Translate

શનિવાર, 21 જાન્યુઆરી, 2017

કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલીટી (ભાગ - ૧)

ભારત દેશમાં એક કઠણાઈ છે કે અહિં કોઈ પણ ક્ષેત્રે કંઈક સારું કરવા મોટે ભાગે લોકોને ફરજ પાડવી પડે છે,નિયમો બનાવવા પડે છે.સી.એસ.આર. એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલીટી આવી એક વ્યવસ્થાનો ભાગ છે જ્યાં સરકારે નિયમ બનાવ્યો છે કે કોર્પોરેટ ક્ષેત્રની દરેક કંપનીએ પોતાની કમાણીનો અમુક ચોક્કસ ટકા હિસ્સો સમાજસેવા માટે ફરજીયાત પણે વાપરવો. નોકરી કરતા દરેક જણે જેમ ફરજીયાત પણે આવકનો કેટલોક ભાગ આયકર પેટે ભરવો પડે છે એવું કંઈક. ઘણી કંપનીઓ સ્વેચ્છાએ પ્રકારે કોઈક ચોક્કસ ધ્યેય સાથે પોતાને સાંકળી સમાજ પ્રત્યે પોતાનું રુણ અદા કરતે હોય છે તો કેટલીક કંપનીઓ મરજીયાત પણે ફરજ બજાવતી હોય છે. મને કે કમને કોર્પોરેટ ક્ષેત્રની દરેક કંપનીને રીતે સમાજસેવા સાથે સી.એસ.આર. દ્વારા સંકળાવું પડે છે.
મને સમાજસેવા ક્ષેત્રે રસ છે એટલે હું મારી કંપનીની સી.એસ.આર. ટીમનો ભાગ છું.
અમારી કંપનીએ શિક્ષણ ક્ષેત્રે થોડા ઘણાં એન.જી. સાથે કેટલાક સંયુક્ત પ્રોજેક્ટ્સ હાથ ધર્યાં છે જેમાં જે-તે કામ ચોક્કસ નિયત ગામ-શહેર કે તેના ચોક્કસ વિસ્તારમાં એન.જી.. કરે અને અમારે તેમને માટે જરૂરી નાણાંભંડોળ પુરું પાડવાનું.
શિક્ષણ ક્ષેત્રે પણ અમે જે પ્રોજેક્ટ્સ સ્પોન્સોર કર્યાં છે તેનું ધ્યેય છે શિક્ષણની ગુણવત્તા સુધારવાનું. બાળકો મ્યુનિસિપલ કે સરકારી શાળાઓમાં જતા હોય છે પણ જરૂરી નથી કે તેમને ગુણવત્તા ભર્યું શિક્ષણ પ્રાપ્ત થતું હોય.આવી શાળાઓમાં જઈ તેમના નિયમિત વર્ગો કરતા અલગ ખાસ સત્રમાં વિદ્યાર્થીઓને અલગ અલગ રસપ્રદ અને અસરકારક પ્ર વૃત્તિ દ્વારા લખતા કે વાંચતા કે પછી વિશેષ જ્ઞાન પુરું પાડવાનું કામ એન.જી. સંસ્થાએ નિયુક્ત કરેલા શિક્ષણમિત્ર કાર્યકર્તાઓ કે ટીચર્સ કરે છે. કોઈક એન.જી.. રમતગમત દ્વારા ગણિત અને અન્ય વિષયો શિખવે તો કોઈક સંસ્થા વાર્તાના પુસ્તકો વિદ્યાર્થીઓ પાસે સામેથી લઈ જઈ તેમની સમક્ષ વાંચી કે વંચાવી તેમને અક્ષરજ્ઞાન પુરું પાડે અને તેમને મળતા શિક્ષણની ગુણવત્તા રીતે સુધારવાનો પ્રયત્ન કરે.કોઈક સંસ્થા પોતે ખાસ તૈયાર કરેલા શૈક્ષણિક સાધન-સામગ્રીથી ભણાવવાનું રસપ્રદ બનાવે તો કોઈક એન.જી.. અંગ્રેજી વિષય પર ધ્યાન કેન્દ્રીત કરે.
સમાજસેવા ક્ષેત્રે ટી.આઈ.એસ.એસ. એટલે કે ટાટા ઇન્સ્ટીટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ ઘણું નોંધપાત્ર કામ કરતી અગ્રણી સંસ્થા છે.તે અમારી સી.એસ.આર. પાર્ટનર અને મુખ્ય સલાહકાર છે.તેમના ત્યાં જે એન.જી.. નોંધણીકૃત થયા હોય તેમનામાંથી કેટલાક સાથે અમે જોડાવાનું ખાસ્સી લાંબી અને જટીલ પ્રક્રીયા બાદ નક્કી કર્યું અને અમારા દરેક પ્રોજેક્ટ્સનું નિયમિત ઓડીટ પણ તેમના દ્વારા ચાલ્યા કરે.કેટલાક કાર્યક્રમોમાં અમે કોર્પોરેટ એમ્પ્લોયીસ પણ અમારા સ્પોન્સર્ડ પ્રોજેક્ટ્સ ના લાભાર્થીઓ સાથે જોડાઈએ અને આમ સદાયે પોતાના કામમાં ગળાડૂબ રહેનારા શહેરી કોર્પોરેટ કર્મચારીને એક નવા પાસાનો અનુભવ થાય. કાર્યક્રમ એટલે ગરીબ બાળકોને જઈને તેમને કોઈક ખાસ બાબત અંગેનું જ્ઞાન આપવાનું અથવા વયસ્ક વરીષ્ઠ નાગરીક સાથે સમય પસાર કરવાનો, વૃક્ષારોપણ કરવાનું કે કોઈક જગાએ જઈ શ્રમદાન કાર્યક્રમનો હિસ્સો બનવાનું. વર્ષમાં બે-ત્રણ વાર અમે જે પ્રોજેક્ટ્સ સ્પોન્સોર કર્યાં છે જગાની મુલાકાત અમારે લેવાની અને એન.જી.ઓના કામની સમીક્ષા કરવાની એ પણ આવી જ ફરજ નો ભાગ છે. જોવાનું કે અમે ફાળવેલા ભંડોળનો યથાયોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે કે નહિ,અમે ચોક્કસ વિસ્તારમાં હાથે ધરેલ કાર્યને લઈ શિક્ષણની ગુણવત્તા સુધારવામાં સફળ થયા છીએ કે નહિ.
ગત વર્ષે સદનસીબે મને બે જગાઓની મુલાકાતે જવા મળ્યું. મહારાષ્ટ્રના પુણે અને બુલઢાણા બે વિસ્તારોમાં. પુણેના શહેરી અને ગ્રામીણ એમ બંને વિસ્તારોમાં કામ કરી રહેલ એન.જી.. ડોરસ્ટેપ સ્કૂલની ઓફિસ અને તે જ્યાં કાર્ય કરી રહ્યું છે તેમાંની કેટલીક શાળાઓની મુલાકાત લીધી અને ત્યારે એવી કેટલીક બાબતો જોઈ-અનુભવી જેનો જીવનમાં ક્યારેય પહેલા પ્રત્યક્ષ કે પરોક્ષ પરીચય નહોતો. અનુભવ અને નવા જ્ઞાનની માહિતી હવે પછીના કેટલાક બ્લોગ્સ  થકી તમારા સૌ સાથે શેર કરીશ. શહેરમાં કે ગામમાં ઠેર ઠેર બાંધકામનું કાર્ય ચાલતું રહે છે. નવું બિલ્ડીંગ હોય કે રસ્તા કે પુલનું બાંધકામ, પણ આવા કન્સ્ટ્રક શનને લગતા કામને પૂર્ણ થતા વર્ષો નિકળી જાય છે.ત્યારે બાંધકામ સાથે સંકળાયેલા મજૂરો સાઈટની નજીક પોતાના હંગામી નિવાસ બનાવી રહેતા હોય છે.બાંધકામ પુરું થાય એટલે ત્યાંથી ઉચાળા ભરી નવા બાંધકામના સ્થળે કે નવા ગામ કે શહેરમાં.આમ વણઝારાઓ જેવું જીવન જીવતા મજૂરોના બાળકો ઘણી વાર શિક્ષણ પામવાનું ચૂકી જાય છે. આવા મજૂરોના બાળકોને તેમના ઘર આંગણે જઈ ભણાવવાનું કામ કરે છે ડોર સ્ટેપ સ્કૂલ એન.જી.. સંસ્થા, તેમના કાર્યવ્યાપ અને અમે સ્પોન્સોર કરેલા તેના પ્રોજેક્ટ વિશેની માહિતી આવતા બ્લોગમાં.

(ક્રમશ:)

1 ટિપ્પણી:

  1. આજે શહેરોમાં અને ગામડાઓમાં સરકારી કરતા બિનસરકારી સંસ્થાઓ તાકીદે મદદરૂપ બની રહે છે. ને દેશ-વિદેશમાંથી સારી એવી રકમ અનુદાન રોપે મળતી હોય છે અને સંસ્થાના કર્મચારીઓ સતત કામ માટે તૈયાર હોય છે.કેવળ જરૂર છે આવી સંસ્થાઓએ કાયદેસર આવેલા નાણાંની રસીદ અને આવકજાવકના હિસાબની યોગ્ય નોંધ રાખવાની.

    જવાબ આપોકાઢી નાખો