Translate

બુધવાર, 24 સપ્ટેમ્બર, 2014

ગેસ્ટ બ્લોગ : નાના ઘર દીવડાની વાત

- સુજાતા શાહ
 
એક નાના ઘર દીવડાની વાત કરવાની ઈચ્છા થાય છે. મારી સહેલીની પુત્રી પૌલા જયારે લગ્ન કરી સયુંકત કુટુંબમાં આવી ત્યારે એક કુતરો પણ કુટુંબનો સભ્ય હતો. પૌલાએ બીજા  સભ્યોની જેમ બ્રૂનોનું મન જીતી લીધું.
         
એક વાર પાસેના મકાનમાં એક બિલાડીનું બચ્ચું મૃતપાય પડ્યું હતું. પૌલાને જાણ થતાં તે ત્યાં દોડી ગયી. કાગડાઓની જમાત તેને ઘેરી વળી હતી. પૌલા, બચ્ચાને ઘરે લઇ આવી, દૂઘ આપી સ્વસ્થ કર્યું . રાતે તેને એક નાના બોક્ષ માં મૂકી મકાન માં મૂકી આવી.. તેના ઘરે કુતરો હતો તેથી બિલાડીની કેમ રાખી શકાય? સાસુજીએ સલાહ આપીકે આમ નીચે બચ્ચાને  રાખવું   તો જોખમભર્યું છે. તે બચ્ચું ઘરે આવ્યું,ડોક્ટરને બોલવી તેની સારવાર  કરાવી.બિલાડી વિષે પૌલાને  ઝાઝી માહિતી હતી પ્રેમ બધું શીખવી  દેતું હોઈ છે.
       
સહુના આશ્ચર્ય વચ્ચે  કુતરાની અને તેની દોસ્તી જામી ગયી.હવે તે પૌલાના ઘરની સદસ્ય બની ગયી.પેડર રોડ પર,
જ્યાં પૌલા રહે છે,રસ્તા ની બિલાડીને મદદની જરૂર હોઈ ત્યારે લોકો પૌલાને ખબર આપે છે  અને પૌલા મદદ માટે દોડી જાય છે.  હવે,  તેને બિલાડીને અપાતી પ્રાથમિક સારવાર વિષે જાણકારી છે તેથી તે પોતાનાથી બનતી  સારવાર આપે છે. પ્રાણીઓના ડોક્ટર પાસે જરૂરી સારવાર કરાવે છે. તેને લાગેકે  બિલાડી રસ્તા પર રહેશે તો સાજી નહિ થઇ શકે તો તેને પોતાના ઘરે રાખી સારવાર કરે છે. તે તંદુરસ્ત થઇ જાય પછી તેને એડોપ્શન માટે પ્રયત્ન કરે છે. પૌલા કહે છે," કુતરા પાળનારા ઘણા મળી જાય પરંતુ બિલાડી પાળનારા મળવા મુશ્કેલ છે.તેને માટે સમાજમાં પ્રવર્તી ગેરસમજ જવાબદાર છે. બિલાડી પણ કુતરા જેટલી પ્રેમાળ છે માત્ર તેની પ્રેમ દર્શાવવાની રીત જુદી છે." તેના પ્રયત્નોથી થોડી  બિલાડીઓન ઘર મળ્યા છે. તેની પાસે હાલ પાંચ બિલાડીઓ છે.પૌલાના બાળકો બિલાડીઓ  સાથે રમે અને કાળજી રાખે.
       
પૌલાની સાથે તેના પતિ કપિલ રોજ સવારે પેડર રોડ પર નીકળી રસ્તા પરની પંદરથી વધુ
બિલાડીઓને દૂધ તથા ખાવાનું આપે છે. બિલાડીઓને કેવીરીતે શોધો ના જવાબમાં પૌલા કહે છે,"દરેક બીલાડીઓનો પોતાનો વિસ્તાર  નિશ્ચિત હોઈ છે. અમે  જઈ બૂચાકારીએ અથવા દૂધની બોટલ હલાવી અવાજ કરીએ એટલે ત્યાની બિલાડીઓ દોડતી આવી જાય." બિલાડીઓની જરૂર  મુજબ  સારવાર પણ કરે અને ડોક્ટરને  બોલાવી સામાન્ય રીતે આપવામાં આવતા ઇન્જેકશનો અપાવે. આવા  સુંદર કાર્યની સરાહના કરનાર કરતા વખોડનારા વધારે હોય  છે. પૌલા સ્વચ્છતાની પૂરેપૂરી સભાનતા સાથે કામ કરે છે.
બિલાડીઓને ખાવાનું આપવાના પાત્રો ઘરે જાતે સાફ કરે છે.આપણાં બંધારણે પ્રાણીઓ  પર કરુણાનો અધિકાર આપ્યો છે અને કાયદો પણ પ્રાણીઓના કલ્યાણના પક્ષમાં છે હકીકત પૌલા સારી રીતે જણાતી હોવાથી લોકોના વિરોધ છતાં તેનું કાર્ય શાંતિથી આગળ ધપાવે છે. હા, ક્યારેક એવું બને કે ધણી મહેનત કરી બિલાડીને સાજી કરી હોય, પણ આતો રસ્તાની બિલાડી,અકસ્માતે મૃત્યુ થાય ત્યારે કોઈ સ્વજન ગુમાવ્યા જેવી લાગણી થાય.
             
પૌલાને સહકાર માત્ર પોતાના પરિવારનો. તેને કોઈ સામાજિક  સંસ્થાનું પીઠબળ નથી કે નથી કોઈ નાણાકીય સહાય. ઘર દીવડો સ્વબળે પ્રગટ્યો છે અને આંધીતુફાન વચ્ચે પણ પોતાની જ્યોત અખંડ રાખી શક્યો છે.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

પર્યાવરણ સબંધી જાગરૂકતા અતિ આવશ્યક બનતી જાયછે. સહુએ યથા શક્તિ પ્રયત્ન કરવાની જરૂર છે.
મારા આવા નમ્ર પ્રયાસ વિષે તમને જણાવતા હર્ષ અનુભવું છું. કચરાનું ભીના તથા સુક્કામાં  વિભાજન  કરવું હિતાવહ હોવા છતાં કેટલા લોકો કરે છે? ભીના  કચરામાંથી ઘણી સરળતાથી ઘરે ખાતર બનાવી શકાય  છે. વાતની મને જાણ હતી પરંતુ પદ્ધતિ વિષે અજાણ હતી. મારી એક સહેલીએ મને શ્રી અનીલ રંગલાનીનો ફોન નંબર આપ્યો. અનિલભાઈ વ્યવાસિક ધોરણે કાર્ય કરે છે.
           
અનિલભાઈએ મને બે મોટ્ટા કૂંડા આપ્યા. એકને માથે એક રહે તેવા. ઉપર ઢાકણ.સાથે ખાસ પ્રકારે બનાવેલા મિશ્રણના પડીકા આપ્યા. મિશ્રણ કાળી માટી જેવું છે. જેમાં જરૂરી bectariya  તથા નારીયલના રેસાનો ભૂકો વિગેરે  નાખી મિશ્રણ તૈયાર કરેલું છે. પધ્ધતિ ઘણી સરળ છે. પ્રથમ કૂંડામાં લીલો/ભીનો કચરો નાખો. તેને કોઈ નક્કામી વસ્તુની મદદથી ફેલાવી દો.તેની ઉપર મિશ્રણ હાથથી ભભરાવી થર કરો.બસ, રોજના કચરાનો એક થર, એના ઉપર મિશ્રણ એક થર.
પ્રથમ કૂંડું ભરાઈ જાય એટલે તેને નીચે મૂકી ખાલી કૂંડું ઉપર મૂકી તે ભરતા જાઓ. નીચેના કૂંડાને
કશું કરવાનું નહિ. જે કાઈ કરવાનું છે તે કુદરત કરશે. ધીમે ધીમે કચરો માટીના રૂપમાં ફેરવાઈ જશે.
માટે કૂન્ડાના કચરાને બેથી ત્રણ મહિના લાગશે.
           
સારી વાત છે કે આટલો કચરાનો સંગ્રહ હોવા છતાં વાસ નથી આવતી, કીડા નથી થતા.
જે ખાતર તૈયાર થશે તેનો ઉપયોગ નવા ખાતર બનાવવામાં થઇ શકે છે. જેમ પહેલી વાર દૂધનું દહીં બનાવવા બીજાનું મેળવણ લાવવું પડે પણ એક વાર આપણું દહીં તૈયાર થઇ ગયું પછી તેનાથી ફરી દહીં બનાવી શકી તેવું. કુદરત પણ કમાલ છે ને! દૂ:ખની વાત છે કે કોઈને કચરાનું વિભાજન કરવું ગમતું નથી  ,બહેનો ભણેલી હોવા છતાં  છતાં ભીનો કચરો શેને
કહેવાય અને સુક્કો કયો તેની  જાણકારી પણ ઘણા ને નથી હોતી. કામ સરળ બનાવવા એટલું ધ્યાનમાં રાખવાનું કે જે ઈશ્વર સર્જિત છે તે બધું ભીનું અને માનવ સર્જિત છે તે બધું સુક્કું. કોને પડી છે આમ કચરો છૂટો પડવાની?
કુદરતનું લીધેલું કુદરતને પાછું આપવાનો વ્યાયામ છે. તેના બદલામાં કુદરત અઢળક આપે છે.
રોજ સવારે અમારા મકાનના કચરાના મોટ્ટા ડબ્બામાંથી સુક્કો કચરો વીણતા યુવાનોને જોઈ હૈયું
વલોવાઈ જાય છે. વ્યવસ્થિત રીતે સહુ કચરો છૂટો પાડે અને સુક્કો કચરો વેચીએ તો મકાન
સાફ કરવાવાળા નો પગાર નીકળી જાય અને તે ઉપરાંત પૈસા બચે. સુંદર ખાતર મળે જે મકાનના
બગીચાને હરિત અને સ્વસ્થ રાખે.
મારા નમ્ર પ્રયાસમાં સહભાગી થવાનું સૌને નીમત્રણ છે.
-
સુજાતા શાહ.
નં:૯૯૨૦૨૨૫૨૮૦.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો