Translate

રવિવાર, 14 ડિસેમ્બર, 2014

Vikas Nayak's three new Inernet Corner series Gujarati books : કથાકળશ, સ્પર્શ અને ઉપહાર

        જન્મભૂમિમાં છેલ્લાં દસ વર્ષથી નિયમિત પ્રકાશિત થતી વિકાસ ઘનશ્યામ નાયકની લોકપ્રિય કટાર 'ઇન્ટરનેટ કોર્નર' પર આધારીત વધુ ત્રણ પુસ્તકો કથાકળશ, સ્પર્શ અને ઉપહાર ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય,અમદાવાદ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યાં છે. આ અગાઉ પણ ઇન્ટરનેટ કોર્નર' શ્રેણીના તેમના પાંચ પુસ્તકો કથાકોર્નર,મહેક,કરંડિયો,આભૂષણ અને ઝરૂખોને વાચકોનો ખૂબ સારો પ્રતિસાદ સાંપડતા તેમની ચાર આવૃતિ પ્રકાશિત થઈ ચૂકી છે.
 
          વ્યવસાયે આઈ.ટી. પ્રોફેશનલ તરીકે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ફોટેકમાં છેલ્લાં તેર વર્ષથી કાર્યરત વિકાસ ઘનશ્યામ નાયક જન્મભૂમિ પ્રવાસીમાં પણ છેલ્લાં પાંચ વર્ષથી અન્ય લોકપ્રિય કટાર 'બ્લોગને ઝરૂખેથી' લખે છે. તેમનાં આ કટાર પર  પર આધારીત પુસ્તક સંવાદને મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૧૨નો વાડીલાલ ડગલી લલિત સાહિત્ય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

           ૩૬ વર્ષીય વિકાસ પોતાના ફુલટાઈમ જોબ અને બે કટાર લખવા સાથે જ ઓલ ઇન્ડિયા રેડિયો પર ગુજરાતીમાં કેઝ્યુઅલ ન્યુઝ રીડર તરીકે સમાચાર પણ વાંચે છે અને ક્યારેક નવરાશનાં સમયમાં એક્ટીંગ અને સંચાલન તેમજ વોઈસ ઓવર જેવા કાર્યક્રમો પણ કરી લે છે. તેઓ પણ કલાકાર પિતા ઘનશ્યામ નાયકની જેમ સાદું જીવન જીવવામાં માને છે અને સંગીત તેમજ પ્રકૃતિ પ્રત્યે અપાર પ્રેમ ધરાવે છે.
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો