Translate

રવિવાર, 13 મે, 2012

ગેસ્ટ બ્લોગ : ટાઈટેનીક (ભાગ - ૨)

- મૈત્રેયી મહેતા, બોરિવલી, મુંબઈ


ટાઈટેનીકમાં ચાલક ગણ તરીકે ૯૦૦ જણનો સ્ટાફ હતો...જોકે ૩૩૩૯ ચલાક્ગન ને સમાવી શકે તેટલી તેની ક્ષમતા હતી...પ્રવાસીઓને જાણે એક તરતી હોટેલમાં પ્રવાસ કરી રહ્યાં હોય તેવો અહેસાસ કરાવવાનો પ્રયત્ન કરાયો હતો..તેવું અદભૂત ઇન્ટીરીયર ડેકોરેશન હતું.

ટાઈટેનીક ૩૧મી મે ૧૯૧૧ ના રોજ બપોરના સવા બાર વાગે પ્રદર્શિત કરવામાં આવી. ત્યારે લોર્ડ પીરે , ઘણાં બધા શેરમાં પૈસા રોકે છે તે જે. પી. મોર્ગન કંપની ના જે.પી. મોર્ગન, અને જે. બ્રૂસ ઇસમેં તેમ જ લગભગ ૧ લાખ ની જનમેદની હજાર હતા...જોકે તેનું અંદરની સજાવટ નું કામ બાકી હતું તેથી તે સફર પર મોદી રવાના થઇ શકી,નહીં તો ક્દાચ ટાઈટેનીકનો ઈતિહાસ કંઈ જુદો જ હોત.. પણ ઈશ્વરને કંઈ જુદું જ મંજુર હતું.

ટાઈટેનીકના ચાલક સભ્યોની સંખ્યા લગભગ ૮૮૫ હતા, તે બધા હંગામી કાર્યકરો હતા. કોઈ પણ વ્યક્તિ કાયમી નહોતી.તેમાંથી ૯૭ % પુરુષો હતા માત્ર ૨૩ મહિલાઓ ચાલક્ગણ માં હતી. ટાઈટેનીકમાં દૈનિક પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું..એટલાન્ટીક દૈનિક બુલેટીન નામે.

આઠ સંગીતકારોનું બનેલું બેન્ડ પણ હતું.તેના કેપ્ટન હતા એડવર્ડ જ્હોન સ્મિથ.

ટાઈટેનીકના આશરે ૧૩૧૭ મુસાફરો હતા, તેમાં ૩૨૪ ફર્સ્ટ ક્લાસમાં, ૨૮૪ સેકંડ ક્લાસમાં અને ૭૦૯ થર્ડ ક્લાસ માં હતા. જહાજ પર કુલ ૧૦૭ બાળકો હતા. તેમાંથી સૌથી વધારે થર્ડ ક્લાસમાં હતા. ટાઈટેનીકની ક્ષમતા ૨૫૬૬ મુસાફરોને સમાવી શકવાની હતી આમ તેમાં ઓછા મુસાફરો હતા. જે. પી. મોર્ગન ખુદ ટાઈટેનીકમાં મુસાફરી કરવાના હતા, પણ છેલ્લી મીનીટે તેમનો પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો હતો.

રાતે ૧૧ વાગીને ૪૦ મીનીટે ફ્રેડરિક ફ્લીટે હિમશીલા જોઈ અને તાબડતોબ સહુને જણાવ્યું પણ ટાઈટેનીકને હિમશીલા સાથેની ટક્કરથી બચાવી ના શકાઈ..ટેનમાં કાણા પાડી ગયા અને પાણી ભરવા લાગ્યું.બહુ ટૂંકા સમયમાં ટાઈટેનીકનું દુર્દૈવ શું છે તે સમજાઈ ગયું.તેમાં સફર કરનારા આવી કટોકટી માટે તૈયાર નહોતા કે ચલાક્ગણને પણ આવી પરિસ્થિતિ માટે તાલીમ આપવામાં નહોતી આવી , લાઈફ બોટ પણ પુરતી નહોતી. આમ અધિકારીઓને પણ સમજતું નહોતું કે કંઈ રીતે કામ પર પાડવું...હિમશીલા સાથેની ટક્કર પછી ૨ કલાક અને ૪૦ મિનીટ પછી તેની ડૂબવાની ગતિ અચાનક વધી ગઈ..ખુલ્લા કાણા અને અન્ય સ્થળેથી દરિયાના પાણી અંદર ફરી વળ્યા.તેનું વહેણ અને જોર.... અકલ્પ્ય...વચ્ચેથી તૂટ્યા પછી તે સીધી ઉભી સ્થિતિમાં સરસરાટ પાણીમાં ગરકાવ થઇ ગઈ..રાતના ૨ વાગીને માણસો તેની પર લટકેલા હતા... આ દ્રશ્યની કલ્પના પણ કરવી તે દુખદ છે... મોટા ભાગના મુસાફરો પાણીમાં પડ્યા પછી કારડીઆક એરેસ્ટ ને લીધે અથવા તો હાઈપોથર્મિયા ને કારણે ગણતરીની ક્ષણોમાં જ મોતને ભેટ્યા... માત્ર ૧૩ જણને લાઈફ બોટ દ્વારા બચાવી શકાયા...વાયર લેસ , રોકેટ્સ અને લેમ્પ દ્વારા ચેતવણી અને મદદ માટે સંકેતો મોકલવામાં આવ્યાં હતા પણ કોઈ પણ જહાજ એટલું નજીક નહોતું કે મદદ માટે દોડીને પહોંચી શકે.... આમ અન્ય કોઈ મદદ વગર ટાઈટેનીક ડૂબી ગયું પછી લગભગ ૪ વાગે RMS કાર્પેથિયા ઘટનાસ્થળે પહોંચી. બચી ગયેલા ૭૧૦ માણસોને તેના દ્વારા ન્યુ યોર્ક પહોચાડવામાં આવ્યા. ભારે વરસાદ, ધુમ્મસ અને ખરાબ હવામાન ને લીધે તેને ન્યુ યોર્ક પહોચતા ૩ દિવસ લાગ્યા. જોકે બહારના વિશ્વ ને વાયર લેસ દ્વારા તેણે ટાઈટેનીક વિશેના સમાચાર પહોંચાડ્યા . પ્રાથમિક અહેવાલ અસ્પષ્ટ હતો... અમેરિકન અખબારોએ ૧૫ મી એપ્રિલે છાપ્યું કે ટાઈટેનીકમાં ખામી સર્જાતા તેને ખેંચીને લવાઈ રહી છે..પણ તે દિવસે મોડેથી ખાત્રીપુર્વાકના અહેવાલ મળ્યા કે ટાઈટેનીક ડૂબી ગઈ અને મોટા ભાગના મુસાફરો અને ચાલક ગણ તેમાં માર્યા ગયા... કે લોકોના ટોળેટોળા લંડન, ન્યુયોર્ક અને સાઉથએમ્પ્ટન ખાતેની વ્હાઈટ સ્ટાર લાઇન ની ઓફિસે ઉમટ્યા..

છેવટે કાર્પેથિયા ન્યુયોર્ક્ક પહોંચી કે ઓછામાંઓછા ૪૦ હજાર માણસો ભારે વરસાદ છતાં તેને આવકારવા હાજર હતા.કપડા અને અન્ય સહાયનો વરસાદ વરસ્યો.પણ આ દુર્ઘટના માં બચી ગયેલા લોકો પોતપોતાના સ્વજનો કે સગા વહાલાઓને ત્યાં જવા આગળ નીકળી ગયા. છાપા વાળા, પત્રકારો તે વિષે જાણવા ઉત્સુક હતા... છેક ૧૭ મી એપ્રિલે બચી ગયેલાઓની યાદી બહાર પાડવામાં આવી તે પણ પૂર્ણ નહોતી.

બચી ગયેલો ને મદદ અને સહાય માટે કેટકેટલા ફંડ ફાળા અને ચેરીટી સ્થપાયા. કાર્યક્રમો અને શોક સભાઓ યોજાઈ. પૈસા એકત્ર કરવા કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું. ૧૯ મી એપ્રિલે અમેરિકાની સેનેટે આ દુર્ઘટનાની તપાસ શરુ કરાવી.

તપાસ પરથી એ ફલિત થયું કે કેલીફોર્નીયાના વહાણે જોયેલું વહાણ ટાઈટેનીક જ હતું અને જો તે તેની મદદે ગયું હોત તો એટલી મોટી હોનારત ને નિવારી શકાઈ હોત..

વ્હાઈટ લાઈન સ્ટાર કંપનીએ ખાસ વહાણ રોકીને આ દુર્ઘટનામાં મરનારના મળી આવેલા ૩૩૩ શબ ને પાછા લાવવાની કામગીરી હાથ ધરી. અને પછી ઓળખ વિધિ કર્યાં બાદ તેમને જળ સમાધિ આપીને અંતિમ વિધિ પર પાડવામાં આવી. કેટલાક ના શબ ને રેલ્વે દ્વારા તેમના વાતને પહોચાડીને ત્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી. તેમાંથી આશરે ૨/૩ શબ ની ઓળખ થઇ.

આ બનાવની તપાસ કરવા રચાયેલી સમિતિના વડા લોર્ડ માર્સે હતા. ૨ જી મે થી ૩ જી જુલાઈ વચ્ચે આ સમિતિએ કામ કર્યું. તેમાં ટાઈટેનીક ના મુસાફરો અને ચલાક્ગણ મનને ની પૂછપરછ કરવામાં આવી. તેના તારણમાં એ વાત નિશ્ચિત થઇ કે જહાજ માં લાઈફબોટ પુરતી નહોતી. ટાઈટેનીક ના કેપ્ટન સ્મિથ હિમશીલા વિશેનો તાગ મેળવવામાં નિષ્ફળ નીવડ્યા અને તેની ઝડપ એટલી બધી હતી કે હિમશીલા દેખાયા પછી ટાઈટેનીકને રોકાવાનું કે નિયંત્રણ માં લાવવાનું શક્ય ના બન્યું. જોકે કહે છે ને કે જહાજના કેપ્ટન, જહાજ ની સાથે જ જાય.... તે રુએ કેપ્ટન સ્મિથે પણ જહાજની સાથે જ જળસમાધી વહોરી લીધેલી ..! તપાસને પરિણામે દરિયાઈ સુરક્ષા ના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યાં. તેમાંથી એક : વધારે લાઈફ બોટ્સ રાખવી, બે : બોટમાં વાયરલેસ ઉપકરણો પાસે એક કર્મચારીને સતત ચોવીસે ચોવીસ કલાક હાજર રાખવા, ત્રણ : ઉત્તર એટલાન્ટીક સમુદ્રમાં હિમશીલાઓ પર નજર રાખવા આંતરરાષ્ટ્રીય આઈસ પેટ્રોલ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય સ્તરે દરિયાઈ સુરક્ષા ના નિયમો એક સરખા બનાવવામાં આવ્યાં. તે માટે ઇન્ટરનેશનલ કન્વેન્શન ફોર ધ સેફટી ઓફ લાઈફ એટ સી ની રચના કરવામાં આવી, અને આજે પણ તેનો અમલ ચાલુ છે.

ટાઈટેનીક ના અવશેષો મળી આવ્યાં તે પછી કેટલાય શોધખોળ કરનારાઓ, સંશોધકો .ફિલ્મ નિર્માતાઓ, પર્યટકો એ ટાઈટેનીક ના કાટમાળ સ્થળની મુલાકાત લીધી છે. વર્ષો વિતતા જાય છે તે સાથે જહાજના કાટમાળ ની સ્થિતિ પણ બગડતી જાય છે.એવો અંદાજ છે કે આવતાં ૫૦ વર્ષોમાં ટાઈટેનીકના કાટમાળ પણ નામશેષ થઇ જશે. ટાઈટેનીક માંથી મળી આવેલી કલાત્મક ચીજો, વિશ્વભરમાં પ્રદર્શિત થતી રહે છે. લાસ વેગાસમાં તેનું કાયમી પ્રદર્શન થાય છે, અન્ય સંગ્રહાલયો માં કાં તો કોઈ બચી ગયેલ વ્યક્તિએ ભેટમાં આપેલી કાં તો શોધખોળ અભિયાન કરાતી ટુકડીએ મેળવેલી ચીજ જોવા મળે છે.

સાહિત્યમાં પણ ટાઈટેનીક ની ઘટનાની ઉપમા આપતા "DOWN LIKE TITANIC "જેવા શબ્દ પ્રયોગો થવા લાગ્યા છે.. કે " BAND PLAYING WHILE THE SHIP SINKS .... "જેવા શબ્દપ્રયોગો પણ થાય છે. ટાઈટેનીક ની કરુણાંતિકા વિષે ઘણી ફિલ્મો બની છે. ૧૯૫૮ માં "A NIGHT TO REMEMBER" બની પણ ૧૯૭૭ માં બનેલી જેમ્સ કેમેરુનની " TITANIC " અદભૂત ફિલ્મ છે. એ બંને ફિલ્મોની ટીકાકારોએ ખાસ્સી ટીકા કરી. પણ

જેમ્સ કેમેરુનની TITANIC ફિલ્મે અદ્વિતીય સફળતા મેળવી, BOX ઓફીસના કલેક્શન ના બધા જ રેકોર્ડસ તેણે તોડી નાખ્યા.ઓસ્કાર એવોર્ડ માટે ૧૪ નોમીનેશન મળ્યા અને ૧૧ એવોર્ડ જીતી લીધાં.તે વિક્રમ છે. અત્યાર સુધી ની નિર્મિત ફિલ્મોમાંથી જેમ્સ કેમેરુનની TITANICએ છટ્ઠી એપિક ફિલ્મ તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ડૂબી જ ના શકે તેવા જહાજ ટાઈટેનીક ,પોતાની પહેલી જ દરિયાઈ સફરમાં ડૂબી ગયું ..? ? ! ! વિધિની વક્રતા..જયારે TITANIC ડૂબતું હતું ત્યારે જહાજના બેન્ડે, પરિસ્થિતિને સામાન્ય બનાવી રાખવા છેલ્લી ઘડી સુધી સંગીત રેલાવ્યા કર્યું.તેમાં ગીત " NEARER , MY GOD , TO THEE " અથવા " AUTUMN " બજાવ્યું હતું... તેવા ઉલ્લેખો છે...

૩૧ મી મેં ૨૦૧૧ ના રોજ બપોરના ૧૨ વાગીને ૧૩ મીનીટે , ટાઈટેનીક સમુદ્રના પેટાળમાં ગરક થઇ તેના બરોબર ૧૦૦ વર્ષ પછી તેની યાદ માં બેલફાસ્ટ ડોકલેન્ડ ખાતે એક સિંગલ ફ્લેર ફાયર કરવામાં આવી... અને તે પછી હાંરલેન્ડ વોલ્ફ્ફ શીપયાર્ડ ની આજુબાજુના બધા વહાણો અને નૌકાઓએ પોતપોતાના હોર્ન વગાડ્યા. હજાર રહેલ મેદનીએ સતત ૬૨ સેકન્ડ્સ સુધી તાળીઓ વગાડી ટાઈટેનીક ને અંજલી આપી. ક્રીસ બર્ગીસ દ્વારા નિર્મિત નવું મૌલિક નાટક " આઈસ બર્ગ..... રાઇટ અહેડ ..." ગેટ હાઉસ ખાતે ૨૨ મી માર્ચ થી ૨૨ એપ્રિલ ૨૦૧૨ સુધી ભજવાશે....૧૦ મી એપ્રિલે લંડન માં ROYAL PHILHARMONIC ORCHESTRA , "ધ ટાઈટેનીક રે ક્વાએમ" રચના રજુ કરશે. બાલમોરલ ક્રુઝ શીપ ને મૈક્સ મોર્ગન ટ્રાવેલ કંપનીએ ચાર્ટર કર્યું છે અને તે ટાઈટેનીક ના મૂળ રૂટ પર થઇ બરાબર તેના ડૂબવાના સ્થળે રોકાવાનું ધારે છે.. !

ખરેખર સવિશેષ ઉત્કૃષ્ટ સવલતો ધરાવતા અનસીન્કેબલ જહાજ ટાઈટેનીક ની જળસમાધી ને યાદ કરતાં, મમળાવતા આપણાં સહુની આંખોમાં દરિયો વહી નીકળે અને પછી ખાલી કોરી આંખોમાંથી કદાચ જીવંત ટાઈટેનીક વહી આવે તેવી સંવેદના સાથે તેની વેદનામાં સરકી જાઉં છું..

- મૈત્રેયી મહેતા, બોરિવલી, મુંબઈ

1 ટિપ્પણી:

  1. મૈત્રેયી મહેતાનું 'ટાઈટેનિક' વિષયક વૃત્તાંત હ્રદયદ્રાવક રહ્યું.
    અભિનંદન અને ધન્યવાદ!
    - વી. બી. ગણાત્રા, ન્યુ યોર્ક

    જવાબ આપોકાઢી નાખો