Translate

ગુરુવાર, 22 ઑક્ટોબર, 2009

પર્યાવરણ માટે કંઈક કરીએ...

આપણે બધાંએ આપણાં પર્યાવરણની જાળવણી કરવા અને તેનું સંવર્ધન કરવા આપણાંથી બનતા બધાં પ્રયત્નો કરવાં જોઈએ જો આપણે આપણાં પરિસર વિશે થોડાં વધું સજાગ બનીને અને તેનું થોડું વધું ધ્યાન રાખીએ તો એ પણ આપણી પ્રુથ્વી તેમજ પર્યાવરણ ને બચાવવામાં ઘણું મદદરૂપ સાબિત થઈ શકે છે. હું જ્યારે રસ્તા પર ચાલતી વખતે લોકોને ગમે ત્યાં થૂંકતા જોઉં ત્યારે મને ખૂબ દુ;ખ થાય છે અને ગુસ્સો પણ આવે છે. લોકો બે ધ્યાન પણે, બે ફિકરાઈથી કચરો ગમે ત્યાં રસ્તા પર , જાહેર સ્થળો એ કે લોકલ ટ્રેઈનમાં અને શક્ય એ દરેક જગાએ નાંખી ગંદકી કરે છે. અને ફક્ત અગ્ન્યાની કે નિરક્ષર લોકો જ આવું વર્તન કરતાં હોય એવું નથી! આ વાત મને ખેદ પહોચાડે છે, હું જ્યારે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે કે રસ્તા પર કોઈને આમ બેફામ ગંદકી કરતાં પકડું ત્યારે તેની સામે મોઢું બગાડું છું.! અને સામેવાળી વ્યક્તિ ને ક્ષોભનો અનુભવ કરાવવાનો પ્રયત્ન કરું છું. ( રખે ને એની સામેવાળા પર કંઈક અસર થાય ને એ આમ ગંદકી કરવાનું બંધ કરી દે!) મને એ વ્યક્તિઅને આમ જાહેર સ્થળે કે ખુલ્લામાં એમ ન કરવા સમજાવવાની એક અદમ્ય ઉત્કઠા થઈ આવે છે મને મન થાય છે એમ પૂચવાનું કે "શું તમે તમારા પોતાના ધરમા આમ કચરો ગમે ત્યાં નાંખીને ગંદકી કરો છો?" જો એ વ્યક્તિ કહે "ના" તો હું પૂછીશ કે " પછી અહીં શા માટે ?)
અને જો કદાચ એ વ્યક્તિ નફ્ફટાઈથી કહે "હા" તો હું કહીશ કે "તો તમને શરમ આવવી જોઈએ! આવડા મોટા ઢાંઢાં થઈને એટલી સમજ નથી કે કચરો ક્યાં નાંખવો જોઈએ?" પણ આ બધું મારા કલ્પના જગતમાં જ ચાલે છે! હું ભગવાનને પ્રાર્થના કરુ છુ કે મને એટલી હિંમત આપકે હું લોકોને જાહેરમાં આ પ્રમાણે કહેવાની ને સાચી રીતે વર્તવાનું સમજાવી શકું .

જો હું લાંબા પ્રવાસે કે પિકનિક માં કે કોઈ યાત્રાએ જાઉં છું તો ત્યાં એક મોટો થેલો કે કોથળી લઈ જાઉં છું અને મારી સાથેના લોકોને કચરો એમાંજ નાંખવા વિનંતી કરું છું કે પછી તેમને કચરો મને આપી દેવા કહું છું હું કહું છું ,"તમે તમારો કચરો મને આપી દેશો તો ચાલશે પણ મહેરબાની કરીને કચરો બહાર ગમે ત્યાં ફેંકશો નહિ. "ભારતમાં મોટા ભાગના શહેરો માં અને ગામડાંઓમાં લોકોને એવો ખોટો ખ્યાલ છે કે ચાલતીટ્રેનમાંથી તેઓ કચરો બહાર નાંખી દે એ યોગ્ય છે. રેલવેના પાટા પર ગંદકી કરો તો કોને નુકશાન થવાનું છે? પણ આ ખોટું છે. જો તેઓ પ્લાસ્ટીક ની થેલી કે ગમે તેવો કચરો ચાલતી ટ્રેઈનમાંથી ગમે ત્યાં ફેંકે તો એનો નાશ થઈ શકતો નથી જે પર્યાવરણ પર વિનાશક અસર પહોંચાડી શકે છે. મુંબઈમાં ૨૫ મી જુલાઈએ મીઠી નદીમાં પૂરને કારણે સર્જાયેલી વિનાશક અને ભયંકર પરિસ્થિતી નું એક કારણ તેમાં ભરાયેલ પ્લાસ્ટિક ની થેલીઓ . હોવાનું પણ એક તારણ આવ્યું હતું . શું આપણે જાહેરમાં થૂંકવાની કે ગમે ત્યાં કચરો ફેંકી, ગંદકી કરવાની ખરાબ અસરોથી વાકેફ છીએ? એનાથી રોગચાળો ફેલાઈ શકે છે. એનાથી ઉંદરો, વાંદા અને એવાં બીજા નિરુપદ્રવી અને રોગચાળો ફેલાવનારા જીવો ની સંખ્યા વધે છે જેનાથી પ્લેગ, સ્વાઈનફ્લુ જેવી મહામારીઓ ઝડપથી અને સહેલાઈથી પ્રસરે છે. એ તમારા શહેર,પરાં ,રાજ્ય કે દેશને પણ એક ગંદી જગા તરીકે ચિતરી તેની છાપ બગાડી શકે છે.
આપણે બધાં એ થોડાં વધુ જવાબદારી પૂર્વક વર્તવું જોઈએ . આપણે ફક્ત આપણાં શહેરને જ સ્વરછ રાખવવાનાં પ્રયત્નો ન કરવાં જોઈએ પણ આમ છો ચોક ખોટું કરતાં અટકાવવા જોઈએ જો આપણે પોતે પણ ગમે ત્યાં થૂંકવાનું કે રસ્તા પર કે ચાલુ ટ્રેનમાંથી ગમે ત્યાં કચરો નાંખવાનું બંધ કરી દઈશું તો એ પણ આપણે આપણાં શહેર અને દેશને સ્વરછ રાખવા અને જીવવા માટે એક વધું સારી જગાનું નિર્માણ કરવાના ભગીરથ કાર્ય માં ફાળો નોંધાવ્યા બરાબર ગણાશે તો ચાલો આપણે સૌ મળીને મુંબઈને અને ભારત ને સ્વરછ અને આરોગ્યપ્રદ બનાવવાના પ્રયત્નો કરીએ!

કમેન્ટસ:
સૂરજ બંગેરા : ખૂબ સુંદર બ્લોગ: વાંચી ને મજા આવી પિકનિક જતી વખતે સાથે એક કોથળી રાખવાની યુક્તિ ઉતમ છે.! હું પોતે પણ એમ કરવા પ્ર્યત્ન કરીશ સપ્ટેબર ૧૦,૨૦૦૭

જયેશ જોશી: હું ધારુ છું કે ભારત માં ખૂબ સમસ્યા શિક્ષણ ના અભાવની છે. લોકોમાં ખોટું કરવાની સજા મળવાનો ડર પણ નથી. મ્યુનિસિપાલ્ટીમાં આ વિશે કાર્ય કરવાની વ્યવસ્થિત અને લાંબા ગાળા સુધી ઝુંબેશ ચલાવવાની આ માટે સતત પ્રયત્નો ચાલુ રાખવાની વૃતિનો અભાવ જોવા મળે છે. કેટલીક વાર રસ્તા પર કચરો ન નાંખવા 'Clean Up' ડ્રાઈવ કે ગમે ત્યાં ન થૂંકવા માટે લોકોને પકડી ને સજા કરવા માટે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે પણ થોડા દિવસ માટે. હમણાં જ મેં જૂહુ બીચની મુલાકાત લીધી ત્યારે બીચ પર મને કચરો નાંખવા માટે ક્યાંય કચરા ટોપલી જ લાંબા અંતર સુધી જોવા ન મળી ફેરીયાઓને બીચ પર દૂર ખસેડી ને મ્યુનિસિપાલ્ટીએ સારું કામ કર્યુ પણ દરિયાકિનારે ક્યાંય કચરા ટોપલી ન મૂકીને તેમણે કરેલી ભૂલ બદલ દરિયા કિનારેથી કચરો દૂર કરવા પાછળ થી તેમણે કોન્ટ્રાકરો ને રોકીને પૈસાના પાણી કરવા પડે છે! મ્યુનિસિપાલ્ટીએ ટી વી,અખબારો વગેરે જેવાં સશક્ત માધ્યમો નો ઉપયોગ કરી જાહેર કેમ્પેઈન્સ ચલાવવા જોઈએ અને તેને લાંબા સમય સુધી ફોલો અપ કરવા જોઈએ એટલે બ્લોગમાં ચર્ચેલ સમસ્યા માટે થોડે ઘણે અંશે નાગરિકો તો થોડે ઘણે અંશે સરકાર પણ જવાબદાર છે.

સુનિલ કુમાર મૌર્ય : વિકાસભાઇ તમે બિલકુલ સાચા છો: લોકોમાં તેઓ જે ખોટું કરી રહ્યા છો એ વિશે જાગ્રુતિ આવવી જ જોઈએ ખોટુ કરનારા લોકોને પકડી ને સજા કરવી જોઈએ અને તેમને પાઠ ભણાવવા જોઈએ જાહેરમા,ટ્રેનમાં કે રસ્તા પર થૂંકતા લોકો ખરેખર ગુસ્સો ઉપજાવે છે. પરિસર સ્વરછ રાખવાં આપણે લોકોમાં જાગ્રુતિ ફેલાવવી જ જોઈએ

નિશિકાંત: હાય વિકાસ, તારા તરફથી આવો સુંદર બ્લોગ વાંચી ખૂબ આનંદ થયો , ખરી સમસ્યા શિક્ષણના અભાવની છે . મને A P J અબ્દુલકલામ નું વક્તવ્ય યાદ આવે છે જેમાં તેમણે કહ્યું હતું જ્યાં લોકો શિક્ષણ મેળવે છે, આર્થિક રીતે સધ્ધર થઈ જાય છે, ત્યારે તેઓ સાહજિક રીતેજ પર્યાવરણનું જતન કરવા લાગે છે. તમે ભારતના એક સાવ સામાન્ય નાગરિકતા પરિપ્રેક્ષ્યમાં પરિસ્થિતીને મૂલવો આપણે થોડાં વધું આર્થિક રીતે સ્થિર વર્ગમાં (ઉચ્ચમાધ્યમ વર્ગમાં) સ્થાન ધરાવીએ છીએ અને આપણાંથી બનતા બધાંજ પ્રયત્નો આપણે કરવાં જોઈએ ભારતમાં આજે લાખો લોકો એવા છે , જેઓ રોજ"દો વક્ત કી રોટી " મેળવવામાં પણ અસફળ રહે છે. તેઓ જીવનની મૂળભૂત જરૂરિયાતો જેવી કે ખોરાક અને રહેઠાણ મેળવવાના પ્રયત્નોમાં જ એટલાં ડૂબેલાં હોય છે કે તેમને પર્યાવરણ ની સમસ્યાઓ વિશે વિચારવાનો સમય જ નથી. હું ધારુ છું કે તેમને આ માટે સજા ફટકારવી કે ગુનાહિત અનુભવ કરાવવો એ વધુ પડતું છે. હા જો આવો ફર્સ્ર્ટ કલાસમાં મુસાફરી કરતાં હોઈએ અને આવી હરકત કરતાં હોઈએ તો સજા થવી યોગ્ય છે . પૂરતાં અને યોગ્ય શિક્ષણ દ્રારા ઘણાં સંકટો ટાળી શકાય છે

અનામ:- હા ;તમે બિલકુલ સાચા છો . પણ મુશ્કેલી એ છે કે આપણે બધાં ફક્ત મનમાં સમજીએ છીએ , સમસમી જઈએ છીએ પણ ખોટું કરનાર સામે અવાજ ઉઠાવતાં નથી હવે સમય છે આગળ વધવાનો અને ફક્ત મનમાં જ અનુભવ કરવાનો પણ આવાં લોકોને ઠપકો આપવવાનો, તેમને સજા અપાવવાનો પ્રયત્ન કરવાનો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો