Translate

લેબલ 'pratyusha banerjee' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 'pratyusha banerjee' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 3 એપ્રિલ, 2016

મૃત્યુ ના બે કિસ્સા

આજે મૃત્યુ ના બે કિસ્સાની વાત માંડવી છે.
હેમંત જાધ અને સચીન વાર મામા-ભાણિયો થાણેમાં એક અખબારનો સ્ટોલ ચલાવે.રોજ સાથે બાઇક પર આવે અને રાત્રે પાછા ઘરે જાય.પરીવારમાં હેમંતની પત્ની અને તેના બે બાળકો : વર્ષની પુત્રી ભક્તિ અને વર્ષનો દિવ્યાંગ પુત્ર તુષાર. હેમંત અને સચીનની વૃદ્ધ માતાઓ પણ પરીવારના સભ્યો. નબળી આર્થિક પરિસ્થિતીને કારણે બધાં સભ્યો સાથે રહેતા.
 વિવારની એક વારે બંને કાકા-ભત્રીજો બાઈક પર નિયમ મુજબ તેમના અખબાર સ્ટોલ તરફ જઈ રહ્યા હતા અને શેખર ઇટાડકર નામના શખ્સે પોતાની હ્યુન્ડાઈ કાર પરનો કાબૂ ગુમાવતા બાઈકને ટક્કર મારી. ભત્રીજાનું દુર્ઘટના સ્થળે મોત થયું અને કાકા પણ બીજા દિવસે મોત સામે નો જંગ હારી ગયા. રહી ગયા વિલાપ કરતાં પરીવારનાં સ્ત્રી સભ્યો અને બે બાળકો. વર્ષની ભક્તિ વારંવાર તેની માતાને કહે છે તેને પપ્પા ખુબ યાદ આવે છે અને તેને પાછા જોઇએ છે. હર્ષદા ને સમજાતું નથી તે પુત્રીને શો વાબ આપે.
પરીવારમાં કમાતા બે પુરુષ સભ્યો એક દુર્ઘટનામાં પોતાના કોઈ વાંક ગુના વગર મૃત્યુ પામ્યા અને પૂર ઝડપે ગાડી હંકારી રહેલા એક શખ્સની ગંભીર ભૂલે માત્ર બે જણની હત્યા નથી કરી પણ અન્ય પાંચ જિંદગીઓના વિષ્ય સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે.          
પરીવારમાં કોઈને અખબાર વેચાણ કે વિતરણનાં કામનો કોઇ અનુભ હોવાથી તેમનો અખબારનો સ્ટોલ વે આસપાસનાં લોકો દ્વારા ભીના કપડા સૂકવા માટે વપરાય છે. હર્ષદા પર હવે આખા પરીવારની જવાબદારી આવી પડી છે અને જીવનના એક વા તબક્કાની શરૂઆત તેણે કરવી પડશે. ઇશ્વર તેને શક્તિ આપે એવી હ્રદયપૂર્વકની પ્રાર્થના.
બીજા મૃત્યુના ખબર પહેલી એપ્રિલે જાણ્યાં.પ્રત્યુષા બેનર્જી નામની ૨૪ વર્ષીય અભિનેત્રીએ ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો. અતિ પ્રખ્યાત થયેલી ટી.વી.સિરિયલ બાલિકાવધૂમાં મોટી આનંદીનું પાત્ર ભજવી સારી એવી ખ્યાતિ મેળવનાર સુંદર અભિનેત્રી એટલે પ્રત્યુષા બેનર્જી.
તેના મૃત્યુ પાછળ બે કારણ હોવાનું મનાય છે.એક તેના બોયફ્રેન્ડ સાથે સંબંધમાં તણાવ અને બીજું કારકિર્દીમાં ધાર્યા પ્રમાણે મળેલી સફળતા.
જીવનમાં કોઇ પણ વાત કે વ્યક્તિ એટલી મહત્વ​ની બની વી જોઇએ કે તે તમને જીવનનો અંત આણી દેવા તરફ દોરે.એટલું સમજવું જરૂરી છે કે દરેક પરિસ્થિતી ગમે તેટલી ગંભીર કેમ હોય, તેનો અંત નિશ્ચિત છે એટલે તેને એટલી બધી ગંભીરતાથી લેવી જોઇએ કે આપણે નિરાશ થઈ જીવન નો અકાળે અંત આણી દઇએ.
અગાઉ જીયા ખાન નામની આશાસ્પદ યુવા અભિનેત્રીએ પણ સૂરજ પંચોલી નામના અભિનેતા સાથે પ્રેમ પ્રકરણમાં વિખવાદને પગલે આત્મહત્યા કરી જીવનનો અંત આણ્યો હતો. નુકસાન કોને થયું? જીયા જીવ ખોયો.સૂરજ તો આજે જીવનમાં આગળ વધી ચૂક્યો છે.હીરો તરીકે એક ફિલ્મ તે આપી ચૂક્યો છે અને ટૂંક સમયમાં બોલિવુડમાં તેની કારકિર્દી પણ બની જશે.
જીયા અને પ્રત્યુષા પણ તેમનાં જીવનના સંઘર્ષમય તબક્કામાં ધીરજ ધરી આત્મહત્યાનું કાયરતા ભર્યું પગલું ભરી બેઠાં હોત તો જીવનમાં હકારાત્મક અભિગમ કેળવી આગળ વધી શક્યા હોત, સારી ભૂમિકાઓ મેળવી ટોચની અભિનેત્રી બની શક્યા હોત.
પ્રત્યુષાનું મૃત્યુ સેલિબ્રીટીઝના ઝાકઝમાળ ભર્યા જણાતા જીવનની પોકળતા પણ છતી કરે છે. કલાકારનું જીવન અસુરક્ષિતતાઓથી ભરેલું હોય છે. પ્રસિદ્ધીના ઘૂંટડા ચાખ્યા બાદ કામ હોય તે અઘરા તબક્કે હકારાત્મક અભિગમ અને માનસિક સંતુલન જાળવું અઘરૂં સાબિત થાય છે પણ તે અશક્ય નથી. કલાકારોએ અમુક વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઇએ.યુવા પેઢીના અનેક લોકો તેમને રોલમોડેલ માનતા હોય છે આથી તેમની એક નૈતિક વાબદારી પણ બની રહે છે.આત્મહત્યા કરી તેઓ સમાજમાં ખોટો સંદેશ પહોંચાડે છે.અતિ મહત્વકાંક્ષી બનવું પણ ખોટું. સફળતા અને નિષ્ફળતા બંને પચાવવા અઘરૂં છે પણ તે એક કલાકારે શિખવું ખુબ જરૂરી છે.

મૃત્યુની વાત પણ નિરાળી છે. હેમંત અને સચીને ધાર્યું પણ નહિ હોય અને તેમને ભરખી ગયું.પ્રત્યુષાએ તેને જાણી જોઇ ગળે વળગાડ્યું. શું મૃત્યુ એટલી સમજ કેળવી શકે કે જેને જરૂર હોય અને જેના માટે તે યોગ્ય હોય તેને જ એ  જઈને ભેટે?