Translate

સોમવાર, 21 એપ્રિલ, 2014

વધુ સારા ભારત માટે આ વખતે તો ચોક્કસ વોટ આપજો...


મૂળ 'જાગો રે...' શિર્ષક હેઠળ અંગ્રેજીમાં બ્લોગ મેં ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીના દિવસે લખ્યો હતો પણ તેમાં ચર્ચેલાં મુદ્દાઓ આજેય એટલાં યથાર્થ છે જેટલાં પાંચ વર્ષ અગાઉ હતાં તેથી તેનું ગુજરાતીમાં ભાષાંતર કરી તમારી સમક્ષ 'બ્લોગને ઝરૂખેથી'માં રજૂ કર્યો છે :
મારા મૂળભૂત હક સમા મતદાનના અધિકાર અને ફરજનું પાલન કરીને હમણાં હું મતદાન કેન્દ્રથી પાછો ફર્યો.ખબર નહિ કેમ પણ મારા વિસ્તારના લાયક ઉમેદવારને મત આપી પાછા ફર્યા બાદ હું ખૂબ આનંદ અને સંતોષની લાગણી અનુભવી રહ્યો છું. એક અકથ્ય ખુશીના અનુભવથી સભર છે લાગણી! શારીરિક કે માનસિક બળ વાપરવાની જરૂર પડે એવા વોટ આપવાના કાર્ય કર્યા બાદ મારા વિસ્તાર માટે,મારા શહેર માટે,મારા દેશ માટે લાયક એવા ઉમેદવારને ચૂંટવાની મોટી જવાબદારીમાં મારૂં નાનકડું યોગદાન આપી કંઈક કરી છૂટ્યાની અનુભૂતિ થઈ રહી છે મને! તમારે પણ આવી લાગણીનો અનુભવ કરવો હોય તો હજી મોડું નથી થયું. પહોંચી જાવ વાગ્યા પહેલા તમારા નજીકના મતદાન કેન્દ્રે!

                હવે અહિ એક બીજો મુદ્દો ચર્ચવાનું મન થાય છે.આળસ,ઢીલ તેમજ લાપરવાહીનો.આપણે બધા વત્તેઓછે અંશે આળસુ હોઇએ છીએ અને જીવનમાં ઘણાં પ્રસંગોએ આળસ દાખવીએ છીએ, ઘણાં કાર્યોમાં ઢીલ કરીએ છીએ અને અનેક બાબતો પ્રત્યે લાપરવાહી દાખવીએ છીએ. .આજે મેં ઘણા લોકોને એમ બોલતા સાંભળ્યા કે શા માટે વોટ કરવો જોઇએ? નેતાઓએ આપણા માટે શું કર્યું છે કે આપણે વોટ કરવો જોઇએ?હવે ભલા એમને કોણ સમજાવે કે વોટ કરીને તમે કોઈ નેતાનું નહિ બલ્કે તમારૂં પોતાનું ભલુ કરી રહ્યા છો.વોટ કરી તમે યોગ્ય ઉમેદવારને જીતાડવામાં સહભાગી બનો છો જે જીતશે તો તમારા મતવિસ્તાર,શહેર અને દેશ માટે કોઈક સારૂં કાર્ય કરી શકશે.

મારા પરિચયમાં એવા ઘણાં લોકો છે જે ૨૩-૨૪ વર્ષની વય ધરાવતાં હશે અને જેઓ કદાચ પહેલી વાર મતદાન માટે પાત્ર બન્યાં હશે.પણ તેમનું નામ હજી મતદાતા યાદીમાં નોંધાયું નથી.વોટીંગ કાર્ડ હોય તો એક સમયે ચાલે અને તમે મત આપી શકો પણ મતદાતાઓની યાદીમાં તમારૂં નામ નોંધાયું હોય તો મને લાગે છે મત આપવો મુશ્કેલ બની જાય.મેં મારા મિત્રોને પૂછ્યું તમારૂં નામ કેમ મતદારોની યાદીમાં નથી?જવાબ મળ્યો : અમને ખબર નથી કે યાદીમાં નામ કઈ રીતે નોંધાવાય.આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે બધું તૈયાર ભાણે મળે.શું યોગ્ય છે?

                તમારે પોતે જવાબદાર નાગરિક બની ખાતરી કરવી જોઇએ કે તમારૂં નામ મતદાતાઓની યાદીમાં નોંધાઈ ચૂક્યું છે કે નહિ.સરકારે ખૂબ જોરશોરથી લોકોના નામ મતદાતાઓની યાદીમાં નોંધવાનું અને લોકોને વોટીંગ આઈડી આપવાનું એક મોટું અસરકારક અભિયાન હાથ ધર્યું હતું અને તેનો સારો એવો પ્રચાર પણ કર્યો હતો.તબક્કાવાર શહેરના બધાં વિસ્તારોને અભિયાનમાં આવરી લેવાયાં હતાં.તો શા માટે દરેકે તેનો લાભ લીધો?આળસ અને બેદરકારી,લાપરવાહી.'હોતા હૈ ચલતા હૈ' વાળા અભિગમને લીધે.

બીજું એક આઘાતજનક વલણ લોકોમાં જોવા મળ્યું.લોકો ચૂંટણીને દિવસે મળેલી રજા ને સપ્તાહાંતની રજાઓ સાથે જોડી પરિવાર સાથે મિનિ-વેકેશન માણવા ચાલ્યા ગયાં.કેટલું બેજવાબદારી ભર્યું વર્તન!સરકારે રજા એટલા માટે જાહેર નથી કરી જેથી તમે પિકનિક માણવા તમારી ફરજ ભૂલી ભાગી જઈ શકો.તમે તમારો કિંમતી મત યોગ્ય ઉમેદવારને આપી શકો માટે તમને રજા મળે છે.ઉલટું પરિવાર સાથે બહાર જતાં રહેવાથી તમારા અન્ય પરિવારજનો પણ મત આપી શકતાં કુલ મતદાનની ટકાવારી ઘટે છે અને આવા બેજવાબદારી ભર્યાં પગલા દ્વારા તમે તમારા સંતાનોને,આવનારી નવી પેઢીને પણ એજ અયોગ્ય વર્તન શિખવો છો.પરિપક્વ વલણ દાખવો.મળેલી તકનો યોગ્ય અને સમજણપૂર્વકનો ઉપયોગ કરો અને કરતાં શિખવો.

મેં ઘણી વાર લોકોને યોગ્ય પગલાં યથાયોગ્ય સમયે લેતાં જોયા છે.જેમકે નવા ઘરમાં,શહેરમાં કે રાજ્યમાં રહેવા ગયા બાદ દરેક યોગ્ય અને જરૂરી જગાએ પોતાનું નવું સરનામું સુધારવું.મારા ઘણાં ઓળખીતાઓએ પોતાના નવા વોટીંગ કાર્ડ નવા સરનામા સાથે બદલાવ્યાં નથી."હવે વોટ આપવા જૂના મતદાર કેન્દ્ર સુધી કોણ લાંબુ થાય?" એમ પણ પાછા તેઓ કહે છે.લગ્ન બાદ યુવતિઓએ પોતાના બધાં દસ્તાવેજો નવા સરનામા સાથે અપડેટ કરાવી લેવા જોઇએ.ખાસ કરીને વોટર આઈડી કાર્ડ્સ જેથી તેઓ મતદાનનો અમૂલ્ય અવસર ચૂકી જાય.

                મારી એક કઝીન ઘણાં વર્ષો અગાઉ અમારા પાડોશમાં રહેતી હતી. પછી તેઓ નવી જગાએ રહેવા ગયાં અને થોડા વર્ષ બાદ તેના લગ્ન થતાં તેનું ત્રીજું નવું સરનામું પણ તેણે હજી ઘણી જગાઓએ સુધાર્યું નથી અને ટપાલી આજ પર્યંત તેના પત્રો-મેગેઝીન્સ મારા ઘેર આપે છે કારણ તે જાણે છે મારી કઝીન સુધી પત્રો પહોંચી જશે જો તે મારા ઘેર આપશે!ઓફિસમાં પણ મારા ઘણા ભૂતપૂર્વ સહકર્મચારીઓ નોકરી છોડી ગયા ને વર્ષો વિતી જવા છતાં તેમના બેન્ક સ્ટેટમેન્ટ્સ કે અન્ય જરૂરી કે બિનજરૂરી પત્રો-દસ્તાવેજો તેમના જૂના સરનામે આવી જમા થતાં જાય છે અને ઢગલો મોટો થતો જોઈ મારો ગુસ્સો વધતો જાય છે!તેમને સમયસર પોતાનું નવું સરનામું દરેક યોગ્ય જગાએ અપડેટ કરવાનું કેમ નહિ સૂઝતું હોય?આટલી બધી આળસ અને લાપરવાહી શા માટે?
આપણે સૌ, કામોને પાછા ઠેલીએ છીએ. એક અતિ ખરાબ આદત છે.પેલી પંક્તિઓ આપણે સૌએ યાદ રાખવા જેવી છે...
कल करे सो आज कर
 आज करे सो अब...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો