Translate

લેબલ 'nehal dalal' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 'nehal dalal' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 23 જાન્યુઆરી, 2022

ગેસ્ટ બ્લોગ : વિસરાતું જતું એક અસ્તિત્વ.... પુસ્તક

            હમણાં  23 એપ્રિલના વિશ્વ પુસ્તકદિન ગયો. મનમાં જરા વિષાદની લાગણી થઈ  આવી.. શું ખરેખર આ દિવસ એક દિન પૂરતો જ સીમિત થઈ જશે? વાચકવર્ગની ઘટતી સંખ્યા જોતાં લાગે છે કે પુસ્તકનું , સાહિત્યનું અસ્તિત્વ કેટલું ટકશે? અત્યારના ટેક્નોલોજી યુગમાં પુસ્તક આંગળીના ટેરવે એટલે કે મોબાઈલ અને કમ્પ્યુટર ની સ્ક્રીન પર સ્થાન પામ્યું છે . નવા આવિષ્કારને આવકારવું પણ જરૂરી છે જ એને નકારી ન શકાય, પણ પુસ્તકરૂપે વાચનની મજા અલગ જ છે . પુસ્તક નવું ખરીદ્યું હોય ત્યારે એની એ મહેક, પુસ્તકના એક એક પાનાંને ટેરવાના સ્પર્શથી ફેરવવાનો આનંદ ... આવી અનુભૂતિનો અહેસાસ મોબાઇલ  કે કોમ્પ્યુટરમાં ક્યાં માણવા મળે?! જો કે આજની આવી  પરિસ્થિતિમાં જ્યારે છાપાં - અખબાર ઘરે નહોતાં  પહોંચતાં  ત્યારે આ ટેક્નોલોજીની મદદથી જ આપણે મોબાઇલ પર વિશ્વભરનાં સમાચારો જાણી શકતાં.

            આજનું જનરેશન આપણા સાહિત્યથી, માતૃભાષાથી વિમુખ  થતું જાય છે ત્યારે બીજી બાજુ એને બચાવવાનાં પણ ભરપૂર પ્રયત્નો ચાલી રહ્યાં છે . આપણું સાહિત્ય વૈવિધ્યસભર છે , સમૃદ્ધ છે. ગુજરાતી  સાહિત્યને વાંચનાર વર્ગ ધીમે ધીમે લુપ્ત થતો જાય છે. આજનું જનરેશન જે ઇંગ્લિશ મિડીયમમાં ભણી રહ્યું છે તે કદાચ ગુજરાતી ભાષા લખી કે વાંચી શકે પણ માત્ર ખપપૂરતું , સામાન્ય . એ લોકો હરીન્દ્ર દવે , મેઘાણી કે મુનશી જેવા અનેક સાહિત્યકારની કૃતિઓ ક્યાં સમજી શકે કે એનો વૈભવ માણી  શકે?? પુસ્તકની સાથે સાથે લાઇબ્રેરીનું અસ્તિત્વ પણ જોખમમાં છે. પહેલા લોકો લાઇબ્રેરીની મેમ્બરશીપ લેતાં . નવા નવા , અલગ અલગ પુસ્તકો લે, વાંચે અને પરત કરી દેતાં. કેટલાક લોકો  તો ઘરમાં લાઈબ્રેરી બનાવતાં પણ હવે પુસ્તક વાંચનારાંની સંખ્યા ઓછી થતી જાય છે ત્યાં લાઇબ્રેરી પણ નામશેષ થતી જાય છે. 

              વિશ્વ પુસ્તકદિનનો ઉદ્દેશ એક જ હોઈ શકે કે વધુ ને વધુ  લોકો પુસ્તક પ્રત્યે રુચિ કેળવે . પુસ્તકવાંચનની આદત- શોખને રોજિંદા જીવનમાં સ્થાન આપે . અત્યારનાં  મહામારીના સમયમાં તો શિક્ષણ પણ ઓનલાઇન થઈ  ગયું છે. આજનાં  ડીજીટલ યુગમાં પુસ્તકો , આખું સાહિત્ય કમ્પ્યુટર ને મોબાઇલમાં સમાઈ ગયું છે .છતાં ય એક વાંચકવર્ગ ભલે કદાચ લઘુમતીમાં જોવા મળે, પણ છે ખરો જેને માટે પુસ્તકો , છાપાંઓ એક અનિવાર્ય  જરૂરિયાત છે.પુસ્તક જેવી ઉત્તમ ભેટ બીજી કોઈ નથી તો એના જેવો ઉમદા મિત્ર બીજો કોઈ હોઈ ન શકે . ખાસ કરીને આજનાં કપરા સમયમાં તો તે એક સારો સાથી પુરવાર થયો છે . 

             પુસ્તક આપણી અમૂલ્ય સંપત્તિ છે અને કદાચ દુર્લભ પણ . તેના થકી આપણી સંસ્કૃતિ,આપણો ઇતિહાસ જીવંત છે . તેનું જતન થવું જ જોઈએ .ખરેખર આજે  જરૂર છે એવા પ્રયાસોની જે  પાછા લોકોને પુસ્તક તરફ વાળી શકે, લોકોમાં પુસ્તકપ્રેમ જગાવી શકે.                                                                                      

        -  નેહલ દલાલ


રવિવાર, 15 ઑક્ટોબર, 2017

ગેસ્ટ બ્લોગ : ડૉક્ટર થવાનું ગૌરવ ??

            આજકાલ  ઘણું સાંભળવામાં  આવે છે કે ડોક્ટરનો વ્યવસાય કૉમર્શિઅલ   થઈ ગયો છે એક  બિઝનેસ બની ગયો છે  .પણ  કોઈ વખત એની પાછળના કારણો જાણવાનો પ્રયત્ન  થવો જોઈએ . એક વિદ્યાર્થી જ્યારે દસમા ધોરણથી વિચારી લે છે કે તે મેડિકલ લાઈન માં જવા ઈચ્છે છે ત્યારે જ માનસિક રીતે તૈયાર  હોય છે કે આમાં હાર્ડ વર્ક અને ડેડીકેશન જોઈશે જ આમ તો દરેક ક્ષેત્ર માં મહેનત કરવી અનિવાર્ય છે પણ સામે એનું  ફળ સુનિશ્ચિત હોય છે  . જ્યારે મેડિકલ લાઈન માં થોડું અઘરું છે . એડમિશનથી લઇ ને બધી જ જગ્યા એ પારાવાર તકલીફ નો સામનો કરવો પડે છે પહેલા mht cet થી એડમિશન થતું જ્યારે હવે NEET ની સિસ્ટમ આવી એટલું જ નહિ એને લગતા ધારા ધોરણો પણ બદલાયા કરતાં હોય છે .ઉપરથી આરક્ષણનો  નિયમ જે  કેટલાય હોશિયાર અને કાબેલ વિદ્યાર્થીઓનો ભોગ લે છે  . આ કેટેગરીના કારણે પછાત વર્ગના વિદ્યાર્થીઓની રેન્ક પાછળ આવી હોય તો પણ તેઓને સરકારી કોલેજ માં એડમિશન મળી જાય છે , જ્યારે એનાથી પણ  આગળની રેન્કવાળા વિદ્યાર્થીઓ તેનાથી વંચિત રહી જાય છે . પછી ક્યાં તો વર્ષ બગાડવું પડે નહિ તો તોતિંગ ફીસ  આપીને પ્રાઇવેટ કે ડીમ્ડ કોલૅજમાં એડમિશન લેવું પડે . દિવસ રાત મહેનત કરીને પણ જ્યારે એડમિશન ન મળે ત્યારે તેઓ માનસિક રીતે ભાંગી પડે છે ,ડિપ્રેસ્ડ થઈ  જાય છે  .જો પછાત વર્ગના લોકોને મદદરૂપ થવું જ હોય તો આર્થિક સહાય કે બીજી કોઈ રીતે થઈ  શકાય , બૌદ્ધિક ગુણવત્તાને માપદંડ  ન બનાવાય . અને જ્યારે આવા નબળાં વિદ્યાર્થીઓ ડૉક્ટર બને તો તેઓ પાસે શું અપેક્ષા રાખી શકાય ? પહેલા તો MBBSની  ડિગ્રીથી કામ  ચાલી જતું પણ આજના આ હરીફાઈના જમાનામાં આટલું પૂરતું નથી . આગળ specialisation - સુપર specialisation ... એનાથી આગળ પણ ભણી શકાય છે . કેટલું ભણવું એ તો વિદ્યાર્થીઓનો વ્યક્તિગત નિર્ણય બની રહે છે .
         આટલી તકલીફો પછી પણ સલામતીની , સારી સગવડની કોઈ ખાતરી નથી હોતી  . સરકારી હોસ્પિટલોમાં રેસિડેન્ટ ડોક્ટર્સ માટે રહેવાના quarters ની પૂરતી સુવિધા હોતી નથી ખાવા પીવાના , સુવાના સમય પણ નિશ્ચિત હોતા નથી . આ બધી મહેનત એક ડૉક્ટર બનાવ માટે જરૂરી હશે પણ આરોગ્યપ્રદ વાતાવરણ અને સલામતી તો પુરા પાડવા જ રહ્યાં . આજ કાલ ડોક્ટર્સને મારવાના કિસ્સાઓ પણ વધતા ચાલ્યા છે . જરાક ભૂલ થઈ  તો ડોક્ટરો મારપીટ નો ભોગ બને છે .જો કે આ વ્યવસાયમાં બેદરકારી ન જ ચાલે પણ કેટલીય વાર નિર્દોષ આનો ભોગ બનતા હોય છે . 
        આવી પરિસ્થિતિને કારણે જ વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં જતા અચકાય છે .આર્થિક રીતે સક્ષમ લોકો ખુબ જ મોટી ફીસ ચૂકવીને seat ખરીદી  શકે છે પણ બધા માટે આ શક્ય નથી બનતું . ડોક્ટર્સ સમાજનું એક  અતિ આવશ્યકનું , મહત્વનું અંગ છે . માનવતાનું પ્રતીક છે .(જો કે કેટલાક ડોક્ટર્સ પૈસાની લાલચમાં માનવતા વિસરી જાય છે એ ખેદની વાત છે ) . તેથી જ આ ક્ષેત્રે સુધારો લાવવો અત્યંત જરૂરી છે . સરકારી હોસ્પિટલોમાં , કોલેજોમાં જો  seats વધારવામાં આવે તો મોટા ભાગના મહેનતુ વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે  તેમ જ રેસિડેન્ટ ડોક્ટર્સ નો બોજ પણ હળવો થાય , તેઓની કાર્યક્ષમતા વધ . આમાંની મોટા ભાગની બાબતો ઘણા લોકો  જણાતા હશે પણ કદાચ ધ્યાન દોરાયું નથી . પણ હવે આ દિશમાં નક્કર પગલાં લેવાં ખુબ જ જરૂરી છે .                                                                                                                                                     -    નેહલ  દલાલ