્રાણી કથાઓ બાળક માટે રસપ્રદ તો બની જ રહે છે તદુપરાંત તેમને જીવન સાચી અને સારી રીતે જીવવાના બોધપાઠ પણ નાની વયથી જ શીખવે છે.સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ગર્ભવતી સ્ત્રી ગર્ભાવસ્થા દરમ્યાન સારા પુસ્તકો વાંચે તો તેની સારી અસર આવનારા સંતાન પર પડે છે અને તે હોંશિયાર અને સારા ગુણો ધરાવનારું બને છે. માતાપિતાઓ તમારા બાળકોને ખૂબ વંચાવો.તેમને એકાદ નવી વિડીઓગેમ કે રમકડાને બદલે સારા પુસ્તકોની ભેટ આપો.આપણે સૌ જાણીએ છીએ કે બાળકોને વાર્તાઓ સાંભળવી કેટલી ગમતી હોય છે તો પછી આ વાર્તાઓ લખતાવાંચતા શીખ્યા બાદ તેઓ પોતે વાંચે એવું ન કરી શઈએ?
વ્રુદ્ધજનોને પણ વાંચન ગમે છે.ક્યારેક તેઓ સમય પસાર કરવા ખાતર વાંચતા હોય છે. તમારા દાદાદાદી કે ઘરડા સગાને તમે ભાગવત ગીતા કે બીજા કોઈક ધાર્મિક પુસ્તકો વાંચતા જોયા હશે.જ્યારે તેમના સંતાનો તેમને જાકારો આપે ત્યારે પુસ્તકો જ વયોવ્રુદ્ધ વ્યક્તિઓનો સહારો,તેમના મિત્રો બની રહેતા હોય છે.
સારુ વાંચન તમારા આત્મવિષ્વાસને દ્રઢ બનાવે છે.એ તમને બહારની દુનિયામાં કઈ રીતે વર્તવું,કઈ રીતે ઇન્ટરવ્યૂઝમાં તમારી જાતને રજૂ કરવી,ગ્રુપ ડીસ્કશન્સ કે ડીબેટ્સમાં કઈ રીતે સહભાગી થવું એ બધું પણ શીખવે છે.વધુ વાંચીને તમે ફક્ત તમારો શબ્દભંડોળ જ નથી વધારતા પણ એ દ્વારા તમને વાતચીતના વધુ વિષયો મળે છે,તમે બીજાઓ સાથે ચર્ચાવિચારણા કરી શકો છો.અખબારનું નિયમિત વાંચન પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.એનાથી તમે વર્તમાનના વ્હેણ સાથે તાલ મિલાવી શકો છો.તમે સમાચાર વાંચી સજાગ રહેતા અને બીજાએ કરેલી ભૂલોમાંથી પાઠ શીખી શકો છો.આજકાલ વર્તમાનપત્રોમાં ફક્ત સમાચાર જ નહિં પણ મહાન વ્યક્તિઓના ઇન્ટરવ્યૂઝ,આધ્યાત્મિક કે પ્રેરણાત્મક લેખો,સ્પર્ધાઓ અને અનેક રસથી ભરપૂર કટારો છપાય છે.મને રોજ એક ગુજરાતી અને એક અંગ્રેજી છાપું વાંચવા જોઈએ જ છે! છાપા સાથે આવતી પૂર્તિઓ આખું અઠવાડિયું મને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે સરસ કંપની આપે છે! ટ્રેનમાં સરખા ઉભા રહેવાની પણ જગા ન હોય તેવી સ્થિતીમાં પણ ગડી વાળેલું અખબાર તો હાથ ઉપર-નીચે-ડાબે-જમણે જ્યાં જગા મળે ત્યાં પકડી કે ફેરવી વાંચીજ શકાય! વાંચનનો આવો ગાંડો શોખ કેળવો તો પણ એમાં ખોટું નથી જ..!
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)


