Translate

બુધવાર, 10 માર્ચ, 2010

પ્રભુ જ પ્રેમરૂપી પ્રિયતમ

મનુષ્ય સામાજીક પ્રાણી છે. તે એકલો રહી શકતો નથી.તે સતત કોઈક ના સાન્નિધ્યને ઝંખે છે. તેની બધી જ સૂઝ્બૂઝ વ્યવહારુ માનવી બનવા પાછ્ળ ખર્ચાઈ જાય છે. આધુનિક અને વ્યસ્તતા ભરી જીવનશૈલીમાં તેને આંતર મનમાં ડોકિયુ કરી પોતાને જાણવાની કે સમજવાની ફુરસદ જ હોતી નથી. હંમેશા તે પોતાની મસ્તી માં જ રાચ્યા કરે છે. પરંતુ જેમનો સાથ અને સહ્કાર મેળવવા માટે પોતાની પરવા કર્યા વિના અહીં તહીં ભટ્કી રહયો છે તે ખરેખર પોતાના કહી શકાય એવા છે કે સંબંધો ભલે ને મિત્રતાના, સગાસ્નેહીના, ધંધાકીય કે પાડોશીના હોય, બધી જ જગ્યાએ વ્યકિત પોતાના સ્વાર્થનો જ વિચાર કરતી હોય છે. કોઈક એવી કસોટીની ક્ષણોમાં તે આત્મકેન્દ્રિત બનીને પોતાના અંતરાત્મામાં ડોકિયુ કરે છે ત્યારે તેને ખરી પરિસ્થિતિની જાણ થાય છે. જયારે તે સુખના સ્વર્ગમાં રાચતો હતો ત્યારે I can achieve anything, I can do whatever I want જેવા ઇગો ભર્યા slogan ઉચ્ચારતો હતો, પરંતુ દુ:ખના સમયે આક્રંદ કરતું હૈયુ તેને નરી વાસ્તવિક્તા બતાવે છે. તે એક્લો છે. એવા સમયે તે ખરા હદયથી ઝંખના કરતો હોય છે કે સ્વાર્થી જગતમાં પણ એવી વ્યકિત મને મળે જે નિસ્વાર્થ ભાવે મારી પડ્ખે સદાય ઉભી રહે. તેનો અંતરાત્મા પ્રભુને પ્રાર્થના કરતો પોકારી ઉઠે છે :

હું તો રાહ જોઉં એવા પ્રિયવરની
જે મારા જીવનમા આવે અને
મારા શ્વાસરૂપી સ્પંદનમાં એ સમાયે ...

મારા ચહેરારૂપી પુસ્તક પરથી આંખોના અક્ષરોને વાંચે
મારી ભાવનાઓ આઅને લાગણીઓને એ કીધા વગર જાણે
નિસ્વાર્થ ભાવે પ્રેમ કરી મને પ્રભુ પ્રતિતિ કરાવે

આવી પડે ઘોર વિપદા જ્યારે મોહ મને ભરમાવે
પ્રેમ તણા સાનિન્ધ્યમાં લઈ હૂંફ દઈ પંપાળે
એનો સથવારો મને આત્મિયતાનું ભાન કરાવે

ઓહ શ્રીક્રુષ્ણ હવેના રાહ જોવાતી ક્રુપા દ્રષ્ટી વરસાવો
એવા કોઈ પ્રિયતમને મારા જીવનમાં મોકલાવો
જેનો સહવાસ મને તમારા અસ્તિત્વની અનુભૂતિ કરાવે.


આ કરુણ હ્ર્દય ની પુકાર એ ફકત મારી કે તમારી જ નહી, પરંતુ પ્રત્યેક માનવમાત્રમાં રહેલા આંતરમનની છે.હર એક વ્યક્તિએ જીવનની એકાદ ક્ષણે તો જરુરથી વ્યાકુળ બનીને એવા સાથીની ઝંખના કરી હશે જ!સફળ કહેવાતો માનવી જે બહારથી બધીજ રીતે સુખી અને સંપન્ન લાગે, પરંતુ અંદરથી નિરાશા અને ભાવશૂન્યતાથી દાઝેલો હોય છે.તેથી આંતરિક વેદના પર મલમ લગાડ્નારી વ્યકિતની ખેવના તેને હોય છે, જે તેના જીવનની પ્રેમાળ દવા બનીને તેના મનના ઝખમને રુઝાવે અને પરમાનંદનીય અનુભુતિનો અહેસાસ કરાવી શકે. આવી કોમળ ભાવનાઓ હર એક વ્યકિતમાં સુષુપ્ત રુપે દબાયેલી હોય જ છે.જરુર છે માત્ર તેને મંથન દ્વારા બહાર કાઢવાની. આ મનોમંથન કરતી વખતે તે કેટ્કેટ્લીય વ્યકિતઓને, તેમની વચ્ચેના સંબધોને, વ્યવહારોને અને લાગણીઓને પોતાના સ્મરણપટ પર ફંફોળી જુએ છે. સહકાર અને નિસ્વાર્થ પ્રેમનુ ઝરણું બની જે શીતળતા અને શાંતતાનો અનુભવ કરાવે તેવી કોઈ જ વ્યકિત તેને દેખાતી નથી. તેનું ઉદાસ ચિત્ત અનાયાસે જ આત્મકેન્દ્રિત બની જાય છે, ત્યારે તેને અંતરના ઉંડાણમાંથી પ્રેરણા મળે છે કે હું તો તારી અંદર જ બેઠેલો છું ને તુ મને બહાર શોધ્યા કરે છે.

પ્રભુ સતત ને સતત આપણી સાથે જ હોય છે.આપણે નજરોના ઘોડાપૂર દોડાવીને સર્વત્ર નજર નાખી લઈએ છીએ, પરંતુ આપણા હદયસિંહાસન ઉપર બિરાજતાં શ્રીરાધા ના પ્રિયતમને જ ભૂલી જઈએ છીએ. તેથી જ મ્રુગજળ સમાન આપણે આભાસી અને નાશવંત વસ્તુઓ પાછ્ળ જીવનપર્યંત ભટ્કતા રહીએ છીએ. માટે જ જરૂર છે પ્રભુને જ પ્રિયતમ રૂપે પામીને તેમના બની જવાની, તેમના જ સથવારે નિષ્કામ કર્મો કરતા રહીને સંસારબાગમાં પ્રસરેલી પ્રેમની સુગંધને માણીને જીવનને મહેકાવવાની.

વિકટ પરિસ્થિતિ અને વિરોધાભાસી પરિબળો તો રહેવાનાં જ. પરંતુ પ્રભુ પ્રિયતમનો હાથ પકડીને આગળ વધાવાથી દુ:ખોનો બોજો હળવો ફૂલ લાગશે.પ્રિયતમ જે પરિસ્થિતિમાં રાખે તે પરિસ્થિતિનું સ્મિત વેરી સ્વાગત કરવાની આપણી ભાવના પ્રબળ બને તો સમજવું કે પ્રિયતમને મળવા માટે એક ડગલું માંડયું છે.

તો ચાલો પ્રિયતમા બની ડગ ભરતા જઈએ...

પ્રભુ પ્રિયતમ તો આપણી આતુરતાથી રાહ જોઈ ને જ ઉભા છે...

1 ટિપ્પણી:

  1. Hi Vikas,

    Thank you very much.
    feeling great especially for poem. After all it is the best and main part of these article.

    Bye

    Jai shri krishna

    જવાબ આપોકાઢી નાખો