Translate

રવિવાર, 28 ફેબ્રુઆરી, 2016

સ્વ.શ્રીમતી નિર્મળા દિનકરરાય દેસાઈને પ્રથમ પુણ્યતિથીએ હાર્દિક અંજલિ...

જન્મભૂમિના વાચકો માટે સ્વ.શ્રીમતી નિર્મળા દિનકરરાય દેસાઈનું નામ અજાણ્યું નથી.તેમની કવિતાઓ અને સાહિત્ય કૃતિઓ નિયમિત રીતે જન્મભૂમિમાં છપાતી રહી છે.આ કટારમાં પણ તેમનો ગેસ્ટબ્લોગ છપાઈ ચૂક્યો છે.આજે ૨૮મી ફેબ્રુઆરીએ તેમની પ્રથમ પુણ્યતિથિએ તેમને યાદ કરવાનું એક સુંદર સબળ કારણ છે.
કોઈ જીવીત વ્યક્તિ સફળતાના શિખરો ચૂમે કે કોઈ પણ પ્રકારની સિદ્ધી પામે કે સમાજને કોઈ સારી કૃતિની ભેટ આપે ત્યારે તેની પાછળ નેપથ્યેમાં તેના કુટુંબીજનોનો સિંહફાળો હોય છે.
પણ વ્યક્તિના ફાની દુનિયા છોડી ચાલી ગયા બાદ પણ તેના કુટુંબીજનો તેના સાહિત્યવારસાને આગળ ધપાવે એ નોંધનીય તો છે જ સાથે સરાહનીય પણ છે. વિદુષી નિર્મળાબેન ગુજરાતી સાહિત્ય માટે ઘણું ઘણું લખીને ગયા છે અને તેમના પરીવારજનો શ્રી દિનકરરાય,પુત્રો પ્રકાશ અને વિકાસ તથા પુત્રવધૂઓ અનુપા અને મિનલે સમાજમાં દાખલો બેસે એવી એક પહેલ કરી સ્વ.શ્રીમતી નિર્મળાબેન દેસાઈના બે પુસ્તકો 'અતૂટ મૈત્રી'(લઘુનવલ) અને 'તને હું લેવા આવ્યો છું'(કાવ્ય,વાર્તા,નાટક) નો લોકાર્પણ કાર્યક્રમ 'નિર્મળ સ્મૃતિ' તેમની પ્રથમ પુણ્યતિથીએ થાણે ખાતે યોજ્યો છે.આ પુસ્તકોનું લોકાર્પણ જાણીતા સાહિત્યકારો સુશ્રી ધીરુબેન પટેલ અને મેઘબિંદુ ના હસ્તે થશે. સાથે જ નિર્મળાબેને લખેલા ગીતોનો સંગીતમઢ્યો કાર્યક્રમ પણ કિરીટ બારોટ ના સંચાલનમાં સી.વનવીર,પ્રવાસીના લોકપ્રિય કટારલેખક સોલી કાપડીયા અને દિપાલી સોમૈયા દાતે રજૂ કરનાર છે.

આનાથી વધુ સારી અંજલિ ભલા બીજી શી હોઈ શકે? નિર્મળાબેન ને પ્રથમ પુણ્યતિથીએ હાર્દિક અંજલિ અને તેમના પરીવારજનોને આવી અનુકરણીય અને પ્રશંસનીય પહેલ બદલ સલામ!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો