Translate

રવિવાર, 24 ઑગસ્ટ, 2014

ગણેશોત્સવની ઈકો-ફ્રેન્ડલી ઉજવણી


દર વર્ષની જેમ વર્ષે પણ આપણા સૌના પ્રિય ગણપતિ બાપ્પાની સવારી પધારવાનો સમય આવી ચૂક્યો છે! ગણેશોત્સવના પડઘમ હવામાં ગૂંજી રહ્યા છે. મંડપો બંધાઈ ગયા છે. જે લોકો બાપ્પાની પધરામણી ઘરે કરાવવાના છે તેમણે પણ જોરશોરથી માટેની તૈયારીઓ પ્રારંભી દીધી છે.

માત્ર એક નાનકડી અપીલ સૌને કરવાની કે વખતે ઉત્સવને બની શકે એટલો ઈકો-ફ્રેન્ડલી રીતે ઉજવશો તો ગણપતિ બાપ્પા તો પ્રસન્ન થશે પણ પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધનની દિશામાં પોતાનો નાનકડો ફાળો નોંધાવવાનું પુણ્ય તમે કમાઈ શકશો.

અપીલ કરવાનું કારણ એક  કે જગત આજે અનેક વિકટ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ,ઓઝોનમાં ગાબડા,પર્યાવરણનમાં વિષમતા વગેરે. ભારતમાં પણ ઘણી જગાએ ભારે વર્ષાને કારણે પૂર તો કેટલાક ભાગોમાં ભીષણ દુકાળના સમાચાર તમે આજકાલ રોજેરોજ વાંચતા હશો. બધી મસમોટી આફતો આપણી નાની નાની જાણ્યે અજાણ્યે કરેલી ભૂલોનું   પરિણામ છે.

ગણેશોત્સવનો દાખલો લઈએ. મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરીસની બનેલી હોય અને તેનું તળાવ, નદી, કૂવા કે દરિયામાં વિસર્જન થાય ત્યારે તેમાં વસતાં જળચર જીવો (પ્રાણી તેમજ વનસ્પતિ)ને ઘણું નુકસાન થાય છે. હવે એમાં આપણને પ્રત્યક્ષ રીતે શું નુકસાન થાય એવો સ્વાર્થી માનવ જાત ને પ્રશ્ન થાય.પણ યાદ રાખો સમગ્ર સજીવ સૃષ્ટિ એક અદ્રષ્ય સાંકળથી જોડાયેલી છે. જેમાં એક સજીવનું અસ્તિત્વ સીધી કે આડકતરી રીતે અન્ય સજીવ પર આધારીત હોય છે.એક આશ્ચર્યજનક હકીકતથી વાત સમજવાનો પ્રયાસ કરીએ. જો પૃથ્વી પરની બધી મધમાખીઓ ગાયબ થઈ જાય તો માત્ર ચાર વર્ષમાં આખી પૃથ્વી પરથી મનુષ્ય જાતિનું નિકંદન નિકળી જાય! દેખીતું પ્રત્યક્ષ કારણ સમજાવા છતાં એક સત્ય હકીકત છે. (તમારા માટે એક ક્વિઝ! ચાલો આમ બનવાના કારણ લખી જણાવો!)

ગણપતિની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરીસને બદલે માટીમાંથી બનેલી હોય તેવી પસંદ કરી શકાય.મોટા ભાગની ગણપતિની મૂર્તિ વેચતી દુકાનોમાં હવે પ્રકારની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓનું ખાસ અલગ સેકશન હોય છે.આવી માટીમાંથી બનેલી મૂર્તિ પર્યાવરણ માટે બિલકુલ હાનિકારક હોતી નથી વળી તેના પર કરેલા રંગો પણ રસાયણ માંથી નહિ પરંતુ પ્રાક્રુતિક રીતે બનાવેલા હોય છે.

દર વર્ષે ગણપતિ ઘરે કે મંડપોમાં પધરાવનારાઓની સંખ્યા દર વર્ષે વધતી જાય છે. એટલું નહિ સાર્વજનિક મંડળોમાં પણ જાણે ઉંચામાં ઉંચી મૂર્તિ લાવવાની હોડ લાગે છે. જેટલી મૂર્તિઓ સંખ્યા અને  ઉંચાઈમાં વધારે એટલો વધારે પ્લાસ્ટર ઓફ પેરીસ વપરાશમાં લેવાય અને બધી મૂર્તિઓનું કુદરતી જળાશયોમાં વિસર્જન કરાતા પર્યાવરણને થતા નુકસાનનું પ્રમાણ પણ વધારે. આથી મહેરબાની કરી શેંદુ માટી માંથી બનતી ઇકોફ્રેન્ડલી મૂર્તિ લાવવાનો આગ્રહ રાખશો અને જો પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ  લાવવી પડે તેમ હોય તો બને એટલી નાની મૂર્તિ લાવવી જેથી એનાથી પર્યાવરણ ને થતું નુકસાન ઘટે.



ઘરે કે મંડપમાં સજાવટ માટેની થીમ પણ ઇકોફ્રેન્ડલી રાખી શકાય. જેમકે ઝાડછોડ કે પુષ્પલતાઓનો માટે ઉપયોગ કરી શકાય. થર્મોકોલના તૈયાર મંદિર લાવવાને બદલે ફૂલોથી સજાવેલા બાજઠ પર ગણપતિ બાપ્પાની મૂર્તિને આરૂઢ કરાવી શકાય.ચૂંદડીઓ કે રંગબેરંગી કપડા કે વપરાશમાં હોય તેવી વસ્તુઓનો ઉપયોગ કરી સુશોભન કરી શકાય.

મોટે અવાજે લાઉડ સ્પીકરમાં ગીતો વગાડી કે બેન્ડ બાજાના ઘોંઘાટ દ્વારા ધ્વનિપ્રદૂષણ ફેલાવાનું અટકાવી શકાય. વિસર્જન વેળાએ ભપકા કરી, ગંદકી ફેલાવી, બિભત્સ ચેનચાળા કરી નાચવાની જગાએ સરસ મજાના સંદેશા લખેલા બોર્ડ્સ પકડી રેલી કે સરઘસ કાઢી પર્યાવરણ અંગે જાગૃતિ આણી શકાય. પાલિકા દરેક વોર્ડ્સમાં કૃત્રિમ જળાશયો તૈયાર કરે છે તેમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ પધરાવી શકાય. એમ કરતાં પર્યાવરણને થતું નુકસાન તો અટકશે જ સાથે સાથે તમે પોતે પ્રત્યક્ષ તમારી મૂર્તિનું વિસર્જન થતા જોઈ શકશો અને ગર્દીમાં ધક્કામુક્કીની હાલાકી ભોગવ્યા વગર શાંતિથી ઓછા સમયમાં વિસર્જન વિધિ પતાવી શકશો.

બ્લોગ એક અઠવાડિયા અગાઉ લખવાનું કારણ એક છે કે હજી સમય છે તમે વાંચીને વખતની તમારી ગણેશોત્સવની ઉજવણી બને એટલી ઇકો-ફ્રેન્ડલી રીતે કરવાનો વિચાર અમલમાં મૂકી શકો છો.એકાદ વાચક પણ એમ કરશે તો મારો પ્રયત્ન લેખે લાગ્યો ગણાશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો