Translate

રવિવાર, 19 જૂન, 2011

ગેસ્ટ બ્લોગ : જગત સત્ય કે ભ્રમ?

- ટીના ધીરવાણી

ઈશ્વરે રચેલી અતિ અદભુત, અદમ્ય, અવર્ણનીય, અગોચર, સૃષ્ટિ એ સનાતન સત્ય છે કે ભ્રામક માયાજાળ? આવી અકલ્પનિય સૃષ્ટિ ને સમજાવતા મંતવ્યો કેટકેટલાય તત્વચિંતકોએ રજૂ કર્યા છે. અલોકિક વિજ્ઞાનનો તાગ મેળવવાની વિચક્ષણ બુદ્ધિ વૈદિક સાહિત્યના અભ્યાસ દ્વારા જ કેળવી શકાય છે .આપણી ભારતીય શ્રુતિએ જ્ઞાનામૃતનો અખૂટ સાગર છે. તેની એક બૂંદનું રસપાન આપણા તરસ્યા જીવનને આત્મ સાક્ષાત્કારની રસધારામાં ભીંજવી નાખે છે. મર્યાદા પુરુષોતમ શ્રીરામ ના જીવનનો આ નાનકડો પ્રસંગ આપણને ઘણી સહજતાથી જ્ઞાનની ઊંડી વાતો સમજાવે છે.


બાળક રામ બાલ્યાવસ્થામાં આકાશમાં સૌમ્ય ચાંદની રેલાવતા પૂર્ણિમાના ચંદ્રને નિહાળતા જ મુગ્ધ થઇ ગયા હતા. કોઈ સુંદર રમકડું સમજીને તેને લાવી આપવાની તેમના પિતા રાજા દશરથ પાસે માંગણી કરે છે.પરંતુ સામાન્ય માનવી પછી ભલેને રાજા કેમ ના હોય આકાશમાંના ચંદ્ર ને કેમ લાવી શકે? બાળક રામે તો હઠ પકડી ખાવા પીવાનું છોડી દીધું ને રડવા લાગ્યા. કોઈપણ રીતે માનતા ન હતા. ચિંતિત માતા કૌશલ્યાને એક યુક્તિ સૂજી. તેમણે પાણીમાં ચંદ્રમાં નું પ્રતિબિંબ બાળક રામને દેખાડ્યું. મનગમતું રમકડું મળતા જ રામ તો ખુશ થઇ ગયા.તેથી રાજા રાણી એ પણ રાહત નો શ્વાસ લીધો .

આજ પરિસ્થિતિ આપણી પણ છે. આપણી આકાંક્ષાઓ મહત્વકાન્ક્ષાઓ ની યાદી તો ગગનચુંબી ઇમારત કરતા પણ લાંબી છે. જીવન માં પ્રભુ કૃપા થી જે પ્રાપ્ત થયું તેનો સ્વીકાર કરી ને સુખી થવા કરતા જે આપણી પાસે નથી તેનો રંજ અનુભવી તેને મેળવવા મથતા હોઈએ છીએ.આવી મનોવૃતિઓં નું વર્ણન ગીતામાં કરેલુ છે.

इदमद्य मया लब्धमिम प्राप्स्ये मनोरथं

मदमस्तीदमपिमे भविष्यति पुनर्धनम

આજે મે આ પ્રાપ્ત કર્યું છે. આ મનોરથ સિદ્ધ કરીશ. આ ધન મારું છે. આ પણ મને મળશે. આ સધળું પ્રાપ્ત કવામાં જ સાચું સુખ છે, તેવું આપણને લાગે છે. કારણ આપણે માનીએ છીએ કે world is real and I am the part of this world and I wanted to enjoy pleasure as much as possible. પૈસો, પદ પ્રતિષ્ઠાની પાછળ આંધળી દૌડ મૂકીને ઉન્નતિ મેળવવા માટે મથતી આપણી મનોવૃત્તિઓનું વર્ણન કરતાં સંત કબીરજી કહે છે કે

दुनिया आगे हे मगर लगी हे मेरी होड़

हार न मेरी जानिए जारी हे यह दोड़

મહાન ઋષિ ચાર્વાકે તેમના "લોકાયત" તત્વ ચિંતન માં આં જ સિદ્ધાંત ને રજૂ કર્યું છે. તે પ્રમાણે આપણને દ્રષ્ટિ સમક્ષ જે દેખાય છે તે જ સત્ય છે. તેનું જ અસ્તિત્વ છે. જે દેખાતું જ નથી તેનું અસ્તિત્વ જ નથી. તેમના મત પ્રમાણે Materlistic world "ભૌતિક જગત" જ એકમાત્ર સત્ય છે.

અરિસ્ટોટલ, અગસ્ટિન, જોનલોક, હ્યુમ, મૂર, રસલ જેવા વેસ્ટર્ન તત્વ ચિંતકો એ પણ Realism એટલે કે Universal (properties such as "redness") have independent of the human mind આજ વાત ને સમર્થન આપ્યું છે. સૃષ્ટિમાં રહેલા દરેક પદાર્થો એ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે . આ દરેક વસ્તુઓને નિહાળીને આપણે જ્ઞાન દ્વારા તેને જાણી શકીએ છીએ .મૂરે તો આજ વાત ને common sense ના સિદ્ધાંત દ્વારા એકદમ સરળ રીતે સમજાવી છે.જે વસ્તુ હું પ્રત્યક્ષ રીતે જોઈ શકું છુ, સમજી શકું છુ , તેના અસ્તિત્વને અનુભવી શકું છુ, તેને હું અસત્ય કઈ રીતે માની શકું? આ તો સાવ જ common sense ની વાત છે. તેને સમજવા માટે પોથી પંડિત બનવાની કોઈ જ જરૂર નથી.

આપણે Eat Drink and be Merry ને સાચું સુખ માનીને તેને મેળવવા સો ટચ નો પ્રયત્ન કરીએ છીએ. સમયના વહેતા પ્રવાહ ની સાથે અનુભવોની પાઠશાળા ભૌતિક સુખોની નશ્વર્તાને સારી પેઠે સમજાવી દે છે. જીવનમાં ઉદ્ભભવતા સંઘર્ષો અને કસોટીઓ મહામૂલો સમય નકામી વસ્તુઓ પાછળ વેડફી નાખ્યાનું ભાન કરાવે છે, ત્યારે યથાર્થ સમી સત્યતા, સાર્થકતા, સચરિત્રતા ને સમજવા માંડીએ છીએ. જેમ ભગવાન શ્રીકૃષ્ણ એ તેમના વિશ્વરૂપ ના દર્શન કરાવવા અર્જુન ને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી હતી તે જ પ્રમાણે સંસાર ને જોવાની અલગ દિવ્યતા પ્રાપ્ત થાય છે. જગત એ ચંદ્ર ના પાણી માં પડેલા પ્રતિબિંબ જેવું આભાસી પ્રતિત થાય છે.वासुदेव सर्वमिति (સઘળું વાસુદેવ જ છે ) તે સત્ય આપણી આત્મમાં ઉજાગર થવા માંડે છે.

ભારત માં વૈદિક ધર્મ નો પ્રચાર અને પ્રસાર કરનારા જગદગુરુ આદ્યશંકરાચાર્ય એ પણ અજ વાત ને સમર્થન આપ્યું છે. તેમણે આપેલા જ્ઞાન રૂપી ખજાનાનો પારસમણી ब्रह्मः सत्य जगत मिथ्या ब्रह्मैव ना पराः બ્રહ્મ જ એક સત્ય છે, આ જગત મિથ્યા છે. મનુષ્ય નો આત્મા એ બ્રહ્મના આત્માથી અલગ નથી. चर्पटपंज्रिका નામના તેમના સ્ત્રોતમાં પણ તેમણે આ જ વાત પર ભાર મૂકતા કહ્યું છે કે भज गोविन्दं भज गोविन्दं मूढ मते

પ્લેટો, એનસ્યુલમ, થોમસ ડેકાર્ટ, બાક્લી, હેગલ જેવા વેસ્ટર્ન તત્વચિંતકોય પણ "Idealisms" એટલે કે world is exist only in our mind. આજ વાતને સમર્થન આપ્યુ છે. દુનિયાની દરેક વસ્તુઓ સાથે આપણે મન થી જોડાયેલા છીયે. મન ની ભ્રામક માયા જાળમાં જ દુનિયાનું અસ્તિત્વ છે.

આ સત્ય ને આત્મસાત કરતાં જ જગત નું અસ્તિત્વ એ ચંદ્ર ના પ્રતિબિંબ જેવું પ્રતિત થાય છે. અજ્ઞાનને કારણે જગત સત્ય ભાસે છે. પરંતુ જ્ઞાનનો સૂર્યોદય એ અજ્ઞાનના અંધકારને દૂર કરે છે. તેથી જ્ઞાની મહાત્મા જીવન જીવવા છતાં પણ કમળ પત્ર પર પડેલા પાણી ના બિંદુઓની જેમ જીવનથી અલિપ્ત રહે છે. વિષયો ભોગવવા છતાં પણ નિર્વિકાર રહે છે. So People be in the world but off the world

આ જ્ઞાનને આપણા જીવનમાં સ્થિર કરવાની ગુરુચાવી એટલે अभ्यास અને वैराग्य. તેનો ઉલ્લેખ ગીતામાં અને મહર્ષિ પતંજલિ એ પણ તેમના યોગસૂત્ર માં કર્યો છે .

તદુપરાંત મધ્યમ માર્ગ પણ અપનાવી શકાય જેમકે "Dualisms" (દ્વેત + અદ્વેત ) રામાનુજાચાર્ય અને માધવાચાર્ય એ જગત ને સહારે જગદીશ ને પામવાનો અતિ સરળ ઉપાય બતાવ્યો છે.


- ટીના ધીરવાણી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો