Translate

બુધવાર, 3 મે, 2017

ગેસ્ટ બ્લોગ - આત્મસભાનતા

-        ઇલા પુરોહીત

આત્મસભાનતા મનુષ્ય જન્મે 'જીવ' ની વિશેષતા છે.અન્ય પ્રાણીજીવનમાં ખુબી કુદરતે નથી આપી. એટલે માણસ હોવું વાત દુર્લભ ગણાવાઈ છે. પશુ પક્ષી પોતે નથી જાણતા કે પોતે વાઘ છે - બકરી છે - ચકલી છે. પણ મને ખબર છે કે હું માણસ છું.
જો કે સેલ્ફ અવેરનેસ બાળક મનને નથી ,જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ સ્વજનનોની વાતો અને પાઠો શિખતું જાય છે. મારા હાથ-મારું નાક-મારા કપડાં-મારા મમ્મીપપ્પા વગેરે. હું અને મારું-તમારું ના પદાર્થ-પાઠો અનુભવે સમજણોથી ડેવલપ થતી રહે છે. છતાં અહિં હું કોણ અને મારું કહેવાતું શરીર શું? - ગણતરી પાક્કી થતી નથી.ગણિત ઉકેલાતું નથી.
હા - ગીતાજીએ શરીરને સમજાવવા જરૂર કોશિષ કરી છે કે તારું શરીર પણ તે શરીર ઉપર પહેરેલા કપડા જેવું છે. સમયાંતરે કપડા બદલવા પડે એમ શરીર પણ બદલવું પડે છે એમ સમજવું.
પણખાટલે મોટી ખોટ છે કે ચોથો પાયો નહિ’ એમ દેહ અને દૈહિક ઝાકમઝાળમાં દેહનું અસત અને આત્માનું શાશ્વત અસ્તિત્વ - બંનેની ભેળસેળ થઈને આખેઆખુંસાંબેલુ સાવરણીએ નિકળી જાય’ છે. જાણેહીરો ઘોઘે જઈ આવ્યો’ એવા હાલ આપણાં થાય છે.
આત્મસભાનતા આવ્યેથી માણસ જરૂર સમજે છે કે સંસારમાં હું એકલો નથી.પશુ-પંખી-વનસ્પતિ-સમગ્ર માનવજાત- દશે દિશાઓમાં વસેલ પંચતત્વો ધરતી-અગ્નિ-વાયુ-આકાશ અને મહા જળકોષ કુદરતી બક્ષિશો સાથે પણ મારે નિસ્બત છે.
ઉપનિષદ કહે છે તેમવસુધૈવ કુટુમ્બકમ’ ન્યાયે ચાલોજાગ્યા ત્યારથી સવાર’ ગણો - માણસ તરીકે અવતર્યા તેનું ઉત્તમ ફળ છે. આખી સમસ્ત સૃષ્ટિ  સાથેનું આપણું અભિન્ન એકત્વ - તો ચાલો મૃત્યુ સુધી જીવવા મળેલી સુવર્ણ તકનો સદુપયોગ કરીને જીવતે જીવ મોક્ષની મજા માણીએ.

-        ઇલા પુરોહીત

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો