Translate

સોમવાર, 27 માર્ચ, 2017

પદ અને સત્તાનો દુરુપયોગ

સામાન્ય રીતે હું કટાર દ્વારા હકારાત્મક અને સારી વાતો શેર કરતો હોઉં છું અને રાજકારણને લગતી કે રાજકીય વ્યક્તિઓ વિશેની બાબતો મારી પસંદગીના લેખનના વિષયો નથી, પણ તાજેતરમાં ઘટેલી એક ઘટનાએ મને અતિ વ્યથિત કરી મૂક્યો છે અને મારામાં ઘેરા રોષની લાગણી જન્માવી છે તેથી આજે રાજકીય વ્યક્તિને સંડોવતી બાબત અંગે લખી રહ્યો છું.
શિવસેનાના એક ધારાસભ્ય રવિન્દ્ર ગાયકવાડને એર ઇન્ડિયાની ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસની બેઠક મળતા તેણે ફ્લાઈટ ગંતવ્ય સ્થાને પહોંચી જવા છતાં, પોણા-એક કલાક સુધી ફ્લાઈટમાં બેસી રહેવું પસંદ કર્યું અને જ્યારે એર લાઈનના વરિષ્ઠ મેનેજરે તેમનો સામનો કર્યો ત્યારે સડેલા દિમાગ વાળા ધારાસભ્યે ૬૦ વર્ષની ઉંમરના મેનેજરને પોતાના સ્લીપરથી વીસ-પચ્ચીસ વાર માર માર્યો.
વાંચી કે સાંભળીને પણ ઘૃણા જન્માવનારી દુર્ઘટના જેની સાથે બની એના પર શી વીતી હશે તેની મને કલ્પના થતા તેના પ્રત્યે મને સહાનુભૂતિની લાગણી થાય છે અને બેશરમ, ઈગોઈસ્ટીક મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ આટલા વખતથી કઈ રીતે પોતાના પદે રહીને પોતાની ફરજ નિભાવતો હશે તેનો વિચાર આવે છે. નેતાઓને આપણે ચૂંટીએ છીએ આપણી સેવા અર્થે, દેશની સેવા અર્થે. એટલે દેખીતી રીતે આપણા સેવક થયા પણ પ્રજાના સેવકની આવી ઉદ્ધતાઈ, આછકલાઈ અને આટલી તુંડમિજાજી વર્તણૂંક? રાજનેતાને એવું તે કેવું અભિમાન હશે કે તે વિમાનમાં બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કરી શકે અને માત્ર એકાદ-દોઢ કલાકની મુસાફરી ઇકોનોમી ક્લાસમાં કરી શકે? જે ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસની શ્રેણી નથી એમાં કઈ રીતે પોતાને બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કરવા મળે એવો આગ્રહ સેવી શકે? હદ તો ત્યારે થાય છે જ્યારે મારઝૂડનું પરાક્રમ કરે છે અને પછી બિનધાસ્ત મિડીયા સમક્ષ પોતાના પરાક્રમની શેખી વઘારે છે,ઉલટું એવી અપેક્ષા રાખે છે કે એર-ઇન્ડિયા તેની પાસે માફી માગે.તેના બદવર્તનને કારણે સેંકડો મુસાફરો પછીની કનેક્ટીંગ ફ્લાઈટ માટે મોડા પડ્યા તે બદલ પસ્તાવાની જગાએ નિર્લજ્જ વ્યક્તિ એવો દાવો કરે છે કે તેણે જે કર્યું બરાબર છે અને પોતે દેશના અને રાજ્યના પ્રવર્તમાન શાસક પક્ષનો નહિ પરંતુ શિવસેનાનો માણસ છે! પોતે મિડીયા સમક્ષ કબૂલ કરે છે કે તેણે એર ઇન્ડિયાના મેનેજરને પચ્ચીસ વાર સ્લીપર માર્યા એટલું નહિ પણ તેના કપડાં પણ ફાડી નાંખ્યા અને પોતે આધેડ વયની વ્યક્તિના ચશ્મા તોડી નાંખ્યા અને પોતાને ઇચ્છા તો એવી થતી હતી કે તે વયોવૃદ્ધ મેનેજરને પોતે ઉંચકીને ફ્લાઈટની બહાર ફેંકી દે.
તેને પોતાની શરમજનક વર્તણૂંક બદલ રતિભારનો પણ પસ્તાવો નથી અને તેણે ઘટના બન્યા બાદ સાંજે મૂડ સારો કરવા દિલ્હીના એક થિયેટરમાં જઈ બદરીનાથ કે દુલ્હનિયા ફિલ્મ જોઈ હતી અને પૂછવામાં આવ્યું કે તેને પોતાની હરકત નો કોઈ પસ્તાવો કે કોઈનો ડર નથી? ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે શિવસેનાના અધ્યક્ષ તેને સંભાળી લેશે!
શિવસેનાના અધ્યક્ષે આટલી હદે ઘટના અંગેની વિગતો બહાર આવવા છતાં પોતાના સભ્ય પાસે હજી સ્પષ્ટીકરણ માગ્યું છે, પક્ષના પ્રવક્તાએ કહ્યું છે કે સભ્ય તો ઠરેલ અને પરીપક્વ છે તે આવું કરી શકે નહિ અને અન્ય એક વરીષ્ઠ સભ્યે તો રાજનેતાનો પક્ષ લઈ એવી દલીલ કરી છે કે એક માનદ ધારાસભ્ય સાથે કોઈ પોણા-એક કલાક સુધી વાત કરે તો એમને કેવું ખરાબ લાગે,પછી ગુસ્સે થાય ને!
આપને યાદ અપાવું કે ત્રણેક વર્ષ પહેલા દિલ્હીના મહારાષ્ટ્ર સદનમાં એક ચર્ચાસ્પદ ઘટના બની હતી જેમાં શિવસેનાના ૧૧ ધારાસભ્યોએ ત્યાંની કેન્ટીનના મુસ્લીમ કર્મચારીને તેના રમઝાનના ઉપવાસ ચાલી રહ્યા હોવા છતાં પરાણે - બળજબરીથી ખોરાક ખવડાવવાની ઘૃષ્ટતા આચરી હતી. ગુંડાતત્વો સમાન એમ.પી. પૈકી એક હતો રવિન્દ્ર ગાયકવાડ.
હવે જો આવા દુષ્ક્રુત્ય આચરનાર અસામાજીક તત્વ સામે સમયે કાર્યવાહી થઈ હોત તો આજે જેની ચર્ચા માંડી છે દુર્ઘટના ઘટવા પામી હોત.પણ આપણે સહીષ્ણુ પ્રજા છીએ અને ભૂલકણી પણ. ૧૧ ધારાસભ્યોમાંથી એક પર પણ કોઈ કાર્યવાહી થઈ નથી અને એટલે શક્ય છે કદાચ અન્ય ૧૦ મહાનુભાવો દ્વારા બીજી પણ આવી કોઈ દુર્ઘટના આચરવાના સમાચાર વાંચવા મળી શકે!
આપણે જેને ચૂંટીએ છીએ તેના વિશેની જાણકારી મેળવ્યા બાદ મતદાનની પવિત્ર ફરજ બજાવવાની જરૂર છે.અન્યાય સહન કરવાની કોઈ જરૂર નથી.જ્યારે આવી કોઈ ઘટનાના સાક્ષી બનવાનું થાય ત્યારે સત્યનો પક્ષ લઈ માટે પોતાનાથી ઘટતું કરવાની પણ ખુબ ખુબ જરૂર છે.
અગાઉ પણ કેટલાક ઉદ્ધત ધારાસભ્યોએ સામાન્ય લોકો સાથે કે પોતાની ફરજ બજાવી રહેલા અન્ય નાગરીકો સામે અક્ષમ્ય અને અમાનવીય વર્તન આચર્યું હોય એવા ઘણાં કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.છતાં પદ અને સત્તાનો આવો દુરુપયોગ કરવા છતાં તેમની સામે યોગ્ય પગલાં લેવાયા નથી.આવી પરિસ્થીતીમાં પરીવર્તન આજના સમયની તાતી જરૂરીયાત છે.
પદના દુરુપયોગના બીજા એક તાજેતરમાં થયેલા અંગત અનુભવની વાત કરવાનું મને અહિ અસ્થાને નથી લાગતું.તાજેતરની મ્યુનિસિપલ ચૂંટણી દરમ્યાન હું મત આપવા માટે લાંબી કતારમાં ઉભો હતો.મારા પિતા મતદાનમથક બહાર એક ટી.વી.ચેનલને ઇન્ટરવ્યુ અને લોકોને મતદાન કરવાની અપીલ કરવાનો સંદેશ આપ્યા બાદ પોતે મતદાન કરવા આવ્યા અને મારી સાથે કતારમાં ઉભા રહી ગયા. કતાર લાંબી હતી અને મારા પિતાની ઉંમર પણ ૭૨ વર્ષ હોવાથી મેં તેમને આગળ જઈ મતદાન કક્ષમાં સિનિયર સિટીઝન્સ માટે અલગ ટૂંકી કતાર છે કે નહિ તે ચકાસી તેમાં ઉભા રહેવાનું સૂચન કર્યું. તે આગળ ગયા અને મતદાન કક્ષમાં માટેની પૂછપરછ કરવા જઈ શકે પહેલા ત્યાં દરવાજે ઉભેલા ફરજ પરના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરે તેમને રોક્યા અને ઉદ્ધતાઈપૂર્વક તેમને પાછા હઠવા કહ્યું. એટલું નહિ પણ તેણે મારા પપ્પાને રીતસરના ધક્કે ચડાવ્યાં. પદ અને સત્તાનો આવો દુરુપયોગ જોઈ મારો પિત્તો ગયો અને મેં આગળ જઈ તે વરીષ્ઠ પોલીસને સંભળાવ્યું કે તે ત્યાંની વ્યવસ્થા સંભાળવાની પોતાની ફરજ પર છે અને તેણે કરવું જોઇએ અને એક સિનિયર સિટીઝન સેલીબ્રીટીને ધક્કે ચડાવવા જેવી હરકત કરવી જોઇએ નહિ. સદનસીબે કતારમાં ઉભેલાં અન્ય મતદાતા નાગરીકો પણ બીનાના સાક્ષી હતાં અને તેમણે પણ પેલા પોલીસ અધિકારીની બદવર્તણૂંક જોઈ હતી તેથી તેઓ પણ વચ્ચે પડ્યા અને તેમણે સૌએ મારો પક્ષ લીધો. હવે પોલીસ અધિકારી ઠંડો પડ્યો અને સિનિયર સિટીઝન્સની અલગ કતાર અત્યાર સુધી નહોતી, જે બનાવવામાં આવી અને મામલો થાળે પડ્યો.

ફરી રવિન્દ્ર ગાયકવાડની વાત પર પાછા ફરીએ. શિવસેનાએ ધારાસભ્યને તત્કાળ પાણીચુ આપી દેવું જોઇએ.એર ઇન્ડીયા અને તમામ ખાનગી એર લાઈન્સે રવિન્દ્ર ગાયકવાડને તરત બ્લેકલિસ્ટમાં મૂકી દીધો છે અને તેણે દિલ્હીથી રેલવે લાઈનનો સહારો લઈ ગાડીમાં પાછા ફરવું પડ્યું છે જે સરાહનીય પગલું છે.દિલ્હી પોલીસે એર ઇન્ડીયાની અંગેની ફરીયાદ બાદ કેસ સી.બી.આઈ. ને સોંપી દીધો છે પણ એવી અપેક્ષા રાખીએ કે હવે મામલે કાયદો જલ્દી પોતાનું કામ કરે અને રવિન્દ્ર ગાયકવાડને સજા મળે જેથી અન્ય ધારાસભ્યોમાં પણ અંગે એક કડક દ્રષ્ટાંત મળી રહે કે તેઓ પ્રજાના ચૂંટાયેલા સભ્યો છે અને તેમણે પ્રજાની સેવા કરવાની છે,જોહૂકમી નહિ. જો આમ થશે તો બીજા ત્રણેક વર્ષ પછી ફરી રવિન્દ્રે કે તેના જેવા અન્ય કોઈ એમ.પી. પદ અને સત્તાનો દુરુપયોગ કર્યાનો કોઈ નવો કિસ્સો સાંભળવામાં નહિ આવે!

રવિવાર, 19 માર્ચ, 2017

મંગલમય જંગલ

હમણાં એક લેખ વાંચ્યો જંગલ પ્રત્યેના પ્રેમ વિશે. મનુષ્ય કાળક્રમે ઉત્ક્રાંતિ થતાં જંગલમાંથી આજની તેણે ઉભી કરેલી દુનિયા તરફ વળ્યો, પણ તેના મૂળિયા જંગલ સાથે જોડાયેલા છે.આદિમાનવ જંગલની ગુફામાં રહેતો અને આમ તેનું જંગલ સાથે,પ્રકૃતિ સાથે કુદરતી જોડાણ છે.આથી સંગીત થેરાપી, એક્યુપંક્ચર થેરાપી, સુગંધ થેરાપીની જેમ એક નવી થેરાપી ઉદભવી છે - જંગલ થેરાપી. જેમાં હઠીલા રોગ ધરાવતા દર્દીને જંગલમાં રહેવાનું સૂચન કરાય છે. ત્યાં મળતી ખુલ્લી ચોખ્ખી હવા, શુદ્ધ ભેળસેળ વગરના ખોરાક અને તાણમુક્ત વાતાવરણ વચ્ચે દર્દીનો રોગ ચોક્કસ ટૂંક સમયમાં સારો થઈ જાય છે.
હું જંગલનો પ્રેમી છું. મને જંગલની મુલાકાતે જવું, તેમાં રહેવું બેહદ પસંદ છે.પણ આપણા શહેરી જનોને જે બધું પસંદ હોય તે કંઈ થોડું સદાયે મળી રહેતું હોય છે? છતાં એક વાતનો દિલાસો છે કે આપણાં મુંબઈની આસપાસ સંજય ગાંધી નેશનલ પાર્ક, આરે કોલોની, ભાયખલા નો રાણી બાગ જેવા જંગલો મોજૂદ છે. ભલે ત્યાં લાંબો કે કાયમી વસવાટ થઈ શકે પણ એકાદ-બે દિવસ રહેવાની સગવડ તો નેશનલ પાર્કનાં જંગલમાં ઉભી પણ કરવામાં આવી છે.
જંગલની વાત નોખી! ત્યાંનું વાતાવરણ, લીલોતરી, આબોહવા, પૃષ્ઠભૂમિ, જળાશયો, વનરાજી - ફળફૂલ, પ્રાણીઓ,જંતુઓ,દિવસ,રાત, ઋતુઓ બધું નોખું.
જંગલની કેડીએ ચાલતા હોવ તો ધૂળીયે મારગ દિવસેય તમને અંધારું લાગવાની સંભાવના ખરી અને ભર ઉનાળેય તમને ગરમી પ્રકોપમય વર્તાતા, વનરાજીને લીધે ઠંડક વર્તાય એવી શક્યતા ખરી! ચોમાસામાં તો જંગલના સ્વરૂપનું પૂછવું શું? વનસ્પતિ અને જંગલનો જેમ અતૂટ નાતો છે એમ પ્રાણી-પંખી-જંતુઓનો પણ જંગલ સાથે અજોડ રિશ્તો છે. જંગલની કલ્પના સજીવો વગર અને સજીવોની કલ્પના જંગલ વગર કરવી અઘરી છે. સર્કસ કે પ્રાણીબાગમાં પણ તમને પ્રાણીઓ જોવા મળે પણ એની સરખામણી જંગલવાસી પશુઓ સાથે થઈ શકે ખરી?
                જંગલમાં કે જંગલમાં થઈને પ્રવાસે જવ ત્યારે  ભરદિવસે ઉંચા ઉંચા વૃક્ષોની ઘટાઓને કારણે સૂર્યપ્રકાશ જંગલની જમીન સુધી પહોંચી શકતો નહોય તેથી વાતાવરણ અંધારીયું પણ મનોગમ્ય - ઠંડુ હોય. ઘડીક ધીમી તો ઘડીક તેજ રફતારે આગળ વધતા, માર્ગમાં ઝાડ પર ચડતા તો ક્યાંક ઝરણાં-નદીમાં પગ પલાળતાં આગળ વધવાની મજા પ્રવાસની અન્ય કોઈ પ્રવૃત્તિમાંથી મળતા આનંદ કરતા ચોક્કસ વધારે હોય છે! માર્ગમાં ઝાડ પરથી તોડી તાજા ફળો ખાવાની કે ઝાડી-ઝાંખરા આઘાપાછા કરી આગળ વધવાની મજા તો જંગલના પ્રવાસમાં માણવા મળે. માર્ગમાં જો કોઈ પ્રાણીનો અવાજ કે પંખીનું શહેરમાં ક્યારેય સાંભળેલું ગીત કાને પડી જાય તો ત્યારે ઉભા થતા મનોભાવ રોમાંચક તો ક્યારેક ભય ઉત્પન્ન કરનારા પણ બની રહેતા હોય છે! એમાંયે જો પ્રાણી કે પંખી નજરે ચડી જાય તો - તો મારા જેવા પ્રકૃતિપ્રેમીને તો જાણે સ્વર્ગ મળ્યા જેવી અનુભૂતિ થાય!
જંગલમાં ઉગેલું લીલુંછમ ઘાસ કે લતામંડપ કે પછી તેમાં થઈને વહેતી નદીનો ખળ ખળ ખળ ખળ મધુરો નાદ મનમાં એવા સ્પંદન જગાડે છે કે અનુભવ તમને સંપૂર્ણ રીતે રીલેક્સ કરી દે છે - તમે જાણે એક જુદી દુનિયામાં પહોંચી જાવ છો, તમારા સઘળા ટેન્શન્સ-તાણનો સમૂળગો નાશ થઈ જાય છે.
જંગલમાં જો કોઈ મંદીર કે ગુફા જડી જાય તો ત્યાં રાતવાસો કરવાની કેવી મજા પડે!
દિવસ કરતા તદ્દન જુદું એવું જંગલનું બીજું સ્વરૂપ તમને રાતવાસો કરો તો જોવા મળે.અંધારું ભયંકર હોય અને તમરાં અને અન્ય વન્ય જીવોના અવાજ ભયમાં વધારો કરી શકે પણ પ્રકૃતિ પ્રેમીને મન તો ભયનીયે પ્રિતી હોય! ઘણી વાર જંગલમાં ઉંચા ઝાડ પર માંચડો બનાવી પ્રકૃતિપ્રેમીઓ તેમાં રાતવાસો કરતા હોય છે જેથી રાતે તરસ છિપાવવા ટોળામાં નિકળેલા પ્રાણીઓને નિહાળી શકાય,તેમની સંખ્યાની ગણતરી કરી શકાય. નેશનલ પાર્કમાં આવા કૃત્રિમ જળાશય ચોક્કસ સ્થાને ઉભા કરાયા છે અને તેમની નજીક ઉંચા મચાન ઉભા કરાયા છે.
ભીમાશંકરના જ્યોતિર્લિંગના દર્શને આજથી કદાચ બે દસકા અગાઉ જંગલને રસ્તે થઈને મિત્રો સાથે ગયેલો તે દિવસનો અનુભવ આજે પણ મનની સ્મૃતિમાં લીલોછમ - તાજો છે! તો લોહગઢ કે હરીશ્ચંદ્રગઢ પર જવા માટે ઓવરનાઈટ ટ્રેકીંગ કરતી વેળાએ આખી રાત જંગલનો સહવાસ માણતા માણતા કરેલી યાત્રા વેળાએ મનમાં જન્માવેલી અવિસ્મરણીય અનુભૂતિ જીવનપર્યંત એટલી તાજી રહેશે જેટલી તાજી હોય છે જંગલની વહેલી સવારની શુદ્ધ હવા! ગુજરાતનાં વિરેશ્વર મહાદેવનું ઇડર નજીકનું જંગલમાં આવેલું શિવાલય હોય કે પછી કોરાઈગઢ પર આવેલું મહારાષ્ટ્રનું કોરાઈદેવીનું મંદીર; મહારાષ્ટ્રના પેબ, નાખિંડ, વાંગણી, માથેરાન, વિસાપુર, પ્રબલગઢ  વગેરે જેવા સ્થળોએ કરેલા ટ્રેકીંગનો અનુભવ; મનાલી-ધરમશાલા-ચંબા-ડેલહાઉસી જેવા વિસ્તારોની હનીમૂનની ખાસ યાત્રા વખતે લીધેલી મુલાકાત; કેરળના મુન્નાર અને ઠેકડી જેવા વિસ્તારોમાં કે આસામના કોર્બેટ નેશનલ પાર્ક કે માજુલી જેવા નદી પરના ટાપુ જેવા પ્રદેશની ગલીઓમાં પરીવાર સાથે કરેલી સહેલગાહ; વિદેશ ફર્યાનો તો વિશેષ અનુભવ નથી પણ સ્વીત્ઝરલેન્ડ ગયેલો ત્યારે હાર્દર કુલ્મ નામની ત્યાંની એક પર્વતની ટોચે આવેલી જગાની મુલાકાત - બધી યાત્રાઓ અવિસ્મરણીય બની રહી છે દરેક વેળાએ માણેલા જે-તે જંગલપ્રદેશના અનુભવને લીધે!
જંગલમાં સિંહ-વાઘ જેવા વિકરાળ પ્રાણીઓ પણ હોય અને મદમસ્ત હાથી કે લાંબા તાડ જેવા જીરાફ પણ હોય,નાભિમાં કસ્તૂરી સંતાડી પૂર ઝડપે ભાગતા હરણાં પણ હોય અને જમીનમાં બખોલ કરી તેમાં બચ્ચા સંતાડી કૂદકા મારી ચાલતાં સસલા પણ હોય. અહિં જાડાપાડા અજગર પણ હોય અને લાંબા ભયાનક એનાકોન્ડા જેવા સાપ પણ. અહિં સુંદર ખુશ્બુ દાર ફૂલોની મહેક પણ પ્રસરેલી જોવા મળે તો નાનકડા જંતુ-પ્રાણીઓને ભક્ષી જતી વનસ્પતિ પણ. બધાં અહિં સહજીવન માણે છે અને એક બહુ અગત્યનો પાઠ આપણે જંગલ પાસેથી શિખવાનો છે.
જે પોષતું તે મારતું ક્રમ દીસે છે કુદરતી... વિરોધાભાસી તત્વોને પોતાનામાં સમાવી લેતાં જંગલ પૃથ્વી પર જીવન ટકી રહે માટે એટલા જરૂરી છે જેટલા જરૂરી માટે આપણને હવા-પાણી અને પ્રકાશ લાગે છે.