Translate

ગુરુવાર, 22 ઑક્ટોબર, 2009

ગેસ્ટ બ્લોગ ૧ - NAVRAS नवरस نورس נברס

NAVRAS (नवरस)(SANSKRIT, HINDI AND URDU) IS THE AESTHETIC EXPERIENCE OF THE NINE BASIC EMOTIONS OR TASTES (RASAS)(रस), VIZ., SENSITIVE (PERCEPTION OF LOVE)(शृंगार), COMIC (हास्य), HEROIC (वीर), FURIOUS (रौद्र), APPREHENSIVE (वीभत्स), COMPASSIONATE (करुना), HORRIFIC (भयानक), MARVELOUS (अद्भुत), AND CALMED (शांत).

નવરસ એ નવ મૂળભૂત લાગણીઓ કે રસ નો કલાત્મક અનુભવ છે જેમાં સંવેદનાત્મક (પ્રેમની અનુભૂતિ) શ્રુંગાર, હાસ્ય, વીર, રૌદ્ર, બીભત્સ,કરુણા ,ભયાનક, અદ્દભૂત અને શાંત રસનો સમાવેશ થાય છે.
ડો. નવરસ જાત આફ્રીદી ( A Researcher in Indo-Judaic Studies and Medieval & Modern Indian History with focus on Pathans/Pakhtuns/Pashtuns, and Member, Advisory Team, The Ten Lost Tribes Challenge:Expeditions of Discovery [http://info.jpost.com/C008/Supplements/TenTribesChallenge/Aafreedi.html] ) નો બ્લોગ ‘નવરસ દ્રારા નવરસ‘ આજે આપણે 'બ્લોગ ને ઝરૂખેથી...' માં ગેસ્ટ બ્લોગ તરીકે જોઇશું.
નવરસનો સૌ પ્રથમ ઉલ્લેખ નાટ્યશાસ્ત્રમાં જોવા મળ્યો હતો, જે ઈ.સ બીજી સદી જેટલું જૂનું છે. નાટ્યશાસ્ત્ર મોટે રંગભૂમિના નિર્માતાઓ, દિગ્દર્શકો તેમજ કલાકારો માટે ગ્રંથ જેવું છે, જેમાં ન્રુત્ય અને સંગીત સહિત નાટક ના બધાં જ પાસાઓનો સમાવેશ થાય છે.


આજના યુગની મોટા ભાગની સંગીતની શબ્દાવલિ નાટ્યશાસ્ત્રમાંથી ઉતરી આવી છે. નાટ્યશાસ્ત્ર સદીઓથી ઘણાં જુદાં જુદાં વિષયો માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે. નાટ્યશાસ્ત્રમાં જણાવ્યા મુજબ નાટક એ દુનિયામાં ચાલતી બધીજ પ્રકિયાઓ, ઘટનાઓ - અદાઓની નકલ છે. જેમાં મોટે ભાગે લાગણીઓ કે ભાવનું વિશેષ મહત્વ હોય છે. જે નાટ્કનાં જુદાં જુદાં પાત્રો તેમની ભૂમિકા ભજવતી વેળાએ અનુભવે છે - રજૂ કરે છે. સોળમી સદીમાં, (ઈ સ ૧૫૮૦-૧૬૨૭) બીજાપુરના સુલતાન ઈબ્રાહિમ આદિલ શાહ બીજાનાં ૫૯ દખ્ખણી ગીતોના એક નોંધનીય સંગ્રહ 'કિતાબી નવરસ’માં કાવ્ય પંક્તિ સ્વરૂપે નવરસનો ઉલ્લેખ જોવા મળે છે. આ સંગ્રહમાનાં ગીતો હિન્દુ દેવી -દેવતાઓ ને સમર્પિત કરવામાં આવ્યા છે અને દરેક ગીત પહેલાં , તેને કયા રાગ અને રાગિણીમાં ગાવું તેનો ઉલ્લેખ છે. આ સંગ્રહમાં મુસ્લિમ ધર્મગુરૂ મુહમ્મદ, હજરત બંદા નવાજ, ગુલબર્ગના સૂફીસંત અને બીજા મુસ્લિમ સંતોને સમર્પિત કરાયેલા ગીતો પણ છે.
આ રાજા ના દરબારી- કવિ ઝુહુરીના મત મુજબ રાજા એ નવરસનો પરિચય આપવા માટે જ ' કિતાબી નવરસ' ની રચના કરી હતી જે ભારતીય કલાજગત અને સાહિત્યમાં વિશેષ સ્થાન પામ્યું છે. આ કિતાબ પહેલાં અહિંના લોકો ફ્ક્ત પર્શિયન સંસ્કૃતિથીજ પરિચિત હતાં . 'કિતાબી નવરસ' દ્વારા તેમને સાહિત્ય અને કલાના નવરસો નો પરિચય થયો. સુલતાન ઈબ્રાહીમ આદિલશાહ બીજાએ તેમની સંગીતમય પરિકલ્પના ને સાકાર કરવા ‘નવરસપુર’ નામના એક નગરની પણ સ્થાપના કરી હતી . આ નગરની રચના ફક્ત કલાકારો, ચિત્રકારો, શિલ્પકારો, સંગીતકારો, ગાયકો, નટો, કવિઓ, બજાણીયાઓ અને આવાં બીજા સર્જનાત્મક શક્તિ ધરાવતા લોકો માટે જ કરવામાં આવી હતી.
નવરસ સૂર જુગ સરોગુણનુઈયુ સરસ્વતી માતા
ઈબ્રાહિમ પર સદા ભયી દુતિ…
('હે માતા સરસ્વતી! તમે ઈબ્રાહિમને આર્શીવાદ આપ્યા છે તેથી તેનું સર્જન 'નવરસ' અમર થાવ…)

કમેન્ટ્સ:
----------
લીરાન : હાય નવરસ! હું લીરાન છું એક ચાઈનીઝ નાગરિક. તમને શુભેચ્છાઓ! તમારો બ્લોગ વાંચી ખુબ આનંદ થયો લીરાન. માર્ચ ૨૮,૨૦૦૯

સુભાષ : હાય , હુ સુભાષ છું. તમારી વાત ધણી રસપ્રદ હતી . આવી જ બીજી પણ સુંદર મજાની વાતો (તમારા બ્લોગ પર) પોસ્ટ કરતાં રહેજો. માર્ચ ૨૯,૨૦૦૯

સોનિયા : હાય નવરસ, ખૂબ રસપ્રદ વાંચન. તમારા નામનો અર્થ ઘણો સુંદર છે અને પોતાના નામે આખું એક નગર હોય એ કેટલી મજાની ને સુંદર વાત છે! મારે એ નગરની મુલાકાત લેવી પડશે!

વિકાસ નાયક: રસપ્રદ અને જ્ઞાનવર્ધક બ્લોગ ! હું સાહિત્યના નવરસના નામો શોધી રહ્યો હતો અને તેમાનાં બે મને જડતાં નહોતા. તમારાં બ્લોગ પરથી મને એ બે રસના નામ પણ મળી ગયા ! તમારો આભાર! મારા બ્લોગ પણ http://vikasgnayak.blogspot.com વેબ-એડ્રેસ પર વાંચજો

હરપ્રિત સિંધ: ફક્ત એક બાબત નોંધનીય છે કે ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં નવરસ નહિં , પરંતુ ફક્ત આઠ રસનો જ ઉલ્લેખ છે. નવમા રસ - ‘શાંત રસ' કાશ્મીરના શૈવ(પંથી) અભિનવગુપ્તા એ શોધ્યો હતો . શ્રી ગુપ્તાએ પોતાનાં વકતવ્ય આનંદવર્ધમના ધવન્યલોકમાં લોકનામાં શાંતરસનો પરિચય આપ્યો હતો.હાર્વર્ડ ઓરિયેન્ટલ શ્રેણી દ્રારા પ્રકાશિત થયેલ ઈન્ગેલ્સના અનુવાદોમાં તમે આ વિશે વાંચી શકો છો ! મને લાગ્યું તમારા નામના મૂળની સાચી માહિતી તમારી પાસે હોવી જરૂરી છે. તેથી મેં આ કમેન્ટ લખી છે.

ગેસ્ટ બ્લોગ વેબ-એડ્રેસ : http://navrasaafreedi.blogspot.com/2007/03/navras-by-navras.html

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો