Translate

સોમવાર, 26 ઑક્ટોબર, 2009

બે દ્રશ્યો

(ગેસ્ટ બ્લોગ - સુલોચના ભણશાલી, ચૂનાભટ્ટી - મુંબઈ દ્વારા)
રોજ સાંજે પાંચ-સાડાપાંચ વાગે મારી બાલ્કનીમાંથી એક હ્રદયસ્પર્શી દ્રષ્ય જોવાની ટેવ પડી ગઈ છે. મને આ દ્રષ્ય જોઈ જીવનનાં પડકારોને ઝીલવાની પ્રેરણા મળે છે.

રેલ્વે ટ્રેક ક્રોસ કરીને એક અપંગ વ્યક્તિ માટેની વ્હીલચેર જેવી સાઇકલ પોતાના નાજુક હાથથી હેન્ડલવડે ચલાવતી એક ૧૧-૧૨ વર્ષની સુઘડ અને સૌમ્ય એવી એક બાળાને હું રોજ જોઉં છું.સાથે તેનો ૮-૯ વર્ષની ઉંમરનો લાગતો ભાઈ સાઇકલની ગતિ સાથે તાલ મિલાવી દોડતો જોવા મળે.બન્ને અવનવી વાતોમાં એવા મશગૂલ હોય અને તેમ છતાં રસ્તા પરની ટ્રાફીક-ગીર્દી પ્રત્યે સંપૂર્ણ સાવધાન હોય.મને લાગે છે તે બાળા પોલિયોગ્રસ્ત છે છતાં તેના ચહેરા પર કોઈ દુ:ખ, લાચારી કે હિનતાનાં ભાવ નથી જોવા મળ્યા.ઉલટું તેના ચહેરા પર સંયોગો સામે લડવાની ખુમારી, હિંમત અને વિશ્વાસ ભરપૂર છલકે છે.સાથે ભાઈની પણ બહેન પ્રત્યે દરકાર,કાળજી,વાત્સલ્ય વગેરે લાગણીઓ સ્પષ્ટપણે છલકાઈ આવે છે.આવું વિરલ દ્રષ્ય જોઇને તેમનાં જન્મદાતા - વડીલો દ્વારા સંયોગોને સમજવાનાં ને સ્વીકારવાનાં સંસ્કાર આ બાળકોને આપવા બદલ તેમને સલામી આપવાનું મન થાય છે.

જ્યારે એનાથી તદ્દન વિપરીત દ્રષ્ય મારા પાડોશીને ત્યાં મેં જોયું.તેમની બે પુત્રીઓની વર્તણૂંક - વાણીની તુમાખી - પરસ્પર ચીડ - અસંતોષ જોઈ સવાલ થાય છે કે કહેવાતા શિક્ષિત મા-બાપ તેમનાં સંતાનોને સંતોષ-આત્મવિશ્વાસ-લાગણીના સંસ્કાર આપવામાં જરૂર ઉણા ઉતર્યા છે.

સુલોચના ભણશાલી, ચૂનાભટ્ટી - મુંબઈ

ગુરુવાર, 22 ઑક્ટોબર, 2009

મદદ કર્યાનો એક અનુભવ...

રોજની જેમ જ એ સાંજે પણ મેં ચર્ચગેટથી મલાડ જવા માટે લોકલ પકડી ગર્દી અને ગરમીથી ત્રસ્ત મેં અને મારા જેવા બીજા ઘણાં મલાડ ઉતરનારાં ઉતારુઓએ મલાડ સ્ટેશન પર પગ મૂકતા હાશકારો અનુભવ્યો. ટ્રેન બોરીવલી જવા આગળ વધી અને હું મલાડ સ્ટેશન પર, માણસોની ભીડ વચ્ચે માર્ગ કરતો ઘેર જલ્દી પહોંચવા માટે આગળ વધ્યો. સ્ટેશન માસ્તર ની ઓફિસ પાસે લોકો ટોળેવળીને ઉભા હતા. કુતૂહલપૂર્વક મેં ડોકિયું કર્યું તો જોવા મળ્યું કે સોળ-સત્તર વર્ષની ઉંમરનો એક યુવાન બેભાન અવસ્થામાં પડ્યો હતો જમીન પર . લોકોની ખૂબ ખરાબ આદત હોય છે ટોળે વળીને તમાશો જોયા કરવાની. બે -ચાર જણાં બબડી રહ્યાં હતાં , 'ફિટ આવી હશે', 'ભૂખ્યાં પેટે ચક્કર આવી ગયા હશે', 'ટ્રેનમાંથી પડી ગયો કે શું?' વગેરે વગેરે. બીજા બે-ચાર જણ વણમાગી સલાહ આપ્યાં કરતાં હતાં કે 'કાંદો લાવો ને સૂંઘાડો' કે ' ચપ્પલ સૂંઘાડો' વગેરે. પણ કોઈ કંઈ કરી રહ્યું ન હતું . હું સીધો સ્ટેશન બહાર દોડ્યો અને નજીકમાં જ શાક વાળા ભૈયાના ટોપલામાંથી એક કાંદો ઉપાડી ફરી ઘટના સ્થળે આવી પહોંચ્યો. પણ મેં જોયું કે હવે અહીં કોઈ નહોતું. ટોળુ પણ ગાયબ અને પેલો બેહોશ યુવાન પણ ગાયબ. મેં સ્ટેશન માસ્તરની ઓફિસમાં બેઠેલ એક માણસને પૂછ્યું કે થોડીવાર પહેલા અહીં એક યુવાન બેભાન પડેલો હતો તે ક્યાં ગયો? તેણે રૂક્ષતાથી પૂછ્યું, "તુમ્હારા ક્યા લગતા હૈ?" મેં જવાબ આપ્યો,"મેરા કુછ નહી લગતા હૈ! મગર મૈ ઉસકો સૂંઘાને કે લિયે કાંદા લે કે આયા હું." તરત તેણે ઈશારો કર્યો કે ઓફિસમાં અંદર એક રૂમમાં છે એ યુવાન..” હું અંદર ગયો.
બે ચાર પોલિસવાળા અને બીજા બે-ચાર માણસો એ યુવાનને ઢંઢોળવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં ત્યાં એ હોંશમાં આવી ગયો. પણ હજી જાણે એ તંદ્રાવસ્થામાં જ હતો ઉભો થયો અને પાછો અશક્તિ ને કારણે ઢળી પડ્યો. મેં પેલા માણસો સમક્ષ કાંદો ધર્યો. તેમાંના એકે કાંદો તોડીને યુવાનને તે સૂંઘાડવાનો પ્રયત્ન કર્યો. પણ હવે અશક્તિ હોવા છતાં યુવાન ભાનમાં હતો. તેણે કાંદો ઝૂંટવી લઇ તેનો ઘા કરી દીઘો! પોલીસે એને પૂછ્યું , "તું ભૂખા હૈ ક્યા? " પેલાએ હકારમાં માથું ધૂણાવ્યું મેં તરત કહ્યું , "ચલ મેં તુજે કુછ ખિલાતા હું" પણ યુવાને તો જાણે એ સાભળ્યું ન સાંભળ્યું. પોલીસે તેને ધકેલતા કહ્યું , "જા સાહબ તુજે કુછ ખિલાતે હૈ".
એક બીજા યુવાન પોલિસના ખભાનો અને મારો સહારો લઇ લથડિયાં ખાતો તે યુવાન બહાર આવ્યો અને તેને ચા-નાસ્તાના સ્ટોલ પર લઇ આવ્યાં . મેં તેના માટે એક વડાપાવનો ઓર્ડર આપ્યો અને તેને પાણી પીવડાવ્યું . ત્યાં પેલા યુવાન પોલિસે કહ્યું ,"ખાલી પેટ દારૂ પિયા હૈ ઇસ લિયે ઈસકા યે હાલ હુઆ" મને એ સાંભળી ઝટકો લાગ્યો. ખબર નહિ કેમ પણ મને એમ લાગ્યું કે એક દારૂડિયા માટે મેં શા માટે આટલી દોડધામ કરી? મને આમ પણ એવા લોકો પ્રત્યે સખત અણગમો છે જે દારૂ પીને કાબૂમાં રહેતાં નથી અને પ્રાણીની જેમ વર્તન કરે છે કે પછી ઉલ્ટી વગેરે કરી ગંદકી તો કરે જ છે પણ બીજાને માટેય તકલીફ ઉભી કરે છે . પેલો યુવાન હજી બરાબર હોંશમાં ન હતો. વડા પાવ પણ હજી તેણે એક કટકોયે ખાધું ન હોતું ને તેના હાથમાંથી નીચે પડી ગયું. મને તેની દશા જોઈ એક નકારાત્મક અગમ્ય લાગણી થઈ. ન ગમ્યુ

પર્યાવરણ માટે કંઈક કરીએ...

આપણે બધાંએ આપણાં પર્યાવરણની જાળવણી કરવા અને તેનું સંવર્ધન કરવા આપણાંથી બનતા બધાં પ્રયત્નો કરવાં જોઈએ જો આપણે આપણાં પરિસર વિશે થોડાં વધું સજાગ બનીને અને તેનું થોડું વધું ધ્યાન રાખીએ તો એ પણ આપણી પ્રુથ્વી તેમજ પર્યાવરણ ને બચાવવામાં ઘણું મદદરૂપ સાબિત થઈ શકે છે. હું જ્યારે રસ્તા પર ચાલતી વખતે લોકોને ગમે ત્યાં થૂંકતા જોઉં ત્યારે મને ખૂબ દુ;ખ થાય છે અને ગુસ્સો પણ આવે છે. લોકો બે ધ્યાન પણે, બે ફિકરાઈથી કચરો ગમે ત્યાં રસ્તા પર , જાહેર સ્થળો એ કે લોકલ ટ્રેઈનમાં અને શક્ય એ દરેક જગાએ નાંખી ગંદકી કરે છે. અને ફક્ત અગ્ન્યાની કે નિરક્ષર લોકો જ આવું વર્તન કરતાં હોય એવું નથી! આ વાત મને ખેદ પહોચાડે છે, હું જ્યારે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે કે રસ્તા પર કોઈને આમ બેફામ ગંદકી કરતાં પકડું ત્યારે તેની સામે મોઢું બગાડું છું.! અને સામેવાળી વ્યક્તિ ને ક્ષોભનો અનુભવ કરાવવાનો પ્રયત્ન કરું છું. ( રખે ને એની સામેવાળા પર કંઈક અસર થાય ને એ આમ ગંદકી કરવાનું બંધ કરી દે!) મને એ વ્યક્તિઅને આમ જાહેર સ્થળે કે ખુલ્લામાં એમ ન કરવા સમજાવવાની એક અદમ્ય ઉત્કઠા થઈ આવે છે મને મન થાય છે એમ પૂચવાનું કે "શું તમે તમારા પોતાના ધરમા આમ કચરો ગમે ત્યાં નાંખીને ગંદકી કરો છો?" જો એ વ્યક્તિ કહે "ના" તો હું પૂછીશ કે " પછી અહીં શા માટે ?)
અને જો કદાચ એ વ્યક્તિ નફ્ફટાઈથી કહે "હા" તો હું કહીશ કે "તો તમને શરમ આવવી જોઈએ! આવડા મોટા ઢાંઢાં થઈને એટલી સમજ નથી કે કચરો ક્યાં નાંખવો જોઈએ?" પણ આ બધું મારા કલ્પના જગતમાં જ ચાલે છે! હું ભગવાનને પ્રાર્થના કરુ છુ કે મને એટલી હિંમત આપકે હું લોકોને જાહેરમાં આ પ્રમાણે કહેવાની ને સાચી રીતે વર્તવાનું સમજાવી શકું .

જો હું લાંબા પ્રવાસે કે પિકનિક માં કે કોઈ યાત્રાએ જાઉં છું તો ત્યાં એક મોટો થેલો કે કોથળી લઈ જાઉં છું અને મારી સાથેના લોકોને કચરો એમાંજ નાંખવા વિનંતી કરું છું કે પછી તેમને કચરો મને આપી દેવા કહું છું હું કહું છું ,"તમે તમારો કચરો મને આપી દેશો તો ચાલશે પણ મહેરબાની કરીને કચરો બહાર ગમે ત્યાં ફેંકશો નહિ. "ભારતમાં મોટા ભાગના શહેરો માં અને ગામડાંઓમાં લોકોને એવો ખોટો ખ્યાલ છે કે ચાલતીટ્રેનમાંથી તેઓ કચરો બહાર નાંખી દે એ યોગ્ય છે. રેલવેના પાટા પર ગંદકી કરો તો કોને નુકશાન થવાનું છે? પણ આ ખોટું છે. જો તેઓ પ્લાસ્ટીક ની થેલી કે ગમે તેવો કચરો ચાલતી ટ્રેઈનમાંથી ગમે ત્યાં ફેંકે તો એનો નાશ થઈ શકતો નથી જે પર્યાવરણ પર વિનાશક અસર પહોંચાડી શકે છે. મુંબઈમાં ૨૫ મી જુલાઈએ મીઠી નદીમાં પૂરને કારણે સર્જાયેલી વિનાશક અને ભયંકર પરિસ્થિતી નું એક કારણ તેમાં ભરાયેલ પ્લાસ્ટિક ની થેલીઓ . હોવાનું પણ એક તારણ આવ્યું હતું . શું આપણે જાહેરમાં થૂંકવાની કે ગમે ત્યાં કચરો ફેંકી, ગંદકી કરવાની ખરાબ અસરોથી વાકેફ છીએ? એનાથી રોગચાળો ફેલાઈ શકે છે. એનાથી ઉંદરો, વાંદા અને એવાં બીજા નિરુપદ્રવી અને રોગચાળો ફેલાવનારા જીવો ની સંખ્યા વધે છે જેનાથી પ્લેગ, સ્વાઈનફ્લુ જેવી મહામારીઓ ઝડપથી અને સહેલાઈથી પ્રસરે છે. એ તમારા શહેર,પરાં ,રાજ્ય કે દેશને પણ એક ગંદી જગા તરીકે ચિતરી તેની છાપ બગાડી શકે છે.
આપણે બધાં એ થોડાં વધુ જવાબદારી પૂર્વક વર્તવું જોઈએ . આપણે ફક્ત આપણાં શહેરને જ સ્વરછ રાખવવાનાં પ્રયત્નો ન કરવાં જોઈએ પણ આમ છો ચોક ખોટું કરતાં અટકાવવા જોઈએ જો આપણે પોતે પણ ગમે ત્યાં થૂંકવાનું કે રસ્તા પર કે ચાલુ ટ્રેનમાંથી ગમે ત્યાં કચરો નાંખવાનું બંધ કરી દઈશું તો એ પણ આપણે આપણાં શહેર અને દેશને સ્વરછ રાખવા અને જીવવા માટે એક વધું સારી જગાનું નિર્માણ કરવાના ભગીરથ કાર્ય માં ફાળો નોંધાવ્યા બરાબર ગણાશે તો ચાલો આપણે સૌ મળીને મુંબઈને અને ભારત ને સ્વરછ અને આરોગ્યપ્રદ બનાવવાના પ્રયત્નો કરીએ!

કમેન્ટસ:
સૂરજ બંગેરા : ખૂબ સુંદર બ્લોગ: વાંચી ને મજા આવી પિકનિક જતી વખતે સાથે એક કોથળી રાખવાની યુક્તિ ઉતમ છે.! હું પોતે પણ એમ કરવા પ્ર્યત્ન કરીશ સપ્ટેબર ૧૦,૨૦૦૭

જયેશ જોશી: હું ધારુ છું કે ભારત માં ખૂબ સમસ્યા શિક્ષણ ના અભાવની છે. લોકોમાં ખોટું કરવાની સજા મળવાનો ડર પણ નથી. મ્યુનિસિપાલ્ટીમાં આ વિશે કાર્ય કરવાની વ્યવસ્થિત અને લાંબા ગાળા સુધી ઝુંબેશ ચલાવવાની આ માટે સતત પ્રયત્નો ચાલુ રાખવાની વૃતિનો અભાવ જોવા મળે છે. કેટલીક વાર રસ્તા પર કચરો ન નાંખવા 'Clean Up' ડ્રાઈવ કે ગમે ત્યાં ન થૂંકવા માટે લોકોને પકડી ને સજા કરવા માટે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે પણ થોડા દિવસ માટે. હમણાં જ મેં જૂહુ બીચની મુલાકાત લીધી ત્યારે બીચ પર મને કચરો નાંખવા માટે ક્યાંય કચરા ટોપલી જ લાંબા અંતર સુધી જોવા ન મળી ફેરીયાઓને બીચ પર દૂર ખસેડી ને મ્યુનિસિપાલ્ટીએ સારું કામ કર્યુ પણ દરિયાકિનારે ક્યાંય કચરા ટોપલી ન મૂકીને તેમણે કરેલી ભૂલ બદલ દરિયા કિનારેથી કચરો દૂર કરવા પાછળ થી તેમણે કોન્ટ્રાકરો ને રોકીને પૈસાના પાણી કરવા પડે છે! મ્યુનિસિપાલ્ટીએ ટી વી,અખબારો વગેરે જેવાં સશક્ત માધ્યમો નો ઉપયોગ કરી જાહેર કેમ્પેઈન્સ ચલાવવા જોઈએ અને તેને લાંબા સમય સુધી ફોલો અપ કરવા જોઈએ એટલે બ્લોગમાં ચર્ચેલ સમસ્યા માટે થોડે ઘણે અંશે નાગરિકો તો થોડે ઘણે અંશે સરકાર પણ જવાબદાર છે.

સુનિલ કુમાર મૌર્ય : વિકાસભાઇ તમે બિલકુલ સાચા છો: લોકોમાં તેઓ જે ખોટું કરી રહ્યા છો એ વિશે જાગ્રુતિ આવવી જ જોઈએ ખોટુ કરનારા લોકોને પકડી ને સજા કરવી જોઈએ અને તેમને પાઠ ભણાવવા જોઈએ જાહેરમા,ટ્રેનમાં કે રસ્તા પર થૂંકતા લોકો ખરેખર ગુસ્સો ઉપજાવે છે. પરિસર સ્વરછ રાખવાં આપણે લોકોમાં જાગ્રુતિ ફેલાવવી જ જોઈએ

નિશિકાંત: હાય વિકાસ, તારા તરફથી આવો સુંદર બ્લોગ વાંચી ખૂબ આનંદ થયો , ખરી સમસ્યા શિક્ષણના અભાવની છે . મને A P J અબ્દુલકલામ નું વક્તવ્ય યાદ આવે છે જેમાં તેમણે કહ્યું હતું જ્યાં લોકો શિક્ષણ મેળવે છે, આર્થિક રીતે સધ્ધર થઈ જાય છે, ત્યારે તેઓ સાહજિક રીતેજ પર્યાવરણનું જતન કરવા લાગે છે. તમે ભારતના એક સાવ સામાન્ય નાગરિકતા પરિપ્રેક્ષ્યમાં પરિસ્થિતીને મૂલવો આપણે થોડાં વધું આર્થિક રીતે સ્થિર વર્ગમાં (ઉચ્ચમાધ્યમ વર્ગમાં) સ્થાન ધરાવીએ છીએ અને આપણાંથી બનતા બધાંજ પ્રયત્નો આપણે કરવાં જોઈએ ભારતમાં આજે લાખો લોકો એવા છે , જેઓ રોજ"દો વક્ત કી રોટી " મેળવવામાં પણ અસફળ રહે છે. તેઓ જીવનની મૂળભૂત જરૂરિયાતો જેવી કે ખોરાક અને રહેઠાણ મેળવવાના પ્રયત્નોમાં જ એટલાં ડૂબેલાં હોય છે કે તેમને પર્યાવરણ ની સમસ્યાઓ વિશે વિચારવાનો સમય જ નથી. હું ધારુ છું કે તેમને આ માટે સજા ફટકારવી કે ગુનાહિત અનુભવ કરાવવો એ વધુ પડતું છે. હા જો આવો ફર્સ્ર્ટ કલાસમાં મુસાફરી કરતાં હોઈએ અને આવી હરકત કરતાં હોઈએ તો સજા થવી યોગ્ય છે . પૂરતાં અને યોગ્ય શિક્ષણ દ્રારા ઘણાં સંકટો ટાળી શકાય છે

અનામ:- હા ;તમે બિલકુલ સાચા છો . પણ મુશ્કેલી એ છે કે આપણે બધાં ફક્ત મનમાં સમજીએ છીએ , સમસમી જઈએ છીએ પણ ખોટું કરનાર સામે અવાજ ઉઠાવતાં નથી હવે સમય છે આગળ વધવાનો અને ફક્ત મનમાં જ અનુભવ કરવાનો પણ આવાં લોકોને ઠપકો આપવવાનો, તેમને સજા અપાવવાનો પ્રયત્ન કરવાનો.

ગેસ્ટ બ્લોગ ૧ - NAVRAS नवरस نورس נברס

NAVRAS (नवरस)(SANSKRIT, HINDI AND URDU) IS THE AESTHETIC EXPERIENCE OF THE NINE BASIC EMOTIONS OR TASTES (RASAS)(रस), VIZ., SENSITIVE (PERCEPTION OF LOVE)(शृंगार), COMIC (हास्य), HEROIC (वीर), FURIOUS (रौद्र), APPREHENSIVE (वीभत्स), COMPASSIONATE (करुना), HORRIFIC (भयानक), MARVELOUS (अद्भुत), AND CALMED (शांत).

નવરસ એ નવ મૂળભૂત લાગણીઓ કે રસ નો કલાત્મક અનુભવ છે જેમાં સંવેદનાત્મક (પ્રેમની અનુભૂતિ) શ્રુંગાર, હાસ્ય, વીર, રૌદ્ર, બીભત્સ,કરુણા ,ભયાનક, અદ્દભૂત અને શાંત રસનો સમાવેશ થાય છે.
ડો. નવરસ જાત આફ્રીદી ( A Researcher in Indo-Judaic Studies and Medieval & Modern Indian History with focus on Pathans/Pakhtuns/Pashtuns, and Member, Advisory Team, The Ten Lost Tribes Challenge:Expeditions of Discovery [http://info.jpost.com/C008/Supplements/TenTribesChallenge/Aafreedi.html] ) નો બ્લોગ ‘નવરસ દ્રારા નવરસ‘ આજે આપણે 'બ્લોગ ને ઝરૂખેથી...' માં ગેસ્ટ બ્લોગ તરીકે જોઇશું.
નવરસનો સૌ પ્રથમ ઉલ્લેખ નાટ્યશાસ્ત્રમાં જોવા મળ્યો હતો, જે ઈ.સ બીજી સદી જેટલું જૂનું છે. નાટ્યશાસ્ત્ર મોટે રંગભૂમિના નિર્માતાઓ, દિગ્દર્શકો તેમજ કલાકારો માટે ગ્રંથ જેવું છે, જેમાં ન્રુત્ય અને સંગીત સહિત નાટક ના બધાં જ પાસાઓનો સમાવેશ થાય છે.


આજના યુગની મોટા ભાગની સંગીતની શબ્દાવલિ નાટ્યશાસ્ત્રમાંથી ઉતરી આવી છે. નાટ્યશાસ્ત્ર સદીઓથી ઘણાં જુદાં જુદાં વિષયો માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે. નાટ્યશાસ્ત્રમાં જણાવ્યા મુજબ નાટક એ દુનિયામાં ચાલતી બધીજ પ્રકિયાઓ, ઘટનાઓ - અદાઓની નકલ છે. જેમાં મોટે ભાગે લાગણીઓ કે ભાવનું વિશેષ મહત્વ હોય છે. જે નાટ્કનાં જુદાં જુદાં પાત્રો તેમની ભૂમિકા ભજવતી વેળાએ અનુભવે છે - રજૂ કરે છે. સોળમી સદીમાં, (ઈ સ ૧૫૮૦-૧૬૨૭) બીજાપુરના સુલતાન ઈબ્રાહિમ આદિલ શાહ બીજાનાં ૫૯ દખ્ખણી ગીતોના એક નોંધનીય સંગ્રહ 'કિતાબી નવરસ’માં કાવ્ય પંક્તિ સ્વરૂપે નવરસનો ઉલ્લેખ જોવા મળે છે. આ સંગ્રહમાનાં ગીતો હિન્દુ દેવી -દેવતાઓ ને સમર્પિત કરવામાં આવ્યા છે અને દરેક ગીત પહેલાં , તેને કયા રાગ અને રાગિણીમાં ગાવું તેનો ઉલ્લેખ છે. આ સંગ્રહમાં મુસ્લિમ ધર્મગુરૂ મુહમ્મદ, હજરત બંદા નવાજ, ગુલબર્ગના સૂફીસંત અને બીજા મુસ્લિમ સંતોને સમર્પિત કરાયેલા ગીતો પણ છે.
આ રાજા ના દરબારી- કવિ ઝુહુરીના મત મુજબ રાજા એ નવરસનો પરિચય આપવા માટે જ ' કિતાબી નવરસ' ની રચના કરી હતી જે ભારતીય કલાજગત અને સાહિત્યમાં વિશેષ સ્થાન પામ્યું છે. આ કિતાબ પહેલાં અહિંના લોકો ફ્ક્ત પર્શિયન સંસ્કૃતિથીજ પરિચિત હતાં . 'કિતાબી નવરસ' દ્વારા તેમને સાહિત્ય અને કલાના નવરસો નો પરિચય થયો. સુલતાન ઈબ્રાહીમ આદિલશાહ બીજાએ તેમની સંગીતમય પરિકલ્પના ને સાકાર કરવા ‘નવરસપુર’ નામના એક નગરની પણ સ્થાપના કરી હતી . આ નગરની રચના ફક્ત કલાકારો, ચિત્રકારો, શિલ્પકારો, સંગીતકારો, ગાયકો, નટો, કવિઓ, બજાણીયાઓ અને આવાં બીજા સર્જનાત્મક શક્તિ ધરાવતા લોકો માટે જ કરવામાં આવી હતી.
નવરસ સૂર જુગ સરોગુણનુઈયુ સરસ્વતી માતા
ઈબ્રાહિમ પર સદા ભયી દુતિ…
('હે માતા સરસ્વતી! તમે ઈબ્રાહિમને આર્શીવાદ આપ્યા છે તેથી તેનું સર્જન 'નવરસ' અમર થાવ…)

કમેન્ટ્સ:
----------
લીરાન : હાય નવરસ! હું લીરાન છું એક ચાઈનીઝ નાગરિક. તમને શુભેચ્છાઓ! તમારો બ્લોગ વાંચી ખુબ આનંદ થયો લીરાન. માર્ચ ૨૮,૨૦૦૯

સુભાષ : હાય , હુ સુભાષ છું. તમારી વાત ધણી રસપ્રદ હતી . આવી જ બીજી પણ સુંદર મજાની વાતો (તમારા બ્લોગ પર) પોસ્ટ કરતાં રહેજો. માર્ચ ૨૯,૨૦૦૯

સોનિયા : હાય નવરસ, ખૂબ રસપ્રદ વાંચન. તમારા નામનો અર્થ ઘણો સુંદર છે અને પોતાના નામે આખું એક નગર હોય એ કેટલી મજાની ને સુંદર વાત છે! મારે એ નગરની મુલાકાત લેવી પડશે!

વિકાસ નાયક: રસપ્રદ અને જ્ઞાનવર્ધક બ્લોગ ! હું સાહિત્યના નવરસના નામો શોધી રહ્યો હતો અને તેમાનાં બે મને જડતાં નહોતા. તમારાં બ્લોગ પરથી મને એ બે રસના નામ પણ મળી ગયા ! તમારો આભાર! મારા બ્લોગ પણ http://vikasgnayak.blogspot.com વેબ-એડ્રેસ પર વાંચજો

હરપ્રિત સિંધ: ફક્ત એક બાબત નોંધનીય છે કે ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં નવરસ નહિં , પરંતુ ફક્ત આઠ રસનો જ ઉલ્લેખ છે. નવમા રસ - ‘શાંત રસ' કાશ્મીરના શૈવ(પંથી) અભિનવગુપ્તા એ શોધ્યો હતો . શ્રી ગુપ્તાએ પોતાનાં વકતવ્ય આનંદવર્ધમના ધવન્યલોકમાં લોકનામાં શાંતરસનો પરિચય આપ્યો હતો.હાર્વર્ડ ઓરિયેન્ટલ શ્રેણી દ્રારા પ્રકાશિત થયેલ ઈન્ગેલ્સના અનુવાદોમાં તમે આ વિશે વાંચી શકો છો ! મને લાગ્યું તમારા નામના મૂળની સાચી માહિતી તમારી પાસે હોવી જરૂરી છે. તેથી મેં આ કમેન્ટ લખી છે.

ગેસ્ટ બ્લોગ વેબ-એડ્રેસ : http://navrasaafreedi.blogspot.com/2007/03/navras-by-navras.html