ગઈ કાલે ૨૬મી નવેમ્બર હતી.આ તારીખ મુંબઈના ઇતિહાસમાં લખાઈ ગઈ છે.૨૦૦૮ની એ ગોઝારી રાતના આતંકવાદી હૂમલાની દુર્ઘટનાને ત્રણ વર્ષ વીતી ગયા છે.આ આતંકવાદી હૂમલામાં સંડોવાયેલો જીવંત પકડાઈ ગયેલો એક માત્ર આતંકવાદી અજમલ કસાબ હજી ભારતની જેલમાં કેદ ભોગવી રહ્યો છે. એ પાકિસ્તાનનો નાગરિક હોવા છતાં પાકિસ્તાન સુદ્ધાએ તેને ફાંસીએ ચડાવી દેવાનું સૂચન કર્યા બાદ પણ ભારત સરકાર ભગવાન જાણે કોની રાહ જોઈ રહ્યું છે?અરે અજમલ કસાબને તો હજી ત્રણ વર્ષ થયા છે ભારતની જેલમાં પણ સંસદ પર હૂમલો કરનાર અફઝલ ગુરૂનેતો જેલમાં દસકો વીતી જવા છતાં હજી સુધી દેહાંતદંડની સજા થયા બાદ પણ હજી સુધી ફાંસીને માંચડે ચડાવાયો નથી.
આ એક હાસ્યાસ્પદ છતાં દુ:ખદ બાબત છે કે ભારતમાં ન્યાય પ્રક્રિયા ગોકળગાય કરતાં પણ ધીમી ગતિએ ચાલે છે.સાત વર્ષ પહેલાં થયેલું ઇસરત ઝા એન્કાઉન્ટર નકલી હતું એ જાહેર કરતાં ઉચ્ચ ન્યાયાલયને સાત વર્ષ જેટલો લાંબો સમય લાગે છે. ગોધરાકાંડ જેવા હત્યાકાંડનો ફેંસલો સુણાવતા પણ ન્યાયાલયને નવ-નવ વર્ષ જેટલો સમય લાગે છે.લગભગ વીસેક વર્ષ અર્થાત બે દાયકા જેટલો સમય વીતી જવા છતાં મુંબઈના કોમી રમખાણોનો ચુકાદો હજી સુધી સંપૂર્ણ થઈ શક્યો નથી. તો ત્રણેક દાયકા પહેલા ઘટેલી ભોપાલ ગેસ દુર્ઘટનાનો ચુકાદો પણ સાવ અન્યાયી લાગે એ રીતે આટલાં વર્ષો બાદ થોડાં સમય અગાઉ સુણાવાયો હતો.
હમણાં થોડા સમય અગાઉ એક સમાચાર વાંચવામાં આવ્યા. 'જેસિકા લાલ' નામની મહિલાની દિલ્હીના એક ડિસ્કોક્લબમાં સેંકડો લોકોની હાજરીમાં માત્ર એક ડ્રિન્ક સર્વ કરવાની ના પાડવા બદલ બંદૂકની ગોળી મારી હત્યા કરી નાંખનાર અતિ વગ ધરાવનાર પરિવારના નબીરો મનુ શર્મા (આ અતિ ચર્ચાસ્પદ કિસ્સા પર 'નો વન કિલ્ડ જેસિકા' નામની વિદ્યા બાલન અને રાણી મુખર્જી અભિનીત એક ફિલ્મ પણ પ્રદર્શિત થઈ ચૂકી છે) હાલમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યો છે. આ સડેલા મગજ ધરાવતા ગુનાખોરને સરકારે તેના ભાઈના લગ્નમાં હાજરી આપી શકે એ માટે પેરોલ પર કેટલાક દિવસની છૂટ આપી છે, જે મુજબ તેને થોડા દિવસ જેલમાંથી મુક્તિ મળશે અને તેના ઘેર જવા મળશે જેથી તે પોતાના ભાઈના લગ્ન-જલસામાં ભાગ લઈ મોજ મજા કરી શકે. જો કે એક વાતનું સરકારે ધ્યાન રાખ્યું છે તેની નોંધ લેવી જોઇએ! આ પહેલા પણ એક વાર આ મનુ શર્માને પેરોલ પર છોડવામાં આવ્યો હતો અને ત્યારે તેણે ફરી એક ડિસ્કોબારમાં જઈ ધમાલ કરી હતી અને પોલિસે વચ્ચે પડવાની ફરજ પડી હતી. આથી આ વખતે પેરોલ ગાળા દરમ્યાન તેને કોઈ પણ ડાન્સબારમાં જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે! અરે ભાઈ એ ગુનેગાર છે, એને પૂરેપૂરા જલસા થોડા કરવા દેવાય?
બીજો એક ચોંકાવનારો કિસ્સો સાંભળો. જેસિકા લાલ મર્ડર કેસમાં મનુ શર્માના સાગરિત એવા વિકાસ યાદવ (બીજો એક રાજકીય વગ ધરાવનાર છકેલ નબીરો) (મને તેની સાથે સરખું જ નામ ધરાવવા બદલ પસ્તાવો થાય છે!) ને પણ આ અગાઉ એક વાર પેરોલ પર છોડવામાં આવ્યો હતો અને ત્યારે તેણે એક જણની હત્યા કરી નાંખી હતી.
અહિં એક પ્રશ્ન થાય.આવા ખૂંખાર સમાજ માટે ખતરા રૂપ ગુનેગારોને પેરોલ પર ગમે તે કારણ હોય, રજા આપવાની કોઈ જરૂર ખરી? તેઓ કોઈ ગુના માટે જ સજા કાપી રહ્યા હોય ત્યારે તેમના પર દયા ખાઈ તેમને ગમે તે કારણ સર જેલમાંથી મુક્તિ મળવી જ શા માટે જોઇએ? મહારાષ્ટ્રમાં આ રીતે પેરોલ પર છૂટી ભાગી જનારા કે ગુમ થઈ જનારા કેદીઓનો આંકડો ચોંકાવનારી હદે વધી ગયો છે એવા એક સમાચાર પણ વાંચ્યા. શા માટે ન્યાય પ્રક્રિયામાં લોકો ગેરલાભ લઈ શકે એવી જોગવાઈઓ રાખવી જ જોઇએ?
જામીનની વ્યવસ્થાનો પણ સૌથી વધુ ગેરલાભ ઉઠાવાય છે.પૈસા ભરો અને ગુનો કરી છટકી જાઓ. દેશમાં લાખો બેકાર યુવાનો નોકરી માટે ટળવળે છે ત્યારે તેમાંના મોટા ભાગનાને જો યોગ્ય ટ્રેઇનિંગ આપી ન્યાયવ્યવસ્થાનું જ્ઞાન અપાય અને તેમની મદદથી વર્ષો સુધી ચાલતા કેસોનો ઝડપી ફેંસલો લવાય તો દેશની એક મોટી સમસ્યા એવી બેરોજગારીનો ઉકેલ તો આવે અને સાથે સાથે ન્યાય વ્યવસ્થા અને ન્યાય તંત્રમાં પણ ખૂબ સારો સુધારો જોવા મળે!સરકારે પેરોલ, જામીન જેવી અન્યાયી છૂટછાટ બંધ કરી,કસાબ-અફઝલ ગુરુ જેવાને જલ્દી ફાંસીને માંચડે ચડાવી,મોટા ભાગના બેરોજગાર યુવકો માટે ન્યાયતંત્ર ક્ષેત્રે નોકરીની વિપુલ તઓ ઉભી કરવી જોઇએ.
રવિવાર, 27 નવેમ્બર, 2011
ન્યાયતંત્રમાં સુધારો
લેબલ્સ:
'Indian judiciary system',
parol
શનિવાર, 19 નવેમ્બર, 2011
માર્કેટીંગનો યુગ
આજે જમાનો માર્કેટીંગનો છે. ‘જે દેખાય એ વેચાય’ - એ સફળતાનો મંત્ર છે. જાહેરાતો કે એડવર્ટાઈઝીંગ પાછળ મોટી મોટી કંપનીઓમાં તો કરોડો રૂપિયાનું બજેટ હોય છે. વધતી જતી સ્પર્ધાત્મકતાનું આ પરિણામ છે.
ઘણી વાર જાહેરાતની દુનિયામાં જાણે હરિફ કંપનીઓ એક મેક સામે યુદ્ધ છેડે છે. એક કંપની બીજી કંપનીને નીચી દેખાડવા કે તેના ગ્રાહકો છીનવી લેવા ગમે તે હદ સુધી જાય છે. આ તંદુરસ્ત અભિગમ નથી. તમારી પ્રોડક્ટના તમે જોઇએ એટલા ગુણ ગાઓ (એ માટે તમારે સારી ગુણવત્તા ધરાવતી પ્રોડક્ટ બનાવવી પડશે જે જનતાના ફાયદામાં જ છે!) પણ બીજાની પ્રોડક્ટને ખરાબ ચિતરો કે અન્ય હરીફ કંપનીની પ્રોડક્ટની ખામીઓ ઉજાગર કરો એ બિરબલની પેલી વાર્તામાં હતું એમ બીજાની લીટી નાની કરીને તમે પોતાની લીટી મોટી કરો એ બરાબર છે. બીજાની લીટીને અડ્યા વિના તમારી લીટી મોટી કરવા પ્રયત્ન કરો એ નૈતિક દ્રષ્ટીએ સાચું અને યોગ્ય ગણાય.
આ વિચાર મને તાજેતરમાં જ એક કાર કંપનીની એડ જોઇને આવ્યો. ટાટા મોટર્સે બહાર કાઢેલી નવી વિસ્ટા ગાડીની એ એડમાં તેમણે પોતાની આ નવી ગાડીની સરખામણી મારુતિ કંપનીની નવી ગાડી સ્વિફ્ટ સાથે કરી હતી. આ કમ્પેરિઝન ગાડી વેચનારના શો રૂમમાં વેપારી ગ્રાહકને બતાવે (ગ્રાહકના પૂછ્યા બાદ) તો મારા મતે કોઈ વાંધો નહિં પણ પોતાની ગાડી વધુ સારી બતાવવા હરીફની ગાડીના પોતાની ગાડીની સરખામણીએ નબળા પાસા દર્શાવવા એ ટાટા જેવી કંપનીએ કર્યું એ મને ન રૂચ્યું.
જો હરિફના પ્રોડક્ટ સાથે તમારા ખરેખરી ગુણવત્તા ધરાવતા પ્રોડક્ટની સરખામણી કરવી જ હોય તો હરિફનું નામ લીધા વગર પણ એ થઈ જ શકે છે. પ્રખ્યાત કરમચંદ ટી.વી. સિરિયલમાં તેની સેક્રેટરી કીટી બનતી સુસ્મિતા મુખર્જીની પેલી કેપ્ટન કૂક નમક વાળી એડ યાદ છે? ભલે એ મીઠુ બજારમાં નિષ્ફળ ગયું હોય પણ તેની એ એડ લાજવાબ હતી! તેમાં સુસ્મિતા મુખર્જીના એક્સ્પ્રેશન્સ કેટલા સરસ મજાનાં હતાં! હરિફનું નામ લીધા વગર ઘણી સારી રીતે આ એડમાં કેપ્ટન કૂક નમકે પોતાની સરખામણી હરિફ સાથે કરી હતી અને પોતાના મીઠાના પ્લસ પોઇન્ટ્સ અસરકારક રીતે રજૂ કર્યા હતાં.
ફિલ્મ લાઈનમાં જે માર્કેટીંગ વ્યૂહ અને અભિગમ અપનાવાય છે તે પણ ક્યારેક અતિ મજાનો અને રસપ્રદ તો ક્યારેક અતિ નિમ્ન કક્ષાનો હોય છે. આજકાલ દરેક ફિલ્મોનું પ્રમોશન કરવા જે તે ફિલ્મના કલાકાર ટી.વી. પર પ્રસારિત થતી સિરિયલો કે રિયાલીટી શોઝમાં જોવા મળે છે.પહેલાના સમયમાં તો ફિલ્મી દુનિયાના સિતારા ભાગ્યે જ ટી.વી. ના માધ્યમમાં જોવા મળતાં. અને હવે? કોઈ પણ ચેનલ ફેરવો, તમને રૂપેરી પડદાના કલાકારો જજ સ્વરૂપે કે હોસ્ટ તરીકે કે મહેમાન તરીકે કે પછી પોતાની આવનારી ફિલ્મનું પ્રમોશન કરી રહેલા નજરે પડશે! શાહરૂખ ખાને રા.વનની પબ્લિસીટી કરવામાં તો હદ જ કરી નાંખી! હમણાં એક હોરર ફિલ્મના પોસ્ટરે પણ જબરો હોબાળો મચાવ્યો. આ પોસ્ટરમાં શેતાન કે વિલનને ક્રોસ પર ઉભેલા જિસસ ક્રાઈસ્ટ (ખ્રિસ્તીઓના ભગવાન) પર ચાકુ ઘૂસાડતા બતાવાયો હતો. હવે આ પ્રકારના ગતકડા જાણી જોઈને વિવાદ ઉભો કરવા માટે થઈને જ કરવામાં આવે છે જેથી જે હલ્કી પબ્લિસીટી છાપે ચડીને મેળવી શકાય. પણ આજે પ્રેક્ષકો અને વાચકો પણ સ્માર્ટ થઈ ગયા છે. ફિલ્મ જો સારી હશે તો ઓછી પબ્લિસીટી કર્યા છતાં ચાલશે જ! છાપાઓમાં ફિલ્મી કલાકારોના ફિલ્મની રીલીઝ થવાની તારીખ પહેલા અફેર કે લિન્ક અપ્સના ખબર પણ માર્કેટીંગ સ્ટ્રેટેજીનો જ એક ભાગ હોય છે.
અમુલ જેવી બ્રાન્ડ દર સપ્તાહે કે કોઈ મહત્વના પ્રસંગ વખતે જે તે સમયને અનુરૂપ જે હોર્ડીંગ્સ તૈયાર કરી પોતાની બ્રાન્ડની પબ્લિસીટી કરે છે એ કાબેલેતારીફ છે.(મેં ક્યાંક વાંચ્યું હતું કે આ પાછળ કોઈક ગુજરાતીનું ભેજું જ કામ કરે છે) આને કહેવાય સર્જનાત્મકતા. બાકી તમારી બ્રાન્ડમાં દમ હોય કે ન હોય છતાં તમે બીજા હરિફોના પ્રોડક્ટ્સની ઠેકડી ઉડાવી તમારા ઉત્પાદનની પબ્લિસીટી કરો એવું પણ સ્પ્રાઈટ,કોકા કોલા અને પેપ્સીના કેસમાં આપણે સૌએ જોયું જ છે!
ખેર, વાચકો તમે સાચા ખોટાનો ભેદ પારખી શકો એટલાં હોશિયાર તો બનજો જ અને સાથે એટલી જ અપેક્ષા સાથે આ બ્લોગ પૂરો કરું છું કે માર્કેટીગના આ યુગમાં આપણને શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતા ઉત્પાદનો વાપરવા મળે!
શનિવાર, 12 નવેમ્બર, 2011
આપણે ક્યારે કાયરતા છોડીશું?
[વ્હાલા વાચકમિત્રો,
આજે આપની આ લોકપ્રિય કટાર 'બ્લોગને ઝરૂખે થી...' ૧૦૦ સપ્તાહ પૂરા કરે છે.મને બેહદ ખુશી છે કે આપે આ કટારને અને તેમાં પ્રગટ થતાં મારા વિચારો તેમજ ગેસ્ટબ્લોગમાં પ્રગટ થતાં અન્ય વાચક અને બ્લોગર મિત્રોના વિચારોને આવકાર્યા છે,પસંદ કર્યા છે.હું સતત કંઈક નોખું લખી વિવિધ વિષયોને તમારી સમક્ષ પ્રગટ કરવાના પ્રયત્ન કરતો રહ્યો છું અને તેમ કરતાં પોતે પણ ઘણું શીખ્યો છું.આ બ્લોગયાત્રામાં સહભાગી થવા બદલ તમારા સૌનો હ્રદયપૂર્વક આભાર માનું છું.ભવિષ્યમાં પણ તમારો સહકાર કાયમ રહેશે એવા વિશ્વાસ સાથે તમારા વિચારો,પ્રતિભાવો લખી મોકલવા વિનંતી.
- વિકાસ ઘનશ્યામ નાયક ]
સાત મિત્રો પાનના ગલ્લે રાતનું ખાવાનું પતાવી પાન ખાવા આવે છે. તેમાં ત્રણ યુવતિઓ અને ચાર યુવકો છે. પાનના ગલ્લે એક દારૂડિયો પેલા સાત મિત્રોના ગ્રુપમાંની એક યુવતિ ઉપર બિભત્સ કમેન્ટ કરે છે અને તે ગ્રુપના યુવાનો ઉશ્કેરાઈ જાય છે. તેમની પેલા દારૂડિયા સાથે બોલાચાલી વધુ ઉગ્ર બની જાય છે અને ગ્રુપમાંનો એક યુવાન પેલા દારૂડિયાને ગાલે તમાચો લગાવી દે છે. દારૂડિયો યુવાન ધમકી આપી ચાલ્યો જાય છે અને પાંચ જ મિનિટમાં બીજા વીસેક યુવાનો સાથે હાથોમાં હોકી,ચાકુ,સાંકળ અને એવા શસ્ત્રો લઈ પાછો ફરે છે અને પેલા ગ્રુપમાંના બે યુવાનો પર તૂટી પડે છે. બેમાંથી એક યુવાનતો ઘટનાસ્થળે જ મૃત્યુ પામે છે.અને બીજો યુવાન પણ ખૂબ ગંભીર રીતે ઘાયલ છે. આ ઘટનાના દસેક દિવસ બાદ તે બીજો યુવાન પણ હોસ્પિટલમાં મૃત્યુ પામે છે.
આ ખૂંખાર, અરેરાટીભરી અને કમનસીબ ઘટના મુંબઈના અંધેરી પરામાં રાતે સાડા નવની આસપાસ એકાદ મહિના પહેલાં જ બનેલી સાચી દુર્ઘટના છે. પાનનો ગલ્લો એક પ્રખ્યાત એવી રેસ્ટોરન્ટની બહાર જ આવેલો છે જ્યાં ઘણાં લોકોની અવર જવર હોય છે. ઉપરાંત અહિંથી થઈને ઘણી રિક્ષા, ટેક્સી, બસો પસાર થાય છે. વીસ યુવાન ગુંડાઓ પેલા સાત મિત્રોના ગ્રુપ ઉપર તૂટી પડ્યા ત્યારે અનેક લોકો આ દુર્ઘટનાના મૂક સાક્ષી બની રહ્યાં. થોડી ઘણી રીક્ષાઓ, એકાદબે બસો અને થોડાં ખાનગી વાહનો પણ તમાશો જોવા અટક્યા હોય એમ થોડી વાર ઉભા રહ્યાં અને પછી કંઈજ પગલું લીધા વિના પોતપોતાના માર્ગે આગળ વધી ગયાં. પાનના ગલ્લા વાળાએ કે રેસ્ટોરન્ટના માલિક કે સ્ટાફે કે આજુબાજુની દુકાનો વાળાઓએ કે રાહદારીઓએ કે ત્યાંના આજુબાજુના રહીશો જે સૌ આ દુર્ઘટના ના મૂક સાક્ષી જ બની રહ્યાં, તેઓ જો એ સમયે એક થઈ એ વીસેક ગુંડાઓનો સામનો કરવા રસ્તા પર ઉતરી આવ્યા હોત તો કદાચ બે આશાસ્પદ હિંમતવાન યુવાનો પોતાનો જીવ ન ગુમાવી બેસત.
આપણાં દેશમાં મોટાં ભાગના લોકોનો એટીટ્યુડ એવો હોય છે કે આપણે કોઈના જમેલામાં શા માટે વચ્ચે પડવું? આપણું પોતાનું અંગત ક્યાં કોઈ મુશ્કેલીમાં છે? શા માટે કોઈ અજાણ્યાને બચાવવા વણનોતરી મુસીબત માથે લેવી? રસ્તે પણ ઘણી વાર કોઈક સાવ સામાન્ય ઘટના પણ બનશે તો તરત લોકોનું મોટું ટોળું જમા થઈ જશે પણ કોઈ ખરી મદદ કરવા આગળ નહિં આવે.
હજી તો પોતાના ગ્રુપમાંની યુવતિ પર અણછાજતી કમેન્ટ કરનારનો સામનો કરનાર આ બે હિંમતવાન કમનસીબ યુવાનોની હત્યાના આ કેસની છાપામાં ચર્ચા ચાલે જ છે ત્યાં બીજી બે દુર્ઘટનાઓ બની છે જે ફરી એક વાર આપણી કાયરતાની ચાડી ખાય છે. ગુજરાતમાં એક આર.ટી.આઈ એક્ટીવીસ્ટની અમદાવાદના ભરચક વિસ્તારમાં શસ્ત્રધારી બે-ત્રણ ગુંડાઓએ ઉપરાઉપરી ઘા કરી હત્યા કરી નાંખી અને બીજા એક કેસમાં મુંબઈમાં એક યુવાનને બે દુશ્મનોએ પ્રોપર્ટીના ઝઘડામાં જીવતો સળગાવી મારી નાંખ્યો. આ યુવાનનો સાત વર્ષનો પુત્ર રડી રડી ચીસો પાડી લોકોની મદદ માંગતો રહ્યો પણ કોઈ વચ્ચે ન પડ્યું અને સળગતો યુવાન વીસેક મિનિટ સુધી બળી ભડથું થઈ મરી ગયો.
શું માનવતા મરી પરવારી છે? દુર્ઘટના કાલે આપણી સાથે કે આપણાં પરિવારના કોઈ એક સભ્ય સાથે પણ બની શકે છે. કોઈક દુર્ઘટના બની ગયા પછી કેન્ડલમાર્ચ યોજી સરઘસો કાઢી કંઈ હાંસલ થવાનું નથી. જરૂર છે આપણે સૌએ થોડી હિંમત કેળવવાની. જરૂર છે કાયરતા ત્યજી દેવાની. જરૂર છે થોડાં જવાબદાર નાગરિક બનવાની. એકલા કદાચ હીરો કે હીરોઈન ન બની શકીએ પણ ટોળું ભેગું થઈ ચોક્કસ અસામાજિક તત્વોનો સામનો કરી જ શકે.આજુબાજુના લોકોને મદદ માટે હાકલ પાડી તો જુઓ. કદાચ એ તમારી જ કે કોઈ બીજાના આગળ આવવાની રાહ જોતો હોય! કદાચ પોતે એકલા હોઈએ ત્યારે પણ પોલીસને કે મદદ કરી શકે એમ હોય તેવી વ્યક્તિ કે સંસ્થાને પ્રેસેન્સ ઓફ માઈન્ડ વાપરી તરત આવી કોઈ ઘટના વિષે જાણ કરીને પણ આપણે કદાચ મોટી દુર્ઘટના બનતા અટકાવી શકીએ.પણ સાવ નિષ્ક્રીય બની રહી માત્ર મૂંગા સાક્ષી બની રહીશું તો ઇશ્વર પણ આપણને માફ નહિં કરે.
આજે આપની આ લોકપ્રિય કટાર 'બ્લોગને ઝરૂખે થી...' ૧૦૦ સપ્તાહ પૂરા કરે છે.મને બેહદ ખુશી છે કે આપે આ કટારને અને તેમાં પ્રગટ થતાં મારા વિચારો તેમજ ગેસ્ટબ્લોગમાં પ્રગટ થતાં અન્ય વાચક અને બ્લોગર મિત્રોના વિચારોને આવકાર્યા છે,પસંદ કર્યા છે.હું સતત કંઈક નોખું લખી વિવિધ વિષયોને તમારી સમક્ષ પ્રગટ કરવાના પ્રયત્ન કરતો રહ્યો છું અને તેમ કરતાં પોતે પણ ઘણું શીખ્યો છું.આ બ્લોગયાત્રામાં સહભાગી થવા બદલ તમારા સૌનો હ્રદયપૂર્વક આભાર માનું છું.ભવિષ્યમાં પણ તમારો સહકાર કાયમ રહેશે એવા વિશ્વાસ સાથે તમારા વિચારો,પ્રતિભાવો લખી મોકલવા વિનંતી.
- વિકાસ ઘનશ્યામ નાયક ]
સાત મિત્રો પાનના ગલ્લે રાતનું ખાવાનું પતાવી પાન ખાવા આવે છે. તેમાં ત્રણ યુવતિઓ અને ચાર યુવકો છે. પાનના ગલ્લે એક દારૂડિયો પેલા સાત મિત્રોના ગ્રુપમાંની એક યુવતિ ઉપર બિભત્સ કમેન્ટ કરે છે અને તે ગ્રુપના યુવાનો ઉશ્કેરાઈ જાય છે. તેમની પેલા દારૂડિયા સાથે બોલાચાલી વધુ ઉગ્ર બની જાય છે અને ગ્રુપમાંનો એક યુવાન પેલા દારૂડિયાને ગાલે તમાચો લગાવી દે છે. દારૂડિયો યુવાન ધમકી આપી ચાલ્યો જાય છે અને પાંચ જ મિનિટમાં બીજા વીસેક યુવાનો સાથે હાથોમાં હોકી,ચાકુ,સાંકળ અને એવા શસ્ત્રો લઈ પાછો ફરે છે અને પેલા ગ્રુપમાંના બે યુવાનો પર તૂટી પડે છે. બેમાંથી એક યુવાનતો ઘટનાસ્થળે જ મૃત્યુ પામે છે.અને બીજો યુવાન પણ ખૂબ ગંભીર રીતે ઘાયલ છે. આ ઘટનાના દસેક દિવસ બાદ તે બીજો યુવાન પણ હોસ્પિટલમાં મૃત્યુ પામે છે.
આ ખૂંખાર, અરેરાટીભરી અને કમનસીબ ઘટના મુંબઈના અંધેરી પરામાં રાતે સાડા નવની આસપાસ એકાદ મહિના પહેલાં જ બનેલી સાચી દુર્ઘટના છે. પાનનો ગલ્લો એક પ્રખ્યાત એવી રેસ્ટોરન્ટની બહાર જ આવેલો છે જ્યાં ઘણાં લોકોની અવર જવર હોય છે. ઉપરાંત અહિંથી થઈને ઘણી રિક્ષા, ટેક્સી, બસો પસાર થાય છે. વીસ યુવાન ગુંડાઓ પેલા સાત મિત્રોના ગ્રુપ ઉપર તૂટી પડ્યા ત્યારે અનેક લોકો આ દુર્ઘટનાના મૂક સાક્ષી બની રહ્યાં. થોડી ઘણી રીક્ષાઓ, એકાદબે બસો અને થોડાં ખાનગી વાહનો પણ તમાશો જોવા અટક્યા હોય એમ થોડી વાર ઉભા રહ્યાં અને પછી કંઈજ પગલું લીધા વિના પોતપોતાના માર્ગે આગળ વધી ગયાં. પાનના ગલ્લા વાળાએ કે રેસ્ટોરન્ટના માલિક કે સ્ટાફે કે આજુબાજુની દુકાનો વાળાઓએ કે રાહદારીઓએ કે ત્યાંના આજુબાજુના રહીશો જે સૌ આ દુર્ઘટના ના મૂક સાક્ષી જ બની રહ્યાં, તેઓ જો એ સમયે એક થઈ એ વીસેક ગુંડાઓનો સામનો કરવા રસ્તા પર ઉતરી આવ્યા હોત તો કદાચ બે આશાસ્પદ હિંમતવાન યુવાનો પોતાનો જીવ ન ગુમાવી બેસત.
આપણાં દેશમાં મોટાં ભાગના લોકોનો એટીટ્યુડ એવો હોય છે કે આપણે કોઈના જમેલામાં શા માટે વચ્ચે પડવું? આપણું પોતાનું અંગત ક્યાં કોઈ મુશ્કેલીમાં છે? શા માટે કોઈ અજાણ્યાને બચાવવા વણનોતરી મુસીબત માથે લેવી? રસ્તે પણ ઘણી વાર કોઈક સાવ સામાન્ય ઘટના પણ બનશે તો તરત લોકોનું મોટું ટોળું જમા થઈ જશે પણ કોઈ ખરી મદદ કરવા આગળ નહિં આવે.
હજી તો પોતાના ગ્રુપમાંની યુવતિ પર અણછાજતી કમેન્ટ કરનારનો સામનો કરનાર આ બે હિંમતવાન કમનસીબ યુવાનોની હત્યાના આ કેસની છાપામાં ચર્ચા ચાલે જ છે ત્યાં બીજી બે દુર્ઘટનાઓ બની છે જે ફરી એક વાર આપણી કાયરતાની ચાડી ખાય છે. ગુજરાતમાં એક આર.ટી.આઈ એક્ટીવીસ્ટની અમદાવાદના ભરચક વિસ્તારમાં શસ્ત્રધારી બે-ત્રણ ગુંડાઓએ ઉપરાઉપરી ઘા કરી હત્યા કરી નાંખી અને બીજા એક કેસમાં મુંબઈમાં એક યુવાનને બે દુશ્મનોએ પ્રોપર્ટીના ઝઘડામાં જીવતો સળગાવી મારી નાંખ્યો. આ યુવાનનો સાત વર્ષનો પુત્ર રડી રડી ચીસો પાડી લોકોની મદદ માંગતો રહ્યો પણ કોઈ વચ્ચે ન પડ્યું અને સળગતો યુવાન વીસેક મિનિટ સુધી બળી ભડથું થઈ મરી ગયો.
શું માનવતા મરી પરવારી છે? દુર્ઘટના કાલે આપણી સાથે કે આપણાં પરિવારના કોઈ એક સભ્ય સાથે પણ બની શકે છે. કોઈક દુર્ઘટના બની ગયા પછી કેન્ડલમાર્ચ યોજી સરઘસો કાઢી કંઈ હાંસલ થવાનું નથી. જરૂર છે આપણે સૌએ થોડી હિંમત કેળવવાની. જરૂર છે કાયરતા ત્યજી દેવાની. જરૂર છે થોડાં જવાબદાર નાગરિક બનવાની. એકલા કદાચ હીરો કે હીરોઈન ન બની શકીએ પણ ટોળું ભેગું થઈ ચોક્કસ અસામાજિક તત્વોનો સામનો કરી જ શકે.આજુબાજુના લોકોને મદદ માટે હાકલ પાડી તો જુઓ. કદાચ એ તમારી જ કે કોઈ બીજાના આગળ આવવાની રાહ જોતો હોય! કદાચ પોતે એકલા હોઈએ ત્યારે પણ પોલીસને કે મદદ કરી શકે એમ હોય તેવી વ્યક્તિ કે સંસ્થાને પ્રેસેન્સ ઓફ માઈન્ડ વાપરી તરત આવી કોઈ ઘટના વિષે જાણ કરીને પણ આપણે કદાચ મોટી દુર્ઘટના બનતા અટકાવી શકીએ.પણ સાવ નિષ્ક્રીય બની રહી માત્ર મૂંગા સાક્ષી બની રહીશું તો ઇશ્વર પણ આપણને માફ નહિં કરે.
શનિવાર, 5 નવેમ્બર, 2011
ગેસ્ટ બ્લોગ : તહેવારો એટલે...
રવિવાર, 30 ઑક્ટોબર, 2011
તહેવારોની ફોજ !
ગયા બ્લોગમાં તહેવારોના રાજા સમા રોશની પર્વ દિવાળીની વાત કરી. આ બ્લોગમાં નવા વર્ષથી શરૂ થઈ જઈ આપણા જીવનમાં ખુશાલી અને ઉમંગોલ્લાસ ભરી દેનાર અન્ય તહેવારોની ફોજની વાત કરવી છે!
દિવાળી બાદ શરૂ થતા આપણાં ગુજરાતીઓના નવા વર્ષની શરૂઆતમાં જ લાભ પાંચમ સુધી દિવાળીનો મૂડ બરકરાર રહે! એનાથી ધરાયા ન હોઈએ તેમ પંદર દિવસ બાદ કારતક સુદ પૂનમે આવે દેવદિવાળી અને તુલસી વિવાહ! બાળકો થોડા ઘણાં ફટાકડા આ રાત માટે સાચવીને રાખ્યા હોય એ ફોડે અને આ દિવસે સાંજે તુલસીના છોડને સરસ વાઘા પહેરાવી,સજાવી શણગારી કૃષ્ણ ભગવાન સાથે પરણાવવામાં આવે!
આપણે ગુજરાતી વર્ષના અંતને દિવાળી દ્વારા ઉજવીએ એટલાં જ ઉત્સાહથી ખ્રિસ્તીઓ અંગ્રેજી કેલેન્ડર વર્ષના અંતને ક્રિસ્મસ કે નાતાલ દ્વારા ઉજવે.ભગવાન ઇશુ ખ્રિસ્તનો જન્મ નાતાલના દિવસે સાંજે માસ પ્રેયર દ્વારા અને રોશની તેમજ પાર્ટી કરીને ઉજવાય અને ૩૧મી ડિસેમ્બરની રાત પણ આપણે સૌ કોઈ મહા ઉત્સવની જેમજ ઉજવીએ!અંગ્રેજી કેલેન્ડરના પ્રથમ દિવસે એટલે કે પહેલી જાન્યુઆરીએ ઓફિસ જવાનો મારી જેમ જ સૌને ભારે કંટાળો આવતો હશે!આ દિવસે જો શનિ-રવિની રજા મળે તો તો જલસા જ પડી જાય!
આ પછી ફરી પાછો હિન્દુ તહેવાર મકર સંક્રાંતિ (ઉત્તરાયણ) આવે! પતંગ ઉડાવવાની અને ચિક્કીની મજા માણવાનો આ અવસર પણ ભાગ્યે જ કોઈ ઉત્સવપ્રિય જણ ચૂકતો હશે! ગુજરાતમાં તો ધાબે ચડી આખો પરિવાર આ પર્વની મજા માણે!મુંબઈગરા પાસે આવું ધાબાનું સુખતો હોતું નથી પણ તેઓ યે કોઈ તહેવારની મજા માણવામાં કચાશ છોડતાં નથી!
ફેબ્રુઆરી-માર્ચમાં વસંત ઋતુ આવે અને સાથે રંગોના તહેવાર હોળી - રંગપંચમી લઈને આવે. પ્રકૃતિ પણ આ ઋતુમાં તો સોળે કળાએ ખિલી હોય એમાં હોળી-ધૂળેટી જેવા તહેવારમાં આબાલવૃદ્ધ સૌ કોઈ મન ભરીને એકબીજાના તનને ગુલાલ,કેસૂડા તેમજ અન્ય રંગોથી રંગી દઈ ધરાઈને માણે! હોળીની સાંજે હોળિકા દહન કરી જ્યારે આપણે અગ્નિની પ્રદક્ષિણા કરીએ છીએ ત્યારે એ શરીરમાંથી કફ છૂટો પાડી આરોગ્ય માટે પણ મદદરૂપ સાબિત થાય છે જેની ઘણાં ઓછાંને ખબર હશે.આમ હોળીની પૂજા અને પ્રદક્ષિણા સ્વાસ્થ્ય માટે પણ સારી સાબિત થાય છે.
પછી થોડાં વિરામ બાદ શ્રાવણ માસ આવે એટલે ફરી વ્રત-તહેવારોની મોસમ શરૂ થઈ જાય. બોળચોથ,નાગપાંચમ,રાંધણ છઠ,શીતળા સાતમ,ગોકુલાષ્ટમી,રક્ષા બંધન,શ્રાવણિયા સોમવાર અને આ બધા પવિત્ર દિવસો-પર્વો એક અજબની અનુભૂતિ કરાવે છે. બોળચોથે ખાંડવા કે દળવાનું નહિં. નાગપાંચમે ઘેર નાગના ચિત્ર દોરી, તેમની પૂજા કરી ફૂલહાર અને દૂધ તથા કુલેરના લાડવા પ્રસાદમાં ધરાવાય (વર્ષમાં આ એક જ દિવસે મીઠ્ઠી સ્વાદિષ્ટ જુવારના લોટ અને ગોળમાંથી બનતી કુલેર ખાવા મળતી હશે!), સાચા નાગને દૂધ જરાયે ભાવતું ન હોવા છતાં મદારીઓ આ દિવસે નાગોને પરાણે દૂધ પાઈ પૈસા ઉઘરાવતા હોય છે.સાચા નાગોને પરાણે દૂધ પાવવાની આ પ્રથા બંધ થવી જોઇએ. રાંધણ છઠ્ઠે બીજા દિવસ માટેનું ખાવાનું બનાવી રાખવાનું અને શીતળા સાતમે વ્રતકથાઓમાંથી દેરાણી-જેઠાણી અને શીતળામાની વાર્તા વાંચી-સાંભળી આખો દિવસ ચૂલો કે ગેસ પેટાવ્યા વગર ઠંડું ખાવાનું. શ્રાવણ વદ સાતમની રાતે કૃષ્ણ જન્મની તૈયારીઓ કરી શણગાર વગેરે કરી કૃષ્ણ જન્મ કરાવવાનો અને બીજે દિવસે મટકી ફોડતા ગોવિંદાઓને જોઈ અચંબો પામવાનું!
શ્રાવણ સુદ પૂનમે આવતો રક્ષા બંધનનો તહેવાર ભાઈબીજ તથા વીરપસલીની જેમ જ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક સમો તહેવાર છે. હેતપૂર્વક બહેન ભાઈના હાથે રાખડી બાંધી ભગવાનને તેની રક્ષા કરી તેને સુખસમ્રુદ્ધિ આપવાની પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે. આ તહેવારને દિવસે જે ભાઈઓને બહેન નથી કે જે બહેનોને ભાઈ નથી તેમના મનમાં કેવી લાગણી થતી હશે એવો વિચાર ઘણી વાર આવે છે. આ દિવસ નાળિયેરી પૂર્ણિમા તરીકે પણ માછીમારો દ્વારા દરિયાદેવની પૂજા અર્ચના કરીને ઉજવાય છે.
ત્રણ વર્ષે એક વાર હિન્દુ કેલેન્ડરમાં બીજા મહિનાઓ વચ્ચે સમાઈ જતો અધિક માસ પણ ઘરનું વાતાવરણ ધાર્મિક બનાવી દે છે.ઘરની સ્ત્રીઓ આ પૂરા મહિના દરમ્યાન નાનકડા ખેતરની પ્રતિક્રુતિ બનાવી તે ખેડે છે અને કાંઠાગોરમાની ભાવ અને ભક્તિ પૂર્વક પૂજા કરે છે.હું નાનો હતો ત્યારે આ પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખાતા મહિના દરમ્યાન અમારી ચાલીના કોઈ એક પાડોશીને ત્યાં થતી પૂજામાં રોજ મારી મમ્મી અને બહેનો સાથે જતો અને ત્યારે પૂજા કરતી વખતે તેઓ જે ગીતો ગાતા 'આંબુડુ જાંબુડુ..કેરી ને કોઠીમડું...' , 'ગોરમા ગોરમા રે...સુખડા લ્યો...'વગેરે મને હજી યાદ આવે ત્યારે મારું મન મલકાઈ ઉઠે છે!
આ પછી આવે દેવાધિદેવ ગણરાયાનુ ભક્તિ પર્વ ગણેશોત્સવ જેની ગણના લાંબા ચાલનારા તહેવારોમાં કરી શકાય. આ સાર્વજનિક તહેવાર મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઉજવાતો હોવા છતાં હવે તો એ ફક્ત દેશમાં જ નહિં, એન.આર.આઈઓ દ્વારા વિદેશ સુધી જઈ પહોંચ્યો છે! મુંબઈમાં તો લોકો ઘેર ઘેર દૂંદાળા દેવની પધરામણી કરે છે અને યથા શક્તિ દોઢ,ત્રણ,પાંચ,ગૌરી સાથે હોય તો છ,સાત કે દસ દિવસે ગણપતિની મૂર્તિનું વાજતે ગાજતે વિસર્જન કરે છે. વિસર્જન પણ વાજતે ગાજતે કરવાની પરંપરા દ્વારા આ તહેવાર એક અતિ મહત્વનો જીવનપાઠ નથી શિખવતો?
ગણેશ ચતુર્થી સમયે જ જૈનોનો મહાપર્વ ગણાતો પર્યુષણ અને સંવત્સરી તહેવાર પણ ધામધૂમથી ઉજવાય છે. આપણે સૌ 'મિચ્છામી દુક્કડં' બોલી એકમેકની ક્ષમા નથી યાચતા?નાની કે મોટી ઉંમરના અનેક સાધકો આઠ દિવસની ઉગ્ર તપ સાધના કરી અઠ્ઠાઈ કરે ત્યારબાદ ઉપવાસ પૂરાં કરતી વેળાએ પારણું કરે.આવા ઘણાં મિત્રોએ કરેલાં પારણાંમાં જઈ તેમની શાતા પૂછયાનું મને યાદ છે.
ગણેશ ઉત્સવ પછી ગણત્રીના દિવસોમાં જ આવે નવલા નોરતાની રમઝટ ભર્યો નવરાત્રોત્સવ.વેરિયેશન જોયુ?!દિવસે ઉજવાતા તહેવાર ઘણાં બધાં છે તો રાતે ઉજવાતા તહેવાર પણ એક બે તો હોવા જોઇએ ને?નવ નવ રાત સુધી યુવા હૈયાઓને ઘેલુ લગાડનાર સ્ત્રી શક્તિનો મહિમા વધારનાર અંબેમાની ભક્તિનું આ પર્વ પણ લાંબો ચાલનારો તહેવાર છેંવ રાત્રિ સુધી ઘરમાં કે મંડપમાં માતાજીના કાણા વાળા સુશોભિત ગરબાની સ્થાપના કરી નવ રાત્રિઓ સુધી ગરબા ને દાંડિયાના તાલે ઝૂમવાનું! આથી જ આ તહેવાર આબાલવૃદ્ધ સૌનો મનપસંદ તહેવાર છે અને ફક્ત ગુજરાતીઓ જ નહિં પણ અન્ય જાતિના અન્ય ધર્મના લોકો પણ આ તહેવાર નાચીકૂદીને ધામધૂમ થી ઉજવે છે!નવરાત્રિઓ પૂર્ણ થયા બાદ દસમા દિવસે દશેરા ઉજવાય છે.આ દિવસને પણ આપણે ફાફડા જલેબી ખાઈ અને નવી ચીજવસ્તુઓની ખરીદી કરી અને રાવણ દહન કરી ઉજવીએ છીએ. નવરાત્રિમાં ગરબા રાસ રમી ધરાયા ન હોઈએ તેમ તરત પાછળ આવતી શરદ પૂનમની રાતે પણ દૂધ પૌં આ ખાઈ આપણે રાસની રમઝટ બોલાવી મન ભરીને (કે મન મૂકીને) નાચીએ છીએ! અને પછી તો થોડાં જ દિવસોમાં તહેવારોના રાજા દિવાળીની આગતા સ્વાગતામાં લાગી જઈએ છીએ!
રાષ્ટ્ર ભક્તિ અને દેશદાઝની યાદ અપાવતા સ્વાતંત્ર્ય દિન તેમજ પ્રજા સત્તાક દિન અને ગાંધી જયંતિ જેવા રાષ્ટ્રીય તહેવારો ઉજવતી વખતે પણ આપણે અનેરો જુસ્સો અનુભવીએ છીએ. મહારાષ્ટ્ર/ગુજરાત દિન, આંબેડકર જયંતિ, બાલદિન (નહેરૂ જયંતિ), શિક્ષક દિન, ગુરૂ પૂર્ણિમા, બુદ્ધ પૂર્ણિમા, શિવાજી જયંતિ, મહાવીર જયંતિ જેવા ખાસ દિવસોની પણ આપણે ઉત્સવની જેમજ ઉજવણી કરીએ છીએ.
સંકષ્ટિ ચતુર્થીઓ અને મોળાકાત,જયા પાર્વતી,ગોર્યો,વટસાવિત્રી,કડવા ચોથ,દિવાસો,કેવડા ત્રીજ,વૈભવ લક્ષમી,સંતોષી માના શુક્રવાર,સોળ સોમવાર,સાકરિયા સોમવાર, ભાખરિયા સોમવાર, ગાય તુલસી, એવરત-જીવરત, ધરો આઠમ, ગૌરી વ્રત, મંગળાગૌરી વ્રત, ફૂલકાજલી વ્રત,ચાંલ્લા વ્રત,ચોખા કાજળી વ્રત,સામા પાંચમ, કોયલ વ્રત, અલૂણા વ્રત, સૂર્યનારાયણ વ્રત, દશામા વ્રત, અન્નપૂર્ણા વ્રત, જીવન્તિકા વ્રત, સરસ્વતી સપ્તમી, રંભા વ્રત,ગૂડી પડવો,દુર્ગાષ્ટમી,જયા પંચમી, સિંદૂર ત્રીજ, વસંત પંચમી, સીતા વ્રત, હુતાશની,સંતાન જયંતિ જેવા વ્રત-તહેવારો પણ વર્ષ ભર સમયાંતરે આવ્યા જ કરે તો રામનવમી,જલારામ જયંતિ,હનુમાન જયંતિ, દત્ત જયંતિ, પરશુરામ જયંતિ,વિશ્વકર્મા જયંતિ, ગીતા જયંતિ, ઠંડી ને શિવ શિવ કરીને ભગાડતી મહા શિવરાત્રિ વગેરે જેવા ધાર્મિક દિવસો પણ આપણે તહેવાર જેટલા જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવીએ છીએ.
હિન્દુ તહેવારો ઓછા હોય તેમ આપણે ભારતની ઉત્સવઘેલી પ્રજા વિદેશી તહેવારો કે 'ડે' ઝ ઉજવવાનું પણ ચૂકતા નથી! અંગ્રેજી ન્યુ યર ડે (૧લી જાન્યુઆરી), પ્રેમના દિવસ વેલેન્ટાઈન ડે, સ્ત્રી શક્તિનું ગૌરવ કરતો વુમન'સ ડે,માતા પિતાને સન્માનવા મધર્સ',ફધર્સ' અને પેરેન્ટ્સ ડે, મિત્રતાની મહિમા ગાવા ફ્રેન્ડશીપ ડે અને હેલોવીન જેવા તહેવારો પણ આપણે ઉત્સાહ પૂર્વક ઉજવીએ છીએ.
સાથે જ અન્ય ધર્મ અને જાતિઓના ગુડ ફ્રાઈડે,ઇદ,પતેતી,નવરોઝ,ગુરુનાનક જયંતિ, ચેટી ચાંદ, બૈસાખી, પોંગલ, ઓણમ વગેરે જેવા તહેવારો તો ખરા જ!
ખુશાલીના તહેવાર સાથે જ શ્રાદ્ધ પક્ષ,મોહરમ,મહાનુભાવોના નિર્વાણ દિન વગેરે જેવાં કેટલાંક દુ:ખ કે માતમના પ્રસંગો પણ ઉજવવાનું વલણ તો મારા ખ્યાલથી ભારતમાં જ જોવા મળતું હશે!
આ તહેવારો જ આપણાં જીવનને આનંદમય બનાવી રાખી કંટાળા અને દુ:ખો કે પરેશાનીઓથી થોડા સમય માટે આઝાદીનો અહેસાસ કરાવે છે.જો તહેવારો ન હોત તો આપણું જીવન કેટલું બોરીંગ અને મોનોટોનસ બની રહેત એ વિચાર આવતાં પણ હું ધ્રુજી ઉઠું છું!
આપણે સૌએ દરેક તહેવાર ઉત્સાહ,ઉમંગ અને જોશભેર અને ખરા મનથી ઉજવવો જોઇએ એ જ જીવન જીવવાની સાચી રીત છે!
દિવાળી બાદ શરૂ થતા આપણાં ગુજરાતીઓના નવા વર્ષની શરૂઆતમાં જ લાભ પાંચમ સુધી દિવાળીનો મૂડ બરકરાર રહે! એનાથી ધરાયા ન હોઈએ તેમ પંદર દિવસ બાદ કારતક સુદ પૂનમે આવે દેવદિવાળી અને તુલસી વિવાહ! બાળકો થોડા ઘણાં ફટાકડા આ રાત માટે સાચવીને રાખ્યા હોય એ ફોડે અને આ દિવસે સાંજે તુલસીના છોડને સરસ વાઘા પહેરાવી,સજાવી શણગારી કૃષ્ણ ભગવાન સાથે પરણાવવામાં આવે!
આપણે ગુજરાતી વર્ષના અંતને દિવાળી દ્વારા ઉજવીએ એટલાં જ ઉત્સાહથી ખ્રિસ્તીઓ અંગ્રેજી કેલેન્ડર વર્ષના અંતને ક્રિસ્મસ કે નાતાલ દ્વારા ઉજવે.ભગવાન ઇશુ ખ્રિસ્તનો જન્મ નાતાલના દિવસે સાંજે માસ પ્રેયર દ્વારા અને રોશની તેમજ પાર્ટી કરીને ઉજવાય અને ૩૧મી ડિસેમ્બરની રાત પણ આપણે સૌ કોઈ મહા ઉત્સવની જેમજ ઉજવીએ!અંગ્રેજી કેલેન્ડરના પ્રથમ દિવસે એટલે કે પહેલી જાન્યુઆરીએ ઓફિસ જવાનો મારી જેમ જ સૌને ભારે કંટાળો આવતો હશે!આ દિવસે જો શનિ-રવિની રજા મળે તો તો જલસા જ પડી જાય!
આ પછી ફરી પાછો હિન્દુ તહેવાર મકર સંક્રાંતિ (ઉત્તરાયણ) આવે! પતંગ ઉડાવવાની અને ચિક્કીની મજા માણવાનો આ અવસર પણ ભાગ્યે જ કોઈ ઉત્સવપ્રિય જણ ચૂકતો હશે! ગુજરાતમાં તો ધાબે ચડી આખો પરિવાર આ પર્વની મજા માણે!મુંબઈગરા પાસે આવું ધાબાનું સુખતો હોતું નથી પણ તેઓ યે કોઈ તહેવારની મજા માણવામાં કચાશ છોડતાં નથી!
ફેબ્રુઆરી-માર્ચમાં વસંત ઋતુ આવે અને સાથે રંગોના તહેવાર હોળી - રંગપંચમી લઈને આવે. પ્રકૃતિ પણ આ ઋતુમાં તો સોળે કળાએ ખિલી હોય એમાં હોળી-ધૂળેટી જેવા તહેવારમાં આબાલવૃદ્ધ સૌ કોઈ મન ભરીને એકબીજાના તનને ગુલાલ,કેસૂડા તેમજ અન્ય રંગોથી રંગી દઈ ધરાઈને માણે! હોળીની સાંજે હોળિકા દહન કરી જ્યારે આપણે અગ્નિની પ્રદક્ષિણા કરીએ છીએ ત્યારે એ શરીરમાંથી કફ છૂટો પાડી આરોગ્ય માટે પણ મદદરૂપ સાબિત થાય છે જેની ઘણાં ઓછાંને ખબર હશે.આમ હોળીની પૂજા અને પ્રદક્ષિણા સ્વાસ્થ્ય માટે પણ સારી સાબિત થાય છે.
પછી થોડાં વિરામ બાદ શ્રાવણ માસ આવે એટલે ફરી વ્રત-તહેવારોની મોસમ શરૂ થઈ જાય. બોળચોથ,નાગપાંચમ,રાંધણ છઠ,શીતળા સાતમ,ગોકુલાષ્ટમી,રક્ષા બંધન,શ્રાવણિયા સોમવાર અને આ બધા પવિત્ર દિવસો-પર્વો એક અજબની અનુભૂતિ કરાવે છે. બોળચોથે ખાંડવા કે દળવાનું નહિં. નાગપાંચમે ઘેર નાગના ચિત્ર દોરી, તેમની પૂજા કરી ફૂલહાર અને દૂધ તથા કુલેરના લાડવા પ્રસાદમાં ધરાવાય (વર્ષમાં આ એક જ દિવસે મીઠ્ઠી સ્વાદિષ્ટ જુવારના લોટ અને ગોળમાંથી બનતી કુલેર ખાવા મળતી હશે!), સાચા નાગને દૂધ જરાયે ભાવતું ન હોવા છતાં મદારીઓ આ દિવસે નાગોને પરાણે દૂધ પાઈ પૈસા ઉઘરાવતા હોય છે.સાચા નાગોને પરાણે દૂધ પાવવાની આ પ્રથા બંધ થવી જોઇએ. રાંધણ છઠ્ઠે બીજા દિવસ માટેનું ખાવાનું બનાવી રાખવાનું અને શીતળા સાતમે વ્રતકથાઓમાંથી દેરાણી-જેઠાણી અને શીતળામાની વાર્તા વાંચી-સાંભળી આખો દિવસ ચૂલો કે ગેસ પેટાવ્યા વગર ઠંડું ખાવાનું. શ્રાવણ વદ સાતમની રાતે કૃષ્ણ જન્મની તૈયારીઓ કરી શણગાર વગેરે કરી કૃષ્ણ જન્મ કરાવવાનો અને બીજે દિવસે મટકી ફોડતા ગોવિંદાઓને જોઈ અચંબો પામવાનું!
શ્રાવણ સુદ પૂનમે આવતો રક્ષા બંધનનો તહેવાર ભાઈબીજ તથા વીરપસલીની જેમ જ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક સમો તહેવાર છે. હેતપૂર્વક બહેન ભાઈના હાથે રાખડી બાંધી ભગવાનને તેની રક્ષા કરી તેને સુખસમ્રુદ્ધિ આપવાની પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે. આ તહેવારને દિવસે જે ભાઈઓને બહેન નથી કે જે બહેનોને ભાઈ નથી તેમના મનમાં કેવી લાગણી થતી હશે એવો વિચાર ઘણી વાર આવે છે. આ દિવસ નાળિયેરી પૂર્ણિમા તરીકે પણ માછીમારો દ્વારા દરિયાદેવની પૂજા અર્ચના કરીને ઉજવાય છે.
ત્રણ વર્ષે એક વાર હિન્દુ કેલેન્ડરમાં બીજા મહિનાઓ વચ્ચે સમાઈ જતો અધિક માસ પણ ઘરનું વાતાવરણ ધાર્મિક બનાવી દે છે.ઘરની સ્ત્રીઓ આ પૂરા મહિના દરમ્યાન નાનકડા ખેતરની પ્રતિક્રુતિ બનાવી તે ખેડે છે અને કાંઠાગોરમાની ભાવ અને ભક્તિ પૂર્વક પૂજા કરે છે.હું નાનો હતો ત્યારે આ પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખાતા મહિના દરમ્યાન અમારી ચાલીના કોઈ એક પાડોશીને ત્યાં થતી પૂજામાં રોજ મારી મમ્મી અને બહેનો સાથે જતો અને ત્યારે પૂજા કરતી વખતે તેઓ જે ગીતો ગાતા 'આંબુડુ જાંબુડુ..કેરી ને કોઠીમડું...' , 'ગોરમા ગોરમા રે...સુખડા લ્યો...'વગેરે મને હજી યાદ આવે ત્યારે મારું મન મલકાઈ ઉઠે છે!
આ પછી આવે દેવાધિદેવ ગણરાયાનુ ભક્તિ પર્વ ગણેશોત્સવ જેની ગણના લાંબા ચાલનારા તહેવારોમાં કરી શકાય. આ સાર્વજનિક તહેવાર મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઉજવાતો હોવા છતાં હવે તો એ ફક્ત દેશમાં જ નહિં, એન.આર.આઈઓ દ્વારા વિદેશ સુધી જઈ પહોંચ્યો છે! મુંબઈમાં તો લોકો ઘેર ઘેર દૂંદાળા દેવની પધરામણી કરે છે અને યથા શક્તિ દોઢ,ત્રણ,પાંચ,ગૌરી સાથે હોય તો છ,સાત કે દસ દિવસે ગણપતિની મૂર્તિનું વાજતે ગાજતે વિસર્જન કરે છે. વિસર્જન પણ વાજતે ગાજતે કરવાની પરંપરા દ્વારા આ તહેવાર એક અતિ મહત્વનો જીવનપાઠ નથી શિખવતો?
ગણેશ ચતુર્થી સમયે જ જૈનોનો મહાપર્વ ગણાતો પર્યુષણ અને સંવત્સરી તહેવાર પણ ધામધૂમથી ઉજવાય છે. આપણે સૌ 'મિચ્છામી દુક્કડં' બોલી એકમેકની ક્ષમા નથી યાચતા?નાની કે મોટી ઉંમરના અનેક સાધકો આઠ દિવસની ઉગ્ર તપ સાધના કરી અઠ્ઠાઈ કરે ત્યારબાદ ઉપવાસ પૂરાં કરતી વેળાએ પારણું કરે.આવા ઘણાં મિત્રોએ કરેલાં પારણાંમાં જઈ તેમની શાતા પૂછયાનું મને યાદ છે.
ગણેશ ઉત્સવ પછી ગણત્રીના દિવસોમાં જ આવે નવલા નોરતાની રમઝટ ભર્યો નવરાત્રોત્સવ.વેરિયેશન જોયુ?!દિવસે ઉજવાતા તહેવાર ઘણાં બધાં છે તો રાતે ઉજવાતા તહેવાર પણ એક બે તો હોવા જોઇએ ને?નવ નવ રાત સુધી યુવા હૈયાઓને ઘેલુ લગાડનાર સ્ત્રી શક્તિનો મહિમા વધારનાર અંબેમાની ભક્તિનું આ પર્વ પણ લાંબો ચાલનારો તહેવાર છેંવ રાત્રિ સુધી ઘરમાં કે મંડપમાં માતાજીના કાણા વાળા સુશોભિત ગરબાની સ્થાપના કરી નવ રાત્રિઓ સુધી ગરબા ને દાંડિયાના તાલે ઝૂમવાનું! આથી જ આ તહેવાર આબાલવૃદ્ધ સૌનો મનપસંદ તહેવાર છે અને ફક્ત ગુજરાતીઓ જ નહિં પણ અન્ય જાતિના અન્ય ધર્મના લોકો પણ આ તહેવાર નાચીકૂદીને ધામધૂમ થી ઉજવે છે!નવરાત્રિઓ પૂર્ણ થયા બાદ દસમા દિવસે દશેરા ઉજવાય છે.આ દિવસને પણ આપણે ફાફડા જલેબી ખાઈ અને નવી ચીજવસ્તુઓની ખરીદી કરી અને રાવણ દહન કરી ઉજવીએ છીએ. નવરાત્રિમાં ગરબા રાસ રમી ધરાયા ન હોઈએ તેમ તરત પાછળ આવતી શરદ પૂનમની રાતે પણ દૂધ પૌં આ ખાઈ આપણે રાસની રમઝટ બોલાવી મન ભરીને (કે મન મૂકીને) નાચીએ છીએ! અને પછી તો થોડાં જ દિવસોમાં તહેવારોના રાજા દિવાળીની આગતા સ્વાગતામાં લાગી જઈએ છીએ!
રાષ્ટ્ર ભક્તિ અને દેશદાઝની યાદ અપાવતા સ્વાતંત્ર્ય દિન તેમજ પ્રજા સત્તાક દિન અને ગાંધી જયંતિ જેવા રાષ્ટ્રીય તહેવારો ઉજવતી વખતે પણ આપણે અનેરો જુસ્સો અનુભવીએ છીએ. મહારાષ્ટ્ર/ગુજરાત દિન, આંબેડકર જયંતિ, બાલદિન (નહેરૂ જયંતિ), શિક્ષક દિન, ગુરૂ પૂર્ણિમા, બુદ્ધ પૂર્ણિમા, શિવાજી જયંતિ, મહાવીર જયંતિ જેવા ખાસ દિવસોની પણ આપણે ઉત્સવની જેમજ ઉજવણી કરીએ છીએ.
સંકષ્ટિ ચતુર્થીઓ અને મોળાકાત,જયા પાર્વતી,ગોર્યો,વટસાવિત્રી,કડવા ચોથ,દિવાસો,કેવડા ત્રીજ,વૈભવ લક્ષમી,સંતોષી માના શુક્રવાર,સોળ સોમવાર,સાકરિયા સોમવાર, ભાખરિયા સોમવાર, ગાય તુલસી, એવરત-જીવરત, ધરો આઠમ, ગૌરી વ્રત, મંગળાગૌરી વ્રત, ફૂલકાજલી વ્રત,ચાંલ્લા વ્રત,ચોખા કાજળી વ્રત,સામા પાંચમ, કોયલ વ્રત, અલૂણા વ્રત, સૂર્યનારાયણ વ્રત, દશામા વ્રત, અન્નપૂર્ણા વ્રત, જીવન્તિકા વ્રત, સરસ્વતી સપ્તમી, રંભા વ્રત,ગૂડી પડવો,દુર્ગાષ્ટમી,જયા પંચમી, સિંદૂર ત્રીજ, વસંત પંચમી, સીતા વ્રત, હુતાશની,સંતાન જયંતિ જેવા વ્રત-તહેવારો પણ વર્ષ ભર સમયાંતરે આવ્યા જ કરે તો રામનવમી,જલારામ જયંતિ,હનુમાન જયંતિ, દત્ત જયંતિ, પરશુરામ જયંતિ,વિશ્વકર્મા જયંતિ, ગીતા જયંતિ, ઠંડી ને શિવ શિવ કરીને ભગાડતી મહા શિવરાત્રિ વગેરે જેવા ધાર્મિક દિવસો પણ આપણે તહેવાર જેટલા જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવીએ છીએ.
હિન્દુ તહેવારો ઓછા હોય તેમ આપણે ભારતની ઉત્સવઘેલી પ્રજા વિદેશી તહેવારો કે 'ડે' ઝ ઉજવવાનું પણ ચૂકતા નથી! અંગ્રેજી ન્યુ યર ડે (૧લી જાન્યુઆરી), પ્રેમના દિવસ વેલેન્ટાઈન ડે, સ્ત્રી શક્તિનું ગૌરવ કરતો વુમન'સ ડે,માતા પિતાને સન્માનવા મધર્સ',ફધર્સ' અને પેરેન્ટ્સ ડે, મિત્રતાની મહિમા ગાવા ફ્રેન્ડશીપ ડે અને હેલોવીન જેવા તહેવારો પણ આપણે ઉત્સાહ પૂર્વક ઉજવીએ છીએ.
સાથે જ અન્ય ધર્મ અને જાતિઓના ગુડ ફ્રાઈડે,ઇદ,પતેતી,નવરોઝ,ગુરુનાનક જયંતિ, ચેટી ચાંદ, બૈસાખી, પોંગલ, ઓણમ વગેરે જેવા તહેવારો તો ખરા જ!
ખુશાલીના તહેવાર સાથે જ શ્રાદ્ધ પક્ષ,મોહરમ,મહાનુભાવોના નિર્વાણ દિન વગેરે જેવાં કેટલાંક દુ:ખ કે માતમના પ્રસંગો પણ ઉજવવાનું વલણ તો મારા ખ્યાલથી ભારતમાં જ જોવા મળતું હશે!
આ તહેવારો જ આપણાં જીવનને આનંદમય બનાવી રાખી કંટાળા અને દુ:ખો કે પરેશાનીઓથી થોડા સમય માટે આઝાદીનો અહેસાસ કરાવે છે.જો તહેવારો ન હોત તો આપણું જીવન કેટલું બોરીંગ અને મોનોટોનસ બની રહેત એ વિચાર આવતાં પણ હું ધ્રુજી ઉઠું છું!
આપણે સૌએ દરેક તહેવાર ઉત્સાહ,ઉમંગ અને જોશભેર અને ખરા મનથી ઉજવવો જોઇએ એ જ જીવન જીવવાની સાચી રીત છે!
સોમવાર, 24 ઑક્ટોબર, 2011
હેપ્પી દિવાળી…હેપ્પી ન્યુ યર!!!
કહે છે ને અંત ધમાકેદાર હોવો જોઇએ! આ પ્રથાને જ આપણું હિન્દુ કેલેન્ડર અનુસરતું હોય એમ લાગે છે! હિન્દુ વર્ષનો છેલ્લો તહેવાર દિવાળી ખરા અર્થમાં ધમાકેદાર રીતે આપણે સૌ ઉજવીએ છીએ. ફટાકડા ફોડી, ઘરોને સાફસુથરા કરી દઈ - રંગરોગાનથી ચકાચક બનાવી દઈ, ઝગમગતા દિવડાઓનો પ્રકાશ રેલાવી તેમજ કંડીલ જેવી કૃત્રિમ પણ સુંદર રોશની દ્વારા, આંગણે જાતજાતની કલાત્મક સુશોભિત રંગોળી બનાવી, પોતે નવા વાઘા પહેરી, પરિવાર માટે ઘણું બધું શોપિંગ કરી, એકબીજાને મીઠાઈ તથા શુભેચ્છાઓનું આદાનપ્રદાન કરી, પોતના કર્મચારી વર્ગને બોનસ કે ભેટસોગાદની લહાણી કરી વગેરે વગેરે...આટલું લાંબુ લિસ્ટ લખ્યું હોવા છતાં મને ખાતરી છે હજી આ યાદીમાં હું થોડી ઘણી આઈટમ ચૂકી ગયો હોઈશ! આવો ધમાકેદાર તહેવાર છે દિવાળી! વર્ષના ક્લાઈમેક્સ જેવો! તહેવારોના રાજા તરીકે દિવાળીને લેખાવીએ તો એ યથા યોગ્ય જ ગણાશે!
ભારતની પ્રજા તો ઉત્સવપ્રિય છે જ! જેમ હિન્દુ કેલેન્ડરમાં વર્ષનો અંત તહેવારથી આવે તેમજ વર્ષની શરૂઆત પણ તહેવારથી જ થાય! નવા વર્ષની શરૂઆત આપણે સાલમુબારકની શુભેચ્છા એક બીજાને પાઠવીને હર્ષોલ્લાસ સાથે તહેવારની જેમજ ઉજવીને કરીએ છીએ! હવે કદાચ થોડું ઘણું પરિવર્તન આવ્યું હશે પણ મને યાદ છે હું જ્યારે શાળામાં જતો એવડો હતો ત્યાં સુધી (વીસ-પચ્ચીસ વર્ષ પહેલાં) નવા વર્ષનો સપરમો દિવસ ખૂબ વિશિષ્ટ રીતે ઉજવાતો. મને રંગોળી બનાવવાનો ખૂબ શોખ એટલે દિવાળીની રાતે રંગોળી પાડવા માટે ઘરના આંગણાની જમીન પર ગેરુના ગાંગડાને પાણીમાં બોળી લાલાશભર્યા માટીના રંગનું ચોરસ બનાવવાનું અને પછી એ સૂકાય ત્યાં સુધી ફટાકડા ફોડવાની મજા માણવાની! પછી આવીને ગેરુવાળા ચોરસ પર સફેદ ચિરોટીથી ટપકાં પાડવાના અને રંગોળીની ડિઝાઈનની ચોપડીમાંથી પસંદ કરેલી એકાદ મોટી રંગોળી બનાવવાની પછી એમાં રંગ પૂરવાનાં. આમાં જ રાતના એક-દોઢ વાગી જાય પછી તો બીજા દિવસે નવું વર્ષ હોય એટલે સવારે ચાર-પાંચ વાગે ઉઠી જવાનું નવા નક્કોર સિવડાવેલા કપડાની જોડી ઠઠાવવાની. વહેલી સવાર શુકન અને આસોપાલવના તોરણ વેચવા નિકળેલી બાઈ પાસેથી મમ્મી એ ખરીદે અને તોરણ ઘરનાં બારણે ટાંગે. તૈયાર થઈ ગયા બાદ મારે મંદિરે જઈ ભગવાનના દર્શન કરવાના. ઘરમાં બધા મોટાઓને પગે લાગી તેમના આશિર્વાદ અને 'ભેટ' (અગિયાર,એકવીસ કે એકાવન રૂપિયા) મેળવવાના. પછી ચાલીના મિત્રોની મોટી ફોજ બનાવી નિકળી પડવાનું પોતપોતાની તેમજ આજુબાજુની દરેક ચાલીના બધા ઘરોમાં સાલ મુબારક વિશ કરવા! દરેક જણે ઘરમાં ટેબલ પર સરસ પાત્ર કે થાળી કે વાડકામાં જાતજાતની મિઠાઈ,પીપરો,ફરસાણ વગેરે મૂક્યું હોય એ ઝાપટવાનું! પેટ ભરાઈ જાય તેમજ પગ થાકી જાય ત્યાં સુધી આ રીતે મિત્રો સાથે ટોળકીમાં ઘેર-ઘેર ફરીને નૂતન વર્ષાભિનંદન વ્યક્ત કરવાની ખૂબ મજા પડતી. આમાં અજાણ્યાઓના ઘરમાં જઈને પણ ક્યારેક તો સાલમુબારક વિશ થતું અને તેઓ પણ સહર્ષ મિઠાઈ વગેરે બાળકોની ટોળીને હોંશે હોંશે ખવડાવતાં! ઘણાં વર્ષો સુધી મેં આ રીતે જ દિવાળીની છેલ્લી રાત અને નવા વર્ષના પહેલા દિવસ ઉજવ્યા હતાં! મારા સ્મૃતિ પટ પર એ યાદો હજી તાજી છે!
ફિલ્મની જેમ જ્યારે આ જૂની યાદો તાજી કરી રહ્યો છું ત્યારે ફિલ્મી ઢબે જ ચાલો થોડાં રિવર્સમાં જઈએ! ભાઈબીજથી પાછાં દિવાળીની શરૂઆત તરફ!
ખરી રીતે તો પાંચ દિવસના દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસથી થતી હોવા છતાં આપણે ત્યાં તો અગિયારસથી જ દિવાળીની ઉજવણીની શરૂઆત થઈ જાય. આમ દિવાળી ખાસ્સો લાંબો તહેવાર ગણી શકાય! વાઘબારસ પણ દિવાળીના પ્રકાશપર્વ સાથે જ જોડાયેલો દિવસ. આ દિવસને વાઘ સાથે જોડવાના કારણની તો મને ખબર નથી (જેને ખબર હોય એ મારા તથા બીજા વાચકોની જાણ ખાતર આ બ્લોગના કમેન્ટ તરીકે એ પોસ્ટ કરી શકે છે અથવા મને મારા ઇમેલ એડ્રેસ પર લખી શકે છે.) પણ ઉત્તર ભારતના કેટલાક પ્રદેશોમાં આ દિવસ સ્ત્રીશક્તિને અર્પિત કરી ઉજવવામાં આવે છે અને આ દિવસે સ્ત્રી શક્તિની મહિમા ગાઈ તેમને નવા વસ્ત્રો અને ઘરેણાં ભેટ આપવામાં આવે છે.
ધનતેરસે લક્ષ્મીપૂજાનું અનેરૂં મહત્વ છે. કાળી ચૌદશે કજિયાકંકાસના વડા ચાર રસ્તે મૂકી આવી ભગવાનને પ્રાર્થના કરવાની કે આવનારા નવા વર્ષમાં એમાંથી અમને મુક્તિ આપજો અને સુખશાંતિ ભર્યું જીવન આપજો. કાળી ચૌદસની રાત અઘોરી બાવાઓ, તાંત્રિકો માટે પણ સ્મશાનમાં જઈ સાધના કરવા માટે પ્રખ્યાત છે.દિવાળીના બધા દિવસોમાં ઘણાં લોકો તંત્ર-મંત્ર-જાપ કરી વિવિધ દેવીદેવતાઓને રીઝવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. દિવાળીની રાતે ચોપડા પૂજન અને આખી રાત સૌથી વધુ ફટાકડા ફૂટતાં હોય છે.
હિન્દુ વર્ષનો બીજો દિવસ પણ ભાઈબીજનો તહેવાર લઈને આવે. ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધન જેવો જ બીજો પારિવારિક તહેવાર એટલે ભાઈબીજ. આ દિવસે ભાઈ બહેનના ઘેર જમવા જાય અને બહેનને યથાશક્તિ ભેટસોગાદ આપે. રાક્ષસ નરકાસુરને માર્યા બાદ શ્રી ક્રુષ્ણ બહેન સુભદ્રાને ઘેર પધાર્યા ત્યારે સુભદ્રાએ તેમના કપાળ પર તિલક કરી તેમનું ભાવભીનું સ્વાગત કર્યું એ દિવસથી ભાઈબીજ ઉજવાતી હોવાનું મનાય છે.યમ દ્વિતિયા તરીકે પણ ઓળખાતો આ તહેવાર મ્રુત્યુના દેવ યમ અને તેમની બહેન દ્વિતિયાની આ દિવસે થયેલી ખાસ મુલાકાતની યાદમાં મનાવાતી હોવાની પણ એક લોકકથા પ્રખ્યાત છે. બહેન ભાઈબીજના દિવસે ભાઈના લાંબા આયુષ્ય અને સુખી જીવન તેમજ સારા આરોગ્ય માટે પ્રાર્થના કરે છે.
ભારતની ઉત્સવપ્રિય પ્રજા માટે દિવાળી વર્ષનો અંતિમ તહેવાર હોવા છતાં નવું વર્ષ પણ આ બાબતે તેમને નિરાશ કરતું નથી! નવું વર્ષ પણ ભાઈબીજથી તો ફક્ત શરૂઆત કરી, આપણાં સૌ માટે ઢગલાબંધ તહેવારો લઈને આવે છે જે સમયાંતરે આપણાં જીવનને નીરસ બનતું અટકાવી તેમાં આનંદ અને ઉત્સાહના રંગો ભરતું રહે છે.આ અન્ય તહેવારો વિષે વાત કરીશું આવતા બ્લોગમાં...
…ત્યાં સુધી સૌને હેપ્પી દિવાળી અને હેપ્પી ન્યુ યર!!!
ભારતની પ્રજા તો ઉત્સવપ્રિય છે જ! જેમ હિન્દુ કેલેન્ડરમાં વર્ષનો અંત તહેવારથી આવે તેમજ વર્ષની શરૂઆત પણ તહેવારથી જ થાય! નવા વર્ષની શરૂઆત આપણે સાલમુબારકની શુભેચ્છા એક બીજાને પાઠવીને હર્ષોલ્લાસ સાથે તહેવારની જેમજ ઉજવીને કરીએ છીએ! હવે કદાચ થોડું ઘણું પરિવર્તન આવ્યું હશે પણ મને યાદ છે હું જ્યારે શાળામાં જતો એવડો હતો ત્યાં સુધી (વીસ-પચ્ચીસ વર્ષ પહેલાં) નવા વર્ષનો સપરમો દિવસ ખૂબ વિશિષ્ટ રીતે ઉજવાતો. મને રંગોળી બનાવવાનો ખૂબ શોખ એટલે દિવાળીની રાતે રંગોળી પાડવા માટે ઘરના આંગણાની જમીન પર ગેરુના ગાંગડાને પાણીમાં બોળી લાલાશભર્યા માટીના રંગનું ચોરસ બનાવવાનું અને પછી એ સૂકાય ત્યાં સુધી ફટાકડા ફોડવાની મજા માણવાની! પછી આવીને ગેરુવાળા ચોરસ પર સફેદ ચિરોટીથી ટપકાં પાડવાના અને રંગોળીની ડિઝાઈનની ચોપડીમાંથી પસંદ કરેલી એકાદ મોટી રંગોળી બનાવવાની પછી એમાં રંગ પૂરવાનાં. આમાં જ રાતના એક-દોઢ વાગી જાય પછી તો બીજા દિવસે નવું વર્ષ હોય એટલે સવારે ચાર-પાંચ વાગે ઉઠી જવાનું નવા નક્કોર સિવડાવેલા કપડાની જોડી ઠઠાવવાની. વહેલી સવાર શુકન અને આસોપાલવના તોરણ વેચવા નિકળેલી બાઈ પાસેથી મમ્મી એ ખરીદે અને તોરણ ઘરનાં બારણે ટાંગે. તૈયાર થઈ ગયા બાદ મારે મંદિરે જઈ ભગવાનના દર્શન કરવાના. ઘરમાં બધા મોટાઓને પગે લાગી તેમના આશિર્વાદ અને 'ભેટ' (અગિયાર,એકવીસ કે એકાવન રૂપિયા) મેળવવાના. પછી ચાલીના મિત્રોની મોટી ફોજ બનાવી નિકળી પડવાનું પોતપોતાની તેમજ આજુબાજુની દરેક ચાલીના બધા ઘરોમાં સાલ મુબારક વિશ કરવા! દરેક જણે ઘરમાં ટેબલ પર સરસ પાત્ર કે થાળી કે વાડકામાં જાતજાતની મિઠાઈ,પીપરો,ફરસાણ વગેરે મૂક્યું હોય એ ઝાપટવાનું! પેટ ભરાઈ જાય તેમજ પગ થાકી જાય ત્યાં સુધી આ રીતે મિત્રો સાથે ટોળકીમાં ઘેર-ઘેર ફરીને નૂતન વર્ષાભિનંદન વ્યક્ત કરવાની ખૂબ મજા પડતી. આમાં અજાણ્યાઓના ઘરમાં જઈને પણ ક્યારેક તો સાલમુબારક વિશ થતું અને તેઓ પણ સહર્ષ મિઠાઈ વગેરે બાળકોની ટોળીને હોંશે હોંશે ખવડાવતાં! ઘણાં વર્ષો સુધી મેં આ રીતે જ દિવાળીની છેલ્લી રાત અને નવા વર્ષના પહેલા દિવસ ઉજવ્યા હતાં! મારા સ્મૃતિ પટ પર એ યાદો હજી તાજી છે!
ફિલ્મની જેમ જ્યારે આ જૂની યાદો તાજી કરી રહ્યો છું ત્યારે ફિલ્મી ઢબે જ ચાલો થોડાં રિવર્સમાં જઈએ! ભાઈબીજથી પાછાં દિવાળીની શરૂઆત તરફ!
ખરી રીતે તો પાંચ દિવસના દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસથી થતી હોવા છતાં આપણે ત્યાં તો અગિયારસથી જ દિવાળીની ઉજવણીની શરૂઆત થઈ જાય. આમ દિવાળી ખાસ્સો લાંબો તહેવાર ગણી શકાય! વાઘબારસ પણ દિવાળીના પ્રકાશપર્વ સાથે જ જોડાયેલો દિવસ. આ દિવસને વાઘ સાથે જોડવાના કારણની તો મને ખબર નથી (જેને ખબર હોય એ મારા તથા બીજા વાચકોની જાણ ખાતર આ બ્લોગના કમેન્ટ તરીકે એ પોસ્ટ કરી શકે છે અથવા મને મારા ઇમેલ એડ્રેસ પર લખી શકે છે.) પણ ઉત્તર ભારતના કેટલાક પ્રદેશોમાં આ દિવસ સ્ત્રીશક્તિને અર્પિત કરી ઉજવવામાં આવે છે અને આ દિવસે સ્ત્રી શક્તિની મહિમા ગાઈ તેમને નવા વસ્ત્રો અને ઘરેણાં ભેટ આપવામાં આવે છે.
ધનતેરસે લક્ષ્મીપૂજાનું અનેરૂં મહત્વ છે. કાળી ચૌદશે કજિયાકંકાસના વડા ચાર રસ્તે મૂકી આવી ભગવાનને પ્રાર્થના કરવાની કે આવનારા નવા વર્ષમાં એમાંથી અમને મુક્તિ આપજો અને સુખશાંતિ ભર્યું જીવન આપજો. કાળી ચૌદસની રાત અઘોરી બાવાઓ, તાંત્રિકો માટે પણ સ્મશાનમાં જઈ સાધના કરવા માટે પ્રખ્યાત છે.દિવાળીના બધા દિવસોમાં ઘણાં લોકો તંત્ર-મંત્ર-જાપ કરી વિવિધ દેવીદેવતાઓને રીઝવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. દિવાળીની રાતે ચોપડા પૂજન અને આખી રાત સૌથી વધુ ફટાકડા ફૂટતાં હોય છે.
હિન્દુ વર્ષનો બીજો દિવસ પણ ભાઈબીજનો તહેવાર લઈને આવે. ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધન જેવો જ બીજો પારિવારિક તહેવાર એટલે ભાઈબીજ. આ દિવસે ભાઈ બહેનના ઘેર જમવા જાય અને બહેનને યથાશક્તિ ભેટસોગાદ આપે. રાક્ષસ નરકાસુરને માર્યા બાદ શ્રી ક્રુષ્ણ બહેન સુભદ્રાને ઘેર પધાર્યા ત્યારે સુભદ્રાએ તેમના કપાળ પર તિલક કરી તેમનું ભાવભીનું સ્વાગત કર્યું એ દિવસથી ભાઈબીજ ઉજવાતી હોવાનું મનાય છે.યમ દ્વિતિયા તરીકે પણ ઓળખાતો આ તહેવાર મ્રુત્યુના દેવ યમ અને તેમની બહેન દ્વિતિયાની આ દિવસે થયેલી ખાસ મુલાકાતની યાદમાં મનાવાતી હોવાની પણ એક લોકકથા પ્રખ્યાત છે. બહેન ભાઈબીજના દિવસે ભાઈના લાંબા આયુષ્ય અને સુખી જીવન તેમજ સારા આરોગ્ય માટે પ્રાર્થના કરે છે.
ભારતની ઉત્સવપ્રિય પ્રજા માટે દિવાળી વર્ષનો અંતિમ તહેવાર હોવા છતાં નવું વર્ષ પણ આ બાબતે તેમને નિરાશ કરતું નથી! નવું વર્ષ પણ ભાઈબીજથી તો ફક્ત શરૂઆત કરી, આપણાં સૌ માટે ઢગલાબંધ તહેવારો લઈને આવે છે જે સમયાંતરે આપણાં જીવનને નીરસ બનતું અટકાવી તેમાં આનંદ અને ઉત્સાહના રંગો ભરતું રહે છે.આ અન્ય તહેવારો વિષે વાત કરીશું આવતા બ્લોગમાં...
…ત્યાં સુધી સૌને હેપ્પી દિવાળી અને હેપ્પી ન્યુ યર!!!
રવિવાર, 16 ઑક્ટોબર, 2011
માણસના શરીરમાં ભગવાન : પ્રતિભાવ
[ગયા અઠવાડિયાના ગેસ્ટબ્લોગ અગાઉના રવિવારે મેં માણસના શરીરમાં ઇશ્વર પ્રવેશે એ પ્રશ્ન છેડી આ વિષય પર મારા વિચારો લખ્યાં હતાં તેના અનુસંધાનમાં કેટલાક વાચકમિત્રોએ મૂળ બ્લોગ પર જે કમેન્ટ્સ લખી હતી તે આજે 'બ્લોગને ઝરૂખેથી...'માં વાંચીએ.]
આ વિષય એવો છે જેની ચર્ચાનો કદી અંત જ ન આવે!
હું માનું છું કે આ વિષયને અનેક દ્રષ્ટીથી જોઈ શકાય અને જો બધાં લોકોને આપણે એકસરખા ગણીએ તો એ અયોગ્ય લેખાશે.આ પ્રકારનું વર્તન કરનાર દરેક વ્યક્તિ ઢોંગી કે ખોટી નથી હોતી અને દરેક આવું વર્તન કરનારી દરેક વ્યક્તિ સાચી પણ નથી હોતી.
હું ક્યારેય એવી કોઈ વ્યક્તિને મળ્યો નથી જેની પાસે અલૌકિક કે જાદૂઈ શક્તિઓ હોય કે જેને માતાજી આવતા હોય.એવી કોઈ વ્યક્તિના સંપર્કમાં હું હજી સુધી આવ્યો નથી જેના શરીરમાં ભગવાન આવતા હોય અને જે દુ:ખિયારાઓને ચોખાના દાણા કે ભસ્મ આપી કે તેમને આશિર્વાદ આપી તેમના દુ:ખડા દૂર કરતી હોય.
પણ હું જ્યારે આવી વ્યક્તિઓ વિષે વિચારૂ છું ત્યારે મને લાગે છે જ્યાં સુધી આવી વ્યક્તિઓ લોકો પાસેથી પૈસા કે ભેટસોગાદો સ્વીકાર્યા વિના ફક્ત સમાજસેવા ખાતર આવી પ્રવૃત્તિઓ કરતી હોય ત્યાં સુધી એમાં કંઈ ખોટુ નથી. ઉલટું આવી વ્યક્તિઓ એવાં ઘણાં લોકો માટે આશાના છેલ્લા કિરણ સમાન બની રહેતી હોય છે જેઓ પોતાની અસાધ્ય બિમારી કે લાંબા ગાળાની કમનસીબી કે પનોતી દૂર કરવા માટે શક્ય એટલા દરેક નિષ્ફળ પ્રયાસ કરી ચૂક્યા હોય છે.
ભલે આવા, ભગવાન પોતાના શરીરમાં આવતા હોવાનો દાવો કરનાર વ્યક્તિએ આપેલ ચોખા કે લોકેટ કોઈ અસાધ્ય માંદગી કે પનોતી દૂર કરવાની તાકાત ધરાવતા ન હોય પણ તેમનામાં એવું કોઈક 'જાદૂઈ' તત્વ જરૂર હોય છે જે નિરાશ લોકોમાં આશા જીવંત રાખે છે, તેમને વધુ એક પ્રયાસ દ્વારા તેમના દુ:ખ કે આપત્તિમાંથી બહાર આવવા પ્રેરે છે, કોઈ અદ્રષ્ય શક્તિ પોતાની સાથે હોવાનો આભાસ કરાવે છે. આપણે પણ સાયકલ ચલાવતા શીખેલા ત્યારે પાછળ કોઈ અદ્રષ્ય હાથ સાયકલને પકડી આપણને સાચવતા હોવાનો અનુભવ આપણે નથી કર્યો જ્યારે હકીકતમાં ત્યાં કોઈ નહોતું?
પણ જો કોઈ વ્યક્તિ પોતાનામાં ભગવાન આવતા હોવાની વાત ફેલાવી લોકો પાસેથી પૈસા પડાવતી હોય તો તે ક્યારેય સાચી હોતી નથી.
બીજો પણ એક એવા લોકોનો વર્ગ છે જે ક્યારેય પોતાનામાં ભગવાન પ્રવેશતા હોવાનો દાવો નથી કરતાં પણ ઘણી વાર તેમના પર પ્રાર્થના વેળાએ એક ધૂન સવાર થઈ જાય છે અને તેઓ એક સમાધિ જેવી અવસ્થામાં ખોવાઈ જાય છે.મને લાગે છે આ અવસ્થા યોગમાં વપરાતા 'ધ્યાન' કે 'મેડિટેશન' શબ્દ જેવી છે. સામાન્ય રોજબરોજના જીવનમાં પણ આપણે કોઈ વસ્તુનો બારીકાઈથી અભ્યાસ કરીએ ત્યારે કે કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરતી વેળાએ આવી સ્થિતી અનુભવી શકાતી હોય છે. પેલા સમાધિ અવસ્થામાં પહોંચી ગયેલા લોકો પ્રાર્થનામાં તન્મય થઈ ગીત અને ઇશ્વરની તેમના મન સમક્ષ ખડી થયેલી છબીમાં એટલી હદે ખોવાઈ જાય છે કે તેઓ પોતાની જાતને ભૂલી જાય છે અને પોતાની શારીરિક પ્રક્રિયાઓ પરનો કાબૂ પણ ગુમાવી બેસે છે (જે ક્રિયા કે અવસ્થાને તમે તમારા બ્લોગમાં 'ધૂણે છે' એવો શબ્દપ્રયોગ દ્વારા વર્ણવી હતી.)
અહિં પણ જો આ પ્રકારનું વર્તન કોઈ પોતાના અંગત લાભ ખાતર ન કરતું હોય તો મારે મતે એમાં કંઈ નુકસાન કે ખોટુ નથી.
બીજા એક દ્રષ્ટીકોણથી જોઇએ તો ભગવાને માણસના અતિ 'શક્તિશાળી' અને 'બુદ્ધિશાળી' મગજ અને એવા અવયવોની રચના કરી છે જેને વિજ્ઞાન અને તંત્રજ્ઞાને આટલી પ્રગતિ સાધી હોવા છતાં, આજ સુધી કોઈ સંપૂર્ણપણે સમજી શક્યું નથી કે કૃત્રિમ રીતે તેની આબેહૂબ નકલ સર્જી શક્યું નથી. આવા અતિ સંકુલ છતાં સચોટ માનવ શરીરની રચના કરનાર એ જ ભગવાન કેટ્તલાક 'દિવ્ય' શક્તિ ધરાવતા મનુષ્ય કેમ ન સર્જી શકે?
આખરે આવા સાચા કે ખોટા મનુષ્ય વચ્ચેનો ભેદ પારખવા મનુષ્યે પોતાના એ જ શક્તિશાળી મગજનો ઉપયોગ કરવો જોઇએ!
ધન્યવાદ.
- જયેશ જોશી (મલાડ,મુંબઈ)
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
મને આ ચર્ચાનો હિસ્સો બનવું ખૂબ ગમશે.
તમે એમ કહેવામાં બિલકુલ સાચા છો કે ભગવાન કદી મનુષ્યના શરીરમાં પ્રવેશી શકે નહિં. કારણ એ તો ત્યાં જ વસે છે...દરેક મનુષ્યના અંતરાત્મામાં.
ઇશ્વર કેટલા શાંતિપ્રિય,પ્રેમાળ અને માયાળુ હોય છે! જ્યારે તમે મધર ટેરેસાને યાદ કરો ત્યારે તમને કેવી લાગણી થાય છે? તેમની આસપાસ એક પ્રકારની આભાનું વર્તુળ રચાતું. તેઓ ઘણી જાહેર જગાઓએ જોવા મળતા પણ તેમણે ક્યારેય પોતાના શરીરમાં ભગવાન પ્રવેશતા હોવાનો દાવો કર્યો નહોતો. છતાં તેમની આસપાસ એક દૈવી તેજવર્તુળ ચોક્કસ અનુભવવા મળતું. જેનામાં ઇશ્વરીય તત્વ હોય તેના ચહેરા પર એક ગજબની શાંતિ અને કાંતિ છવાયેલી હોય છે જે લોકોને તેના તરફ આપોઆપ આકર્ષે છે. ઇશ્વરને મળ્યાના આનંદની અનુભૂતિ તેમને આવી વ્યક્તિને મળીને થાય છે. આનાથી ઉલટું હોય તો બધા એવી વ્યક્તિથી દૂર ભાગે છે.
જ્યારે લોકો ગમે તેવું વિકરાળ કે હિંસક સ્વરૂપ ધારણ કરેલ વ્યક્તિમાં પણ ભગવાન હોવાનું માની તેની પાસે પોતાના દુ:ખડા દૂર કરવાની યાચના કરવા દોડી જાય છે,ત્યારે એ નક્કી છે કે આવા ભોળા(?) લોકો કોઈક આશરો શોધતા હોય છે,પોતાની પ્રાર્થના આવી વ્યક્તિના માધ્યમથી બીજા વિશ્વમાં વસતા ભગવાન સુધી આ રીતે પહોંચશે એવી આશા સાથે.તેઓ કદાચ અન્ય કોઈક પાસેથી પોતે સાચા માર્ગે છે કે નહિં એ વાતની પુષ્ટી મેળવવા ઇચ્છતા હોય છે.પણ આમાં તેઓ કેટલી હદે સફળ થાય છે એ તો ઇશ્વર જ જાણે!
તમે આવા 'ભગવાન' પોતાના શરીરમાં આવતા હોવાનો દાવો કરનારા લોકો પ્રત્યે જે લાગણી ધરાવો છો તેવી જ ઉગ્ર લાગણી હું પણ આવા લોકો પ્રત્યે ધરાવું છું.મેં તો આવા કેટલાક લોકોને તેમના 'વળગાડ' માંથી મુક્ત થતા પણ જોયા છે.
- વીણા ડિસૂઝા (મલાડ, મુંબઈ)
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
દરેકને પોતપોતાની આગવી માન્યતા હોય છે,શ્રદ્ધા હોય છે.મારું માનવું છે કે ઇશ્વરનું અસ્તિત્વ હોય છે તેઓ માટે જેઓ તેનામાં આસ્થા રાખે છે.બાકીનાઓ (નાસ્તિકો) માટે આખી આ ચર્ચા વ્યર્થ છે.મારા જેવી વ્યક્તિ માટે પણ આ આખી વાત નિરર્થક છે જે માને છે કે ઇશ્વર પણ માણસ સમાન જ છે.માણસ નહિં તો ઇશ્વર નહિં.પણ જ્યારે 'વળગાડ' ની વાત કરીએ ત્યારે હું માનું છું કે ચોક્કસ તેના મૂળમાં કોઈક વૈજ્ઞાનિક પાયો રહેલો છે.
- મીરા મેનન (કોલકાતા)
આ વિષય એવો છે જેની ચર્ચાનો કદી અંત જ ન આવે!
હું માનું છું કે આ વિષયને અનેક દ્રષ્ટીથી જોઈ શકાય અને જો બધાં લોકોને આપણે એકસરખા ગણીએ તો એ અયોગ્ય લેખાશે.આ પ્રકારનું વર્તન કરનાર દરેક વ્યક્તિ ઢોંગી કે ખોટી નથી હોતી અને દરેક આવું વર્તન કરનારી દરેક વ્યક્તિ સાચી પણ નથી હોતી.
હું ક્યારેય એવી કોઈ વ્યક્તિને મળ્યો નથી જેની પાસે અલૌકિક કે જાદૂઈ શક્તિઓ હોય કે જેને માતાજી આવતા હોય.એવી કોઈ વ્યક્તિના સંપર્કમાં હું હજી સુધી આવ્યો નથી જેના શરીરમાં ભગવાન આવતા હોય અને જે દુ:ખિયારાઓને ચોખાના દાણા કે ભસ્મ આપી કે તેમને આશિર્વાદ આપી તેમના દુ:ખડા દૂર કરતી હોય.
પણ હું જ્યારે આવી વ્યક્તિઓ વિષે વિચારૂ છું ત્યારે મને લાગે છે જ્યાં સુધી આવી વ્યક્તિઓ લોકો પાસેથી પૈસા કે ભેટસોગાદો સ્વીકાર્યા વિના ફક્ત સમાજસેવા ખાતર આવી પ્રવૃત્તિઓ કરતી હોય ત્યાં સુધી એમાં કંઈ ખોટુ નથી. ઉલટું આવી વ્યક્તિઓ એવાં ઘણાં લોકો માટે આશાના છેલ્લા કિરણ સમાન બની રહેતી હોય છે જેઓ પોતાની અસાધ્ય બિમારી કે લાંબા ગાળાની કમનસીબી કે પનોતી દૂર કરવા માટે શક્ય એટલા દરેક નિષ્ફળ પ્રયાસ કરી ચૂક્યા હોય છે.
ભલે આવા, ભગવાન પોતાના શરીરમાં આવતા હોવાનો દાવો કરનાર વ્યક્તિએ આપેલ ચોખા કે લોકેટ કોઈ અસાધ્ય માંદગી કે પનોતી દૂર કરવાની તાકાત ધરાવતા ન હોય પણ તેમનામાં એવું કોઈક 'જાદૂઈ' તત્વ જરૂર હોય છે જે નિરાશ લોકોમાં આશા જીવંત રાખે છે, તેમને વધુ એક પ્રયાસ દ્વારા તેમના દુ:ખ કે આપત્તિમાંથી બહાર આવવા પ્રેરે છે, કોઈ અદ્રષ્ય શક્તિ પોતાની સાથે હોવાનો આભાસ કરાવે છે. આપણે પણ સાયકલ ચલાવતા શીખેલા ત્યારે પાછળ કોઈ અદ્રષ્ય હાથ સાયકલને પકડી આપણને સાચવતા હોવાનો અનુભવ આપણે નથી કર્યો જ્યારે હકીકતમાં ત્યાં કોઈ નહોતું?
પણ જો કોઈ વ્યક્તિ પોતાનામાં ભગવાન આવતા હોવાની વાત ફેલાવી લોકો પાસેથી પૈસા પડાવતી હોય તો તે ક્યારેય સાચી હોતી નથી.
બીજો પણ એક એવા લોકોનો વર્ગ છે જે ક્યારેય પોતાનામાં ભગવાન પ્રવેશતા હોવાનો દાવો નથી કરતાં પણ ઘણી વાર તેમના પર પ્રાર્થના વેળાએ એક ધૂન સવાર થઈ જાય છે અને તેઓ એક સમાધિ જેવી અવસ્થામાં ખોવાઈ જાય છે.મને લાગે છે આ અવસ્થા યોગમાં વપરાતા 'ધ્યાન' કે 'મેડિટેશન' શબ્દ જેવી છે. સામાન્ય રોજબરોજના જીવનમાં પણ આપણે કોઈ વસ્તુનો બારીકાઈથી અભ્યાસ કરીએ ત્યારે કે કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરતી વેળાએ આવી સ્થિતી અનુભવી શકાતી હોય છે. પેલા સમાધિ અવસ્થામાં પહોંચી ગયેલા લોકો પ્રાર્થનામાં તન્મય થઈ ગીત અને ઇશ્વરની તેમના મન સમક્ષ ખડી થયેલી છબીમાં એટલી હદે ખોવાઈ જાય છે કે તેઓ પોતાની જાતને ભૂલી જાય છે અને પોતાની શારીરિક પ્રક્રિયાઓ પરનો કાબૂ પણ ગુમાવી બેસે છે (જે ક્રિયા કે અવસ્થાને તમે તમારા બ્લોગમાં 'ધૂણે છે' એવો શબ્દપ્રયોગ દ્વારા વર્ણવી હતી.)
અહિં પણ જો આ પ્રકારનું વર્તન કોઈ પોતાના અંગત લાભ ખાતર ન કરતું હોય તો મારે મતે એમાં કંઈ નુકસાન કે ખોટુ નથી.
બીજા એક દ્રષ્ટીકોણથી જોઇએ તો ભગવાને માણસના અતિ 'શક્તિશાળી' અને 'બુદ્ધિશાળી' મગજ અને એવા અવયવોની રચના કરી છે જેને વિજ્ઞાન અને તંત્રજ્ઞાને આટલી પ્રગતિ સાધી હોવા છતાં, આજ સુધી કોઈ સંપૂર્ણપણે સમજી શક્યું નથી કે કૃત્રિમ રીતે તેની આબેહૂબ નકલ સર્જી શક્યું નથી. આવા અતિ સંકુલ છતાં સચોટ માનવ શરીરની રચના કરનાર એ જ ભગવાન કેટ્તલાક 'દિવ્ય' શક્તિ ધરાવતા મનુષ્ય કેમ ન સર્જી શકે?
આખરે આવા સાચા કે ખોટા મનુષ્ય વચ્ચેનો ભેદ પારખવા મનુષ્યે પોતાના એ જ શક્તિશાળી મગજનો ઉપયોગ કરવો જોઇએ!
ધન્યવાદ.
- જયેશ જોશી (મલાડ,મુંબઈ)
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
મને આ ચર્ચાનો હિસ્સો બનવું ખૂબ ગમશે.
તમે એમ કહેવામાં બિલકુલ સાચા છો કે ભગવાન કદી મનુષ્યના શરીરમાં પ્રવેશી શકે નહિં. કારણ એ તો ત્યાં જ વસે છે...દરેક મનુષ્યના અંતરાત્મામાં.
ઇશ્વર કેટલા શાંતિપ્રિય,પ્રેમાળ અને માયાળુ હોય છે! જ્યારે તમે મધર ટેરેસાને યાદ કરો ત્યારે તમને કેવી લાગણી થાય છે? તેમની આસપાસ એક પ્રકારની આભાનું વર્તુળ રચાતું. તેઓ ઘણી જાહેર જગાઓએ જોવા મળતા પણ તેમણે ક્યારેય પોતાના શરીરમાં ભગવાન પ્રવેશતા હોવાનો દાવો કર્યો નહોતો. છતાં તેમની આસપાસ એક દૈવી તેજવર્તુળ ચોક્કસ અનુભવવા મળતું. જેનામાં ઇશ્વરીય તત્વ હોય તેના ચહેરા પર એક ગજબની શાંતિ અને કાંતિ છવાયેલી હોય છે જે લોકોને તેના તરફ આપોઆપ આકર્ષે છે. ઇશ્વરને મળ્યાના આનંદની અનુભૂતિ તેમને આવી વ્યક્તિને મળીને થાય છે. આનાથી ઉલટું હોય તો બધા એવી વ્યક્તિથી દૂર ભાગે છે.
જ્યારે લોકો ગમે તેવું વિકરાળ કે હિંસક સ્વરૂપ ધારણ કરેલ વ્યક્તિમાં પણ ભગવાન હોવાનું માની તેની પાસે પોતાના દુ:ખડા દૂર કરવાની યાચના કરવા દોડી જાય છે,ત્યારે એ નક્કી છે કે આવા ભોળા(?) લોકો કોઈક આશરો શોધતા હોય છે,પોતાની પ્રાર્થના આવી વ્યક્તિના માધ્યમથી બીજા વિશ્વમાં વસતા ભગવાન સુધી આ રીતે પહોંચશે એવી આશા સાથે.તેઓ કદાચ અન્ય કોઈક પાસેથી પોતે સાચા માર્ગે છે કે નહિં એ વાતની પુષ્ટી મેળવવા ઇચ્છતા હોય છે.પણ આમાં તેઓ કેટલી હદે સફળ થાય છે એ તો ઇશ્વર જ જાણે!
તમે આવા 'ભગવાન' પોતાના શરીરમાં આવતા હોવાનો દાવો કરનારા લોકો પ્રત્યે જે લાગણી ધરાવો છો તેવી જ ઉગ્ર લાગણી હું પણ આવા લોકો પ્રત્યે ધરાવું છું.મેં તો આવા કેટલાક લોકોને તેમના 'વળગાડ' માંથી મુક્ત થતા પણ જોયા છે.
- વીણા ડિસૂઝા (મલાડ, મુંબઈ)
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
દરેકને પોતપોતાની આગવી માન્યતા હોય છે,શ્રદ્ધા હોય છે.મારું માનવું છે કે ઇશ્વરનું અસ્તિત્વ હોય છે તેઓ માટે જેઓ તેનામાં આસ્થા રાખે છે.બાકીનાઓ (નાસ્તિકો) માટે આખી આ ચર્ચા વ્યર્થ છે.મારા જેવી વ્યક્તિ માટે પણ આ આખી વાત નિરર્થક છે જે માને છે કે ઇશ્વર પણ માણસ સમાન જ છે.માણસ નહિં તો ઇશ્વર નહિં.પણ જ્યારે 'વળગાડ' ની વાત કરીએ ત્યારે હું માનું છું કે ચોક્કસ તેના મૂળમાં કોઈક વૈજ્ઞાનિક પાયો રહેલો છે.
- મીરા મેનન (કોલકાતા)
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)





