દર વર્ષે ઓછામાં ઓછી એક વાર ભારતના એક નવા રાજ્યમાં કે જોયેલાં રાજ્યની કોઈ નવી જગા,નવા ગામ કે શહેર ફરવા જવાના મારા ન્યુ યર રીઝોલ્યુશનને અનુસરતા આ વર્ષે જેસલમેર જવાનું નક્કી કર્યું. ફેબ્રુઆરી માસમાં મારી મેરેજ એનિવર્સરી આવે, આજ માસમાં હનીમૂન માટે હિમાચલ પ્રદેશ,ઉત્તરાંચલ, દિલ્હી અને પંજાબ આ નવા રાજ્યોમાં ફરવાની મજા માણેલી, ગયા વર્ષે પણ આજ મહિનામાં આસામ, મેઘાલય જેવા રાજ્યોમાં મારી આઠ મહિનાની દિકરી સાથે ફરવાની મજા માણી હતી. યોગાનુયોગ આ વર્ષે પણ ફેબ્રુઆરી માસમાં જ રીનોક એડવેન્ચર નામના ગ્રુપે જેસલમેરમાં ડેઝર્ટ સફારી એટલે કે રણયાત્રાનું આયોજન કર્યું હોવાનું ફેસબુક પર વાંચવામાં આવ્યું. આ પહેલા રણની ક્યારેય પ્રત્યક્ષ મુલાકાત લીધી નહોતી, માત્ર પોલો કોએલ્હોની અલ્કેમિસ્ટ જેવી કથામાં તેના અફાટ વિસ્તાર અને સૌંદર્ય વિષે વાંચ્યું હતું કે ફિલ્મોમાં રણ જોયેલું. આથી રણ યાત્રાની વાતે મને આકર્ષ્યો. ઉપરાંત અહિં આ યાત્રામાં ઊંટ પર સવારી કરવાની સાહસિક ઓફર પણ હતી જે ચૂકી ન જવાની અદમ્ય ઇચ્છા પણ થઈ આવી.
આઈ.આર.સી.ટી.સી. ની વેબસાઈટ પર તત્કાલ બુકિંગ મળવું એટલે લગભગ અશક્ય જ ગણી લો. મને વધુ એક વાર છેલ્લી ઘડીએ ટિકીટ જોયતી હોવા છતાં તત્કાલ ક્વોટામાં તે ઓનલાઈન ન મળ્યાનો અનુભવ થયો. છેલ્લી ઘડીએ બોસે ઓફિસમાં એમ કહી દીધું કે હું તારા (જેસલમેર જવાના નિર્ણય)થી ખુશ નથી અને મારા મનમાં પણ થોડી અવઢવ ઉભી થઈ. પણ મારી રણયાત્રાએ જવાની બળવત્તર ઇચ્છા જીતી ગઈ અને અચાનક ઉભી થયેલી આ અનેક અડચણો છતાં હું,મારી પત્ની અમી અને પોણા બે વર્ષની મારી વહાલસોયી દિકરી નમ્યા બસમાં મુસાફરી કરી અમદાવાદ જઈ પહોંચ્યા.મારા કઝિનને ત્યાં ફ્રેશ થઈ બે-એક કલાક બાદ જોધપુર જવાની ટ્રેન પકડી.
દિવસની ટ્રેન યાત્રા બારીની સીટ મળતા સુખદ રહી.ખાલી એક પ્રસંગ વર્ણવવાનું મન થાય છે. અમદાવાદથી જોધપુર જતાં વચ્ચે મહેસાણા સ્ટેશન આવે, જે અમીનું પિયર. હજી દસેક દિવસ પહેલાં જ અમી પિયરેથી પાછી ફરી હતી છતાં માતાપિતા ઘણાં દૂર રહેતા હોય ત્યારે પરણેલી દિકરીને વારંવાર તેમને મળવું ગમે. અમીએ તેના મમ્મીપપ્પાને અમારા માટે બપોરનું જમવાનું લઈ મહેસાણા સ્ટેશન અમને મળવા આવવાનું ફરમાન કરી દીધું હતું. હજી સ્ટેશન આવવાને દસેક મિનિટની વાર હતી ત્યારથીજ અમે અમારા કોચના દરવાજા પાસે જઇ ઉભા રહી ગયાં. મહેસાણા સ્ટેશન ગાડી બે જ મિનિટ ઉભી રહેવાની હતી અને આમ તો ત્યાંથી ગાડીમાં ખાસ કોઇ ચડશે એવી અમે આશા રાખી નહોતી.પણ મહેસાણા હજી તો ગાડી ઉભી પણ રહે એ પહેલાં યુદ્ધના ધોરણે પાઘડી પહેરેલા દાઢીધારી પંજાબી શીખોના ટોળેટોળાં શક્ય એ દરેક ડબ્બામાં ચડતા જોવા મળ્યા અને એ પણ પાછા સફેદ રંગની સીલપેક્ડ ગુણીઓ સાથે!અમારા માટે આ બિલકુલ નવા પ્રકારનું દ્રષ્ય હતું.અમને એકાદ ક્ષણ તો લાગ્યું કે અમે અમીના મમ્મીપપ્પા ને મળવાનું ચૂકી જઇશું.પણ મેં ત્વરાપૂર્વક નિર્ણય લઈ અમીને અમારી સીટ પરની બારી પાસે પહોંચી જવા કહ્યું.અમીના હાથમાં મમ્મીપપ્પાને આપવાના થોડાઘણાં સામાનની થેલી,મારા હાથમાં નમ્યા. અમે પેલા પંજાબી ભાઈઓએ કોચમાં ધકેલી દીધેલી ગુણીઓ પર પગ મૂકી અમારી સીટની બારી પાસે દોડ્યા. અને સદનસીબે બારીમાંથી અમીએ તેના મમ્મીપપાને મળી લીધું અને અમે ચીજવસ્તુઓની આપલે પતાવી દીધી. નમ્યાને મળીને મારા સાસુસસરા તેમજ નાનાનાનીને મળીને નમ્યા અને (કહેવાની જરૂર છે કે) અમી પણ ભાવવિભોર થઈ ગયાં.પપ્પાજી પાસેથી જાણવા મળ્યું કે આ બધી ભીડ પંજાબના ખેડૂતોને હતી જેઓ બિયારણ ખરીદવા ગુજરાત આવ્યા હતાં. સફેદ ગુણીઓમાં તેમણે ખરીદેલું બિયારણ હતું, તેમની રોજીરોટીનો સામાન. ખરું જોતાં આપણા સૌની પણ રોજી નહિં તો રોટીનો તો સામાન કહી જ શકાય! પછી તો ભીડ વિખરાઈ ગઈ અને અમારી જોધપુર સુધીની યાત્રા સુખદ રહી.
જોધપુર અમે રાતે લગભગ સાડા આઠે પહોંચી ગયા. રાતે અહિંથી જ જેસલમેરની ટ્રેન પોણા બારે ઉપડવાની હતી. ત્રણ કલાક આસપાસ થોડું ફરીને પસાર કરવાનો નિર્ણય કર્યો. સામાન થોડો વધુ હતો. વજન ઉંચકીને કેમ ફરાય? આથી વધારાનો સામાન સ્ટેશન પરના ક્લોકરૂમ (યાત્રી સામાન કક્ષ)માં મૂકવાનું નક્કી કર્યું પણ ત્યાં બેઠેલા મહોદયાએ તાળુ માર્યા વગરના એક પણ સામાન-દાગીના સ્વીકારવાની ઘસીને ના પાડી દીધી. હવે એ સમયે મારે પાંચ-છ તાળા શોધવા ક્યાં જવું? થોડીઘણી માથાઝીંક પછી આખરે તેણે સામાન મૂકવા દેવા સંમતિ દર્શાવી.તેની પાસેથી જ મેં જાણી લીધું કે આસપાસમાં નજીક કોઈ મંદિર ક્યાં છે અને ડિનર ક્યાં કરવું જોઇએ. નજીકમાં ગણેશ મંદિર અને શિવમંદિર એમ બે દેવસ્થાનોના દર્શન કરી અમે ડિનર પતાવ્યું અને શિયાળાની ખુશનુમા રાતે જોધપુરની સ્ટેશન નજીકની સડકો પર ટહેલ્યાં. સરસ મજાનું ગરમાગરમ દૂધ વેચતી બે-ચાર દુકાનોમાં સારી એવી ભીડ જોઇ અનુમાન કર્યું કે આમાં ચોક્કસ કંઈક ખાસ હોવું જોઇએ અને પછી તો અમે ત્રણેએ ગરમાગરમ દૂધ પીવાની મજા માણી.
જેસલમેરની ગાડી છૂટવાના એકાદ કલાક પહેલા જોધપુર સ્ટેશન પર આવી ગયા. ક્લોકરૂમ વાળા આન્ટીનો આભાર માની સામાન લઈ લીધો અને પુલ ચડી પ્લેટ્ફોર્મ - ૨ પર પહોંચી ગયા. નમ્યા પણ ખુશખુશાલ હતી. પુલ પર દાદરા, પણ તે મારો કે અમીનો હાથ પકડ્યા વગર, જીદ કરી પોતાની મેળે જ ચડી - ઉતરી!
રીનોક અડ્વેન્ચર્સના બે મુખ્ય આયોજકો અમને અહિં મળ્યા : જય અને કપિલ. તેમણે જ અમારી જોધપુરથી જેસલમેરની આ ગાડીની ટિકીટ ઓન્લાઈન તત્કાલ ક્વોટામાં બુક કરી રાખી હતી. તેમને હું અગાઉ ક્યારેય મળ્યો નહોતો. તેમની પાસેથી જ મુંબઈથી આ રણયાત્રામાં જોડાનાર અન્ય સભ્યોના કોન્ટેક્ટ નંબર મેં મેળવી લીધેલા અને ફોન પર વાતચીત કર્યા બાદ ખાતરી કરી લીધી હતી કે તેઓ લેભાગુ વૃત્તિના નહોતાં. આથી જ અગિયાર હજારેક રૂપિયા જેવી રકમ મેં ઓન્લાઈન તેમના ખાતામાં મારા નેટ બેન્કિંગ અકાઉન્ટ માંથી ટ્રાન્સ્ફર કરી દીધી હતી.આજે ઇન્ટરનેટને લીધે આર્થિક વ્યવહાર અને અનેક બીજી બાબતો અતિ સરળ બની ગઈ છે.
જય અને કપિલે જણાવ્યું કે અમારી સાથે આ રણયાત્રામાં જોડાવાના ઘણાં મેમ્બર્સ કોઈક ને કોઈ કારણ સર અમારી સાથે જોડાઈ શકે એમ નહોતાં. પણ આ સાંભળી મારો ઉત્સાહ કંઈ ઓછો થયો નહોતો. ટ્રેન પકડી, વહેલી સવારે પાંચ સાડા પાંચે અમે જેસલમેર પહોંચ્યા. ટ્રેનમાં અડધી રાત પછી અને અહિં જેસલમેરમાં ગાત્રો થિજવી નાખે એટલી કડકડતી ઠંડી લાગી રહી હતી. નાનકડી નમ્યા પણ જાણે આ ઠંડી માણતી હોય તેમ થોડી વાર માટે આંખો ખોલી મારી અને અમી સામે આછું સ્મિત આપી ફરી પાછી સૂઈ ગઈ. અમને લેવા સ્ટેશને કાર આવી હતી. જેસલમેરમાં એક મોટો કિલ્લો છે જેના પર જ ચારસો-પાંચસો ઘર, મહેલ, હવેલી, હોટલો આવેલા છે. આ કિલ્લા પર જાણે આખું એક નાનકડું નગર વસ્યું છે! કારે કિલ્લાની તળેટીમાં છોડ્યા, ત્યાંથી રીક્ષામાં બેસી ઉપર, અમારી હોટલમાં ગયાં અને હજી તો હું પહેલું પગથિયું ચડવા જાઉં છું ત્યાં લાઈટ જતી રહી. વહેલી સવારે હજી અંધારાનું સામ્રાજ્ય જ છવાયેલું હતું. જોકે અમારે તો થોડી વાર ઉંઘી જવું જ હતું આથી પહેલા માળે અમને ફાળવાયેલા રૂમમાં સામાન મૂકી અમે સીધા ગોદડું ઓઢી પલંગમાં લંબાવ્યું.
આરામથી સાડાનવ દસે ઉઠ્યા ત્યારે દેખાયું કે અમારો રૂમ કેટલો સુંદર હતો. એક ઝરૂખાની ફ્રેમ, પ્રાચીન રાજસ્થાની રિયાસતની કોઈ રાજકુમારીની હાથે દોરેલી મઢેલી તસ્વીર, બીજા એક લાંબી મૂછો વાળા રાજસ્થાની પાઘડી પહેરેલા પુરુષનો એક ફોટો અને એક મોરપીંછ સુંદર ઢબે સજાવેલા હતાં એ નાનકડા રૂમમાં. રૂમનું બારણું ખોલતાં જ સામે ભીંત પર રાજસ્થાની લોકસંસ્કૃતિનું દર્શન કરાવતું સુંદર તોરણ અને તેની વચ્ચે કઠપૂતળીની જોડી ટીંગાડેલા હતાં. નમ્યા તો પહેલીવાર કઠપૂતળી જોઈ 'ઢીંગલા...ઢીંગલા...' કરતી કરતી રાજીના રેડ થઈ ગઈ. હોટલના મકાનની બાંધણી પણ વિશિષ્ટ ઢબની હતી.એક માળના મકાનમાં ધાબુ હતું અને ધાબા પર ‘રૂફ-ટોપ’ રેસ્ટોરન્ટ. અહિં મોટા ભાગના મકાનો અને હોટલોમાં આ જ પ્રકારની ‘રૂફ-ટોપ’ રેસ્ટોરન્ટ્સ બનાવેલી હતી. અમારા રૂમની બહાર તેમજ તેની ઉપરના ધાબાના ભાગમાં જમીન પર મોટી ધાતુની જાળી પાથરેલી જેથી દિવસે સૂર્ય પ્રકાશ સીધો નીચે જમીન સુધી પહોંચી મકાનને અજવાળી શકે.તમે જો ધાબાની અથવા પહેલા માળની આ જાળી પર ઉભા હોવ તો નીચે ભોંયતળિયે ઉભેલી વ્યક્તિ તમને જોઇ શકે. નમ્યા આ જાળી પર પગ મૂકતા ડરતી હતી.મને મારી મમ્મીના મોસાળના ગામ મંદ્રોપુરના ઘર યાદ આવી ગયાં જ્યાં છાપરા પર એક કે બે જગાએ સુર્યપ્રકાશ કુદરતી રીતે ઘરમાં આવી શકે એ માટે ખાસ બાકોરા જેવી જગા રાખવામાં આવતી જેના પર પારદર્શક રંગહીન આવરણ હોય. અહિંથી સીધી લીટીમાં ઘરમાં પ્રવેશતાં સુર્યપ્રકાશના કિરણો અદભૂત લાગે. એ ઘરોમાં ચૂલા હતાં એટલે ચૂલાનો ધૂમાડો સીધો બહાર જઈ શકે એ માટે ચિમની પણ રખાતી જે સીધી ધાબા કે છાપરા ઉપર બહાર આકાશ તરફ ખુલે.
અમે રૂફટોપ રેસ્ટોરન્ટમાં બેસી સવારનો ચાનાસ્તો પતાવ્યો. અહિંથી ખૂબ સુંદર દ્રષ્ય દેખાતું હતું અડધા જેસલમેર શહેરની જાણે અહિંથી ઝાંખી દ્રષ્યમાન થતી હતી. કિલ્લા પરના લગભગ દરેક મકાનમાંથી આવા રૂફટોપ ધાબા પણ અહિંથી દેખાઈ રહ્યાં હતાં.અમારી બાજુમાં ચાર વિદેશી પર્યટકો પણ સવારનો સુ-કોમળ તડકો માણતા ગાદી પર બેસી ચા-નાસ્તાની મજા માણી રહ્યાં હતાં. હોટલમાં રિસેપ્શન પાસે જેસલમેરની, વિદેશી સહેલાણીઓની,રણની,ઉંટની,મેળાઓની વગેરે રંગબેરંગી તસ્વીરો ટીંગાડેલી હતી. કેટલાક વિદેશી મુલાકાતીઓએ તેમના ઘેર ગયા બાદ અહિંના સૌંદર્ય અને પરોણાગતથી અભિભૂત થઈ જઈ આભાર માનતા પત્રો પોતાના હાથે લખ્યાં હતાં, એ પણ લગાડ્યાં હતાં.
અહિંથી બહાર નિકળતા જ અમે બે મંદિરોમાં દર્શન કર્યાં.એક વિષ્ણુ ભગવાનનું અને એક શંકર ભગવાનનું - આ બંને મંદિરો પ્રાચીન હતાં. તેમાં એક અનેરી શાંતિ અને ધન્યતા નો અનુભવ થયો. વિષ્ણુ મંદિરની ભીંત પર હનુમાનનું સુંદર ભારતીય શૈલીમાં દોરાયેલું આકર્ષક ચિત્ર હતું. ત્યાંથી બહાર થોડે દૂર જ એક દુકાનની બહાર રંગબેરંગી વસ્ત્રો તેમજ ખાસ પ્રકારની રાજસ્થાની પાઘડીઓ લટકતા હતા. દુકાનદાર પચીસેક વર્ષનો યુવાન હતો. મેં વસ્ત્રોના ભાવ પૂછ્યા તો એણે પ્રમાણિકતાથી ઉત્તર આપ્યો આ વસ્ત્રો વિદેશીઓ માટે બનાવેલા હોવાથી ખાસ ટકાઉ નહોતા.વિદેશીઓ ફરવા આવે એટલે એમણે ફક્ત થોડા દિવસ એ પહેરવાના હોય આથી આ વસ્ત્રો ખાસ સારી ગુણવત્તા ના નહોતા. કેટલાક લોકો પોતાના ખિસ્સા ભરવા બીજાઓને છેતરતાં પણ ખચકાતા નથી જ્યારે અહિં એક વેપારી હતો જે પોતાનો સામાન ન પણ વેચાય તેની પરવા કર્યા વગર અમને સાચી સલાહ આપી રહ્યો હતો! મને એ યુવાનની ઇમાનદારી સ્પર્શી ગઈ.
(ક્રમશ:)
Sunday, March 11, 2012
Sunday, March 4, 2012
અને સ્મરણોની સંદુકમાંથી સરી પડી "તીનીયા-મિનિયાની" તસ્વીર......
લોકો કહે છે કે ભૂતકાળને ભૂલી જાવ, પરંતુ હું તો ઘણી વાર ભૂતકાળમાં સરી પડું છું અને જૂની યાદો ફંફોસતાં ફંફોસતાં, મગજની પાટી પરની રજ ખંખેરતાં, કંઈક અજબ ગજબના સ્મરણો જીવંત થાય છે!
લગભગ ૮૫ વર્ષ પહેલાં-મને થોડું યાદ છે ત્યાં સુધી અમે બધા એટલે પિતાશ્રી-તેમના ભાઈ- વગેરે સંયુક્ત કુટુંબમાંજ રહેતા - પિતાશ્રીનું નામ દામોદર ભાઈ-અને કાકાનું નામ દોલતરાય.મારા બા નું નામ રેવાબા(મણિબા) અને કાકી નું નામ રાધાબા-મારું નામ ચંદ્રકિશોર અને મારા પિતરાઈ ભાઈ નું નામ ચંદ્રકાન્ત - વખત જતા "ચંદ્ર" આકાશમાં ચાલી ગયો અને બાકી રહી ગયા "કિશોર અને ચંદુ".
હું જરા શરીરે દુબળો-પાતળો એટલે મને "તીનીયો" અને ચંદુ ને મિનીયો કહેતાં. એક વખત અમારા બંનેનો સાથે ફોટો પડાવવાનું નક્કી કર્યું- પરંતુ આપણે તો વિરોધ દર્શાવ્યો-શું કારણ હતું તે તો અત્યારે યાદ નથી - છેવટ અમારી માનીતી બિલાડી દૂધની વાટકી સાથે અમારી જોડે બેસાડી અને તીનીયા-મિનિયાનો ફોટો પડાવ્યો, એ સમયમાં ભાવનગરમાં અમારા એક બીજા કાકાનું સીનેમા થીએટર "ભારત સીનેમા"-તેમાં એક કાકા ફિલ્મ પ્રોજેકટર ચલાવે - અને પિતાશ્રી ટીકીટબારી ઉપર બેસે - એક આનો-બે આના - ચાર આનાના ભાવની ટીકીટો - એ મૂંગી ફિલ્મોનો જમાનો હતો - તેમાં વળી ફિલ્મ શરુ થતાં પહેલાં ખાસ આકર્ષણ તરીકે અમારો તીનીયા- મિનિયાનો ઉપર જણાવેલા ફોટાની સ્લાઈડ બતાવે - નીચે "ભારત સંતાનો" એવા લખાણ સાથે......
એ પછી તો વર્ષો વીતી ગયાં હું મેટ્રીક ભણી જે.જે સ્કૂલ ઓફ આર્ટસ-મુંબઈમાં અભ્યાસ કરી કમર્શીઅલ આર્ટિસ્ટ થયો.અને ચંદુ ભાઈ પણ મેટ્રીક થઇ દુકાનમાં સેલ્સમેન થઇ ગયા.
૧૯૫૫-૫૬માં તેમને શીરડી પાસે સાકોરી ગામમાં કન્યાકુમારી આશ્રમના સ્થાપક શ્રી ઉપાસની બાબાના શિષ્યા પૂજ્ય શ્રી ગોદાવરી માતાજીનો સંપર્ક થયો. અને તેમનામાં તેને સર્વોપરી ઈશ્વરનું દર્શન થયું અને તેમણે તો તેમની સેવામાં "સાકોરીમાં રહી બાકીનું જીવન વિતાવ્યું. તેમને લઇ અમો સર્વ ને પણ પૂ.માતાજીનાં દર્શનનો લાભ મળ્યો.
આવી નાની અને બીજાને બહુ ન ગમતી વાતો લખીને તમોને કંટાળો આપવા નથી માગતો
તાત્પર્ય માત્ર એટલુંજ કે એ વખત ના સંયુક્ત કુટુંબના સંબંધો હજી આજ પણ એવાને એવાજ જીવંત છે.
સંબંધોના રોપેલાં નાના વૃક્ષ આજે મજબૂત કબીરવડ બની ગયા છે. અથવા તો સુગંધી સંબંધોના છોડ પર
સ્નેહના જલ પ્રક્ષાલન કરી તેને આજ સુધી-ગુલાબ-મોગરા-કે ચંપાની મહેક ફેલાવતા રાખ્યાં છે. એવા સંબંધો કે જે સ્નેહભર્યા-ઉષ્માભર્યા તથા ત્યાગની ભાવનાવાળા હોય છે. એ સંબંધો સહજતા થી ખીલ્યા છે
માટેજ તે શ્રેષ્ઠ સંબંધ છે. સંબંધો માંથી સ્વાર્થવૃતીની બાદબાકી થાય તો તે સંબંધો હરહંમેશ ખીલતા અને વર્ષો સુધી પ્રફુલ્લીત તથા અમર રહે છે.
કોઈક જગ્યાએ વાંચ્યું હતું અને હજી આજે પણ આરસની તકતીમાં કોતરાઈ ગયું હોય તેમ હૃદયમાં કોતરાઈ ગયું છે કે જીવનમાં ચાર વસ્તુઓ તોડશો નહિ-વિશ્વાસ-વચન-હૃદય અને સંબંધ.કારણ કે
આમાંથી કોઈ પણ એક તૂટે તો અવાજ થતો નથી પરંતુ અપાર વેદનાની અનુભૂતિ થાય છે.
સુખદ-જીવંત-સ્મરણો અને સંબંધો વર્તમાન જીવનની બહુમૂલી મૂડી છે, માટે તેને જીવનભર સંભાળીને-પંપાળી ને સાચવી રાખવા જોઈએ,એ પ્રત્યેક માનવીનું કર્તવ્ય છે.
અસ્તુ........
-કિશોર દવે
Saturday, February 25, 2012
શરણાગતિ
[શ્રી ખડાયતા વિશ્વ સખીમિલન સંસ્થા દ્વારા થોડા સમય અગાઉ એક નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં વિષય હતો - 'શરણાગતિ'. આ સ્પર્ધામાં મારા લખેલા નિબંધને ઇનામ મળ્યું હતું, જે આજના બ્લોગ તરીકે આજે 'બ્લોગને ઝરૂખેથી...'માં રજૂ કર્યો છે.]
"ભગવાનને તો નમ્રતા વ્હાલી, સંપૂર્ણ શરણાગતિ વ્હાલી... જે નમે એ પ્રભુને ગમે!"
બે વર્ષ અગાઉ મેં જેમા નાની મોટી ભૂમિકાઓ ભજવી હતી એવા ગુજરાતી નાટક 'ૐ શ્રીમદ ભાગવત અક્ષર દેહ રૂપે' નો આ સંવાદ હજી મને અક્ષરશ: યાદ છે! ‘શરણાગતિ’ શબ્દ પર મારા વિચારો લખતી વેળા એ મને સૌ પ્રથમ આ સંવાદ યાદ આવ્યો એટલે એનાથી જ આ નિબંધની શરૂઆત કરી!
શરણાગતિ - આ શબ્દ વાંચતા જ તેનું અર્થઘટન બે રીતે થઈ શકે છે. એક હકારાત્મક અને બીજું નકારાત્મક.
હકારાત્મક અર્થ વિષે પહેલા ચર્ચા કરીએ.શરણાગતિ હકારાત્મક અને આવકાર્ય ગણાય જ્યારે તે ઇશ્વર પ્રત્યે હોય, ગોપીઓની જેમ તેમના પ્રિય સખા કૃષ્ણ પ્રત્યે હતી તેવી. આ પ્રકારની શરણાગતિમાં સમર્પણનો ભાવ છે, ત્યાગનો ભાવ છે, પ્રેમનો ભાવ છે અને તે અંતે મોક્ષ સુધી દોરી જાય છે. ઇશ્વરને પામવાના એ સાચા માર્ગ સમી બની રહે છે. અહમ કે ઈગોને ઓગાળી પ્રિય પાત્ર સામે સ્વીકારેલી શરણાગતિ પણ એ સંબંધની મજબૂતાઈ અને ગરિમાને એક નવા આયામ પર લઈ જાય છે.
બીજા એક પ્રકારની શરણાગતિ ભલે તત્કાલીન હારનું સૂચન કરતી હોય પણ પરિસ્થિતીના તકાજા મુજબ એ તે સમયે લીધેલ યોગ્ય, સાચું અને શ્રેષ્ઠ પગલું ગણી શકાય. ‘જાન બચી લાખો પાયે’ ના ન્યાયે કે પછી ‘જાન હૈ તો જહાન હૈ’ શરણાગતિ દ્વારા જ ભવિષ્યમાં ફરી જીતની આશા જીવંત રહેવા પામે છે. કહ્યું છે ને ‘સર સલામત તો પઘડિયા બહોત’!
નકારાત્મક શરણાગતિ સંજોગો સામે હારી જઈને શસ્ત્રો હેઠા મૂકી દેવાની વૃત્તિ દ્વારા પ્રદર્શિત થાય છે. આ પ્રકારની શરણાગતિ પતન તરફ દોરી જાય છે. તે હાર સૂચવે છે, કાયરતા સૂચવે છે.
પલાયનવાદી વૃત્તિથી જીવનમાં કંઈ જ હાંસલ કરી શકાતું નથી. કુટેવને વશ થઈ તેના ગુલામ બની જવું એ પણ નકારાત્મક શરણાગતિનો પ્રકાર ગણી શકાય.આવી શરણાગતિ પણ અધ:પતન તરફ દોરી જાય છે.
કેટલીક વાર સંજોગો સામે ઝૂકીને,પરિસ્થિતી સામે નમીને,શરણાગતિ સ્વીકારીને જ ભવિષ્યની જીત માટે ટકી શકાય છે.શ્રી ક્રુષ્ણ આનું સર્વોત્તમ ઉદાહરણ છે.તે રણછોડ શા માટે કહેવાયા એ વાર્તા બધાને ખબર જ હશે.શ્રી રામે પિતાની આજ્ઞા શિરોમાન્ય રાખી સંજોગો સામે શરણાગતિ સ્વીકારીને જ ચૌદ વર્ષનો વનવાસ નહોતો વેઠ્યો?પાંડવો પણ મહાભારતનું યુદ્ધ જીત્યા એ પહેલાં રાજપાટ ખોઈ શરણાગતિ સ્વીકાર્યા બાદ જ હિંમત હાર્યા વગર પરિસ્થીતી સામી ઝઝૂમ્યા હતાં અને ફરી વખત આવ્યે સંગ્રામ ખેડી મહાયુદ્ધ જીત્યા હતાં.ઇતિહાસમાં પણ આવા અનેક દાખલા મળશે.
હા,પણ એક વાત ચોક્કસ કે નકારાત્મક શરણાગતિ છેલ્લો પર્યાય હોવો જોઇએ.આપણાંમાં તાકત નથી કે આપણે કોઈ પડકાર સ્વીકરવાની ક્ષમતા ધરાવતા નથી એમ સ્વીકારી લઈ શરણાગતિનો આશરો લઈશું તો જીવન એળે જશે.
ઇશ્વરને સદાય પ્રાર્થના કરતા રહેવું કે તે આપણને સાચો નિર્ણય લેવાની શક્તિ આપે અને હકારાત્મક અને નકારાત્મક શરણાગતિ વચ્ચેનો ફરક સમજી શકીએ એટલી સદબુદ્ધિ આપે...
અસ્તુ.
"ભગવાનને તો નમ્રતા વ્હાલી, સંપૂર્ણ શરણાગતિ વ્હાલી... જે નમે એ પ્રભુને ગમે!"
બે વર્ષ અગાઉ મેં જેમા નાની મોટી ભૂમિકાઓ ભજવી હતી એવા ગુજરાતી નાટક 'ૐ શ્રીમદ ભાગવત અક્ષર દેહ રૂપે' નો આ સંવાદ હજી મને અક્ષરશ: યાદ છે! ‘શરણાગતિ’ શબ્દ પર મારા વિચારો લખતી વેળા એ મને સૌ પ્રથમ આ સંવાદ યાદ આવ્યો એટલે એનાથી જ આ નિબંધની શરૂઆત કરી!
શરણાગતિ - આ શબ્દ વાંચતા જ તેનું અર્થઘટન બે રીતે થઈ શકે છે. એક હકારાત્મક અને બીજું નકારાત્મક.
હકારાત્મક અર્થ વિષે પહેલા ચર્ચા કરીએ.શરણાગતિ હકારાત્મક અને આવકાર્ય ગણાય જ્યારે તે ઇશ્વર પ્રત્યે હોય, ગોપીઓની જેમ તેમના પ્રિય સખા કૃષ્ણ પ્રત્યે હતી તેવી. આ પ્રકારની શરણાગતિમાં સમર્પણનો ભાવ છે, ત્યાગનો ભાવ છે, પ્રેમનો ભાવ છે અને તે અંતે મોક્ષ સુધી દોરી જાય છે. ઇશ્વરને પામવાના એ સાચા માર્ગ સમી બની રહે છે. અહમ કે ઈગોને ઓગાળી પ્રિય પાત્ર સામે સ્વીકારેલી શરણાગતિ પણ એ સંબંધની મજબૂતાઈ અને ગરિમાને એક નવા આયામ પર લઈ જાય છે.
બીજા એક પ્રકારની શરણાગતિ ભલે તત્કાલીન હારનું સૂચન કરતી હોય પણ પરિસ્થિતીના તકાજા મુજબ એ તે સમયે લીધેલ યોગ્ય, સાચું અને શ્રેષ્ઠ પગલું ગણી શકાય. ‘જાન બચી લાખો પાયે’ ના ન્યાયે કે પછી ‘જાન હૈ તો જહાન હૈ’ શરણાગતિ દ્વારા જ ભવિષ્યમાં ફરી જીતની આશા જીવંત રહેવા પામે છે. કહ્યું છે ને ‘સર સલામત તો પઘડિયા બહોત’!
નકારાત્મક શરણાગતિ સંજોગો સામે હારી જઈને શસ્ત્રો હેઠા મૂકી દેવાની વૃત્તિ દ્વારા પ્રદર્શિત થાય છે. આ પ્રકારની શરણાગતિ પતન તરફ દોરી જાય છે. તે હાર સૂચવે છે, કાયરતા સૂચવે છે.
પલાયનવાદી વૃત્તિથી જીવનમાં કંઈ જ હાંસલ કરી શકાતું નથી. કુટેવને વશ થઈ તેના ગુલામ બની જવું એ પણ નકારાત્મક શરણાગતિનો પ્રકાર ગણી શકાય.આવી શરણાગતિ પણ અધ:પતન તરફ દોરી જાય છે.
કેટલીક વાર સંજોગો સામે ઝૂકીને,પરિસ્થિતી સામે નમીને,શરણાગતિ સ્વીકારીને જ ભવિષ્યની જીત માટે ટકી શકાય છે.શ્રી ક્રુષ્ણ આનું સર્વોત્તમ ઉદાહરણ છે.તે રણછોડ શા માટે કહેવાયા એ વાર્તા બધાને ખબર જ હશે.શ્રી રામે પિતાની આજ્ઞા શિરોમાન્ય રાખી સંજોગો સામે શરણાગતિ સ્વીકારીને જ ચૌદ વર્ષનો વનવાસ નહોતો વેઠ્યો?પાંડવો પણ મહાભારતનું યુદ્ધ જીત્યા એ પહેલાં રાજપાટ ખોઈ શરણાગતિ સ્વીકાર્યા બાદ જ હિંમત હાર્યા વગર પરિસ્થીતી સામી ઝઝૂમ્યા હતાં અને ફરી વખત આવ્યે સંગ્રામ ખેડી મહાયુદ્ધ જીત્યા હતાં.ઇતિહાસમાં પણ આવા અનેક દાખલા મળશે.
હા,પણ એક વાત ચોક્કસ કે નકારાત્મક શરણાગતિ છેલ્લો પર્યાય હોવો જોઇએ.આપણાંમાં તાકત નથી કે આપણે કોઈ પડકાર સ્વીકરવાની ક્ષમતા ધરાવતા નથી એમ સ્વીકારી લઈ શરણાગતિનો આશરો લઈશું તો જીવન એળે જશે.
ઇશ્વરને સદાય પ્રાર્થના કરતા રહેવું કે તે આપણને સાચો નિર્ણય લેવાની શક્તિ આપે અને હકારાત્મક અને નકારાત્મક શરણાગતિ વચ્ચેનો ફરક સમજી શકીએ એટલી સદબુદ્ધિ આપે...
અસ્તુ.
| Reactions: |
ટ્રેનના ડબ્બા ખડી પડ્યા અને મને એ નડી પડ્યાં...
૭મી ફેબ્રુઆરી ૨૦૧૨ના દિવસે મારી પત્ની,નાનકડી દોઢ વર્ષની દિકરી,મમ્મી અને બહેન ગુજરાતથી મુંબઈ આવી રહ્યાં હતાં અને મારે તેમને લેવા સવારે પાંચ વાગે બોરિવલી સ્ટેશન જવાનું હતું. સવારે સવા ચારે ઉઠીને મેં તેમને ફોન કર્યો અને જાણવા મળ્યું કે ટ્રેન મોડી હતી અને આગળ કોઈ માલગાડીના ડબ્બા ખડી પડવાના કારણે તેઓ હજી નવસારી પાસે પહોંચ્યા હતાં, ટ્રેન ત્યાં જ ઉભી હતી અને કેટલા વાગે ત્યાંથી ઉપડશે એ કંઈ નક્કી નહોતું. આખરે એ લોકો સવારે સાડા અગિયારે બોરિવલી ઉતર્યા અને આમ તેમને ટ્રેન સાડા છ કલાક જેટલી મોડી પડી.
હવે યોગાનુયોગ જુઓ. આ વાતના બરાબર એક વર્ષ પહેલાં ૬ઠ્ઠી ફેબ્રુઆરી ૨૦૧૧ના દિવસે હું ગુજરાતથી મુંબઈ પાછો ફરી રહ્યો હતો અને આગળ એક મેલટ્રેનના ડબ્બા ખડી પડવાના કારણે મારી ટ્રેન પણ ગુજરાતમાં જ એક જગાએ કલાકો ઉભી રહી અને નવ-દસ કલાક મોડી પડી હતી.એ દિવસે મેં તે ઘટના વિષે બ્લોગ લખ્યો હતો જે આજે તમારી સાથે શેર કરું છું.
[નીચેનો બ્લોગ છ્ઠ્ઠી ફેબ્રુઆરી ૨૦૧૧ના દિવસે લખાયો હતો. ]
ફ્લાઈંગ રાની ટ્રેનના છ ડબ્બા સૂરત સ્ટેશન પાસે ખડી પડ્યા અને મહેસાણાથી મુંબઈ પરત ફરી રહેલ મને એ નડી પડ્યા. નાની વહાલસોયી દિકરી સહિત મારા પત્નીશ્રી એક મહિના માટે મહેસાણા પધાર્યા હતા,પોતાને પિયર. આથી તેમના ગયા બાદ પંદર દિવસે તેમની યાદ આવતા અચાનક મેં પણ મહેસાણા જવાનો પ્રોગ્રામ નક્કી કરી નાંખ્યો. તત્કાલ ક્વોટામાં જવાની શુક્રવાર રાતની ટિકીટ બૂક કરેલી એટલે શનિવારે સવારે સમયસર મહેસાણા તો પહોંચી જવાયું પણ શનિવાર રાતની જ સવા ત્રણ વાગ્યાની જોધપુર-બાન્દ્રા એક્સ્પ્રેસની રીટર્ન ટિકીટ હતી એટલે સસરાજીને અડધી રાતે તકલીફ આપવી પડી મને સ્ટેશન સુધી મૂકવા આવવાની. જે પતિઓની પત્નીઓનું પિયર દૂર હોય તેમણે આ દુ:ખ તો સહેવું જ રહ્યું,પત્નીને પિયર મૂકવા-લેવા જવાનું અને એ દરમ્યાન ઉભી થતી તકલીફો સહન કરવાનું!
સસરાજી અઢી વાગે રાતે બાઈક પર મને મહેસાણા સ્ટેશન પર મૂકવા આવ્યા અને હજી ગાડીને પોણો-એક કલાકની વાર હોવાથી મેં તેમને ઘેર પાછા ફરવાનો ખૂબ આગ્રહ કર્યો છતાં તેઓ માન્યા નહિં.
ગુજરાતી બૈરાઓને દૂરના પ્રવાસ વખતે વધુ સામાન કરવાની કુટેવ તો જગતભરમાં પ્રખ્યાત છે! પછી એ મારી મમ્મી હોય કે ફઈ હોય કે મારી પત્ની! જતી વખતે મારી તો એક નાનકડી ખભે ભેરવી શકાય એવી બેગ જ હતી પણ ફઈબાના સંપેતરાની એક મોટી બેગ મને પકડાવી દેવામાં આવેલી! પાછા ફરતી વખતે પત્નીજીએ વધારાના થોડાઘણા કપડા વગેરે ભરેલો થેલો મને સોંપી દીધો! ભલુ થજો સાસુમાનું કે તેમણે સ્વાદિષ્ટ થેપલા,ગાંઠિયા અને ફૂલવડી ભરેલી બીજી એક નાની થેલી પણ તૈયાર કરી દીધી! (સામાનમાં ઓર વધારો થવા છતા અહિં સાસુમાનું ભલુ થજો એટલા માટે કહ્યું છે કારણકે આગળ જતા એ જ થેપલા-ગાંઠિયા ગાડી અટવાઈ પડતા મને સાકર જેવા લાગ્યા હતાં!)
ગાડી પ્લેટફોર્મ નંબર બે પર આવશે એવી માહિતી સ્ટેશન પર બધી શક્ય જગાઓએથી મેળવી પાદયાત્રી પૂલ ચઢી હું અને સસરાજી આવ્યા પ્લેટફોર્મ બે ઉપર. ત્રણ વીસના નિયત સમય કરતા દસ મિનિટ મોડી ગાડી આવી તો ખરા, રાતે સાડા ત્રણે, પણ પ્લેટફોર્મ નંબર એક ઉપર. હવે આ તો મુસીબત થઈ.અડધી રાતે એક તો ટ્રેનના મોટા ભાગના ડબ્બાઓના બારણા બંધ હોય તેમાં જો આમ ટ્રેન, ડબ્બાઓ સુદ્ધાની માહિતી ઇન્ડીકેટર્સ પર એક પ્લેટફોર્મ પર લાગી ગયા હોવા છતાં બીજા પ્લેટ્ફોર્મ પર આવી ચડે તો પ્રવાસીઓ કેટલી મુસીબતમાં મુકાઈ જાય. પ્લેટફોર્મ એક પર કોઈક બીજી જ ટ્રેનનો નંબર તથા તેના ડબ્બાઓની માહિતી ઇન્ડીકેટર્સ પર દર્શાવાઈ રહી હતી તેમ છતાં મારે પકડવાની ટ્રેન પ્લેટફોર્મ બે ના બદલે પ્લેટફોર્મ એક પર જઈ ચડી. અને આટલું ઓછું હોય એમ રેલવે સ્ટેશન પરથી થતા અનાઉન્સમેન્ટના છબરડાઓએ હદ કરી નાંખી! ટ્રેન પ્લેટફોર્મ એક પર આવીને ઉભી રહી ગઈ હોવા છતાં અનાઉન્સર બાઈ ટ્રેન પ્લેટફોર્મ બે પર આવશે એમ માઈકમાં જાહેર કરે છે! કદાચ એ ઉંઘમાં હશે અને કાં પછી રેલવે સ્ટેશન પર ડ્યુટી પરના પોલિસની જેમ એણે પણ એકાદ-બે પેગ લગાવ્યા હશે! અંગ્રેજીમાં અનાઉન્સમેન્ટ પૂરું થયા બાદ હિન્દી અને ગુજરાતીમાં તે ટ્રેન પ્લેટ્ફોર્મ એક પર આવ્યાની સાચી જાહેરાત કરે છે અને ફરી પાછી અંગ્રેજીમાં બોલતી વખતે છબરડો! પ્રવાસીઓ મૂંઝાઈ જ જાય ને? હવે આ ટ્રેન મહેસાણા પ્લેટ્ફોર્મ પર ફક્ત બે મિનીટ માટે જ થોભતી હોય છે પણ પ્લેટ્ફોર્મ બે ની જગાએ એક પર આવ્યાના ગોટાળા વખતે તો ટ્રેને પાંચ-દસ મિનીટ ઉભા જ રહેવું જોઈએ.પણ આ ટ્રેન તો બે જ મિનીટ માં ઉપડી. સારું થયું મેં પદયાત્રી પુલ નો ઉપયોગ કરવાના સૈદ્ધાંતિક વિચારને અમલમાં મૂકવાને બદલે પ્લેટફોર્મ બે પર થી પાટા પર કૂદકો મારી ઉંધી બાજુએથી એસ-૧૧ ડબ્બો પકડી લીધો. મારી મમ્મી સાથે હોત તો નક્કી આ ગાડી અમે ચૂકી ગયા હોત.એને પગે વાની સખત તકલીફ છે આથી ફટાફટ ચાલી શકવું પણ મુશ્કેલ હોય ત્યાં સામાન સાથે આમ પાટા પર કૂદીને ગાડી પકડવી તેના માટે તો શક્ય જ ન બનત. રેલવે વાળાઓએ આ બાબતે કંઈક કરવું જ જોઈએ.ગાડી પ્લેટ્ફોર્મ પર આવે તે પહેલા મોટરમેને સ્ટેશનનો સંપર્ક સાધી જાણી લેવું જોઈએ કે ટ્રેન કયા પ્લેટફોર્મ પર આવશે એવું અનાઉન્સ થયું છે-ઇન્ડીકેટર્સ પર નિર્દેશિત થયું છે અને પછી જો ટેક્નિકલ મુશ્કેલી કે બીજા કોઈ પણ કારણ સર ટ્રેન કોઈ જુદા પ્લેટફોર્મ પર આવે તો તેના ત્યાં થોભવાના નિયત બે-ચાર મિનિટના સમય કરતા તેણે દસેક મિનિટ વધારે થોભવું જ જોઈએ. જેથી માલસામાન સાથે અટવાઈ ગયેલા પ્રવાસીઓ ટ્રેન ચૂકી ન જાય અને પ્લેટ્ફોર્મ યોગ્ય રીતે બદલી (પાટા પરથી કૂદી ને નહિં પણ પુલ દ્વારા યોગ્ય પ્લેટફોર્મ પર આવી) શકે.
હું તો ચડી ગયો જોધપુર-બાન્દ્રા એક્સપ્રેસમાં ઉંધી બાજુએ થી અને મારા સસરા પણ એ જ રીતે ટ્રેનમાં પ્રવેશી પ્લેટફોર્મ-૧ પર ઉતરી ગયા. અને બે જ મિનિટમાં ટ્રેન ચાલુ થઈ ગઈ. સારા નસીબે મેં જે ડબ્બાની ટિકીટ કઢાવેલી તે એસ-૧૧ ડબ્બાનાં જ બન્ને બાજુના બારણા ઉઘાડા હતા અને હું ગાડી પકડી શક્યો.
રમૂજી, પણ સત્ય નિયમ મુજબ જો કંઈ ખોટું થઈ શકે એમ હોય તો એ એમ થાય જ છે! અને બધી ખોટી વસ્તુઓ એક સાથે જ બને છે! અર્થાત મુસીબતો આવે ત્યારે એક સાથે ઘણીબધી આવે છે! હું ચારેક કલાક ઉંઘ્યા બાદ જાગ્યો ત્યારે ટ્રેન વડોદરા પછીના કોઈક નાનકડા સ્ટેશન પાસે ઉભેલી હતી.'વરણામા' હતું એ ગામનું નામ અને સ્ટેશનતો કેમ કહેવું? ન કોઈ પ્લેટફોર્મ ન કોઈ બાંકડો.. ફક્ત પીળા રંગનું મોટું કાળા અક્ષરે સ્ટેશનનું નામ લખેલું બોર્ડ હતું. ડબ્બામાંથી ઘણાં લોકો નીચે ઉતરી ગયેલા હતાં.સામે સરસ ખેતરો હતાં અને સૂર્યનો સુકોમળ તડકો હતો.બ્રશ વગેરે પતાવી મોં ધોઈ હું પણ નીચે ઉતર્યો અને સવારના સરસ વાતાવરણને મેં માણ્યું. થોડાઘણાં ફોટા પાડ્યા.અને એક-દોઢ કલાક બાદ ગાડી ત્યાંથી ઉપડી.થોડું આગળ વધ્યા બાદ ફરી અટકી. અહિં પણ તે લાંબો સમય પડી રહી.ખબર પડી કે આગળની કોઈક ગાડીને અકસ્માત નડ્યો હોવાથી અમારી ગાડી પણ અટકી હતી.મારે સાડાબાર સુધીમાં મુંબઈ પહોંચી જવાનું હતું અને આ તો એટલો સમય થવા આવ્યો હોવા છતાં હું સુરતથી પણ ખાસ્સો દૂર હતો. ઠીચૂક ઠીચૂક ચાલતી ગાડી સુરત નજીકના ઉતરણ સ્ટેશન નજીક પહોંચી અને અહિં તો તે ત્રણ-ચાર કલાક ઉભી રહી.મારા સહિતના બધાં પ્રવાસીઓ જબરદસ્ત કંટાળી ગયા.મારા ઘરેથી તેમજ સાસરેથી ફોન પર ફોન આવ્યે જતા હતા.મારા સસરાએ ટી.વી. પર જોઈ સમાચાર આપ્યા કે સુરત પાસે ફ્લાઈંગ રાની ટ્રેનના છ ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા હતા. એટલે બધી ટ્રેનો અટવાઈ ગઈ હતી - મોડી પડી હતી.બપોરે સાડા બારે મુંબઈ પહોંચી જવાની જગાએ સાંજે છ વાગે હજી મારી ટ્રેન ઉતરણ પાસે ઉભી હતી - જડાઈ ગઈ હતી.ભયંકર કંટાળો કોને કહેવાય તેનો અનુભવ આ પાંચ-છ કલાક દરમ્યાન મને અને બીજા અનેક સહપ્રવાસીઓને થઈ ગયો. કેટલાકે તો માથે બિસ્તરાપોટલા લઈ ગાડીમાંથી ઉતરી સુરત તરફ જવા પ્રયાણ પણ કર્યું.મેં મારી સાથે લાવેલા જૂના છાપા વાંચી કાઢ્યા,સાસુમાએ પ્રેમથી સાથે મોકલી આપેલ થેપલા-ગાંઠિયા ખાધાં,ઇડલીચટણી,વડાપાવ અને પોપકોર્ન ખરીદ્યા અને ખાધા,ચાર-પાંચ વાર ચા પીધી, મોબાઈલમાં સંગીત સાંભળ્યું અને આ બ્લોગ લખી નાંખ્યો! અત્યારે પોણા આઠ વાગ્યા છે.ગાડીએ માંડ માંડ ઝડપ પકડી છે અને હું કદાચ સાડા દસ અગિયાર સુધી બોરિવલી પહોંચી જઈશ.
થોડા ઘણાં પાઠ હું આ અનુભવ પરથી શીખ્યો તે તમે પણ ધ્યાનમાં લેશો. એક તો બને ત્યાં સુધી અડધી રાત બાદની (બે-ત્રણ વાગ્યાની) ગાડીની ટિકીટ ન કઢાવવી. મુસાફરીમાં બને એટલો સામાન ઓછો રાખવો પણ થોડુંઘણું ખાવાનું સાથે લેવું. અટવાઈ પડીએ એવી સ્થિતી ઉભી થાય તો સમય કાપવા શોખ હોય એવી વસ્તુઓ સાથે રાખવી (પુસ્તકો,મ્યુઝિક પ્લેયર અને સી.ડી. અથવા મોબાઈલ-આઈપોડ,જૂન છાપા,પત્તાની કેટ વગેરે) ટ્રાવેલ કીટ સાથે રાખવી જેમાં દાઢી કરવાનો સામાન,ટૂથ બ્રશ,કોલ્ડક્રીમ,હેન્ડ સોપ વગેરે હોય.બને ત્યાં સુધી મહત્વની મુલાકાત કે પ્રવૃત્તિ મુસાફરીના પૂરા થયા બાદ તરત ન ગોઠવવી.કનેક્ટિંગ ફ્લાઈટ કે બીજી ટ્રેનની મુસાફરી તો બને ત્યાં સુધી ટાળવી જ. તમારું શેડ્યુલ જ પહેલેથી એવી રીતે પ્લાન કરવું કે મહત્વની કોઈ બાબત તમારી એક મુસાફરી ખોરવાઈ જતા અસર ન પામે. છેલ્લે, મને આજે આ ગાડીની મુસાફરી જેવી નડી તેવી તમને કોઈને ના નડશો એવી અભ્યર્થના સાથે આ બ્લોગ અહિં પૂરો કરું છું!
હવે યોગાનુયોગ જુઓ. આ વાતના બરાબર એક વર્ષ પહેલાં ૬ઠ્ઠી ફેબ્રુઆરી ૨૦૧૧ના દિવસે હું ગુજરાતથી મુંબઈ પાછો ફરી રહ્યો હતો અને આગળ એક મેલટ્રેનના ડબ્બા ખડી પડવાના કારણે મારી ટ્રેન પણ ગુજરાતમાં જ એક જગાએ કલાકો ઉભી રહી અને નવ-દસ કલાક મોડી પડી હતી.એ દિવસે મેં તે ઘટના વિષે બ્લોગ લખ્યો હતો જે આજે તમારી સાથે શેર કરું છું.
[નીચેનો બ્લોગ છ્ઠ્ઠી ફેબ્રુઆરી ૨૦૧૧ના દિવસે લખાયો હતો. ]
ફ્લાઈંગ રાની ટ્રેનના છ ડબ્બા સૂરત સ્ટેશન પાસે ખડી પડ્યા અને મહેસાણાથી મુંબઈ પરત ફરી રહેલ મને એ નડી પડ્યા. નાની વહાલસોયી દિકરી સહિત મારા પત્નીશ્રી એક મહિના માટે મહેસાણા પધાર્યા હતા,પોતાને પિયર. આથી તેમના ગયા બાદ પંદર દિવસે તેમની યાદ આવતા અચાનક મેં પણ મહેસાણા જવાનો પ્રોગ્રામ નક્કી કરી નાંખ્યો. તત્કાલ ક્વોટામાં જવાની શુક્રવાર રાતની ટિકીટ બૂક કરેલી એટલે શનિવારે સવારે સમયસર મહેસાણા તો પહોંચી જવાયું પણ શનિવાર રાતની જ સવા ત્રણ વાગ્યાની જોધપુર-બાન્દ્રા એક્સ્પ્રેસની રીટર્ન ટિકીટ હતી એટલે સસરાજીને અડધી રાતે તકલીફ આપવી પડી મને સ્ટેશન સુધી મૂકવા આવવાની. જે પતિઓની પત્નીઓનું પિયર દૂર હોય તેમણે આ દુ:ખ તો સહેવું જ રહ્યું,પત્નીને પિયર મૂકવા-લેવા જવાનું અને એ દરમ્યાન ઉભી થતી તકલીફો સહન કરવાનું!
સસરાજી અઢી વાગે રાતે બાઈક પર મને મહેસાણા સ્ટેશન પર મૂકવા આવ્યા અને હજી ગાડીને પોણો-એક કલાકની વાર હોવાથી મેં તેમને ઘેર પાછા ફરવાનો ખૂબ આગ્રહ કર્યો છતાં તેઓ માન્યા નહિં.
ગુજરાતી બૈરાઓને દૂરના પ્રવાસ વખતે વધુ સામાન કરવાની કુટેવ તો જગતભરમાં પ્રખ્યાત છે! પછી એ મારી મમ્મી હોય કે ફઈ હોય કે મારી પત્ની! જતી વખતે મારી તો એક નાનકડી ખભે ભેરવી શકાય એવી બેગ જ હતી પણ ફઈબાના સંપેતરાની એક મોટી બેગ મને પકડાવી દેવામાં આવેલી! પાછા ફરતી વખતે પત્નીજીએ વધારાના થોડાઘણા કપડા વગેરે ભરેલો થેલો મને સોંપી દીધો! ભલુ થજો સાસુમાનું કે તેમણે સ્વાદિષ્ટ થેપલા,ગાંઠિયા અને ફૂલવડી ભરેલી બીજી એક નાની થેલી પણ તૈયાર કરી દીધી! (સામાનમાં ઓર વધારો થવા છતા અહિં સાસુમાનું ભલુ થજો એટલા માટે કહ્યું છે કારણકે આગળ જતા એ જ થેપલા-ગાંઠિયા ગાડી અટવાઈ પડતા મને સાકર જેવા લાગ્યા હતાં!)
ગાડી પ્લેટફોર્મ નંબર બે પર આવશે એવી માહિતી સ્ટેશન પર બધી શક્ય જગાઓએથી મેળવી પાદયાત્રી પૂલ ચઢી હું અને સસરાજી આવ્યા પ્લેટફોર્મ બે ઉપર. ત્રણ વીસના નિયત સમય કરતા દસ મિનિટ મોડી ગાડી આવી તો ખરા, રાતે સાડા ત્રણે, પણ પ્લેટફોર્મ નંબર એક ઉપર. હવે આ તો મુસીબત થઈ.અડધી રાતે એક તો ટ્રેનના મોટા ભાગના ડબ્બાઓના બારણા બંધ હોય તેમાં જો આમ ટ્રેન, ડબ્બાઓ સુદ્ધાની માહિતી ઇન્ડીકેટર્સ પર એક પ્લેટફોર્મ પર લાગી ગયા હોવા છતાં બીજા પ્લેટ્ફોર્મ પર આવી ચડે તો પ્રવાસીઓ કેટલી મુસીબતમાં મુકાઈ જાય. પ્લેટફોર્મ એક પર કોઈક બીજી જ ટ્રેનનો નંબર તથા તેના ડબ્બાઓની માહિતી ઇન્ડીકેટર્સ પર દર્શાવાઈ રહી હતી તેમ છતાં મારે પકડવાની ટ્રેન પ્લેટફોર્મ બે ના બદલે પ્લેટફોર્મ એક પર જઈ ચડી. અને આટલું ઓછું હોય એમ રેલવે સ્ટેશન પરથી થતા અનાઉન્સમેન્ટના છબરડાઓએ હદ કરી નાંખી! ટ્રેન પ્લેટફોર્મ એક પર આવીને ઉભી રહી ગઈ હોવા છતાં અનાઉન્સર બાઈ ટ્રેન પ્લેટફોર્મ બે પર આવશે એમ માઈકમાં જાહેર કરે છે! કદાચ એ ઉંઘમાં હશે અને કાં પછી રેલવે સ્ટેશન પર ડ્યુટી પરના પોલિસની જેમ એણે પણ એકાદ-બે પેગ લગાવ્યા હશે! અંગ્રેજીમાં અનાઉન્સમેન્ટ પૂરું થયા બાદ હિન્દી અને ગુજરાતીમાં તે ટ્રેન પ્લેટ્ફોર્મ એક પર આવ્યાની સાચી જાહેરાત કરે છે અને ફરી પાછી અંગ્રેજીમાં બોલતી વખતે છબરડો! પ્રવાસીઓ મૂંઝાઈ જ જાય ને? હવે આ ટ્રેન મહેસાણા પ્લેટ્ફોર્મ પર ફક્ત બે મિનીટ માટે જ થોભતી હોય છે પણ પ્લેટ્ફોર્મ બે ની જગાએ એક પર આવ્યાના ગોટાળા વખતે તો ટ્રેને પાંચ-દસ મિનીટ ઉભા જ રહેવું જોઈએ.પણ આ ટ્રેન તો બે જ મિનીટ માં ઉપડી. સારું થયું મેં પદયાત્રી પુલ નો ઉપયોગ કરવાના સૈદ્ધાંતિક વિચારને અમલમાં મૂકવાને બદલે પ્લેટફોર્મ બે પર થી પાટા પર કૂદકો મારી ઉંધી બાજુએથી એસ-૧૧ ડબ્બો પકડી લીધો. મારી મમ્મી સાથે હોત તો નક્કી આ ગાડી અમે ચૂકી ગયા હોત.એને પગે વાની સખત તકલીફ છે આથી ફટાફટ ચાલી શકવું પણ મુશ્કેલ હોય ત્યાં સામાન સાથે આમ પાટા પર કૂદીને ગાડી પકડવી તેના માટે તો શક્ય જ ન બનત. રેલવે વાળાઓએ આ બાબતે કંઈક કરવું જ જોઈએ.ગાડી પ્લેટ્ફોર્મ પર આવે તે પહેલા મોટરમેને સ્ટેશનનો સંપર્ક સાધી જાણી લેવું જોઈએ કે ટ્રેન કયા પ્લેટફોર્મ પર આવશે એવું અનાઉન્સ થયું છે-ઇન્ડીકેટર્સ પર નિર્દેશિત થયું છે અને પછી જો ટેક્નિકલ મુશ્કેલી કે બીજા કોઈ પણ કારણ સર ટ્રેન કોઈ જુદા પ્લેટફોર્મ પર આવે તો તેના ત્યાં થોભવાના નિયત બે-ચાર મિનિટના સમય કરતા તેણે દસેક મિનિટ વધારે થોભવું જ જોઈએ. જેથી માલસામાન સાથે અટવાઈ ગયેલા પ્રવાસીઓ ટ્રેન ચૂકી ન જાય અને પ્લેટ્ફોર્મ યોગ્ય રીતે બદલી (પાટા પરથી કૂદી ને નહિં પણ પુલ દ્વારા યોગ્ય પ્લેટફોર્મ પર આવી) શકે.
હું તો ચડી ગયો જોધપુર-બાન્દ્રા એક્સપ્રેસમાં ઉંધી બાજુએ થી અને મારા સસરા પણ એ જ રીતે ટ્રેનમાં પ્રવેશી પ્લેટફોર્મ-૧ પર ઉતરી ગયા. અને બે જ મિનિટમાં ટ્રેન ચાલુ થઈ ગઈ. સારા નસીબે મેં જે ડબ્બાની ટિકીટ કઢાવેલી તે એસ-૧૧ ડબ્બાનાં જ બન્ને બાજુના બારણા ઉઘાડા હતા અને હું ગાડી પકડી શક્યો.
રમૂજી, પણ સત્ય નિયમ મુજબ જો કંઈ ખોટું થઈ શકે એમ હોય તો એ એમ થાય જ છે! અને બધી ખોટી વસ્તુઓ એક સાથે જ બને છે! અર્થાત મુસીબતો આવે ત્યારે એક સાથે ઘણીબધી આવે છે! હું ચારેક કલાક ઉંઘ્યા બાદ જાગ્યો ત્યારે ટ્રેન વડોદરા પછીના કોઈક નાનકડા સ્ટેશન પાસે ઉભેલી હતી.'વરણામા' હતું એ ગામનું નામ અને સ્ટેશનતો કેમ કહેવું? ન કોઈ પ્લેટફોર્મ ન કોઈ બાંકડો.. ફક્ત પીળા રંગનું મોટું કાળા અક્ષરે સ્ટેશનનું નામ લખેલું બોર્ડ હતું. ડબ્બામાંથી ઘણાં લોકો નીચે ઉતરી ગયેલા હતાં.સામે સરસ ખેતરો હતાં અને સૂર્યનો સુકોમળ તડકો હતો.બ્રશ વગેરે પતાવી મોં ધોઈ હું પણ નીચે ઉતર્યો અને સવારના સરસ વાતાવરણને મેં માણ્યું. થોડાઘણાં ફોટા પાડ્યા.અને એક-દોઢ કલાક બાદ ગાડી ત્યાંથી ઉપડી.થોડું આગળ વધ્યા બાદ ફરી અટકી. અહિં પણ તે લાંબો સમય પડી રહી.ખબર પડી કે આગળની કોઈક ગાડીને અકસ્માત નડ્યો હોવાથી અમારી ગાડી પણ અટકી હતી.મારે સાડાબાર સુધીમાં મુંબઈ પહોંચી જવાનું હતું અને આ તો એટલો સમય થવા આવ્યો હોવા છતાં હું સુરતથી પણ ખાસ્સો દૂર હતો. ઠીચૂક ઠીચૂક ચાલતી ગાડી સુરત નજીકના ઉતરણ સ્ટેશન નજીક પહોંચી અને અહિં તો તે ત્રણ-ચાર કલાક ઉભી રહી.મારા સહિતના બધાં પ્રવાસીઓ જબરદસ્ત કંટાળી ગયા.મારા ઘરેથી તેમજ સાસરેથી ફોન પર ફોન આવ્યે જતા હતા.મારા સસરાએ ટી.વી. પર જોઈ સમાચાર આપ્યા કે સુરત પાસે ફ્લાઈંગ રાની ટ્રેનના છ ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા હતા. એટલે બધી ટ્રેનો અટવાઈ ગઈ હતી - મોડી પડી હતી.બપોરે સાડા બારે મુંબઈ પહોંચી જવાની જગાએ સાંજે છ વાગે હજી મારી ટ્રેન ઉતરણ પાસે ઉભી હતી - જડાઈ ગઈ હતી.ભયંકર કંટાળો કોને કહેવાય તેનો અનુભવ આ પાંચ-છ કલાક દરમ્યાન મને અને બીજા અનેક સહપ્રવાસીઓને થઈ ગયો. કેટલાકે તો માથે બિસ્તરાપોટલા લઈ ગાડીમાંથી ઉતરી સુરત તરફ જવા પ્રયાણ પણ કર્યું.મેં મારી સાથે લાવેલા જૂના છાપા વાંચી કાઢ્યા,સાસુમાએ પ્રેમથી સાથે મોકલી આપેલ થેપલા-ગાંઠિયા ખાધાં,ઇડલીચટણી,વડાપાવ અને પોપકોર્ન ખરીદ્યા અને ખાધા,ચાર-પાંચ વાર ચા પીધી, મોબાઈલમાં સંગીત સાંભળ્યું અને આ બ્લોગ લખી નાંખ્યો! અત્યારે પોણા આઠ વાગ્યા છે.ગાડીએ માંડ માંડ ઝડપ પકડી છે અને હું કદાચ સાડા દસ અગિયાર સુધી બોરિવલી પહોંચી જઈશ.
થોડા ઘણાં પાઠ હું આ અનુભવ પરથી શીખ્યો તે તમે પણ ધ્યાનમાં લેશો. એક તો બને ત્યાં સુધી અડધી રાત બાદની (બે-ત્રણ વાગ્યાની) ગાડીની ટિકીટ ન કઢાવવી. મુસાફરીમાં બને એટલો સામાન ઓછો રાખવો પણ થોડુંઘણું ખાવાનું સાથે લેવું. અટવાઈ પડીએ એવી સ્થિતી ઉભી થાય તો સમય કાપવા શોખ હોય એવી વસ્તુઓ સાથે રાખવી (પુસ્તકો,મ્યુઝિક પ્લેયર અને સી.ડી. અથવા મોબાઈલ-આઈપોડ,જૂન છાપા,પત્તાની કેટ વગેરે) ટ્રાવેલ કીટ સાથે રાખવી જેમાં દાઢી કરવાનો સામાન,ટૂથ બ્રશ,કોલ્ડક્રીમ,હેન્ડ સોપ વગેરે હોય.બને ત્યાં સુધી મહત્વની મુલાકાત કે પ્રવૃત્તિ મુસાફરીના પૂરા થયા બાદ તરત ન ગોઠવવી.કનેક્ટિંગ ફ્લાઈટ કે બીજી ટ્રેનની મુસાફરી તો બને ત્યાં સુધી ટાળવી જ. તમારું શેડ્યુલ જ પહેલેથી એવી રીતે પ્લાન કરવું કે મહત્વની કોઈ બાબત તમારી એક મુસાફરી ખોરવાઈ જતા અસર ન પામે. છેલ્લે, મને આજે આ ગાડીની મુસાફરી જેવી નડી તેવી તમને કોઈને ના નડશો એવી અભ્યર્થના સાથે આ બ્લોગ અહિં પૂરો કરું છું!
| Reactions: |
Saturday, February 4, 2012
સાધુ-સંતને ખોટો ક્રોધ શોભે?
વિશ્વ યુવા દિને સ્વામી વિવેકાનંદજી ની દોઢસોમી જન્મતિથી ઉજવવા અમદાવાદથી યુવાનોના એક ગૃપે આવીને સુંદર નાટક ભજવ્યું જેમાં સ્વામીજીના જીવનના કેટલાક અતિ સારા, પ્રેરણાત્મક અંશો તખ્તા ઉપર રજૂ થયાં. હિન્દી ભાષામાં રજૂ થયેલી આ ભજવણીમાં કેટલાક એવા પ્રસંગો સમાવિષ્ટ હતાં જે મેં ક્યારેય વાંચ્યા કે સાંભળ્યા નહોતાં. હજારેક કરતાં પણ વધુ સીટ ધરાવતો આખો સભાગૃહ હાઉસફુલ થઈ ગયો હતો,એ પણ રવિવારની રજાને દિવસે શિયાળાની વહેલી સવારે અને જેમાં મોટા ભાગના પ્રેક્ષકો કોલેજ જતાં યુવાન-યુવતિઓ હતાં,એ જોઈ મને ખૂબ ખુશી થઈ! સભાગૃહની આગળની ત્રણ હરોળ ખાસ સાધુ-સંત-મહંતો માટે ફાળવાઈ હતી. થોડો મોડો પડતા, મને બેસવા માટે સીટ ન મળી પણ વિવેકાનંદજીના જીવનના પ્રસંગો વાળા આ નાટક માણવાની ઉત્કંઠા એટલી હતી કે આખુ નાટક મેં સ્ટેજ પર એક બાજુએ, સાઈડમાં બેસીને જોયું!
હવે આ નાટક જોતી વખતે એક ઘટના બની જે આજના બ્લોગ થકી ચર્ચવી છે. વિવેકાનંદજીના જીવનનો એક અતિ રસપ્રદ પ્રસંગ ભજવાઈ રહ્યો હતો.તેઓ ટેકડી નામના સ્થળે સ્ટેશન બહાર એક ઝાડ નીચે બેસી કેટલાં પંડિતો સાથે ધર્મની- જ્ઞાનની ચર્ચા કરી રહ્યા હતા.ત્રણ દિવસ સુધી સતત તેમનો સત્સંગ ચાલ્યો પણ શ્રોતાઓમાંથી કોઈએ સ્વામીજીને ભોજન વિષે પૃચ્છા ન કરી. આ બધુ ત્યાં પાસે પોતાની દુકાનમાં બેઠેલો એક મોચી જોઈ રહ્યો હતો. સ્વામીજી અને બ્રાહ્મણોની ચર્ચા પૂરી થઈ અને જ્યારે બધાં વિખેરાઈ ગયાં, ત્યાર બાદ મોચી સ્વામીજી પાસે આવ્યો અને તેણે સ્વામીજીને ભોજન આપવાની ઇચ્છા વ્યક્ત કરી. વિવેકાનંદે તો મોચીને આગ્રહ કરીને પોતાની સાથે જ જમવા બેસાડ્યો. પોતે નીચા કુળનો હોવાને લીધે મોચી, ‘તેના હાથનું ખાવાનું સ્વામીજી કઈ રીતે ખાઈ શકે’ એવા ડર સાથે સ્વામાજીથી દૂર ભાગવા પ્રયત્ન કરતો રહ્યો પણ બ્રાહમણ પંડિતો તેને સ્વામીજી ભેગો જોઈ ગયા અને જાણે તેનાથી કોઈ મોટો અપરાધ કે મોટું પાપ થઈ ગયાં હોય એમ તેઓ 'શિવ શિવ શિવ...' કરતા તેને ધૂત્કારવા માંડ્યા. સ્વામીજી તેમને સાચી સમજણ આપી રહ્યા હતા કે બધાં મનુષ્યો સમાન છે અને વર્ણભેદના આવા વાડા ઉભા ન કરવાં જોઇએ - આ દ્રષ્ય મંચ પર ભજવાઈ રહ્યું હતું ત્યાં તો આગળની સાધુ-સંત-મહંતોની હરોળમાંથી એક લાંબા જટિયા અને દાઢી ધારી યુવાન સાધુ મંચની એકદમ નજીક ધસી ગયો અને મોટે મોટે થી બરાડા પાડવા માંડ્યો 'બંધ કરો...બંધ કરો નાટક...'
હું તો સ્ટેજ પર જ આગળ બેઠેલો હતો તેથી મને આ બધો ડ્રામા સ્પષ્ટ જોવા મળ્યો. હું વિચારી જ રહ્યો હતો કે શા માટે તે આવું વર્તન કરી રહ્યો હશે ત્યાં તેના મુખે જ બોલાયેલા આ શબ્દોએ મારી શંકા દૂર કરી નાંખી,'બ્રાહમણો કો નીચા ક્યું દિખાયા..? બંધ કરો ...' આમ બોલતા તેણે પોતાના હાથ માં રહેલ કાગળિયા અને પુસ્તક કલાકારો પર ફંગોળ્યા. સદનસીબે મંચ ખાસ્સુ મોટુ હતું તેથી એમાનું કંઈ કલાકારો સુધી પહોંચ્યું નહિં અને એ કલાકારોને પણ દાદ આપવી ઘટે કે આ સાધુના આવા અકલ્પ્ય અને અચાનક થયેલાં આક્રમક વિરોધ પ્રદર્શન છતાં જરાય વિચલિત થયા સિવાય તેમણે નાટકની ભજવણી ચાલુ જ રાખી. કેટલાક આયોજકો અને અન્ય સંતો તરત આગળ દોડી ગયાં અને બાવડું ઝાલી યુવાન સાધુને બહાર ખેંચી ગયા. એક સાધુ પુરુષને આવો ક્રોધ શોભે? ઘણાં લોકોને ઘટનાઓ કે સામાન્ય વાત કે પ્રસંગમાં વાંકુ જોવાની જ કુટેવ હોય છે. સ્વામીજી વાળા પ્રસંગમાં વર્ણભેદ મિટાવવાની સારી વાત સ્પષ્ટ દેખાતી હોવા છતાં પેલા યુવાન સંતે બ્રાહમણોને નીચા દેખાડ્યા હોવાનું જોઈ-વિચારી લીધું. સુખી થવું હોય તો ક્યારેક સહન કરીને કે કોઈકે કહેલી વાત ન ગણકારતાં પણ શીખવું જોઇએ તો અહિં તો આ સાધુએ જે કહેવાનો આશય જ નહોતો એ ગોતી કાઢી એક ઉમદા પ્રયત્નને બિરદાવવાની જગાએ આખું નાટક ખોરવવાનો પ્રયાસ કર્યો. મને આ જરા પણ ન ગમ્યું. આવી વ્યક્તિને તો સંત કે સાધુ કહી પણ કઈ રીતે શકાય?
હવે આ નાટક જોતી વખતે એક ઘટના બની જે આજના બ્લોગ થકી ચર્ચવી છે. વિવેકાનંદજીના જીવનનો એક અતિ રસપ્રદ પ્રસંગ ભજવાઈ રહ્યો હતો.તેઓ ટેકડી નામના સ્થળે સ્ટેશન બહાર એક ઝાડ નીચે બેસી કેટલાં પંડિતો સાથે ધર્મની- જ્ઞાનની ચર્ચા કરી રહ્યા હતા.ત્રણ દિવસ સુધી સતત તેમનો સત્સંગ ચાલ્યો પણ શ્રોતાઓમાંથી કોઈએ સ્વામીજીને ભોજન વિષે પૃચ્છા ન કરી. આ બધુ ત્યાં પાસે પોતાની દુકાનમાં બેઠેલો એક મોચી જોઈ રહ્યો હતો. સ્વામીજી અને બ્રાહ્મણોની ચર્ચા પૂરી થઈ અને જ્યારે બધાં વિખેરાઈ ગયાં, ત્યાર બાદ મોચી સ્વામીજી પાસે આવ્યો અને તેણે સ્વામીજીને ભોજન આપવાની ઇચ્છા વ્યક્ત કરી. વિવેકાનંદે તો મોચીને આગ્રહ કરીને પોતાની સાથે જ જમવા બેસાડ્યો. પોતે નીચા કુળનો હોવાને લીધે મોચી, ‘તેના હાથનું ખાવાનું સ્વામીજી કઈ રીતે ખાઈ શકે’ એવા ડર સાથે સ્વામાજીથી દૂર ભાગવા પ્રયત્ન કરતો રહ્યો પણ બ્રાહમણ પંડિતો તેને સ્વામીજી ભેગો જોઈ ગયા અને જાણે તેનાથી કોઈ મોટો અપરાધ કે મોટું પાપ થઈ ગયાં હોય એમ તેઓ 'શિવ શિવ શિવ...' કરતા તેને ધૂત્કારવા માંડ્યા. સ્વામીજી તેમને સાચી સમજણ આપી રહ્યા હતા કે બધાં મનુષ્યો સમાન છે અને વર્ણભેદના આવા વાડા ઉભા ન કરવાં જોઇએ - આ દ્રષ્ય મંચ પર ભજવાઈ રહ્યું હતું ત્યાં તો આગળની સાધુ-સંત-મહંતોની હરોળમાંથી એક લાંબા જટિયા અને દાઢી ધારી યુવાન સાધુ મંચની એકદમ નજીક ધસી ગયો અને મોટે મોટે થી બરાડા પાડવા માંડ્યો 'બંધ કરો...બંધ કરો નાટક...'
હું તો સ્ટેજ પર જ આગળ બેઠેલો હતો તેથી મને આ બધો ડ્રામા સ્પષ્ટ જોવા મળ્યો. હું વિચારી જ રહ્યો હતો કે શા માટે તે આવું વર્તન કરી રહ્યો હશે ત્યાં તેના મુખે જ બોલાયેલા આ શબ્દોએ મારી શંકા દૂર કરી નાંખી,'બ્રાહમણો કો નીચા ક્યું દિખાયા..? બંધ કરો ...' આમ બોલતા તેણે પોતાના હાથ માં રહેલ કાગળિયા અને પુસ્તક કલાકારો પર ફંગોળ્યા. સદનસીબે મંચ ખાસ્સુ મોટુ હતું તેથી એમાનું કંઈ કલાકારો સુધી પહોંચ્યું નહિં અને એ કલાકારોને પણ દાદ આપવી ઘટે કે આ સાધુના આવા અકલ્પ્ય અને અચાનક થયેલાં આક્રમક વિરોધ પ્રદર્શન છતાં જરાય વિચલિત થયા સિવાય તેમણે નાટકની ભજવણી ચાલુ જ રાખી. કેટલાક આયોજકો અને અન્ય સંતો તરત આગળ દોડી ગયાં અને બાવડું ઝાલી યુવાન સાધુને બહાર ખેંચી ગયા. એક સાધુ પુરુષને આવો ક્રોધ શોભે? ઘણાં લોકોને ઘટનાઓ કે સામાન્ય વાત કે પ્રસંગમાં વાંકુ જોવાની જ કુટેવ હોય છે. સ્વામીજી વાળા પ્રસંગમાં વર્ણભેદ મિટાવવાની સારી વાત સ્પષ્ટ દેખાતી હોવા છતાં પેલા યુવાન સંતે બ્રાહમણોને નીચા દેખાડ્યા હોવાનું જોઈ-વિચારી લીધું. સુખી થવું હોય તો ક્યારેક સહન કરીને કે કોઈકે કહેલી વાત ન ગણકારતાં પણ શીખવું જોઇએ તો અહિં તો આ સાધુએ જે કહેવાનો આશય જ નહોતો એ ગોતી કાઢી એક ઉમદા પ્રયત્નને બિરદાવવાની જગાએ આખું નાટક ખોરવવાનો પ્રયાસ કર્યો. મને આ જરા પણ ન ગમ્યું. આવી વ્યક્તિને તો સંત કે સાધુ કહી પણ કઈ રીતે શકાય?
| Reactions: |
Tuesday, January 31, 2012
૨૬મી જાન્યુઆરી : આપણો પ્રજાસતાક દિવસ
૨૬મી જાન્યુઆરીએ આપણા ગણતંત્ર દિવસ તરીકે ઉજવાય છે. આપણે તેને પ્રજાસતાક દિન તરીકે પણ ઓળખીએ છીએ. પણ શું ગણતંત્ર કે પ્રજાસતાકનો ખરો અર્થ આપણે જાણીએ છીએ? એ જાણતાં પહેલાં થોડી બીજી રસપ્રદ ચર્ચા કરીએ.રાષ્ટ્રિય દિવસ તરીકે મોટા ભાગનાં રાષ્ટ્રો પોતાના આઝાદી દિનની અથવા પ્રજાસતાક દિનની ઉજવણી કરે છે. તો કેટલાક દેશોમાં આ દિવસ તેમનાં રાજા કે કોઈ મહાન સંતનાં જન્મદિવસે પણ ઉજવાય છે. મોટા ભાગનાં દેશોમાં આ દિવસે જાહેર રજા હોય છે તો જમૈકા અને થાઈલેન્ડ જેવા કેટલાક દેશોમાં તો આ દિવસ કોઈ એક ચોક્કસ દિવસે ન ઉજવાતાં જુદે જુદે દિવસે પણ મનાવાય છે!ભારત સિવાય પ્રજાસત્તાક દિનની ઉજવણી જાન્યુઆરી માસ માં કરનાર રાષ્ટ્રો સ્લોવેકિયા અને બોસ્નિયા એન્ડ હર્ઝેગોવિના છે. અન્ય રાષ્ટ્રોમાં ફેબ્રુઆરીમાં ગુયાના અને હંગેરી તો માર્ચમાં પાકિસ્તાન, એપ્રિલમાં ઇરાન તો મે માં અર્મેનિયા, અઝેરબૈજાન અને નેપાળ, જુનમાં ઇટાલી અને જુલાઈમાં ગ્રીસ ,ઘાના, ફિલિપાઈન્સ, ઇરાક અને તુનિસિયા, સપ્ટેમ્બરમાં ત્રિનિદાદ અને તોબેગો ,ઓક્ટોબરમાં પોર્ટુગલ,ચીન, કઝાખસ્તાન, જર્મની અને તુર્કી, નવેમ્બરમાં માલ્દિવ્ઝ,બ્રાઝિલ તો ડિસેમ્બરમાં માલ્તા અને નાઈજર જેવા રાષ્ટ્રો પોતપોતાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરે છે. તો દક્ષિણ આફ્રિકા, યુગોસ્લાવિયા અને રોડેશિયા જેવા કેટલાક રાષ્ટ્રોમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થોડાંઘણાં વર્ષો સુધી નિયમિત થયા બાદ વિવિધ કારણો સર બંધ પણ કરી દેવાઈ છે.ભારતને ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી પ્રાપ્ત થઈ અને ત્યાર બાદ સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડાવાની શરૂઆત થઈ. ૧૯૪૯ની ૨૬મી નવેમ્બરે આ બંધારણ ધારાસભામાં પસાર થયું. ૧૯૫૦ની ૨૬મી જાન્યુઆરીથી આ બંધારણના અમલની શરૂઆત તેમજ લોકશાહી સરકાર વ્યવસ્થા સાથે ભારત સાચા અર્થમાં પ્રજાસત્તાક બન્યું. ૨૬મી જાન્યુઆરીનો દિવસ પસંદ કરવાનું મુખ્ય કારણ એ હતું કે ૧૯૩૦ની ૨૬મી જાન્યુઆરીને દિવસે બ્રિટીશરાજ માંથી સંપૂર્ણ મુક્તિ માટેનું, પૂર્ણ સ્વરાજ માટેનું ભારતની આઝાદીનું જાહેરનામુ ઇન્ડિયન નેશનલ કોન્ગ્રેસે પસાર કર્યું હતું.ભારતમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે દેશની રાજધાની દિલ્હીના રાજપથ નજીક એક ભવ્ય પરેડ યોજાય છે જેની શરૂઆત રાષ્ટ્રપતિ ભવન પાસેના રાઈસેના હિલ ખાતેથી થાય છે અને આ પરેડ રાજપથ પરથી પસાર થઈ, પ્રસિદ્ધ ઇન્ડિયા ગેટ પાસેથી થઈ ઐતિહાસિક લાલ કિલ્લા સુધી જાય છે. પાયદળ, હવાઈ દળ અને યાંત્રિક લશ્કરી સંગઠિત ટુકડીઓ દ્વારા ભારતીય લશ્કર, નૌકા દળ અને હવાઈ દળોના જવાન પોતપોતાની સુશોભિત યુદ્ધ સામગ્રી સહિત કતાર બદ્ધ થઈ આ પરેડ બનાવે છે અને ભારતીય લશ્કરી દળના અધ્યક્ષ એવા રાષ્ટ્રપતિને સલામી આપે છે.આ પરેડના મુખ્ય અતિથિ અન્ય કોઈ રાષ્ટ્રના વડા કે સરકારી અધિકારી બને છે.ભારતીય સાંસ્ક્રુતિક વારસાનું પ્રતિનિધિત્વ કરતા લોકન્રુત્યો કરતા સમૂહો પણ આ પરેડનું અનેરું આકર્ષણ બની રહે છે.આ પરેડનું પારંપારિક રીતે ભારતના હવાઈ દળના લડાયક વિમાનો આકાશમાં ખાસ રીતે ઉડી રંગીન ધુમ્રસેરો દ્વારા ભારતીય તિરંગો બનાવી સમાપન કરે છે. આ જ પ્રકારની પરેડો ભારતના દરેક રાજ્ય સ્તરે પણ યોજાય છે જ્યાં જે તે રાજ્યના ગવર્નર્સને સલામી ભરાય છે.પ્રજાસત્તાક દિનની ઉજવણીનું સત્તાવાર રીતે સમાપન ૨૬મી જાન્યુઆરીના ચાર દિવસ પછી એટલે કે ૩૦મી જાન્યુઆરીના દિવસે થાય છે જેને 'બીટીંગ રીટ્રીટ' કહેવાય છે.આ બધી તો થઈ ઉજવણીની વાતો... પણ શું આજે ભારત એક સાચું ગણતંત્ર કે પ્રજાસતાક રાષ્ટ્ર છે?
હાલમાં જ જયપુર ખાતે સાહિત્ય જગતનો એક ખાસ્સો મોટો કાર્યક્રમ જયપુર લિટ ફેસ્ટ યોજાઈ ગયો અને તે સલમાન રશ્દીને લઈને ખાસ્સો ચર્ચાસ્પદ બની રહ્યો.ભારતીય મૂળના આ એન.આર.આઈ લેખકને આ કાર્યક્રમમાં તેના અતિ ચર્ચાસ્પદ પુસ્તક 'સેતાનિક વર્સીસ'માં તેમણે મુસ્લીમો વિરુદ્ધ કરેલી કેટલીક ટીપ્પણીને લીધે જાનથી મારી નાંખવાની ધમકી મળી. આ પુસ્તક જ્યારે વર્ષો પહેલાં પ્રકાશિત થયેલું ત્યારે જ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.પણ આટલાં વર્ષો બાદ પણ આ વયસ્કાને ખ્યાતનામ લેખકને ભારતમાં સાહિત્ય જગતના એક મોટા મંચ પર આવવા ન તો ભારત સરકાર તરફથી હોઈ આમંત્રણ પાઠવાયું ન તો તેમને સુરક્ષાની કોઈ ખાતરી સરકાર તરફથી આપવામાં આવી અને લેખકે પોતાની જાનનો ખતરો હોઈ અહિં આવવાનું માંડી વાળ્યું. શું આ પ્રજાસત્તાક રાષ્ટ્ર માટે માન્ય ઘટના ગણાય?
અને આવા તો અનેક કિસ્સા લાંબા સમયથી બનતાં જ આવ્યા છે.વિશ્વભરમાં સારી એવી ખ્યાતિ પામેલા વયોવ્રુદ્ધ ચિત્રકાર એમ.એફ.હુસૈનની પોતાની માત્રુભૂમિ ભારતમાં મરવાની અંતિમ ઇચ્છા પૂરી ન થી શકી?કારણ? તેમનાં પર ભારત આવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તસ્લીમા નસરીનના લજ્જા પુસ્તકે પણ સારો એવો હોબાળો મચાવ્યો હતો.શું કલાકાર કે લેખક કે સર્જકને અભિવ્યક્તિની છૂટ એ પ્રજાસતાક રાષ્ટ્રની સાચી ઓળખ નથી?આ દ્રષ્ટીએ જોઇએ તો ભારત સાચા અર્થમાં એક પ્રજાસત્તાક દેશ ગણી શકાય?યુવાનો-યુવતિઓ વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરે કે પબમાં રીલાય્ક્સ થવા જાય ત્યારે સમાજના કહેવાતા ઠેકેદારો 'મોરલ પોલિસ' બની જઈ તેમની સ્વતંત્રતા પર તરાપ મારે અને યુવાનોની મારઝૂડ તો કરે પણ યુવતિઓ સાથે પણ અભદ્ર વર્તન કરે એમાં ક્યાં દેશમાં ગણતંત્ર હોવાના દર્શન થાય છે?આવા તંત્રને તો અંધેર તંત્ર જ ગણી શકાય.ભ્રષ્ટાચાર સામે જંગે ચડેલાં ભડવીર અન્ના હજારેને પહેલાં તો લોકોએ ઉત્સાહમાં આવી જઈ ભરપૂર ટેકો જાહેર કર્યો પણ બીજી વાર જ્યારે તેઓ મજબૂત લોકપાલ કાયદો ઘડાય એ માટે ઉપવાસ પર ઉતર્યાં ત્યારે લોકોએ તેમનો સાથ ન આપ્યો અને અન્નાજીએ ઉપવાસ વહેલાં જ તોડી નાંખવા પડ્યા.બાબા રામદેવ ઉપર તાજેતરમાં જ કોઇએ લખવાની સહી છાંટી તેમનો વિરોધ કર્યો. તે પણ અન્નાજીની જેમ થોડા સમય અગાઉ ઉપવાસ પર ઉતર્યાં હતા ત્યારે સરકાર અને પોલિસે તેમને એ રીતે રોક્યા કે બાબાએ સ્ત્રી વેશ ધારણ કરી મેદાન છોડી ભાગી જવું પડ્યું.શરદ પવારના ગાલ પર લાફો ઝીંકાયો તો કંઈ કેટલાય નેતાઓ પર જૂતા ફેંકાવાના બનાવોની પણ આખી એક લાંબી યાદી તૈયાર થઈ શકે.શું આ બધા એક આદર્શ પ્રજાસત્તાક રાષ્ટ્રના લક્ષણો છે?
જોકે આ પ્રશ્ન કે સમસ્યા અંગે ઘણા અંશે આપણે ભારતની પ્રજા જ જવાબદાર છે.શું આપણે જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ નિભાવીએ છીએ ખરાં?ચૂંટણી વેળાએ મત આપવાને બદલે મિનિવેકેશન માણવા ઉપડી જ ઇએ પછી જે નેતા ચૂંટાઈને આવે તેની પાસેથી સારી અપેક્ષા રાખવી એ યોગ્ય છે?
હજી મોડું નથી થયું. જાગ્યા ત્યારથી સવાર આ કહેવતને અનુસરી ટૂંક સમયમાં જ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરી સારા અને યોગ્ય ઉમેદવારને જ ચૂંટીશું તો જે સારા નેતાઓ ચૂંટાઈ આવશે તે ચોક્કસ ભારતને સાચા અર્થમાં પ્રજસત્તાક રાષ્ટ્ર બનાવી શકશે એમાં કોઈ બેમત નથી.આવો એવી શુભ કામના કરીએ કે ભારત ખરા અર્થમાં એક ગણતંત્ર બની રહે…
હાલમાં જ જયપુર ખાતે સાહિત્ય જગતનો એક ખાસ્સો મોટો કાર્યક્રમ જયપુર લિટ ફેસ્ટ યોજાઈ ગયો અને તે સલમાન રશ્દીને લઈને ખાસ્સો ચર્ચાસ્પદ બની રહ્યો.ભારતીય મૂળના આ એન.આર.આઈ લેખકને આ કાર્યક્રમમાં તેના અતિ ચર્ચાસ્પદ પુસ્તક 'સેતાનિક વર્સીસ'માં તેમણે મુસ્લીમો વિરુદ્ધ કરેલી કેટલીક ટીપ્પણીને લીધે જાનથી મારી નાંખવાની ધમકી મળી. આ પુસ્તક જ્યારે વર્ષો પહેલાં પ્રકાશિત થયેલું ત્યારે જ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.પણ આટલાં વર્ષો બાદ પણ આ વયસ્કાને ખ્યાતનામ લેખકને ભારતમાં સાહિત્ય જગતના એક મોટા મંચ પર આવવા ન તો ભારત સરકાર તરફથી હોઈ આમંત્રણ પાઠવાયું ન તો તેમને સુરક્ષાની કોઈ ખાતરી સરકાર તરફથી આપવામાં આવી અને લેખકે પોતાની જાનનો ખતરો હોઈ અહિં આવવાનું માંડી વાળ્યું. શું આ પ્રજાસત્તાક રાષ્ટ્ર માટે માન્ય ઘટના ગણાય?
અને આવા તો અનેક કિસ્સા લાંબા સમયથી બનતાં જ આવ્યા છે.વિશ્વભરમાં સારી એવી ખ્યાતિ પામેલા વયોવ્રુદ્ધ ચિત્રકાર એમ.એફ.હુસૈનની પોતાની માત્રુભૂમિ ભારતમાં મરવાની અંતિમ ઇચ્છા પૂરી ન થી શકી?કારણ? તેમનાં પર ભારત આવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તસ્લીમા નસરીનના લજ્જા પુસ્તકે પણ સારો એવો હોબાળો મચાવ્યો હતો.શું કલાકાર કે લેખક કે સર્જકને અભિવ્યક્તિની છૂટ એ પ્રજાસતાક રાષ્ટ્રની સાચી ઓળખ નથી?આ દ્રષ્ટીએ જોઇએ તો ભારત સાચા અર્થમાં એક પ્રજાસત્તાક દેશ ગણી શકાય?યુવાનો-યુવતિઓ વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરે કે પબમાં રીલાય્ક્સ થવા જાય ત્યારે સમાજના કહેવાતા ઠેકેદારો 'મોરલ પોલિસ' બની જઈ તેમની સ્વતંત્રતા પર તરાપ મારે અને યુવાનોની મારઝૂડ તો કરે પણ યુવતિઓ સાથે પણ અભદ્ર વર્તન કરે એમાં ક્યાં દેશમાં ગણતંત્ર હોવાના દર્શન થાય છે?આવા તંત્રને તો અંધેર તંત્ર જ ગણી શકાય.ભ્રષ્ટાચાર સામે જંગે ચડેલાં ભડવીર અન્ના હજારેને પહેલાં તો લોકોએ ઉત્સાહમાં આવી જઈ ભરપૂર ટેકો જાહેર કર્યો પણ બીજી વાર જ્યારે તેઓ મજબૂત લોકપાલ કાયદો ઘડાય એ માટે ઉપવાસ પર ઉતર્યાં ત્યારે લોકોએ તેમનો સાથ ન આપ્યો અને અન્નાજીએ ઉપવાસ વહેલાં જ તોડી નાંખવા પડ્યા.બાબા રામદેવ ઉપર તાજેતરમાં જ કોઇએ લખવાની સહી છાંટી તેમનો વિરોધ કર્યો. તે પણ અન્નાજીની જેમ થોડા સમય અગાઉ ઉપવાસ પર ઉતર્યાં હતા ત્યારે સરકાર અને પોલિસે તેમને એ રીતે રોક્યા કે બાબાએ સ્ત્રી વેશ ધારણ કરી મેદાન છોડી ભાગી જવું પડ્યું.શરદ પવારના ગાલ પર લાફો ઝીંકાયો તો કંઈ કેટલાય નેતાઓ પર જૂતા ફેંકાવાના બનાવોની પણ આખી એક લાંબી યાદી તૈયાર થઈ શકે.શું આ બધા એક આદર્શ પ્રજાસત્તાક રાષ્ટ્રના લક્ષણો છે?
જોકે આ પ્રશ્ન કે સમસ્યા અંગે ઘણા અંશે આપણે ભારતની પ્રજા જ જવાબદાર છે.શું આપણે જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ નિભાવીએ છીએ ખરાં?ચૂંટણી વેળાએ મત આપવાને બદલે મિનિવેકેશન માણવા ઉપડી જ ઇએ પછી જે નેતા ચૂંટાઈને આવે તેની પાસેથી સારી અપેક્ષા રાખવી એ યોગ્ય છે?
હજી મોડું નથી થયું. જાગ્યા ત્યારથી સવાર આ કહેવતને અનુસરી ટૂંક સમયમાં જ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરી સારા અને યોગ્ય ઉમેદવારને જ ચૂંટીશું તો જે સારા નેતાઓ ચૂંટાઈ આવશે તે ચોક્કસ ભારતને સાચા અર્થમાં પ્રજસત્તાક રાષ્ટ્ર બનાવી શકશે એમાં કોઈ બેમત નથી.આવો એવી શુભ કામના કરીએ કે ભારત ખરા અર્થમાં એક ગણતંત્ર બની રહે…
| Reactions: |
Sunday, January 22, 2012
વાત મુંબઈ મેરેથોન અને જીવન મેરેથોનની...
ગયા રવિવારે મેં મુંબઈ મેરેથોનમાં સતત ત્રીજે વર્ષે છ કિલોમીટરની 'ડ્રીમ રન' કેટેગરીમાં દોડી મારી હેટ-ટ્રીક પૂરી કરી ! ખૂબ મજા આવી મેરેથોનમાં હજારો બીજા ઉત્સાહી મુંબઈકર અને અન્ય રાજ્યોમાંથી પણ ખાસ અહિં દોડવા આવતા દોડવીરો સાથે, સામાન્ય રીતે વાહનોના ટ્રાફીકથી ખદબદતી મુંબઈની સડકો પર મુક્ત રીતે ચાલવાની! મેરેથોનનો ડિકશ્નરી અર્થ તો આશરે ૪૨ કિલોમીટરનું કે ૨૬ યાર્ડ જેટલું અંતર દોડીને કાપવું એવો થાય પણ મેં 'ચાલવાની' મજા આવે એમ એટલા માટે કહ્યું કારણ કે ડ્રીમ રનમાંતો છ કિલોમીટર જેટલું અંતર કાપવા-ચાલવામાં પણ મુશ્કેલી પડે એટલી ભીડ આ વખતે અનુભવવા મળી!
પણ ચાલવાનું હોય કે દોડવાનું, મેરેથોન એટલે મેરેથોન!
મને આ દોડ ઇવેન્ટમાં ભાગ લેવો ગમે છે તેના ઘણાં કારણો છે.મને વહેલી સવારે ઉઠી ટ્રેનમાં દક્ષિણ મુંબઈ સુધી જતી વખતે અનેક બીજા ઉત્સાહી મેરેથોનર્સને ગ્રુપમાં કે એકલ-દોકલ, ભાગવા માટે અનુકૂળ એવા વસ્ત્રો તેમજ સ્પોર્ટ્સશૂઝમાં સજ્જ થઈ એ જ ઉત્સાહ અને જોશની લાગણી અનુભવવાની ખૂબ મજા આવે છે. ઓળખતા ન હોઇએ તો પણ એકેમેકને સ્મિત અપાઈ જાય છે.
મેરેથોનમાં ભાગ લેવાનો સૌથી મોટો ફાયદો છે આરોગ્યને લગતો. બેઠાડુ જીવનજીવતા કે આળસુ કે શારીરિક કસરત જ ન મળતી હોય એવી જીવન શૈલી ધરાવતા લોકો માટે મેરેથોન એક તક લઈ આવે છે, આરોગ્ય માટે કંઈક કરવાની. જો તમારે ફુલ કે હાફ મેરેથોનમાં ભાગ લેવો હોય તો ઓછામાં ઓછા છ મહિના અગાઉથી નિયમિત કસરત કરી દોડવાનો મહાવરો કેળવવો પડે છે.આનાથી તંદુરસ્તી સાથે ડિસિપ્લીનના પાઠ પણ શીખવા મળે છે.
મેરેથોનમાં કોર્પોરેટ સ્પોન્સર્ડ એક જ ઓફિસના ગૃપમાં દરેક જણ એક સરખા રંગના ટી-શર્ટમાં જોવા મળે તો મેરેથોનમાં માર્ગમાં તો અવનવી વેશભૂષામાં સજ્જ વિવિધ પ્રકારની વ્યક્તિઓનો તો જાણે મેળો જોવા મળે! કોઈક ગાંધી બનીને દોડતું હોય તો કોઈક ઓસામા બિન લાદેન! કોઈક ઝાંસીની રાણી બન્યું હોય તો કોઈક પરી! રાજકારણને લગતા કે સામાજિક જાગરૂકતા ફેલાવતા સંદેશના બોર્ડ કે ધજાઓ લઈ દોડતા લોકો પણ ભરપૂર જોવા મળે. કોઈ રાવણનો વેશ કાઢી દસ માથા સાથે દોડતું જોવા મળે તો કોઈક માથે શિંગડા ભરાવી યમરાજના સ્વાંગમાં પણ ભાગતું જોવા મળે! રસ્તાની બાજુએ ઠેર ઠેર મંચ ઉભા કર્યા હોય, જ્યાં રોક બેન્ડ પરફોર્મ કરતું હોય કે રાજસ્થાની,ગુજરાતી કે મરાઠી લાવણી જેવા લોક નૃત્યો દ્વારા યુવાન-યુવતિઓ દોડવીરોનો ઉત્સાહ વધારવામાં સતત વ્યસ્ત હોય!
મેરેથોનની શરૂઆત કરાવવા કે જૂદા જૂદા ચેરીટી કોઝીસ સાથે સંકળાઈ મેરેથોનમાં ભાગવા આવનાર સેલિબ્રીટીઝનું પણ આખું લાંબુ લિસ્ટ તૈયાર થઈ શકે! મેરેથોનમાં દર વર્ષે ભાગ લેતાં આ સેલિબ્રિટીઓનું પણ જબરૂ આકર્ષણ હોય છે અને તેઓ કદાચ કોઈ ચેરીટી સંસ્થા સાથે જોડાયા હોય તો એ સારૂં એવું ભંડોળ ઉભું કરવામાં પણ સફળ થઈ રહે છે.આ વર્ષે પણ મેરેથોનમાં દર વર્ષે ઉત્સાહ પૂર્વક ભાગ લેનાર સેલિબ્રિટીઓ જેવીકે મિલિન્દ સોમણ,રાહુલ બોસ,સિદ્ધાર્થ માલ્યા વગેરે દોડતા જોવા મળ્યા તો ઘણા નવા સેલિબ્રિટીઝ જેવા કે રણબીર કપૂર, ચિત્રાંગદા સિંઘ,સંજય સૂરી,શાહજાન પદમસી,પ્રતીક બબ્બર વગેરે પણ આ વખતે આ રેસમાં જોડાયાં. શબાના આઝમી તો પ્લાસ્ટર વાળા ફ્રેક્ચર્ડ હાથે પણ પોતાની એન.જી.ઓ. સંસ્થા મિજબાન માટે દોડ્યા. દોડવીરોનો ઉત્સાહ વધારવા અનેક સેલિબ્રીટીઝ જેવા કે અનિલ કપૂર,ગુલશન ગ્રોવર, ટીના અંબાણી,દલીપ તાહીલ, ઇંદુ સહાની, જોનઅબ્રાહમ, મહિમા ચૌધરી વગેરેએ ખાસ તૈયાર કરેલા મંચ પર ઉભા રહી દોડવીરોનું હાથ હલાવી સસ્મિત અભિવાદન કર્યું.
શ્રીમદ રાજચંદ્ર કે ઇશા જેવી સંસ્થાઓના સેંકડો કાર્યકરો પણ ડ્રીમ રન કેટેગરીમાં દોડી પોતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવા અનેક નિતનવા પ્રયોગ કરે જેમકે આ વખતે શ્રીમદ રાજચંદ્રના મેમ્બર્સે માનવ-ટ્રેન બનાવી સારું આકર્ષણ જમાવ્યું તો ઇશા યોગ સંસ્થાએ કેટલાક સાધુઓને કર્ણપ્રિય ફ્યુઝન સંગીત વગાડી દોડવીરોનો ઉત્સાહ વધારવામાં સારી એવી સફળતા મેળવી.
વ્હીલચેરમાં બેસી ડિફરન્ટલી એબલ્ડ દોડવીરો કે નેત્રહીન કે માનસિક રીતે અક્ષમ બાળકો, યુવાનોને પણ અતિ ઉત્સાહમાં દોડતા જોઈ મોઢામાં આંગળા નાંખી જવાય.મારા જેવી સંવેદનશીલ વ્યક્તિની આંખના ખૂણા તો સહેજ ભીના પણ થઈ જાય! કંઈ કેટલીયે શાળા અને સંસ્થાઓએ જુદી રીતે સક્ષમ બાળકો તથા યુવાનો સાથે દોડી માનવતાનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું. સિનિયર સીટીઝન શ્રેણીમાં દોડતા દાદા દાદીઓને તેમની આટલી મોટી વયે તેમજ અનેક લોકોને ઘણાં પ્રકારની શારીરિક તકલીફો છતાં સ્ફૂર્તિ અને ધગશથી દોડતા જોઈ સલામ કરવાનું મન થઈ જાય.
આ વખતે કેટલાક અજબગજબનાં કિસ્સા પણ સાંભળવામાં આવ્યા જેમકે છ એક મહિનાથી પણ વધુ સમયની એક ગર્ભવતી સ્ત્રીએ મેરેથોન પૂર્ણ કરી.એક તાજી હાર્ટ સર્જરી વાળા યુવાને સફળતા અને હિંમત પૂર્વક આ દોડ પૂરી કરી.એક સિત્તેરથીયે વધુ વયના કાકાએ શરીર પર પાંચેક કિલો વજનના આમળા પહેરી આમળા તેમજ તેના વૈદકીય ગુણોનો પ્રચાર કર્યો. કેટલાંયે સિનિયર સિટીઝન્સે ફુલ મેરેથોનમાં ૪૨કિલોમીટરનું પૂરું અંતર દોડી પુરવાર કર્યું કે શરીર કરતાં મનથી યુવાન હોવ તો શારીરિક ક્ષમતાની જરૂર હોય એવું ભગીરથ કાર્ય પણ ચોક્કસ પૂર્ણ કરી શકાય છે.મન હોય તો માળવે જવાય.
હવે બીજો એક વિચાર મારા એક મિત્રે આપ્યો જે શેર કરવાનું મન થાય છે.તેણે આપણા જીવનની સરખામણી મેરેથોન દોડ સાથે કરી જે કેટલું યથાર્થ છે! આજે આ સ્પર્ધાત્મક યુગમાં બાળક જન્મે ત્યારથી જ એ જિંદગીની દોડમાં તરત સામેલ નથી થઈ જતું? જલ્દી મોટા થઈ જાય, જલ્દી વધુમાં વધુ સ્માર્ટ થઈ જાય એ માટે માબાપો બાળકની ક્ષમતા, રૂચિ કે મન:સ્થિતીનો વિચાર કર્યા વગર તેને એક દોડ-રેસમાં જ ધકેલી દેતા હોય છે. તો આપણે આપણી રોજના જીવનની - આ મુંબઈ શહેરના એક ટીપીકલ દિવસની વાત કરીએ તો એ કંઈ મેરેથોનથી થોડો કમ છે?! સવારે ઉઠતા વેત ઘરમાં સવારનો નિત્યક્રમ પતાવવા માટે દોડ (અને ઘણી વાર સ્પર્ધા પણ!), ગાડી કે બસ પકડવા માટે દોડ, ઓફિસમાં કામના ઢગલામાંથી જેટલું પતે એ શક્ય એટલી ઝડપ અને ચીવટ સાથે પૂરું કરવાની દોડ, બોસને ખુશ રાખવા અને પોતાના પ્રમોશન તેમજ ઓર્ગેનાઝેશનની અપેક્ષાઓ અને ધ્યેયો સંતુષ્ટ અને સિદ્ધ કરવાની સતત રોજબરોજની દોડ, ઘરના કુટુંબીજનો, મિત્રો,સગાસંબંધીઓ અને સમાજની અપેક્ષાઓ પૂરી કરવા તેમજ જીવન સારી અને સફળ રીતે જીવવાની દોડ, સાંજે ફરી પાછા ઘેર પરત આવવાની દોડ! પણ આ દોડોમાંયે જો આપણે મુંબઈ મેરેથોનની જેમજ ઉત્સાહ અને આનંદપૂર્વક હકારાત્મક અભિગમ સાથે બીજાઓની કંપની માણતા માણતા દોડીશું તો આપણી જીવન-મેરેથોન-દોડ પણ ચોક્કસ મજેદાર અને જીવવા લાયક બની રહેશે, એમાં કોઈ શક નથી!
ત્રણ વર્ષથી છ-સાત કિલોમીટરની ડ્રીમ રનમાં જ દોડ્યા બાદ હવે મારે એકવીસ કિલોમીટરની હાફ મેરેથોનમાં ભાગ લેવો છે. મુંબઈ મેરેથોન થાય છે તો જાન્યુઆરીના ઉતરાણની આગળ-પાછળના રવિવારે પણ એ માટે રજીસ્ટ્રેશનની શરૂઆત છ એક માસ અગાઉ જુલાઈ-ઓગષ્ટ માસમાં જ થઈ જતી હોય છે. આ અંગેની જાહેરાત અખબાર કે ઇન્ટરનેટ પર પ્રસારિત થતી હોય છે.હું પણ મારી આ કટાર દ્વારા તમને સૌને આ અંગે જાણ કરીશ. તો આવતા વર્ષે આપણે મળીએ મેરેથોનમાં..!
(For pictures of this event visit my Marathon 2012 Photo Album on Facebook at :
http://www.facebook.com/media/set/?set=a.2822292890910.134355.1666613300&type=3)
પણ ચાલવાનું હોય કે દોડવાનું, મેરેથોન એટલે મેરેથોન!
મને આ દોડ ઇવેન્ટમાં ભાગ લેવો ગમે છે તેના ઘણાં કારણો છે.મને વહેલી સવારે ઉઠી ટ્રેનમાં દક્ષિણ મુંબઈ સુધી જતી વખતે અનેક બીજા ઉત્સાહી મેરેથોનર્સને ગ્રુપમાં કે એકલ-દોકલ, ભાગવા માટે અનુકૂળ એવા વસ્ત્રો તેમજ સ્પોર્ટ્સશૂઝમાં સજ્જ થઈ એ જ ઉત્સાહ અને જોશની લાગણી અનુભવવાની ખૂબ મજા આવે છે. ઓળખતા ન હોઇએ તો પણ એકેમેકને સ્મિત અપાઈ જાય છે.
મેરેથોનમાં ભાગ લેવાનો સૌથી મોટો ફાયદો છે આરોગ્યને લગતો. બેઠાડુ જીવનજીવતા કે આળસુ કે શારીરિક કસરત જ ન મળતી હોય એવી જીવન શૈલી ધરાવતા લોકો માટે મેરેથોન એક તક લઈ આવે છે, આરોગ્ય માટે કંઈક કરવાની. જો તમારે ફુલ કે હાફ મેરેથોનમાં ભાગ લેવો હોય તો ઓછામાં ઓછા છ મહિના અગાઉથી નિયમિત કસરત કરી દોડવાનો મહાવરો કેળવવો પડે છે.આનાથી તંદુરસ્તી સાથે ડિસિપ્લીનના પાઠ પણ શીખવા મળે છે.
મેરેથોનમાં કોર્પોરેટ સ્પોન્સર્ડ એક જ ઓફિસના ગૃપમાં દરેક જણ એક સરખા રંગના ટી-શર્ટમાં જોવા મળે તો મેરેથોનમાં માર્ગમાં તો અવનવી વેશભૂષામાં સજ્જ વિવિધ પ્રકારની વ્યક્તિઓનો તો જાણે મેળો જોવા મળે! કોઈક ગાંધી બનીને દોડતું હોય તો કોઈક ઓસામા બિન લાદેન! કોઈક ઝાંસીની રાણી બન્યું હોય તો કોઈક પરી! રાજકારણને લગતા કે સામાજિક જાગરૂકતા ફેલાવતા સંદેશના બોર્ડ કે ધજાઓ લઈ દોડતા લોકો પણ ભરપૂર જોવા મળે. કોઈ રાવણનો વેશ કાઢી દસ માથા સાથે દોડતું જોવા મળે તો કોઈક માથે શિંગડા ભરાવી યમરાજના સ્વાંગમાં પણ ભાગતું જોવા મળે! રસ્તાની બાજુએ ઠેર ઠેર મંચ ઉભા કર્યા હોય, જ્યાં રોક બેન્ડ પરફોર્મ કરતું હોય કે રાજસ્થાની,ગુજરાતી કે મરાઠી લાવણી જેવા લોક નૃત્યો દ્વારા યુવાન-યુવતિઓ દોડવીરોનો ઉત્સાહ વધારવામાં સતત વ્યસ્ત હોય!
મેરેથોનની શરૂઆત કરાવવા કે જૂદા જૂદા ચેરીટી કોઝીસ સાથે સંકળાઈ મેરેથોનમાં ભાગવા આવનાર સેલિબ્રીટીઝનું પણ આખું લાંબુ લિસ્ટ તૈયાર થઈ શકે! મેરેથોનમાં દર વર્ષે ભાગ લેતાં આ સેલિબ્રિટીઓનું પણ જબરૂ આકર્ષણ હોય છે અને તેઓ કદાચ કોઈ ચેરીટી સંસ્થા સાથે જોડાયા હોય તો એ સારૂં એવું ભંડોળ ઉભું કરવામાં પણ સફળ થઈ રહે છે.આ વર્ષે પણ મેરેથોનમાં દર વર્ષે ઉત્સાહ પૂર્વક ભાગ લેનાર સેલિબ્રિટીઓ જેવીકે મિલિન્દ સોમણ,રાહુલ બોસ,સિદ્ધાર્થ માલ્યા વગેરે દોડતા જોવા મળ્યા તો ઘણા નવા સેલિબ્રિટીઝ જેવા કે રણબીર કપૂર, ચિત્રાંગદા સિંઘ,સંજય સૂરી,શાહજાન પદમસી,પ્રતીક બબ્બર વગેરે પણ આ વખતે આ રેસમાં જોડાયાં. શબાના આઝમી તો પ્લાસ્ટર વાળા ફ્રેક્ચર્ડ હાથે પણ પોતાની એન.જી.ઓ. સંસ્થા મિજબાન માટે દોડ્યા. દોડવીરોનો ઉત્સાહ વધારવા અનેક સેલિબ્રીટીઝ જેવા કે અનિલ કપૂર,ગુલશન ગ્રોવર, ટીના અંબાણી,દલીપ તાહીલ, ઇંદુ સહાની, જોનઅબ્રાહમ, મહિમા ચૌધરી વગેરેએ ખાસ તૈયાર કરેલા મંચ પર ઉભા રહી દોડવીરોનું હાથ હલાવી સસ્મિત અભિવાદન કર્યું.
શ્રીમદ રાજચંદ્ર કે ઇશા જેવી સંસ્થાઓના સેંકડો કાર્યકરો પણ ડ્રીમ રન કેટેગરીમાં દોડી પોતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવા અનેક નિતનવા પ્રયોગ કરે જેમકે આ વખતે શ્રીમદ રાજચંદ્રના મેમ્બર્સે માનવ-ટ્રેન બનાવી સારું આકર્ષણ જમાવ્યું તો ઇશા યોગ સંસ્થાએ કેટલાક સાધુઓને કર્ણપ્રિય ફ્યુઝન સંગીત વગાડી દોડવીરોનો ઉત્સાહ વધારવામાં સારી એવી સફળતા મેળવી.
વ્હીલચેરમાં બેસી ડિફરન્ટલી એબલ્ડ દોડવીરો કે નેત્રહીન કે માનસિક રીતે અક્ષમ બાળકો, યુવાનોને પણ અતિ ઉત્સાહમાં દોડતા જોઈ મોઢામાં આંગળા નાંખી જવાય.મારા જેવી સંવેદનશીલ વ્યક્તિની આંખના ખૂણા તો સહેજ ભીના પણ થઈ જાય! કંઈ કેટલીયે શાળા અને સંસ્થાઓએ જુદી રીતે સક્ષમ બાળકો તથા યુવાનો સાથે દોડી માનવતાનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું. સિનિયર સીટીઝન શ્રેણીમાં દોડતા દાદા દાદીઓને તેમની આટલી મોટી વયે તેમજ અનેક લોકોને ઘણાં પ્રકારની શારીરિક તકલીફો છતાં સ્ફૂર્તિ અને ધગશથી દોડતા જોઈ સલામ કરવાનું મન થઈ જાય.
આ વખતે કેટલાક અજબગજબનાં કિસ્સા પણ સાંભળવામાં આવ્યા જેમકે છ એક મહિનાથી પણ વધુ સમયની એક ગર્ભવતી સ્ત્રીએ મેરેથોન પૂર્ણ કરી.એક તાજી હાર્ટ સર્જરી વાળા યુવાને સફળતા અને હિંમત પૂર્વક આ દોડ પૂરી કરી.એક સિત્તેરથીયે વધુ વયના કાકાએ શરીર પર પાંચેક કિલો વજનના આમળા પહેરી આમળા તેમજ તેના વૈદકીય ગુણોનો પ્રચાર કર્યો. કેટલાંયે સિનિયર સિટીઝન્સે ફુલ મેરેથોનમાં ૪૨કિલોમીટરનું પૂરું અંતર દોડી પુરવાર કર્યું કે શરીર કરતાં મનથી યુવાન હોવ તો શારીરિક ક્ષમતાની જરૂર હોય એવું ભગીરથ કાર્ય પણ ચોક્કસ પૂર્ણ કરી શકાય છે.મન હોય તો માળવે જવાય.
હવે બીજો એક વિચાર મારા એક મિત્રે આપ્યો જે શેર કરવાનું મન થાય છે.તેણે આપણા જીવનની સરખામણી મેરેથોન દોડ સાથે કરી જે કેટલું યથાર્થ છે! આજે આ સ્પર્ધાત્મક યુગમાં બાળક જન્મે ત્યારથી જ એ જિંદગીની દોડમાં તરત સામેલ નથી થઈ જતું? જલ્દી મોટા થઈ જાય, જલ્દી વધુમાં વધુ સ્માર્ટ થઈ જાય એ માટે માબાપો બાળકની ક્ષમતા, રૂચિ કે મન:સ્થિતીનો વિચાર કર્યા વગર તેને એક દોડ-રેસમાં જ ધકેલી દેતા હોય છે. તો આપણે આપણી રોજના જીવનની - આ મુંબઈ શહેરના એક ટીપીકલ દિવસની વાત કરીએ તો એ કંઈ મેરેથોનથી થોડો કમ છે?! સવારે ઉઠતા વેત ઘરમાં સવારનો નિત્યક્રમ પતાવવા માટે દોડ (અને ઘણી વાર સ્પર્ધા પણ!), ગાડી કે બસ પકડવા માટે દોડ, ઓફિસમાં કામના ઢગલામાંથી જેટલું પતે એ શક્ય એટલી ઝડપ અને ચીવટ સાથે પૂરું કરવાની દોડ, બોસને ખુશ રાખવા અને પોતાના પ્રમોશન તેમજ ઓર્ગેનાઝેશનની અપેક્ષાઓ અને ધ્યેયો સંતુષ્ટ અને સિદ્ધ કરવાની સતત રોજબરોજની દોડ, ઘરના કુટુંબીજનો, મિત્રો,સગાસંબંધીઓ અને સમાજની અપેક્ષાઓ પૂરી કરવા તેમજ જીવન સારી અને સફળ રીતે જીવવાની દોડ, સાંજે ફરી પાછા ઘેર પરત આવવાની દોડ! પણ આ દોડોમાંયે જો આપણે મુંબઈ મેરેથોનની જેમજ ઉત્સાહ અને આનંદપૂર્વક હકારાત્મક અભિગમ સાથે બીજાઓની કંપની માણતા માણતા દોડીશું તો આપણી જીવન-મેરેથોન-દોડ પણ ચોક્કસ મજેદાર અને જીવવા લાયક બની રહેશે, એમાં કોઈ શક નથી!
ત્રણ વર્ષથી છ-સાત કિલોમીટરની ડ્રીમ રનમાં જ દોડ્યા બાદ હવે મારે એકવીસ કિલોમીટરની હાફ મેરેથોનમાં ભાગ લેવો છે. મુંબઈ મેરેથોન થાય છે તો જાન્યુઆરીના ઉતરાણની આગળ-પાછળના રવિવારે પણ એ માટે રજીસ્ટ્રેશનની શરૂઆત છ એક માસ અગાઉ જુલાઈ-ઓગષ્ટ માસમાં જ થઈ જતી હોય છે. આ અંગેની જાહેરાત અખબાર કે ઇન્ટરનેટ પર પ્રસારિત થતી હોય છે.હું પણ મારી આ કટાર દ્વારા તમને સૌને આ અંગે જાણ કરીશ. તો આવતા વર્ષે આપણે મળીએ મેરેથોનમાં..!
(For pictures of this event visit my Marathon 2012 Photo Album on Facebook at :
http://www.facebook.com/media/set/?set=a.2822292890910.134355.1666613300&type=3)
Subscribe to:
Posts (Atom)
