Translate

સોમવાર, 18 જૂન, 2018

ફાધર્સ ડે નિમિત્તે પપ્પાને પત્ર


કેથોલિક યુરોપમાં સેઇન્ટ જોસેફ' ડે તરીકે પણ ઓળખાતો અને ૧૯મી માર્ચે ઉજવાતો, વિશ્વના ૪૦ કરતાં વધુ દેશોમાં જુદા જુદા દિવસે મનાવાતો 'ફાધર્સ ડે' બ્રિટન અને અમેરિકાના મોટા ભાગના દેશો સહિત ભારતમાં જૂન મહિનાના ત્રીજા રવિવારે મનાવવામાં આવે છે. પિ તૃત્વની ઉજવણી કરતો, પિતા અને સંતાનો વચ્ચેના સંબંધ સેતુને વધુ મજબૂત કરતો તેમજ સમાજમાં પિતાના પ્રભાવ અંગે જાગરૂકતા ફેલાવતો દિવસ વર્ષે ૨૦૧૮માં  આજે ૧૭મી જૂને ઉજવાઈ રહ્યો છે. જોગાનુજોગ તાજેતરમાં મારા વાંચવામાં એક સરસ મજાનો સંદેશ આવ્યો કે તમારા માતાપિતા માટે દસ-પંદર વાક્યો તમે જાતે લખો અને તેમને સમર્પિત કરો અને મને આજનો બ્લોગ લેખ ફાધર્સ ડે નિમિત્તે મારા પિતા શ્રી ઘનશ્યામ નાયકને સમર્પિત કરવાની પ્રેરણા મળી. તમે પણ આજે અનોખી રીતે તમારા પિતા માટે કોઈક સંદેશ જાતે લખી તેમને સમર્પિત કરો અને જુઓ તમને બંનેને કેટલું સારું લાગે છે!
મારી પપ્પા પ્રત્યેની લાગણી,સદભાવના અને આજના ફાધર્સ ડે નિમિત્તની શુભેચ્છા હું આજે ફાધર્સ ડે નિમિત્તે આ પત્ર દ્વારા વ્યક્ત કરું છું :
“વ્હાલા પપ્પા,
આજે ફાધર્સ ડે છે. તમને અનેક ગણી શુભેચ્છાઓ!
તમે હંમેશા મારા આદર્શ રહ્યા છો. નાનપણથી હું તમને સંઘર્ષ કરતા જોતો આવ્યો છું, સાદગીપૂર્ણ જીવન જીવતા જોતો આવ્યો છું, ભક્તિ કરતાં, ક્યારેય કોઇનું બુરું બોલતા-ચાહતા-કરતા જોતો આવ્યો છું.  બધાંની મારા જીવન ઘડતરમાં અતિ હકારાત્મક અસર થઈ છે. બધું જોઈ તે પ્રમાણે આચરણ કરવાની મને પ્રેરણા મળી છે.
એક કલાકાર - સેલીબ્રીટી હોવા છતાં તમે ક્યારેય અભિમાન કર્યું નથી, સેલીબ્રીટીહૂડનો નશો ક્યારેય તમારા દિમાગ પર છવાયો નથી. અદેખાઈ-ઇર્ષ્યા વગેરે દુર્ગુણોથી તમે જોજનો દૂર છો. તમે સદાયે સેલીબ્રીટીહૂડ સાથે આવતી બદીઓ-કુટેવોથી દૂર રહી શક્યા છો. વિષે તમે મને ક્યારેય કોઇ ઉપદેશ કે શિખામણ આપ્યાં નથી  પણ બધાં સદગુણો, તમારું આચરણ જોતાં જોતાં મોટો થતાં સાહજીક રીતે મારામાં પણ ઉતરી આવ્યાં છે.
તમે સવારે ઉઠતાં વેત સારા સંગીત સાથે દિવસની શરૂઆત કરો છો. નાહીધોઈ ધૂપ-અગરબત્તી સાથે ઇશ્વર આરાધના કરો છો હું નાનપણથી જોતો આવ્યો છું અને મારામાં પણ શ્રદ્ધા અને ભક્તિભાવ ઉતરી આવ્યાં છે. હું કદાચ તમારી જેમ રોજ પાલખા સામે સમય પસાર કરતો નહિ હોઉં, પણ ઇશ્વરમાં હું યે તમારી જેમ સંપૂર્ણ શ્રદ્ધા ધરાવું છું.  જીવનમાં અનેક વાર, કપરા કાળે તમારી કસોટી કરી છે તેનો હું સાક્ષી રહ્યો છું. પણ આવે સમયે પણ શ્રદ્ધા ટકાવી ઇશ્વરને સઘળી ચિંતાઓ સોંપી દઈ સારા સમયની રાહ જોવાનું હું તમારી પાસે શિખ્યો છું.
નાનપણમાં તમે મને ભણતી વખતે કોઈ પ્રકારનું દબાણ કર્યું નથી, સ્કૂલમાંથી કોલેજમાં કે ત્યાર પછી મારી સ્વતંત્ર કારકિર્દી શરૂ કરી સંપૂર્ણ યાત્રા દરમ્યાન મને જ્યારે જ્યારે તમારી જરૂર પડી છે ત્યારે ત્યારે તમે સદાયે મારી પડખે રહ્યાં છો પણ ક્યારેય મારા કોઈ પણ નિર્ણયમાં તમે દખલગિરી કરી નથી. કઈ લાઈન લેવી ત્યારથી માંડી કઈ કોલેજમાં જવું,ક્યાં નોકરી સ્વીકારવી બધાં મારા નિર્ણયો લેવાની તમે મને સદાયે છૂટ આપી છે તેને પરીણામે કદાચ હું આજે જ્યાં છું તે મુકામે પહોંચી શક્યો છું. કોલેજમાં એડમિશન માટે જરૂરી દસ્તાવેજો લેવા દોડવાનું હોય કે એન્જિનીયરીંગની મસમોટી ફી ભરવાની હોય સઘળું તમે મારા માટે કોઈ જાતની અપેક્ષા વગર કર્યું છે અને બધાં ઉપકારોનો બદલો હું કઈ રીતે ચૂકવી શકું? આજે તમારી ઉંમર ૭૪ વર્ષની છે પણ આજ પર્યંત તમે દોડતા રહ્યાં છો. લોકો ૫૮ કે ૬૦ વર્ષે નિવૃત્ત થઈ જાય પણ તમારી કલા-કારકિર્દીની તો વય પણ કરતાં વધુ છે! તમે છેલ્લાં ૬૫ વર્ષથી કલા ક્ષેત્રે ભેખ ધરી તમારું સઘળું જીવન કલાને સમર્પિત કરી દીધું છે. તમે હમણાં એકાદ પત્રકાર સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે તમારી તીવ્ર ઇચ્છા એવી છે કે તમારા આયુષ્યનો અંત પણ ચહેરા પર મેક-અપ સાથે આવે! તમે એક જીવતી-જાગતી પાઠશાળા સમાન છો. આટલી મહેનત - સમર્પણ - સમર્પિતતા - કર્તવ્યનિષ્ઠા કોઈ ગુરુ કે સંસ્થા શિખવી શકે? તમે જીવી જાણ્યું છે અને હું બધાં ગુણોનો સાક્ષી બની શિખવાનો અને મારા જીવનમાં ઉતારવાનો સદાયે પ્રયત્ન કરું છું.
 તમે ક્યારેય કોઈની બૂરાઈ નથી ચાહી અને કાર્યક્ષેત્રે કે અંગત જીવનમાં કોઈ શત્રુ બનાવ્યો નથી એટલે અને તમારા સરળ, બાલસહજ અને આબાલવૃદ્ધ સાથે હળીભળી જવાના સ્વભાવને લીધે કલાજગતનાં તમારા સૌ સહકલાકારો તમને જે આદર ,પ્રેમ અને માન-સન્માન આપે છે તે હું ઘણી વાર જોઉં-અનુભવું છું અને બદલ મનમાં ને મનમાં એક ગૌરવ અને ધન્યતાની લાગણી અનુભવું છું. માન-ધન તમે કમાયેલ સૌથી મોટો પુરસ્કાર છે.
તમે તમારો અન્યો સાથે વ્યવહાર અણિશુદ્ધ રાખ્યો છે અને તમારી પ્રમાણિકતા અને નેકી ઇશ્વરે તમને આપેલી શ્રેષ્ઠ ભેટ છે.તમને જેમાં રસ હોય તે બાબતોનો ઉંડાણપૂર્વક અભ્યાસ, જીવનને સદાયે માણતા રહેવાની વૃત્તિ, જીવન પ્રત્યેનો હકારાત્મક દ્રષ્ટીકોણ વગેરે ગુણો આચરી, મને તે અપ્રત્યક્ષ રીતે શિખવવા બદલ હું તમારો હ્રદયથી આભાર માનું છું. ભીડમાં હોય તેને મદદ કરવી,ગરીબો અને જરૂરિયાતમંદ પ્રત્યે કરુણા દાખવવી, કંજૂસાઈ નહિ પણ કરકસર કરવી, નાણાંનો સદુપયોગ કરવો બધી સારી ઉપયોગી વાતો પણ તમે મને શિખવી છે. તમે મારા પિતા છો બદલ હું મારી જાતને સદભાગી સમજું છું.
પપ્પા, યુ આર ગ્રેટ એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ યુ! હેપ્પી ફાધર્સ ડે!! “

ગુરુવાર, 14 જૂન, 2018

ગેસ્ટ બ્લોગ : શું શાળાઓમા સંસ્કૃત ફરજીયાત કરવુ જોઇઍ?

       આ એક કડવુ સત્ય છે કે આપણી અદભૂત સાંસ્કૃતિક વારસારૂપી  સંસ્કૃત ભાષા  વિશે  આપણે અજ્ઞાન છીએ. ભારતીય સંસ્કૃતિની મહાન ધરોહર સંસ્કૃત વિસરાઇ  ગઇ છે. સંસ્કૃત   એક વૈજ્ઞાનિક  ભાષા  છે. અખૂટ  જ્ઞાનથી ભરપૂર  આપણી  વૈભવી  ભાષા ને બચાવવા  આપણે આપણાથી બનતા  પ્રયત્નો  કરવા જોઇએ.

       સ્કૂલ  માટે આઠમા  ધોરણથી  બાળકો  ને સંસ્કૃત કે ફ્રેન્ચ બે  માથી  એક ભાષા  લેવાની  હોય છે. આજે મોટા ભાગના  બાળકો  ફ્રેન્ચ ભાષા  પસંદ  કરે છે. કારણકે  ફ્રેન્ચ ભાષાને  સ્કોરિંગ વિષય  ગણે છે.  હકિકત મા સંસ્કૃત  ફ્રેન્ચ કરતા  પણ વધુ  સ્કોરિંગ છે.  વાલીઓ ને સંસ્કૃત  ભાષાની મહાનતાની  જાણ  નથી. પણ દેખાદેખી  અને  અજ્ઞાનતા  ને લીધે  બાળક  ફ્રેન્ચ  ભાષા પસંદ કરે છે.  બાળકોને બાલમંદિરથીજ સંસ્કૃત ભાષા શીખવાડવી  જોઇએ.તેનાથી  શારીરિક અને માનસિક  વિકાસ  ઝડપથી  થાય છે. યાદશક્તિ  ખીલે છે.  બાળકો નુ  ગ્રે મૅટર (ન્યુરોન્સ)ઝડપથી  વિકસિત  થાય છે.  ઉચ્ચારણો  સ્પષ્ટ  થાય છે. સંસ્કૃત જેટલી  ગહન  તેટલીજ સહેલી ભાષા છે.  બાળકોને સંસ્કૃત  શીખવાડવાથી  આપણા  વેદ ઉપનિષદ ગીતા  વાંચવા  ની જીજ્ઞાસા જાગૃત  થશે.  તેનુ આપમેળે અધ્યયન  કરી શકશે.  સંસ્કૃત ભાષા  ના શબ્દો  નુ જયારે ઉચ્ચારણ  કરીએ છીએ  ત્યારે  તેમા જે શ્વાસોશ્વાસ ની ક્રિયા થતી હોય છે  તે પ્રાણાયામ  કરવા  સમાન છે.   નાના બાળકોને શ્લોક  શીખવાડવાથી તેમની  બુદ્ધિ  પ્રતિભા  ખીલે છે.  તોતડાપણુ  હોય તો દૂર  થાય છે.   સંસ્કૃત  ભાષાના કોઇપણ  શ્લોક  હોય  તેમા જીવન  સંબંધી  સારા સંસ્કારઆપતી વાણી સમાયેલી છે.  સંસ્કૃતમા મન,  બુદ્ધિ  પર ઘણા શ્લોક છે.   જે ભણવાથી  બાળક ડિપ્રેશનમા આવશે નહી. ભણતર  બોજરૂપ  લાગશે  નહી. સારા નરસા  ની પરખ કરતા શીખશે.  રોજીંદા  જીવન  માટે મુસીબતોઆવતા ઘબરાશે  નહી. ભણવામા  વિશેષ  રૂચિ રહેશે. સરકારે  સંસ્કૃત વિષય  અભ્યાસક્રમમા ફરજિયાત દાખલ કરાવો જોઇએ.  જો સરકાર ન કરે તો માતા પિતા  એ  બાળકો  ના સર્વાંગી  વિકાસ  માટે  ઘરેથી સંસ્કૃત  શીખવાડવા  પ્રયત્ન  કરવા જોઈએ.  ઓનલાઇન અથવા  સંસ્કૃત કલાસમા બાળકો ને મોકલવા  જોઈએ. 

      કથાકારો, મંદિરના મહારાજશ્રીઑ  અને બાવાશ્રીઑએ પોતાના  પ્રવચનમા આ મુદ્દો  સમાવી  લેવો જોઈએ. અને માતા પિતાને સંસ્કૃત  વિષય પસંદ   કરવા  સમજાવવા જોઇએ. ફ્રેન્ચ  કે કોઈપણ  પરદેશી ભાષા  વ્યાવસાયિક પ્રોફેશનલ   જીવન  માટે ઉપયોગી  હશે પણ સંસ્કૃત  ભાષા રોજબરોજની  જિંદગી  માટે ઉપયોગી છે.  હવે તો નાસાએ પણ સંસ્કૃત ના મહત્વ નો સ્વિકાર કર્યો છે.  નાસા એ પણ માન્યુ છે કે  સંસ્કૃત  ભાષા  કોમ્પ્યુટર પ્રોસેસિંગ માટે ઉત્તમ છે.  સંસ્કૃત એ સૌથી પહેલી  ભાષા  છે  જેમા ઉચ્ચ્તમ કોટિનુ વ્યાકરણ  નુ બંધારણ છે.  જર્મની  અને  ઇંગ્લેન્ડની યુનિવરસીટીઑઍ પણ સંસ્કૃત વિષય નો સમાવેશ  કર્યો છે.  

       ભારતના ઉજ્વળ  ભવિષ્ય માટે  આપણે સંસ્કૃતનોબાળકોના રોજિંદા  જીવનમા સમાવેશ કરવો જોઈએ.

 - ઈલા આર. વૈદ્ય

રવિવાર, 3 જૂન, 2018

નિયમોનું પાલન



કારમાં બેઠા હોઈએ ત્યારે ડ્રાઈવર સીટ પર બેસેલ વ્યક્તિએ નહીં, પરંતુ કારમાં બેઠેલ દરેક વ્યક્તિએ સેફ્ટી બેલ્ટ પહેરવો જોઈએ. નિયમ કેટલા લોકો પાળે છે? ટૂ વ્હીલર પર બેઠેલ બંને વ્યક્તિઓ (આમ તો બે વ્યક્તિ  ટૂ વ્હીલર પર બેસી શકે એવો નિયમ છે એને અનુસરતા અહીં બંને લખ્યું છે! પણ નિયમ નું યે ઉલ્લંઘન કરી તમે બે થી વધુ જણ એક ટૂ વ્હીલર પર સવારી કરી રહ્યાં હોવ તો બેઠેલ દરેક વ્યક્તિઓ એમ વાંચવું! ) હેલ્મેટ પહેરવું જોઈએ એવો નિયમ છે. બધાં પાળે છે ખરાં? નિયમો આપણી સુરક્ષા માટે બનાવાયા હોવા છતાં સરકારે પળાય માટે કાનૂન ઘડવો પડે અને લોકો અનુસરે છે કે નહીં તેની ચકાસણી કરી એને અનુસરતાં લોકો પાસે દંડ વસૂલવો પડે અને એમ કરવા જતાં 'માંડવાળી' કરવી પડે, ભ્રષ્ટાચાર ને પોષવો પડે વરવી વાસ્તવિકતા અને દુઃખદ બાબત છે. સમજવાની જરૂર છે કે નિયમો આપણે આપણી પોતાની સુરક્ષા માટે, આપણાં પર અવલંબિત આપણાં પરિવારજનો અંગે વિચાર કરી અનુસરવાની જરૂર છે. માટે સરકારે ફરજ પાડવાની જરૂર હોવી જોઈએ.
                ગઈ કાલે જે ટેક્સીમાં બેઠાં હતાં તેનો ડ્રાઇવર ગાડી ચલાવતાં ચલાવતાં મોબાઇલ પર વાત કરવા માંડ્યો હજી એને ટોકીએ પહેલાં એણે ગાડી રૂટીન રસ્તેથી બીજી બાજુ વાળી લીધી. ખ્યાલ આવ્યો કે સામે ટ્રાફિક પોલીસે ભાઈ ને ડ્રાઇવ કરતી વેળાએ મોબાઇલ પર વાત કરતાં જોઈ લીધો હતો અને તેનાથી બચવા તેણે રસ્તો બદલી લીધો! ડ્રાઇવ કરતી વખતે મોબાઇલ પર વાત કરતી વખતે સાથે બેઠેલ વ્યક્તિઓનાં કોઈ પણ વાંક - ગુના વગર તમે પોતાના જીવ સહિત સૌ નિર્દોષ લોકોનાં જીવ પણ જોખમમાં મૂકતા હોવ છો. માટે પણ સરકારે જાહેરાતો બનાવવી પડે અને જનહિતમાં જારી કરવી પડે બિલકુલ ઇચ્છનીય નથી.
જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવું એવો નિયમ છે એને પણ ઘણાં લોકો પાળતા નથી. તેમના સ્વાસ્થ્ય સાથે તેઓ આસપાસનાં અનેક લોકો નાં સ્વાસ્થ્ય સાથે પણ રમત રમતાં હોય છે. શું એમને કોઈ હક્ક છે આમ કરવાનો?
આવા તો કંઈ કેટલાયે નિયમો ની આપણે ઐસી કી તૈસી કરતાં હોઇએ છીએ. એક વિકસીત રાષ્ટ્ર બનવું હોય તો દરેક નાગરિકે જાહેર નિયમોનું સ્વૈચ્છીક પાલન કરવું પડશે.
તમે જ્યારે ખોટું થતું જુઓ અને એના મૂક સાક્ષી બની રહો તો પણ ખોટું છે. અવાજ ઉઠાવો, વિરોધ નોંધાવો અને તમારા સ્વજનો પાસે કે તમે જાહેર સ્થળે હોવ અને કોઈ અજાણી વ્યક્તિ પણ નિયમ નું ઉલ્લંઘન કરી રહી હોય તો તેને એમ કરવા સમજાવો, ના સમજે તો ધમકાવો પણ નિયમના પાલન થવાથી થનારા નુક્સાન થી બચો અને અન્યોને બચાવો. તમારાં નહીં, સૌ નાં હિતમાં છે.


નિયમોનું પાલન’ - પ્રતિભાવો

 ‘નિયમોનું પાલન’ બ્લોગલેખમાં તમે લખ્યું છે કે ક્યાંય પણ ખોટું થતું જુઓ તો સામો અવાજ ઉઠાવો,વિરોધ કરો.પણ શું તમે જાહેર જગાએ આમ અવાજ ઉઠાવવાથી ઉભા થનારા ભયજનક પરિણામો વિશે વિચાર્યું છે?એમ કરવા જતા જીવ ગુમાવવાનો વારો પણ આવી શકે છે.તમે જે કહો છો કેટલેક અંશે સાચું છે પણ મને લાગે છે કે આજના યુગમાં લોકોએ બીજાઓની બાબતમાં માથું મારવું જોઇએ નહિ.
- અર્ચના મહેતા શાહ
તમારાનિયમોનું પાલન’ બ્લોગલેખ માં તમે સાવ સાચું લખ્યું છે.થોડાં સમય અગાઉ મને એક અક્સ્માત નડ્યો હતો અને તમે લખ્યાં મુજબ પાછલી સીટ પર બેઠેલી મેં સીટબેલ્ટ બાંધ્યો હોત તો મને થયેલી પીઠની ભારે ઇજામાંથી હું ઉગરી વા પામી હોત.ક્યારેક નાનકડાં પગલાં જીવ બચાવી શકે છે.આવી ઉપયોગી ટિપ્સ શેર કરવા બદલ આભાર.
- મીના જોશી

ઉપરોક્ત પ્રતિભાવો ઉપરાંતનિયમોનું પાલન’ બ્લોગલેખ વાંચીને સિનિયર સિટીઝન એવા પ્રવીણભાઈ ગણાત્રાનો ફોન આવ્યો અને તેમણે પોતાની સાથે બનેલાં ચાર​-પાંચ વાસ્તવિક કિસ્સા કહી સંભળાવ્યાં જે મુજબ છે
·         એક વાર એક બહેને રસ્તા પર કચરો નાખ્યો અને પ્રવીણ ભાઇ નું ધ્યાન ગયું.તેમણે તરત તેમનું તરફ ધ્યાન દોરતાં કહ્યું "શું તમે ઘરમાં પણ આમ કચરો નાંખો છો?" નફ્ફટાઈથી બહેને વાબ આપ્યો કે હા તેઓ ઘરમાં પણ એમ કચરો નાંખે છે અને સામો પ્રશ્ન કર્યો કે શું તેઓ કચરો ઉપાડવા તેમના ઘેર આવશે?પ્રવીણ ભાઈએ તરત ગુસ્સાપૂર્વક પોલીસ બોલાવવાની ધમકી આપી ત્યારે બહેન સીધા થયા અને તેમણે પોતે ફેંકેલો કચરો ઉપાડી લીધો.

·         એક રીક્ષાવાળો રસ્તા પર થૂંક્યો અને પ્રવીણભાઈનું તેના પર ધ્યાન ગયું.તરત તેમણે તેને એમ કરવા સમજાવ્યું તો રીક્ષાવાળાએ બેફિકરાઈથી વાબ આપ્યો "નરેન્દ્ર મોદી કો બુલાઓ.. વો સાફ કરેગા" પ્રવીણ ભાઈ વધુ કંઈ બોલે પહેલા તે રીક્ષા વાળો રફૂચક્કર ગયો!

·         એક વાર પ્રવીણભાઈ રેલવેમાં પ્રવાસ કરી રહ્યા હતા અને તેમણે એક યુવાનને કચરો ગાડીમાં પોતાની બેઠક પાસે ફેંકતા પકડ્યો.તેની ભૂલ બદલ પ્રવીણભાઈએ જ્યારે તેનું ધ્યાન દોરવા પ્રયત્ન કર્યો ત્યારે તેણે વાબ આપ્યો,"નરેન્દ્ર મોદીને સાફ કરને વાલે રખે હૈ,વો કચરા લે કે જાયેંગે" તરત પ્રવીણભાઈએ ૧૮૨ ના રેલવે હેલ્પલાઈન પર ફોન જોડ્યો ત્યાંતો યુવાને ડરી જતાં કચરો ઉપાડી પોતાના ખિસ્સામાં મૂકી દીધો!

·         દુકાનમાં કચરો એક વાર એક દુકાનદારે પોતાની દુકાનમાં પ્રવેશતા પહેલાં કાગળિયા-ચબરખીઓ વગેરેનો સારો એવો કચરો રસ્તા પર નાંખ્યો.પ્રવીણ ભાઈ જોઈ ગયા અને તેમણે તરત દુકાનમાં તેની પાછળ તેને કચરો ઉપાડી કચરાપેટીમાં નાખવા સમજાવ્યો.તેણે ઉદ્ધતાઈથી વાબ આપ્યો,"નહિ ડાલેગા કચરાપેટીમે. મૈ કચરા રસ્તે પર હી ડાલેગા, ક્યા કર લેગા તુ?" પ્રવીણભાઈએ બહાર બધો કચરો ઉપાડી તેની દુકાનમાં ફેંકી દીધો. યુવાન ડઘાઈ ગયો!

·         એક વાર ટ્રાફીકના સમયે એક વન વે રસ્તા પર બાઈક વાળાએ ઉંધી દિશામાં પોતાનું વાહન ટ્રાફીક જામ કરી નાખ્યો અને પોતે વાહન પાછું લેવાની સદંતર અનિચ્છા દર્શાવી.પ્રવીણભાઈ તેના પર ગુસ્સે થયાં તો તેણે પોતાનું હેલ્મેટ પ્રવીણભાઈને જોરથી માર્યું.પ્રવીણભાઈએ પણ પોતાની બોલપેન કાઢી બાઈકસવારના ખભે એવી જોરથી મારી કે તે પણ લોહીલૂહાણ ગયો.વે તે ડરી ગયો હતો અને તેણે વાહન પાછું લીધું.

અર્ચનાબેનના પ્રતિભાવ સામે મારે એટલું જ કહેવાનું છે કે દરેક વખતે આપણે વચ્ચે પડી સ્થિતી સુધારી શક્વાના નથી પણ જ્યારે આપણાં સ્વજનો કે મિત્રો સામે હોય ત્યારે તો આપણે ચોક્કસ તેમને નિયમ ચુસ્તપણે પાળ​વા માટે ફરજ પાડી જ શકીએ છીએ. પોતે પણ કોઇ જોતું ન હોય ત્યારેય પ્રમાણિકતા પૂર્વક નિયમોનું પાલન કરી જ શકીએ છીએ.
અહિ પંચતંત્રની એક બોધદાયક વાર્તા યાદ આવે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં રાતીચોળ ચણોઠી જોઇ તે ભેગી કરી મૂર્ખ વાંદરાઓનું ટોળું તેની ફરતે તાપણું કર​વા બેસી ગયું. ત્યારે એકલી ચતુર ચકલી તેમને શિખામણ આપ​વા ગ​ઈ કે એ તો ચણોઠી છે,અંગારા નહિ અને તેનાથી તેમને ગરમી મળશે નહિ. તો ઉશ્કેરાયેલા વાંદરાઓનાં ટોળાએ ચકલીની ડોક મરડી તેને મારી નાંખી. થોડાં વર્ષ અગાઉ પોતાની સાથે રહેલી યુવતિની અભદ્ર મશ્કરી કરી રહેલાં ગુંડાઓનાં ટોળાં સામે થતાં રુબેન ફર્નાન્ડીસ અને તેના એક અન્ય મિત્રે જાન ખોયો હતો એ કિસ્સો પણ યાદ આવે છે. દરેક વેળાએ આપણે વિરોધ નોંધાવ​વા કે નિયમપાલનની આચારસંહિતા સમજાવ​વા જઈએ તો કદાચ આપણે પણ માઠું પરીણામ ભોગ​વ​વું પડે. મેં પોતે પણ મલાડ લોકલમાં એક નિર્દોષ યુવાનનો માથાભારે     પ્ર​વાસીઓ સાથે ઝઘડો ચાલી રહેલો તેમાં વચ્ચે પડ​વાનું કોઈ કારણ ન હોવા છતાં તેમ કરતાં મેથીપાક ચાખેલો છે અને લોહીલૂહાણ શર્ટ સાથે એ દિવસે ઘેર પાછા ફરી પરીવારજનો સાથે દલીલ કર્યાંનું મને યાદ આવે છે. પણ અન્યાય કે ખોટું સામે થતું જોઇ રહેવું મારા કે પ્ર​વીણભાઈ જેવી વ્યક્તિઓના સ્વભાવમાં જ નથી! અન્યો માટે એટલું કહેવાનું કે પરિસ્થિતી પ્રમાણે નિર્ણય લેવો. સામે ગુંડાઓની ટોળી હોય તો તેનો વિરોધ એકલદોકલ હોઇએ ત્યારે ન કરી શકીએ પણ જો સામે સામાન્ય વ્યક્તિ કંઈક ખોટું કરી રહી હોય કે જાહેર જગાએ અયોગ્ય વર્તન કરી રહી હોય તો તેને ચોક્કસ ટોકી જ શકાય. કદાચ એમ કરતાં ક્યારેક સામેવાળાના અપમાન, કટુ વેણ કે ક્યારેક ગુસ્સો પણ સહન કર​વા પડે , એ માટે તૈયાર રહેવું! પણ કદાચ સામે વાળો કાયમ માટે સુધરી પણ જાય અથ​વા તેની સાથે ખોટું કરતાં થનાર નુકસાનથી પણ તે જ​ઈ શકે!


- વિકાસ ઘનશ્યામ નાયક